અનુયાયીઓ

બુધવાર, 18 એપ્રિલ, 2018

જેતપુરમાં કાલે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા
શ્રી પરશુરામ જયંતી ધામધુમથી ઉજવાશે

ત્રણેય કારોબારી સભ્યોને જોડવા SBS પ્રમુખ અશોકભાઈ જોશીનો અનુરોધ

રાજકોટ તા.૧૭
આવતીકાલ તા.૧૮ ના રોજ ભગવાન શ્રી પરશુરામજીની જન્મ જયંતી નિમિતે સમસ્ત બ્રહ્મસમાજ, જેતપુર દ્વારા વિવિધ આયોજનો થયા છે.
જેમાં સૌ પ્રથમ શહેરના મુખ્ય મુક્તિધામ(સ્મશાનઘાટ) ખાતે સવારના ૯-૩૦ થી ૧૦-૩૦ દરમિયાન શ્રી પરશુરામજીની પ્રતિમાની પૂજનવિધિ શાસ્ત્રોક રીતે કરવામાં આવશે.


જે પૂજન વિધિમાં સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના વરિષ્ઠ, મહિલા અને યુવા પાંખ તેમ ત્રણેય કારોબારી પાંખના પ્રમુખશ્રીઓ, અગ્રણીઓ અને સભ્યોમોટી સંખ્યામાં હાજર રહેશે. સાંજના ૭-૩૦ કલાકે ઉપરોક્ત ત્રણેય પાંખના કારોબારી સભ્યોના પરિવારજનોનું ફૂલવાડી રામજી મંદિર રોડ પરની શ્રી સમસ્ત બ્રહ્મ સમાજની વાડી ખાતે સામુહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હોય,

સમસ્તબ્રહ્મ સમાજ જેતપુરના પ્રમુખ અશોકભાઈ કે.જોશી, ચીફ એડવાઈઝર કમલેશભાઈ પંડ્યા, મંત્રી ઉમાંકાન્તભાઈ જોશી, મહિલા પાંખના પ્રમુખ નીતાબેન મહેતા તેમજ બ્રહ્મસમાજ યુવા પાંખના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા વિગેરે સવારના પૂજનવિધિ અને સાંજે ભોજન કાર્યક્રમનો લાભ લેવા બ્રહ્મસમાજની વરિષ્ઠ, મહિલા અને યુવા પાંખના કારોબારી સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે.

ટિપ્પણીઓ નથી: