પ્રોત્સાહિત કરતા સાંસદ બાલુકૃષ્ણ શુકલ
વડોદરા
વડોદરા મહાનગર સેવા સદન વિસ્તારની પ્રાથમિક શાળામાં શહેર વિસ્તારનો
ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ કાર્યક્રમ આજથી શરૂ થયો
છે. વડોદરાના નવાપુરા પૂ.ડૉંગરેજી મહારાજ અને સવાદની સ્વામી વિવેકાનંદ
પ્રાથમિક શાળા ખાતે વડોદરાના સાંસદશ્રી બાલુકુષ્ણ શુકલે નાના ભુલકાંઓને
ધો. ૧માં પ્રવેશ અપાવી શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદશ્રી બાલકુષ્ણ શુકલએ જણાવ્યું હતું કે રાજય સરકાર છેવાડાના અને
શહેરના સ્લમ વિસ્તારોના બાળકો શિક્ષણ લઈ આગળ આવે અને શહેર અને ગ્રામ્યનો
સમતોલ વિકાસ થાય તેવો દૃઢ નિર્ધાર છે ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ
માટે જાગૃત થાય અને નિયમિત શાળાએ મોકલે તો જ રાજય સરકારનો હેતુસર સિદ્ધ
થાય તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઈ રોકડીયએ
બાળકોને વાલીઓને ગમ્મત સાથે શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કર્યા હતા.
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે - યોગેશભાઈ પટેલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દંતેશ્વરની ભકત કવિ નરસિંહ
મહેતા પ્રાથમિક શાળામાં ૧૨૯ બાળકોનું નામાંકન
વડોદરા
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આજના
યુગમાં શિક્ષણની આવશ્યકતા પ્રથમ સ્થાને છે.
રાજયના સંસદિય સચિવ શ્રી યોગેશભાઈ પટેલે વડોદરા નગરની દંતેશ્વર ખાતેની
ભકતકવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ૧૨૯ બાળકોનું
નામાંકન કરાવતા ઉપર મુજબ જણાવ્યું હતું.
સંસદિય સચિવ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ સરકારે
પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તે સાથે શિક્ષણમાં ખૂટતી
તમામ ભૌતિક અને માનવીય સુવિધાઓને અગ્રતા આપી પૂરી કરી છે. શ્રી પટેલે
વાલીઓ અને શિક્ષકોને બાળક પુરતું શિક્ષણ મેળવે તેવી કાળજી રાખવા આ
પ્રસંગે અપીલ કરી હતી.
વડોદરા નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી મીનાબા પરમારે જણાવ્યું હતું
કે, આપણી પ્રાચિન ઋષિ પરંપરાને વર્તમાન સમયમાં સાર્થક થાય તે રીતે રાજય
સરકારે રાજયમાં અવતરનારા ગર્ભના બાળકથી લઈ તેને એક સારા નાગરિક બનાવવા
તમામા સુવિધાઓ આપતી યોજનાઓ અમલમાં મૂકી છે.
ભકત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં આજના પ્રસંગે મંદબુધિ ધરાવતા
બાળકોનો અને ગતવર્ષે શાળા છોડી ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ કરાવાયો હતો.
કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ
વિઘાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ, તેજસ્વી બાળકોનું સન્માન અને આંગણવાડીના
બાળકોને રમકડાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સદસ્યો, વાલીઓ નાગરિકો, શિક્ષકો અને
વિઘાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.
પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે ઃ
ફતેપુરાની વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વડોદરા
ક્રિકેટની મેચ, તેના ખેલાડીઓ હારજીત સાથે ફિલ્મની પટકથાઓ જેમ યાદ રહી જાય
છે. તેમ પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે. એમ વડોદરાના ફતેપુરા
વિસ્તારની વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે
ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળાએ જણાવ્યું હતું.
વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના મુખ્ય અતિથિ સ્થાનેથી રહી લાખાવાળાએ વધુમાં જણાવ્યું હતું
કે ગાયકવાડી રાજય વખતે મહારાજા સયાજીરાવે રાજયમાં શિક્ષણ ફરજીયાત
બનાવ્યું હતું અને શિક્ષણ નહિ લેનાર વિઘાર્થીના વાલીને દંડ કરવામાં આવ્યો
હતો. આજે રાજય સરકારે શૈક્ષણિક સુવિધાઓને સભર બનાવી બાલમંદિરથી માંડી
ઉચ્ચશિક્ષણ મેળવવાના તમામ દરવાજાઓ મોકળા મૂકયા છે. અને તેમાં
શિષ્યવત્ત્િા જેવી આર્થિક સહાયનો પણ વધારો કર્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જયોતિબેન પંડયાએ
જણાવ્યું હતું કે વિઘાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપે તેની વિઘાર્થી,
શિક્ષકો સાથે વાલીઓ પણ કાળજી રાખે. આજે ભણતર માટે તમામ પ્રકારની મદદ
વિઘાર્થીઓ અને વાલીઓને મળી રહી છે. તેવા સમયમાં બાળક શિક્ષણથી વંચિત રહી
જાય તો તે તમામ માટે કલંક સમાન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય
શ્રી આઈ.ડી.પટેલે પણ ઉપસ્થિતિ વિઘાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન સાથે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી
આપી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિઘાર્થીઓના સન્માન સાથે
વિઘાલક્ષ્મી બોન્ડ અને શિષ્યવૃત્ત્િાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓએ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નાના ભુલાકાઓને કુમકુમ તિલક,
ચોકલેટ, શૈક્ષણિક કિટસનું વિતરણ તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ગરીબ
વિઘાર્થીઓને શિષ્યવૃત્ત્િા તથા ધો. ૮ ની વિઘાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં
આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણગણ, અગ્રણીઓ, નગરજનો બાળકો વગેરે
ઉપસ્થિત રહયા હતા. શાળાના પ્રાંગણમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વડોદરા સયાજીગંજની રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી રથ
કાર્યક્રમનો પ્રવાસન રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પરત્વેની જાગૃતતા કેળવે
- રાજ્ય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા
વડોદરા
મહાનગર સેવા સદન વિસ્તારમાં શહેર વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા
કેળવણી રથનો ત્રણ દિવસનો કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. સયાજીગંજ
વિસ્તારની પૂ. શ્રી રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતે રાજ્યના પ્રવાસન અને
બિન નિવાસી, ગુજરાતી પ્રભાગ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની
બાબતોના રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાના હસ્તે ૮૨ જેટલા નાના
ભુલકાંઓને કુમકુમ તિલક, ચોકલેટ-શૈક્ષણિક કીટસ વિતરણ દ્વારા પ્રારંભ
કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દશ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસો થકી રાજ્યોનો
તમામ ક્ષેત્રોમાં વિકાસ હાંસલ કરી શકાયો છે. વિકાસના મુખ્ય પરિબળ એવા
શિક્ષણને મહત્ત્વ આપીને શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથ કાર્યક્રમોના
માધ્યમથી શિક્ષણની ટકાવારી વધી છે. શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે.
બાળકના શાળા પ્રવેશ માટે ઉત્સવ જેવું વાતાવરણ અને તમામ ભૌતિક સુવિધાઓથી
સંપન્ન સરકારી પ્રાથમિક શાળાઓ થકી બાળકો-વાલીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે
ત્યારે સમાજના અગ્રણીઓ અને વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
શિક્ષણ પરત્વે જાગૃતતા કેળવે તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
વધુમાં રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય
સરકારે શિક્ષણના વિકાસ માટે ૧,૩૩,૦૦૦ વિઘા સહાયકોની ભરતી, નવા ૭૫૦૦૦
વર્ગખંડોનું નિર્માણ, ૨૪૨૮૮ વિજ્ઞાન શાળાઓ, પ્રત્યેક શાળામાં કોમ્પ્યુટર
વર્ગો, ધો. ૮ના પ્રાથમિક શાળાઓમાં વર્ગોની શરૂઆત, ૫૨ જેટલી જુદી જુદી
યુનિવર્સિટીઓ, નવી ઇજનેરી કોલેજો શરૂ કરી છે. જેનો લાભ સમાજના તમામ
વર્ગોના બાળકો લઇ રહ્યા છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઇ રોકડિયાએ
જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ દ્વારા બાળકો શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત થાય તે માટે ધો.૧ના
બાળકોને સ્કૂલ બેગ, શાળાના ૩૮૫૦૦ વિઘાર્થીઓને 1 લાખ જેટલી નોટબુકનું
વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે
જાગૃતતા કેળવે તે જરૂરી છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી હરજીવનભાઇ પરબડિયાએ પ્રાસંગોચિત પ્રવચન
કર્યું હતું. તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ધો. ૮ની વિઘાર્થીનીને સાયકલ
વિતરણ, શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ તથા સીનિયર સીટિઝનનું સન્માન
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર સર્વેશ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઇ
પટેલ, સામાજિક કાર્યકરશ્રી હસમુખભાઇ પટેલ-વાલીઓ, શિક્ષક ગણ તથા
વિઘાર્થીઓ-બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો