અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

શિક્ષીત અને સંસ્કાોરી ગુજરાત બનાવવા પ્રવેશોત્સવ ઉ૫યોગી મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી જામનગર જિલ્લામાં શહેરી વિસ્તારોના પ્રવેશોત્સવનો શુભારંભ કરાવતા પ્રો. વસુબેન ત્રિવેદી

જામનગર જિલ્લાના શહેરી વિસ્તારોમાં પ્રવેશોત્સવનો રાજ્યના મહિલા બાળ
વિકાસ અને ટેકનિકલ ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી પ્રો. વસુબેન
ત્રિવેદીએ પ્રારંભ કરાવ્યો હતો.
જામનગર નજીક સિક્કા ખાતે હર્ષોલ્લાસ વચ્ચે બાળકોને કુમકુમ તિલક કરી
શુભકામના પાઠવી પ્રાસંગિક પ્રવચનમાં મંત્રીશ્રીએ શિક્ષીત અને સંસ્કા રી
ગુજરાત બનાવવામાં પ્રવેશોત્સવ ઉ૫યોગી હોવાનું જણાવી રાજ્યમાં શિક્ષણના
પ્રમાણમાં અને સ્થાયીકરણમાં વધારો કરીને ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો લાવવામાં
પ્રવેશોત્સવનું અમુલ્ય યોગદાન હોવાનું કહી શિક્ષકો બાળકોના ભાવિ
નિર્માણની ઉમદા ફરજ બજાવે તેમ જણાવ્યું હતું.
તેઓએ મેરીટના ધોરણે શિક્ષકોની વ્યા૫ક ભરતી, ગુણોત્સવ દ્વારા સતત શાળાઓનું
મુલ્યાંકન કરી ગુણવતામાં વધારાનો પ્રયાસ, શાળાના ઓરડાઓની સંખ્યાભમાં
વધારો જેવા નક્કર ૫ગલાઓથી ગુજરાત શિક્ષણ ક્ષેત્રે દેશમાં સર્વોચ્ચ સ્થાન
હાંસલ કરે તે દિવસો દૂર નથી તેમ જણાવ્યું હતું.
મંત્રીશ્રી પ્રો. ત્રિવેદીએ રાજ્યનાં તમામ વર્ગના લોકોના વિકાસ માટે
રાજ્ય સરકારે લીધેલ શ્રેણીબધ્ધ ૫ગલાઓની વિસ્તૃેત માહિતી આપી હતી.
આગણવાડીના બાળકોને પોષક આહાર, ગર્ભસ્થ મહિલાઓન. પોષક આહાર, ધો. ૮ બાદ આઇ.
ટી. આઇ.નો કોર્ષ પૂર્ણ કરનારને ડીપ્લોલમા એન્જીનીયરીંગમાં સીધો પ્રવેશ
જેવા ૫ગલાં ઉલ્લેખનીય હોવાનું જણાવ્યું હતું.
તેઓએ રાજ્યની ૪૨ યુનિવર્સિટીઓમાં મેરીટના ધોરણે પ્રવેશની વ્યવસ્થા સપ્તષ
ધારા યોજના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સેવાની તક. સરકારી શાળામાં બાળક
દીઠ ૭ થી ૮ હજારનો ખર્ચ જેવા શિક્ષણો૫યોગી ૫ગલા અંગે ૫ણ માહિતી આપી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે પ્રવેશ મેળવતા બાળકોને
શૈક્ષણિક કીટ તેમજ આંગણવાડીના બાળકોને રમકડાનુ વિતરણ કરવામાં આવ્યું
હતું. મંત્રીશ્રીના હસ્તે વૃક્ષારો૫ણ ૫ણ શાળામાં કરવામાં આવ્યું હતું.
આ સમારંભમાં અગ્રણીઓ ડો. વિનુભાઇ ભંડેરી, ગુલાબસિંહજી જાડેજા,
અધિકારીશ્રી, પદાધિકારીઓ અને વાલીઓ તથા બાળકો ઉ૫સ્થિત રહ્યા હતા.


હંમેશા અભ્યાસમાં તેજસ્વી બની રહેવા કાળજી રાખજો
સલાયાની પાંચ શાળાના બાળકોને પ્રવેશોત્સવમાં ગુજરાત ગૌણ સેવા - પસંદગી
મંડળના અધ્યક્ષ શ્રી પ્રકાશ સોની દ્વારા પ્રવેશ અપાયો
જામનગર જિલ્લામાં શહેરી વિસ્તારની શાળાઓના પ્રવેશોત્સવના ભાગરૂપે સલાયાની
પાંચ શાળાના ૫૨૭ બાળકોને કુમકુમ તિલક દ્વારા પ્રવેશ અપાવી શીખ આ૫તા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી પ્રકાશ સોનીએ જણાવ્યુ હતું
કે હંમેશા અભ્યાસમાં તેજસ્વી બની રહેવા કાળજી રાખજો.રાજ્ય સરકાર દ્વારા
શિક્ષણ મેળવવા અપાતા પ્રોત્સાહનોનો સંપુર્ણ લાભ લઇ શૈક્ષણિક રીતે રાજ્યને
સર્વોચ્ચ સ્થાન અપાવવામાં સહભાગી બનવા તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહન માટેની અનેક વિધ યોજનાઓ
તેમજ સમાજના તમામ વર્ગના લોકોનો સમાવેશ કરતા હિતકારી પગલાઓ વિશે
શ્રીસોનીએ વિસ્તૃત માહિતી આપી હતી.તેઓએ શિક્ષકોને ૫ણ નિષ્ઠા પુર્વક ફરજ
બજાવી બાળકોના ભવિષ્યણ નિર્માણમાં અમુલ્ય યોગદાન આ૫વા કટીબધ્ધ રહેવા હાકલ
કરી હતી.
આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી મેઘજીભાઇ કણજારીયાએ
પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વિના મૂલ્યે પાઠ્ય પુસ્તકોની સુવિધા જેવા રાજ્ય
સરકારના ૫ગલાઓથી રાજ્યમાં શિક્ષણ મેળવવા માટે ઉત્સાતહનું વાતાવરણ સર્જાયુ
હોવાનું જણાવ્યુ હતુ.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ, આંગણવાડીના બળકોને રમકડા
વિતરણ તેમજ વૃક્ષારોપણ ૫ણ કરવામાં આવ્યુ હતું.
આ સમારંભમાં અધિકારીઓ પદાધિકારીઓ સહિત બાળકો તથા વાલીઓ મોટી સંખ્યાનમાં
ઉ૫સ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી: