અનુયાયીઓ

રવિવાર, 25 માર્ચ, 2012

‘ ઇગ્નુ ‘ એ શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન સાથે ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે: રાજ્યપાલશ્રી

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુક્ત વિશ્વવિદ્યાલયના રજતજયંતિ મહોત્સવ કાર્યક્રમ પ્રસંગે ‘ ઇગ્નુ ‘ની સેવાઓને બિરદાવતાં રાજ્યપાલશ્રી શિક્ષણમાં ઉચ્ચ પ્રકારની ગુણવત્તા, અનેક પ્રકારના નવા કોર્ષ તથા શૈક્ષણિક સુવિધાઓ સાથે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રિય મુક્ત વિશ્વવિદ્યાલયે શિક્ષણક્ષેત્રે માત્ર પરિવર્તન જ નહીં ક્રાંતિની જ્યોત પ્રગટાવી છે, તેમ રાજ્યપાલ ડૉ. શ્રીમતિ કમલાજીએ જણાવ્યું છે. અમદાવાદ ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રિય મુક્ત વિશ્વવિદ્યાલયની રજત જયંતિ વર્ષ મહોત્સવના યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદેથી ઉદબોધન કરતાં રાજ્યપાલશ્રીએ ‘ ઇગ્નુ ‘ ની શિક્ષણક્ષેત્રે સેવાઓને બિરદાવતાં જણાવ્યું હતું કે માત્ર શાળા કે કોલેજમાં જઇને જ શિક્ષણ મેળવી શકાય છે તે માન્યતાને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રિય મુક્ત વિશ્વવિદ્યાલયે ખોટી ઠેરવી છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે ‘ ઇગ્નુ ‘ ના આજ સુધીના ઇતિહાસમાં એક પણ વખત એવું નથી બન્યું જેમાં એક પણ કોર્ષની પરીક્ષાની તારીખ બદલવી પડી હોય, આ બાબત ‘ ઇગ્નુ ‘નું શ્રેષ્ઠ વહીવટી વ્યવસ્થાપન દર્શાવે છે. આજે દેશના કોઇ પણ ખુણેથી કોઇ પણ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે છે. આ પ્રસંગે ‘ ઇગ્નુ ‘ ના રિજિયોનલ ડિરેક્ટર ડૉ. શ્રીકાંત મહાપાત્રએ જણાવ્યું હતું કે ‘ ઇગ્નુ ‘ ના ૨૫ માં વર્ષની ઉજવણીના ભાગ રૂપે આ વર્ષની શરૂઆતથી દેશમાં ઓન ડિમાંડ એજ્યુકેશનની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત ‘ ઇગ્નુ ‘ દ્વારા કેટલાક કોર્ષ ગુજરાતીમાં પણ શરૂ કરાશે. આ કાર્યક્રમમાં ડૉ. પી. કે. મહેતા, ડૉ. ભૂષણ પૂનાની, ડૉ. ગણેશદેવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ટિપ્પણીઓ નથી: