25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને મંદિર પર વહિવટી તંત્રનું બુલડોઝર ફર્યું
રાજકોટના માધાપર નજીક આવેલી આસ્થા રેસિડેન્સી પાછળના ભાગે સરકારી જમીન ઉપર ખડકાયેલાં ગેરકાયદે દબાણો ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ ડિમોલિશનમાં 25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને મંદિર મળીને કુલ 36 જેટલાં બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
માધાપરમાં સરકારી જમીન પરનાં દબાણો સતત વધી રહ્યાં છે ત્યારે થોડા દિવસો અગાઉ અહીંના આસ્થા રેસિડેન્સી પાછળ આવેલા સર્વે નં.111માં સરકારી જમીન ઉપર મોટાપાયે દબાણ થઇ રહ્યું હોવાની માહિતી જિલ્લા વહીવટી તંત્રને મળી હતી. જે અનુસંધાને તાલુકા મામલતદારે સર્વે કરાવીને પ્રાંત કલેક્ટરને રીપોર્ટ કર્યો હતો. આ સર્વેમાં માધાપરની સરકારી ખરાબાની 2 કરોડથી વધુ રૂપિયાની જમીન ઉપર ગેરકાયદે દબાણો ખડકાયા હોવાનું બહાર આવતા જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા દ્વારા અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને આજે પ્રાંત અધિકારી જેગોડાની આગેવાની હેઠળ તાલુકા મામલતદાર અને ટીમ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન લોકોનાં ટોળાં પણ એકઠા થઇ ગયાં હતાં, જો કે સઘન પોલીસ બંદોબસ્ત હોવાથી કોઇ માથાકૂટ થઇ ન હતી.
સરકારી ખરાબાની 20 હજાર ચો.મી. જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી બાંધકામો ખડાકાઇ રહ્યાં હતાં. જેમાં અત્યાર સુધીમાં 25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને એક મંદિરનું બાંધકામ થઇ ગયું હતું જે આજે કલેક્ટર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ જગ્યા ઉપર અમુક દબાણકારોએ તો 10થી 15 દિવસ અગાઉ બાંધકામ કર્યા હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટના માધાપર નજીક આવેલી આસ્થા રેસિડેન્સી પાછળના ભાગે સરકારી જમીન ઉપર ખડકાયેલાં ગેરકાયદે દબાણો ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ ડિમોલિશનમાં 25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને મંદિર મળીને કુલ 36 જેટલાં બાંધકામોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
માધાપરમાં સરકારી જમીન પરનાં દબાણો સતત વધી રહ્યાં છે ત્યારે થોડા દિવસો અગાઉ અહીંના આસ્થા રેસિડેન્સી પાછળ આવેલા સર્વે નં.111માં સરકારી જમીન ઉપર મોટાપાયે દબાણ થઇ રહ્યું હોવાની માહિતી જિલ્લા વહીવટી તંત્રને મળી હતી. જે અનુસંધાને તાલુકા મામલતદારે સર્વે કરાવીને પ્રાંત કલેક્ટરને રીપોર્ટ કર્યો હતો. આ સર્વેમાં માધાપરની સરકારી ખરાબાની 2 કરોડથી વધુ રૂપિયાની જમીન ઉપર ગેરકાયદે દબાણો ખડકાયા હોવાનું બહાર આવતા જિલ્લા કલેક્ટર રાહુલ ગુપ્તા દ્વારા અહીં ડિમોલિશનની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને આજે પ્રાંત અધિકારી જેગોડાની આગેવાની હેઠળ તાલુકા મામલતદાર અને ટીમ દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારથી હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન લોકોનાં ટોળાં પણ એકઠા થઇ ગયાં હતાં, જો કે સઘન પોલીસ બંદોબસ્ત હોવાથી કોઇ માથાકૂટ થઇ ન હતી.
સરકારી ખરાબાની 20 હજાર ચો.મી. જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી બાંધકામો ખડાકાઇ રહ્યાં હતાં. જેમાં અત્યાર સુધીમાં 25 વાડા, 10 કાચાં-પાકાં મકાન અને એક મંદિરનું બાંધકામ થઇ ગયું હતું જે આજે કલેક્ટર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે અને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. આ જગ્યા ઉપર અમુક દબાણકારોએ તો 10થી 15 દિવસ અગાઉ બાંધકામ કર્યા હોવાનું બહાર આવ્યું છે.






















