અનુયાયીઓ

બુધવાર, 18 એપ્રિલ, 2018

જેતપુરમાં કાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા
શ્રી પરશુરામ જયંતી ધામધુમથી ઉજવાશે

ત્રણેય કારોબારી સભ્યોને જોડવા SBS પ્રમુખ અશોકભાઈ જોશીનો અનુરોધ

રાજકોટ તા.૧૭
આવતીકાલ તા.૧૮ ના રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ, જેતપુર દ્વારા વિવિધ આયોજનો થયા છે.
જેમાં સૌ પ્રથમ શહેરના મુખ્ય મુક્તિધામ(સ્મશાનઘાટ) ખાતે સવારના ૯-૩૦ થી ૧૦-૩૦ દરમિયાન શ્રી પરશુરામજીની પ્રતિમાની પૂજનવિધિ શાસ્ત્રોક રીતે કરવામાં આવશે.


જે પૂજન વિધિમાં સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના વરિષ્ઠ, મહિલા અને યુવા પાંખ તેમ ત્રણેય કારોબારી પાંખના પ્રમુખશ્રીઓ, અગ્રણીઓ અને સભ્યોમોટી સંખ્યામાં હાજર રહેશે. સાંજના ૭-૩૦ કલાકે ઉપરોક્ત ત્રણેય પાંખના કારોબારી સભ્યોના પરિવારજનોનું ફૂલવાડી રામજી મંદિર રોડ પરની શ્રી સમસ્ત બ્રહ્મ સમાજની વાડી ખાતે સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય,

સમસ્તબ્રહ્મ સમાજ જેતપુરના પ્રમુખ અશોકભાઈ કે.જોશી, ચીફ એડવાઈઝર કમલેશભાઈ પંડ્યા, મંત્રી ઉમાંકાન્તભાઈ જોશી, મહિલા પાંખના પ્રમુખ નીતાબેન મહેતા તેમજ બ્રહ્મસમાજ યુવા પાંખના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા વિગેરે સવારના પૂજનવિધિ અને સાંજે ભોજન કાર્યક્રમનો લાભ લેવા બ્રહ્મસમાજની વરિષ્ઠ, મહિલા અને યુવા પાંખના કારોબારી સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે.

સોમવાર, 16 એપ્રિલ, 2018

સરકાર જુએ છે કે તમે કઈ ટીવી ચેનલ કેટલી વાર જોઈ !!

સરકાર જુએ છે કે તમે કઈ ટીવી ચેનલ કેટલી વાર જોઈ !!

માહિતી અને પ્રસારણ મંત્રાલયે નવા ટેલિવિઝન સેટ ટોપ બોક્સમાં એક ચિપ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ચિપ જણાવશે કે લોકો કઈ ચેનલને જોઈ છે અને કેટલા સમય સુધી જોય છે. મંત્રાલયના એક સીનીયર ઓફિસરે કહ્યું હતું કે આ પગલાનો હેતુ દરેક ચેનલ માટે દર્શકોના વ્યુઅરશીપ ડેટા ભેગા કરવાનો છે. તેનાથી જાહેરાતકર્તા અને DAVP પોતાની એડ માટે સમજી-વિચારીને ખર્ચ કરી શકશે.

જાણવા મળ્યું છે કે DAVP અલગ અલગ મંત્રાલયો અને તેના સંગઠનોની એડ માટે સરકારની એજન્સી છે. મંત્રાલયે TRAIને કહ્યું છે કે, પ્રસ્તાવ એ છે કે DTH ઓપરેટરોને તેમના નવા સેટ ટોપ બોક્સમાં આ ચિપ લગાવવા માટે કહેવામાં આવશે. આ ચિપ જોવાનારી ચેનલો અને તેના સમયના આંકડા આપશે. આ પ્રસ્તાવ DTH લાઈસન્સ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર TRAI તરફથી કરવામાં આવેલી ભલામણ પર મંત્રાલયની પ્રતિક્રિયાનો હિસ્સો હતો.

અધિકારીએ જણાવ્યું છે કે મંત્રાલયને એવું લાગે છે કે દૂરદર્શનની વ્યુઅરશીપને ઓછી કરીને બતાવવામાં આવે છે અને ચિપ લગાવ્યા પછી ચેનલના સાચા વ્યુઅરશીપ આંકડાઓની જાણકારી મળી શકશે. સરકારના આ પગલાંથી દેશમાં બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(BARC)ની મોનોપોલી પૂરી થી જશે. હાલમાં તેનો કોઈ વિકલ્પ નથી. તે એ નથી બતાવતું કે વ્યુઅરશીપના આંકડા તેમણે કેવી રીતે મળેવ્યા છે અને કયા વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો છે.


આ રીતે મંત્રાલય પોતાના આંકડા મેળવીને બાર્કના આંકડાની સાથે સરખામણી કરતા ખબર પડી જશે કે કયા આંકડા સાચા છે. મંત્રાલયે બાર્કના આંકડાની તપાસ માટે 300 મીટરની ખરીદી કરવાનો વિચાર પણ કર્યો હતો, પરંતુ આટાલા ઓછા મીટર લગાવવાનું શક્ય ન હતું. અધિકારીએ કહ્યું હતું કે બાર્કે લોકોના ટીવી જોવાના આંકડા મેળવવા માટે આશરે 30 હજાર મીટર ટીવી સેટ્સના મધરબોર્ડમાં લગાવ્યા છે.

કોઈ પણ વ્યક્તિ એવું નહીં ચાહશે કે તેમના ટીવીમાં કોઈ પણ વસ્તુ લગાવવામાં આવે પરંતુ બાર્કે આ આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે સંયુક્ત ઈન્ડ્સ્ટ્રી બોડી છે જેનું ગઠન સ્ટેક હોલ્ડર્સ, સરકારના પ્રતિનિધિઓ અને TRAI સાથે ચર્ચા કરીને કરવામાં આવ્યો છે.

વડોદરાના રોમેલ સુતરિયાનો CMને પત્ર લખ્યો ફી દૂર ન કરો ત્યાં સુધી ભણીશ નહીં,

વડોદરાના રોમેલ સુતરિયાનો CMને પત્ર લખ્યો 
ફી દૂર ન કરો ત્યાં સુધી ભણીશ નહીં,

12 વર્ષથી ઘર છોડીને લોક આંદોલન ચલાવીને પછી વડોદરા યુનિવર્સિટીમાં રાજકીય ક્ષેત્રનું ભણવા ગયેલા યુવાન રોમેલ સુતરિયાએ કનૈયા કુમાર સાથે મુલાકાત કર્યા બાદ તેમને ફી ભરવા માટે ટર્મિનેટ કરી દેવામાં આયા હતાં. હવે રોમલે જાહેર કર્યું છે કે જ્યાં સુધી ઊંચી ફી નાબુદ નહીં થાય ત્યાં સુધી તે ભણશે નહીં.
આ રહ્યો તેમનો ખુલ્લો પત્ર

માનનીય વિજયભાઈ રુપાણી,
મુખ્યમંત્રી ગુજરાત.

સાહેબ આશા છે કે આપ કુશલ મંગલ જ હશો. અમારા સંગઠનના સાથીયોએ અમદાવાદ કલેક્ટર મારફતે આપને તારીખ 9 એપ્રિલ 2018 ના રોજ માંગણી પત્ર મોકલાવેલું છે. અમારી ટીમ જે 13 નવેમ્બરે આપના નિવાસસ્થાને આપની મુલાકાત માટે આવેલા અને આપે અમારી માંગણીઓ સાંભળી આશ્વાસન આપેલું કે તમામ મુદ્દે કાર્યવાહી કરી નિકાલ કરવા સરકાર કટિબદ્ધ છે. મને તે પણ યાદ છે આપે ત્યારે જ ભવિષ્યવાણી પણ કરેલી કે ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચુંટણીઓમાં આપની ભારતીય જનતા પાર્ટીની જ સરકાર બનશે.

આપને પણ ત્યારે તે જાણ હતી કે આપની બેઠકો ઓછી આવશે પરંતુ આપે કહેલું કે 93 કે 94 ધારાસભ્યો ચૂટાશે જે સરકાર બનાવવા પુરતી છે. આપ સંતુષ્ટ જણાતા હતા. આમ તો મને કોઈ રાજકીય પક્ષ સાથે ક્યારેય કોઈ લેવા દેવા રહી નથી. પરંતુ રાજકીય ક્ષેત્રે એમ જરાય નહી કહું કે રસ નથી. કારણ બાળક દુકાનમાં પડેલી બરણીમાં ચોકલેટ જોઈને માં સામે રડે અને ચોકલેટ મળતા ચૂપ થાય તે પણ એક રાજનીતિ જ છે જે આપ સમજતા જ હશો. સરકાર તો પ્રજા માટે માં સમાન જ કહેવાય. મારા મતે પણ ક્યારેક સ્થિતિ સોતેલી માં જેવી ઉભી થાય તો દુ:ખ વધી જાય. માટે જ કહીશ કે હું છેલ્લા ઘણા વર્ષો થી લોકચળવળોનો ભાગ બની ગયો અને નાની ઉંમરથી અર્થાત છેલ્લા 12 વર્ષથી લોક આંદોલનોનું પ્રતિનિધિત્વ કરતો રહ્યો છું.

આપ મારા થી પરિચિત છો જ માટે વધુ કંઈ કહેવુ નથી. અનેક પ્રશ્નોને વાંચા આપવાના પ્રયત્નો અમારુ સંગઠન સતત કરતુ રહ્યુ છે સરકાર અમને વિરોધી સમજી બેસે તે પણ સ્વાભાવિક છે. પરંતુ અહી હું સ્પષ્ટ કરીશ કે હું કોઈનો વિરોધી રહ્યો નથી. હું હંમેશા સત્યના અને ન્યાય ના પક્ષ માં ઉભો રહું છું. લોકોના પ્રશ્નોને વાચા આપવા કરવામાં આવતી રણનીતિને આપ કે અન્ય કોઈ વ્ય્કિત રાજકારણ કહી નજરઅંદાજ કરી શકે છે પરંતુ તેનાથી અમારા જુસ્સા કે હિંમત મા રદ્દી ભર પણ ફેર પડે તેમ નથી. આ એટલા માટે લખી રહ્યો છું કારણ આપના પક્ષના લોકોએ મને વિરોધી માની અનેક ખોટા કેસોમાં ફસાવવાના કાવતરા કર્યા છે.


તે તો ઠીક મારુ ભણતર અટકાવાયુ માત્ર તે કારણથી કે મારી વિચારધારા ભિન્ન છે! હું તો આપના મોદીજીની જેમ વર્ષોથી ઘર પરિવાર છોડી લોકો વચ્ચે સક્રિય સેવા આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે મારા જેવી વ્યક્તિ ને કોલેજ તત્કાલ ફી જમા કરવાના બહાના બનાવે અને અન્ય છાત્રો ને જે મારા વર્ગમાં હતા જે કોઈ ચોક્કસ (RSS) સંગઠનોથી આવતા હોય તેમને ફી ભરવા મહિનાઓની તક આપવામાં આવે તો તેવો ભેદભાવ મારા જેવો વ્યક્તિ કેવી રીતે સાખી લે? તેનો વિચાર આપે કરવો જોઈતો હતો. સ્વાભાવિક રીતે પોતાના મુદ્દાઓ ને લઈને લડવા નીકળુ તે મને શોભા દે તેમ નથી, છતા મારે અવાજ ઉઠાવવો પડ્યો છે. પરંતુ મારા ભણતરને રાજકીય દ્વેષ રાખી અટકાવવાની હરકતથી મને જે પ્રેરણા મળી તેમા સૌથી અગત્યનુ તે કે ઈન્સ્ટીટ્યુટે બહાનુ બનાવ્યુ કે ફી  જમા ના કરાવી હોવાથી મને કાઢી મુકવામાં આવ્યો છે. આ સાંભળી મારા મગજમા પહેલો વિચાર એ આવ્હયો હતો કે હવે શિક્ષણનો વ્યાપાર તે હદે વધી ગયો છે કે એક વિધ્યાર્થી પાસે ફીસના પૈસા ના હોય તો તે ભણી ના શકે, તે સિદ્ધાંત કે વિચાર સર્વ સામાન્ય બની ગયો છે.

માટે નક્કી કર્યુ છે કે કે.જી. ટુ. પી.જી. જેની માંગ અગાઉ પણ હુ કરતો આવ્યો હતો તે માંગને મજબુત બનાવીશ. ગુજરાતના વાલીઓ, યુવાનો સુધી પહોંચી  સરકાર સમક્ષ લોકતાંત્રિક ઢબે લડત કરી શિક્ષણની નીતિમાં પ્રચલિત વિચાર કે પૈસા ના હોય તો ભણી ના શકો - ને નષ્ટ કરીશ નહીં ત્યા સુધી હું ભણીશ નહીં. કોઈ પણ કોર્સ કે શિક્ષણ સંસ્થાનનો ભાગ નહી બનું. આ પગલુ સમજી વિચારી ને લીધુ છે જાણુ છું મારા એકલા ના પ્રવેશ મુદ્દે આખુ MSU સામે હોત તો પણ હું ભણી લઉં તેટલી તાકાત ધરાવુ છુ. પરંતુ અહીં પ્રશ્ન શિક્ષણ નીતિઓમાં થઈ રહેલા સિદ્ધાંતો સામે સંઘર્ષ નો છે અને હું સ્થાપિત કરવા માંગુ છુ કે કોઈ અમીર હોય કે ગરીબ જે પણ પરિવારમાંથી આવતો હોય દરેક ને ભણવાનો સમાન અધિકાર છે.

જે વિચારને મારે તમારે બધાએ સવિકાર કરવો પડશે અને તેને પ્રત્યક્ષ અમલ કરવા માટે અમે રજુ કરેલી માંગણીઓમાની બે મુખ્ય માંગ સ્વીકાર કરી સરકારે પ્રજાને બતાવવુ પડશે કે સરકાર સમાનતાના સિદ્ધાંતમા માને છે. કહેવુ પડશે કે સરકાર માને કે શિક્ષણના મૂળભૂત અધિકારની રક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. આપ માંગ પત્ર જોશો તો આપને જણાશે લોકહિતની માંગ રજુ કરી અમારા સંગઠને ગુજરાતના યુવાનો, ચિટફંડ પિડિતો, બેરોજગારો, પર્યાવરણના પ્રશ્નો ને વાંચા આપવાનો પ્રયત્ન કર્યો છે. જે સંદર્ભે આજે અઠવાડિયુ થવા છતા આપની સરકારે કોઈ પગલા ભર્યા હોય તેની અમોને લેખિતમાં કોઈ જ જાણ કરી નથી. જે દર્શાવે છે કે એક માં આવી તો ના જ હોય કે જે પોતાના બાળકોની માંગણીઓ ને આંખ આળા કાન કરે. માટે મે અગાઉ  પણ જાહેર કરેલું છે તેમ અમારી માંગને લઈ સરકાર યોગ્ય કાર્યવાહી નહીં કરે સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી યોગ્ય પગલા નહી ભરે તો મારે પ્રાણના જોખમે આમરણ અનસન કરવાની નોબત આવશે અને જે કરવા હું સંપર્ણ પણે કટિબદ્ધ છુ.

માટે ગુજરાતના એક યુવાન તરીકે આપને આ ખુલ્લા પત્ર થકી તે જ કહેવા માંગુ છુ, ગુજરાતનાં યુવાનોની પરીક્ષા લેવાની બંધ કરો અને અમારી માંગોની દિશામાં યોગ્ય પગલા ભરો અમે કોઈ ગેરવ્યાજબી માંગ કરી નથી કે આપની સરકારે આટલુ વિચારવું પડે. જો આપ મારાથી નારાજ હોવ કે મેં આપની સાથે ફોટો પડાવવાની ના પાડી દીધી હતી તો હું ફરી યાદ કરાવીશ કે મે તે સમયે પણ કહેલુ મને લાગશે ત્યારે ચોક્કસ આપ સાથે ફોટો પડાવીશ માટે તે વાતથી વ્યક્તિગત દ્વેષ ના રાખી અમારી માંગણીઓ ઉપર ઝડપથી કાર્યવાહી કરશો તથા ગુજરાતની પ્રજા ને સમાનતા અને ન્યાયના દર્શન કરાવશો તો ચોક્કસ આ દીકરો આપવા વખાણ કરતા નહીં ખચકાય. અને તેમ નહીં થાય તો મજબુરી માં 23 તારીખથી આમરણ અનસન  કરી જીવની બાજી લગાવીશ. આપ માંગણીઓ ઉપર કાર્યવાહી કરો આપ તે દિશામાં આગળ વધો. હવે નક્કી આપે કરવાનુ છે કે આપની સરકાર સમાનતા અને ન્યાયના સિદ્ધાંતને કેન્દ્રમાં રાખી અમારી માંગણીઓ ઉપર કાર્યવાહી કરી એક સાચી પ્રેમાળ માંના દર્શન કરાવશે કે પોતાના બાળકો ને પ્રેમના કરતી માઁ બનશે. નક્કી આપે કરવાનુ છે.

મારુ ભણતર રોકવામાં આવ્યુ છે પરંતુ હવે હું અન્ય યુવાનોના ભણતર ને ધ્યાને રાખી શિક્ષણને કમોડીટી બનાવવાના સિદ્ધાંત સામે લડીશ ત્યાં સુધી જ્યા સુધી ગુજરાતમાં યોગ્ય શિક્ષણ નીતિ, ચિટફંડનાં પિડિતોને ન્યાય, પર્યાવરણની રક્ષા અને બેરોજગાર યુવાનોને રોજગાર આપવાની યોગ્ય નીતિ બવાવવામાં ના આવે.  સાહેબ માઁ બનશો તેવી આશા સાથે આ ખુલ્લો પત્ર આપને લખી રહ્યો છું.

રોમેલ સુતરિયા
(એક આવજ – એક મોર્ચા / વોઈશીસ ઓફ યુથ) 
તારીખ – 16 એપ્રિલ 2018

રાજ્યના અંતરિયાળ જીલ્લાઓમાં સુપર સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલોના નિર્માણ માટે ખાનગી હોસ્પીટલોને ૨૫ ટકા સબસીડી અપાશે - મુખ્યમંત્રીશ્રી

શ્રેષ્ઠ આરોગ્ય થકી જ સ્વસ્થ જીવન અને સુખી જીવન પ્રાપ્ત કરી શકાય છે : - મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

રાજકોટ માં તારીખ ૧૫મી એપ્રીલના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ સ્થિત ઇમ્પીરીયલ હોટલ ખાતે દિવ્યભાસ્કર અને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલનાં સંયુકત ઉપક્રમે યોજાયેલ સ્વાસ્થ્ય અને કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવાનો હેતુપુર્ણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે મિડીયા અને એન.જી.ઓ, ખાનગી હોસ્પિટલની ઝુંબેશ સમાજમાં નવી પ્રેરણા આપે છે. આ ઝુંબેશ લોકોના સ્વસ્થ જીવનનું ચાલકબળ બનશે. મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સિવાયના શહેરોમાં જે ખાનગી કે ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલો નિર્માણ કરશે તો તેમને મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર-ઇકવીપમેન્ટ ખર્ચની ૨૫ ટકા સબસીડી રાજ્ય સરકાર આપશે. વિનામુલ્યે દર્દિઓની સારવાર કરતી સંસ્થાઓ, હોસ્પીટલનું રિકરીંગ ખર્ચ સરકાર ભોગવશે જેથી સિવિલ હોસ્પીટલો પરનું કામનું ભારણ ઘટશે. 


મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકારની મેડીકલ ક્ષેત્રે શરૂ કરેલ વિવિધ પહેલનો ઉલ્લેખ કરતાં કહયું કે તબીબોની વયમર્યાદા ૬૫ વર્ષ કરવામાં આવી છે અને ૧૯૯૫માં ગુજરાતમાં મેડીકલ સીટ ૮૩૦ હતી જે અત્યારે ૪૦૦૦ કરવામાં આવી છે તે દર્શાવે છે કે રાજ્યમાં ડોકટરોની ઘટ પૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. પ્રથમ તબકકામાં ખાનગી હોસ્પીટલ અને સરકારના સહયોગથી શરૂ થનારી સુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પીટલ દાહોદ, પંચમહાલ, અમરેલી સહિતના અંતરિયાળ જીલ્લાઓમાં બનાવવા માટે ગુજરાત સરકારની નવી મેડીકલ પોલીસી ગ્રીનફિલ્ડ, બ્રાઉનફિલ્ડનો અમલ કરાશે.  મુખ્યમંત્રીશ્રીએ કહયું કે રાજ્ય સરકારે ૫૫ લાખ પરિવારોને મા અમૃતમ યોજનાના કાર્ડથી રક્ષિત કરી સારવાર પાછળ ૮૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. સરકાર વર્ષે દોઢ લાખ બાળકોનું આરોગ્ય ચેકીંગ કરે છે અને મેઝર ઓપરેશન જરૂર પડયે રાજ્ય બહારની સારામાં સારી હોસ્પીટલમાં કરાવે છે. સરકારી હોસ્પીટલમાં ૩.૭૫ કરોડ લોકો વર્ષે સારવાર મેળવે છે. 


કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ચેરપર્સન શ્રીમતી ટીનાબેન અંબાણીએ આજના પ્રસંગે પ્રશન્નતાપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાત સાથે અમારે પારિવારિક સંબંધ હોઈ ગુજરાત સાથે હંમેશા એક વિશેષ લગાવ રહ્યો છે.  આ હોસ્પિટલ શરુ કરવા પાછળનો ઉદ્દેશ રજુ કરતા શ્રીમતી અંબાણીએ જણાવ્યું હતું કે ભારતીયોને વૈશ્વિક સ્તરની અધ્યતન સારવાર નજીવા દરે મળી રહે તે અર્થે ૨૦૦૯ માં મુંબઈ ખાતે સ્વ. ધીરુભાઈ અંબાણીની યાદમાં અને કોકીલાબેનને સમર્પિત આ હોસ્પિટલ શરુ કરાઈ હતી. સુરત બાદ રાજકોટ ખાતે મેડીકલ સેન્ટર શરુ કરાતા અહીના લોકોને અધ્યતન સારવારનો લાભ મળશે. આ ઉપરાંત આવનારા સમયમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૧૮ જેટલા કેન્સર કેર સેન્ટર શરુ કરવા જઈ રહ્યા હોવાનું શ્રીમતી ટીના અંબાણીએ જણાવ્યું હતું.


દૈનિક ભાસ્કર જૂથના એક્ઝીક્યુટીવ ડીરેક્ટરશ્રી ડો.ભરત અગ્રવાલે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે આજના સમયમાં કેન્સર, ન્યુરોલોજી, કરોડરજ્જુ અને બાળકોના રોગો અંગે ખાસ જાગૃતતા લાવવા માટે ભાસ્કર ગ્રુપ અભિયાન શરુ કરવા જઈ રહ્યું છે ત્યારે કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ દ્વારા તેમના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેડીકલ ટીમ દ્વારા અધતન સારવાર મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ ‘રૂપાણી’ અને ‘અંબાણી’ શબ્દ પ્રયોગ દ્વારા ગુજરાત પ્રત્યે તેમનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને વ્યસન મુકિતનું ભગીરથ કાર્ય કરનાર સંત શ્રી અપૂર્વ સ્વામિએ જણાવ્યું હતું કે ગુજરાતના સપૂત શ્રી ધીરૂભાઇ અંબાણીના પરિવારજનોએ વૈશ્વિક ઉંચાઇ પ્રાપ્ત કર્યા પછી પણ એક સામાન્ય માણસની સ્વસ્થ જીંદગીની ચિંતા કરી છે તે આ પરિવારને મળેલા સંસ્કારનું ભાથુ છે. દિવ્યભાસ્કર  અને કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પીટલ દ્વારા શરૂ કરેલી જનઆરોગ્યની ઝુંબેશથી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવશે. 


પ્રાસંગિક પ્રવચનમાં રાજકોટ દિવ્ય ભાસ્કરના તંત્રીશ્રી દેવેન્દ્રસિંહ પાંજરોલીયાએ ‘સ્વસ્થ જીવન સુખી જીવન’ અભિયાન થકી લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત્તતા લાવવા અભિયાનની રૂપરેખા આપી હતી. કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ડીરેક્ટર શ્રી રામનારાયણે વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા હોસ્પિટલ દ્વારા કરવામાં આવતી સારવારની માહિતી આપી હતી. હોસ્પિટલ દ્વારા અધ્યતન સાધનોની મદદથી દર્દીઓને અપાતી શ્રેષ્ઠ સુવિધા, સારવાર અને રાખવામાં આવતા ખ્યાલ અંગે માહિતગાર કર્યા હતાં. 

આ તકે નિષ્ણાંત તબીબો થકી કેન્સર વિશે વિસ્તૃત સમજ પુરી પાડી હતી અને કેન્સર સામે બાથ ભીડીને સામાન્ય જીવન જીવી રહેલા ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રી અર્ચન ત્રિવેદી, દિવ્યભાસ્કર સૌરાષ્ટ્રના એડીટર શ્રી કાના બાંટવાએ કેન્સર સામેની લડત અને મનોબળ અંગેના પોતાનાં અનુભવો જણાવ્યા હતાં. ડો. બબીતા હાપાણી સહિતના તબીબોએ પણ દર્દીઓમાં રહેલી મનોબળ અને હિંમતને લીધે થતાં ફાયદા અંગેના તેમના અનુભવોની ચર્ચા કરી હતી. કાર્યક્રમમાં ડો. રામ નારાયણ, ડો. સંતોષ શેટી, ડો. રાજેશ મિસ્ત્રી, ડો.દેશપાંડે, ડો. નંદકર્ણી, ડો. સેવંતી લિમાયે, ડો. કૈાશ્તવ તલપાત્રા, ડો.  મોહિત ભટ, ડો. અનુ અગ્રવાલ, ડો. ગડગીલ, ડો. શાંતનુ શેનઅને સંજય પંડયા સહિતનાં તબીબો ઉપસ્થિત રહયા હતાં.  આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ રૈયાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, નાયબ મેયર ડો. દર્શિતા શાહ, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, શ્રી રાજુભાઇ ધ્રુવ, શ્રી કમલેશભાઇ મીરાણી, જીલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત, મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધી પાની, અધિક નિવાસી કલેકટર શ્રી હર્ષદ વોરા તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહયા હતા. (ફોટો અને મેટર માહિતી બ્યુરો -રાજકોટ)

બહ્મતેજ સંસ્થા દ્વારા શ્રી રાજેન્દ્ર ત્રિવેદીને પરશુરામ એવોર્ડ આપી સન્માનિત કરાયા

રાજકોટ તા. ૧૬  
બહ્મસમાજ એ દરેક સમાજને સાથે લઈ ચાલનારો અને સર્વે સમાજનું હિત જોનાર સમાજ હોવાનું આજ રોજ રાજકોટ ખાતે બ્રહ્મતેજ સંસ્થા દ્વારા આયોજિત સન્માન સમારોહમાં પરશુરામ એવોર્ડ સ્વીકારતા વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી જણાવ્યું હતું. 

તમામ તળ ગોળ બ્રાહ્મણો એક મંચ પર એકઠા થઈ આ કાર્યક્રમ યોજ્યો હોઈ અધ્યક્ષશ્રી ત્રિવેદીએ આ પ્રયાસને બિરદાવતા કહ્યું હતું કે,  કોઇપણ સમાજ સંગઠન થકી જ સશક્ત બનતો હોય છે. આ સાથે તેમણે બ્રહ્મ સમાજનું ભારતની સંસ્કૃતિ, શિક્ષણ અને વિકાસમાં પ્રદાન અંગે વિસ્તૃત ચિતાર આપ્યો હતો, સાથોસાથ કોઇપણ જ્ઞાની વ્યક્તિ બ્રાહ્મણ હોવાનો અભિભાવ તેમણે વ્યક્ત કર્યો હતો. 


વિવિધ ગોળના બ્રહ્મસમાજ તેમજ સંગઠન દ્વારા શ્રી ત્રિવેદીનું સ્મૃતિચિન્હ આપી સ્વાગત કરાયું હતું. કાયક્રમનો પ્રારંભ વૈદિક શ્લોક સાથે મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો  મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. આ પ્રસંગે ઓલ ઇન્ડિયા બાર કાઉન્સિલના સભ્યશ્રી અભયભાઈ ભારદ્વાજ, સંગીત નાટ્ય અકાદમીના ચેરમેનશ્રી પંકજ ભટ્ટ, બાળ વિકાસ આયોગના ચેરમેનશ્રી જાગૃતિબેન પંડ્યા, 


શ્રીમતી અંજલીબેન રૂપાણી, ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષશ્રી ઘનશ્યામજી મહારાજ, બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી જનાર્દનભાઈ પંડ્યા તેમજ વિવિધ ગોળના પ્રમુખ અને મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારજનો ઉપસ્થિત રહ્યાં હતાં. (ફોટો અને મેટર : માહિતી બ્યુરો -રાજકોટ)


રવિવાર, 15 એપ્રિલ, 2018

જેતપુરના નવાગઢમાં પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત

રાજકોટ તા.15

જેતપુરના નવાગઢ ધાર વિસ્તારમાં આવેલ ઈદગાહ દરગાહ પાસે રહેતા એક મુસ્લિમ યુવાન અને હિન્દૂ કિશોરીએ સજોડે આત્મહત્યા કરી લીધાની ઘટનાથી અરેરાટી સાથે લત્તામાં શોક ફેલાયો છે. પોલીસે ઘટના સ્થળે દોડી જઈને મૃતકોની લાશો પીએમ માટે સરકારી દવાખાને ખસેડી તપાસ શરુ કરી છે.

મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢના ઇદગાહ દરગાહ પાસે રહેતા રમીજ જુમા લાકડ ઉ.વ.20 અને ભાવના રાજુ વાવડીયા ઉ.વ.16 એમ બંનેએ આજે સવારે રમીજના મકાનમાં સજોડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

પ્રેમસંબંધો લગ્નની વાત સુધી પહોંચી ગયા બાદ બંનેને સમાજ એક થવા નહિ દે તે વાતની દહેશત વચ્ચે આવું પગલું ભરી લીધાના અનુમાન સાથે પોલીસે બંને મૃતકોની લાશ પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

બનાવથી બંને સમાજમાં શોક અને રોષ વ્યાપ્યો છે. પોલીસે યુવક યુવતીના વાલીઓની વિગતો મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે. બનાવમાં કિશોરી સગીરા હોય અને એક ચર્ચા પ્રમાણે યુવાન પણ પુખ્તતાથી એક વર્ષ દૂર હોય, કેવો અને કોની સામે ગુનો નોંધશે તે સમય જ બતાવશે.

બીજીબાજુ સ્થાનિક સંગઠનોએ આ વાતને "લવ જેહાદ" ની ગણાવી પોલીસતંત્ર ન્યાયિક તપાસ આરંભે તેવી પણ માંગો ઉઠી છે.

શનિવાર, 14 એપ્રિલ, 2018

ફ્રીજનું પાણી પીવાથી થાય છે આવું નુકશાન ! ચેતવા જેવું


ફ્રીજનું પાણી પીવાથી થાય છે આવું નુકશાન ! ચેતવા જેવું 
આજ કાલ તો એટલી ગરમી પડી રહી છે કે તેની વાત જ ના પૂછો. હવે ગરમી છે તો મસ્ત મજાનું ચિલ્ડ પાણી પીવા મળે તો મજા આવી જાય નઈ મિત્રો? ઘરે, ઓફિસ, રેસ્ટરૉમાં જાવ કે પછી કોઈ સગા સંબંધીને ત્યાં જ કેમ ન ગયા હોવ, સૌ પહેલા પાણી સર્વ કરશે અને એ પણ ઠંડું ફ્રિજ વાળું, સાચી વાત ને? આપણે બધા આવું કરતા હોઈએ છીએ, બસ ફ્રિજ ખોલો અને ચિલ્ડ પાણી ગટગટાવી જાઓ અને જો ઘરે કોઈ આવ્યું હોય તો તેને પણ ફ્રિજનું જ પાણી આપતા હોઈએ છીએ. દરેકને ઠંડા પાણી સિવાય ચાલતુ જ નથી, એટલે ઘરમાં લોકોએ માટલું પણ મૂકવાનું બંધ કરી દીધુ છે. તમને ખબર છે કે આ ઠંડા કે બરફ વાળા પાણીથી શરીરને કેટલા નૂકશાન થાય છે? તો જલદીથી જાણી લો આનાં વિશે અને વહેલી તકે ઠંડું પાણી પીવાનું બંધ કરો.


મિત્રો ગમે તેટલી ગરમી પડી રહી હોય, પણ બરફ વાળું કે ફ્રિજમાં મૂકેલું પાણી પીવાનું બંધ કરો. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શરીરમાં ગરમી ઓછી કરવા અને ખાસ તો ઉનાળાની સિઝનમાં માટલાનું જ પાણી પીવું જોઈએ. આયુર્વેદમાં પણ આ વાત ઉપર ભાર મુકવામાં આવ્યો છે કે ફ્રિજનું પાણી પીવું જ ન જોઈએ. આયુર્વેદમાં ઠંડા પાણી વિશે જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિનાં શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ હોય છે. જે ૧૦ ડીગ્રી જેટલાં નીચા તાપમાનનાં પાણીને સહન કરી શકે છે. સામાન્ય રીતે આપણે ૨૭ કે તેનાથી નીચી ડીગ્રી નીચેનાં ઠંડા પાણીને પીતા હોઈએ છીએ.

ગરમી લાગવાથી સૌથી પહેલાં ઠંડું પાણી પીતા હોઇએ છીએ, ત્યારે પેટમાં ઠંડું પાણી જાય છે ત્યારે મુશ્કેલી ઉભી થતી હોય છે. પેટમાં ગયેલ ઠંડું પાણી ઉંધી રીતે અસર કરતું હોય છે, જેમ કે પેટમાં ગરમાશની અનુભૂતિ થતી હોય છે અને ઠંડા પાણીને કારણે પેટ પાણીને ગરમ કરે છે અને પાણી પેટને ઠ્ંડું કરે છે.

હમમમ…વિચારો કે તમે એકદમ ચિલ્ડ પાણી પીધું છે જેનાં કારણે પેટમાં પણ ઠંડકનો અનુભવ થાય છે. પણ તમને ખબર છે આવું થવાથી આની સીધી અસર તમારા હ્રદય પર થતી હોય છે. પેટ અને હ્રદય એક સાથે જોડાયેલા છે અને બરફ વાળું પાણી પીવાથી હ્રદય પણ તે સમયે ઠંડું પડિ જતું હોય છે. તમને એ પણ ખબર હશે કે જ્યારે કોઈ માણસનું મૃત્યુ થયું હોય તો તેમનું શરીર એકદમ બરફ જેવું ઠંડું પડી જાય છે. હવે તમે પણ સમજી લો કે આપણે જે રીતે ફ્રિજનું ચિલ્ડ બરફ વાળુ પાણી પીતા હોઈએ છીએ તેની અસર ધીરે ધીરે શરીરમાં દેખાશે જ. તો સમજીને આજ પછી ફ્રિજનું કે બરફ વાળું પાણી પીવાનું બંધ કરો અને હેલ્ધી લાઈફ અપનાવો.
ભગવાને જે રીત મનુષ્યનાં શરીરની રચના કરી છે તે પ્રમાણે લોહી શરીરને ગરમાશ પુરી પાડે છે. જ્યારે પેટમાં ઠંડું પાણી જાય છે તો પેટ તે પાણીને પણ ગરમ કરશે જ, તેનાથી શરીરનાં દરેક અંગ ઉપર અસર થશે. હવે તમે વિચારો કે શરીરનું આખું લોહી જો પેટમાં જમા થઈ જાય તો શું? સૌથી પહેલા તો દરેક અંગમાં લોહીની ઉણપ સર્જાશે, તેમાં પણ જો મગજને ૩ મિનિટમાં બ્લડ પસાર ન થાય તો તે બંધ પડી શકે છે. આ જ રીતે જો હાર્ટને એકથી દોઠ મિનિટમાં લોહી ન મળે તો તે કામ કરવાનું બંધ કરી દે છે અને અંત્તે વ્યક્તિનું મૃત્યુ થાય છે. આથી જ કહેવાય છે કે ઠંડું પાણી પીવું એ જીવનમાં એક જોખમ સમાન જ છે.
આપણા શરીરમાં બે આંતરડા હોય છે. એક નાનું અને એક મોટું, તેમાંથી મોટા આંતરડાનું કામ શરીર માંથી મળ કાઢવાનું છે. દરેકને ખબર હશે કે મોટું આંતરડું ખુલ્લી પાઈપ જેવું હોય છે. હવે જો તમે ચિલ્ડ પાણી પીવો છો તો મોટા આંતરડા તરત જ સંકોચાઈ જતા હોય છે, જેનાં કારણે આપણી પાચન શક્તિ નબળી પડે છે. હવે પાચન શક્તિ વીક છે તો કૉન્સ્ટિપેશન એટલે કે કબજિયાત થવાની જ છે.
આયુર્વેદમાં કબજિયાતને બધા રોગોનું મૂળ ગણાવવામાં આવ્યું છે. જો તમને પણ સતત કબજિયાતની તકલીફ રહે છે તો સૌથી પહેલા તો ફ્રિજના પાણી પીવાની ટેવને બદલો. આ કબજિયાતનાં કારણે શરીરમાં ધીરે ધીરે અન્ય બીમારીઓ પોતાનું ઘર બનાવે છે. યુરીક એસીડ, કોલેસ્ટ્રોલ, હાર્ટ અને સુગર જેવી અન્ય ગંભીર બીમારીઓ તમને થઈ શકે છે.
વિદેશમાં લોકો ચિલ્ડ પાણીમાં પણ ઉપરથી બરફનાં ટુકડા નાખીને પીતા હોય છે, જેનું પરિણામ જાણીને તમને નવાઈ લાગશે. આવા બરફ વાળા પાણીને કારણે તેમની પાચન શક્તિ સાવ નબળી પડી જાય છે. રોજ સવારે તેઓ કલાક ટોયલેટમાં જ પસાર કરતા હોય છે. તેમનાં ટોયલેટમાં તો કલાક પસાર કરવા માટે તેઓ છાપું, મેગેઝિન કે બુક પણ વાંચતા હોય છે. અમુકનાં બાથરુમમાં તો નાની લાયબ્રેરી પણ હોય છે. જેનાં વિશે વિદેશીઓનું કહેવું છે ક ઈન્ડિઅન સ્ટાઈલ ટોયલેટમાં વધારે સમય સુધી બેસી નથી શકાતું. પેટ બરાબર સાફ ના થવાને કારણે વેસ્ટર્ન ટોયલેટની સીટ પર કલાકોને કલાક બેસવામાં સરળ રહે છે.
આપણા ભારતમાં પણ વર્ષોથી વેસ્ટર્ન ટોયલેટની સુવિધા વધારે જોવા મળે છે. તેમાં પણ અમુક મૂર્ખાઓ બાથરુમમાં લાયબ્રેરી બનાવડાવે છે અને આવું કરીને તેમને લાગે છે કે તેઓ ફૉર્વર્ડ બની ગયા છે. નકલમાં પણ અકલ જોઈએ મિત્રો, વેસ્ટન કન્ટ્રીમાં આ ફેશન ટ્રેન્ડ નથી, એ તેમની મજબૂરી છે. ઠંડા પાણીને કહો ના અને ઘરમાં વસાવો માટીનાં બનેલા ઘડાને, જેમાં પાણી હંમેશા ૩૦ ડીગ્રીની આજુબાજુ જ રહે છે. જે આપણા શરીર માટે ઉત્તમ છે, એટલા માટે આયુર્વેદ પણ કહે છે કે ઘરમાં માટીનો બનેલો ઘડો તો હોવો જ જોઈએ. ઘડાનું પાણી પીવાથી તમને કોઈ નુકસાન નહીં થાય.

માટલાનું પાણી પીવાથી થાય છે ફાયદા –

માટલાનાં પાણીથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતા તંદુરસ્ત રહે છે એટલે બીમારીઓ પણ ઓછી થાય છે. માટીમાં ક્ષારીય ગુણ હોય છે, જે શરીરમાં એસિડિટી અને પેટનાં દુખાવાને દૂર કરવામાં મદદરુપ રહે છે. આ સિવાય વાત્ત પિત્તને પણ કંન્ટ્રોલમાં રાખે છે. ઘડાનું પાણી ગર્ભવતી સ્ત્રીઓ અને બાળક માટે ખુબ જ લાભ દાયક છે. તો હવે ઘરમાં જો માટલુ ન હોય તો વસાવ જો અને ગરમી લાગે તો પણ માટલીનું જ પાણી પીજો. તમારા સારા સ્વાસ્થ્ય માટે આ વાત અમે તમને જણાવી. તમે પણ તમારા મિત્રો કે કુટુંબીજનોના સારા સ્વાસ્થ્ય માટે આ વાત તેમને વંચાવો.

શુક્રવાર, 13 એપ્રિલ, 2018

પીઠડીયાના હદપારી શખ્શને પકડી પાડતી વિરપુર (જલારામ) પોલીસ


વીરપુર(જલારામ) પોલીસે ગત મોડી રાત્રીના એક હદપારી શખ્શને પકડી પડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ DGP ગાંધીનગરના કચેરી હુકમ અન્વયે રાખવામાં આવેલ કોમ્બીંગ નાઈટ દરમ્યાન રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અંતરીપ સૂદ, નાયબ પોલીસ અધિક્ષક - જેતપુર વિભાગ તથા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર જેતપુરની સુચના મુજબ વીરપુર પો.સ્ટે વિસ્તારના નાસતા ફરતા, હદપાર થયેલા તેમજ અન્ય આરોપીઓને પકડી પાડવા ગઈકાલે વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સ.ઈન્સ આર.ડી.ચૌહાણ તથા એએસઆઈ  આર.એ.કાછડ તથા જમાદાર આર.આર.સોલંકી તથા જમાદાર  ડી.જી.વાધેલા પોલીસ કાફલો વોચમાં હતો.



દરમ્યાન વિરપુર (જલારામ) પો.સ્ટે ના પો.સબ.ઈન્સ આર.ડી.ચૌહાણ તથા પોલીસ સ્ટાફે મળેલી બાતમીના આધારે અગાઉ ચોરીમાં પકડાયેલા ઈસમોને તથા નાસતા ફરતા તેમજ હદપારી થયેલા અને ૨ મહિના જેવો સમય હદ્પારીનો બાકી હોવા છતાં પીઠડીયા ગામે રહેતો જીતેન્દ્ર ઉર્ફે ચીનો સવજીભાઈ મકવાણા ઉ.વ. ૩૭ વાળાને સક્ષમ અધિકારીશ્ની મંજુરી વગર પોતાના રહેણાંક ઘરેથી પકડી લેવાયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જીતેન્દ્ર રાજકોટ સીટી, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ,  પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ ભાવનગર એમ સાત થી આઠ જીલ્લામાંથી હદપાર હતો.

પોલીસે તેમની સામે GP Act 142 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની  કાર્યવાહી કરી હતી. આ કામની આગળની વધુ તપાસ HC આર.આર.સોલંકી ચલાવી રહ્યા છે. વીરપુર જલારામ પોલીસ મથકમાં ચાર્જ સાંભળતાજ ફોજદાર ચૌહાણે ગુનેગારોને પકડી પાડવા હાથ ધરેલી ઝુંબેશ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું છે.



ગુરુવાર, 12 એપ્રિલ, 2018

જસદણના ગંજીવાડામાં તીપત્તીનો જુગાર રમતા ૫ પંટરો રોકડ ૧૫ હજાર સાથે ઝડપાયા


જસદણના ગંજીવાડામાં તીપત્તીનો જુગાર રમતા ૫ 
પંટરો રોકડ ૧૫ હજાર સાથે ઝડપાયારાજકોટ 
તા.૧૨ 
જસદણના ગંજીવાડા વિસ્તારમાં બાતમીના આધારે પોલીસે જુગાર દરોડો પાડી ૫ પંટરોને રોકડ રૂપિયા ૧૫૩૭૦/- સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ જસદણમાં ગંજીવાડા વિસ્તારમાં જાહેરમાં, ફોરેસ્ટ ઓફિસની દીવાલ પાસે સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈ કાલે પોલીસે જુગાર દરોડો પાડતા ત્યાંથી જુગાર રમતા ૫ શખ્શો પકડાઈ ગયા હતા.
જેમાં મગન સાર્દુલ કોળી(નાની લાખાવડ), નાથ મેરામ સાંકળિયા(પોલારપર રોડ), રાજેશ ઉકા સરિયા(નાની લાખાવડ), વસંત લવા કોળી(પોલારપર રોડ) તથા બટુક ભવાન ગોહિલનો સમાવેશ થતો હોવાનું પોલીસ જમાદાર આર.ટી.પરમારે જણાવ્યું હતું.


દેવળકીના યુવાનનું જેતપુરની 
સીમમાં કુવામાં ગબડી પડતા મોત 
રાજકોટ તા.૧૨ 
જેતપુરની સીમ વિસ્તારમાં દેવળકીના યુવાનનું અકસ્માતે કુવામાં પડી જવાથી મોત થયાનું જેતપુર તાલુકા પોલીસમાં નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ વડીયા તાલુકાના દેવળકી ગામનો યુવાન યોગેશ નરશી પટેલ ઉ.વ.૩૦ ગઈકાલે જેતપુર દેરડી રોડ પર દેરડી ધાર આવાસ ક્વાર્ટર પાછળ આવેલ નીલેશભાઈ બચુંભાઈની વાડીના કુવામાં અક્સમાતે ગબડી પડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં લઇ જવાયો હતો. 
પણ ફરજ પરના ડો.નીકીતાબેન પડીયાએ યોગેશને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ પરથી જેતપુર તાલુકા પોલીસના ફોજદાર આર.કે.ચાવડાએ તપાસ હાથ ધરી છે. પરિવારના જુવાનજોધ પુત્રનું આમ અચાનક અવસાન થતા પટેલ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

ઉપલેટામાંથી હોન્ડાની ઉઠાંતરી
રાજકોટ તા.૧૨ 
આજથી એકાદ મહિના પહેલા ઉપલેટા કોલકી રોડ પરથી ચોરી થઇ ગયેલા બાઈકની ફરિયાદ ગઈકાલે ઉપલેટા પોલીસમાં નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ ઉપલેટા કોલકી રોડ પર આવેલ વેસ્ટર્ન સોસાયટીમાંથી જીજે ૦૩ ઈજે ૯૯૧૧ નંબરનું હોન્ડા કોઈ હરામખોર શખ્શ ચોરી કરી ઉઠાવી ગયાની મયુર રાજપાલ બુટાણી નામના યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસ જમાદાર કે.એચ.શ્યારાએ તપાસ હાથ ધરી 
છે. 
જેતપુરમાં દેશી દારૂ દરોડામાં એક પકડાઈ, એક ભાગી ગઈ !
રાજકોટ તા.૧૨ 
જેતપુર શહેર પોલીસે ગઈકાલે જુદી જુદી બે જગ્યાએ દેશી દરોડા પાડતા એક શખ્શ ઝડપાઈ ગયો હતો જ્યારે નાશી છુટેલી એક મહિલાને પકડવા પોલીસે કવાયત આદરી છે. 
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસે ગઈકાલે નાઝાવાલાપરા વિસ્તારમાં રહેતા રાજુ છગન પરમારના ઘર પર દારૂ દરોડો પાડતા ત્યાંથી સાજનબેન રાજુભાઈ નામની મહિલા દેશી દારૂના આથા સાથે પકડાઈ ગઈ હતી.
જ્યારે નગરપાલિકા ફાયર સ્ટેશન પાછળ રહેતી સવિતા જગમાલ કાનાણીના ઘર પર પોલીસે છાપો મારતા ત્યાંથી દેશી દારૂ ઝડપાયો હતો.પણ સવિતા હાથ ના આવી હોય તેણીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જમાદાર એસ.એન.પરમારે જણાવ્યું હતું. 

ઉમર નાની હોય મૈત્રી કરાર કરી રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મુકે નાશી ગયો

મૈત્રી કરાર તરફ ઢળતી આજની પેઢી સામે લાલબત્તીરૂપ કિસ્સો !



પરિવારની સહમતીથી બંને લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા : સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતીની ફરિયાદ પરથી યુવક અને તેની માતા સામે ગુનો નોંધાયો 

રાજકોટ તા.૧૨ 
આજની પેઢીમાં મૈત્રી કરાર કરી સાથે રહેવા તરફ ઝુકાવ જોવા મળી રહ્યો છે પરંતુ તેની વરવી બાજુથી તેઓ ભાગ્યેજ પરિચિત હોય છે ત્યારે મૈત્રી કરાર સામે લાલબત્તીરૂપ કિસ્સો રાજકોટમાં બનવા પામ્યો છે.
શહેરના સાધુ વાસવાણી રોડ પર રહેતી યુવતી મૈત્રી કરાર કરી જીવંતિકા નગરમાં રહેતા યુવાન સાથે રહેતી હતી. બંનેની ઉમર નાની હોય, પુખ્ત ઉમરના થતા લગ્ન કરવાની શરતે મૈત્રી કરાર કર્યા હતા પરંતુ બે વર્ષ સાથે રહ્યા બાદ લગ્નનો સમય નજીક આવતા યુવક યુવતીને મૂકી નાશી જતા આ મામલે યુવતીએ આ યુવક અને તેની માતા સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના સાધુ વાસવાણી રોડ પર પોતાની માતા સાથે રહેતી યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જીવંતિકા નગર-૨ માં રહેતા જયદીપ હરસુખભાઈ ભીમાણી અને તેમની માતા અરુણાબેન સામે વિશ્વાસઘાતની ફરિયાદ કરવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી પોતાની સહેલી મારફત જયદીપના સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે અંગે બંને પરિવારજનોએ જાણ કરી હતી. બાદમાં યુવતીના પિતા હયાત ના હોય, તેના મોટા બાપુ અને યુવકના માતા સહિતના વડીલોની સહમતીથી બંનેએ ગત તા.૨૩-૪-૨૦૧૬ નારોજ મૈત્રી કરાર કર્યા હતા. જે કરારમાં તેવું સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બંને પુખ્ત વયના થયા બાદ લગ્નગ્રંથી જોડાઈ જશે.
મૈત્રી કરાર થયા બાદ યુગલ સ્વતંત્ર રીતે ભાડાના મકાનમાં રહેતું હતું. દરમિયાન યુવતી લગ્નની ઉમર નજીક હોય, જયદીપને વારંવાર લગ્ન કરી લેવાનું કહેતી હતી. પરંતુ જયદીપ યેનકેન પ્રકારે આ વાતને ટાળી દેતો હતો. ગઈ તા.૧૭.૨.૧૮ નારોજ યુવતી પોતાની માતાના ઘરે ગઈ હતી બાદમાં ઘરે પરત ફરતા જયદીપ પોતાનો સામાન લઇ નાશી ગયો હતો. યુવતી તથા તેમના પરિવારજનોએ જયદીપનો પત્તો લગાવવા તપાસ કરી હતી  પરંતુ તેનો કોઈ પત્તો નહિ મળતા યુવતી સાથે વિશ્વાસઘાત તઃયો હોવાનું માલુમ પડતા આ મામલે યુવતી દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં જયદીપ ભીમાણી તથા તેમની માતા અરુણાબેન સામે ફરિયાદ કરવામાં આવી છે. જે ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે બંને સામે વિશ્વાસઘાત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવની વધુ તપાસ ફોજદાર વી.સી.પરમારે હાથ ધરી છે.

પડધરીની હોટેલમાંથી ૬ મોબાઈલ ચોરી સબબ જામનગરના શખ્શ સામે પોલીસમાં ફરિયાદ


રાજકોટ તા.૧૨ 
આજથી બે મહિના પહેલા પડધરીની એક હોટેલમાંથી ચોરાયેલા રૂપિયા ૩૧ હજારના ૬ મોબાઈલના બનાવમાં હોટેલ સંચાલકે જામનગરના ગાંધીનગરના શખ્શ સામે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરને પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો મુજબ પડધરીમાં ગીતાનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલ આઈ શ્રી ખોડિયાર હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાંથી ગઈ તારીખ ૧૪.૨.૨૦૧૮ ના રાત્રીન બારેક વાગ્યે રૂપિયા ૩૧ હજારના ૬ મોબાઈલ ચોરાઈ ગયાની ઘટના બની હતી.
દરમિયાન આ વાતમાં મોબાઈલ ટ્રેસિંગના આધારે જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં, સાંઇબાબા મંદિર પાછળ રહેતા તેજસ શાંતિલાલ પંડ્યાનું નામ શંકાના પરિઘમાં આવતા તેમને પકડી પાડી પોલીસે આકરી પૂછપરછ હાથ ધરતા ઉપરોકત ૬ મોબાઈલ આ યુવાને જ ઉપરોક્ત દિવસે હોટેલના ખુલ્લા મેદાનમાં સુતો હતો ત્યારે, હોટેલ માલિકની નજર ચૂકવી ઉઠાવી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું. 
આ બનાવની ગઈકાલે મયુર રણજીત ડોડીયા(રહે.વિજય પ્લોટ, ગોંડલ રોડ)એ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પ્રોબેશનલ પીએસઆઈ એમ.જે.પરમારે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વેરાવળ(શાપર)ની ફેકટરીમાં ભીષણ આગ : ૧૫ કરોડની મશીનરી બળીને ખાક !


ઇન્સ્યુલેશન ફોર્મ બનાવતી ફેકટરીમાં આગ : રાજકોટથી દોડેલા ૪ અગ્નિશામક દળોના સ્ટાફે આગ કાબુમાં લીધી : ફેકટરીમાં કાઈ નાં બચ્યું : સંપૂર્ણ ફેક્ટરી બળી ગઈ 

વેરાવળ(શાપર)માં આજે વહેલી સવારે એક ફેકટરીમાં લાગેલી આગમાં સંપૂર્ણ ફેકટરીની માલમતા અને મશીનરી બળી ગઈ હોય અંદાજે રૂપિયા ૧૫ કરોડની નુકશાનીનો આંક અનુમાનિત કરાઈ રહ્યો છે. આગને ઓલવવા રાજકોટ ખાતેથી ૪ અગ્નિશામક વાહનોની મદદ લેવાઈ હતી. આગ સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે, બનાવની જાણ પરથી પોલીસ સહિતના સંબંધિત સરકારી તંત્રોએ બનાવ જગ્યાએ પહોચવાની કવાયત આદરી છે. આગનું કારણ કાળઝાળ ગરમી છે કે કોઈ બીજું કારણ ? તે માટે વીજકંપની સુત્રો અને ફોરેન્સિક લેબો.નિષ્ણાંતો અને વિમાંસુત્રોએ તપાસ હાથ ધરી છે.







મળતી વિગતો મુજબ વેરાવળ(શાપર)ના રામેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોલ્ડ કોઈન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડ નામના ઇન્સ્યુલેશન ફોર્મ બનાવવાની ફેકટરીમાં આજે વહેલી સવારે ૩ થી ૪ વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં અફડાતફડી મચી ગઈ હતી. 
આગ એટલી ભયંકર હતી કે જોનારાઓ માનતા હતા કે આગ બુઝાવવી કઠીન થશે. પણ ફેક્ટરી માલિકની જાણ પરથી રાજકોટ ખાતેથી કોઠારિયા, રામાપીર, માવડી અને રેલનગર એમ ચાર જગ્યાએથી દોડેલા ફાયરફાયટરના સ્ટાફે ગણતરીની કલાકોમાં જ પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ કાબુમાં લઇ લીધી હતી.
પણ ત્યાં સુધીમાં એટલેકે પાંચેક કલાક દરમિયાન ચાલુ રહેલી આગમાં ફેક્ટરીના ટોટલી બિલ્ડીંગમાં પડેલું ઇન્સ્યુલેશન બનાવવાનું રો મટીરીયલ્સ, ૨૨ જેટલા ફોર્મ બનાવવાના કેરબા, ઇલેક્ટ્રિક વાયરો, ૧૨ મશીનો વિગેરે માલમત્તા બિલકુલ આગમાં નાશ પામ્યું હોવાનું ફેક્ટરી માલિક અશ્વિનભાઈ ગોગનભાઈ પાનસુરીયા(રહે. ૧૫૦ ફૂટ રીંગરોડ, બીગબઝાર પાછળ, રાજકોટ) દ્વારા જાહેર કરાયું હતું.
ફેક્ટરીમાલિકના જણાવ્યા અનુસાર આગમાં આશરે રૂપિયા ૧૫ કરોડની નુકશાનીનો અંદાજ છે. આ વાતની જાણ પરથી પોલીસ, ફોરેન્સિક લેબો.નિષ્ણાતો, વિમાંસુત્રો અને વીજકંપની સુત્રોએ બનાવ સ્થળે પહોચવાની કવાયત આદરી છે. આગ ક્યા કારણોસર લાગી ? કોઈ ઈલે.શોકસર્કિટનો બનાવ છે કે કાળઝાળ ગરમીએ આગ ઉપજાવી ? તે વાતની તપાસ માટે સંબંધિતો ધંધે લાગ્યા છે.
અત્રે એ નોંધનીય છે કે ગઈકાલે જ પડધરી બાઈપાસ પાસેની પટેલ કોટન નામની જીનીંગમાં આગથી રૂપિયા ૫ કરોડનો કપાસ બળીને રાખ થઇ ગયાની ઘટના બાદ સતત બીજે દિવસે ગોલ્ડ કોઈન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડ નામની ફેકટરીમાં આગથી ૧૫ કરોડની મશીનરી ઓગળી જઈને નુકશાની થઇ હોવાની વાતથી લાગતા વળગતા વીમાકંપની સુત્રો પણ ધંધે લાગ્યા છે.
બોક્સ: શું છે આ ઇન્સ્યુલેશન ફોર્મ ?
વેરાવળ(શાપર)માં રામેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ગોલ્ડ કિન ઇન્ડ.પ્રાઈવેટ લીમીટેડના માલિક અશ્વિનભાઈ ગોગનભાઈ પાનસુરીયાએ જણાવેલ કે, મોટા મોટા મોલ અને હોસ્પિટલોમાં ગોઠવાયેલી સેન્ટ્રલી એરકંડીશનર સુવિધામાં ઠંડી નિયત સ્થળેથી બહાર ના જતી રહે તે માટે ઇન્સ્યુલેશન ફોર્મ બનાવાતું હોય છે. જે એસી ઉપર કોપરની પાઈપ ઉપર જોવા મળે છે તે ઇન્સ્યુલેશનની ટ્યુબના રૂપમાં જોવા મળે છે. ટૂંકમાં ઠંડીના મેનેજમેન્ટમાં ઇન્સ્યુલેશન ફોર્મનો મહત્વનો ફાળો હોય છે. આવા ઇન્સ્યુલેશન ફોર્મ તેઓ એલજી, સેમસંગ જેવી મોટી મોટી કંપનીઓને સપ્લાય પણ કરતા હોવાનું અશ્વિનભાઈ પટેલે “સાંજસમાચાર”ને જણાવ્યું હતું. 

બુધવાર, 11 એપ્રિલ, 2018

એસ્ટ્રોન ચોક, ટાગો૨ ૨ોડ, ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ પ૨ ૨૦ કોમ્પ્લેક્સના  ઓટલાનું ડિમોલીશન
૨ાજકોટ મ્યુનિ. કોર્પો૨ેશન ા૨ા બુધવા૨ે ક૨વામાં આવતી વન વીક, વન ૨ોડ કામગી૨ી અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનના ધમધમતા વોર્ડ નં.૭ના એસ્ટ્રોન ચોક થી ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ સુધીના ૨સ્તે કોમ્પ્લેક્ષ્ા સહિતની જગ્યાઓ બહા૨થી છાપ૨ા અને ઓટલાના બાંધકામ તોડવામાં આવ્યા હતા. હાર્ડવે૨ બજા૨માં આજે મનપાના બુલડોઝ૨ દોડયા હતા અને વાહનો માટે જગ્યા ખુલ્લી ક૨ાવવામાં આવી હતી. પ૨ંતુ આ જ ૨ોડ પ૨ અગાઉ ગે૨કાયદે બાંધકામો અંગે અપાયેલી નોટીસ બદલ સમાંત૨ કોઈ કાર્યવાહી ક૨વામાં ન આવતા અગાઉની કામગી૨ી અભે૨ાઈ પ૨ ચડી ગઈ હોય તેવી છાપ ઉપસી છે.


કમિશ્ન૨ બંછાનિધિ પાનીની સુચનાથી આજે ટીપીઓ એમ઼ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટીપી શાખાએ સવા૨ે એસ્ટ્રોન ચોકથી ટાગો૨ ૨ોડ, ભક્તિનગ૨ સ્ટેશન ૨ોડ પ૨ પાર્કિંગ તથા માર્જીનમાં થયેલા ગે૨કાયદે બાંધકામો દુ૨ ક૨વા ડિમોલીશન હાથ ધર્યુ હતું. બુલડોઝ૨ની મદદથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ૨૦ સ્થળે થયેલા ઓટા, ગ્રીલ અને છાપ૨ાના બાંધકામ દુ૨ ક૨વામાં આવ્યા હતા. તો જાહે૨માં ગંદકી અને ન્યુસન્સ ક૨વા બદલ  ૧૩ વેપા૨ીઓ પાસેથી રૂા.૪૩પ૦નો દંડ વસુલ ક૨ીને બે કિલો પ્લાસ્ટીકના ઝબલા કબ્જે ક૨વામાં આવ્યા હતા. આજે જયાં દબાણ તોડવામાં આવ્યા તેમાં નામી શોરૂમ અને કોમ્પ્લેક્ષ્ાનો પણ સમાવેશ થતો હતો.
ટીપી શાખાએ કો૨ મોબાઈલ સેન્ટ૨ અને ડોમીનોઝ પીત્ઝા બહા૨થી હોર્ડિગ બોર્ડ હટાવ્યા હતા. આ ઉપ૨ાંત જયાં જયાંથી ઓટલા, પાઈપ, પગથિયા, છાપ૨ા તોડવામાં આવ્યા તેમાં મુંબઈ સ્નેક્સ સેન્ટ૨, હ૨ેકૃષ્ણ સ્ટેશન૨ી, સંતોષ્ા હે૨ સલુન, મોમાઈ ટી સ્ટોલ, ૨ામનાથ ટી સેન્ટ૨, જય ૨ાજમંદિ૨ ફ૨સાણ, ગોપાલ ભજીયા,  હ૨ી પેલેસ કોમ્પ્લેક્ષ્ામાં આદર્શ હાર્ડવે૨, મોલ અને ગી૨ી૨ાજ હાર્ડવે૨, પાર્થ ડેવલોપર્સ, ચંદન સેનેટ૨ી વુડ, ૨ેડ એપલ વુડ, યુનિકોન સિસ્ટમ કોમ્પ્લેક્ષ્ા, ડીકો સીટી એસેસ૨ીઝ, બાવીસી પ્લાયવુડ, જે.પી.ટાવ૨ કોમ્પલેક્ષ્ાનો સમાવેશ થાય છે.
આજની કામગી૨ીમાં એટીપી આઈ.યુ.વસાવા, એસ.એસ.ગુપ્તા, વિજય બાબ૨ીયા, ૠષ્ાિ ચૌહાણ, દિલીપ પંડયા, તુષ્ાા૨ લીંબડીયા, એસ.એફ.કડીયા સહિતનો ટીપી સ્ટાફ હાજ૨ ૨હયો હતો.
ઉપ૨ાંત સોલીડ વેસ્ટના નાયબ ઈજને૨ ઝીંઝાડા, બાંધકામ શાખાના ઈજને૨ જી.જે.સુત૨ીયા, એસ્ટેટ અધિકા૨ી કાથ૨ોટીયા, ડોડીયા, ૨ોશની, ફાય૨ વિભાગનો સ્ટાફ કામગી૨ીમાં સાથે ૨હયો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા વિજીલન્સ અધિકા૨ી ઝાલા સહિતની ટીમ પણ સ્થળ પ૨ હાજ૨ હતી.

રવિવારે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટનાં કેન્સર નિદાન કેન્દ્રનું ઉદઘાટન


રાજકોટ ખાતે છેલ્લા 20 વર્ષથી બાળકો અને મહિલાઓનાં ઉત્કર્ષ માટે કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છનાં કેન્સરનાં દર્દીઓ અને લોકો માટે અમદાવાદ સ્થિત ગુજરાતની આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થ કેર ગ્લોબલ (એચસીજી) સાથે જોડાણ કરી આગામી તા.1પને રવિવારે વિનામુલ્યે કેન્સર નિદાન કેમ્પ અને કેન્સર અવરનેસ કેમ્પ ટ્રસ્ટના ચેરમેન અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા એચસીજીનાં કેન્સર સર્જન ડો.કોસ્તુરભાઇ પટેલનાં હસ્તે ઉદઘાટન થનાર છે.
આગામી 15મીને રવિવારે યોજાનાર કેન્સર અવરનેસ અને નિદાન કેમ્પ પૂર્વે યોજાયેલી પત્રકાર પરિષદનાં પ્રારંભમાં યાત્રાધામ બોર્ડનાં રાજુભાઇ ધ્રુવે પ્રાસંગીક ઉદબોધનમાં સૌનુ શાબ્દીક સ્વાગત કર્યા બાદ સંસ્થાના મેડીકલ પ્રોજેકટ કમિટિનાં ઇન્ચાર્જ અને મેયર ડો.જૈમનભાઇ ઉપાઘ્યાયે જણાવેલ કે શહેરના જરૂરીયાતમંદ  નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા 20 વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ઉપક્રમે અનોખુ કદમ છે. છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા માટે તથા તેની ચુંગાલમાંથી શહેરના પ્રજાજનોને બચાવવા માટે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે.
રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એસોસીએટસ હેલ્થકેર ગ્લોબલ (એચસીજી)નાં સંયુકત ઉપક્રમે શરૂ થનારા આ પ્રોગ્રામ અંતર્ગત હવેથી દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સવારના ભાગે પેશન્ટને ચેક કરી આપવામાં આવશે. આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લઇ શકશે. પરિણામે તેમનો અમદાવાદ જવા આવવાનો ખર્ચ તથા સમય બચી જશે.


આ કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ ઝુંબેશની શરૂઆત 15 એપ્રિલ 2018 રવિવારથી થઇ જશે. જે અંતર્ગત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ ‘કિલ્લોલ’, 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે 9 થી 11:30 વાગ્યા સુધીનો રહેશે. રજીસ્ટ્રેશન અથવા ફોનથી પણ કરાવી શકાશે તેમ જણાવ્યું હતું.
આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબો ડો.કૌસ્તુભભાઇ પટેલ, ડો.કલ્પનાબેન કોઠારી, ડો.દુષ્યંતભાઇ માંડલીક, ડો.પરીનભાઇ પટેલ, ડો.ભરતભાઇ પ્રજાપતિ તથા ડો.રશ્મિબેન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મોં, ગળુ, જડબુ, બ્રેસ્ટ તથા ગર્ભાશય સહિત તમામ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો વિનામુલ્યે લાભ લેવા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અનુરોધ કર્યો હતો.
સંસ્થાની આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ, પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી-જુદી કમીટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે. તેમ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી 15 એપ્રિલ રવિવારે યોજાનારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, શ્રી દિવ્યેશભાઇ પટેલ તથા શ્રી બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.2704પ4પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હતું.

સંસ્થાની આરોગ્ય અને શૈક્ષણિક સેવાઓમાં ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઇ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રીમતી રંજનબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી તથા અમિનેશભાઇ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ તમામ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે જુદી-જુદી કમીટીઓના મેમ્બર્સ કાર્યરત રહે છે. તેમ ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું.

આગામી 1પ એપ્રિલ રવિવારે યોજાનારા નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ શ્રીમતી અંજલીબેન રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો.જૈમનભાઇ ઉપાઘ્યાય, ડો.નયનભાઇ શાહ, ડો.વિભાકરભાઇ વચ્છરાજાની, શ્રી દિવ્યેશભાઇ પટેલ તથા શ્રી બિપીનભાઇ વસા જહેમત ઉઠાવી રહ્યા છે.
વિશેષ વિગત માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો રૂબરૂ અથવા ફોન નં.270454પ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું હતું.
કેમ્પનો લાભ કોણે લેવો જોઇએ?

પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ તથા રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉન અને એચસીજી કેન્સર સેન્ટર અમદાવાદના ઉપક્રમે યોજાનાર નિદાન કેમ્પમાં ગળુ, જડબા, બેસ્ટ તથા ગર્ભાશયના તમામ પ્રકારનાં કેન્સર નિદાન સાથે અચાનક દેખા દેતા આ રોગને ઉગતો ડામવા માટે લેશમાત્ર આળસ કે બેદરકારી દાખવ્યા સિવાય નિદાન કરાવી લેલુ જોઇએ.
- લાંબા સમયથી ન રૂઝાતું ચાંદુ
- લાંબો સમય અવાજ બેસી જવો
- ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ
- ગળામાં સતત દુ:ખાવો ચાલુ રહેવો
- મોં ખોલવામાં કે જીભને હલાવવામાં તકલીફ થવી
- શરીરમાં કોઇપણ જગ્યાએ ગાંઠ હોવી
- સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું
- લાંબા સમયથી ખાંસી હોવી, ગળફામ)ં લોહી નીકળવું
- માસિક સ્ત્રાવ વખતે વધુ પડતુ લોહી નીકળવું
- યોનીમાંથી દુર્ગંધવાળુ પ્રવાહી પડવું
- ઝાડા પેશાબની હાજતમાં અસામાન્ય ફેરફાર, મળ-મૂત્ર વાટે લોહી નીકળવું
- સમજી ન શકાય તેવો તાવ અને વજન ઘટવું. 

સાંસદ મોહનભાઈ કુંડારીયા કાલે ઢેબરચોકમાં ધરણા-ઉપવાસ કરશે



રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતીભાઈ ઢોલની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે આવતીકાલે તા.12-4ના ગુરુવારે સવારે 10થી5 દરમ્યાન શહેરના ખાદીભવન સામે ઢેબરચોક ખાતે રાજકોટના સાંસદ અને પુર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા દ્વારા કોંગ્રેસ દ્વારા સંસદીય કાર્યવાહી ખોરવવાની ઘટનાસામે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સંસદની કાર્યવાહી ન ચાલવા દઈને કોંગ્રેસે દેશની પ્રજાના પૈસા બરબાદ કર્યા છે. કોંગ્રેસે ફરી એકવાર તેની નકારાત્મક માનસીકતા છતી કરી છે તેની સામે ભાજપાના સાંસદોએ નૈતિકતા બતાવીને 23 દિવસનું વેતન ન લેવાનો નિર્ણય કર્યો છે ત્યારે દેશભરમાં ભાજપના તમામ સાંસદો, કાર્યકર્તાઓ, હોદેદારો, આગેવાનો પોતાના વિસ્તારમાં એક દિવસના ઉપવાસ કરી કોંગ્રેસની હિન માનસિકતાને લોકો સમક્ષ ખુલ્લી પાડશે ત્યારે શહેર ભાજપ દ્વારા આ ધરણા કાર્યક્રમમાં ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા કમલેશ મિરાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડે, ભાનુભાઈ મેતા, ભરત બોઘરા, જયંતિભાઈ ઢોલે જાહેર અનુરોધ કર્યો છે.

ગોંડલની સબજેલમાંથી મોબાઈલ પકડાયો આરોપી નાશી છૂટ્યો : ઓચિંતું ચેકિંગ થયું


રાજકોટ તા.૧૧ 
ગઈકાલે અમદાવાદ ખાતેથી ગોંડલ દોડી આવેલા જેલ ઝડતી સ્કવોડસુત્રોએ સબજેલમાંથી એક મોબાઈલ પકડી પાડ્યો હતો. જ્યાર આરોપી નાશી છૂટતા તેમની સામે ગોંડલ શહેર પોલીસમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી હતી.
આ બાબતે મળતી વિગતો મુજબ ગઈકાલે ગોંડલની સબ જેલમાં જેલર ગ્રુપ-૧, ઝડતી સ્કવોડ, પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી,આમદાવાદ, ગુજરાત રાજ્યના ભરતસિંહ રાજાજી વાઘેલા પોતાના સ્ટાફ સાથે ગોંડલ દોડી આવી સબજેલમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરતા રાજાન પ્રહલાદ ચૌધરી નામના શખ્સ પાસેથ એક મોબાઈલ મળવા પામ્યો હતો. જ્યારે પ્રહલાદ પોલીસને ચકમો આપી નાશી છૂટ્યો હતો.
આ શખ્સ જેલનો કેદી હતો કે બહારનો ? તે મામલે તપાસ વચ્ચે ભરતસિંહ વાઘેલાએ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૧૮૮ પ્રિઝન એક્ટ ૪૨, ૪૩, ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ રાજન સામે ગુનો નોંધી તેમની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

પડધરી ગામે પ્રોઢને બોલેરો નીચે કચડી મારવા પ્રયાસ : બે હોન્ડા ભાંગીને ભુક્કો : ભારે ચકચાર


ફાર્મહાઉસ સંચાલકને પગમાં ઈજા સાથે સારવારમાં રાજકોટ સિવિલમાં ખસેડાયા  
રાજકોટ તા.૧૧ 
પડધરીમાં એક ફાર્મહાઉસના માલિકને નજીવી બાબતે તે જ ગામના એક શખ્શે બોલેરો ગાડી તળે કચડી મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રોઢ હટી જતા તેમના પગમાં સામાન્ય ઈજાઓ થઇ હતી. પણ ફાર્મનો દરવાજો અને બે હોન્ડા ભાંગીને ભુક્કો થઇ ગયાની પોલીસમાં જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
મળતી વિગતો મુજબ પડધરીમાં રહેતા હિતેન્દ્રભાઈ તુલસીદાસભાઈ ભાલાળા નામના પ્રોઢે  ભારત હોટેલ બાઈપાસ પાસે માધવ દર્શન નામનું ફાર્મ હાઉસ બનાવ્યું છે. તેમજ તેમાં ફાર્મ હાઉસ પાસે અન્નપુર્ણા નામનું ખાખરા બનાવવાનું કારખાનું ચાલતું હોય, આ કારખાનાના વાહનો રોજ જુદા જુદા અનાજના લોટના બાચકા લઈને આવજા-કરતા હોય છે.
આ વાતમાં ફરિયાદી હિતેન્દ્રભાઈને કોઈ વાંધો નહોતો. પણ વાહનોમાંથી અવારનાવર લોટના બાચકા પડી જતા હોય, રસ્તો ખરાબ થતો હોય, ખાખારાના કારખાનાસુત્રોએ આ બાબતે હિતેન્દ્રભાઈએ ટપાર્યા હતા.
પણ આ વાતને લઈને મયો કરશન રાજપૂત નામના શખ્સે ફાર્મહાઉસના માલિકને ફોન કરી, તને પતાવી દેવો છે તેવી ધમકી આપી બોલેરો કાર સાથે ફાર્મ હાઉસ પર ઘસી આવ્યો હતો.
અને ધમકીભર્યા સ્વરોમાં ઝગડો કરી, ફૂલ સ્પીડે બોલેરો ગાડી ચલાવી હિતેન્દ્રભાઈને કચડી મારવા પ્રયાસ કરતા હિતેન્દ્રભાઈ ખસી ગયા હતા અને બોલેરો નીચે ૨ હોન્ડા ભાંગીને ભુક્કો થઇ ગયા હતા.
આવા સમયે ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. પણ મયો ધમકી આપી નાશી છૂટ્યો હતો. આ બારાની પોલીસમાં જાણ કરાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 
આમ એક ફાર્મ હાઉસના માલિકને બોલેરો નીચે કચડી મારવાના પ્રયાસથી જાણકારોમાં ચકચાર જાગી હતી. 

જસદણના કાસકોલીયા નજીક ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા મહિલા સહીત ૨ ના મોત : અરેરાટી રાજકોટ તા.૧૧


આજથી બે દિવસ પહેલા જસદણ તાલુકાના કાસકોલિયા ગામ તરફ જવાના રસ્તે ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા એક મહિલા અને એક કિશોરનું મોત થયું હતું. પોલીસે મેણીયા ગામના ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી વિગતો મુજબ મેણીયા ગામનો ભરત શામા મેણીયા નામનો શખ્શ નંબર વગરનું ટ્રેક્ટર લઈને જતો હતો ત્યારે કાસકોલીયા ગામના રસ્તે, આંબરડી ગામ નજીક રોડ પર આવેલા એક બમ્પ ઠેકાડતા ટ્રેક્ટરમાં બેઠેલા ફરિયાદી નંદુબેન ધીરુભાઈ ભોજાભાઈ ભોજાણી(રહે.નવાગામ, જસદણ)ના દેરાણી મધુબેન ભરતભાઈ ભોજાણી તથા મધુબેનના દીકરા સુરેશભાઈનો દીકરો તનવીર એમ બંને ટ્રેક્ટરમાંથી ઉથલી પડતા અને બંને પર તે જ ટ્રેક્ટરના વ્હીલ ફરી વળતા બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. 
જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બંનેના મોત થયાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ટ્રેક્ટર ચાલક ભરત સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવથી નવાગામમાં શોકનું મોજું ફેલાયું છે.

પડધરી બાયપાસ પાસે જીનીંગમાં આગથી ૫ કરોડનો ૧૦૦ ગાડી કપાસ બળીને ખાક


આગનું કારણ શોધવા તંત્રની કવાયત : કોઈ જાનહાની નહિ ! 
રાજકોટ તા.૧૧
આજે વહેલી સવારે પડધરી બાયપાસ પાસે એક જીનીંગના કારખાનામાં લાગ ભભૂકી ઉઠતા આશરે ૯૫ થી ૧૦૦ જેટલી ગાડીનો એટલેકે રૂપિયા પાંચેક કરોડનો કપાસ બળીને ભસ્મી ભૂત થઇ ગયો હોવાની આશંકા સેવાઈ રહી છે. આગની જાણ પરથી રાજકોટ ખાતેથી ૩ ફાયર ફાયટર સ્ટાફે દોડી જઈને આગને કાબુમાં લઇ લીધી છે. છતાં અંદર ખાતે આગ પ્રજ્જ્વલ્લિત હોવાનું દેખાય છે.



બનાવમાં કોઈ જાનહાની નથી. રાજકોટના રહીશ અને પટેલ કોટન જીનીંગ કારખાનાના માલિક વસંતભાઈ જીણાભાઇ ગોટીની જાણ પરથી સંબંધિત સત્તાધીશોએ, સરકારી તંત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ ચાલુ કરી છે. 
મળતી વિગતો મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા અને પડધરી બાયપાસ પાસે પટેલ કોટન નામનું જીનીંગનું કારખાનું ધરાવતા વસંતભાઈ જીણાભાઇ પટેલની માલિકીના ઉપરોક્ત સ્થળે આજે વહેલી સવારે ૩-૦૦ વાગ્યાથી ૪-૦૦ વાગ્યા દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા ત્યાં રાતવાસો કરતા માણસોએ વસંતભાઈને જાણ કરી બનાવ સ્થળે બોલાવ્યા હતા.
માલિકે સૌ પ્રથમ રાજકોટ ફાયર તંત્રને જાણ કરી કોટન કારખાને પહોચ્યા હતા. થોડી વારમાં આવી પહોચેલ રાજકોટ ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો સખત મારો ચલાવી આગને સંપૂર્ણ કાબુમાં લઇ લીધી છે. છતાં કપાસના ઢગલામાં અંદર ખાતે આગના લબકારા ચાલુ છે. આ બાબતે વસંતભાઈ ગોટીએ “સાંજસમાચાર”ને જણાવેલ કે, પોતાની જીનીંગ મિલમાં આશરે ૯૫ થી ૧૦૦ ગાડી(ટ્રક) જેટલો કપાસનો જથ્થો પડ્યો હતો. એક ગાડીની કીમત આશરે સાડા પાંચ લાખ ગણીએ તો આશરે પાંચેક કરોડનો કપાસ આગમાં બળીને ખાક થઇ ગયો હોવાની દહેશત સેવાઈ રહી છે.
બનાવની જાણ પરથી સંબંધિત સરકારી સુત્રોએ ઘટના સ્થળે દોડી જઈને આગનું કારણ જાણવા મથામણ શરુ કરી છે. બનાવ સમયે કોઈ જાનહાની થવા પામી નથી પણ માલિકને કરોડોનું નુકશાન સહવાની નોબત આવી હોવાની વાત નકારી શકાતી નથી.

મંગળવાર, 10 એપ્રિલ, 2018

સૌથી વ્યસ્ત એરપોર્ટના લિસ્ટમાં ભારતનું એરપોર્ટ 16મા સ્થાને



ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ(IGI)થી યાત્રા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જેના લીધે તેને દુનિયાના ટોપ 20 વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં જગ્યા મળી છે. યાત્રીઓની સંખ્યાના મામલામાં તેણે ન્યૂ યોર્કના જ્હોન એફ કેનેડી આંતરરાષ્ટ્રીય એરપોર્ટને પાછળ છોડી દીધું છે. એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ(ACI)ની 2017ના રિપોર્ટ પ્રમાણે સૌથી વ્યસ્ત એરપોર્ટની લિસ્ટમાં ભારતનું IGI 16મા સ્થાને છે. કાઉન્સીલના કહેવા પ્રમાણે કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈ એ એરપોર્ટમાં સામેલ છે જેમાં ગયા વર્ષની સરખામણીએ યાત્રીઓની સંખ્યામાં સારો વધારો થયો છે.

ACI દુનિયાના એરપોર્ટનો વ્યાપાર સંઘ છે, જેણે વર્ષ 2017મા દુનિયાભરના 1202 એરપોર્ટના ડેટાને ભેગા કર્યા હતા, જેમાં ભારત અને ચીનમાં સતત પેસેન્જર ટ્રાફિક વધતો જોવા મળી રહ્યો છે. ACIએ કહ્યું છે કે, જે રીતે ઓછા સમયમાં ભારતમાં ઉડ્ડયન માર્કેટ વધી રહ્યું છે તેના પરથી નક્કી છે કે આવનારા વર્ષોમાં તે દુનિયાનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે.

ACIએ પૂર્વાનુમાન લગાવ્યું છે કે આવનારા સમયમાં પેસેન્જર ટ્રાફિકના મામલે ચીન અને અમેરિકા પછી ભારત દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું ઉડ્ડયન માર્કેટ બની જશે. ACI એરપોર્ટ 2016મા 22મા સ્થાન પર હતું, જે 6 ક્રમ આગળ જઈને 16મા ક્રમે પહોંચ્યું છે. પેસેન્જર ટ્રાફિકના મામલે દિલ્હી દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે, જેમાં દર વર્ષે 14.1%થી યાત્રીઓની સંખ્યા વધી રહી છે.

ગતવર્ષના ધો.12ના નાપાસ થયેલ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની હોલ ટીકીટ કાલે વિત૨ણ થશે


ગુજ૨ાત માધ્યમિક અને ઉચ્ચત૨ માધ્યમિક શિક્ષ્ાણ બોર્ડ, ગાંધીનગ૨ની અખબા૨ યાદીમાં જણાવે છે કે, ઉ.મા.પ્ર. પ૨ીક્ષ્ાા વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટ૨ -૧ થી ૪ ની પ૨ીક્ષ્ાાના તમામ વિષ્ાયોમાં ઉપસ્થિત ૨હ્યા બાદ અનુતીર્ણ (એન.આઈ.) થયેલ તથા જુલાઈ ૨૦૧૭ અને તે પહેલાની જુલાઈ પૂ૨ક પ૨ીક્ષ્ાામાં અનુતીર્ણ (એન.આઈ.) થયેલ ઉમેદવા૨ોની ખાસ પ૨ીક્ષ્ાા એપ્રિલ-૨૦૧૮ ની હોલ-ટીકીટ વિત૨ણ જિલ્લાના વિત૨ણ સ્થળે તા.૧૨/૦૪/૨૦૧૮ ના ૨ોજ સવા૨ે ૧૧:૦૦ થી ૧૬:૦૦ કલાક દ૨મ્યાન વિત૨ણ થના૨ છે. તો ૨ાજયની ઉ.મા.શાળાના આચાયર્ર્ઓએ પોતાની શાળાની હોલ-ટીકીટ મુખત્યા૨ પત્ર ૨જુ ક૨ી મેળવી લેવાની ૨હેશે. નિયત ક૨ેલ વિત૨ણ કેન્ોની યાદી બોર્ડની વેબસાઈટ www.gseb.org  ઉપ૨ મૂક્વામાં આવેલ છે.

બ્રહ્મદેવ સમાજ દ્વારા ભગવાન પરશુરામના જન્મોત્સવ નીમીતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન

રાજકોટ તા.9
તા.18/4/2018ને બુધવારના રોજ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના પૂર્વજ એવા ભગવાન પરશુરામના જન્મ ઉત્સવ નિમિતે બ્રહ્મદેવ સમાજ, રાજકોટના યુવા અને મહિલા પાંખ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.13થી તા.17 સુધી ભવ્ય પંડાલ તેમજ રોજ સાંજે 8 કલાકે કિશાનપરા ચોક, રાજકોટ ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તા.14ને શનિવારના રોજ 40 કલાકારો દ્વારા ભગવાન પરશુરામના જીવન ચારિત્ર પર જીવંત નાટક રજુ કરવામાં આવશે.
 ત્યારબાદ તા.15ને રવિવારના સાંજે 4 કલાકે વેદ માતા ગાયત્રીધામ, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી કિશાનપરા ચોક સુધી ઐતિહાસીક ભવ્ય બાઈક રેલીનું આયોજન રાખવામાં આવ્યું છે તેમજ રાત્રે 8 કલાકે કિશાનપરા ચોક ખાતે 1008 દિવડાની મહાઆરતી સુપ્રસિધ્ધ અને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ ધરાવતા મનોજભાઈ મહાઆરતી દ્વારા કરવામાં આવશે. રાત્રે 9 કલાકે મહાપ્રસાદનું રાખેલ છે. તા.16ના સોમવારના રોજ મહિલા પાંખ દ્વારા ડાંડીયા રાસ તા.17ના બહેનો દ્વારા રંગોળી તથા મહાઅન્નકુટ દર્શન તેમજ રાત્રે 9 કલાકે સંતવાણી ભરતભાઈ ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
 સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચીવ મીલનભાઈ શુકલ તથા ગુજરાત અધ્યક્ષ ભારતભાઈ જાની, યુવા ઉપપ્રમુખ વિરલભાઈ ભારદ્વાજ દ્વારા તથા ક્ધવીનર બંકીમભાઈ મહેતા, નિલેશભાઈ મહેતા તથા બ્રહ્મદેવ સમાજના ખજાનચી લલીતભાઈ ઘાંધીયા તથા બ્રહ્મદેવ સમાજના તમામ યુવા કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !

આટકોટની સીમમાં જૂની બોલાચાલી મુદ્દે પ્રૌઢ પર ૭ શખ્શોનો હુમલો : બંને હાથ-પગ ભાંગી નાખ્યા !
આટકોટ પોલીસે ૭ શખ્શો સામે રાયોટીંગનો ગુનો નોંધી તમામની ધરપકડ માટે શરુ કરી કવાયત 
રાજકોટ તા.૧૦ 
આટકોટ ગામની સીમમાં ગઈકાલે એક ભરવાડ પ્રૌઢ પર સાત શખ્શોએ જૂની બોલાચાલીનો ખાર રાખી હિચકારો હુમલો કરી, બેય હાથ અને બેય પગ ભાંગી નાખતા પ્રોઢને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જસદણ તાલુકાના ગુંદાળા જામ ગામે  રહેતા હમીરભાઈ ચોથાભાઇ ઝાપડા નામના ૫૦ વર્ષીય ભરવાડ પ્રોઢ ગઈકાલે આટકોટ ગામની સીમમાં જેશાભાઈ હિરપરાના ખેતરમાં હતા ત્યારે ગુંદાળાના ૭ સખ્શોએ ઇકો કારમાં ઘસી આવી 
ધોકા વડે આડેધડ હુમલો કરી હમીરભાઈના બંને હાથ અને બંને પગ ભાંગી નાખ્યા હતા. ફરિયાદી હમીરભાઈએ આટકોટ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી વીસ દિવસ પહેલા લાખા ભવાન ઝાપડા સાથે બોલાચાલી થઇ હોય, તે વાતનો ખાર રાખી ગઈકાલે લાખા ભવાન, બીમ પોપટ ઝાપડા, ભાયા મખા ઝાપડા, અનીલ મૂળા ઝાપડા, મૂળા કાના ઝાપડા, મખા ચના ઝાપડા અને મૈયા ભવાન ઝાપડા એમ સાતેય શખ્શોએ સૌ પ્રથમ હમીરભાઈની રીક્ષા ઉભી રખાવી હુમલો કરતા, હમીરભાઈ પોતાનો જીવ બચાવવા વાડી ખેતરમાં ભાગવા લાગ્યા હતા.
પણ હુમલાખોરોએ પાછળ દોડી આડેધડ ધોકા વડે ફટકારી હમીરભાઈ ઉપર જીવલેણ હુમલો કરી નાશી છૂટ્યા હતા. બીજીબાજુ બંને હાથ અને બંને પગમાં ફ્રેકચર જેવી ઈજાઓ સાથે હમીરભાઈને સારવાર માટે હોસ્પીટલે ખસેડાયા હતા. પોલીસે હોસ્પિટલ ખાતે ઈજાગ્રસ્ત હમીરભાઈના નિવેદન પરથી ઉપરોક્ત સાતેય શખ્શો સામે આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૩૨૪, ૩૨૫, ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી હુમલાખોરોને પકડવા આટકોટ પોલીસના પીએસઆઈ એ.વી.જાડેજાએ તપાસ હાથ ધરી છે.
મોટી પાનેલીનો શખ્શ દેશી તમંચા સાથે ઝડપાયો 
ભાયાવદર પોલીસના પીએસઆઈ જે.યુ.ગોહિલે ગઈકાલે સાંજે મોટી પાનેલી ગામથી ઉપલેટા જતા રોડ પરથી સંજય વલ્લભ ફળદુ(રહે.આરાધના સોસાઈટી, મોટી પાનેલી)ને લોખંડના દેશી બનાવટના તમંચા સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ફોજદાર ગોહિલે જણાવેલ કે રૂપિયા ૫ હજારની કિમતનું આ અગ્નિસસ્ત્ર શા માટે સાથે રાખીને સંજયભાઈ ફરતા હતા ? તે અંગે તપાસ હાથ ધરાઈ છે.

જેતપુરની ખોડીયારધારમાં જુગાર દરોડો રોકડ ૧૦ હજાર સાથે ૭ તાસપ્રેમી ઝડપાયા


જસદણમાંથી જુગાર રમતા ૨ ઝડપાયા : જેતલસર નજીકથી દેશી દારૂ સાથે રીક્ષા ઝડપાઈ : ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી દારૂની બોટલ સાથે પકડાયો : જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ : વાસાવડમાં વરલી જુગાર 
રાજકોટ તા.૧૦ 
જેતપુર શહેર પોલીસે ગઈકાલે બપોરે ખોડિયાર ધાર નવાગઢ વિસ્તારમાં બાતમીના આધારે જુગાર દરોડો પાડી ૭ સખ્શોને રોકડ રૂપિયા ૧૦૨૭૦/- સાથે તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગતો મુજબ જેતપુર શહેર પોલીસને બાતમી મળી હતી કે નવાગઢના ખોડિયાર ધાર વિસ્તારમાં રોજ મોટાપાયે તીનપત્તીનો જુગાર રમાય છે. આવી બાતમી પરથી ગઈકાલે શહેર પોલીસના પીઆઈ રાણાની સુચનાથી જમાદાર એસ.એન.પરમારે સ્ટાફના લખુભા ગંભીરસિંહ રાઠોડ વિગેરે પોલીસ કાફલાને સાથે રાખી ખોડિયારધાર વિસ્તારમાં જુગાર દરોડો પાડતા ત્યાં જુગાર રમતા ૭ શખ્શો ઝડપાઈ ગયા હતા.
જેમાં સાગર વેલજી સાંગાણી, બહાદુર બચું ચાવડા(સરધારપુર), દિલીપ લાલજી કોળી, યોગેશ ઉર્ફે મન્નો ભીખુ ભાયાણી(સરધારપુર), કિશન ભીમજી માયાણી(જાગૃતીપરા), રણછોડ ગોકળ જીન્જુવાડીયા(બળદેવધાર) તથા મનસુખ વીરા પરમાર(સેન્ટફ્રાન્સીસ સ્કુલ પાસે)નો સમાવેશ થાય છે. પોલીસે દરોડા સમયે રોકડ ૧૦૨૭૦/- કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જસદણમાંથી જુગાર રમતા ૨ પકડાયા 
જસદણમાં ચંદ્રકાંત ટોકીઝની સામે, શહેનશાહ પીરની દરગાહની દીવાલ પાસે, ખુલ્લા પ્લોટમાંથી તીનપત્તીનો જુગાર રમતા ૨ ઇસમોને જમાદાર આર.એ.વાકાતરે રોકડ રૂપિયા ૩૪૨૦/- સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા શ્ખ્શોમાં સુરેશ ભનુ મકવાણા(જસદણ-વિંછીયા રોડ, બાપા સીતારામના ઓટા પાસે) તથા વીનું રામજી કોળી(વાજસુરપરા શેરી નંબર-૧)નો સમાવેશ થથો હોવાનું પોલીસ જણાવે છે.
જેતલસર નજીકથી દેશી દારૂ ઝડપાયો 
જેતપુર તાલુકા પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે ગઈકાલે જેતલસર નજીક, જુનાગઢ રોડ પરથી નીકળેલી જીજે ૦૩ ડબ્લ્યુ ૩૬૩ નંબરની અતુલ શક્તિ રીક્ષા રોકાવી હતી. રીક્ષા ચાલક રીક્ષા રેઢી મૂકી નાશી છૂટ્યો હતો. તપાસ દરમિયાન રીક્ષામાંથી રૂપિયા ૪૦૦૦ નો ૦૦ લીટર દેશી દારૂ પકડાવા પામ્યો હતો. પોલીસે રૂપિયા ૨૦ હજારની રીક્ષા પણ કબજે લઇ, રીક્ષા નંબરના આધારે રીક્ષા ચાલક-માલિકની શોધખોળ આદરી છે.
ગોંડલનો શખ્શ ચોકીધાર પાસેથી 
દારૂની બોટલ સાથે પકડાયો
ગોંડલમાં જેલચોક, ભોજપરામાં રહેતો રીક્ષા  ડ્રાઈવર ગૌરવ અરુણ જેઠવા કારડીયા રાજપૂત યુવાન ગઈકાલે સાંજે પોણા છ વાગ્યે પોતાની ઓટો રીક્ષા લઈને જુનાગઢ રોડ પર ચોકી ધાર પાસેથી નીકળ્યો ત્યારે તેને થોભાવી તપાસ કરાતા તેમની પાસેથી અંગ્રેજી દારૂની એક શીલપેક બોટલ મળી આવી હતી. આ સમયે પોલીસ જમાદાર ભુરાભાઈ માલીવાડે રૂપિયા ૧ લાખની રીક્ષા, રૂપિયા ૩ હજારનો મોબાઈલ અને ૩૦૦ રૂપિયાની દારૂની બોટલ કબજે કરી ગૌરવ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જેતપુરમાં હોન્ડામાં ધોકા ફટકારી 
નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ 
જેતપુર શહેરમાં ખોડપરા, શેરી-૬ માં રહેતા દિનેશ રામજી ચાવડા નામના યુવાનના હોન્ડામાં લાકડાના ધોકા ફટકારી મુખ્તાર મુસાણી નામના શખ્શે હોન્ડામાં રૂપિયા ૧૦ હજારનું નુકશાન પહોચાડ્યાની  સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તા.૧.૪.ના રોજ લક્ષ્મીનગર, બાવાવાળાપરા વિસ્તારમાં બનેલી આ ઘટનાની વધુ તપાસ એ.એસ.આઈ.એન.વી.સોલંકીએ હાથ ધરી છે.
વાસાવડમાં વરલી જુગાર રમતો ઝડપાયો 
હરેશ શંભુ બાવળિયા-કોળી (રહે.ઈશ્વરભાઈ મીયાત્રાની વાડીએ) વાળા શખ્શને ગોંડલ તાલુકા પોલીસના એ.એસ.આઈ. ડી.એ.પાનસેરિયાએ વસાવડ બસસ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતો અને રમાડતો રોકડ રૂપિયા ૧૩૧૦/- સાથે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે ટ્રેક્ટરે છકડો રિક્ષાને હડફેટે લેતા મહિલાનું મોત : ૭ ઘાયલ


વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય કરી પરત ફરતા પડધરીના ચારણ-ગઢવી પરિવારને નડેલો અકસ્માત

રાજકોટ તા.૧૦ 
ગત રાત્રીના ખંભાળા-ઈશ્વરીયા વચ્ચે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્ત ૭ લોકોને નાની મોટી ઈજાઓની સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.
મળતી વિગતો મુજબ જામનગર રોડ પર રેડિયો સ્ટેશન પાસે, બાઘીના પાટિયા પાસે પડધરી રહેતા ચારણ-ગઢવી પરિવારના ૮ સભ્યો ગઈકાલે વીરડા-વાજડી ગામેથી પિતૃકાર્ય પતાવી, છકડો રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા.
ત્યારે રાત્રીના આઠેક વાગ્યે એક ટ્રેક્ટર ચાલકે છકડો રિક્ષાને હડફેટે લેતા રીક્ષામાં બેઠેલા બાળકો સહિતના ૮ ચારણ-ગઢવી પરિવારના સભ્યોને નાની મોટી ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જ્યાં ખીમીબેન ભોળાભાઈ વાલા-ચારણ-ગઢવી (ઉ.વ.૨૨) નું સારવાર દરમિયાન રાત્રીના બારેક વાગ્યાની આસપાસ મૃત્યુ થયું હતું. જ્યારે નારણ રાયદે વાલા(ઉ.વ.૧૪), મુલું હરદાસ વાલા(ઉ.વ.૧૪), બુદ્ધિબેન ખીમાભાઈ વાલા(ઉ.વ.૮), દેવાભાઈ ભોળાભાઈ વાલા(ઉ.વ.૦૨), દેવીબેન હરદાસભાઈ માલાણી(ઉ.વ.૧૬), ભીખાભાઈ રાયદેભાઈ વાલા(ઉ.વ.૧૫) તથા રાજશીભાઇ ગોવિંદભાઈ વાલા(ઉ.વ.૨૫) એમ તમામને ઈજાઓની સારવાર અપાઈ રહી છે.
પોલીસસુત્રો પાસેથી મળતી વિગતો મુજબ મૃતક મહિલાનું પિયરીયું લીલાખા(તા.ગોંડલ) છે. અને તેણી ઈજાગ્રસ્ત કિશોર ભીખાભાઈના ભાભી થાય છે. તેમજ મૃતક ખીમીબેનને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો છે. જે બંને બાળકોએ અચાનક માતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
બનાવથી પડધરી અને લીલાખાના ચારણ-ગઢવી પરિવાર-સમાજમાં શોકનું મોજું ફેલાયું છે. સબંધિત પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.