અનુયાયીઓ

ગુરુવાર, 28 જૂન, 2012

નવાપુરા અને સવાદ પ્રાથમિક શાળા ખાતે નાના ભુલકાઓને પ્રવેશ અપાવી પ્રોત્સાહિત કરતા સાંસદ બાલુકૃષ્ણ શુકલ

વડોદરા
વડોદરા મહાનગર સેવા સદન વિસ્તારની પ્રાથમિક શાળામાં શહેર વિસ્તારનો
ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથ કાર્યક્રમ આજથી શરૂ થયો
છે. વડોદરાના નવાપુરા પૂ.ડૉંગરેજી મહારાજ અને સવાદની સ્વામી વિવેકાનંદ
પ્રાથમિક શાળા ખાતે વડોદરાના સાંસદશ્રી બાલુકુષ્ણ શુકલે નાના ભુલકાંઓને
ધો. ૧માં પ્રવેશ અપાવી શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સાંસદશ્રી બાલકુષ્ણ શુકલએ જણાવ્યું હતું કે રાજય સરકાર છેવાડાના અને
શહેરના સ્લમ વિસ્તારોના બાળકો શિક્ષણ લઈ આગળ આવે અને શહેર અને ગ્રામ્યનો
સમતોલ વિકાસ થાય તેવો દૃઢ નિર્ધાર છે ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ
માટે જાગૃત થાય અને નિયમિત શાળાએ મોકલે તો જ રાજય સરકારનો હેતુસર સિદ્ધ
થાય તેમ સાંસદશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઈ રોકડીયએ
બાળકોને વાલીઓને ગમ્મત સાથે શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત કર્યા હતા.


રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે - યોગેશભાઈ પટેલ
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત દંતેશ્વરની ભકત કવિ નરસિંહ
મહેતા પ્રાથમિક શાળામાં ૧૨૯ બાળકોનું નામાંકન
વડોદરા
રાજય સરકારે શિક્ષણક્ષેત્રે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આજના
યુગમાં શિક્ષણની આવશ્યકતા પ્રથમ સ્થાને છે.
રાજયના સંસદિય સચિવ શ્રી યોગેશભાઈ પટેલે વડોદરા નગરની દંતેશ્વર ખાતેની
ભકતકવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ૧૨૯ બાળકોનું
નામાંકન કરાવતા ઉપર મુજબ જણાવ્યું હતું.
સંસદિય સચિવ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે દસ વર્ષ અગાઉ સરકારે
પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો તે સાથે શિક્ષણમાં ખૂટતી
તમામ ભૌતિક અને માનવીય સુવિધાઓને અગ્રતા આપી પૂરી કરી છે. શ્રી પટેલે
વાલીઓ અને શિક્ષકોને બાળક પુરતું શિક્ષણ મેળવે તેવી કાળજી રાખવા આ
પ્રસંગે અપીલ કરી હતી.
વડોદરા નગર શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષશ્રી મીનાબા પરમારે જણાવ્યું હતું
કે, આપણી પ્રાચિન ઋષિ પરંપરાને વર્તમાન સમયમાં સાર્થક થાય તે રીતે રાજય
સરકારે રાજયમાં અવતરનારા ગર્ભના બાળકથી લઈ તેને એક સારા નાગરિક બનાવવા
તમામા સુવિધાઓ આપતી યોજનાઓ અમલમાં મૂકી છે.
ભકત કવિ નરસિંહ મહેતા પ્રાથમિક શાળામાં આજના પ્રસંગે મંદબુધિ ધરાવતા
બાળકોનો અને ગતવર્ષે શાળા છોડી ગયેલા બાળકોના પુનઃ પ્રવેશ કરાવાયો હતો.
કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ
વિઘાર્થીઓને શિષ્યવૃત્તિ વિતરણ, તેજસ્વી બાળકોનું સન્માન અને આંગણવાડીના
બાળકોને રમકડાંઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાના સદસ્યો, વાલીઓ નાગરિકો, શિક્ષકો અને
વિઘાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.


પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે ઃ
ફતેપુરાની વીર ભગતસિંહ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
વડોદરા
ક્રિકેટની મેચ, તેના ખેલાડીઓ હારજીત સાથે ફિલ્મની પટકથાઓ જેમ યાદ રહી જાય
છે. તેમ પુસ્તકના પાઠો પણ યાદ રાખવા સહેલા છે. એમ વડોદરાના ફતેપુરા
વિસ્તારની વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે
ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઈ લાખાવાળાએ જણાવ્યું હતું.
વડોદરા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા યોજાયેલા કન્યા કેળવણી અને શાળા
પ્રવેશોત્સવના મુખ્ય અતિથિ સ્થાનેથી રહી લાખાવાળાએ વધુમાં જણાવ્યું હતું
કે ગાયકવાડી રાજય વખતે મહારાજા સયાજીરાવે રાજયમાં શિક્ષણ ફરજીયાત
બનાવ્યું હતું અને શિક્ષણ નહિ લેનાર વિઘાર્થીના વાલીને દંડ કરવામાં આવ્યો
હતો. આજે રાજય સરકારે શૈક્ષણિક સુવિધાઓને સભર બનાવી બાલમંદિરથી માંડી
ઉચ્ચશિક્ષણ મેળવવાના તમામ દરવાજાઓ મોકળા મૂકયા છે. અને તેમાં
શિષ્યવત્ત્િા જેવી આર્થિક સહાયનો પણ વધારો કર્યો છે.
આ પ્રસંગે ઉપસ્થિત વડોદરા મહાનગરપાલિકાના મેયર ડૉ. જયોતિબેન પંડયાએ
જણાવ્યું હતું કે વિઘાર્થીઓ શાળામાં નિયમિત હાજરી આપે તેની વિઘાર્થી,
શિક્ષકો સાથે વાલીઓ પણ કાળજી રાખે. આજે ભણતર માટે તમામ પ્રકારની મદદ
વિઘાર્થીઓ અને વાલીઓને મળી રહી છે. તેવા સમયમાં બાળક શિક્ષણથી વંચિત રહી
જાય તો તે તમામ માટે કલંક સમાન છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય
શ્રી આઈ.ડી.પટેલે પણ ઉપસ્થિતિ વિઘાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન સાથે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓમાં ઉભી કરાયેલી સુવિધાઓની માહિતી
આપી હતી. પ્રવેશોત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિઘાર્થીઓના સન્માન સાથે
વિઘાલક્ષ્મી બોન્ડ અને શિષ્યવૃત્ત્િાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિઘાર્થીઓએ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે નાના ભુલાકાઓને કુમકુમ તિલક,
ચોકલેટ, શૈક્ષણિક કિટસનું વિતરણ તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ગરીબ
વિઘાર્થીઓને શિષ્યવૃત્ત્િા તથા ધો. ૮ ની વિઘાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં
આ કાર્યક્રમમાં કોર્પોરેટરશ્રીઓ, શિક્ષણગણ, અગ્રણીઓ, નગરજનો બાળકો વગેરે
ઉપસ્થિત રહયા હતા. શાળાના પ્રાંગણમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે
વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


વડોદરા સયાજીગંજની રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી રથ
કાર્યક્રમનો પ્રવાસન રાજ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો
વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ પરત્વેની જાગૃતતા કેળવે
- રાજ્ય મંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયા
વડોદરા
મહાનગર સેવા સદન વિસ્તારમાં શહેર વિસ્તારનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા
કેળવણી રથનો ત્રણ દિવસનો કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો છે. સયાજીગંજ
વિસ્તારની પૂ. શ્રી રંગ અવધૂત પ્રાથમિક શાળા ખાતે રાજ્યના પ્રવાસન અને
બિન નિવાસી, ગુજરાતી પ્રભાગ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની
બાબતોના રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાના હસ્તે ૮૨ જેટલા નાના
ભુલકાંઓને કુમકુમ તિલક, ચોકલેટ-શૈક્ષણિક કીટસ વિતરણ દ્વારા પ્રારંભ
કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્રભાઇ સુખડિયાએ જણાવ્યું હતું કે,
છેલ્લા દશ વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના ભગીરથ પ્રયાસો થકી રાજ્યોનો
તમામ ક્ષેત્રોમાં વિકાસ હાંસલ કરી શકાયો છે. વિકાસના મુખ્ય પરિબળ એવા
શિક્ષણને મહત્ત્વ આપીને શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી રથ કાર્યક્રમોના
માધ્યમથી શિક્ષણની ટકાવારી વધી છે. શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે.
બાળકના શાળા પ્રવેશ માટે ઉત્સવ જેવું વાતાવરણ અને તમામ ભૌતિક સુવિધાઓથી
સંપન્ન સરકારી પ્રાથમિક શાળાઓ થકી બાળકો-વાલીઓમાં શિક્ષણની ભૂખ જાગી છે
ત્યારે સમાજના અગ્રણીઓ અને વાલીઓ પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે
શિક્ષણ પરત્વે જાગૃતતા કેળવે તેવી મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
વધુમાં રાજ્યમંત્રીશ્રી જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય
સરકારે શિક્ષણના વિકાસ માટે ૧,૩૩,૦૦૦ વિઘા સહાયકોની ભરતી, નવા ૭૫૦૦૦
વર્ગખંડોનું નિર્માણ, ૨૪૨૮૮ વિજ્ઞાન શાળાઓ, પ્રત્યેક શાળામાં કોમ્પ્યુટર
વર્ગો, ધો. ૮ના પ્રાથમિક શાળાઓમાં વર્ગોની શરૂઆત, ૫૨ જેટલી જુદી જુદી
યુનિવર્સિટીઓ, નવી ઇજનેરી કોલેજો શરૂ કરી છે. જેનો લાભ સમાજના તમામ
વર્ગોના બાળકો લઇ રહ્યા છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી કેયુરભાઇ રોકડિયાએ
જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ માટે સતત ચિંતિત છે. નગર પ્રાથમિક
શિક્ષણ સમિતિ દ્વારા બાળકો શિક્ષણ પરત્વે પ્રોત્સાહિત થાય તે માટે ધો.૧ના
બાળકોને સ્કૂલ બેગ, શાળાના ૩૮૫૦૦ વિઘાર્થીઓને 1 લાખ જેટલી નોટબુકનું
વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાલીઓ પોતાના બાળકોના શિક્ષણ માટે
જાગૃતતા કેળવે તે જરૂરી છે.
આ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી હરજીવનભાઇ પરબડિયાએ પ્રાસંગોચિત પ્રવચન
કર્યું હતું. તેજસ્વી વિઘાર્થીઓનું સન્માન, ધો. ૮ની વિઘાર્થીનીને સાયકલ
વિતરણ, શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ તથા સીનિયર સીટિઝનનું સન્માન
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોર્પોરેટર સર્વેશ્રીમતી રંજનબેન ભટ્ટ, શ્રી જીતેન્દ્રભાઇ
પટેલ, સામાજિક કાર્યકરશ્રી હસમુખભાઇ પટેલ-વાલીઓ, શિક્ષક ગણ તથા
વિઘાર્થીઓ-બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

ટચૂકડા ટીંબી તવરા ગામમાં સખીમંડળની બહેનોને ઈમેટેશન જવેલરી બનાવવામાં
કાઠું કાઢયું છે
દુલ્હન સેટ, પાયલ અને હાથના લૂઝ જેવી જવેલરીની માંગ
વડોદરા
વડોદરા જિલ્લાના વાધોડિયા તાલુકાનું નાનું અમથું ટીંબી (તવરા) ગામ આજની
આધુનિક અને ફેશનેબલ યુવતીઓની સુંદરતામાં વધારો કરવાનું કામ કરે છે. ટીંબી
ગામમાં વર્લ્ડકલાસ બ્યુટી પાર્લર નથી છતાં શહેરી અને ગ્રામ્ય કન્યાઓની
સુંદરતામાં વધારો કરતાં અલંકારોનું સર્જન થાય છે. ટચૂકડા એવા ટીંબી
(તવરા) ગામમાં જુલાઈ ૨૦૦૮ પહેલાં ગામની સામાન્ય મધ્યમ વર્ગની બહેનો ગામના
આર્થિક રીતે પછાતપણાને લીધે ખેતમજૂર તરીકે ટાઢ, તડકો કે વરસતા વરસાદમાં
મજૂરી કરીને જીવનનો ગુજારો કરતી હતી ખેતમજૂર તરીકે અથાગ પરિશ્રમ બાદ બે
છેડા ભેગા નહોતા થતાં પણ પેટના ખાડો અવશ્ય પુરાતો હતો.
મહેનતકશ આ મહિલાઓમાં કંઈક કરી છૂટવાની ભારોભાર તમન્ના ખરી પણ શું કરવું
તે સૂઝતું નહોતું. હૈયે હામ રાખી સુખી થવાના સમણાં જોતી, અને સમણું
પૂラરું કરવા ગામની આંગણવાડી કાર્યકર મુમતાઝબેન વ્હોરાએ બહેનોને દોડવું
હતું અને ઢાળ મળ્યો - જેવી પ્રેરણા આપી કે, સખી મંડળની રચના કરો. ગામની જ
પંદર જેટલી લધુમતી વર્ગની બહેનોએ ભેગા મળી વાતને વધાવી લીધી. આ વધામણાએ
ટીંબી ગામમાં ઇમિટેશન જવેલરીનો ધંધો કરવા અનામિકા સખી મંડળની રચના કરી.
દર મહિને રૂા. ૭૫૦/-ની નિયમિત બચત કરીને ભંડોળ એકત્ર કર્યું અનામિકા
સખીમંડળની સુચારુ વ્યવસ્થાથી પ્રેરાઈને રૂા. ૧૦,૦૦૦/- નું રિવોલ્વિંગ ફંડ
મળતા આ ગ્રામીણ બહેનોનો ઉત્સાહ બમણો કર્યો.
લધુમતી વર્ગની ગ્રામીણ બહેનોએ આગળ વધવા ઈમિટેશન જવેલરી બનાવવાનું શરૂ
કરતાં અને તે માટેની બજાર વ્યવસ્થા મળતા દેવાદારમાંથી આર્થિક સંપન્નતા
પ્રાપ્ત કરી છે. અનામિક સખી મંડળના પ્રમુખ શ્રીમતી મુમતાઝબેન યુસુફભાઈ
મન્સુરી અને મંડળના મંત્રી શ્રીમતી તાહેરાબાનુ રફીકભાઈ મન્સુરીએ ઈમિટેશન
જવેલરી બનાવવા માટે વાધોડિયા સ્થિત દેના બેન્કમાંથી રૂા. ૨,૧૦,૦૦૦/- ની
લોન મેળવી તેની સામે સરકારી રૂા. ૭૫૦૦૦/- ની સબસિડી આપતા ઈમિટેશન
જવેલરીને વેગ મળ્યો છે.
નવરાત્રિ હોય કે દિવાળી હોય કે ઈદ હોય કે શહેરમાં રહેતી કૉલેજ કન્યા હોય
તે કૉલેજના ફંકશનમાં આવી ઈમિેટેશન જવેલરીના આભૂષણોથી સજ્જ થઈને આવે છે
ત્યારે તેની સુંદરતામાં વધારો નજરે પડે છે. મુમતાઝબેન મન્સુરીએ જણાવ્યું
કે, ગળાના સેટ, હાથના લૂઝ, પાયલ અને દુલ્હન સેટ બનાવીને સ્થાનિક બજારમાં
ઝડપથી વેચાઈ જાય છે. લગ્નગાળામાં અને ગૌરીવ્રતના પર્વોમાં માંગ ઊંચી રહે
છે. બહેનો પણ લગ્નશાળા જેવા પ્રસંગોમાં સતત કામ કરીને વધુને વધુ ગળાના
સેટ, પાયલ હાથના લૂજ બનાવીને જવેલરી પૂરી પાડે છે.


કોમ્પ્યુટરના ટુંકાગાળાના વ્યવસાયી કોર્ષના પ્રમાણપત્રો મેળવી લેવા
વડોદરા
વડોદરાની તરસાલી ખાતે આવેલી ઔઘોગિક તાલીમ સંસ્થા ખાતે કોમ્પ્યુટરના
ટૂંકાગાળાના વ્યવસાયની લેવાયેલી પરીક્ષાના પ્રમાણપત્રો આ પરીક્ષા આપેલ
વિઘાર્થીઓએ મેળવી લેવા. તા. ૧૭/૧૦/૨૦૧૧ અને તા. ૨૯/૦૩/૨૦૧૨ના રોજ
લેવાયેલી ડી.ઈ.ઓ., ડી.ટી.પી. અને ફાઈનાન્સીયલ એકાઉન્ટન્સી પરીક્ષા જે
તાલીમાંર્થીઓએ આપી હતી તેમણે તેમના પ્રમાણપત્રો સંસ્થાના કામકાજ દિવસોમાં
સવારના ૧૧.૦૦ થી સાંજના ૪.૦૦ કલાક દરમિયાન રૂબરૂ આવી મેળવી લેવા. ઔઘોગિક
તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

શિક્ષિત બાળકોજ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકશે - નીતિનભાઇ પટેલ
શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો નડિયાદ ખાતેથી
શુભારંભ કરાવતા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
નડિયાદ શહેરની ૧૬ જેટલી નગર પાલિકા હસ્તકની શાળાઓમાં બાળકોનું નામાંકન
નડિયાદ
રાજય વ્યાપી ત્રિદિવસીય શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ શહેરની ૧૬ જેટલી નગર
પાલિકા હસ્તકની શાળાઓમાં ધોરણ-૧માં ૩૨ બાળકો, આંગણવાડીના બાળકો અને
ધો-૮માં બાળકોનું શાળા નામાંકન કરાવતા રાજયના પાણી પુરવઠા, જળસંપત્તિ,
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું
હતું કે, શિક્ષિત બાળકોજ શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકશે. મંત્રીશ્રીએ
ઉમેર્યુ હતું કે, રાજયમાં છેલ્લા દશ વર્ષથી યોજાતા શાળા પ્રવેશોત્સવ
કન્યા કેળવણી અભિયાનના ક્રાંતિકારી પરિણામો મળ્યા છે. રાજયમાં કન્યા
શિક્ષણનો વ્યાપ વધતા સ્ત્રી સાક્ષરતામાં વધારો થયો છે. એટલું જ નહિં
બાળકોનું સો ટકા નામાંકન અને સ્થાયીકરણ થતાં ડ્રોપ આઉટ રેશીયો ધટયો છે.
ત્યારે સરકાર, શાળા પરિવારના શિક્ષકવૃંદ સાથે સાથે બાળકોના માતા-પિતા પણ
જો થોડોક વધારે રસ લે તો બાળકનું આવનાર ભવિષ્ય ખુબ જ ઉજળું અને ગૌરવવંતુ
બની રહેશે સાથે સાથે રાજય અને દેશનું પણ દુનિયામાં નામ રોશન થશે. દરેક
વાલીએ પોતાના બાળકો નિયમિત શાળાએ જાય તે જોવા અનુરોધ કરી મહત્તમ શિક્ષણ
આપવા જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ પ્રવેશપાત્ર બાળકો તથા આંગણવાડીના ભૂલકાંઓનો ઉમંગ અને
ઉલ્લાસમય જોતા તેઓએ નડિયાદની ભૂમિના સાક્ષરોને યાદ કરી શહેરની ભવ્ય
ઇતિહાસને અવિરત આગળ ધપાવવા અપીલ કરી હતી. તેઓશ્રીએ જણાવ્યું હતું કે,
પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણાની દિશામાં રાજય સરકારે સર્વગ્રાહી
પગલા લીધા છે. રાજયમાં હજારો વિઘાસહાયકોની ભરતી, હજારોથી વધુ નવા ઓરડા,
શૌચાલયો તથા પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ઉભી કરવામાં આવી છે.
સરકારના આ પ્રયત્નોના પરિણામે સમાજમાં કન્યા શિક્ષણનું પ્રમાણ વધ્યું છે
ત્યારે આપણે સૌએ ભેગા મળી એવા સામાજિક વાતાવરણનું નિર્માણ કરવું જોઇએ.
જેથી શાળા સાથે સામાજિક સંવેદના જોડાશે અને પરિણામલક્ષી કામગીરી થશે.
શાળાના બાળકોએ પ્રાર્થના તેમજ યોગનું નિદર્શન કર્યુ હતું. આ પ્રસંગે
મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ્સ, આંગણવાડીના
બાળકોને રમકડાં, ધો-૧ થી ૮ના તેજસ્વી તારલાઓનું બહુમાન, શિષ્યવૃતિ
યોજનાના લાભાર્થી વિઘાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે
ઉલ્લ્ેખનીય છે કે, નડિયાદ નગરપાલિકા હસ્તકની ૧૬ પ્રાથમિક શાળાઓમાં
ધો-૧માં ૩૨, બાળકો તથા ધો-૮માં ૫૭૫ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવ્યું
હતું અને આંગણવાડીના બાળકોને પણ રમકડાં અપર્ણ કરી પ્રવેશ આપવામાં આવ્યો
હતો. જયારે ૨૭ વિઘાર્થીનીઓને વિઘાલક્ષ્મી બોન્ડ આપવામાં આવ્યા હતાં અને
સિલાઇ મશીનનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇ, નગરપાલિકા
પ્રમુખશ્રી સંજયભાઇ, પૂર્વમંત્રીશ્રી બિમલભાઇ શાહ, નડિયાદ નગરપાલિકાના
સદસ્યો, જિલ્લા કલેકટરશ્રી અમે.વી.પારગી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
સંદિપકુમાર સાંગલે, ચીફ ઓફિસરશ્રી પરીખ, નડિયાદ શહેરની વિવિધ પ્રાથમિક
શાળાનો શિક્ષકવૃંદ, વાલીઓ અને વિશાળ સંખ્યામાં વિઘાર્થી સમુદાય ઉપસ્થિત
રહયો હતો. જયારે સમગ્ર સમારંભની સફળ સંચાલન જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
ર્ડા. મધુકરભાઇ એસ. આચાર્યએ કર્યુ હતું.


નડિયાદ નગરની નગરચર્યા કરતાં શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
શહેરી વિસ્તારના ચંપા તલાવડીના રહીશો સાથે ચર્ચા કરતા મંત્રીશ્રી
મંત્રીશ્રીએ શહેરમાં ચાલી રહેલ વિકાસીય કામોનું રૂબરૂ મુલ્યાંકન અને
પ્રગતિની ચકાસણી કરી
રાજય વ્યાપી ત્રિદિવસીય શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા
કેળવણી મહોત્સવ નિમિત્તે ખેડા જિલ્લાના નડિયાદ શહેરની મુલાકાતે આવેલ
રાજયના પાણી પુરવઠા, જળસંપત્તિ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે શહેરના ચંપા તલાવડી વિસ્તારમાં રહેતા ઠાકોર
સમાજના રહિશો સાથે તેઓના વિસ્તારના વિકાસ અર્થે જરૂરી પ્રશ્નોની ચર્ચા
વિમર્ષ કરી હતી અને તેઓના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિકાલ કર્યો હતો. આ
પ્રસંગે ઉપસ્થિત ઠાકોર સમાજના બહેનોને ખાસ આગ્રહ કરી જણાવ્યું હતું કે,
તેઓ તેઓના બાળકોનો અભ્યાસ પૂર્ણ કરાવે અને જે વડિલોને અક્ષરજ્ઞાન નથી
તેવા વડિલોને અક્ષરજ્ઞાન માટે ખાસ વ્યવસ્થા કરવા વહિવટીતંત્રને જરૂરી
સૂચન કર્યું હતું.
મંત્રીશ્રીએ નડિયાદના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા વિકાસના કાર્ય જેવાં
કે, પીવાની પાણીની ટાંકીના કામો, રસ્તાના કામો, ગટરના કામોનું જાત
નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી માર્ગદર્શન પુરું પાડી કામોને ત્વરીત
પૂર્ણ કરવા સૂચવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજકુમાર દેસાઇ, નગરપાલિકા
પ્રમુખશ્રી સંજયભાઇ, નડિયાદ નગરપાલિકાના સદસ્યો, ચીફ ઓફિસરશ્રી પરીખ,
જેને વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહીને મંત્રીશ્રીને વિકાસના કામોથી
માહિતી ગાર કર્યા હતા.

ચાંગાના હેમાંગીબેન સોલંકી માલાવાડાથી ગુમ
હેમાંગીબેન વિનોદભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે.ચાંગા વણકરવાસ તા.પેટલાદ એક માસથી
તેના ફૂવા શાંતિલાલ યાકુબભાઇ મકવાણા, માલાવાડાને ત્યાં રહેતી હતી. જે
કોઇને જાણ કર્યા સિવાય કયાંક ચાલી ગઇ છે. તેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ ૫.૪ ઇંચ, રંગે ધંઉવર્ણા, પાતળો બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે ગુલાબી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. જેની લીંબાસી
પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.


સારસા પગીવગાના વિનોદાબેન પોતાના પિયર આલમપુરાથી ગુમ
વિનોદાબેન રઇજીભાઇ શાવજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૫ રહે. સારસા પગીવગો પોતાના પિયર
આલમપુરા તા.કપડવંજથી પોતાના ધરે જવા માટે નીકળેલા જે ધરે પરત આવેલ નથી.
જેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ પ ફુટ, રંગે શ્યામવર્ણા, મજબુત બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે સફેદ કલરની ગુલાબી પટ્ટાવાળી સાડી, સફેદ કલરનો
બ્લાઉઝ, સફેદ કલરનો ચણીયો પહેરેલ છે. જમણી આંખ ઉપર કાળા તલનું નિશાન છે.
જેની કપડવંજ પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.

ભૂતિયાના મિરલબેન રાઠોડ પોતાના બે વર્ષના પુત્ર સાથે ગુમ
મિરલબેન દિનેશભાઇ ડાહયાભાઇ રાઠોડ ઉ.વ.૩૦ રહે. ભૂતિયા જૂના ખેડા તા.
કપડવંજ પોતાના ધરેથી પોતાનો દિકરો ઉ.વ.૨ ને સાથે લઇ અસ્થિર મગજના કારણે
ઘરે કોઇને કહયા સિવાય કયાંક જતા રહયા છે. તેની તપાસ કરતા મળી આવેલ નથી.
ગુમ થનારની ઉંચાઇ ૫.૫, રંગે શ્યામવર્ણા, પાતળો બાંધો, વાળ કાળા, આંખનો
કલર કાળો છે. શરીરે વાદળી કલરની સાડી બ્લાઉઝ તથા ચણીયો પહેરેલ છે. દિકરો
રંગે શ્યામવર્ણા, વાળ કાળા, આંખનો કલર કાળો છે. શરીરે વાદળી કલરની ચડ્ડી
તથા જર્શી પહેરેલ છે. પગમાં વાદળી કલરના ચંપલ પહેરેલ છે. જેની કપડવંજ
રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી છે.


ગુણવત્તાયુકત શિક્ષણની હિમાયત કરતા આદિજાતિ રાજ્ય્મંત્રીશ્રી
દાહોદ શહેરી વિસ્તાીરના શાળા પ્રવેશોત્સિવનો શુભારંભ
દાહોદઃ-.રાજ્યાનો એકપણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે એવા આશય સાથે
શહેરી વિસ્તાારના શાળા પ્રવેશોત્સાવની ઉજવણી સાથે બાળ આરોગ્યથ જાળવણી
માટે પણ રાજ્યશ સરકારે ચિંતા સેવી છે. એમ આદિજાતિ વિકાસ પંચાયત અને
ગ્રામગૃહ નિર્માણ રાજ્યય મંત્રીશ્રી જસવંતસિંહ ભાભોરે આજે દાહોદ ખાતે
શાળા પ્રવેશોત્સ્વનો શુભારંભ કરતા જણાવ્યુંવ હતું.
દાહોદ નગરપાલીકા વિસ્તારરની પ્રા.શાળાઓનો બીજા તબ્બતકાનો ત્રિદિવસીય
કન્યા કેળવણી મહોત્સતવ નિમિતે દોલતગંજ કન્યાબશાળા,ઠકકરબાપા
પ્રા.શાળા,તાલુકાશાળા અને ભાટવાડા,દેસાઇવાડા પ્રાથમિકશાળાના ૪૪ કુમાર,૧૩૨
કન્યા ઓને ધો.-૧ માં કુમકુમ ટીલક કરી પ્રવેશ અપાયો હતો.
આદિજાતિ વિકાસ રાજય મંત્રીશ્રીએ જણાવ્યુંભ હતું કે રાજ્યપનો દરેક દિકરો
અને દિકરી પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે એવા શુભઆશય થી આપણે પણ સહકાર
આપી શકીએ. વાલીઓ પોતાના અને સગા સ્નેથહીના બાળકોને શાળામાં દાખલ કરાવે
એટલું જ નહી આ બાળકો અધવચ્ચેન શાળા છોડી ન જાય એની પણ તકેદારી રાખે સાથે
પ્રાથમિક શાળાનું શિક્ષણ ગુણવત્તાયુકત બની રહે એ માટે શાળાની મુલાકાત લઇ
યોગદાન આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યુના ૧૮ હજાર ગામોની ૩૨ હજાર ઉપરાંત
શાળામાં મુખ્ય મંત્રીશ્રી સહિત રાજ્યવ મંત્રી મંડળના સભ્યહશ્રીઓ, ઉચ્ચર
અધિકારીઓ તેમજ પદાધિકારીઓ શાળા પ્રવેશોત્સ‍વ નિમિતે ઉંડાણ વિસ્તા ર ના
ગામડાઓમાં જઇને આ કાર્યક્રમમાં યોગદાન આપી રહ્યા છે. આ વિદ્યા
પ્રાપ્તિનું ઉતમ કાર્ય છે. ખાસ કરીને પછાત વિસ્તા રના બાળકો શાળામાં દાખલ
થાય તેની તકેદારી રાખવા મંત્રીશ્રીએ હાકલ કરી હતી. મંત્રીશ્રીએ ઉમેર્યું
હતુ કે પ્રવર્તમાન સમાજ સાથે કદમ મિલાવી શકે તે માટે રાજય સરકારે ૬ થી ૮
ની શાળાઓમાં કોમ્યુાથ ટર લેબ પણ શરૂ કર્યા છે. ત્યા૮રે તેનો પણ લાભ
લેવા જણાવ્યું હતું. માન.મુખ્ય મંત્રીશ્રી રાજયના સર્વાંગી વિકાસમાં
શિક્ષણએ મહત્વરનું અંગ હોઇ તેમાં ગુણવતા સુધરે તે માટે પ્રા.શાળાઓમાં
ખૂટતા શિક્ષકોની ભરતી કરી તમામ પ્રા.શાળાઓમાં
શૈાચાલય,પીવાનાપાણી,વીજકનેકશન,શાળાના નવા ઓરડા વગેરે સુવિધાઓ પુરી પાડી
છે. ત્યાપરે શિક્ષકોએ તેમની ફરજો નિષ્ઠામ પૂર્વક બજાવી રાજયના સર્વાંગી
વિકાસમાં સહભાગી બનવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે ખાસ કરી ને
કન્યાં કેળવણીનો વ્યાપ વધે તે માટે રાજય સરકારે છેલ્લા‍ દશ વર્ષમાં ૧૨૮
કરોડના વિધાલક્ષ્મીવબોન્ડા માટે રકમ આપી છે. મુખ્યમંત્રીને મળેલ ભેટ
સોંગાદોમાંથી મળેલ ૫૫ કરોડ જેટલી માતબર રકમ કન્યાા કેળવણી માટે ફાળવી છે.
તેનો પણ મંત્રીશ્રીએ ઉલ્લેીખ કર્યો હતો.
આ પ્રસંગે નગરપાલીકા પ્રમુખ સંતોષબેન પટેલ,જીલ્લાબ શિક્ષણ સમિતિના
ચેરમેનશ્રી એન.ડી.પટેલે પ્રાંસાગિક પ્રવચનો કર્યા હતા. કલેકટરશ્રી
જે.એમ.લુણીએ પ્રાથમિક શિક્ષણ ગુણવતાયુકત બની રહે એ માટે વાલીઓ એ બાળકના
શિક્ષણ પ્રત્યે્ વિશેષ ધ્યાકન આપવા વાલીઓને અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ પ્રસંગે નવા દાખલ થનાર ભુલકાઓને શૈક્ષણિક સાધનો તેમજ
વિધાલક્મીરમ બોન્ડાનો ચેક,સુખડી,સાયકલ વિતરણ કરાયા હતા. જીલ્લાી ઉધોગ
કેન્દ્રમ ધ્વારા રસોઇના કિટસનું વિતરણ,શાળામાં પ્રથમ, દ્રિતીય ક્રમાંકે
ઉતિર્ણ થયેલ બાળકોને મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેે પ્રોત્સાથહન
ઇનામ વિતરણ કરાયા હતા. આંગણવાડીમાં નવા દાખલ થયેલ બાળકોને આ પ્રસંગે
પ્રોત્સા હિત કરાયા હતા. મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તેે રમકડાની કિટસ
ધાત્રી માતાઓને સુખડીનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જીલ્લાર વિકાસ અધિકારી ર્ડા.વિક્રાંત પાંડે, પ્રાથમિક જીલ્લાિ
શિક્ષણ અધિકારીશ્રી રાવલ, પ્રાંત અધિકારીશ્રી,નગરપાલીકાના કાઉન્સી
લરો,દાહોદ ભાજપ પાર્ટીના મહામંત્રીશ્રી લાલપુરવાળા તથા અન્યહ
વાલીઓ,શહેરીજનો,શિક્ષકો,તથા સંબધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિેત રહયા હતાં
અંતમાં શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.a

ટિપ્પણીઓ નથી: