અનુયાયીઓ

ગુરુવાર, 17 ડિસેમ્બર, 2015

જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે...

જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે..
જેતપુર તા.17 (કશ્યપ જોશી દ્વારા)
શહેરની જાણીતી સેવાકીય સંસ્થા સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આગામી રવિવારને તા.20.12. ના રોજ જેતપુરના માજી ધારાસભ્ય સ્વ.રમણી કભાઈ પટેલની જન્મતિથી નિમિત્તે હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.
જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ રાજકોટ અને રાહત સમિતિ જેતપુરના સહયોગ વચ્ચે અહીંના કણકિયા પ્લોટમાં આવેલ વણિક જ્ઞાત્તિની વાડી ખાતે સવારના 8:30 કલાકે, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના હસ્તે ઉદ્ઘાટિત થનાર આ કેમ્પમાં રાજકોટ, જેતપુરના ખ્યાતનામ તબીબો પોતપોતાની સેવાઓ આપશે. જેઓને બિરદાવવા શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ હાજર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ વિનુભાઈ સિદ્ધપરા, પ્રોજેક્ટ ચેરમેન મનીષ પંડયા વિગેરેએ જણાવ્યું છે.

કશ્યપ જોશી  જેતપુર 9974262812

બુધવાર, 16 ડિસેમ્બર, 2015

સરદારજીને અને સ્વ.સવજીભીની પ્રતિમાઓને હારતોરા કરી, રેલી યોજી જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો

સરદારજીને અને સ્વ.સવજીભીની પ્રતિમાઓને હારતોરા કરી, રેલી યોજી

જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે

ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો

જેતપુર તા.૧૬ (કશ્યપ જોશી દ્વારા)

    જેતપુરમાં આજે પાટીદાર અનામત અંદોલન સમિતિએ હાર્દિક પટેલ સહિતના આગેવાનોને તાકીદે જેલમુક્ત કરવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા અહીના મામલતદારને આવેદનો આપ્યા હતા.

પાટીદાર અનામત આંદોલનના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોએ સૌર પ્રથમ અહીના જુનાગઢ રોડ પર સરદાર પટેલની અને સ્થાનિક ધારાસભ્ય સ્વ.સવજીભાઈ કોરાટની પ્રતિમાને હારતોરા કરી, સુત્રોચ્ચાર કરી, રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.

  મામલતદાર કચરીએ પહોચેલા પાટીદાર આગેવાનોએ સુપરત કરેલા આવેદનમાં જણાવ્યું હતું કે અનામત આંદોલન દરમિયાન પોલીસ તંત્રએ હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણીયા અને નીલેશ એરવાડીયા સામે લગાવેલ રાજદ્રોહના આરોપો પરત ખેંચી આમાંના જે પણ આગેવાનો જેલમાં હોય તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરાવો અન્યથા આગામી તા.૨૧/૧૨/૨૦૧૫ થી પાટીદાર અનામત આંદોલન સમિતિ પુનઃ ગામડે ગામડે અને શહેરે શહેર અનશન આંદોલન છેડશે.

 

જ્યારે જગદીશભાઈ પાંભરની આગેવાની તળે કોંગી કાર્યકરો અને આગેવાનોએ મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતો અત્યારે બીચારવાસ્થામાં પટકાઈ જવા પાછળ ઘણા કારણો છે, જેમાં મુખ્યત્વે કપાસ જેવા ખેત્પાકોના અપૂરતા ભાવો, પાક વિમાની રકમ ના મળવી, અપૂરતો વીજ અને પાણી પુરવઠો, પુર હોનારતમાં વ્યાપક નુકશાની અને વન્ય પ્રાણીઓનો ત્રાસ. આ તમામ પ્રશ્નો તાકીદે મિટાવી સરકારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ જગતાત આલમને મદદ કરવી જોઈએ.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર 


જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...

જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં

ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન

બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...

જેતપુર તા.૧૬

જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરતની પચાસેક મહિલાઓ આજે જેતપુર શહેર પોલીસ મથકે દોડી આવી તેઓના વિસ્તારમાં માઝા મુકેલી તસ્કરીને નાથવા રાત્રી રોન કડક બનાવાય તેવી માંગ દોહરાવી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ૧૫ જેટલી નાની મોટી ચોરીઓ થઇ હોય તેમજ એક પણ ચોરીના પોલીસને સગડ મળ્યા ના હોય ભયભીત બનેલ મહિલાવર્ગ આજે મોટી સંખ્યામાં શહેર પોલીસ મથકે દોડી આવી, તેઓના વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા રાત્રી પેટ્રોલિંગ વધુ પ્રબળ બનાવવાની માંગ દોહરાવી હતી.

આ સમયે શહેર પોલીસના પીએસઆઈ ચૌહાણ, જાડેજા તથા સ્ટાફના કમલેશભાઈ રાવલ વિગેરેએ ઉક્ત લાત્તોની મહિલાઓની માંગ સ્વીકારી આજ્થીજ પેટ્રોલિંગ અસરકારક બનાવવાન અને આ માટે હોમગાર્ડ જવાનોને પણ લત્તામાં ફરીને વ્હીસલ વગાડી રાત્રી રોન કરવા સુચના આપવાની ખાતરી આપી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


Fwd: જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કર્યો વિરોધ

જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ
દિલ્હીના સીએમ કાર્યાલયમાં થયેલી તપાસનો કરાયો વિરોધ...
જેતપુર તા.16
દિલ્હીમાં કેજરીવાલ સરકારના કાર્યાલયમાં થયેલી સીબીઆઇ તપાસનો વિરોધ વ્યક્ત કરવા આજે જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વર્તમાન કેન્દ્ર સરકારની નીતિને વખોડી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમીના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે દેશમાં અનેક પ્રકારનાં મસમોટા કૌભાંડો આંચરાયા છે પણ, કેન્દ્ર સરકાર આવા ગોટાળા બહાર લાવવામાં કે તે અંગે તપાસ કરાવવાનો બદલે દિલ્હીના સીએમ કેજરીવાલ પાછળ પડી હોય, આ વાત લોકશાહી વિરોધી ગણાવી શકાય.
                                                ફોટો લાઈન  : કશ્યપ જોશી જેતપુર


સોમવાર, 14 ડિસેમ્બર, 2015

રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા ફરતા ખૂનના આરોપીને પકડ્યો

વચગાળાના જામીન મેળવ્યા બાદ પુનઃ હાજર થયોજ નહિ !

રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાંચે નાશતા 

ફરતા ખૂનના આરોપીને પકડ્યો

જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)

ખૂન કેશમાં બે વર્ષથી નાસતા ફરતા ભાણવડ પોલીસ સ્ટેશનના ખૂનના આરોપીને રાજકોટ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે આજે જેતપુર પંથકમાં તેમના જ ઘરેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

આ બાબતે વિગતો આપતા રાજકોટ એલસીબીના જમાદાર ભુરાભાઈ માલીવાડને એલસીબીના પોકો નારણભાઈ આહિરે બાતમી આપી હતી કે, ભાણવડ પોલીસ સ્ટેશનના ગુના રજી.નંબર ૧૮/૧૩ આઈપીસી કલમ ૩૦૨, ૩૨૩ નો આરોપી દેવીપુજક જેન્તી ઝવેર સોલંકી(રહે. જેપુર, છાપરવાડી ડેમ નજીક, તાલુકો જેતપુર) વાળો હાઈકોર્ટના હુકમથી તા.૨૦/૧૧/૧૪ ના રોજ બે અઠવાડિયાના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો.

 

દરમીયાન મુદત પૂરી થવા છતાં જેન્તીએ હાજર થવાને બદલે નાસતો ફરતો હતો. જેની એલસીબીના નારણભાઈ આહિરને બાતમી મળતા આજે નારણભાઈએ પોતાના ફોજદાર ઉનડકટને જાણ કરતા જમાદાર ભુરાભાઈએ જેન્તીને તેમના જ ઉપરોક્ત સ્થળે આવેલા ઘરે છાપો મારી પકડી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(ભુરાભાઈ માલીવાડ જમાદાર નો મોબાઈલ નંબર ૯૮૨૫૯ ૯૬૭૧૩ 

 કશ્યપ જે. જોશી જેતપુર 

 

 

 


અવસાન નોંધ : જેતપુર : ૧૪-૧૨-૨૦૧૫


અવસાન નોંધ : જેતપુર : ૧૪-૧૨-૨૦૧૫ 
----------------------------------------------
જેતપુર: સોની નવીનચંદ્ર ગોરધનદાસ કડેચા(ઉ.વ.૬૮- નિવૃત વીજ કર્મચારી) તે ભાવેશભાઈ, રાકેશભાઈ,ભાવનાબેન અને પ્રીતીબેનના પિતા તા.૧૪ ના રોજ અવસાન પામ્યા છે. બેસણું તા.૧૭ ને ગુરુવારે, સાંજે ૪ થી ૬, જુના પાંચ પીપળા રોડ, પટેલ નગર, જેતપુર ખાતે તેમના નિવાસસ્થાને રાખેલ છે.
કશ્યપ જે.જોશી જેતપુર 




જેતપુરમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની લોડિંગ ગાડીમાંથી રૂપિયા 11 લાખથી વધુના પાર્સલોની ચોરી થતા ચકચાર.. પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ !

જેતપુરમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની લોડિંગ ગાડીમાંથી

રૂપિયા 11 લાખથી વધુના પાર્સલોની ચોરી 

થતા ચકચાર.. પોલીસ ફરિયાદની તજવીજ ચાલુ !

જેતપુર તા.૧૪ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરમાં શનિવારની રાત્રીએ રબારીકા  રોડ પર આબેલ એક ટ્રાન્સપોર્ટની લોડિંગ કરેલી ગાડીમાંથી કોઈ હારામખોર તત્વો રૂપિયા 11 લાખથી વધુના સાડી પાર્સલો સહિતના દાગીના ચોરી જતા ટ્રાન્સપોર્ટ આલમમાં ભય સાથે ચકચાર જાગી છે.

મળતી વિગતો મુજબ અહીના રબારીકા રોડ પર ગીરનાર લોજીસ્ટીક પ્રાઈવેટ લીમીટેડ નામના ટ્રાન્સપોર્ટમાં શનિવારની રાત્રીએ લોડીંગ કરેલી મેટાડોરને રવિવારની સવારે શાપર વેરાવળ ખાતે ક્રોસિંગ સેન્ટર ખાતે મોકલવાની હતી.

જીજે ૧ બી.વી.૧૯૮૮ નંબરની જમ્બો આઈસર ગાડીમાં શનિવારે રાત્રે ટ્રાન્સપોર્ટ બુકિંગ મેનેજર પંડિતે લોડીંગ કરાવી, ટ્રાન્સપોર્ટ ઓફીસ સામે રાબેતા મુજબ આ લોડેડ વાહનને પાર્ક કરાવી પોતાના ધોરાજી રોડ સ્થિત ભાડાના ઘરે ચાલ્યા ગયેલા.

દરમિયાન રવિવારે સવારના કોઈ મજૂરે આ ટ્રાન્સપોર્ટના મેનેજરને ફોન દ્વારા જાણ કરી હતી કે તમારી ગાડીની તાલપત્રી તૂટી ગયેલી જોવા મળતી હોય, કોઈ પાર્સલ ચોરાયા હોવાનું લાગે છે. આવી જાણ થતાજ ટ્રાન્સપોર્ટ મેનેજર ક્રિષ્નકુમાર પંડિત પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસે પહોચી તપાસ કરતા તેમાંથી પાર્સલો ચોરાયા હોવાની શંકા જણાઈ હતી.

બીજીબાજુ પોલીસને જાણ કરી આ આયસર મેટાડોરમાં ભરેલ તમામ પાર્સલો ખાલી કરીને ટ્રાન્સપોર્ટના ચલાન સાથે મેળવાતા ગાડીમાંથી આશરે ૬૮ થી ૭૦ બિલ્ટીઓના (રસીદોના) કુલ ૭૩ દાગીના ચોરાયાનું માલુમ પડ્યું હતું. જેમાં ૬૫ સાડીના પાર્સલ, ૩ ઓટો પાર્ટ્સ અને ૩ કાસ્ટિંગ (લોખંડની મશીનરી)નો સમાવેશ થતો હોવાનું તેમજ આ તમામ દાગીનાની કુલ કીમત રૂપિયા ૧૧,૩૫,૬૬૮-૦૦ થતી હોવાનું ટ્રાન્સપોર્ટરનું કહેવું છે.

 આ બાબતે ટ્રાન્સપોર્ટનું બુકિંગ કામકાજ સાંભળતા ક્રિશ્નકુમાર ચિરંજીત શર્મા-પંડિતજી નામમાં મેનેજરે શહેર પોલીસમાં જાણ કરતા પીઆઇ એન.કે.વ્યાસે ઘટના સ્થળે દોડી જઈ વિશેષ પૂછપરછ આદરી હતી. તેઓનું કહેવું છે કે આ ઘટનામાં કોઈ જાણભેદુ લાગે છે. પણ સંબંધિત ટ્રાન્સપોર્ટર ચોરી થયેલા દાગીનાના વજૂદવાળા પાકા બિલ રજુ કરશે તો પોલીસ ફરિયાદ નોંધાશે તેવું પોલીસ કહે છે.

પોલીસની નજર સીસીકેમના ફૂટેજ પર !

જેતપુર: જેતપુર શહેર પોલીસના પીઆઈ એન.કે.વ્યાસે જણાવેલ કે ગીરનાર ટ્રાન્સપોર્ટની બુકિંગ ઓફિસની બાજુમાંજ કૈલાશ ટ્રાન્સપોર્ટની ઓફીસ આવેલી છે. જેમાં સીસી કેમેરાની સુવિધા છે. આ સીસી કેમના ફૂટેજ મેળવી તસ્કરોનો તાગ મેળવવા કવાયત આદરાઈ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે પણ બનાવવાળી જગ્યાએ વિજીટ કરી તસ્કરોને શોધવાના પ્રયાસો કર્યા હોવાનું જાણવા મળે છે. ટ્રાન્સપોર્ટ આલમમાં એક એવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે કે જેતપુરમાં ચાલતા અને ચલાવાતા ૮૦ થી ૧૫૦ જેટલા ટ્રાન્સપોર્ટ જગતની આવી ચોરીની પ્રથમ ઘટના ગણાવાઈ રહી છે. કારણ દરેક ટ્રાન્સપોર્ટની લોડીંગ ટ્રકો રાત્રીના કામકાજ આટોપાયા બાદ સવાર સુધી પોત પોતાની ઓફિસો સામે પડી જ રહેતી હોય છે. અને આમ ગાડીમાંથી રાત્રીના ચોરી થવાનો પ્રથમ પ્રયાસ હોય, પોલીસ ફરિયાદ નોધાયા બાદ સધન તપાસ કરી તસ્કરોને જેર કરે તેવી માંગ ઉઠી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

 


રવિવાર, 13 ડિસેમ્બર, 2015

ઘોડીપાસાના ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી ૧૫ પન્ટરો પકડાયા...

જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ વિસ્તારમાં ભાડાના મકાનમાં

ઘોડીપાસાના ચાલતા જુગારધામ પર

પોલીસ ત્રાટકી ૧૫ પન્ટરો પકડાયા...

રોકડ રૂ.૨૨૮૦૦, ૧૫ મોબાઈલ, ૪ બાઈક અને એક ઓટોરીક્ષા સહીત રૂ.૨૩૩૮૦૦

નો મુદામાલ કબજે કરતી પોલીસ..પ્રસંગ માટે રૂમ ભાડે રાખ્યો ને ચાલુ કર્યો જુગાર

 

જેતપુર તા.૧૩ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ પર એક મકાનમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર ત્રાટકેલી શહેર પોલીસે ૧૫ શખ્શોને જુગારના સાધનો અને રૂપિયા ૨ લાખ ૩૩ હજાર ૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

મળતી વિગતો મુજબ જેતપુરના ફૂલવાડી રામજી મંદિર રોડ પર કોઈ પ્રસંગ સબબ મકાન ભાડે રાખી હાજી ઈસ્માઈલ જુનેજાએ બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જુગાર ચાલુ કર્યો હોવાની બાતમી મળતા પીઆઈ એન.કે.વ્યાસે ગત રાત્રીના ૧-૩૦ વાગ્યે સ્ટાફને સાથે રાખી દરોડો પાડતા ત્યાં ઘોડીપાસાનો જુગાર રમતા ઈસ્માઈલ સહીત સમીર કાસમ(ગોંડલ દરવાજા), સલીમ વાળા(પાંજરાપોળ પાસે), રજા ગોરી(પાંજરાપોળ પાસે), કસમ અબુ(બાપુની વાડી), હનીફ કુરેશી(ફૂલવાડી), ઇમરાન મહમદ(રામજી મંદિર રોડ), હુસેન ઈસ્માઈલ(ફૂલવાડી), શહેઝાદ જુસબ(લાદી રોડ), આરીફ ગફાર(બાપુની વાડી), ઇકબાલ સીદીક(અંકુર પાછળ), હુસેન ઈસ્માઈલ અને યુસુફ ઈસ્માઈલ(બંને ફૂલવાડી), મહમદ ફારુક(પાંજરાપોળ પાસે) અને અસલમ ઈસ્માઈલ(ફૂલવાડી) એમ પંદર શખ્શો ઘોડીપાસા નંગ ૨, રોકડ રૂપિયા ૨૨૮૦૦/-, ૧૫ મોબાઈલ, ૪ બાઈક અને એક ઓટો રીક્ષા સાથે ઝડપાઈ ગયા હતા.

પીઆઈ વ્યાસે તમામ શખ્શો સામે જુગારધારાની કલમો મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

 

 

જેતપુરમાં ટ્રાફિક પોલીસની કડક કામગીરી

બેદરકાર વાહન ચાલકોને દંડ ફટકાર્યા !

જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાં પીઆઈ એન.કે.વ્યાસના માર્ગદર્શન તળે ટ્રાફિક પોલીસમેનોએ કડક કામગીરી શરુ કરી છે. આજે વાહનવ્યવહાર સબબ બેદરકાર ચાલકોને રોકી હાજર દંડ ફટકાર્યા હોવાનું જાણવા મળે છે.

આ બાબતે ટ્રાફિક પોલીસમેન સુરુભા ઝાલાએ જણાવ્યું હતું કે આજે શીટ બેલ્ટના ૧૬, હેલ્મેટ વગરના ૧૦ ચાલકો, ચાલુ બાઈક ઉપર મોબાઈલ પર વાતો કરતા ૩ ચાલકો અને અન્ય આઠ જેટલા ચાલકો કે જેઓ પાસે લાઈસન્સ ના હોવા, ગાડીના કાગળો ના  હોવા તેવા આઠ જેટલા ચાલકોને ટ્રાફિક કાયદાના ભાગરૂપે સબક શીખવી તમામ પાસેથી રૂપિયા ૩૨૦૦/- હાજર દંડ વસુલાયો હતો. જયારે ૨ વાહનોને ડીટેઇન કરી તે અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ તકે પીઆઈ વ્યાસે જણાવેલ કે શહેરમાં હજુ પણ ટ્રાફિક કાયદાઓ પરત્વે બેદરકાર નાના મોટા વાહન ચાલકોને પકડવાની કામગીરી કડક બનાવાશે. ઘોંઘાટીયા હોર્ન વાળા ચાલકો અને ચાલુ ચાર ચક્રીય વાહનોમાં બેફામ સંગીત વગાડતા ચાલકોની ગાડીઓ આરટીઓના કાયદાઓ મુજબ પકડી પાડી સખ્ત કાર્યવાહી હાથ ધરાશે. તેઓએ એમ પણ જણાવેલ કે શહેર સગીર વયના બાળકો, છોકરા, છોકરીઓ બેફામ બાઈક ચલાવતા હોય, વાલીઓ પોતપોતાના બાળકોને સમજાવી વાહનો ચલાવવા ના આપે અન્યથા કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


શનિવાર, 12 ડિસેમ્બર, 2015

જેતપુર અડવાણ રૂટની બસ બસસ્ટેન્ડમાં ૧૦ મિનીટ મોડી આવતા વિદ્યાર્થીઓએ બસ રોકો અંદોલન છેડી દીધું !

જેતપુર અડવાણ રૂટની બસ બસસ્ટેન્ડમાં ૧૦ મિનીટ મોડી આવતા 
વિદ્યાર્થીઓએ બસ રોકો અંદોલન છેડી દીધું !
એસટી સુત્રોએ કહ્યું કે છાત્રોની ધમાલ ખોટી હતી, બસ ચેકઅપ માટે વર્કશોપમાં ગઈ હતી !
જેતપુર તા.૧૨  (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં આજે જેતપુર અડવાણ રૂટની એક બસ અહીના ધોરાજી રોડ પર આવેલા વર્કશોપ ખાતે ચેકઅપ માટે ગયા બાદ દશેક મિનીટ મોડી બસસ્ટેન્ડમાં પહોંચતા આ રૂટની બસનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓએ સમજ્યા વગર ખોટી રીતે બસ રોકો આંદોલન છેડી દીધાની વિગતો મળી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના એસટી બસસ્ટેન્ડમાંથી બપોરે ૧-૦૦ વાગ્યે ઉપડતી  જેતપુર - અડવાણ રૂટની બસને આજે ડેઈલી મેઇન્ટેનન્સ સબબ અહીના ધોરાજી રોડ પર આવેલ એસટી વર્કશોપમાં મોકલાઈ હતી. દરમિયાન આ બસને પુનઃ બસસ્ટેન્ડમાં પહોંચવાનું દસેક મિનીટ મોડું થતા આ બસનો અપડાઉન માટે ઉપયોગ કરતા વિદ્યાર્થીઓએ બસસ્ટેન્ડમાં જ બસરોકો આંદોલન જેવી ધમાલ આદરી દીધી હતી.

આ બાબતે એસટી સુત્રોએ જણાવેલ કે વિદ્યાર્થીઓના ઉતાવળા નિર્ણયે આવી સ્થિતિ પેદા કરી હતી. સામાન્યતઃ હાલ જેતપુરના જુનાગઢ રોડ પર સરદાર ચોક ખાતે રોડનું કામ ચાલી રહ્યું હોય અને ડ્રાઈવર્ઝન કાઢયું હોય, રોડ પર ટ્રાફિક જામ થતો હોવાની વાત ઉપરાંત કાયમી રૂટ પર ચાલતી બસોને નિયમો મુજબ ચેકઅપ માટે પણ મોકલવી પડતી હોય, રાહતદરે મુસાફરી કરતા છાત્રોએ ધમાલ કરવાને બદલે સાથ અને સહકાર આપવો જોઈએ.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨ 

નવાગઢમાં મામાને ત્‍યાં અભ્‍યાસાર્થે આવેલ કિશોરને ભાદર કેનાલ ગળી ગઈ ! કરુણ મોત

કેનાલ ફરતે રેલીંગ ઉભી કરવાની વાત માત્ર કાગળ ઉપર !?
નવાગઢમાં  મામાને ત્‍યાં અભ્‍યાસાર્થે આવેલ 
કિશોરને ભાદર કેનાલ ગળી ગઈ ! કરુણ મોત 
છેલ્લા બે મહિનામાં જેતપુરમાંથી પસાર થતી ભાદર કેનાલ ૪ ને ગળી ગઈ, તંત્રની 
કાગળ ઉપર દોડાદોડી ! હજુ કેટલાનો ભોગ લેવાશે ? શહેરીજનોમાં દહેશત 

 
જેતપુર તા.૧૨(કશ્યપ જોશી દ્વારા)
ટંકારા સ્થિત બનેવીના આકસ્મિક અવસાન બાદ કિશોરવસ્થા ધરાવતા ભાણેજને પોતાના ઘરે અભ્યાસાર્થે લઇ આવનાર નવાગઢના દિલીપભાઈ સોલંકીને વધુ એક કરુણાંતિકાનો ભોગ બનવું પડ્યું હોય તેમ ગઈ કાલે તેમનો ભાણેજ ભાદર કેનાલમાં લપસીને પડી ગયા બાદ મોતને ભેટતા નવાગઢના વણકર સમાજમાં શોક ફેલાયો છે.

મળતી વિગતો મુજબ અહીના નવાગઢના  દાસી જીવણપરા વિસ્તારમાં  રહેતા દિલીપભાઇ દાનાભાઇ સોલંકીના સગા બનેવી પ્રવિણભાઇ જાદવ ટંકારા ખાતે  રહેતા હોય અને  અકસ્‍માતમાં મૃત્‍યુ પામતા તેના એકના એક પુત્ર સુનિલ (ઉ.વ.૧૧) ને નવાગઢ ખાતે અભ્‍યાસ માટે લાવ્યા હતા. 

સુનીલ શહેરની ગંગોત્રી સ્‍કુલમાં ધોરણ-૪માં અભ્‍યાસ કરતો હતો. ગઇકાલે સવારે સ્‍કુલે ગયેલ પરંતુ બપોરે પરત નહિ ફરતા તેના મામ દિલીપભાઇએ શોધખોળ શરૂ કરેલ. દરમ્‍યાન કોઇ અજાણ્‍યા વ્‍યકિતનો ફોન આવેલ કે કેનાલ કાંઠે એક સ્‍કુલ બેગ પડેલી  છે. જેમાં સુનીલ પ્રવિણભાઇ જાદવ અને મોબાઇલ નંબર લખેલ છે. તેવું જણાવતા દિલીપભાઇ મોબાઇલમાં બતાવેલ જગ્‍યા પર પહોંચતા જે સ્‍કુલ બેગ તેમના ભાણેજ  સુનીલની જ હોવાનું જણાવી  આજુબાજુમાં તપાસ કરતા સુનીલ કયાય જોવા ન મળતા કેનાલના પાણીમાં પડી ગયો હોવાનું અનુમાન લગાવી કેનાલમાં શોધખોળ ચાલુ કરેલ હતી. અને આ અંગે પોલીસને જાણ કરવા પોલીસે મૃતદેહ નહી મળતા ગુમસુધાની ફરીયાદ નોંધાવી  હતી.
   
દરમ્‍યાન તેની શોધખોળ આજે સવારે કેનાલમાં ચાલુ રાખતા નવાગઢ વિસ્‍તારમાં સરધારપુર ગામ નજીક આવેલ દરગાહ પાસેથી કેનાલમાંથી સુનીલનો મૃતદેહ મળી આવતા  પી.એમ. માટે અહીની સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મામાના ઘરે અભ્‍યાસ માટે આવેલ સુનીલનું મોત નિપજવાથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે. પતિ ગુમાવ્‍યા બાદ પોતાના વૃદ્ધાવસ્થાના ટેકા સમાન પુત્ર સુનીલનું પણ અકાળે  મોત  થતા સુનીલની માતા ઉપર આભ ફાટી પડયું છે.   

અત્રે એ નોંધનીય છે કે જેતપુર શહેરની મધ્યમાંથી પસાર થતી ભાદર કેનાલ મોસમમાં બેકાંઠે વહેતી હોય, અકસ્માત સર્જાવાના ભયસ્થાનો વધી જતા કહેવાય છે કે સરકારે કેનાલની બંને બાજુ રેલીંગ ઉભી કરવાની ગ્રાન્ટ પાસ કરી દીધી છે. પણ આ કામગીરીની વાતો માત્ર કાગળ ઉપર જ રહેલી હોવાનું જણાતું હોય તેમ છેલ્લા બે મહિનામાં ૨ કિશોર અને ૨ યુવાનો કેનાલમાં ગબડી પડીને મોતને ભેટ્યા હોય શહેરીજનો માં વધુ દહેશત ફેલાઈ છે. તંત્ર આ વાતને તાકીદે ધ્યાને લઇ કેનાલની ફરતે તાત્કાલિક રેલીંગ ઉભી કરવાની પ્રજામાં માંગ છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812

પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....

વરસો થયા આ જગ્યાએથી સસ્તા અનાજનો જથ્થો પગ કરી જાય છે, 
પણ તંત્રને ફરિયાદ મળે તો જ કાર્યવાહી થતી હોવાલો તાલ !
પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી 
ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....
જેતપુર તા.૧૨ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે મોડી રાત્રીના જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના સરકારી ગોદામમાંથી જે તે ગામોની દુકાનો પર ઘઉંનો જથ્થો પહોચાડવાને બદલે ગોંડલની માર્કેટ યાર્ડમાં વેંચી નાખવાનો કારસો નિષ્ફળ બન્યો હોવાની વિગતો મળી છે.

મળતી વિગતો મુજબ ગઈકાલે મોડી રાત્રીના અહીના નવાગઢ વિસ્તારમાં આવેલ પુરવઠા તંત્રના સરકારી ગોદામમાંથી સસ્તા અનાજના પરવાનેદારોની દુકાને પહોચાડવાના ૨૨૧ કટ્ટા ભરીને નીકળેલ મેટાડોર ચાલકે આ ઘઉંનો જથ્થો એક બીજા ટ્રકમાં ફેરવી, જેતપુરની હદ છોડી ગોંડલ તરફ જતો  હોવાની અહીના પુરવઠા તંત્રને માહિતી મળતા સંબંધિતોએ ગોંડલની યાર્ડમાં તપાસ કરી હતી. પણ ટ્રક  વીરપુર નજીક દેખાતા તેને રોકવામાં આવતા ટ્રક ચાલક નાશી છૂટ્યો હતો. દરમિયાન ટ્રક તપાસાતા તેમાંથી સસ્તા અનાજના ૨૨૧ કટ્ટા મળી આવતા પુરવઠા તંત્રએ ટ્રક સમેત ૧.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. તંત્રએ વધુમાં જણાવેલ કે ઘઉંનો આ જથ્થો તાલુકાના લુણાગરા અને થોરાળા તરફ લઇ જવાનો હતો. પણ બારોબાર કાળાબઝારમાં વેન્ચાતો અટકાવી દેવાયો છે.


અત્રે એ નોંધનીય છે કે જેતપુરના નવાગઢમાં આવેલ પુરવઠા તંત્રના આ સરકારી ગોદામમાંથી વર્ષો થયા સમયાંતરે ઘઉં, ચોખા વિગેરે રાશનનો જથ્થો સસ્તા અનાજની દુકાનોને બદલે બારોબાર કાળાબજારમાં વહેચી નાખવાનો કારસો ચાલી રહ્યો છે. આ વાતમાં સંબંધિત તંત્ર સામેલ છે કે કેમ તે રામ જાણે ! પણ વાસ્તવિકતા એ છે કે તંત્રને કોઈ ફરિયાદ કરે તો જ તાબોટા પાડતા સરકારી ગોદામ પર પહોચી તપાસ કરે છે. ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા છે. સવાલ એ પેદા થયો છે કે ઉપરોક્ત ગામોના ઘઉંનો જથ્થો આમ બારોબાર વેંચી નાખવાનો પ્રયાસ થયો તો શું આ બંને ગામોમાં ભૂતિયા રાશન કાર્ડ હશે ? મામલતદાર તંત્રએ આ વાત તપાસવાની જરૂર છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 




JETPUR AVSAAN NONDH KASHYAP JOSHI 9974262812

અવસાન નોંધ :
જેતપુર: સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પુષ્પાબેન રમણીકલાલ દવે(ઉ.વ.૯૦) તે પ્રદીપભાઈ અને દર્શનભાઈ સતીશચંદ્ર દવે(મોટી કુંકાવાવ) ના દાદી તા.૧૨ ના રોજ અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તા.૧૪ ને સોમવારે, બપોરના ૩ થી ૫, કનકેશ્વર મહાદેવ મંદિર, કણકીયા પ્લોટ, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર ૯૯૭૪૨૬૨૮૧૨



​ 




શુક્રવાર, 11 ડિસેમ્બર, 2015

કશ્યપ જોશી જેતપુર જેતલસર ના વિવિધ વર્તમાન

જેતપુરમાં આડેધડ કરાતા વીજ કંપનીના સમારકામ બાબતે 'આપ'ની સંબંધિતોને રજુઆતો

જેતપુર તા.૧૧ (કશ્યપ જોશી)

જેતપુર શહેરમાં લાંબા સમય થયા ઠેર ઠેર પીજીવીસીએલ દ્વારા જુના પોલ દુર કરી નવા પોલ ઉભા કરવાની તેમજ જરૂરી સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જતીન દેગડા સહિતના આગેવાનોએ સ્થાનિક વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને રજુઆતો કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.

 

રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર શહેરમાં ઘણી જગ્યાએ શેરી ગલીઓ સાંકડી હોય, આવા વિસ્તારોમાં ચાલતી વીજ સમારકામની કામગીરી જે તે વિસ્તારના ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવી છે. અમુક જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા વીજપોલની ફરતે કાંટાળી વાડ બનાવાયી હોય, આવી જગ્યાઓનો લાભ લઈને ફેરિયાઓ કાયમી અડીંગો જમા થઈને ટ્રાફિક સમસ્યા ઉભી કરશે.

 

મુખ્ય જાહેર રસ્તાઓ પર પસાર થતી ૧૧ કેવી લાઈન નીચે ગાર્ડ(પ્રોટેક્શન લાઈન) પણ રાખવામાં આવી ના હોય, હેવી લાઈન તૂટવાનો ભય અને કોઈ મોટા અકસ્માતમાં કોઈના ભોગ લેવાવાની પ્રજામાં દહેશત ફેલાઈ છે. શહેરની મેઈન બઝારમાં તો કરોળિયાના ઝાળાની માફક ઇલેક્ટ્રિક દોરડા લટકતા હોય, તાકીદે આવા વીજ વાયરો વ્યવસ્થિત કરવા જોઈએ.

વડાપ્રધાનનું સ્વપ્ન સ્માર્ટ સીટીનું હોય, વીજકંપનીના ગાઈડલાઈન મુજબ જુનું હટાવીને નવું મરામત કાર્ય હાથ ધરાઈ તેવું 'આપના' આગેવાનોનું કહેવું છે.

((કશ્યપ જોશી- જેતપુર )

 

 

 

રક્તદાન :

સને ૨૦૧૨ થી પ્રતિવર્ષ યોજાતા આવતા રક્તદાન કેમ્પની પ્રણાલીને આ વર્ષે પણ ચાલુ રાખીને આજે જેતપુરમાં એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

(ફોટો : (કશ્યપ જોશી - જેતપુર)

 

 

દરજી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

જેતપુર : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ જેતપુર દ્વારા જુનાગઢ ખાતે સનાતન ધર્મશાળામાં ૮ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું સંસ્થાના આયોજકો અને લગ્નોત્સવને સફળ બનાવનારા રસિકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગોહેલ, અનુભાઈ સરવૈયા, અમૃતભાઈ મકવાણા, મયુર સરવૈયા, નવીનભાઈ ગોહેલ વેગેરે જણાવ્યું હતું. 

(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )

 

સફાઈ અભિયાન :

જેતલસર: પંથકના ડેડરવા ગામે ગામના સરપંચ સહિતના સમસ્ત ગ્રામજનોએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધાર્યું હોવાનું ભોલાભાઈ અને કિશન બોરીસાણીયાએ જણાવ્યું હતું. (ફોટો : કશ્યપ જોશી-જેતલસર)

 

 

પીપળવામાં બળદની સારવાર કરતા ગૌસેવકો

જેતલસર: પંથકના પીપળવા ગામે લાંબા સમય થયા નિરાધાર રખડતા એક બળદને શીગડામાં કેન્સર જેવી ગંભીર બીમારી લાગી હતી. આ કણસતા બળદ અંગે વાત મળતા સ્થાનિક કામધેનું ગૌ રક્ષક ગ્રુપના આગેવાનોએ બળદના શીગડામાં(કામોઈનું) ઓપરેશન કરવાની સરાહનીય સેવા કરી હતી.

(ફોટો : કશ્યપ જોશી જેતલસર)

 

 

 

 

મહિનાની પ્રતિ અગિયારસે ગૌસેવકો દ્વારા ખોળનું વિતરણ

જેતલસર: કામધેનું ગૌ રક્ષક ગ્રુપ જેતલસરના યુવાનો ગોપાલ ડોબરિયા, સતીશ ગોંડલિયા, કિશોર પરમાર વિગેરે દ્વારા મહિનાની પ્રતિ અગિયારસના દિવસે ગામ ઉપરાંત જેતપુર શહેરમાં રખડતા રેઢીયાર પશુઓને ખોળ ખવડાવવાની સરાહનીય સેવા કરવામાં આવે છે.  (કશ્યપ જોશી-જેતલસર)


રેશમડીમાં ખેડૂત શિબિર યોજાઈ

જેતપુર: જમીન સુધારણા,જમીન જાળવણી અને જમીનને લગતા પ્રશ્નોની ચર્ચાઓ અને ઉકેલ માટે તાજેતરમાં જેતપુરના રેશમડી ગાલોળ ગામે એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )

 

 



JETPUR NA VIVIDH VARTMAAN HITESH SAVALIYA JETPU R

જેતપુરમાં આડેધડ કરાતા વીજ કંપનીના સમારકામ બાબતે 'આપ'ની સંબંધિતોને રજુઆતો

જેતપુર તા.૧૧ (કશ્યપ જોશી)

જેતપુર શહેરમાં લાંબા સમય થયા ઠેર ઠેર પીજીવીસીએલ દ્વારા જુના પોલ દુર કરી નવા પોલ ઉભા કરવાની તેમજ જરૂરી સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જતીન દેગડા સહિતના આગેવાનોએ સ્થાનિક વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને રજુઆતો કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.

 

રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર શહેરમાં ઘણી જગ્યાએ શેરી ગલીઓ સાંકડી હોય, આવા વિસ્તારોમાં ચાલતી વીજ સમારકામની કામગીરી જે તે વિસ્તારના ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવી છે. અમુક જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા વીજપોલની ફરતે કાંટાળી વાડ બનાવાયી હોય, આવી જગ્યાઓનો લાભ લઈને ફેરિયાઓ કાયમી અડીંગો જમા થઈને ટ્રાફિક સમસ્યા ઉભી કરશે.

 

મુખ્ય જાહેર રસ્તાઓ પર પસાર થતી ૧૧ કેવી લાઈન નીચે ગાર્ડ(પ્રોટેક્શન લાઈન) પણ રાખવામાં આવી ના હોય, હેવી લાઈન તૂટવાનો ભય અને કોઈ મોટા અકસ્માતમાં કોઈના ભોગ લેવાવાની પ્રજામાં દહેશત ફેલાઈ છે. શહેરની મેઈન બઝારમાં તો કરોળિયાના ઝાળાની માફક ઇલેક્ટ્રિક દોરડા લટકતા હોય, તાકીદે આવા વીજ વાયરો વ્યવસ્થિત કરવા જોઈએ.

વડાપ્રધાનનું સ્વપ્ન સ્માર્ટ સીટીનું હોય, વીજકંપનીના ગાઈડલાઈન મુજબ જુનું હટાવીને નવું મરામત કાર્ય હાથ ધરાઈ તેવું 'આપના' આગેવાનોનું કહેવું છે.

((કશ્યપ જોશી- જેતપુર )

 

 

 

રક્તદાન :

સને ૨૦૧૨ થી પ્રતિવર્ષ યોજાતા આવતા રક્તદાન કેમ્પની પ્રણાલીને આ વર્ષે પણ ચાલુ રાખીને આજે જેતપુરમાં એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

(ફોટો : (કશ્યપ જોશી - જેતપુર)

 

 

દરજી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા

જેતપુર : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ જેતપુર દ્વારા જુનાગઢ ખાતે સનાતન ધર્મશાળામાં ૮ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું સંસ્થાના આયોજકો અને લગ્નોત્સવને સફળ બનાવનારા રસિકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગોહેલ, અનુભાઈ સરવૈયા, અમૃતભાઈ મકવાણા, મયુર સરવૈયા, નવીનભાઈ ગોહેલ વેગેરે જણાવ્યું હતું. 

(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )

 

સફાઈ અભિયાન :

જેતલસર: પંથકના ડેડરવા ગામે ગામના સરપંચ સહિતના સમસ્ત ગ્રામજનોએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધાર્યું હોવાનું ભોલાભાઈ અને કિશન બોરીસાણીયાએ જણાવ્યું હતું. (ફોટો : કશ્યપ જોશી-જેતલસર)

 

 

પીપળવામાં બળદની સારવાર કરતા ગૌસેવકો

જેતલસર: પંથકના પીપળવા ગામે લાંબા સમય થયા નિરાધાર રખડતા એક બળદને શીગડામાં કેન્સર જેવી ગંભીર બીમારી લાગી હતી. આ કણસતા બળદ અંગે વાત મળતા સ્થાનિક કામધેનું ગૌ રક્ષક ગ્રુપના આગેવાનોએ બળદના શીગડામાં(કામોઈનું) ઓપરેશન કરવાની સરાહનીય સેવા કરી હતી.

(ફોટો : કશ્યપ જોશી જેતલસર)

 

 

 

 

મહિનાની પ્રતિ અગિયારસે ગૌસેવકો દ્વારા ખોળનું વિતરણ

જેતલસર: કામધેનું ગૌ રક્ષક ગ્રુપ જેતલસરના યુવાનો ગોપાલ ડોબરિયા, સતીશ ગોંડલિયા, કિશોર પરમાર વિગેરે દ્વારા મહિનાની પ્રતિ અગિયારસના દિવસે ગામ ઉપરાંત જેતપુર શહેરમાં રખડતા રેઢીયાર પશુઓને ખોળ ખવડાવવાની સરાહનીય સેવા કરવામાં આવે છે.  (કશ્યપ જોશી-જેતલસર)


રેશમડીમાં ખેડૂત શિબિર યોજાઈ

જેતપુર: જમીન સુધારણા,જમીન જાળવણી અને જમીનને લગતા પ્રશ્નોની ચર્ચાઓ અને ઉકેલ માટે તાજેતરમાં જેતપુરના રેશમડી ગાલોળ ગામે એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )

 

 


બુધવાર, 9 ડિસેમ્બર, 2015

પંદર વર્ષ પછી જેતપુર તાલુકા પંચાયતમાં વિજયી પંજા પાછળ પાટીદારોનો સિંહ ફાળો : જગાભાઇ

પંદર વર્ષ પછી જેતપુર તાલુકા પંચાયતમાં વિજયી 
પંજા પાછળ પાટીદારોનો સિંહ ફાળો : જગાભાઇ 
જેતપુર તાલુકા પંચાયતમાં અને જીલ્લા પંચાયતમાં લેઉવા પટેલ ઉમેદવારોને પ્રમુખ સ્થાને બેસાડો 

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૫ અને રાજકોટ જીલ્લા પંચાયતની ચારેય બેઠકો પર કબજો જમાવનાર કોંગ્રેસની સફળતા પાછળ પાટીદારોનો સિંહફાળો હોવાની વાત દોહરાવી અહીના દિગ્ગજ કોંગી આગેવાન જગદીશભાઈ પાંભરે જણાવ્‍યુ હતું.

તેમણે  એવું પણ જણાવેલ કે આ વિજય પટેલ સમાજનો છે. જીલ્લા પંચાયતના પ્રમુખ પડે કોણ બેસી શકે ? તેવા પ્રશ્નના ઉત્તરમાં આ આગેવાને જણાવેલ કે, જીલ્લા પંચાયતના પ્રમુખ પદે અને જેતપુર તાલુકા પંચાયત પડે લેઉવા પટેલ સમાજને જ સ્‍થાન આપવું જોઇએ. બાકી પાર્ટીનો નિર્ણય અંતિમ હોય છે ને પાર્ટી જે કોઇ ઉમેદવારને પ્રમુખ પદનું સુકાન સોંપે તે સર્વમાન્ય જ ગણવું પડે !
     અત્રે નોંધનીય છે કે જેતપુર પંથકમાં દોઢ દાયકા બાદ કોંગ્રેસને જીલ્લા પંચાયતને  ચારે-ચાર બેઠકો ઉપર  વિજય મેળવ્‍યો છે. આ પહેલા વિઠ્ઠલભાઇ રાદડીયા કોંગ્રેસમાં હતા ત્‍યારે કોંગ્રેસને ત્રણ બેઠકો (ત્‍યારે ત્રણ જ હતી) ઉપર વિજય મળ્‍યો હતો. ને આ વખતે ભાજપના રાજ્યમંત્રી, ધારાસભ્ય અને પોરબંદરના સાંસદ પણ ભાજપના જ હોવા છતાં ભાજપના ગઢમાં ગાબડા પાડી કોંગી આગેવાન જગદીશ પાંભરે હવે ઉચ્ચસ્તરીય રાજકીય મોવડી મંડળોમાં ઘેરા પડઘા પાડ્યા હોય, બીજી વખત ધારાસભામાં પુનઃ તાકાત કામે લગાડશે તે નક્કી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

જેતપુર ડાઈંગ એશોશીયેશન સહીત તમામ વ્યાપારી મંડળો દ્વારા આજે શહેર બંધ પળાશે

ઉદ્યોગપતિ પરના હુમલાના વિરોધમાં કરશે મૌન વિરોધ 
જેતપુર ડાઈંગ એશોશીયેશન સહીત તમામ 
વ્યાપારી મંડળો દ્વારા આજે શહેર બંધ પળાશે 
જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
ગઈકાલે જેતપુરના ઉદ્યોગપતિ ગુણવંતભાઈ આશરા પર એક મહિલા સહિતના શખ્શો દ્વારા કરાયેલ હિચકારા હુમલાના શાંત વિરોધ કરવા આજે તા.૧૦ નારોજ ડાઈંગ એશોશીયેશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલ શહેર બંધના એલાનને સંપૂર્ણ સફળ બનાવવા અનુરોધ કરાયો છે. 
મળતી વિગતો મુજબ અહીના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ અમુક સાડી કારખાનાની ચીમનીઓમાંથી નીકળતા ધુમાડા બંધ કરવા માજી સુધરી સભ્ય સાંજ્વાના પત્ની અને પુત્રએ બધા કારખાનેદારોને તાકીદ કરી હતી. અને આ સંદર્ભે  માજી સુધરાઈ સભ્ય સાંજ્વાએ મામલતદાર કચેરી સામે આંદોલન ચલાવેલ પણ આ પ્રશ્ને યોગ્ય કરાવવાની નાયબ મામલતદાર નીખીલ મહેતાની  ખાતરી બાદ ઉપવાસીએ આંદોલન સંકેલી લીધું હતું.

પણ ઉપવાસ અંદોલન સમેટી લીધાના ત્રીજા દિવસેજ ઉપવાસીના પત્ની-પુત્રે  ન્યુ ખટાઉ ટેક્સટાઈલ નામના સાડી એકમના માલિક ગુણવંતભાઈ લીલાધરભાઇ આશરા ઉપર ગઈ કાલે હિચકારો હુમલો કરતા આ ઉદ્યોગપતિને લોહીલુહાણ હાલતમાં પ્રથમ અહીની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડ્યા હતા. પોલીસે માજી સુધરાઈ સભ્યના પત્ની અને પુત્ર સામે જરુરી ગુનો નોંધ્યો હતો.

જયારે સામા પક્ષે માજી સુધરાઈ સભ્યના પત્નીની ફરિયાદ પરથી પોલીસે ગાળો આપી ખરાબ વર્તન કરવા બદલ ઈજાગ્રસ્ત ઉદ્યોગપતિ સામે પણ ગુનો નોંધ્યો છે. જેતપુર ડાઈંગ એશોશીયેશનના રાજુભાઈ પટેલ અને ચેમ્બરસુત્રોએ ગઈકાલેજ હોસ્પિટલ ખાતે પત્રકારોને નિવેદનો આપતા જણાવેલ કે અમો ઉદ્યોગપતિઓ છીએ. જેતપુરનું ભલું કરવા માંગીએ છીએ. અમારે કોઈની સાથે બાધવું બોલવું નથી પણ જયારે એક ઉદ્યોગપતિ પર હુમલો થયો છે તેનો શાંતિપૂર્ણ વિરોધ કરવા જેતપુર બંધનું એલાન આપવામાં આવે છે. જેમાં શહેરની તમામ નામી અનામી સંસ્થાઓ, વ્યાપારી મંડળો જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડતા ૧૫ નવદંપતીઓ

સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ

સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં

પગલા પાડતા ૧૫ નવદંપતીઓ

મંત્રોચ્ચાર વચ્ચે ૪ બટુકોએ પણ ધારણ કરી નવી યજ્ઞોપવીત 

જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના પ્રખ્યાત શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ અને સમૂહ યજ્ઞોપવિતનું આયોજન થયું હતું. મંદિરના મહંત શ્રી કમલનાથજી બાપુના વરદ હસ્તે સુભારંભ પામેલ તેમજ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ, શ્યામલભાઈ મેહતા(અમરેલી), જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ કાળુભાઈ જોશી, પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ વ્યાસ, મોભી વી.આઈ.પંડ્યા, માજી પ્રમુખો  કમલેશભાઈ પંડયા અને હરેશભાઈ પંડયા, વાડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, જેતપુર માર્કેટ યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત જુનાગઢ, જેતપુર, ઉપલેટા, અમરેલી, રાજકોટ, ધોરાજી, પોરબંદર વિગેરે શહેરોન બ્રહ્મ અગ્રણીઓ, દાતાઓની હાજરીમાં યોજાયેલ આ સમૂહલગ્નોત્સવમાં ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી પોત પોતાના જીવનની બીજી ઇનિગ્સ ચાલુ કરી હતી તો ૪ બટુકોએ યજ્ઞોપવીત(જનોઈ) ધારણ કરી હતી. લગ્નોત્સવને સફળ બનાવવા પ્રમુખ, મંત્રી હિતેશ રાવલ, આશિષ પંડ્યા, સહાયકો ઉપેન્દ્રભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ જોશી, ગીરીશભાઈ ઠાકર, સમાજના મહિલા મંડળના નીતાબેન મહેતા સહિતના મહિલા કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગોચિત બોલતા વિઠ્ઠલભાઈ રાદડિયા, જસુબેન કોરાટ અને દિનેશ ભુવાએ જણાવેલ કે, આ લગ્નોત્સવ ભુદેવોનો છે. જેમાં જોડાયેલા નવદંપતીઓને અમો આશીર્વાદ ના આપી શકીએ, અમારે ભુદેવોના આશીર્વાદની જરૂર છે કે જેથી અમો સફળ થઇ શકીએ. મંદિરના મહંત કમલનાથજીબાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર સમૂહલગ્નોત્સવ દરમિયાન દાતાઓ અને અગ્રણીઓ ઉપરાંત કારોબારી સદસ્યોના સત્કાર અને પ્રવચનનો દોરી સંચાર ધારાશાસ્ત્રી દીપકભાઈ વ્યાસ, હિતેશ રાવલે સંભાળ્યો હતો.

(ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર )


KASHYAP JOSHI JETALSAR કરામત આંગળાની !

કરામત આંગળાની !

બાપ, એક આસન એનું (હનુમાનજીનું) રાખો, રામ કથા ઔર જામશે ! બસ આવાજ રામરસને સમસ્ત પામર માનવીની દુનિયાને પીરસનાર પૂજ્ય મોરારીબાપુ આજે જગ વિખ્યાત છે. આ રાષ્ટ્રીય સંતે આદીકાળની રામાયણ અને તેના પાત્રો શ્રી રામચંદ્રજી ભગવાન, વિગેરે ચરિત્રોની જે સમજ આપી ધર્મ અને કર્મની દિશા બતાવી તે ખરેખર મહાન હોવાનું સૌએ સ્વીકારવું પડે ! પણ આવા રાષ્ટ્રીય સંતને પોતાના આંગળાની કરામતથી રેતી દ્વારા ધરતી પર રંગોળી ઉપસાવનાર જેતપુરના રહીશ અને ફાઈન આર્ટનો અભ્યાસ કરતો હાર્દિક ચાવડાએ  શહેરીજનોમાં સરાહના પાત્ર બન્યો છે. હાર્દિકે જણાવેલ કે, કલાકાર જેમ પોતાની કલાને પીરસી અન્યોને કોઈ પણ વિષયની શીખ આપે છે તેમ પોતે પણ સત્ય, પ્રેમ અને કરુણાને વાસ્ત્વીકતમાં ફેરવી દેનાર રાષ્ટ્રીય સંતને રેતીની રંગોળી દ્વારા રજુ કર્યા છે. જે તસ્વીરમાં દેખાય છે.

(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર )



ગુરુવાર, 3 ડિસેમ્બર, 2015

જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત પાછળ ખેડૂતોનો સિંહફાળો !!

મોંઘવારીના ત્રાસથી કંટાળીને મતદારોએ સરકાર સામે પરિવર્તનનું બ્યુગલ ફૂંકી દીધું !!

જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં 

કોંગ્રેસની જીત પાછળ ખેડૂતોનો સિંહફાળો !!

પાટીદાર ફેક્ટરની કોઈ અસર નથી, ખેતપાકોના પોષણક્ષમ ભાવો વગર તરફડતા 

ખેડૂતોએ સરકાર સામે વ્યક્ત કરેલ નારાજગી કોંગ્રેસ માટે જીતની બાજીમાં ફેરવાઈ !!

 

જેતપુર તા.૩

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૫ બેઠકો અને જેતપુરની રાજકોટ જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરનાર કોંગ્રેસે આમ તો ભાજપના ઉમેદવારોની દશા બગાડી નાખી છે પણ એનો અર્થ એ નથી કે પાટીદાર ફેક્ટર કામ કરી ગયું છે.

 

જેતપુરની ચુંટણીઓમાં કમળને ખીલતા પહેલાજ સમૂળગું મૂરઝાવી દેવા પાછળ આપણા ખેતી પ્રધાન દેશના ખેડૂતોનું સંગઠન કામ કરી ગયું છે. કાળી મજુરી પછી પણ કપાસ જેવા ખેત પાકોના પોષણક્ષમ ભાવો અપાવવામાં નિષ્ફળ રહેલી વર્તમાન સરકાર સામે રોષ, અસંતોષની ભડકેલી ચીનગારીએ ખેડૂતોના માનસપટલ પર રીતસરનો બદલાવ લાવી દેતા ખેડૂતોએ આંખો મીચીને કોંગ્રેસના હાથને ધાર્યા બહારનો મજબુત કરી દેતા વિપક્ષ ભાજપ છાવણીમાં હવે ભારોભાર વસવસા વિષે કશું બચ્યું નથી.

 

જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના અભૂતપૂર્વ વિજય પાછળ બુદ્ધિજીવી મતદારો કહે છે કે પાટીદારોને અનામત આપવાની કોઈ રાજ્ય સરકારની સત્તા નથી..દેશના બંધારણમાં તાત્કાલિક ફેરફાર કરવો અશક્ય હોય અમોને પણ ખબર છે કે ભાજપ કે કોંગ્રેસ પાટીદારોને અનામત અપાવી શકે એ વાત તથ્યવિહોણી છે.

 

કોંગ્રેસે અમોને લાલચ આપી હોય કે પાટીદારોને અનામત અપાવી દઈશું તો આવી વાતનો ભ્રામક પ્રચાર કરનાર કોઈ પણ પક્ષ વિચારી લે કે કોંગ્રેસને જીતાડવા પાછળ માત્રને માત્ર મોટેભાગે ખેડૂતોનો હાથ અને સરકાર પ્રત્યેની ખેડૂતોની નારાજગી શિવાય કશું નથી. દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીનો રોષ મતદારો, ખેડૂતોએ સરકાર સામે ઠાલવી વિપક્ષી કોંગ્રેસને ખોબલે ખોબલે મતો આપ્યા છે.

અપવાદરૂપ કહીએ તો ઘણા ખેડૂતોએ કોંગ્રેસ પાટીદારોને અનામત અપાવી શકશે તેવું માની મતદાન કર્યું હોય તો આવા મતદારવર્ગ સામે કોઈ પણ ઉમેદવારને પસંદ ના કરી ઈવીએમ મશીનમાં નોટા બટનને દબાવનાર મતદારવર્ગ પણ ખાસ્સો નોંધાયો છે. સરકારી તંત્રોના મશીનમાં આ નોટાને મત આપનાર મતદારોનું કહેવું છે કે કોઈ પણ ઉમેદવાર ચૂંટાય કે ના ચૂંટાય ?! મતદારોને શું ફેર પડવાનો ? વિજેતા ઉમેદવાર કોઈ ગરીબોના અનાજથી ઘર નહિ ભરી દે અને હારેલો ઉમેદવાર કોઈના ઘરે લુંટ કરવા નથી જવાનો !!

 

આમ છતાં જેતપુર પંથકમાં કોંગ્રેસની જીત પાછળ કોંગીના કાંડા બળિયા નેતાઓની મહેનત પણ ખુબ કામ લાગી છે. ચુંટણી પહેલા ગામડાઓ ખુંદનાર જેતપુરના જગદીશભાઈ પાંભર જેવા કોંગી આગેવાનોએ જોરશોરથી પ્રવચનો કરેલા હતા કે "જોર જોરથી, વારંવાર અને ખોટું"  જ બોલવામાં માહેર વર્તમાન સરકારના ભાઈ બહેનને જાકારો નહિ આપો તો ખેડૂતો પોતાની જણસોના યોગ્ય ભાવો મેળવવામાં આત્મહત્યાઓના માર્ગો અપનાવતા થઇ જશે અને તોય ઉચિત ભાવો તો નહિ જ મળે..

 

સરકારની બેધારી નીતિનો ઉગ્ર વિરોધ કરી રોષ ઠાલવતા અમુક મતદારો કહે છે કે જેતપુર પંથકમાં અગાઉ વરસાદે વેરેલી તારાજીનો ભોગ બનેલા, જળપ્રલયમાં ઘરબાર ગુમાવનાર અસરગ્રસ્તોની રીતસરની સરકારે મશ્કરી કરી ૨૫૦૦ રૂપરડી જેટલી સહાય કરી મદદ કર્યાનો ઓડકાર ખાતી હોય તો તે વાત અસરગ્રસ્તો માટે જમ્યા પછી આવતો ખાટો અને અણગમતા ઓડકાર સમાન "ઘચરકા" જેવો છે. આવા અસરગ્રસ્તોએ વર્તમાન સરકાર એટલેકે ભાજપને આગામી ૧૫-૨૦ વર્ષ સુધી એક પણ મત પણ મત ના આપવાના જાણે સોગંધ લીધા હોય તેનું પરિણામ ભાજપને સહવું પડ્યું છે.

 

જેતપુર શહેર અને પંથકના જે ગામો વરસાદી તારાજીના ભોગ બન્યા છે તે તમામ વિસ્તારો અને ગામોના મતદારોએ તો તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની જેમ આગામી ધારાસભા અને વિધાનસભાની ચુંટણીમાં પણ કોંગ્રેસને જ મતો આપી પરિવર્તનનો વાયરો ફૂંકવાનું ચાલુ જ રાખશે તેવું જણાવે છે.

 

જો કે અહી તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીઓ જીતનાર અમુક શાણા ઉમેદવારોએ તો ત્યાં સુધી કહ્યું કે ભાઈ, માત્ર તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં મેળવેલા વિજયથી કોંગ્રેસે હરખાવા જેવું નથી, કેન્દ્ર સરકારમાં ભાજપના મોદીભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો કરાવવા કે કઢાવવા ઈ કાચા ચણા ચાવવા જેવું સાબિત થશે. પણ જો મતદારોનો અત્યારનો મિજાજ આગામી ધારાસભા, વિધાનસભાની ચુંટણીઓ દરમિયાન પણ આવોને આવો રહે તો સમુળગી સરકારો બેશક ફરવા માંડે તેમાં શંકાને સ્થાન નથી.

૧૫૪૭ મતદારોએ નોટાને મત આપ્યો

જેતપુર : જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની તમામ બેઠકો પર ૧૫૪૭ થી વધુ મતદારોએ કોઈ ઉમેદવારને પસંદ કરવાને બદલે નોટાને મત આપતા આટલા મતો કોઈ ઉમેદવારને મળ્યા નહોતા. નોટાને મત આપનાર અમુક ધાર્મિક ભાવનાવાળા મતદારોનું કહેવું હતું કે, ઉમેદવાર સારો હોય કે ખરાબ મતદાન કરીએ તો મનોમન દુખ થયા કરે કે આપણે ક્યાંક પાપના ભાગીદાર તો નહિ બનીએ ને ? આવા દુખથી દુર થવા નોટા બટનને પ્રાધાન્ય આપ્યું છે તેમાં કઈ ખોટું નથી જણાતું !!

 

હવે કોંગ્રેસે શું કરવું પડશે ?

જેતપુર : તાલુકા-જીલ્લા પંચાયતની બેઠકો પર કારમી હારના કારણો શોધવામાં ભાજપ છાવણી આત્મમંથનમાં પડી છે ત્યારે જેતપુર તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરનાર કોંગી ઉમેદવારોએ હવે રાત દિવસ એક કરી પ્રજા વિકાસના કામો કરવા પડશે, ખેડૂતોને પોત પોતાના કપાસ જેવા ખેત પાકોના યોગ્ય અને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત સરકાર ઉપરાંત સંબંધિતોને રજુઆતો કરવી પડશે. અનેક ગામડાઓની પ્રજા હજુ ધૂળિયા રોડ રસ્તા અને અપૂરતા પાણીની સમસ્યા વચ્ચે જીવે છે, તે પ્રશ્નો હલ કરવા પડશે. ચૂંટાયા પછી લાગતા વળગતા ગામડાઓમાં ના દેખાવું તે પ્રથાને દુર કરી પ્રજા સાથે કાયમી સંપર્કો કેળવવા પડશે.

 

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 

 

 


બુધવાર, 2 ડિસેમ્બર, 2015

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંની ૧૫ બેઠકોમાં કમળને કચડતો "હાથ" જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરતી કોંગ્રેસ જેતપુર તાલુકા પંચાયતની માત્ર ૪ બેઠક પર કમળ ખીલ્યું, ૧ બેઠક પર અપક્ષનો વટ સાબિત

જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંની ૧૫ બેઠકોમાં કમળને કચડતો "હાથ"
જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરતી કોંગ્રેસ 
જેતપુર તાલુકા પંચાયતની માત્ર ૪ બેઠક પર કમળ ખીલ્યું, ૧ બેઠક પર અપક્ષનો વટ સાબિત

જેતપુર તા.૨ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર તાલુકા પંચાયતની ૧૯ બેઠક અને રાજકોટ જીલ્લા પંચાયતની ૪ બેઠકોના આજે મત ગણતરી દરમિયાન જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરી કોંગ્રેસે તમામ ચારેય બેઠક પર અને તાલુકા પંચાયતની ૧૫ બેઠકો પર હાથને જીતાડ્યાની વાતે અનેક રાજકીય માંધાતાઓની ગણતરીઓને ઉધી પાડી દીધી હતી. તો વાડાસડા બેઠક પર અપક્ષ ઉમેદવારે જીતી બતાડી રાષ્ટ્રીય પક્ષોના હરીફ ઉમેદવારોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

આજે સવારથીજ મત ગણતરી સ્થળ એવા જેતપુરમાં જુનાગઢ રોડ પર લાયનસ સ્કુલ ખાતે ત્રણેય  મોટા રાજકીય પક્ષો ઉપરાંત અપક્ષોના ઉમેદવારો પોત પોતાના સમર્થકો સાથે ઉપસ્થિત થતા અહી મેળા જેવા વાતાવરણને કોઈ માથાકૂટનું ગ્રહણ ના લાગે તે માટે શહેર તાલુકા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.

રાજકોટ જીલ્લા પંચાયતની ર બેઠકોના પરીણામ સૌ પ્રથમ જાહેર થયા હતા. જેમાં  થાણા ગાલોળની બેઠક પર ભાજપના નેતા અને વર્તમાન જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ પી. જી. કયાડાને હરાવી  કોંગ્રેસના ઉમેદવાર ધીરૂભાઇ ભગવાનજીભાઇ પાઘડારે રર૮૦ મતથી હરાવ્‍યા હતા.
   
જયારે બોરડી સમઢીયાળાની બેઠક પરના ભાજપના ઉમેદવાર નીતાબેન રમેશભાઇ રૈયાણીને  કોંગ્રેસના ઉમેદવાર 
હંસાબેન વિપુભાઇ વૈશ્‍નવે  ર૪રપ મતથી પરાજય આપી પંજાને મજબુત બનાવ્યો હતો. 
તેવી જ રીતે વિરપુર જીલ્લા પંચાયતની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ગોરધનભાઈ ધામેલીયાને હરાવી વિપુલભાઈ ધડુક તેમજ પેઢલાની બેઠક ઉપર ભાજપના સુભાષભાઈ બાંભરોલીયાને પણ હરાવી  કોંગ્રેસના  કિશોરભાઈ પોપટભાઈ પાદરીયાએ જીત હાંસલ કરતા જીલ્લા પંચાયતની જેતપુરની ૪ બેઠકોમાં ભાજપના સુપડા સાફ થઈ જતા ભાજપ છાવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી.
 અત્રે નોંધનીય છે કે, ઈવીએમમાં નોટાના બટનનો પણ દરેક ગ્રામ્‍ય વિસ્‍તારોના મતદારોએ ભરપુર ઉપયોગ કર્યો હતો. જેમા જીલ્લા પંચાયતની બોરડી સમઢીયાળાની સીટના ચાંપરાજપુર ગામે સૌથી વધુ ૨૬૬ મતદારોએ નોટા દબાવી કોઈ પણ ઉમેદવારને પસંદ નહોતા કર્યા !

-------------------------------------------
જેતપુર મત વિસ્તારમાં રાજકોટ જીલ્લા પંચાયતની
ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા 
------------------------------------------
૬ - બોરડી સમઢીયાળા બેઠક : 
હંસાબેન વિપુલભાઈ વૈષ્ણવ(જેતલસર) કોંગ્રેસ ૭૯૯૩ મતો મેળવી હરીફથી ૨૪૩૪ મતથી વિજય મેળવ્યો 
નીતાબેન રમેશભાઈ રૈયાણી(જેતલસર), ૫૫૫૯ 



૩૬ - વીરપુર(જલારમાં) બેઠક : 
ગોરધનભાઈ પોપટભાઈ ધામેલીયા(વીરપુર)ભાજપ ૬૦૦૦ 
રામજીભાઈ બચુભાઈ સરવૈયા(ઉમરાળી) ૬૬૯ 
વિપુલભાઈ ભીખુભાઈ ધડુક(પીઠડીયા) કોંગ્રેસ ૭૩૪૪ મત મેળવી હરીફથી ૧૩૪૪ મતે વિજય 
જનકભાઈ રવજીભાઈ ડોબરિયા(વીરપુર) અપક્ષ ૩૩૨૫ 
૨૦૮ મતદારોએ નોટા બટન દબાવ્યું 

૩૩ - થાણાગાલોળ બેઠક :
ધીરુભાઈ ભગવાનજીભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા) કોંગ્રેસ ૮૯૧૯ મત મેળવીને ૨૨૮૦ માટે હરીફ સામે વિજય મેળવ્યો 
પ્રવીણભાઈ ગોગનભાઈ કયાડા(દેવકીગાલોળ)ભાજપ ૬૬૩૯ મત મળ્યા.

૨૫ - પેઢલા બેઠક : 
કિશોરભાઈ પોપટભાઈ પાદરીયા(મંડલીકપુર )કોંગ્રેસ ૭૭૬૪ મત  ૨૩૨૯ મતે વિજય 
શુભાશ્ચન્દ્ર કે.બામ્ભ્રોલીયા(લુણાગરા) ૫૪૩૫ 
કેશુભાઈ હીરાભાઈ સરવૈયા(મંડલીકપુર ) અપક્ષ ૭૭૨ 
ગોવિંદ પ્રાગજી ડોબરિયા(સરધારપુર) ૧૨૯૪ મત
-------------------------------------------------------------------------------------------------------


જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પર કોણ કોણ ઉમેદવારો ?
--------------------------------------------------
પેઢલા બેઠક :
અમરાભાઈ દાનાભાઈ સારીખડા(પેઢલા)ભાજપ ૬૦૯ મત 
અશોક હમીર વાલેરા(પેઢલા)કોંગ્રેસ ૧૬૯૬ મત મેળવી મુખ્ય હરીફ સામે ૧૦૮૭ મતે વિજય મેળવ્યો 
કાન્તિલાલ દેવાભાઈ બગડા(ટીંબડી),૩૯ મત 
જગદીશભાઈ ધનજીભાઈ વાલેરા(પેઢલા),૪૫ 
રૂડાભાઈ બધાભાઈ સિંગલ(જૂની સાંકળી),૯૦ 
આ બેઠક પર ૪૨ મતદારોએ નોટા દબાવ્યું 


૫ - ચારણીયા બેઠક :
જાગૃતિબેન ભાવેશભાઈ હિરપરા(ચારણીયા) કોંગ્રેસ ૧૭૦૭ મતો મેળવ્યા અને હરીફને ૫૩૬ મતે વિજય મેળવ્યો 
નિર્મલાબેન ભાનુભાઈ પાઘદાર(ચારણ સમઢીયાળા) ભાજપ ૧૧૭૧ 
૮૦ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો 


૬ - દેવકી ગાલોળ બેઠક :
કંચનબેન રઘુભાઈ કયાડા(દેવકી ગાલોળ) કોંગ્રેસ ૧૩૮૯ મત 
ધારાબેન સુરેશભાઈ કયાડા(દેવકી ગાલોળ),૧૬૦૩ મત મેળવી ભાજપના ઉમેદવારે કોંગી ઉમેદવારને હરાવ્યા 
રેખાબેન કમલેશભાઈ ખુમાણ(ખારચિયા) અપક્ષ ૫૪૦ મત 
નોટા ૬૩ મતદારોએ દબાવ્યું 


૧૦ - ખીરસરા બેઠક :
ચંદ્રિકાબેન ભરતભાઈ કોરાટ(દેરડી) કોંગ્રેસ ૧૭૯૧ મત મેળવી પ્રતીસ્પર્ધીથી ૬૫૯ મતે વિજય મેળવ્યો 
નીતાબેન દિનકરભાઈ ગુંદણીયા(ખજૂરી ગુંદાળા)ભાજપ, ૧૧૩૨ 


૧૫ - પીઠડીયા બેઠક :
દામજીભાઈ કાનજીભાઈ સખીયા(પીઠડીયા) કોંગ્રેસ ૧૬૨૮ મત ૬૧૫ મતે વિજય 
નારદભાઈ શંભુભાઈ દાવરા(પીઠડીયા) ભાજપ ૧૦૧૩ 
વજુભાઈ ખીમજીભાઈ ધડુક(પીઠડીયા) અપક્ષ 202
શાન્તીરામભાઈ પ્રભુદાસભાઈ ગોન્ડલીયા(સેલુકા) અપક્ષ ૬૬૪ 
૬૬ મતદારો નોટા 


૧૬ - થાણાગાલોળ બેઠક :
મુકેશ બચું ઉંધાડ(થાણાગાલોળ) કોંગ્રેસ ૧૮૪૮ હરીફથી ૩૪૪ મતે વિજય 
અશોક ભગવાનજી ઉંધાડ(થાણાગાલોળ)ભાજપ ૧૫૦૪ ભાજપ 
ભરત દામજી વઘાસીયા(રેશમડીગાલોળ)૩૨ 
હીરાલાલ નારણભાઈ મકવાણા(થાણાગાલોળ) ૨૧૭ 
૫૫ મતદારોએ નોટા બટન દબાવ્યું 


૧૭ - ઉમરાળી બેઠક :
ગોપાલ હરેશ મકવાણા(ઉમરાળી) કોંગ્રેસ  ૬૧૨ 
ભાવનાબેન ભુપતભાઈ સોલંકી(વાળાડુંગરા) ભાજપ ૧૭૧૬ મત ૧૧૦૪ મતે વિજય 
ગાંડુ કરશન રાઠોડ(વાળાડુંગરા) અપક્ષ ૫૩૪ 
નીલેશ નારણ વિરડીયા(ઉમરાળી) અપક્ષ ૧૨૨૦ 
૫૩ મતદારોએ નોટાને મત આપ્યો 


૧૮ - વાડાસડા બેઠક :
ચંદુભાઈ રવજીભાઈ કરકર(વાડાસડા)અપક્ષ ઉમેદવારે ૧૨૩૪ મત મેળવી વિજય હાંસલ કર્યો 
ભરતભાઈ જીલુભાઈ ધાધલ(મોણપર) કોંગ્રેસ ૭૦૯ 
મનસુખભાઈ રુખડભાઈ યાદવ(ખજૂરી ગુંદાળા) બસપા ૩૧૭ 
સુરેશભાઈ ભીખાભાઈ શિંગાળા(વાડાસડા),ભાજપ ૯૩૧ મત 
૭૦ મતદારોએ નોટા 



૧૯ - વીરપુર બેઠક :
વેલજીભાઈ જીવાભાઈ સરવૈયા(વીરપુર) ભાજપ ૧૧૩૯ 
હીનાબેન રાજેશભાઈ બારૈયા(વીરપુર) કોંગ્રેસ ૨૫૪૬ મત મેળવી ૧૪૦૭ 
૧૯૫ મતદારોએ નોટા દબાવ્યું 


૨૦ - વીરપુર બેઠક :
દિનેશભાઈ રવજીભાઈ વઘાસીયા(વીરપુર) ભાજપ ૧૩૪૮ MAT
સંજયભાઈ ચંદુભાઈ વઘાસીયા(વીરપુર) કોંગ્રેસ ૧૪૩૧ મત  ૮૩ મતે જીત 
૧૫૫ મતદારોએ નોટા 


૨ - આરબ ટીંબડી બેઠક :
ઉષાબેન હરસુખભાઈ ગુજરાતી(બાવા પીપળીયા) કોંગ્રેસ ૧૫૬૯ મત મેળવી ૬૯૩ મતે વિજય 
લાભુબેન સુરેશભાઈ મોરબીયા(આરબ ટીંબડી) ભાજપ ૮૭૬ 
૭૮ મતદારોએ નોટા દબાવ્યું 


૩ - બોરડી સમઢીયાળા બેઠક :
હંસાબેન દેવશીભાઈ રાઠોડ(બોરડી સમઢીયાળા) કોંગ્રેસ ૧૩૧૯ મત મેળવી ૨૪૪ મતે વિજય 
કાંતાબેન ભીમાભાઇ ગોહેલ(બોરડી સમઢીયાળા) ભાજપ ૧૦૭૫ 
લાભુબેન માધાભાઈ વેગડા(ચાંપરાજપુર) અપક્ષ ૯૮ 
૪૫ મતદારો નોટા 


૪ - ચાંપરાજપુર બેઠક :
કાનજીભાઈ ભીખાભાઈ મકવાણા(ડેડરવા) ભાજપ ૮૭૦ મત 
જયેશભાઈ અરજણભાઈ મકવાણા(ડેડરવા) કોંગ્રેસ ૧૩૫૫ હરીફથી ૪૮૫ મતે વિજય 
આલિંગભાઈ મેરામભાઇ બસિયા(ચાંપરાજપુર) ૮૩૬ 
૮૭ મતદારોએ નોટા દબાવ્યું 


૭ - જેતલસર ગામ બેઠક :
કિરણબેન સુરેશભાઈ ભુવા(જેતલસર) કોંગ્રેસ ૧૭૯૯ મત મેળવી હરીફથી ૭૧૭ મતે વિજય મેળવ્યો 
ક્રિષ્નાબેન રાજેશભાઈ ભુવા(જેતલસર) ભાજપ 1282
ઇન્દુબેન મુકેશભાઈ અગ્રાવત અપક્ષ ૧૨૦ 
વિદ્યાબેન બચુભાઈ મુળિયા(પેઢલા),અપક્ષ 100
સોનલબેન દિનેશભાઈ ભુવા(જેતલસર)૨૩૦ અપક્ષ 
૫૨ મતદારોએ નોટા દબાવ્યું 


૮ - જેતલસર જંકશન બેઠક :
આરતીબેન રોહિતભાઈ સરવૈયા કોંગ્રેસ ૧૩૧૮ મત મેળવી હરીફથી ૩૭૫ મતે વિજય 
રસીલાબેન મનસુખભાઈ ડાભી ભાજપ ૯૪૩
૫૨ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો 


૯ -કેરાળી બેઠક :
મંજુલાબેન આંબાભાઈ પરમાર(કેરાળી) કોંગ્રેસ ૧૮૫૫ મત ૭૭૫ માટે હરીફથી વિજય 
સગુણાબેન રમેશભાઈ વામજા(પ્રેમગઢ) ભાજપ ૧૦૮૦ 
ગીતાબેન ભરતભાઈ ઠોળીયા(પ્રેમગઢ) અપક્ષ 283
દિવાળીબેન પોપટભાઈ મકવાણા(કેરાળી)અપક્ષ ૨૦ 
આ બેઠક પર ૪૮ મતદારોએ નોટાને મહત્વ આપ્યું..


૧૧ - મેવાસા બેઠક :
પ્રભાબેન રઘુભાઈ સાવલિયા(મેવાસા) ભાજપ ૧૦૮૦ મત મેળવ્યા અને હરીફથી ૯૨ મતે વિજય 
શિલ્પાબેન કેતનભાઈ હિરપરા(મેવાસા)કોંગ્રેસ ૯૮૮ 
લક્ષ્મીબેન ખોડાભાઈ ટાલિયા(મેવાસા) અપક્ષ ૫૦૧ 
હીનાબેન પ્રતાપભાઈ લાલુ(રબારીકા),૫૦૬ અપક્ષ 
૬૦ મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો 


૧૨ - મોટાગુંદાળા બેઠક :
પ્રિયાબેન ગોપાલભાઈ કોટડીયા(મોટા ગુંદાળા) કોંગ્રેસ ૧૫૦૮ મત મેળવી હરીફથી 
સવિતાબેન રમેશભાઈ અમીપરા(મોટાગુંદાળા) ભાજપ 936
કાંતાબેન રાજેશભાઈ સેંજલિયા(મંડલીકપુર) અપક્ષ ૬૫૪ 
૬૮ મતદારોએ નોટા દબાવ્યું 


૧૩ - પાંચપીપળા બેઠક 
જગદીશભાઈ શંભુભાઈ હિરપરા(પાંચ પીપળા) કોંગ્રેસ ૧૭૦૪ મત મેળવી હરીફથી ૨૮૮ મતે વિજય 
રમેશભાઈ નાથાભાઈ મુળિયા(પાંચ પીપળા) ભાજપ 1416
ગોવિંદભાઈ પ્રાગજીભાઈ ડોબરિયા(સરધારપુર)૧૬૦ અપક્ષ 
૭૦ મતદારો નોટાને દબાવ્યું 

----------------------------------------------------------------------------------------------------------------

આજના ચુંટણી પરિણામોથી ચર્ચાતી વિગતો મુજબ રાજકોટ જીલ્લા પંચાયતની થાણાગાલોળ  બેઠક પર ભાજપના જીલ્લા ઉપપ્રમુખ પ્રવીણ ગોગન કયાડાને પરાસ્ત કરી  કોંગ્રેસના ધીરુભાઈ ભગવાનજીભાઈ પાઘડારે વિજય મેળવી ચમત્કાર સર્જ્યો હતો. તો વીરપુર જુના કોંગી અને નવા ભાજપી ગોરધન ધામેલીયાને ધોબી પછડાટ આપી કોંગ્રેસના વિપુલ ધડુકે અચરજ સર્જ્યું હતું. જેતપુર તાલુકા પંચાયતની ૧૯ બેઠકો (બેઠકો ૨૦ છે પણ અગાઉ એક અમરનગર ભાજપના ઉમેદવાર રસીલાબેન વસોયા બિનહરીફ થઇ ગયા હતા) માં ૧૫ બેઠકો કોંગ્રેસે કબજે કરી તેમાં પાટીદાર ફેક્ટરને ચોક્કસ પ્રાધાન્ય અપાયું હોવાનું જણાય છે પણ કોંગી આગેવાન અને દાતા જગદીશભાઈ પામ્ભરનું ટીમવર્ક પણ ભારે કામ કરી ગયાનું કહેવું અનુચિત નથી. ભાજપના આગેવાનો સભામાં પણ અવાજ પણ કાઢી નહોતા શકતા અને તેને લીધેજ ભાજપે પછડાટ સહવી પડી છે. જ્યારે જેતપુરની જીલ્લા પંચાયતની ૪  બેઠકો પર પણ જગાભાઇનું ફેક્ટર કામ કરી જતા ચારેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ કમળ ખીલે તે પહેલાજ મૂરઝાવી દીધું છે. સમગ્ર બેઠકોના પરિણામોના આંકડાઓ સ્થાનિક પત્રકારોને પુરા પાડવા જેતપુરના માલતદાર જીતેન્દ્ર ભોરણીયા, નાયબ મામલતદાર નીખીલ મેહતા વિગેરે સ્ટાફે સંગીન સહયોગ આપ્યો હતો.

વિજેતા તમામ કોંગી ઉમેદવારોએ જીતનો જશ્ન ઉજવવા આતશબાજી યોજી વિજય સરઘસ કાઢી અહીના સરદાર ચોક વિસ્તારમાં શ્રી સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા.

ફોટો  અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસ