અનુયાયીઓ

રવિવાર, 25 માર્ચ, 2012

ધર વિહોણા માટે એક લાખ આવાસો નિર્માણ કરાશે - નરોત્તમભાઇ પટેલ

હાલમાં સમરસ ગામોની ૫૦૦૦ બહેનોને ગાંધીનગર બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સરપંચો પોતાના ગામને કેવી રીતે વિકાસની ઊંચાઈ પર લઈ જઈ શકે તે માટે તેમનામાં રહેલી શકિતનો આભાસ થયો ખૂબ જરૂરી છે, એ તેમણે અભ્યાસ અને સરકારની યોજનાઓની સાચી સમજથી મેળવવી પડશે. પંચાયતી રાજયના ૫૦ વર્ષની ઉજવણીના આયોજન અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે ગામો શહેરોને ટક્કર મારે તેવા ગામોમાં સુવિધા ઊભી કરવાની છે. ગામોને સ્વભંડોળ ભેગુ કરી રાજય સરકાર દ્વારા આપવામાં આવતા ભંડોળનો ઉપયોગ કરી ગામોના વિકાસ કરવા જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ૦ થી ૧૬ આંક વાળા ગરીબોને આવાસો આપી દેવામાં આવ્યા છે હવે ૧૭ થી ૨૦ આંક વાળા ગરીબો આવાસો આપવામાં આવશે. બજેટમાં રૂા. ૩૫૦ કરોડ સરદાર આવાસ યોજના માટે ફાળવવામાં આવ્યા છે. હજુ ૩.૫ લાખ આવાસ બાંધવાના બાકી છે. તેમાંથી 1 લાખ આવાસ આ વર્ષે બંધાશે. સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ મળે તે માટે ગરીબ કલ્યાણ મેળા શરૂ કરવામાં આવ્યા. રાજયના ૨૫૫ ગામોને ગટર યોજના આપવાનું આયોજન રાજય સરકારે કર્યું છે. તેમાંથી પ્રથમ તબક્કામાં ૮૮ ગામોનાં ટેન્ડર આપી દેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજયના ૧૩,૬૮૫ ગામો ઈ-ગ્રામની વ્યવસ્થાથી જોડાયા હોવાનો ગર્વ પણ મંત્રીશ્રીએ લઈ સરપંચોને તેનો ભરપુર લાભ લેવા આગ્રહ કર્યો હતો.

ટિપ્પણીઓ નથી: