અનુયાયીઓ

મંગળવાર, 27 માર્ચ, 2012

કુપોષણ નાબૂદી માટે પાલનપુર તાલુકાના ગઢ મુકામે દાતાઓ દ્વારા દાનની


કુપોષણ નાબૂદી માટે પાલનપુર તાલુકાના ગઢ મુકામે દાતાઓ દ્વારા દાનની જાહેરાત કરવામાં આવી.
કિશાન આગેવાન શ્રી ગિરિશભાઇ જગાણીયાના નેતૃત્વમાં પાલનપુર તાલુકાના ગઢ મુકામેથી ધારાસભ્યશ્રી ગોંવિદભાઇ પ્રજાપતિ અને ગઢના યુવાન અને ઉત્સાહી સરપંચશ્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ, આંગણવાડીના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં કુપોષણ નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતૃશ્રી મંગુબેન જેઠાભાઇ જગાણીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪ જેટલી આંગણવાડીઓમાં ૪ માસ માટે મગ, અને સરપંચશ્રી ખોડાભાઇ પટેલ દ્વારા  ૪ માસ માટે કઠોળ, મડાણા મેડીકલ ઓફીસર દ્વારા ૬ માસ માટે ચણા તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી દાનની જાહેરાત કરવામાં આવી હતી. તેવું પ્રમુખશ્રી શ્રીમતી એમ.જે.જગાણીયા ચેરીટેબલ ટ્રસ્ટ પાલનપુરની અખબારી યાદીમાં જણવાયું છે.
 આ પ્રસંગે અગ્રણીઓ સર્વશ્રી ખુશાલભાઇ પટેલ, શ્રી અમૃતભાઇ દેસાઇ, શ્રી વાલજીભાઇ પટેલ, શ્રી હરીભાઇ ભુટકા, શ્રી હીરાભાઇ પટેલ વગેરે મહાનુભવો હાજર રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી: