જીજીએન દ્વારા
અમદાવાદ :
જૂનાગઢ સિવિલમાં ગત્ વર્ષે થેલેસેમિયાગ્રસ્ત 23 બાળકોને એચઆઇવી પોઝિટીવ
લોહી ચડાવવાનાં કેસમાં ગુજરાત હાઇકોર્ટ બુધવારે સીબીઆઇ તપાસનો હુકમ કર્યો
છે.
ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયાધીશ
જે.બી.પારડીવાલાની ખંડપીઠે જાહેરહીતની અરજી પર સુનાવણી કરતા સીબીઆઇ
તપાસનો આદેશ કર્યો. હાઇકોર્ટે સીબીઆઇને એક મહિનામાં તપાસનો સ્ટેટ્સ
રિપોર્ટ ફાઇલ કરવા જણાવ્યુ છે.
ગત્ વર્ષે 23 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જૂનાગઢ સિવિલમાં લોહી ચડાવવામાં
આવ્યા બાદ તમામ બાળકોનો રિપોર્ટ એચઆઇવી પોઝિટીવ આવ્યો હતો. જેમાં બાળકોને
એચઆઇવી પોઝિટીવ લોહી ચડાવાયુ હોવાનું માલૂમ પડ્યુ હતુ. બાળકોનાં વાલીઓએ
સિવિલ હોસ્પિટલ સાથે સંકડાયેલી સર્વોદય બલ્ડ બેંકને જવાબદાર ગણાવી હતી.
23માંથી 2 બાળકોનાં છેલ્લા 1 વર્ષમાં મૃત્યુ થયા છે. અને સ્થાનિક પોલીસે
આ મામલે ફરિયાદ નોંધવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ બાળકોનાં વાલીઓ
દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. જે મામલે હાઇકોર્ટે ફરિયાદ
નોંધવાનો આદેશ કરતા કહ્યુ કે આ મામલાની તપાસ આઇપીએસ કક્ષાનાં અધિકારી
પાસે કરાવવામાં આવે.
સામાન્ય સ્થિતી શું છે ?
દરમિયાનમાં સૂત્રોએ જણાવ્યુ કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયાંતરે લોહી
ચડાવવુ પડતુ હોય છે. ઘણી વાર તંત્રની બેદરકારી અથવા લોહી એચઆઇવીગ્રસ્ત છે
કે કેમ તેની યોગ્ય ચકાસણીનાં અભાવે આવા બાળકોને ચડાવી દેવામાં આવે છે.
અન્ય રાજ્યોમાં અને રાજસ્થાનમાં આવા ઘણા કિસ્સા બન્યા છે, કે જેમાં
થેલેસેમિયાગ્રસ્ત બાળકોને એચઆઇવીગ્રસ્ત લોહી ચડાવી દેવામાં આવ્યુ હોય.
તંત્રની આવી કથિત બેદરકારીને કારણે નિર્દોષ બાળકોને આખી જિંદગી સહન કરવુ
પડે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો