અનુયાયીઓ

મંગળવાર, 27 માર્ચ, 2012

રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તા માટે પણ સતત ચિંતિત અને જાગૃત છે-શિક્ષણ રાજ્યમંત્રી શ્રી જયસિંહ ચૌહાણે કનીજ ખાતે રૂા.૭૯ લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન પે-સેન્ટર શાળાના સંકુલનું લોકાર્પણ


નડિયાદ
શિક્ષણ ક્ષેત્રમાં પ્રવેશોત્સવના માધ્યમ થકી ઐતિહાસિક કામગીરી કરનાર વર્તમાન રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તા માટે પણ સતત ચિંતિત અને જાગૃત છે, શાળાની માળખાકીય સુવિધાઓની સાથે શિક્ષણની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવતી હોવાથી શિક્ષણના સ્તરમાં સુધારો લાવનારા રાજ્યોમાં ગુજરાતનું સ્થાન નોંધપાત્ર બન્યું  છે.
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના કનીજ ગામે રૂા.૭૯ લાખના ખર્ચે તૈયાર થયેલ સર્વશિક્ષા અભિયાન મિશન અંતર્ગત કનીજ પે.સેન્ટર શાળાના નવીન શાળા સંકુલના ઉદ્દધાટન સમારોહમાં રાજયકક્ષાના પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ અને પ્રોટોકોલ મંત્રીશ્રી શ્રી જયસિંહ ચૌહાણે કર્યું હતું તે પ્રસંગે ઉપર મુજબ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: