અનુયાયીઓ

મંગળવાર, 10 માર્ચ, 2015

પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ કોર્ટ...

દહેજની માંગણી કરી જેતપુરની પરિણીતાને મરવા મજબુર કરનાર
પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ કોર્ટ...
દિયર તથા સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા, 21 મહિનામાંજ ચુકાદો આપી દેતી જેતપુરની કોર્ટ !!
જેતલસર તા.10
આજથી વીસેક મહિના પહેલા જેતપુરમાં પ્રજાપતિ પરિવારની એક પરિણીતાને દહેજ સંબંધી શારીરિક-માનશીક ત્રાસ આપી સાસરીયે મરવા મજબુર કરનાર પતિને આજે જેતપુરની સેશન્સ કોર્ટે 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા 1000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ જણાવ્યું હતું..

બનાવની મળતી વિગતો મુજબ જેતપુરમાં ભાદરના સામા કાંઠે વાસુકીદાદાના મંદિર વાળા વિસ્તારમાં રહેતી ઇલાબેન ધીરુભાઈ દેવળિયા નામની પ્રજાપતિ પરિણીતાને સાસરિયાઓ દહેજ સંબંધી મહેણાં-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, ઇલાબેનને જીવવું મુશ્કેલ જણાતાં તેણીએ જેતપુર સ્થિત સાસરીયે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી ઇલાબેનને વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પીટલમાં ખસેડેલ..

જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજીબાજુ મૃતક મહિલાના પોરબંદર સ્થિત પિતા કુંભાર ભાણજીભાઈ દાનાભાઈ માવદીયા-પ્રજાપતિએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.62/13 થી ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયા, દિયર અશોક નારણ દેવળિયા, તથા સસરા નારણ વીરજી દેવળિયા વિરુદ્ધ તા.17-5-2013 આઈપીસી કલમ 498(ક), 306, 313, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4,7 મુજબ ગુનો નોંધાવી પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ..

આ ફરિયાદનો કેઈસ આજે જેતપુરની એડીશનલ સેશન્સ ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાની ધારદાર દલીલોના અંતે જજ દવે એ ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયાને કસુરવાર માની 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો. જયારે ઈલાના દિયર અને સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

બોક્સ: રૂ.2 લાખની માંગે ઈલાનો જીવ લીધો !!
જેતલસર : સરકારી વકીલ ડેન્ગરાએ જણાવેલ કે મૃતક પરિણીતાના પિતા ભાણજીભાઈ માવદીયાએ ધ્રાફા મુકામે જમીન વેંચતા મોટી રકમ જોઈ ગયેલો પતિ ધીરુએ રૂપિયા 2 લાખ પિયરિયેથી લાવવા ઈલા ઉપર સતત દબાણ અને માનસિક ત્રાસ શરુ કર્યો હતો. જે અસહ્ય બની જતા ઈલાને મરવા મજબુર થવું પડ્યું હતું. મૃતક મહિલાને એક પોલીયોગ્રસ્ત બાળક(સાસરીયે) પણ હોવાનું કોર્ટસુત્રોએ જણાવેલ.

કશ્યપકુમાર જે. જોશી જેતલસર-જેતપુર
99742 62812






દહેજની માંગણી કરી જેતપુરની પરિણીતાને મરવા મજબુર કરનાર 
પતિને 18 માસની સાદી કેદની સજા ફટકારતી જેતપુરની સેશન્સ  કોર્ટ...
દિયર તથા સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા, 21 મહિનામાંજ ચુકાદો આપી દેતી જેતપુરની કોર્ટ !!
જેતલસર તા.10 
આજથી વીસેક મહિના પહેલા જેતપુરમાં પ્રજાપતિ પરિવારની એક પરિણીતાને દહેજ સંબંધી શારીરિક-માનશીક ત્રાસ આપી સાસરીયે મરવા મજબુર કરનાર પતિને આજે જેતપુરની  સેશન્સ  કોર્ટે 18 મહિનાની સાદી કેદ  અને રૂપિયા 1000 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાએ જણાવ્યું હતું..
બનાવની મળતી વિગતો મુજબ જેતપુરમાં ભાદરના સામા કાંઠે વાસુકીદાદાના મંદિર વાળા વિસ્તારમાં રહેતી ઇલાબેન ધીરુભાઈ દેવળિયા નામની પ્રજાપતિ પરિણીતાને સાસરિયાઓ દહેજ સંબંધી મહેણાં-ટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ આપતા હોય, ઇલાબેનને જીવવું મુશ્કેલ જણાતાં તેણીએ જેતપુર સ્થિત સાસરીયે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર જેતપુર અપાવી ઇલાબેનને વધુ સારવાર માટે રાજકોટની દોશી હોસ્પીટલમાં ખસેડેલ..
જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
બીજીબાજુ મૃતક મહિલાના પોરબંદર સ્થિત પિતા કુંભાર ભાણજીભાઈ દાનાભાઈ માવદીયા-પ્રજાપતિએ જેતપુર શહેર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.62/13 થી ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયા, દિયર અશોક નારણ દેવળિયા, તથા સસરા નારણ વીરજી દેવળિયા વિરુદ્ધ તા.17-5-2013  આઈપીસી કલમ 498(ક), 306, 313, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા કલમ 4,7 મુજબ ગુનો નોંધાવી પોતાની દીકરીને મરવા મજબુર કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ..
આ ફરિયાદનો કેઈસ આજે જેતપુરની એડીશનલ સેશન્સ  ડિસ્ટ્રીક્ટ જજ કે.એમ.દવેની કોર્ટમાં ચાલતા, સરકારી વકીલ વલ્લભભાઈ ડેન્ગરાની ધારદાર દલીલોના અંતે જજ દવે એ ઈલાના પતિ ધીરુ નારણ દેવળિયાને કસુરવાર માની 18 મહિનાની સાદી કેદ અને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો.
જયારે ઈલાના દિયર અને સસરાને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

બોક્સ: રૂ.2 લાખની માંગે ઈલાનો જીવ લીધો !!
જેતલસર : સરકારી વકીલ ડેન્ગરાએ જણાવેલ કે મૃતક પરિણીતાના પિતા ભાણજીભાઈ માવદીયાએ ધ્રાફા મુકામે જમીન વેંચતા મોટી રકમ જોઈ ગયેલો પતિ ધીરુએ રૂપિયા 2 લાખ પિયરિયેથી લાવવા ઈલા ઉપર સતત દબાણ અને માનસિક ત્રાસ શરુ કર્યો હતો. જે અસહ્ય બની જતા ઈલાને મરવા મજબુર થવું પડ્યું હતું. મૃતક મહિલાને એક પોલીયોગ્રસ્ત બાળક(સાસરીયે) પણ હોવાનું કોર્ટસુત્રોએ જણાવેલ.

કશ્યપકુમાર જે. જોશી જેતલસર-જેતપુર-99742 62812



ટિપ્પણીઓ નથી: