અનુયાયીઓ

શનિવાર, 14 માર્ચ, 2015

ધો.5 ની બે છાત્રાઓને સ્કેલ-ધુમ્બા વતી માર મારતા ચકચાર !




જેતપુરના નવાગઢમાં ખાનગી શાળાના સંચાલકે બાકી ફી ચુકવવા બાબતે 
ધો.5 ની બે છાત્રાઓને સ્કેલ-ધુમ્બા વતી માર મારતા ચકચાર !
સ્કુલનું નામ સાંભળતાજ બાળકીઓ ધ્રુજતી હોવાનો વાલીઓનો આક્ષેપ : હાલ બંને સરકારી દવાખાનામાં દાખલ 
જેતપુર તા.14
જેતપુરના નવાગઢમાં એક ખાનગી શાળા સંચાલકે પોતાની શાળાની ધોરણ 5 ની બે છાત્રાઓને બાકી ફી ચુકવવા મુદ્દે સ્કેલ અને શરીરે ધુમ્બા મારી ઈજાઓ કર્યાની ઘટનાએ ચકચાર જગાવી છે. બીજીબાજુ બંને બાળકીઓ સારવાર માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં દાખલ થયાની જાણ પરથી હોસ્પીટલે વાલીઓના ટોળા ઉમટી પડી ઘટનાના કસુરવારો સામે પોલીસ ફરિયાદ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ દોહરાવી હતી.
સમગ્ર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના નવાગઢ  ઈદ  મસ્જીદ ધારમાં રહેતા આનંદ વજુભાઈ બોસમીયાની પુત્રી રૂપલ(ઉ.વ.11) તથા નવાગઢ ગઢની  રાંગ બહાર રહેતા અશરફભાઈ સીદીકભાઈ ઠામણીયાની પુત્રી તરન્નુમ(ઉ.વ.10) એમ બંને બાળકીઓ નવજીવન વિદ્યાલય નામની ખાનગી શાળામાં ધો. 5 માં, એકજ વર્ગ-અ માં અભ્યાસ કરે છે.
આ બંને છાત્રાઓમાં અનુક્રમે તરન્નુમ ના ફીના રૂપિયા 1300-00 અને રૂપલના રૂપિયા 100 ફીના બાકી ખેચાતા હોય, ફી લઇ આવો નહીતર ક્લાસરૂમમાં બેસવા નહિ દઈએ તેવી ધમકીભરી વાત ઉચ્ચારી બંને ને ક્લાસ રૂમની બહાર ચાર ચાર કલાક ઉભી રાખી શાળા સંચાલકોએ માનશીક ત્રાસ આપતા આ બંને છાત્રાઓ ભારે માનસિક દબાણમાં આવી ગઈ હતી.
એટલુજ નહિ તરન્નુમ અને રૂપલના કહેવા અનુસાર આ શાળાના સંચાલક અને માલિક કલ્પેશભાઈએ બંનેને સ્કેલ(ફૂટ) વતી અને વાંસામાં ધુમ્બા મારી અમોને ભારે ધમકાવી હતી.  આવી આપવીતી બંને બાળાઓએ પોતપોતાના વાલીઓને કહેતા બંને વાલીઓ આનંદ બોસમીયા અને અશરફભાઈ શાળા સંચાલકોને રજૂઆત કરવા દોડી ગયા હતા, ત્યારે પણ શાળા સંચાલકોએ ફી ના ભરવી હોય તો તમારા બાળકોના લીવીંગ સર્ટીફીકેટ લેતા જાઓ તેવું ધમકીભર્યું વર્તન કર્યાનો વાલીઓનો આક્ષેપ છે.
બીજીબાજુ શાળાનું નામ લેતાજ ધ્રુજતી અને શાળા સંચાલકના માર થી શારીરિક અસ્વસ્થ બનેલી બંને બાળાઓને અત્રેની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરાતા વાલીઓ હોસ્પીટલે દોડી જઈ, ઘટનાના કસુરવારો સામે શિક્ષાત્મક પગલા ભરાય તેવી માંગો દોહરાવી હતી. આ તકે બંને બાળાઓના વાલીઓએ શાળા સંચાલકો સામે ફોજદારી રાહે પગલા ભરવા શહેર પોલીસ સ્ટેશનમાં અરજીરૂપ ફરિયાદ કરતા પોલીસે બનાવને તપાસવા કવાયત આદરી છે.
બોક્સ: રંજન ટીચરે રૂમ બહાર કાઢી, સંચાલકે ફટકાર્યા !
જેતપુર: સરકારી હોસ્પિટલ બિછાને રહેલી રૂપલ અને તારાન્નુંમે પત્રકારોને જણાવેલ કે તેઓની શાળાના રંજન ટીચરે અમો બંનેને રૂમ બહાર કાઢી કલાકો સુધી બહાર ઉભી રાખી હતી, ત્યાં કલ્પેશ ટીચરે બંનેને હાથોમાં ફૂટપટ્ટી ફટકારી, વાળ ખેંચી વાંસામા ધુમ્બા માર્યા હતા. આટલું બોલવામાં પણ થોથરાતી બંને બાળકીઓ પર શાળા સંચાલકો અને શિક્ષિકાનો કેટલો ભય છવાયો છે તે છતો થઇ ગયો હતો. બંને વાલીઓએ પોલીસ ઉપરાંત જેતપુરના શાશનાધિકારી, રાજકોટ ખાતે જીલ્લા શીક્ષણાંધિકારી, તેમજ ગાંધીનગર ખાતે નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામકને અને રાજકોટ જીલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીરને લેખિત ફરિયાદ કરી ન્યાય મંગાયો છે.

બોક્સ: મારો ને બાળકીઓનો ડીએનએ ટેસ્ટ કરાવો : શાળા સંચાલક કલ્પેશ કોઠારી 
જેતપુર: પોતાની શાળાની બે બાળકીઓને માર માર્યો હોવાની વાતના તથ્ય માટે કરાયેલ મોબાઈલ સંપર્ક દરમિયાન શાળા સંચાલક કલ્પેશ વજુભાઈ કોઠારીએ જણાવેલ કે સંસ્થાના નિયમો મુજબ ફી ભરવાની સૂચનાઓ અપાતી હોય છે,  મેં કોઈ બાળકીઓને માર માર્યો નથી, કોઈ હિતશત્રુઓ તેમની પાછળ પડ્યા છે. ઘટના સત્યથી વેગળી છે. પોતે છેલ્લા ચાર દિવસ થયા નવાગઢમાં ચાલતા શ્રી રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયેલા હતા. આમ છતાં વાલીઓ પોતાની બાળકીઓને માર માર્યાની ફરિયાદ કરતા હોય તો બાળકીઓ અને મારો(કલ્પેશ કોઠારીનો) ડીએનએ ટેસ્ટ કરાવો, સત્ય બહાર આવી જશે. 

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812

જેતપુરના રેશમડીગાલોળ ગામે કાલથી ગૌ ભાગવત કથાનું આયોજન 

જેતપુર તા.14

જેતપુર તાલુકાના રેશમડીગાલોળ ગામ ખાતે આવતીકાલ તા. 16.3 થી 19.3 એમ ચાર દિવસીય ગૌ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત રેશમડીગાલોળના પ્રજાજનો તેમજ શ્રી કામધેનું ગૌ સેવા સમાજ દ્વારા આયોજિત કથાના વ્યાસાસને ડભોઈના વિશ્વ ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી રશ્મિકાબેન બિરાજી પોતાની આગવી શૈલીથી કથાનું સૌને રસપાન કરાવશે. ગૌ શાળાના લાભાર્થે યોજાનાર કથા સ્થળે તા.18 ના રોજ રાત્રીના નારાયણ ઠાકોર, અલ્પા પટેલ, મનસુખભાઈ વિગેરે કલાકારોના  લોકડાયરાનું પણ આયોજન કરાયું હોય, ધર્મપ્રેમી જનતાએ ગૌ ભાગવત કથા અને ડાયરાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

કશ્યપ જે. જોશી જેતલસર(જેતપુર)9974262812




JETALSAR NEWS: DEDARWA GAAME VIJALI PADI

KASHYAP JOSHI JETALSAR JETPUR

શુક્રવાર, 13 માર્ચ, 2015

સાંસદ રાદડિયાની દરમિયાનગીરીથી રેલ્વે હદની દબાણ હટાવ ઝુંબેશ અટકી !





 અનેક ગરીબો ઉપર આભ ને નીચે ધરતી જેવી હાલતમાં પટકાતા હાલ પૂરતા બચ્યા !
સાંસદ રાદડિયાની દરમિયાનગીરીથી રેલ્વે હદની દબાણ હટાવ ઝુંબેશ અટકી !
જેતલસરતા.14
જેતપુરમાં આજે રેલ્વે એન્ક્રોંચમેન્ટ, એટલેકે રેલ્વેની હદમાં થયેલા દબાણને દુર કરવાની ઝુંબેશ શરુ થયાની ગણતરીની મીનીટોમાં જ સાંસદ વીઠ્ઠલભાઈ રાદડિયાની દરમિયાનગીરીથી અટકી જતા અનેક ગરીબ અને મધ્યમવર્ગી લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.
રેલસુત્રોના વર્તુળોના વિગતો આપવાના નનૈયા વચ્ચે મેળવાયેલી વિગતો મુજબ આજે જેતપુરના ભાદરના બેઠા પુલ પાસે, સામા કાંઠા વિસ્તારમાં વેસ્ટર્ન રેલ્વેની હદમાં થયેલી વ્યાપક પેશકદમીને દુર કરવા રેલ્વેના એન્જી.વિભાગના સોનારા(ગોંડલ) તથા પાંડે(વીરપુર) એમ બંને અધિકારીઓ આરપીએફના મોટા કાફલા સાથે રેલવેના ગેંગમેન સહિતના કર્મીઓને લઈને મારતે ઘોડે જેતપુર દોડી આવ્યા હતા.
અને ભાદર સામા કાંઠા વિસ્તાર નજીકથી પસાર થતી રેલ્વે લાઈન અને પુલ પાસે વર્ષો થયા ખડકાઈ ગયેલા દબાણો દુર કરવાની વીજળીક કામગીરી શરુ કરી હતી. પણ આ બારાની જાણ થતાજ રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના પિતા અને પોરબંદરના સાંસદ વીઠ્ઠલભાઈ રાદડિયા ઘટના સ્થળે દોડી જઈ, બાજી સંભાળતા, પેશકદમી દુર કરવા માંગતા રેલ્વેના સંબંધીતોને ડેલીએ હાથ દઈને પાછા ફરવા જેવી નોબત સહવી પડી હતી. 
જોકે અચાનક આવેલા ઓડકાર જેવા ખોંખારા વચ્ચે રેલબાબુઓએ જણાવેલ કે આજ નહિ તો કાલ, દબાણ જોવા મળશે કે સાબિત થશે તો રેલતંત્ર હટાવ્યા વગર નહિ રહે તે પાક્કું છે. આ બાબતે જે હોય તે પણ કાંડા બળિયા નેતા વીઠ્ઠલભાઈ ની દરમિયાનગીરી થી અનેક ગરીબો તેમજ મધ્યમ વર્ગના લોકો ઉપર આભ અને નીચે જમીન તેમજ માવઠાની દારુણ હાલતમાં પટકાઈ જતા બચી જતા તમામે રાહત અને હાશકારાની લાગણી વ્યક્ત કરી હતી.
બોક્સ: ભાવનગરના રેલસુત્રો સાથે સાંસદની વાત..
જેતલસર: જેતપુરની   આજની આ ઘટના બાબતે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાએ જણાવેલ કે તેઓએ ભાવનગર સ્થિત વેસ્ટર્ન રેલવેના સંબંધિતો સાથે વાત કરી હતી કે રેલવેના સંબંધિતો તેમની(સાંસદની) સાથે પ્રથમ એક બેઠક યોજી, રેલ્વેની હદ નક્કી કરે, કારણ જ્યાં દબાણ હટાવવા તંત્ર આવ્યું ત્યાં રેલ પાટા ઊંચા છે, પુલ ઉંચો છે, વચ્ચેથી એક રોડ પસાર થાય છે છતાં રેલવેને દબાણ ક્યાં નડે છે ? શુકામ નડે છે ? ઈ તો ચોખવટ કરો !!

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર - 9974262812


જેતલસર પંથકના નવી સાંકળી ગામે વીજટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા ટીસી ખાક, ખેડૂતો ભારે હેરાન !

મધ્ય રાત્રીથી ગાજવીજ શરુ થયેલ વરસાદી ઝાંપટા સવાર સુધી ચાલુ રહ્યા !
જેતલસર પંથકના નવી સાંકળી ગામે વીજટ્રાન્સફોર્મર 
ઉપર વીજળી પડતા ટીસી ખાક, ખેડૂતો ભારે હેરાન !
ખેડૂતોના ધાણા-ઘઉં પલળી-તણાઈ ગયા..સરકાર બાદ કુદરત રૂઠ્યાનો ખેડૂતોનો વસવસો...
જેતલસર તા.13
ગઈ મધ્ય રાત્રીથી જેતલસર પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે શરુ થયેલ વરસાદી ઝાંપટા છેક સવાર સુધી ચાલુ રહેતા લોકોએ ઉચાટ સાથે રાત ગાળી હતી, તો પંથકના નવી સાંકળી ગામે મહિલા સરપંચની વાડી-ખેતરમાં ઉભેલા વીજકંપનીના એક ટ્રાન્સફોર્મર ઉપર કડાકા સાથે ત્રાટકેલી વીજળીએ ટ્રાન્સફોર્મર ખાક કરી નાંખતા આખી સીમનો ખેતીવાડી વીજ પુરવઠો આજે 20 કલાક પછી પણ પૂર્વવત ના થયો હોવાની ખેડૂતોની ફરિયાદો સંભળાઈ હતી.
ગઈ કાલે સાંજથીજ કાળા ડીબાંગ વાદળોથી સમી સાંજને અંધારામાં ફેરવી નાખનાર મેઘરાજાએ મધ્ય રાત્રીથી ગાજવીજ અને પવન સાથે ઝાંપટા સ્વરૂપે વરસવાનું ચાલુ કરતા ખેડૂતોના ખેતરમાં ઉભેલા ધાણા અને ઘઉં ઢળી ગયા હતા તો વાઢેલા ધાણા તણાઈ જવાની નુકશાની ખેડૂતોને સહવી પડી હતી. નુકશાની વહોરનાર ખેડૂતોમાં એક વસવસો સંભળાયો હતો કે એક તો સરકાર કપાસ સહિતના ખેત પાકોના પોષણક્ષમ ભાવો અપાવતી નથી તો બીજી બાજુ કુદરત પણ રુઠ્યો હોય તેમ કમોસમી વરસાદ વરસાવી ખેડૂતોને પાયમાલી તરફ ધકેલી રહ્યો છે.
નવી સાંકળી ગામે વીજળી પડવાની ઘટના બાબતે માહિતી આપતા સેવાભાવી યુવાન મુકેશભાઈ લશ્કરીએ જણાવેલ ગઈ મધ્યરાત્રીના તોફાની વરસાદી ઝાંપટા વચ્ચે ગામના મહિલા સરપંચ કાંતાબેન ભગવાનજીભાઈ મોહનભાઈ રૂપાપરાના ખેતરમાં ઉભેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર ઉપર વીજળી પડતા ટીસી બળી જતા આજુબાજુના વાડી ખેતરોનો ખેતીવાડી વીજપુરવઠો ગુલ થયા બાદ 20 કલાક પછી પણ પૂર્વવત ના થતા ખેડૂતો ભારે હેરાન પરેશાન થયા હતા.
બોક્સ: એક શેઢાવા દુર પડેલી વીજળીથી 30 ખેડૂતો બચ્યા !! 
જેતલસર: નવી સાંકળીમાં મહિલા સરપંચના જે ખેતરમાં વીજળી પડી તેના એક શેઢાવા (એક શેઢો દુર) જ ગામના બાબુભાઈ કેશુભાઈ વાલાણીના ખેતરમાં પાણીના બોરિંગ દારનું કામકાજ ચાલતું હોય આશરે 25 થી 30 ખેડૂતો બોરિંગની જગ્યાએ નાનું મોટું કામકાજ કરતા હતા. જેઓ તમામ હેમખેમ બચી જતા ઘાત ટળી  હોવાનું મુકેશ લશ્કરીએ જણાવેલ..
જેતલસર પંથકના ગામોમાં પણ કમોસમી વરસાદી ઝાંપટા 
જેતલસર: ગઈ રાત્રીના પંથકના ડેડરવા, ટીંબડી, બાવાપીપળિયા, રૂપાવટી, અકાળા, પીપળવા, નવીજુની સાંકળી, જેતલસર ગામ અને જંકશનમાં પણ આખી રાત ગાજવીજ સાથે કમોસમી વરસાદી માહોલ જામેલો રહ્યો હોવાના અહેવાલો મળ્યા હતા.
કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર)9974262812




ગુરુવાર, 12 માર્ચ, 2015

ઔદિચ્‍ય સહસ્ત્ર ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજની સ્‍થાપનાઃ પ્રમુખ તરીકે પ્રભુલાલ ત્રિવેદી

>


ઔદિચ્‍ય સહસ્ત્ર  ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજની સ્‍થાપનાઃ પ્રમુખ તરીકે પ્રભુલાલ ત્રિવેદી

સંગઠનને મજબુત બનાવવા તાલુકા અને જીલ્લા લેવલે જ્ઞાતીનાં યુવાનો અને મહિલાઓનાં સંગઠનો બનાવી હોદે્‌દારોની નિમણુક કરાશે


જેતપુર તા.12  સૌરાષ્‍ટ્ર-કચ્‍છનાં જીલ્લા, તાલુકા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વસતાં ઔદિચ્‍ય સહષા ચિભડીયા બ્રહ્મસમાજ પરીવારનું સંગઠન મજબુત બનાવવા અને એક છત નીચે લાવવા માટે રાજકોટમાં શ્રી ઔદિચ્‍ય સહષા ચિભડીયા સૌરાષ્‍ટ્ર-કચ્‍છ બ્રહ્મસમાજ નામની સંસ્‍થાની સ્‍થાપના કરવામાં આવેલ છે. આ અંગેમળેલ મીટીંગમાં સંગઠનને વધુ બળવતર બનાવવા માટે હાલ શ્રી પ્રભુલાલ કે. ત્રિવેદીની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

   સાથે સાથે અમરેલીમાં ડી.જી. મહેતા ધારીમાં એડવોકેટ માધવરાય ભાનુશંકર જોષી, ખાંભામાં લલીતભાઇ મનસુખભાઇ ભટ્ટ, જુનાગઢમાં દિલીપભાઇ હરેન્‍દ્રભાઇ ભટ્ટ, જેતપુરમાં જીતેન્‍દ્રભાઇ જયસુખલાલ જોષી (પત્રકાર), કશ્‍યપ જયસુખલાલ જોશી (પત્રકાર) , રાજુલામાં ભરતભાઇ રાજયગુરૂ, બાબરામાં નિરંજનભાઇ ધીરજલાલ રાજયગુરૂ, ગોંડલમાં વસંતરાય ગીરજાશંકર ભટ્ટની નિમણુક કરવામાં આવેલ છે. ઉપરોકત મીટીંગમાં પ્રભુલાલભાઇ ત્રિવેદી, દિનેશભાઇ રાવલ, સુભાષભાઇ ઠાકર, અમુભાઇ ત્રિવેદી, હર્ષદભાઇ ઠાકર, ઉદયભાઇ ઠાકર, અશોકભાઇ જોષી, રાજુભાઇ જોષી, અરવિંદભાઇ રાવલ, કમલેશભાઇ ઠાકર, જયપ્રકાશભાઇ ભટ્ટ, દિનેશભાઇ ત્રિવેદી, અશ્વિનભાઇ દવે, ભાલચંદ્રભાઇ ત્રિવેદી, કિશોરભાઇ હરીલાલ ઠાકર, તથા કિશોરભાઇ એચ. જોષી હાજર રહેલ હતાં. સંગઠનના સભ્‍યપદ માટે પ્રભુલાલભાઇ કે. ત્રિવેદી,(મોઃ- ૯૩૭૪૧ ૨૭૭૭૯), કમલેશભાઇ ઠાકર (મોઃ- ૯૪૨૬૨ ૨૯૨૦૮)નો અથવા સંસ્‍થાના હંગામી કાર્યાલયનાં સરનામે- ૩૩૧, સદ્‌ ગુરૂ આર્કેડ, જીવન કોમ બેંક પાસે, ઢેબર રોડ (વન-વે), રાજકોટ ખાતે સાંજે ૬-૩૦ થી ૮-૦૦ વાગ્‍યા વચ્‍ચે રૂબરૂ સંપર્ક કરવો તેમ સંસ્‍થાની યાદી જણાવે છે.


કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


9974262812

 
 

મંગળવાર, 10 માર્ચ, 2015

અવસાન નોંધ : 10-03-2015

અવસાન નોંધ :
જેતપુર: રમેશભાઈ ભનુભાઈ ભુવા (ઉ.વ.51) તે અમૃતભાઈના ભાઈ તથા નૈમિષભાઈના પિતા તા.9 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.12 ને ગુરુવારે તેમના નિવાસ્થાને સાંજે 4 થી 6, જમાદારવાડી, આલ્ફા સ્કુલ સામે જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર 9974262812

પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ કોર્ટ...

દહેજની માંગણી કરી જેતપુરની પરિણીતાને મરવા મજબુર કરનાર
પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ કોર્ટ...
દિયર તથા સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા, 21 મહિનામાંજ ચુકાદો આપી દેતી જેતપુરની કોર્ટ !!
જેતલસર તા.10
આજથી વીસેક મહિના પહેલા જેતપુરમાં પ્રજાપતિ પરિવારની એક પરિણીતાને દહેજ સંબંધી શારીરિક-માનશીક ત્રાસ આપી સાસરીયે મરવા મજબુર કરનાર પતિને આજે જેતપુરની સેશન્સ કોર્ટે 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા 1000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ જણાવ્યું હતું..

બનાવની મળતી વિગતો મુજબ જેતપુરમાં ભાદરના સામા કાંઠે વાસુકીદાદાના મંદિર વાળા વિસ્તારમાં રહેતી ઇલાબેન ધીરુભાઈ દેવળિયા નામની પ્રજાપતિ પરિણીતાને સાસરિયાઓ દહેજ સંબંધી મહેણાં-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, ઇલાબેનને જીવવું મુશ્કેલ જણાતાં તેણીએ જેતપુર સ્થિત સાસરીયે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી ઇલાબેનને વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પીટલમાં ખસેડેલ..

જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજીબાજુ મૃતક મહિલાના પોરબંદર સ્થિત પિતા કુંભાર ભાણજીભાઈ દાનાભાઈ માવદીયા-પ્રજાપતિએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.62/13 થી ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયા, દિયર અશોક નારણ દેવળિયા, તથા સસરા નારણ વીરજી દેવળિયા વિરુદ્ધ તા.17-5-2013 આઈપીસી કલમ 498(ક), 306, 313, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4,7 મુજબ ગુનો નોંધાવી પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ..

આ ફરિયાદનો કેઈસ આજે જેતપુરની એડીશનલ સેશન્સ ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાની ધારદાર દલીલોના અંતે જજ દવે એ ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયાને કસુરવાર માની 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો. જયારે ઈલાના દિયર અને સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

બોક્સ: રૂ.2 લાખની માંગે ઈલાનો જીવ લીધો !!
જેતલસર : સરકારી વકીલ ડેન્ગરાએ જણાવેલ કે મૃતક પરિણીતાના પિતા ભાણજીભાઈ માવદીયાએ ધ્રાફા મુકામે જમીન વેંચતા મોટી રકમ જોઈ ગયેલો પતિ ધીરુએ રૂપિયા 2 લાખ પિયરિયેથી લાવવા ઈલા ઉપર સતત દબાણ અને માનસિક ત્રાસ શરુ કર્યો હતો. જે અસહ્ય બની જતા ઈલાને મરવા મજબુર થવું પડ્યું હતું. મૃતક મહિલાને એક પોલીયોગ્રસ્ત બાળક(સાસરીયે) પણ હોવાનું કોર્ટસુત્રોએ જણાવેલ.

કશ્યપકુમાર જે. જોશી જેતલસર-જેતપુર
99742 62812






દહેજની માંગણી કરી જેતપુરની પરિણીતાને મરવા મજબુર કરનાર 
પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ  કોર્ટ...
દિયર તથા સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા, 21 મહિનામાંજ ચુકાદો આપી દેતી જેતપુરની કોર્ટ !!
જેતલસર તા.10 
આજથી વીસેક મહિના પહેલા જેતપુરમાં પ્રજાપતિ પરિવારની એક પરિણીતાને દહેજ સંબંધી શારીરિક-માનશીક ત્રાસ આપી સાસરીયે મરવા મજબુર કરનાર પતિને આજે જેતપુરની  સેશન્સ  કોર્ટે 18 મહિનાની સાદી કેદ  અને રૂપિયા 1000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ જણાવ્યું હતું..
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરમાં ભાદરના સામા કાંઠે વાસુકીદાદાના મંદિર વાળા વિસ્તારમાં રહેતી ઇલાબેન ધીરુભાઈ દેવળિયા નામની પ્રજાપતિ પરિણીતાને સાસરિયાઓ દહેજ સંબંધી મહેણાં-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, ઇલાબેનને જીવવું મુશ્કેલ જણાતાં તેણીએ જેતપુર સ્થિત સાસરીયે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી ઇલાબેનને વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પીટલમાં ખસેડેલ..
જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજીબાજુ મૃતક મહિલાના પોરબંદર સ્થિત પિતા કુંભાર ભાણજીભાઈ દાનાભાઈ માવદીયા-પ્રજાપતિએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.62/13 થી ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયા, દિયર અશોક નારણ દેવળિયા, તથા સસરા નારણ વીરજી દેવળિયા વિરુદ્ધ તા.17-5-2013  આઈપીસી કલમ 498(ક), 306, 313, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4,7 મુજબ ગુનો નોંધાવી પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ..
આ ફરિયાદનો કેઈસ આજે જેતપુરની એડીશનલ સેશન્સ  ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાની ધારદાર દલીલોના અંતે જજ દવે એ ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયાને કસુરવાર માની 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.
જયારે ઈલાના દિયર અને સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

બોક્સ: રૂ.2 લાખની માંગે ઈલાનો જીવ લીધો !!
જેતલસર : સરકારી વકીલ ડેન્ગરાએ જણાવેલ કે મૃતક પરિણીતાના પિતા ભાણજીભાઈ માવદીયાએ ધ્રાફા મુકામે જમીન વેંચતા મોટી રકમ જોઈ ગયેલો પતિ ધીરુએ રૂપિયા 2 લાખ પિયરિયેથી લાવવા ઈલા ઉપર સતત દબાણ અને માનસિક ત્રાસ શરુ કર્યો હતો. જે અસહ્ય બની જતા ઈલાને મરવા મજબુર થવું પડ્યું હતું. મૃતક મહિલાને એક પોલીયોગ્રસ્ત બાળક(સાસરીયે) પણ હોવાનું કોર્ટસુત્રોએ જણાવેલ.

કશ્યપકુમાર જે. જોશી જેતલસર-જેતપુર-99742 62812



સોમવાર, 9 માર્ચ, 2015

JETPURNA SAMACHARO KASHYAP JOSHI JETPUR JETALSAR

જેતપુરમાં આજે ખાંટ સમાજના સમૂહ લગ્ન         
જેતપુર તા.9
જેતપુરમાં આજે તા.10  મંગળવારે સમસ્ત ખાંટ રાજપૂત સમાજના સમુહલગ્ન યોજાશે.
અહીના ધારેશ્વર વિસ્તારમાં પંપની સામે યોજાનાર આ સમૂહલગ્નમાં 14 દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે.

ગળથ બરવાળા ગામે ભાગવત સપ્તાહ 
રક્તદાન કેમ્પ યોજાયા 
જેતપુર તા.9
તાજેતરમાં ગળથ બરવાળા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ તેમજ રક્તદાન કેમ્પ યોજાયા હતા. શાસ્ત્રી રાજેન્દ્રભાઈ જાનીના વ્યાસાસને યોજાયેલી કથા શ્રવણનો સાતેય દિવસ ભાવિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ગામના દરબાર શ્રી મામ્કુભાઈ ડેરૈયા તેમજ પટેલ સમાજના જાદવભાઈ સેલાડીયા સહિતના ગ્રામજનોએ કથાના આયોજનને સફળ બનાવવા જાહેમત ઉઠાવેલ, જેતપુરના સુજીતભાઈ જીલુભાઈ વાંકના સંગીન પ્રયાસો વચ્ચે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 73 સીસી રક્ત એકત્ર થયું હતું.

જેતપુરમાં ધો.12 સા.પ્ર.ની 
બેઠક વ્યવસ્થામાં ફેરફાર
જેતપુર : રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી ની યાદી મુજબ આગામી ધો.12 ની સામાન્ય પ્રવાહની લેવાનાર પરીક્ષામાં જેતપુર (039) કેન્દ્રમાં બિલ્ડીંગ નંબર 3 બ્લોક નં  23 થી 34 કુલ બ્લોક 12 પહેલા શ્રીજી વિનય મંદિર, અમરનગર રોડ, જેતપુરને ફાળવેલ, જેમાં ફેરફાર કરીને લાયન્સ હાઈસ્કુલ (આલ્ફા ઈંગ્લીશ સ્કુલ ) અમરનગર રોડ જેતપુરમાં ફાળવાયેલ હોય સંબંધિત શિક્ષકો તથા વાલીઓ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા અનુરોધ કરાયો છે.

બાવાપીપળીયા  દુષ્કર્મ કેસના
તહોમતદારનો  જામીન પર છુટકારો 
જેતપુર તા.9
જેતપુર તાલુકાના જેતલસર પંથકના બાવાપીપળીયા ગામની એક યુવતી પર તે જ ગામના અનીલ પ્રેમજી નામના યુવાને દુષ્કર્મ આચર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. 
પોલીસે તહોમતદારને જે તે વખતે પકડીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે જેલ હવાલેનો હુકમ કરેલ હતો.
દરમિયાન શહેરના ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલે આજે અનિલને  જામીન પર છોડાવવા અરજી સાથે દલીલો કરતા કોર્ટે શરતી જામીન ઉપર અનિલને છોડી મુક્યો હતો.

જેતપુરમાંથી પરપ્રાંતીય સગીરાનું અપહરણ
જેતપુર તા.9
આજથી  એક મહિના પહેલા એક પરપ્રાંતીય સગીરાના અપહરણની ગઈ કાલે જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ થતા સીપીઆઈ રાવતે તપાસ હાથ ધરી છે.
વિગતો મુજબ અહીના અમરનગર રોડ ઉપર આવેલા આશા પ્લાસ્ટિક નામના કારખાનામાં મજુરીકામ કરતા મદનલાલસિંગ ભીમસિંગ વૈઢા ની 14 વર્ષ 9 માસની પુત્રી ને તે જ  કારખાનામાં કામ કરતો ભીખો ઠાકોર (રહે.સેલાણા, તા.રાધનપુર) લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીપીઆઈ કે.આર.રાવતે તપાસ હાથ ધરી છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર - 9974262812


રવિવાર, 8 માર્ચ, 2015

: JETPURMATHI PAR PRAANTIY SAGIRANU APHARAN

Kashyap Joshi Jetpur

---------- Forwarded message ----------
From: "kashyap joshi" <kkumarjoshi@gmail.com>
Date: 08-Mar-2015 7:32 pm
Subject: JETPURMATHI PAR PRAANTIY SAGIRANU APHARAN
To: "edtrajkot" <edtrajkot@yahoo.com>
Cc: "kkumarjoshi" <kkumarjoshi@gmail.com>

KASHYAP JOSHI JETPUR

શનિવાર, 7 માર્ચ, 2015

જેતલસરમાં 15 વર્ષ બાદ ધુળેટીના દિવસે "રાં " નીકળ્યો ! ગ્રામજનોએ ઉદાર હાથે રૂ.26 હજાર ફાળો આપ્યો..

અબીલ ગુલાલની છોળો ઉડાડતા ઉડાડતા
જેતલસરમાં 15 વર્ષ બાદ ધુળેટીના
દિવસે "રાં " નીકળ્યો !
ગ્રામજનોએ ઉદાર હાથે રૂ.26 હજાર ફાળો આપ્યો..
ફાળાની રકમ ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે
(કશ્યપ જોશી) જેતલસર તા.7
જેતલસર ગામે ગઈકાલે ધુળેટીના દિવસે ગામના સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા 15 વર્ષ થયા બંધ થયેલ "રાં " કાઢવાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાતા સમસ્ત ગામના લોકોએ ભારે મોજ માણી હતી.
જેતલસરમાં પ્રતિ ધુળેટીના દિવશે ગધેડા ઉપર ઉંધા મોઢે યુવાનને બેસાડી આખા ગામમાં ફેરવાતો. ગધેડા ઉપર બેસનાર યુવાનને વરરાજાનો દરજ્જો અપાતો, અને બીજો યુવાન તેમની દુલ્હનનો વેશ ધારણ કરી પગપાળા અથવાતો ગધેડા ઉપરજ ફેરવાતી. વર્ષો થયા સેવાના કામ માટે યોજાતા આવતા આ કાર્યક્રમ છેલ્લા 15 વર્ષ થયા બ્રેક લાગી ગઈ હતી.
પણ આ વર્ષે ગામમાં સેવાના કામો માટે સતત ખડે પગે રહેતા સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના યુવાનોએ આ કાર્યક્રમ પુનઃ ચાલુ કર્યો હોય તેમ ધુળેટીના દિવસે સવારથીજ ડીજેના સથવારે, વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો ઉડાડતા ગોપાલ ભીખુભાઈ ડોબરિયા(કામધેનું ગૌ રક્ષક ગ્રુપ સંગઠન જેતપુર તાલુકા પ્રમુખ ) વરરાજાની ભૂમિકા અદા કરી દુલ્હન જશ્મીન ભુવા સાથે આખા ગામમાં નાચી, રાસ રમી, કોમેડી કરી, વર-વધુ તમારા દ્વારે આવ્યા છે, કૈક ચાંદલો, દક્ષિણા, પસ (ભરાવો) આપો, તમારા પૈસા ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે તેવી અપીલ કરતા જેતલસરના લોકોએ ફૂલ નહિ તો ફૂલ પાંખડી રૂપે રૂપિયા 26000 ફાળો આપ્યો હતો.
સવારથી બપોર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વરરાજા અને લાડીને ઉત્સાહ પીરસવામાં મિલન રૈયાણી, કૃપેશ ડોબરિયા, મેહુલ પોલરા, કિશોર રૈયાણી, સાગર ભુવા, મુન્નો ભુવા, યોગેશ રૈયાણી, રોહિત ભુવા વી. યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

બોક્સ: કોણ 'રા' બને ? તેનું મહત્વ શું ?
જેતલસર: વરસમાં એક વખત, ધુળેટીના દિવસે યોજાતા આ કાર્યક્રમમાં ઉંધે ગધેડે બેસી રાં બનવા પાછળની માન્યતા બતાવતા ગામના બુજુર્ગો જણાવે છે કે જીવનમાં કોઈ શારીરિક કે માનશીક યાતનાઓના છુટકારા માટે યુવાનો '' રાં '' બને છે અને તેમની એક મનોકામના હોય છે કે સેવાના કામો માટે આવી રીતે પ્રજા વચ્ચે ફરીને, સૌને આનંદ પીરસીને ફાળો એકત્ર કરવામાં આવે છે. અને આવી શ્રદ્ધાથી '' રાં '' બનનારને ફાયદો, રાહત પણ થતી હોવાની વાત સમયાંતરે સાબિત થાય છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 9974262812


અબીલ ગુલાલની છોળો ઉડાડતા ઉડાડતા 
જેતલસરમાં 15 વર્ષ બાદ ધુળેટીના દિવસે "રાં " નીકળ્યો !
ગ્રામજનોએ ઉદાર હાથે રૂ.26 હજાર ફાળો આપ્યો..
ફાળાની રકમ ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે 
(કશ્યપ જોશી) જેતલસર તા.7
જેતલસર ગામે ગઈકાલે ધુળેટીના દિવસે ગામના સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા 15 વર્ષ થયા બંધ થયેલ "રાં " કાઢવાનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાતા સમસ્ત ગામના લોકોએ ભારે મોજ માણી હતી.
જેતલસરમાં  પ્રતિ ધુળેટીના દિવશે ગધેડા ઉપર ઉંધા મોઢે યુવાનને બેસાડી આખા ગામમાં ફેરવાતો. ગધેડા ઉપર બેસનાર યુવાનને વરરાજાનો દરજ્જો અપાતો, અને બીજો યુવાન તેમની દુલ્હનનો વેશ ધારણ કરી પગપાળા અથવાતો ગધેડા ઉપરજ ફેરવાતી. વર્ષો થયા સેવાના કામ માટે યોજાતા આવતા આ કાર્યક્રમ  છેલ્લા 15 વર્ષ થયા બ્રેક લાગી ગઈ હતી.
પણ આ વર્ષે ગામમાં સેવાના કામો માટે સતત ખડે પગે રહેતા સરદાર ગ્રુપ અને કામધેનું ગૌ રક્ષક ગ્રુપના યુવાનોએ આ કાર્યક્રમ પુનઃ ચાલુ કર્યો હોય તેમ ધુળેટીના દિવસે સવારથીજ ડીજેના સથવારે, વાજતે ગાજતે અબીલ ગુલાલની છોળો ઉડાડતા ગોપાલ ભીખુભાઈ ડોબરિયા(કામધેનું ગૌ રક્ષક ગ્રુપ સંગઠન જેતપુર તાલુકા પ્રમુખ ) વરરાજાની ભૂમિકા અદા કરી દુલ્હન જશ્મીન ભુવા સાથે આખા ગામમાં નાચી, રાસ રમી, કોમેડી કરી, વર-વધુ તમારા દ્વારે આવ્યા છે, કૈક ચાંદલો, દક્ષિણા, પસ (ભરાવો) આપો, તમારા પૈસા ગૌસેવા અને પક્ષીઓની ચણ માટે વપરાશે તેવી અપીલ કરતા જેતલસરના લોકોએ ફૂલ નહિ તો ફૂલ પાંખડી રૂપે રૂપિયા 26000 ફાળો આપ્યો હતો. 
સવારથી બપોર સુધી ચાલેલા આ કાર્યક્રમમાં વરરાજા અને લાડીને ઉત્સાહ પીરસવામાં મિલન રૈયાણી, કૃપેશ ડોબરિયા, મેહુલ પોલરા, કિશોર રૈયાણી, સાગર ભુવા, મુન્નો ભુવા, યોગેશ રૈયાણી, રોહિત ભુવા વી. યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

બોક્સ: કોણ 'રા' બને ? તેનું મહત્વ શું ?
જેતલસર: વરસમાં એક વખત, ધુળેટીના દિવસે યોજાતા આ કાર્યક્રમમાં ઉંધે ગધેડે બેસી રાં બનવા પાછળની માન્યતા બતાવતા ગામના બુજુર્ગો જણાવે છે કે જીવનમાં કોઈ શારીરિક કે માનશીક યાતનાઓના છુટકારા માટે યુવાનો '' રાં '' બને છે અને તેમની એક મનોકામના હોય છે કે સેવાના કામો માટે આવી રીતે પ્રજા વચ્ચે ફરીને, સૌને આનંદ પીરસીને ફાળો એકત્ર કરવામાં આવે છે. અને આવી શ્રદ્ધાથી '' રાં '' બનનારને ફાયદો, રાહત પણ થતી હોવાની વાત સમયાંતરે સાબિત થાય છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતલસર 9974262812

ગુરુવાર, 5 માર્ચ, 2015

જેતપુર શહેર-તાલુકામાં ફરજીયાત મફત શિક્ષણની અમલવારી શરુ !

આખરે જેતપુરના સેવાભાવીઓની મહેનત ફળી !
જેતપુર શહેર-તાલુકામાં ફરજીયાત મફત શિક્ષણની અમલવારી શરુ !
શહેરમાં 200 અને તાલુકામાં 100 બેઠકો ફાળવતું સરકારી તંત્ર....
કોઈ શાળા આ બાબતે નનૈયો ભણે તો વાલીમંડળને જાણ કરવા અનુરોધ, શાળાની માન્યતા રદ પણ કરાવી શકાય 
જેતલસર(જેતપુર) તા.5.
છેલ્લા દોઢ વર્ષ થયા અવારનવારની રજુઆતો પછી જેતપુરના સેવાભાવી યુવાનોની મહેનત ફળી હોય તેમ સરકારી તંત્રએ જેતપુર શહેર અને તાલુકા વિસ્તારમાં મફત અને ફરજીયાત શિક્ષણની અમલવારી શરુ કરાવતા વાલીગણે આનંદ કરવા જેવી વાત છે.
આ બાબતે  વિગતો મુજબ ગુજરાત સરકારે સને 2013 માં આર.ટી.ઈ. અંતર્ગત મફત અને ફરજીયાત શિક્ષણ યોજના પ્રજા વચ્ચે તરતી મુકતા રાજકોટ જીલ્લાના ધણાખરા શહેરોમાં સરકારની આ યોજનાની અમલવારી ચાલુ થઇ ગયેલી, પણ જેતપુર શહેર અને તાલુકામાં આ બાબતે કોઈ કામગીરી આગળ ધપી નહોતી..
બીજીબાજુ સરકારની આ યોજનાની અમલવારી કરાવવા જેતપુરના સેવાભાવી યુવાનો મહમદભાઈ સાંધ, યોગેન્દ્રસિંહ ગોહિલ, રાજકોટના જાગૃત યુવાનો મનીષભાઈ ઓડેદરા, ડો.ધર્મેશ ગોહેલ  વી. એ રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી તથા રાજકોટ ડીડીઓ વી. સંબંધિતોને રૂબરૂ, લેખિત રજુઆતો કરવાનું ચાલુ કરતા કહેવાય  છે કે સરકારનું આ તંત્ર દોઢ વરસ પછી જાગ્યું હોય તેમ ગઈકાલે રાજકોટની શિક્ષણ તંત્રની મુખ્ય કચેરીએથી ડીપીઓ ચેતનાબેન વ્યાસે જેતપુરના શાશનાધિકારી ડી.કે.પરમારને જેતપુર શહેરમાં ફરજીયાત મફત શિક્ષણ માટે 200 જગ્યા અને જેતપુર તાલુકા વિસ્તારમાં 100 જગ્યાઓ ફાળવતા જેતપુરના સેવાભાવીઓએ આનંદ વ્યક્ત કર્યો છે.

બોક્સ: આરટીઈના ફોર્મ વિતરણ કરાયા 
જેતલસર(જેતપુર) : જેતપુરમાં મફત અને ફરજીયાત શિક્ષણની અમલવારી કરાવવાના રાજકોટથી આદેશો થતાજ જેતપુરમાં શાશનાધિકારી પરમારે સેવાભાવીઓ મહમદભાઈ, યોગેન્દ્રસિંહ ગોહિલ, પ્રવીણભાઈ ધરજીયા, શૈલેશભાઈ સાવલિયા, જીતેન્દ્રભાઈ લાડવા, કાળાભાઈ ચાવડા, જતિન દેગડા, એજાજ બોઘાની, કશ્યપ જોશી, ભાવના ખાચરીયા વિગેરેની હાજરીમાં ઉપસ્થિત વાલીઓને આરટીઈ ફોર્મ વિતરણ કરી આ યોજનાની અમલવારીના  શ્રીગણેશ કરાવતા વાલીઓમાં રાજીપો છવાયો હતો.

બોક્સ : આરટીઈની નાં પાડનાર શાળા માન્યતા રદ થઇ શકે !
જેતલસર(જેતપુર) : સરકારની ફરજીયાત અને મફત શિક્ષણ અન્વયે કોઈ શાળા સંચાલક બાળકોને પ્રવેશ અપાવવામાં માથાકૂટ કરે કે પ્રવેશની નાં પાડે તો વાલીઓના સાથ અને સહકાર વચ્ચે આરટીઈ પ્રવેશની નાં પાડનાર શાળા સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી તેમજ શાળા માન્યતા રદ સુધીના પગલા ભરાવી શકાય તેવી સરકારની માર્ગદર્શિકા  છે. 

બોક્સ : દરેક શાળાએ આરટીઈની જાણકારી નોટીસબોર્ડમાં લગાવવી પડશે !
જેતલસર(જેતપુર) : જેતપુરમાં મફત અને ફરજીયાત શિક્ષણની અમલવારી કરાવનાર જેતપુરના સેવાભાવી યુવાનો અને  સમાંબંધિત સરકારીસુત્રોએ જણાવ્યું છે કે સરકારની આ યોજના બાબતે તમામ શાળા સંચાલકોએ પોત પોતાની શાળામાં નોટીસબોર્ડ પર માહિતી-વિગતો જાહેર કરવી ફરજીયાત બની રહેશે..

બોક્સ : તા.31.5. સુધીમાં ફોર્મ ભરી પરત કરવા અનુરોધ
જેતલસર(જેતપુર) : જેતપુરના શાશનાધિકારી  પરમારે વાલીઓ જોગ જાણ અર્થે અનુરોધ કર્યો છે કે શહેર અને તાલુકાની કોઈપણ શાળામાં ધોરણ 1 થી પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માંગતા વાલીઓએ પ્રવેશ ફોર્મ તાલુકા પંચાયત કચેરી અથવા શાશનાધિકારી કચેરી ખાતેથી મેળવી લઇ આગામી 31.5.15 સુધીમાં શાશનાધિકારી કચેરીમાં જમા કરાવી જવા..

ફોટો અને સમાચાર : 
કશ્યપ જે.જોશી - જેતપુર - જેતલસર 
9974262812



બુધવાર, 4 માર્ચ, 2015

જીવનસંગીની સાથે છુટાછેડા થતા પાંચપીપળાના યુવાનનો આપઘાત

જીવનસંગીની સાથે છુટાછેડા થતા 
પાંચપીપળાના યુવાનનો આપઘાત 
જેતપુર તા.4
જેતપુરના પાંચપીપળા ગામે પત્ની સાથેના છુટાછેડાથી દુઃખી પટેલ યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી નાખ્યાની ઘટનાથી ગામના પટેલ સમાજમાં શોક ફેલાયો છે.
મળતી વિગતો મુજબ તાલુકા પાંચપીપળા ગામના પોલરા મહેશ બાબુભાઈ(ઉ.વ.27) એ આજથી ચારેક દિવસ પહેલા તેમની વાડીયે ઝેરી દવાના ઘૂંટડા પોતાના ગળા નીચે ઉતારી દિતા મહેશને ગંભીર હાલતમાં ખાનગી દવાખાને ખસેડેલ. જ્યાં આજે સારવાર દરમિયાન તેમનું મોત થયાનું જેતપુર તાલુકા પોલીસમાં જાહેર કરાયું હતું. બનાવના તપાસનીસ જમાદાર મજનુંભાઈ મનાતે જણાવેલ કે થોડા માસ પહેલાજ મહેશના પત્ની સાથે છૂટાછેડા થયા ત્યારથી મનોમન દુખી રહેતો હોવાની તેમના પરિવારજનોની કેફિયત પરથી મહેશની આત્મહત્યાનું કારણ આ હોય શકે તેવું પોલીસે પ્રાથમિક માની આગળની તપાસ હાથ ધરી છે.


ચારણસમઢીયાળાની સગીરાને ભગાડી જનાર યુવાન પકડાયો 
જોકે પોલીસ કહે છે કે સગીરાને બે વર્ષની પુત્રી હોય હવે તેની પુખ્ત છે !!
જેતપુર તા.5
જેતપુરના ચારણસમઢીયાળા ગામની બાવાજી સગીરાને ભગાડી જનાર વડિયાના યુવાનને જેતપુર તાલુકા પોલીસે ઝડપી લીધો હતો.
બનાવની મળતી હકીકતો મુજબ ગઈ તા.17.1.2011 ના રોજ જેતપુરના ચારણસમઢીયાળા ગામેથી એક બાવાજી સગીરાનું લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કોઈ અપહરણ કરી ગયાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.
પોલીસ આ સમયથી અપહરણ કરનાર યુવાનની શોધમાં હતી. પણ યુવાન નહિ પણ તેની ઓળખ મળી હતી કે બાવાજી સગીરાને ભગાડી જનાર અમરેલી જીલ્લાના વડીયા ગામનો દલસુખ પ્રેમજી મકવાણા હતો.
દરમિયાન જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાને દલસુખ વડિયા ચાર વર્ષ પછી આવ્યો હોવાની બાતમી મળતા સ્ટાફને સાથે રાખી ગઈકાલે સગીરા સાથે દલાને પકડી પાડ્યો હતો. પણ પોલીસ જેવા ઉત્સાહ સાથે વડિયા દોડી હતી તેવો ઉત્સાહ નાં રહ્યોની વાત સાંભળવા મળી હતી.

બોક્સ: હું પુખ્ત છું, પતિ સાથેજ જવા માંગુ છું : યુવતી 
જેતપુર : વડીયાના યુવાનને જયારે જેતપુર તાલુકા પોલીસે પકડ્યો ત્યારે તેમની સાથે 2 વર્ષની પુત્રીને લઈને ચારણસમઢીયાળાની યુવતી પણ હતી. પોલીસ મથકે આવીને આ બાવાજી યુવતીએ જણાવેલ કે હું બે વર્ષની દીકરીની માતા અને પુખ્ત થઇ ગઈ છું. હવે હું મારા જીવનના નિર્ણય લેવા પરિપક્વ હોઉં, હું પતિ(દલસુખ મકવાણા) સાથે જ રહેવા માંગુ છું.  ત્યારે પોલીસે આ બંનેના નિવેદનો નોંધી ધોરણસરની વિધિ આટોપી હતી.

KASHYAP JOSHI JETPUR - JETALSAR - 9974262812


જેતલસરમાં ભેંસે ભારે કરી ! ગાંડી થયેલી ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા ! એક યુવાન તો જીવ બચાવવા થાંભલે ચડી ગ્યો !!

જેતલસરમાં ભેંસે ભારે કરી !
ગાંડી થયેલી ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા !?
એક યુવાન તો જીવ બચાવવા થાંભલે ચડી ગ્યો !!
(કશ્યપ જોશી ) જેતલસર તા.4
છેલ્લા એક સપ્તાહ થયા જેતલસર - સાંકળીની સીમમાં ગાંડી થયેલી એક ભેંસે અનેકને ઢીકે ચડાવ્યા હોવાની વાતથી આ બંને ગામોની પ્રજામાં રમુજ-દુઃખ સાથે ભય ફેલાયો છે.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતલસર અને સાંકળી ગામની સીમમાં ગાંડી થયેલી એક ભેંસ છેલ્લા એક સપ્તાહ થયા સીમ ઉપરાંત ગામમાં આવી ચડી દેખ્યા માણસ કે વાહન પાછળ દોડી ભૂરાંટી બનતી હોય લોકો ભયના ઓથાર તળે આવી ગયાના અહેવાલો મળે છે. તો મનસુખ પટેલ નામના જેતલસરના એક યુવાનને ભેંસે બરાબરની ભીંસમાં લઇ ઢીકે ચડાવી, ઘાયલ કરી, કપડા ફાડી નાખતા કહેવાય છે આ ભાઈ માંડ માંડ બચ્યા ! 
તો ગામનાજ એક  અશ્વિન પટેલ નામના યુવાન પાછળ ગાંડી ભેંસ પડતા આ યુવાને જીવ બચાવવા વીજ થાંભલો ચડી જઈ હાશકારો મેળવ્યો હતો.
દુઃખની વાત બતાવતા જેતલસરના પશુપાલકો કહે છે કે ભેંસને હડકવા નથી ઉપાડ્યો, પણ માણસની જેમ પાગલ-ગાંડી થઇ જતા તે ગમે તેની પાછળ પડી ભારે ભયજનક સ્થિતિ પેદા કરી રહી છે. 
અચરજની વાત એ છે કે છેલ્લા એકાદ સપ્તાહ થયા જેતલસર-સાંકળીની સીમ અને ગામ વિસ્તારોને ધમરોળતી આ ભેસ કોઈને મળતી નથી, અને કોઈનાથી પકડાતી નથી, ભેસના બન્ને શીંગડા કાપી નાખેલી અવસ્થામાં જોવા મળે છે. એટલુજ નહિ આ ભેંસનું કોઈ માલિક પણ ના થતું હોય, હવે જંગલખાતું જ જેતલસર-સાંકળીની પ્રજાને બચાવી શકે તેવું ગામના બુજુર્ગો કહે છે.

બોક્સ: ભેંસની ઢીકે ઘણા ચડ્યા, પણ કોઈ બોલતું નથી !!
જેતલસર : એક રીતે જોઈએ ભેંસ ગાંડી થયાની વાતે જેતલસર સહીત પંથકના ગામોમાં રમુજ પણ ફેલાવી છે અને ભય પણ ફેલાવ્યો છે.
તેવીજ રીતે આ ગાંડી ભેસે ઘણાને ઢીકે ચડાવ્યા છે પણ શરમના માર્યા કોઈ વિગતો આપતા ના હોય કે ઢીકે ચડ્યા હોવાનું સ્વીકારતા નાં હોય આ વાત ટોક ઓફ ધી જેતલસર વિલેજ બની છે. આ બાબતે જે હોય તે પણ સંબંધિત પશુ તબીબો કે જંગલખાતે આ ભેંસને શોધી કાઢી, જરૂરી સારવાર આપી ભેંસની ગાંડપણની સ્થિતિ અને માણસોની ભયાવહ હાલત સુધારવી જોઈએ..
કશ્યપ જે.જોશી જેતલસર (જેતપુર) 9974262812

 

જેતપુર બ્રહ્મસમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન 
જેતલસર તા.4
સમસ્ત અને યુવા બ્રહ્મસમાજ દ્વારા આગામી 5.4.2015 ના રોજ બ્રહ્મસમાજના જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરાયું છે. જોડવા ઈચ્છતા યુવક યુવતીના વાલીઓએ તા.8-3-2015 સુધીમાં ફોર્મ ભરી પરત કરી જવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કાળુભાઈ જોશી, યુવા પાંખના પ્રમુખ અલ્પેશ વ્યાસ(84013 55555),  હિતેશભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન આશિષ પંડયા( 94294 84711) તથા યુવા મંત્રી નીલેશ જોશી(97233 51471)વિગેરે એ જણાવ્યું છે
કશ્યપ જે.જોશી જેતલસર 
99742 62812

લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીના




પેઢલાની ધવલ સ્કુલમાં લંડનની ઓક્સફર્ડ યુનિવર્સીટીના 
પ્રોફેસર ડવાયરે ગ્લોબલ એજ્યુકેશનનું માર્ગદર્શન આપ્યું
સ્વયં શિસ્તથીજ સફળતા વરે : સ્વામી સુતપ્રજ્ઞજી  
જેતલસરતા.4
જેતપુરના પેઢલા ગામે આવેલ ધવલ ઇન્ટરનેશનલ સ્કુલમાં તાજેતરમાં લંડનની ઓક્સફર્ડ યુનિ.ના ડિન ડો. ગ્રેહામ ડવાયરે મુલાકાત લઇ શાળાના વિદ્યાર્થીઓને ગ્લોબલ એજ્યુકેશનનું અસરકારક માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ ભૂત-પ્રેત ની દુનિયા વિષે થીસીસ ઓક્સફર્ડ યુનિ.માં પીએચડી કર્યું હોય, ભૂત-પ્રેતના અસ્તિત્વની ગેરમાન્યતાઓ દુર કરતા ઉપસ્થિત છાત્રો અને શાળાપરિવારનો સ્ટાફ ભારે પ્રભાવિત થયો હતો.
તો તેઓની સાથે રાજકોટથી આવેલા પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના સુતપ્રજ્ઞજી સ્વામીએ જણાવેલ કે સ્વયં શિસ્તથી જ સફળતાના શિખરો સર કરી શકાય. સ્વામીજીએ શિસ્ત કેવું હોવું જોઈએ ? શિસ્ત કેમ પાળવું ? જીવનમાં શિસ્ત શું ફાયદો કરે ? વિગેરે બાબતે 400 જેટલા છાત્રોને સચોટ માર્ગદર્શન આપતા કેમ્પસના ડાઈરેક્ટર દિનેશભાઈ ભુવા, સ્ટાફના શિક્ષકો કાપડિયા અને અભિષેકભાઈ સહિતનો સ્ટાફ ખુશ થયો હતો. ડોક્ટર ડવાયરે ઓક્સફર્ડ યુનિ.માં કેમ્પસના વિદ્યાર્થીઓ માટે એજ્યુકેશનલ સેમીનાર કરવા અને પ્લેસમેન્ટ માટે મદદરૂપ થવા જણાવ્યું હોવાનું દિનેશ ભુવાએ જણાવ્યું હતું..

કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 
9974262812

મંગળવાર, 3 માર્ચ, 2015

લોકચર્ચા - 3-3-2015


જેતલસરના રેલકર્મીનો ગળાફાંસો ખાઈ આપઘાત

મમ્મી-પપ્પા મને માફ કરજો, હું તમોને સુખેથી સાચવી ના શક્યો ! સ્યુસાઈડ નોટ..
જેતલસરના રેલકર્મીનો ગળાફાંસો ખાઈ આપઘાત
આર્થિક ભીંસથી પગલું ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ, તપાસનો દૌર ચાલુ કરતી પોલીસ  

જેતલસર  તા.3   કશ્યપ જોશી દ્વારા 
આજે જેતપુરના જેતલસર જંકશન ખાતે એક યુવાન રેલ કર્મચારીએ પોતાની ફરજવાળી રેલવેની ઓરડીમાજ ગળાફાંસો ખાઈ મોત મીઠું  કરી લીધાની ઘટનાથી રેલવેબેડામાં શોકની લાગણી સાથે અરેરાટી વ્યાપી હતી.
બનાવની મળતી વિગતો મુજબ જુનાગઢના સાબલપુર ગામે રહેતા અને જેતલસર જંકશન ખાતે રહેતા અપરણિત રેલવે કર્મચારી (ગેઇટમેન)  અજય સવજીભાઈ રાઠોડ નામના યુવાને પોતે જ્યાં ફરજ બજાવે છે તે સી-64 નંબરની (જુનાગઢ અરિયામાં આવતી) ફાટકની ઓરડીમાં પંખા સાથે દોરડું બાંધી, આજે સવારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધાની સ્ટેશન માસ્તર મનોજભાઈ મકવાણાએ તાલુકા પોલીસમાં જાણ કરી હતી.
દરમિયાન તાલુકા ફોજદાર કરમટીયા ની સુચનાથી જમાદાર મજનુંભાઈ, ઘનશ્યામ વીરડા, જયવીરસિંહ રાણા વેગેરે ઘટના સ્થળે દોડી જઈ મૃતકની પંખા સાથે લટકતી લાશ ઉતારી પીએમ માટે જેતપુરની સરકારી દવાખાને ખસેડી હતી.
દરમિયાન જેતપુર તાલુકા પોલીસ અને આરપીએફના વિક્રમભાઈ હુદડ વિગેરેને કહેવા મુજબ પોલીસના હાથમાં એક સ્યુસાઈડનોટ આવી હોય, તે અંગે તથ્ય જાણવા તેમજ તેમાં બતાવાયેલા નામોવાળા શખ્શો સુધી પહોંચવા પોલીસે કવાયત આદરી છે. સ્યુસાઈડનોટમાં જણાવ્યા અનુસાર અજય રાઠોડે આર્થિક ભીંસમાં આવી જઈ આત્મહત્યાનું પગલું ભર્યાનું પ્રાથમિક તારણ રજુ કરી પોલીસે તપાસનો દૌર ચાલુ કર્યો છે.

બોક્સ: સ્યુસાઈડનોટમાં અજયની વેદના !
જેતલસર: રેલવેની ઓરડીમાં આત્મહત્યા કરનાર અજય રાઠોડની લાશની અંગજડતી દરિમયાન પોલીસના હાથમાં આવેલી એક સ્યુસાઈડ રૂપ ચિટ્ઠીમાં અજયએ વેદનાસભર શબ્દોમાં લખ્યું છે કે મમ્મી, પપ્પા, અને ભાઈ વિજય મને માફ કરશો, હું તમોને સુખેથી સાચવી ના શક્યો, વિજય મમ્મીને સાચવજે, પપ્પાને રમવાની નાં પાડજે, ભાઈ વિજય ગાડી દોલતપરામાં ગીરવે પડી છે. રૂપિયા 20,000  આપવાના છે, ગાડીની બૂક કાસમે મુકાવી છે, તેમને રૂપિયા 15,000 આપજે એટલે ગાડીની બુક આપશે, તમારો છોકરો આજે તમો બધાને મુકીને જાય છે, ખુદખુશી કરું છું, જિંદગીથી !!

બોક્સ: જેતલસરના ભીખુભાઈ નિવૃત થયાને અજય હાજર થયો !
જેતલસર: બનાવની એક કરુણતા એ સાંભળવા મળી કે થોડા દિવશો પહેલાજ જેતલસરના ભીખુભાઈ શામજીભાઈ ડોબરિયા નામના રેલકર્મચારી(ગેઇટમેન) એ પણ જે સ્થળે ફરજ બજાવી નિવૃત્તિ લીધી તે જ સ્થળે સી-64 નંબરની ફાટકની ઓરડીમાં આજે વહેલી સવારે સાબલપુરના અજયે સ્વમેળે જીવન ટૂંકાવી નાખ્યાની ઘટના બની જતા જેતલસરના રેલવે બેડામાં પણ શોક વ્યાપ્યો છે.

કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર) 99742 62812

 


સોમવાર, 2 માર્ચ, 2015

જેતલસર જેતપુરના વિવિધ સમાચારો કશ્યપ જોશી-જેતલસર )




મંડલીક્પુર-સાંકળી બાઈપાસ રોડમાં સર્જાયેલા ખાડાથી વાહનચાલકો ત્રસ્ત 
જેતલસર તા.2
   જેતલસર નજીકના મંડલીકપૂર-સાંકળી બાઈપાસ રોડમાં પડી ગયેલા મોટા મોટા ખાડાથી વાહન ચાલકો ત્રાસી ગયા છે.
આ બાબતે સંજય રૈયાણી નામના યુવાને ફરિયાદ કરી છે કે મંડલીકપૂર-સાંકળી બાઈપાસ રોડ બન્યો તેને લાંબો સમય થયો નથી, છતાં આ રોડ ફાટી ગયો છે.
   તેમજ રોડ પરના મોટા ખાડાથી અકસ્માત સર્જાવાની દહેશત ઉભી થઇ રહી છે. કારણ રાત્રીના આ ખાડા દેખાતા ના હોય, નાના વાહન ચાલકો ભફાંગ કરતા ખાડામાં ફસાઈને ગબડી રહ્યા છે.
   સરકારી તંત્રે આ રોડ ઉપર ડામરના થીગડા માર્યા છે પણ આનાથી રોડ વધારે ખરાબ થયો હોય, સંબંધિતો આ રોડ ની તાકીદે હાલત સુધારે તેવી માંગ કરાઈ છે.

જેતલસરના રેલ્વે કર્મચારીને ભાવનગરમાં વિદાયમાન અપાયું 
જેતલસર તા.2
જેતલસર ગામના રહીશ  અને રેલ્વેમાં ગેઇટમેન તરીકે નોકરી કરતા ભીખુભાઈ શામજીભાઈ ડોબરિયા તાજેતરમાં વય મર્યાદાને કારણે નિવૃત થયા હતા. જેઓને ભાવનગર ખાતે ડી.આર.એમ. જ્યોતીપ્રકાશ પાંડે સહિતના રેલ અધિકારીઓની હાજરીમાં હારતોરા કરી, શાલ ઓઢાડી વિદાયમાન અપાયું હતું. (ફોટો લાઈન : કશ્યપ જોશી-જેતલસર )


સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના આગેવાનોનો મત..
સૌરાષ્ટ્રને વધુ એક વખત અન્યાયની પરંપરાનો અહેસાસ કરાવતું રેલવે બજેટ !
વર્ષોજૂની અમરેલી જીલ્લાની બ્રોડગેજ માંગણી જૈસે થે ! સૌરાષ્ટ્ર-અમરેલી જિલ્લાને ન્યાય અપાવવા ગુજરાત સ્થાપના દિન 1લી મે થી સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ છેડશે આંદોલન 

જેતપુર તા.2
તાજેતરમાં ભારત સરકારે રજુ કરેલા રેલ બજેટમાં સૌરાષ્ટ્ર સાથેના અન્યાયની પરંપરા ચાલુ રહી હોય, સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ વિઠલાણી, મંત્રી ગુણવંત ધોરડા સહિતના આગેવાનોએ આ વાતનો રોષ વ્યક્ત કરી આગામી 1.5.2015 ને ગુજરાતના સ્થાપના દિવસથી આંદોલનાત્મક કાર્યક્રમો શરુ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
આ એ સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના આગેવાનોનું કહેવું છે કે રેલ્વે ભાડા યથાવત રાખ્યા તે વાત આવકાર્ય છે પણ નુર ભાડામાં 2 થી 10 ટકાનો વધારો સૌ માટે અસહ્ય બની રહેશે. અમરેલી જીલ્લાનું વડું મથક અમરેલી હોવા છતાં જીલ્લાભરની પ્રજા સાથે રેલ પ્રશાશને ઓરમાયું વર્તન દાખવ્યું હોય તેમ આ વર્ષના બજેટમાં અમરેલીની કોઈ વાત કે પ્રશ્ન નાં ફાળવાતા સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ આ વાતનો વિરોધ વ્યક્ત કરી વખોડે છે.
તો સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની લાંબી માંગણી મુજબ સુરેન્દ્રનગર - વિરમગામ વચ્ચે રૂપિયા 80 કરોડ ફાળવતા આ વાતને આવકારી આ કામો તાકીદે શરુ કરવાની માંગ દોહરાવાઈ છે.
સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના મંત્રી ગુણવંતભાઈ ધોરડાએ એક આનંદ વ્યક્ત કરી જણાવેલ કે ઢસા-જેતલસર ગેઇજ પરિવર્તન કરવાની સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની લાંબા સમયની માંગણી સ્વીકારી  રેલ તંત્રે આ માટે રૂપિયા 80 કરોડ ફાળવતા એસ.વી.પી.ના આગેવાનોની મહેનત લેખે લાગી છે.

બોક્સ: સૌરાષ્ટ્રને આટલો ન્યાય આપો...
જેતપુર: સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જુનાગઢ, વેરાવળ અને પોરબંદરને લાંબા અંતરની ટ્રેઇનો તાકીદે આપવાની માંગ સાથે દિનેશભાઈ  અને ગુણવંતભાઈ જણાવે છે કે 20 હજાર કિમીની નવી લાઈનો પાથરવાનો સરકારનો નિર્ણય આવકારદાયક છે. પણ 100-150 વર્ષ પહેલા રાજા રજવાડાઓમાં ચાલતી મોટાભાગની ટ્રેઇનો બંધ કરી દેવાઈ હોય, તે ચાલુ કરાય તો સૌરાષ્ટ્ર સાથેના અન્યાયની માત્રામાં થોડો ઘટાડો થશે.

બોક્સ: તો 1 લી મે  થી છેડાશે આંદોલન !
જેતપુર: સૈરાષ્ટ્ર તેમજ ખાસ કરીને અમરેલી જીલ્લા સાથે રેલ તંત્રનું ઓરમાયું વર્તન હોય, ન્યાય માટે સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રમુખ દિનેશભાઈ વિઠ્ઠલાણી, મંત્રી ગુણવંતભાઈ ધોરડા(જેતપુર), યશવંત જનાણી(રાજકોટ), મહામંત્રી દિલશા શેખ(અમરેલી), સૌ.વી.પ.ના અમરેલીના પ્રમુખ ભીખુભાઈ અગ્રાવત, ડોલરભાઈ દવે(કુંકાવાવ) સહિતના આગેવાનો અને અગ્રણીઓએ ગુજરાત સ્થાપના દિવસ એટલેકે 1.5.2015 થી ઉગ્ર આંદોલનના મંડાણની ચીમકી ઉચ્ચારી છે.
કશ્યપ જોશી-જેતલસર )