અનુયાયીઓ

મંગળવાર, 27 માર્ચ, 2012

સ્કોપની તાલીમમાં સ્વામી વિવેકાનંદના આદર્શ વિચારોને પ્રચલિત કરાશે સ્વામી વિવકોનંદજીના ૧૦૦ જેટલા આદર્શ વિચાર સૂત્રો તાલીમાર્થીઓને આદર્શજીવન પ્રેરિત કરશે


વડોદરા
સ્વામી વિવેકાનંદજીની સાર્ધ જન્મ શતાબ્દી વર્ષ રાજયમાં યુવા વર્ષ તરીકે ઉજવાઈ રહયું છે.તેના ઉપલક્મા ગુજરાત સરકાર પ્રેરિત અંગ્રેજી તાલીમના સ્કોપ કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શ અને સશકત વિચારોને આવરીને સ્કોપની તાલીમ આપવાનું ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરા ખાતેના સ્કોપ સેન્ટર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
સ્વામી વિવકોનંદના ૧૦૦ જેટલા ચુનંદા સુવિચારોને સ્કોપની તાલીમ દરમિયાન ૧૦૦૦ જેટલા તાલીમાર્થીઓને તબક્કાવાર આવરી લેવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
અંગ્રેજી ભાષા પર ગુજરાતના યુવાનો પ્રભુત્વ મેળવે તે માટે રાજય સરકારે શરૂ કરેલા સ્કોપ કાર્યક્રમને બિરદાવતા સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે, વિશ્વમાં અંગ્રેજી ભાષા આવશ્યક બની ગઈ છે. અનેક ક્ષેત્ર સાથે કોમ્પ્યુટર શીખવામાં પણ અંગ્રેજી ભાષા જરૂરી છે.ગુજરાતના લોકો અંગ્રેજી શીખી વિશ્વ સાથે કદમ મિલાવે તેવા પ્રયાસોમાં સરકારે સ્વામી વિવકોનંદ સાર્ધ જન્મ શતાબ્દીના વર્ષમાં સ્વામી વિવેકાનંદજીના આદર્શ વિચારોને સ્કોપની તાલીમમાં સ્થાન આપ્યું છે તે અભિનંદનને પાત્ર છે.
સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સ્વામી વિવેકાનંદજીના બેઝીક અંગ્રેજીથી ટોલ્સરોય પણ પ્રભાવિત થયા તો ઉલ્લેખ કરતા સ્વામી વિવેકાનંદના પુસ્તકમાં તેમના રજૂ થયેલાં વિચારોથી ગાંધીજી,સુભાષચંદ્ર બોઝ તથા ડૉ. રાધાકૃષ્ણ વગેરે અભિભૂત થયા હતા. સ્વામી વિવકાનંદે દેશ માટે કંઈ કરી છૂટવા સાથે ગરીબોના ઉત્થાન માટે કાર્ય કરવા પ્રેરણા આપી છે. તેમ ઉમેર્યું હતું તેમણે સ્વામી વિવકોનંદ અગિયાર સ્થળોએ રોકાણ કર્યું હતું. જેમાં વિદેશમાં ત્રણ સ્થળે ભારતમાં આઠ સ્થળો પૈકી ગુજરાતમાં લીમડી,પોરબંદર અને વડોદરાના રોકાણની વિગતો આપી હતી.
આ પ્રસંગે સ્કોપના જોઈન્ટ સીઈઓ શ્રી શૈલેષ ઠક્કરે સ્કોપમાં સ્વામી વિવકોનંદના આદર્શ વિચારોને અપાયેલા સ્થાનને આવકારતા જણાવ્યું કે, અંગ્રેજી વિશ્વમાં પ્રચલિત ભાષા છે. સ્કોપ દ્વારા અંગ્રેજી ભાષાની જાણકારી જ નહિ પરંતુ વ્યકિતત્વ વિકાસ અને સશકિતકરણ થઈ શકે છે. જયારે સ્કોપના જોઈન્ટ સી.ઈ.ઓ. શ્રી સંદીપ શર્માએ અંગ્રેજી ભાષાની આવશ્યકતા ઉપર ભાર મૂકયો હતો.
પ્રારંભમાં સ્કોપના ડિસ્ટ્રિકટ હેડ શ્રી રાજેશ નામ્બીયારે સ્કોપ કાર્યક્રમ સાથે સ્વામી વિવકાનંદજીના આદર્શ વિચારોને સાંકળવા અંગેનો ઉદ્દેશ જણાવ્યો હતો. તેમણે વડોદરાના સ્કોપ સેન્ટર દ્વારા અનેક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જેલના કેદીઓ વિઘાર્થીઓએ સ્કોપની તાલીમ લીધી હોવાનું જણાવ્યું હતું. 

ટિપ્પણીઓ નથી: