અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ - કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

ત્રિદિસીય શહેરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રાનો પ્રારંભ
કન્યા કેળવણી રથયાત્રા અને શહેરી શાળા પ્રવેશોત્સવ ૨૦૧૨નો ત્રિદિસીય
કાર્યક્રમનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદની શાળાઓમાં આજથી પ્રારંભ
થયો છે.

બાપુનગર ગુજરાતી શાળા નં.૧,૨,૩ અને ૫ ના વિઘાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ
કરાવતાં કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસંિહ જાડેજાએ વાલીઓ અને
શિક્ષકોને ગરીબીનો અંધકાર દૂર કરવા દરેક પરિવારમાં જ્ઞાન દીપક પ્રગટાવીએ
એમ જણાવ્યું હતું.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના અધ્યક્ષીય સ્થાનેથી વિઘાર્થીઓ સાથે સીધા
સંવાદથી મંત્રીશ્રીએ તેમને આરોગ્ય, સ્વચ્છતા અને હાજરી નિયમિતતા અંગે
પ્રોત્સાહિત કર્યા હતા.
પ્રસંગોચિત પ્રવચનમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એકવીસમી સદી
શિક્ષણની સદી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની ભાવિ પેઢીને સશક્ત કરવા
પ્રાથમિક શિક્ષણને મજબૂત બનાવવાનું અભિયાન આદર્યું છે. સરકારે રાજ્યના
બાળકોને સંસ્કારો અને ગુણવાન બનાવવા સંપૂર્ણ સુવિધાઓથી શિક્ષણ આપવા
સજ્જતા કેળવી છે. ત્યારે વિઘાર્થીઓના હિતમાં વાલીઓ અને શિક્ષકોએ પોતાની
તત્પરતા દાખવવી પડશે.
સરકારે શાળા પ્રવેશોત્વ, ગુણોત્સવ, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા
ભાવિપેઢીને તંદુરસ્ત અને ટેકનોક્રેટ બનાવવા કમર કસી છે.
અતિથિ વશિેષપદેથી આરોગ્ય વિભાગના સંયુકત સચવિ શ્રી હારિત શુકલાએ રાજ્યમાં
ધટેલા ડ્રોપઆઉટ રેશિયા એ નાગરિકોમાં શિક્ષણની સભાનતા દર્શાવે છે.
વિઘાર્થીઓની શ્રેષ્ઠ અને ઉચ્ચ કારકિર્દી માટે સરકાર દ્વારા બાળકોના શાળા
પ્રવેશોત્સવનું સન્માન વઘિાર્થીઓમાં હકારાત્મક પીઠબળ પુરૂ પાડે છે જેમાં
સૌને સહભાગી થવાનું છે.
આ પ્રસંગે બાપુનગર વોર્ડના કાઉન્સીલરો, અગ્રણી નાગરિકોએ શાળા પ્રવેશોત્સવ
કરનારા બાળકોને દફતર પુસ્તકોનું વિતરણ કર્યું હતું. મહાનુભાવો દ્વારા
હાજરી નિયમિતતા અને શ્રેષ્ઠ પરિણામ તેમજ ઉત્તમ કામગીરી કરનારા
વઘિાર્થીઓનું પ્રોત્સાહન ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
બાલવાડીના બાળકોને રમકડાં અને વિઘાર્થીઓ ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી: