અનુયાયીઓ

રવિવાર, 25 માર્ચ, 2012

નવા વર્ષે રાજયમાં ૧૨ હજારથી વધુ નંદધરો બાંધવાનું આયોજન - અગ્ર સચિવ સંગીતાસિધ

રાજય સરકારે નવા વર્ષના અદાજપત્રમાં ૧૨ હજારથી વધુ આંગણવાડીઓના મકાનો (નંદધરો) બાંધવાનું આયોજન કર્યું છે. તેવી જાણકારી આપતા મહિલા અને બાળ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રીમતી સંગીતાસિંધે જણાવ્યું હતું કે, ભૂલકાંઓ, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓને પૂરક પોષણથી સશકત કરવા અને આરોગ્ય સાચવવાનું આયોજન રાજય સરકારે કર્યું છે. તેવા ગ્રામસ્તરે પરિણામલક્ષી અમલીકરણમાં સરપંચો વિશિષ્ટ ભૂમિકા અદા કરવાની છે. તેમણે જણાવ્યું તું કે બાળકો, કિશોરીઓ અને માતાઓ માટે વિનામૂલ્યે રેડી ટુ કૂક પોષક આહાર વિનામૂલયે ઉપલબ્ધ કરાવનારું ગુજરાત પ્રથમ રાજય છે. સખી મંડળોને પણ બાળ અને મહિલા પોષણ યોજનાઓના અમલીકરણમાં જોડવામાં આવી છે. તેમણે નવ જિલ્લાઓમાં કિશોરીઓને સશકિતકરણ માટે અમલમાં મૂકવામાં આવેલી સપના યોજના તેમજ માતા યશોદા પુરસ્કાર યોજવાની માહિતી આપી હતી.

ટિપ્પણીઓ નથી: