અનુયાયીઓ

શનિવાર, 26 ડિસેમ્બર, 2020

કવિ હદય ‘ભારત રત્ન’ અટલજીની યાદમાં‘કાવ્યાંજલી' કાર્યક્રમ યોજાયો

ભુજ : પુર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલબિહારી બાજપાઈજી ના જન્મ જયંતિ નિમિતે આજે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી ના ભાગ રૂપ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આયોજીત કવિઓ દ્વારા કવિ હદય બાજપેયીજી ને કાવ્યાજંલી અર્પિત કરવામાં આવી હતી ભુજ વિજયરાજી લાયબ્રેરી મધ્યે ભુજના ખ્યાતનામ કવિઓ દ્વારા બાજપેયીજી ને યાદ કરી કવિતાઓની રસલહાણ પીરસી હતી.

સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે બાજપેયીજી ૧૦ વાર લોકસભા અને ૨ વાર રાજય સભામાં ચૂંટાયા હતા જે તેમની લોકપ્રિયતાનો માપદંડ છે. તેઓ એક શ્રેષ્ઠ સાંસદ હતા. તેમના નેતૃત્વમાં લોકોને વિશ્વાસ, પ્રેમ હતો. પ્રધાનમંત્રી તરીકે તેઓ એ ધણા કાર્યો અને મજબુત અર્થ વ્યવસ્થા બનાવવા યોગદાન આપ્યું હતું. તેઓ દેશને સર્મપિત મહામાનવ અને અજાતશત્રુ હતા.








કવિશ્રી કૃષ્ણ કાન્તભાઈ ભાટીયા ‘કાન્ત’ ડો. કાન્તિગોર ‘કારણ” પબુભાઈ ગઢવી “પુષ્ય’ હિન્દી-ગુજરાતી-કચ્છી થી શ્રોતાઓ ને મંત્ર મુગ્ધ કર્યા હતા. VRTIના ગોરધનભાઈ પટેલ અને યુવા ડેલોપમેન્ટ ટ્રસ્ટના રસનીધીભાઈ અંતાણી એ ૨૧ મી ફેબ્રુઆરીના માતૃભાષા દિન નીમીતે કચ્છના લેખકોના પ્રદર્શન–વેચાણ માટે ત્રણ દિવસ મેધા પુસ્તક અધીવેશન માટે સંકલ્પ મુકતા સૌ એ સંકલ્પ ને વધાવ્યો હતો.

પુસ્તક મેળાના સાંસદ વિનોદભાઈના વિચારો માટે તેમને અભિનંદન આપ્યા હતા. સંચાલન કૃષ્ણકાન્ત ભાટીયા અને આભાર વિધી કમલ ગઢવી એ કરી હતી. ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, નરેશભાઈ અંતાણી, અશોકભાઈ હાથી, અનવર નોડે, રણ છોડ આહીર,

પ્રકાશ મહેશ્વરી, પંચાણભાઈ સંજોટ, મનીષભાઈ બારોટ, દિનેશભાઈ ઠક્કર, ચૌલાબેન સોની, રેશ્માબેન ઝવેરી, જયંત ઠક્કર, કે.કે.નટ તેમજ શ્રોતાજન ઉપસ્થિત રહયા હતા.

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2020

આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરસ યોજાઈ..

 


સૌરાષ્ટ્ર ઈસ્ટ ઝોનમાં 7 જિલ્લા અને 3 મહાનગરપાલિકાઓની જવાબદારી રાજકોટનાં અજીત લોખીલને સોંપાઈ





આજ રોજ(૨૪/૧૨/૨૦૨૦) આમ આદમી પાર્ટી-ગુજરાત દ્વારા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરસ યોજી પ્રદેશ પ્રભારી અને દિલ્હીનાં ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ યાદવ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઇટાલીયા દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને લઈને પ્રદેશ ટીમમાં ખુબજ મહત્વની કહી શકાય તેવી નિમણુંકોની જાહેરાત કરી હતી

, જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ, મહામંત્રી અને સંગઠન મંત્રીઓની નિમણૂક કરી છે. અને ગુજરાતમાં 6 ઝોન બનાવીને સંગઠન મંત્રીઓને ઝોન વાઇઝ જવાબદારીઓ પણ સોંપવામાં આવી, જેમાં સૌરાષ્ટ્ર ઈસ્ટ ઝોનમાં 7 જિલ્લા અને 3 મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

જેની જવાબદારી રાજકોટનાં અજીત લોખીલને સોંપવામાં આવી છે. અજીત લોખીલ આમ આદમી પાર્ટીમાં ખુબજ જુના અને રાષ્ટ્રીય નેતૃત્વનાં ખુબજ વિશ્વાસુ ગણાય છે. રાજકોટમાં વ્યાપારી અગ્રણી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા અજીત લોખીલ આમ આદમી પાર્ટી ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાતનાં હાલના મુખ્યમંત્રી રાજકોટ/સૌરાષ્ટ્રનાં છે ત્યારે  સૌરાષ્ટ્ર ગુજરાતની રાજનીતિમાં ખુબજ મહત્વનું પરિબળ છે, આમ આદમી પાર્ટી માટે ગુજરાતની રાજનીતિમાં સૌરાષ્ટ્રની ભૂમિકા ખૂબ મહત્વની બનશે ત્યારે પાર્ટીનાં સિર્સનેતૃત્વ દ્વારા અજીત લોખીલ ઉપર વિશ્વાસ મૂકીને ખુબજ મહત્વની જવાબદારી સોંપાઈ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

થોડા દિવસ પહેલાજ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર યુવાન ગોપાલ ઇટાલીયાને જવાબદારી સોંપીને ગુજરાતમાં અને દેશમાં આમ આદમી પાર્ટી પ્રતિભાશાળી, શિક્ષિત યુવાઓને રાજનીતિમાં પ્રતિનિધિત્વ સોપશે તે સ્પષ્ટ કરી દીધું છે. 

ગુજરાત પ્રદેશમાં ઉપાધ્યક્ષ સહિતની નિમણુંકો થઈ છે એ આ પ્રમાણે છે.

બુધવાર, 23 ડિસેમ્બર, 2020

સાવરકુંડલા રૂરલ PSI અલ્પાબા પી.ડોડીયાની આજે વાત કરવી છે તેમના જીવનસંઘર્ષ વિશે...

આ તસવીર છે અમરેલી જીલ્લાના સાવરકુંડલા રૂરલ PSI અલ્પાબા પી.ડોડીયાની ત્યારે આજે વાત કરવી છે તેમના જીવનસંઘર્ષ વિશે...



ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સીમાર ગામે કારડીયા રાજપૂત જ્ઞાતિના મધ્યમ ખેડૂત પરિવારના ઘરે જન્મેલા અલ્પાબા નાનપણથી જ ખૂબ તેજસ્વી હતા અને ગ્રામ્ય કક્ષાએ સાયન્સ ભણી ઉચ્ચ અભ્યાસ અર્થે જૂનાગઢ આવે છે અને B.Sc.B.Ed.ની ડીગ્રી પ્રાપ્ત કરી કચ્છ જિલ્લામાં શિક્ષિકા તરીકે નોકરી મેળવે છે એ દરમિયાન પરિવારનું યોગ્ય માર્ગદર્શન મળતાં અને વધુ દેશસેવા અર્થે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી જરૂરી ટ્રેનિંગ મેળવી ચોરવાડ (માંગરોળ) ખાતે PSI તરીકે નિયુક્ત થાય છે અને ખૂબ ટૂંકા ગાળામાં આ વિસ્તારમાં ગુનાખોરી અટકાવવા સફળ પણ રહે છે. ખાતાકીય બદલી થતાં તેમની બદલી રોકવા આ વિસ્તારમાં લોકો સ્વંયભુ સજ્જડ બંધ પાળે છે અને નારીશક્તિનું યોગ્ય સન્માન કરી વિદાય આપે છે અને ત્યારબાદ અલ્પાબા આવે છે અમરેલી જીલ્લાના રાજુલામાં ઈન્ચા.PI તરીકે...

રાજુલા વિસ્તારમાં ખૂબ ટૂંક સમયમાં ઉમદા કામગીરી કરી લોકોની ભવ્ય પ્રસંશા મેળવી એક નવી ઇમેજ બનાવે છે અને ત્યારબાદ વહીવટી કારણોસર બદલી થતાં સાવરકુંડલા રૂરલ PSI તરીકે નિયુક્તિ પામે છે અને છેલ્લા એક વર્ષથી સાવરકુંડલા વિસ્તારમાં શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે અને લોકચાહના મેળવી રાષ્ટ્રધર્મને સર્વોપરી સમજી દેશની સુરક્ષા કરવામાં ક્યાંય પાછી પાની નથી કરી એવા લેડી સિંઘમ અને દેશના ઝાંબાઝ પોલીસ ઓફીસર માન.અલ્પાબા પી.ડોડીયાને આપણે સૌ કોઈ સાથે મળી બિરદાવીએ અને અભિનંદન આપીએ...

માં સોનબાઈ, અલ્પાબાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરે અને દેશસેવા કરવાની ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના સાથે...

પાયલ બાંભણિયા....ઉના

સાવધ રહેજો : સિંહ પરિવાર આરબ ટીંબડીમાં ફરી ત્રાટકી શકે !

ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટર તૃપ્તિ જોશી સાથે વાત: ભાટગામ કેનાલ પાસે દેખાયા બાદ સિંહનું ટોળું ગિરનાર તરફ રવાના

(કુલદીપ જોશી દ્વારા)

 જેતલસર, તા.23 

જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે ગઈકાલે ગૌશાળા પાર ત્રાટકેલા 10 સિંહના ટોળાએ નાના મોટા 10 પશુના મારણ કરી હાલ ગિરનાર તરફ ચાલ્યા ગયા છે પણ એક વખત શિકાર કર્યા પછી ફરી તે જ જગ્યાએ સિંહના સ્વભાવમાં હોવાથી ટીંબડીવાસીઓએ ચીટીને રહેવા ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટર
તૃપ્તિ જોશીએ આ લખનાર યુવા પત્રકાર કુલદીપ જોશીને કહ્યું હતું.



તેમને વધુમાં વિગતો આપી હતી કે આરબ ટીંબડી ગામે 10 ગાયો નું મારણ કરનાર સિંહોનું ગ્રુપ રેવન્યુ વિસ્તાર છોડી ગિરનાર તરફ રવાના થયું છે.  છેલ્લા ફૂટમાર્ક  જેતલસરના બાવા પીપળીયાથી આગળના ગામ ભાટગામ કેનાલ પાસે જોવા મળ્યા હતા. જો કે  સિંહો નું ગ્રુપ દેખાયું નથી.વન વિભાગની 6 જેટલી  ટિમો સાથે  ગત રાત્રે લોકેશનમાં રહી છે. ગ્રામજનોએ પણ સિંહ ન જોયા હોવાનું જણાવ્યું છે..

તેમને વધુમાં કહ્યું કે  સિંહ પરિવા  પાછા રેવન્યુ વિસ્તારમાં સ્વભાવ પ્રમાણે  આવી શકે છે. તે 1 કલાકમાં 52 કિલોમીટર કાપી શકતા હોવાથી ગ્રામજનોએ અને ખાસ કરીને ખેડૂતોએ સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. જેતપુર તાલુકાના ગ્રામીય વિસ્તારથી જંગલ રેન્જ 8 કી મી. જેટલી થતી હોઈ અને સિંહોના ગ્રુપ સતત મુમેન્ટમાં હોવાથી ગમે ત્યારે પરત ફરી શકે છે. તેમને અન્ય એક  લોકેશન જેતપુર તાલુકાના ખારચિયા અને ભેડા પીપળીયા વચ્ચે જોવા મળ્યું હતું પરંતુ સિંહો દેખાયા ન હતા. દરમિયાન જેતલસર પંથકના ડેડરવા, ટીંબડી, રૂપાવટી, બાવાપીપળીયા, અકાળા, પીપળવાના ખેડૂતોએ વીજતંત્ર તાકીદે દિવસે વીજપુરવઠો આપીને ખેડૂતોની સલામતી બાબતે વિચારે તેવી માંગ કરી છે.
(કુલદીપ જે.જોશી, જેતલસર - 94095 30234)


સફળ આંદોલનકારી પ્રવિણ રામને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી ઇન્દુઆશ્રમજીએ ગૌરક્ષા સમિતિના ગુજરાત અધ્યક્ષ તરીકેની જવાબદારી સોપી

દેશમાં ગૌરક્ષા માટે અનેક સંગઠનો અને અનેક લોકો કાર્ય કરી રહ્યા છે પરંતુ જગતગુરુ શંકરાચાર્યો દ્વારા પણ વર્ષોથી હિન્દુ ધર્મના રક્ષણની સાથે સાથે ગૌમાતાના રક્ષણ માટે કામ કરવામાં આવી રહ્યું છે અને  આવા   સરાહનીય કામોમાં સરકાર તેમજ અધિકારીગણ પણ શંકરાચાર્યના માર્ગદર્શન મુજબ જ વર્ષોથી કામ કરતા આવ્યા છે.







ત્યારે હિન્દુ ધર્મના મુખ્ય ચાર મઠમાના એક જોષી મઠ ( કેદારનાથ, બદ્રીનાથ ) દ્વારા વર્ષોથી ગૌરક્ષા માટે અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાભીયાન સમિતિ ચલાવવામાં આવી રહી છે,જેમની અંદર સરકારનો સંપૂર્ણ સહયોગ રહે છે, આ સમિતિ સમગ્ર ભારત અને વિશ્વ લેવલે ગૌ રક્ષા માટે કાર્ય કરી રહી છે જેમના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જગતગુરુ શંકરાચાર્ય જ હોઇ છે.

હાલ સ્વામી ઇન્દુઆશ્રમજી મહારાજ  કેદારનાથ,બદ્રીનાથ અને જોશીમઠના જગતગુરુ શંકરાચાર્ય તો છે પણ સાથે સાથે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે ત્યારે આ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જોશીમઠના જગતગુરુ શંકરાચાર્ય ઇન્દુઆશ્રમ સ્વામીજી અને સમિતિના રાષ્ટ્રીય મંત્રી પ્રકાશ ગુજ્જરજી દ્વારા ગુજરાતના સફળ આંદોલનકારી પ્રવિણ રામ ઉપર વિશ્વાસ મૂકીને એમને આ સમિતિના ગુજરાતના અધ્યક્ષ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રવિણ રામ પોતે ગુજરાતમાં એક જાણીતો ચહેરો છે જેમણે લોકોના સ્વાસ્થ્ય માટે, કર્મચારીઓ માટે,ખેડૂતો માટે, યુવાનો માટે અનેક આંદોલનો કર્યા છે અને મોટાભાગના આંદોલનોમાં પ્રવિણ રામને સફળતા પણ મળી છે

ત્યારે આ સમિતિના ગુજરાત અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ પ્રવિણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જગતગુરુ શંકરાચાર્યજીએ મારા પર વિશ્વાસ રાખીને આટલી મોટી જવાબદારી મને સોંપી છે ત્યારે હું એમના શરણોમાં નતમસ્તક વંદન કરું છું ,અને વિશ્વાસ પણ આપુ છું કે મને આપેલી જવાબદારી પૂરી નિષ્ઠાથી નીભાવીશ, ગૌમાતાના ઉત્થાન માટે અને ગાયોને કતલખાને જતી રોકવા માટે જીવ આપી દેવાની તૈયારી પણ સમિતિના નવા અધ્યક્ષ પ્રવિણ રામે બતાવી, અને સાથે સાથે આ સમિતિ દ્વારા ગૌ માતાની ઓરીજીનલ નસલ તરફ વળવા તેમજ ગૌમૂત્ર,છાણમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવવા તેમજ ગાય આધારિત ખેતી તરફ ખેડૂતોને વાળવા જેવા અનેક ધ્યેય સાથે અને જગતગુરુ શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ આ સમિતિ ગુજરાતમાં કાર્ય કરશે એવું સમિતિના ગુજરાત અધ્યક્ષ પ્રવિણ રામ દ્વારા જણાવવામાં આવ્યું

રિપોર્ટર:- પાયલ બાંભણિયા....ઉના

મંગળવાર, 22 ડિસેમ્બર, 2020

જેતલસર પંથકના આરબટીંબડી ગામે ગૌશાળામાં 10 સિંહનું ટોળું ત્રાટક્યું : 10 ગાયોના મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ


રાની પશુના આંટાફેરાથી ખેડૂતો ભયભીત : ખેતિવાડીનો વીજપુરવઠો દિવસે આપવા માંગ

(કુલદીપ જોશી દ્વારા) જેતલસર, તા.22
જેતલસર પંથકના આરબટીંબડી ગામે ગઈકાલે મોડીરાત્રીના થાકેલા 10 સિંહોના ટોળાએ ગામની ગૌશાળાની સિંહોના ટોળાએ ગામની ગૌશાળાની નાની મોટી 10 ગાયોના મારણ મારણ ગાયોના મારણ 10 ગાયોના મારણ મારણ ગાયોના મારણ મારણ કરતા સમગ્ર પંથકમાં ભયનું લખલખું વ્યાપી ગયું ગયું છે.








સૌથી નીડરતા ની વાત જાણવા મળી કે લાગતા-વળગતા વન ખાતાના અધિકારીઓને સિંહના ટોળા લોકેશન મળી જતા તેઓ આરબટીંબડી વિસ્તારમાં જ પેટ્રોલિંગમાં હતા ત્યારે સિંહોના ટોળાએ ગૌશાળા ઉપર હુમલો કરતાં વનખાતાના સ્ટાફને એ નીડરતા દાખવીને નીડરતા દાખવીને એ નીડરતા દાખવીને નીડરતા દાખવીને ગૌશાળા આડા ઉભા રહીને સિંહોના ટોળાંએ ટોળાંએ દૂર કર્યો હતો.

આરબટીંબડી ગામની ગૌશાળામાં ગૌશાળામાં આશરે 40 50 જેટલી ગાયો હતી. પરંતુ વનખાતાના કર્મચારીઓની નીડરતાથી અન્ય ગાયો બચી ગઈ છે.



ગામના સરપંચ મનીષ બાબુભાઇ વાઘસિયા સહિતના લોકોએ વન ખાતાની સરાહના કરી હતી. ગામના સરપંચે જણાવ્યું હતું કે જો વન ખાતાની ટીમ ટીમ ખરે સમયે સમયે ખાતાની ટીમ ખરે સમયે સમયે શ્રી પુરૂષોતમલાલજી ગૌશાળા નજીક ના પહોંચી હોત તો ગાયોની મૃત્યુની સંખ્યા ખૂબ મોટી હોત સંખ્યા ખૂબ મોટી હોત. પરંતુ વનખાતાએ કડકડતી ઠંડીમાં સુપરે ફરજ બજાવીને અન્ય ગાયો ને ને બચાવી લીધી છે.

વનખાતાએ ગામના સરપંચ સહિતના લોકોને કહ્યું હતું કહ્યું સરપંચ સહિતના લોકોને કહ્યું હતું કહ્યું હતું કે ગૌશાળા પર આશરે ૮ થી ૧૦ જેટલા સિંહોના ટોળાએ હુમલો કર્યો હતો અને નાની મોટી 10 ગાયોનું મારણ કરીને આ સિંહનું ટોળું હાલ આરબટીંબડી અને  પીપળવા ગામની સીમમાં ધામો નાખીને બેઠું છે.

બીજી બાજુ જેતલસર પંથકના મોટાભાગના ગામડાઓમાં ખેતીવાડીના વીજ પુરવઠો પુરવઠો રાત્રિના અપાતો હોય તેમજ અત્યારે રવી સીઝનમાં વાવેતર ચાલુ હોય મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ખેતરમાં હોય છે. આવા સમયે જ સિંહ પરિવારના ટોળાનો ટોળાનો ગામની ગૌશાળા ઉપર હુમલો થતાં હુમલો થતાં અને ૧૦ જેટલી નાની મોટી મોટી ગાયોના મારણ જેટલી નાની મોટી ગાયોના મારણ કરતા ખેડૂતો ઉપરાંત ગામના અન્ય ખેડૂતો અને પશુપાલકો માં ભય ફેલાયો છે.

ગામના સરપંચ સહિતના ખેડૂત આગેવાનોએ એક માગણી કરી હતી કરી હતી માગણી કરી હતી કરી હતી એક માગણી કરી હતી કરી હતી કે રાજકોટ જિલ્લાના અન્ય તાલુકા અને ગામડા ની જેમ ની જેમ ગામડા ની જેમ ની જેમ ગામડા ની જેમ ની જેમ જેતલસર પંથકના આરબટીંબડી ડેડરવા રૂપાવટી બાવા પીપળીયા પીપળીયા અકાળા પીપળવા વિગેરે ગામોમાં પણ ખેતીવાડીનો વીજપુરવઠો વીજપુરવઠો દિવસે આપવામાં આવે તો ખેડૂતો રાની પશુઓથી બચી શકે.

અન્યથા સિંહના ટોળાએ જેમ અબોલ પશુઓ પર જેમ અબોલ પશુઓ પર હુમલો કર્યો કેવી રીતે ખેડૂતો પર હુમલાના બનાવ બની શકે તેવી વાતનો ખેડૂતોમાં ભય ફેલાયો છે.
(તસ્વીર અને અહેવાલ : કુલદીપ જે.જોશી, જેતલસર)

Global Premier League* 2021

 *Global Premier League*

2021


*ટેનિશ બોલ T10 ક્રિકેટ ચેમ્પિયન લીગ*

(17 જાન્યુઆરી 2021)

 

આગામી તારીખ 27-12-2020 ને રવિવારે સિલેક્શન રાખેલ છે..


વહેલા તે પહેલા ના ધોરણે સિલેક્શન પદ્ધતિ મુજબ ફક્ત 32  જ ખેલાડીઓ લેવા ના હોઇ વહેલી તકે ફોર્મ ભરી પરત કરવા..


રજીસ્ટ્રેશન પ્રકિયા શરૂ થઈ ગઈ છે..


જેતપુર ના ખેલાડીઓ ને ફોર્મ મેળવવા માટે :-


*દિગેશ મામતોરા*

(યોગી - કુંબલેસાહેબ)

 9426849940


*દર્ષિત રાદડિયા*

8686421111

ગ્લોબલ ન્યૂઝ

જુના પાંચ પીપળા રોડ..


*ચંદ્રેશ કોયાણી*

ગીતા ઝેરોક્ષ,

જલારામ ઝેરોક્ષ ની બાજુમાં તીનબતી ચોક..


*કેનિલ દુધાત્રા*

8155903993

ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ 


*નોંધ :- 

*1-ટુર્નામેન્ટમાં રમવા માટે સિલેક્શન પ્રક્રિયા માં સિલેક્ટ થવું જરૂરી છે તેમજ સિલેક્શન આપવા માટે ફોર્મ ભરેલું જરૂરી છે* 


*2- ફોર્મ સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટો , આધાર કાર્ડ તેમજ રેશનકાર્ડની ઝેરોક્ષ જોડવાની રહેશે*

પૂજ્ય તપસ્વી મ. સા. ને પારણા પછી શતામાં વર્તે છે

શાસન શણગાર સમિતિ પારણોત્સવમાં પધારેલા સર્વેનો આભાર વ્યક્ત કરે છે


જૈનાચાર્ય દિવ્યતપસ્વીરત્ન શ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મ.સા. ના ચતુર્થ વખતના 180 ઉપવાસનું પારણું અભૂતપૂર્વ રીતે પ્રબોધન ઠાકરે નાટ્યમંદીર, બોરીવલી (વેસ્ટ) ખાતે સંપન્ન થયું હતું. આ પ્રસંગે પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્રસૂરીશ્ર્વરજી મહારાજાની નિશ્રામાં 12 આચાર્ય ભગવંતો, 5 પંન્યાસપ્રવર અને 200 થી અધિક પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોના આશીર્વાદ અને મંગલકામના સાથે તેઓની નિશ્રામાં પૂજ્ય તપસ્વી મહારાજ સાહેબે આયંબીલમાં વપરાતા મગના પાણીથી પારણું કર્યું હતું. પ્રબોધન હોલથી વિહાર કરીને પૂજ્યશ્રી સકળ શ્રીસંઘ સાથે શ્રી મંડપેશ્ર્વર રોડ જૈન સંઘમાં પધાર્યા હતા અને પારણોત્સવ દરમ્યાન વહોરાવવામાં આવેલ મગના પાણીથી તેઓએ પારણું કર્યું હતું.




પારણા પછી આટલી ગરમીમાં શ્રી હંસરત્નસૂરીશ્ર્વરજી મ.સા. 3.5 કિલોમીટરનો વિહાર કરીને ગીતાંજલીનગરના ઉપાશ્રયે પધાર્યા હતા. આજે પારણા પછી તેઓશ્રીની પ્રસન્નતા અભૂતપૂર્વ રહી છે. શાસન શણગાર સમિતિ વતી એક અખબારી યાદીમાં આ પ્રસંગ સફળ બનાવવા માટે નામી-અનામી પ્રત્યેક વ્યક્તિઓનો તેમણે આભાર માનીને હૃદયથી અનુમોદના કરેલી છે. 


વિશેષમાં મુંબઈ વડી અદાલતના સિનિયર જજ શ્રી કમલ કિશોરજી તાતેડ, માનનીય જજશ્રી ગડકરી સાહેબ તેમજ જૈન સંઘને નિ:શુલ્ક કાયદાકીય સેવા પૂર્ણ કરતા શ્રી પ્રફુલભાઈ શાહ તેમજ લોકલાડીલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ શ્રી ગોપાલભાઈ શેટ્ટી, એમએલએ શ્રી સુનીલ રાણેજી, આ પ્રસંગને સફળતાપૂર્વક પાર પાડવામાં મહેનત કરનાર વિધાનસભ્ય શ્રીમતી મનીષાતાઈ ચૌધરી, જૈન કોર્પોરેટર શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રીમતી બીનાબેન દોશી અને શ્રી હરીશભાઈ છેડા હાજર રહ્યા હતા. જૈન લોકલાડીયા મુંબઈ ભાજપના પ્રમુખ વિધાનસભ્યશ્રી મંગલ પ્રભાતજી લોઢા અને વિધાનસભ્ય શ્રી યોગેશભાઈ સાગર તેમજ સાગરસીંગ ઠાકુર હાજર ન્હોતા રહી શક્યા પણ તેઓએ પૂજ્ય મ.સા. ને વંદન અને સુખશાતા પૂછાવ્યા હતા.


પોષ દસમીના અઠ્ઠમ કરાવવા માટે તપસ્વી મહારાજ બોરીવલી દૌલતનગર પધારશે અને ત્યાં સુધી બોરીવલીના સંઘોમાં ત્રણ - ત્રણ દિવસ સ્થિરતા કરીને જિનવાણીનું શ્રવણ કરાવશે.

*કેન્દ્ર શાષિત પ્રદેશ દીવમાં દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસની મુલાકાતે*

 *કેન્દ્ર શાષિત પ્રદેશ દીવમાં દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસની મુલાકાતે*


સંઘ પ્રદેશ દીવમાં ભારત દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ચાર દિવસ માટે દીવની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે દીવ પ્રશાસન દ્વારા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ના સ્વાગત માટે જોરશોર તૈયારીઓ શરુ થઇ રહી છે મળતી જાણકારી મુજબ દેશ ના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તારીખ ૨૫ થી લઈને ૨૮ સુધી સંઘ પ્રદેશ દીવ ની મુલાકાતે આવી રહ્યા છે. 



તેથી સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઇ પટેલ ના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા  કલેક્ટર શ્રીમતી સલોની રાય, એસપી હરેશ્વર વિશ્વનાથ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિ ના સ્વાગત અને સુરક્ષા માટે તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ચાર દિવસ ની મુલાકાત દરમિયાન તેઓ દીવમાં ચાલી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે તેમજ દીવનો ઐતહાસિક સ્થળોએ જેમકે દીવનો કિલ્લો, ખુકરી મેમોરિયલ, ગંગેશ્વર મહાદેવ મંદિર, મલાળા ઓડિટોરિયમ, નાગવા બીચ તેમજ અન્ય સ્થળોની મુલાકાત પણ લેશે.

રિપોર્ટર:- પાયલ બાંભણિયા ઉના

જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા જીલ્લા પંચાયત ના પ્રમુખ અને સભ્યો માટે બાળ અધિકાર, બાળ સંરક્ષણ, અને પોક્સો એક્ટ વિશે તાલીમનું થયું આયોજન.

 જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા જીલ્લા પંચાયત ના પ્રમુખ અને સભ્યો  માટે  બાળ અધિકાર, બાળ સંરક્ષણ, અને પોક્સો એક્ટ વિશે તાલીમનું થયું આયોજન. 

           દીવનાં માનનીય કલેકટર શ્રીમતી, સલોની રાય અને દીવનાં મામલતદાર સાહેબશ્રી સી.ડી.વાંજાનાં માર્ગદર્શનમાં જીલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા જીલ્લા પંચાયત ના પ્રમુખ અને સભ્યો  માટે  બાળ અધિકાર, બાળ સંરક્ષણ, અને પોક્સો એક્ટ વિશે તાલીમનું આયોજન થયું હતું. જેમાં પોક્સો અધિનિયમ–૨૦૧૨,  (Safe and Unsafe Touch) અને બાળઅધિકારનાં સંદર્ભમાં માહિતી અને સમજણ આપવામાં આવેલ હતી. જેમાં   જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતિ બામણીયા અમૃતાબેન અમૃતલાલ, અને જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી શશીકાંત માવજીભાઈ તેમજ જીલ્લા પંચાયતના સભ્ય હાજર રહ્યા હતા.                    

           આ તાલીમ  સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, દાદરા નગર હવેલી અને  દમણ અને દીવના પ્રોગ્રામ મેનેજર શ્રી સંજીવ પંડ્યાનાં નિર્દશનમાં કરવામાં આવેલ હતો.





          આ તાલીમ  જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવ દ્વારા બાળ અધિકાર, બાળ સરક્ષણ, પોક્સો અધિનિયમ–૨૦૧૨ Safe and Unsafe Touch ની જાણકારી આપતી એનિમેટેડ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. જીલ્લા બાળ સુરક્ષા અધિકારી મત્રેય ભટ્ટ દ્વારા જણાવ્યું કે જીલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઈલ્ડ લાઈન બાળકોના અધિકારો અને બાળ સંરક્ષણ પર કામ કરે છે. જેમાં રક્ષણ અને જરૂરીયાત ધરાવતા બાળકો અને કાયદાનાં સંઘર્ષમાં આવેલા બાળકોને સમાવેશ થાય છે. ભારતનાં બંધારણની જોગવાઈઓ થકી બાળકોને જન્મથી જ મળી જતા મૂળભૂત અધિકારો વિશે માહિતી આપવામાં આવી હતી. બાળમજૂરી અને બાળયૌન શોષણ જેવા સામાજીક દૂષણને દૂર કરવા માટે જ આ માહિતી અને સમજણની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે. 

 આ તાલીમનું આયોજન જિલ્લા બાળ સુરક્ષા એકમ દીવનાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મત્રેય ભટ્ટની દેખરેખ હેઠળ કરવામાં આવેલ હતું. આ તાલીમ જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીના સંયુક્ત પ્રયાસો થકી સાકાર થયેલ હતો.

પાયલ બાંભણિયા

ઉના

સોમવાર, 21 ડિસેમ્બર, 2020

સોમનાથ મંદિર શીખર ઉપર 66 સુવર્ણ કળશો લગાવાયા..*

(દિપક જોશી દ્વારા)

          સોમનાથ મંદિર ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણ કળશ પ્રાયોજના શરૂ કરવામાં આવી હતી, જેનો શ્રધ્ધાળુઓ દ્વારા સારો પ્રતિસાદ મળેલ છે.





      ટ્રસ્ટ દ્વારા શ્રધ્ધાળુઓ તરફથી કળશ ચઢાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલની પરીસ્થીતીએ કળશની પૂજા માટે કળશ નોંધાવનાર યજમાનશ્રી રૂબરૂ આવી શકે તેમ નહોય, તો ટ્રસ્ટ દ્વારા વિડિયોકોલીંગ – ઝુમ એપ માધ્યમથી પૂજા કરાવવાની વ્યવસ્થા ગોઠવી છે.

      આજદીન સુધીમાં 66 યજમાનો એ કળશ પૂજાનો લાભ લીધેલ છે. આ કળશ મંદિર પર ચડાવવામાં આવેલ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 થી 28 ડિસેમ્બર ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતની મુલાકાતે,

 જાણો ક્રિસમસની ઉજવણી સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં કરશે..દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 થી 28 ડિસેમ્બર સુધી 3 દિવસના સતાવાર કાર્યક્રમ અંતર્ગત દીવ આવી રહ્યા છે.




રાજકોટઃ ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી ગુજરાતના દીવમાં કરવાના છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 ડીસેમ્બરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ટૂંકી મુલાકાત બાદ દીવ જવા રવાના થશે. દીવમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં સામેલ થઇ. લોકાર્પણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેવું ગાંધીનગર સ્થિત સુત્રો દ્વારા જાણવા મળેલું છે.


દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી 3 દિવસના સતાવાર કાર્યક્રમ અંતર્ગત દીવ આવી રહ્યા છે. 25 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે સવારે આવશે અને રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ દીવ જવા રવાના થશે. રાજકોટ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સંભવીતપણે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને તેમનું સ્વાગત કરશે.


રિપોર્ટર:- પાયલ બાંભણિયા

ઉના

આત્મહત્યા નાે વિચાર કરતી મહિલાની વ્હારે ૧૮૧ વેરાવળ અભયમ ટીમ.

રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ખરા અથઁમા આજે મહિલા ઓ માટે આશીવાદ રુપ સાબિત થઈ રહી છે ત્યારે ગીર સાેમનાથ જીલ્લા ના કાેડીનાર તાલુકાના એક ગામની મહીલા એ ૧૮૧ મા કાેલ કરી મદદ માંગતા વેરાવળ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહાેચી..



સ્થળ પર મહીલા ને આશ્વાશન આપી તેમનુ કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે  તેમના પતિ અને સાસુ - સસરા ઘરની નાની નાની બાબતે લઈ ને તેમના પતિ તેમને માનસિક ત્રાસ આપી વારંવાર હેરાન કરતા મારઝુટ કરતા . તે બંને પતિ -પત્ની અલગ રહેતા ત્યા તેમના સાસુ - સસરા વારંવાર ઘરે જઈ માનસિક ટ્રાેચર કરી અપશ્બદ બાેલતા .

અને તા :૨૦/૧૨/૨૦ ના રાેજ પન તેમના પતિ અને સાસૂ - સસરા તેમને ગાળાે બાેલી માનસિક ટ્રાેચર કરતા હાેય અને વારંવાર થતી હોરાનગતિ ના કારણે મહીલા ને

 સુસાઈડ કરવાનાે વિચાર આવ્યાે.

તેથી તેમને ૧૮૧ ટીમની મદદ માંગતા વેરાવળ અભયમ ટીમ ઘટના સ્થળ પર પહાેચી મહીલા પતિ અને સાસુ - સસરા ને સમજાવ્યા કાયદાકીય સમજણ આપી 

મહીલા ને વારંવાર સૂસાઈડ કરાવાનાે વિચાર આવતાે હાેય તેથી  તેમને આત્મહત્યા વિચાર માથી મુકત કરી નવી જીદંગી યાેગ્ય માગઁદશઁન આપ્યુ મહીલા સમજુતી  કરવા માંગતા હાેય તેથી ૧૮૧ વેરાવળ ટીમ દ્રારા બંને પક્ષ સાથે પરામર્શ કરી સમાધાન કરાવેલ તથા મહીલા ને મહીલા લક્ષી  જરુરી માગઁદશઁન આપ્યુ


રિપોર્ટર:- પાયલ બાંભણિયા

ઉના

અખિલ ભારતીય કોળી સમાજની પ્રદેશની વર્ચ્યુઅલ કારોબારીની બેઠક મળી.

અખિલ ભારતીય કોળી સમાજ ની પ્રદેશની વરચ્યુલ કારોબારીની બેઠક મળી.




તારીખ : ૨૦ ડિસેમ્બર ૨૦૨૦ - સવારે ૧૧ કલાકે મહત્વપૂર્ણ વિષયો પર તમામ હોદેદારો સાથે ઓનલાઇન ગૂગલ મીટ દ્વારા અખિલ ભારતીય કોળી સમાજ ની પ્રદેશ કારોબારી યોજાય હતી. કોરાના માં અવસાન પામેલા લોકો ને બે મિનિટ મૌન રાખી તેમની આત્મા ને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. અલગ અલગ મુદ્દા ની ચર્ચા કારોબારી કરવામાં આવી હતી તેમાં  હોદ્દેદારોએ કોઈપણ બે થી ત્રણ જીલ્લાની પસંદગી કરવાની . જીલ્લાના અધ્યક્ષોએ એમની બનાવેલી જીલ્લાની સમીતી અને તાલુકાની સમીતીની માહિતી આપવાની  . પ્રદેશના હોદ્દેદારશ્રીઓએ એમના પસંદ કરેલા જીલ્લામાં જીલ્લા અધ્યક્ષ સાથે સંકલન કરી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાટે સમાજના સારા ઉમેદવારોના નામ આપવાના .  સમાજના સારા ડોક્ટરો , વકીલો , ખેડુતો , પત્રકારો , આઈ.ટી. વિભાગમાં કામકારતા લોકો , તથા ખેલ કુદમાં આગળ વધતાં લોકોને સમાજના અલગ અલગ વિભાગમાં સમાવેશ કારી સંગઠન બનવા માટે નામ આપવાના .ટૂંક સમયમાં સભ્યપદ અભીયાન  શરૂ કરવામાં આવશે જે બદલ જીલ્લા કક્ષાથી લઈ તાલુકા કક્ષા સુધીની કામગીરી માટેની યોજના બનાવવાની  .તેવી ચર્ચા ઓ થઈ હતી.આ કારોબારી માં પ્રદેશ પ્રમુખ ચંદ્રવદન પીઠા વાલા, પ્રદેશ મહામંત્રીઓ,મંત્રીઓ,જિલ્લા ના પ્રમુખો,પ્રદેશ ના કારોબારી સભ્યો હાજર રહી માર્ગદર્શન આપ્યું હતું.


રિપોર્ટર:- પાયલ બાંભણિયા

ઉના

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા રજીસ્ટર્ડ પાંજરાપોળોની સહાય યોજનાની તારીખ લંબાવાઈ

ગૌશાળા-પાંજરાપોળોને લાભ લેવા અપીલ

RAJKOT :

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્રારા રાજયના તમામ જિલ્લામાં આવેલ જમીન ધરાવતી રજીસ્ટર્ડ

પાંજરાપોળને ઘાસચારા ઉત્પાદન માટે સ્વાવલંબી બનાવવાની યોજના વર્ષ ૨૦૨૦-૨૧ અમલમાં મુકવામાં આવેલ છે. યોજના હેઠળ લાયકાત ધરાવતી જે પાંજરાપોળએ લાભ લેવા અગાઉ બોર્ડની આ યોજનાની જાહેરાત અન્વયે ઓનલાઈન અરજી કરવામાં અથવા ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં બાકી રહી ગયેલ પાંજરાપોળો માટે તા. ૨૦/૧૨/૨૦૨૦
થી તા.૨૮/૧૨/૨૦૨૦ સુધીના સમયગાળા માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યાન્વીત કરવામાં આવે છે. જેની સંબંધિતોને
નોધ લેવા જણાવવામાં આવે છે.

મિતલ ખેતાણી
મો.૯૮૨૪૨ ૨૧૯૯૯

ગુજરાતની તમામ ગૌશાળા-પાંજરાપોળોને પશુદિઠ રૂા. ૩૦ દૈનિક કાયમી સહાય આપવાની એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણીની મુખ્યમંત્રીશ્રીને રજુઆત


ગુજરાતના જીવદયાપ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણને કારણે સર્જાયેલી સ્થિતિમાં લોકડાઉનને કારણે રાજયના
મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો પશુ-આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે પશુ દિઠ દૈનિક રૂા. ૨૫ સહાય રાજય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો હતો. રાજયની રજીસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળોના આશરે ૪ લાખ જેટલા પશુઓ માટે એપ્રિલ અને મે મહિનો તેમજ ઓકટોબર, નવેમ્બર, ડીસેમ્બર એમ કુલ-૫ મહિના પુરતી પશુદિઠ રોજના રૂા. ૨૫ની સહાય રાજય સરકારે આપી છે.


ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આ સહાય કાયમી ધોરણે (એટલે કે પશુદીઠ રૂા. ૩૦, દૈનિક, કાયમી સબસીડી)
આપવા એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર,
એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલે વિનંતી કરી છે. પાંજરાપોળ ગૌશાળાઓનાં પશુધનનું ભરણપોષણ નાના મોટા મહાજન, વેપારી,ઉદ્યોગપતિઓ દ્રારા અપાતા દાન પરથી નિભાવ થતો હોય છે. એક તરફ સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ હતો જ અને ઓછામાં વધુ કોરાના મહામારી જેવા રોગ ધંધા-રોજગારની કમર તોડી નાખી છે. ત્યારે પશુધનને નિભાવવા માટે રોજ મિનિમમ રૂા. ૧૦૦નો ખર્ચ થતો હોય છે અને
પાંજરાપોળ ગૌશાળાઓમાં કામ કરતા પરીવારોને પગાર, અન્ય ખર્ચા, મોંઘાભાવે મળતા ખાણદાનથી સંસ્થાઓનાં પણ હાલ બેહાલ થયા છે. તેને
ધ્યાનમાં રાખી સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારીને ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળોને પશુદિઠ દૈનિક રૂા. ૩૦ કાયમી સહાય આપવાની વિનંતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈને રૂબરૂ મળી ભારત સરકાર અને ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણીએ કરી હતી.

પશુપાલન અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ-વિંછીયા તાલુકામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત

છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજ્ય સરકારનો ઉદેશ્ય

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા


રાજકોટ –  પશુપાલન અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે વિંછીયા અને જસદણ તાલુકામા કુલ રૂ ૧૦૬.૯૦ લાખના  લાખના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત વિંછીયા તાલુકાના ફુલઝર ગામે અંદાજિત રૂ. ૩૨ લાખના  એપ્રોચ રોડનું ખાતમુર્હુત, એ.ટી.વી.ટી૨૦૧૮-૧૯ ના વર્ષની ગ્રાન્ટમાંથી રૂ. (પ) પાંચ લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટેના ટેક્ટર તથા અંદાજિત રૂ. ૭૪.૦૪ લાખના ખર્ચે  જસદણ નગર પાલિકાના જસદણ-વિંછીયા રોડના સી.સી અને આર.સી.સી રોડનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. 









આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યોને પહોંચાડવા તે જ રાજ્ય સરકારનો ઉદેશ્ય છે. જે અંતર્ગત આ વિસ્તારના લોકોને પેટા આરોગ્ય્ કેન્દ્ર, પીવાના શુઘ્ઘ પાણીની સુવિધા માટે સંપ, આર.સી.સી અને પેવિંગ બ્લોક વાળા રસ્તા સહિતની સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે. નજીકના ભવિષ્યમાં જ વડાપ્રધાનશ્રી મોદી અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ નલ સે જલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨ સુધીમાં લોકોના ઘરે પાઈપલાઈન મારફતે પીવાનું શુધ્ધ પાણી પહોંચાડવા સરકાર કટીબધ્ધ છે. 

ખાતમૂર્હુત અને લોકાર્પણ પ્રસંગે ફુલઝર ગામના સરપંચશ્રી કાળુભાઈ ડેરવાડીયા, ઉપસરપંચ શ્રી ડાયાભાઈ ઝાપડીયા, વિંછીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ડાભી, પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલ્ચર, તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.આર.રાબા, મામલતદારશ્રી આર.બી.ડાંગી સહિતના અગ્રણીશ્રીઓ સોશ્યલ ડીસસ્ટન્સીંગ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા. 

રાજ લક્કડ


રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજ દ્વારા "ગૌ આધારીત અર્થ વ્યવસ્થા" ને વેગ આપવા માટે રાષ્ટ્રીય સ્તરનો વેબીનાર યોજાયો.

 

ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજહૈદરાબાદ ના સહિયારા પ્રયાસથી હૈદરાબાદ ના જીયાગુડા  ગૌ શાળા ખાતે સવારના ૫:૦૦ વાગ્યાથી બપોરના ૪:૦૦ વાગ્યા સુધી સરોજિની નાયડુ વનિતા મહાવિદ્યાલય કોલેજના ૧૦૦ સ્વયંસેવકો દ્વારા ૧,૦૦,૦૦૦૦ ગોબ્બેમલુ (ગોબર કેક) બનાવવા માં આવ્યા. આ કાર્યક્રમ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ માટે પણ ક્વોલિફાય થયો છે અને તેઓ પરિણામ વિશે ટૂંક સમયમાં જાણ કરશે.  



સમગ્ર ભારત માં ગોબ્બેમલુ(ગોબર કેક)  કેવી રીતે બનાવી શકાય તે માટે ટ્રેનર ડૉ. સી. એચ. પદ્મા (એન.એસ.એસ.- કો.ઓર્ડીનેટરહૈદરાબાદ) દ્વારા વેબીનાર ના માધ્યમથી શીખવાડવામાં આવ્યું હતું. સમગ્ર વેબીનારનું સંચાલન અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ ગૌ આધારીત અર્થવ્યવસ્થા ને વેગ  આપવા તેમજ પંચગવ્ય ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનું  હતું. ગૌમાતાના ગોબર અને ગૌમૂત્ર માંથી જીવલેણ બીમારી ઓની દવાઓ અને રાસાયણિક ઉત્પાદનો બનાવી શકાય છે. અને ખેડૂતોની આવકમાં વધારો કરીને સૌને  આત્મનિર્ભર બનાવી શકાય છે.સમગ્ર આયોજન અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું માર્ગદર્શન મળ્યું હતું.


શરદ ઋતુમાં આરોગ્યની શું કાળજી રાખશો ? - અતુલકુમાર વ્રજલાલ શાહ, સી.એ.

 રોગાણાં શારદી માતા એટલે કે જેને યમની દાઢા પણ કહેવામાં આવે છે તે શરદ ઋતુમાં આરોગ્યની શું કાળજી રાખશો ?

શરદપુનમનો મહિમા આયુર્વેદની દૃષ્ટિએ અનાપસનાપ છે અને જો તેના કિરણોનો વ્યવસ્થિત લાભ લેવામાં આવે તો આરોગ્યમાં ઘણો મોટો ફાયદો કરાવી શકે તેમ છે.
ઋતુ ત્રણ પણ છે અને છ પણ છે. હેમંત, શિષીર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ ઋતુ. તેમાં ભાદરવો અને આસોના 60 દિવસ તેને શરદ ઋતુ કહે છે. તે બે ઋતુમાં સંચય થયેલા પિત્તનો સૂર્યની તીવ્ર ગરમીથી પ્રકોપ થવાથી રોગો થવાની શક્યતા વધી જાય છે. આ બે મહિના જો સ્વાસ્થ્ય સારી રીતે સચવાય તો બાકીના 10 મહિના વાંધો નથી આવતો. એટલે જ આશીર્વાદ આપતા કહેવામાં આવે છે કે જીવેત: શરદ: શતમ્ એટલે કે તુ 100 શરદ ઋતુ સારીરીતે પસાર કરી શકે તેવું જીવન જીવજે. આ વર્ષે શરદ ઋતુ 22 ઓગષ્ટ, 2020 રાત્રે 9 વાગે 14 મિનિટે શરૂ થઈ છે જે તા. 23 ઓક્ટોબર 2020 સવારે 4 વાગે 28 મિનિટ સુધી રહેશે. આ શરદ ઋતુમાં આહાર અને વિહારમાં નીચે પ્રમાણેનું ધ્યાન રાખવામાં આવે તો અત્યંત ફાયદો થશે.
જમ્યા પછી વજ્રાસન અને વામકુક્ષી
શરદ ઋતુમાં ઉગ્ર તાપથી બચવા બપોરે બહાર ન નીકળવું. તેમજ બપોરે સુવાનું પણ બંધ કરી દેવું જોઈએ. બપોરે સુવુ જ પડે તો ખુરશીમાં બેઠા બેઠા સુવું જોઈએ. આમ પણ આયુર્વેદમાં જણાવાયું છે કે જમ્યા પછી જે ઘસઘસાટ સૂઈ જાય છે તેનું શરીર ભૂંડની જેમ વધે છે અને તેને ત્રિદોષવૃદ્ધિ મફતમાં મળે છે. જમ્યા પછી વામકુક્ષી કરી શકાય છે. જેમાં જમ્યા પછી વજ્રાસન કર્યા પછી બે-પાંચ મિનિટ રાજાની જેમ શાંતિથી બેસીને લવીંગ, ધાણાજીરૂ, જેઠીમધ, વરીયાળી, ચણકબાબ અને એલચીનો મુખવાસ લેવો જોઈએ. અને ત્યાર પછી યુવાનોએ અને નિરોગીઓએ 250 પગલા અને વૃદ્ધો અને બીમારોએ 100 પગલા ચાલવું જોઈએ. અને ત્યારબાદ ડાબા પડખે 16 નોર્મલ શ્ર્વાસોચ્છવાસ ત્યારબાદ જમણા પડખે 32 શ્ર્વાસોચ્છશ્ર્વાસ અને પાછું ડાબા પડખે 64 શ્ર્વાસોચ્છશ્ર્વાસ લેવાની વિધિ બતાવી છે. આ 64 ગણતા ગણતા મીઠી નીંદર 10-15 મિનિટની આવશે જે ખૂબ ઉપયોગી છે. પરંતુ ઘસઘસાટ નહીં સૂવું જોઈએ.

શરદ ઋતુના આહાર વિહાર

આ ઋતુમાં નદીનું પાણી, વિરેચન, લોહી કઢાવવું, ધોળા ચોખા, ઘઉં, મગ, જવ, ઘી, દૂધ, આમળા, સાકર, હલકા, તુરા, કડવા, ગળ્યા દ્રવ્યો, શેરડી, કપુર, હંસોદક (સૂર્ય-ચંદ્ર અને અગસ્થ્ય તારાના કિરણોથી શુદ્ધ થયેલું પાણી) સુંદર મહેલ, સુગંધીદાર ફુલના હાર અને વસ્ત્રો સફેદ પહેરવા જોઈએ અને સોના તથા મોતીની માળા પહેરવી જોઈએ. રાત્રે શ્ર્વેત શીતળ ચાંદનીમાં વિહાર કરવાનું આયુર્વેદમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. મનને સંતોષ થાય તેવી મીઠી વાતો કરવાથી પણ આ ઋતુમાં અનેરો ફાયદો થાય છે.

શરદ ઋતુમાં ખીરનું સેવન

દૂધ અને પૌઆ અને ખીર આ ઋતુમાં પીત્તનું શમન કરે છે. ટમેટા, ખાટા સૂપ વગેરે અને આથો આવ્યો હોય તેવા ઢોસા, ઈડલી, પીઝા, બ્રેડ, સોસ કે આમલી, કોઠમડી, આમચુર વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. ધરાઈને ખાવું, પૂર્વ દિશામાંથી આવતો પવન, કાંજી, દારૂ, કુવાનું પાણી, ઝાંકળ, ક્ષાર, અડદ, તલ વગેરેનો ઉપયોગ નહીં કરવો જોઈએ. મરચા, મરી, લીંડીપીપર, વગેરે તીક્ષ્ણ દ્રવ્યો પણ નહીં વાપરવા જોઈએ. લીંબુ, આમળા અને કોકમ વિપાકે મધુર હોવાથી તે પ્રમાણસર લેવા જોઈએ.

નેગેટિવ લિસ્ટમાં દહીંનું સ્થાન પ્રથમ છે

દહીં તો આમપણ નેગેટીવ લિસ્ટમાં પ્રથમ સ્થાન પામેલું છે. દહીં પોતે તો ખાટુ છે પરંતુ પચ્યા પછી તે વધારે ખાટું બને છે. એટલે ઉપાલંભમાં કહેવાય છે કે સાંજે દહીં ખાય તેને ત્રણ ફાયદા થાય છે (અ) તેના ઘરે ચોરી નથી થતી કેમકે તે સતત ખાંસતો હોય છે (આ) તેને ક્યારે પણ કુતરૂ કરડતું નથી કેમકે નાની ઉંમરમાં જ તેના હાથમાં વૃદ્ધાવસ્થાની લાકડી આવી જાય છે (ઈ) તેણે પોતાના પરીવારના કોઈ સભ્યોનું મોત જોવું પડતું નથી. કેમકે તેનો નંબર પહેલા જ આવી જાય છે. સામાન્ય ઋતુમાં દહીં ખાવું હોય તો સવારના સમયમાં ઘી સાથે, સાકર સાથે ઘોળવું કરીને ખાવું જોઈએ અને છાશ વલોણાની જીરૂ અને સિંધવ નાંખીને પીવી જોઈએ.

આ ઋતુમાં  કયા શાકભાજી અને ફળોનું સેવન કરવું

મદ્યપાન એટલે કે બીડી, સિગારેટના વ્યસનો અને તમાકુ સુંઘવામાં કે દાંતે ઘસવામાં પણ શરીરને ખૂબ નુકસાન કરે છે. આ બે મહિના દાળ અને શાકમાં દેશી ગાયના ઘીનો વઘાર કરવો જોઈએ. સીતાફળ, ચીકુ કે સફરજન જેવા મીઠા ફળો ખાઈ શકાય છે. કેળા આ બે મહિના જ ખાઈ શકાય છે. તે પણ કેળાની છાલ ઉપર કથ્થાઈ કલરના દાણા-દાણા હોય તો તે વધારે ગુણકારી છે. દવાથી પકવેલા આજના કેળા બારે મહિના ખવાતા હોવાથી ખૂબ નુકસાનકારક છે. કેળાને ગરમ કરીને તેમાં ઘી, એલચી અને સાકર નાંખીને ખાવાથી તેનો કફ કરવાનો ગુણ નાશ પામે છે. થોડા મરી નાંખીને કેળા ખાવાથી નુકસાન ઓછુ કરે છે. કારેલા, કંકોડા, દૂધી, ગલકા અને જીવંતી એટલે કે ડોડીનું શાક જો મળતું હોય તો વાપરી શકાય છે. ડોડી એટલે કે જીવંતીનો પાવડર પણ વાપરી શકાય છે. શેરડીનો રસ પીવાને બદલે શેરડીના ટુકડા ચુસી શકાય છે.

વૈદ્યરાજ દેવેન્દ્ર દ્વિવેદીના મતે શરદ ઋતુના રોગો અને તેની ચિકિત્સા

આ વર્ષે કોરોનામાં અનેક પૂજ્ય સાધુ-સંતોને કોરોનાની એક બોક્સમાં કીટ બનાવીને જેઓએ  ખૂબ સુંદર સેવા કરી છે તેવા શ્રી વૈદ્યરાજ દેવેન્દ્રભાઈ દ્વિવેદીના મત મુજબ આ ઋતુમાં ચક્કર આવવા, ખંજવાળ આવવી, એસિડીટી થવી, ભૂખ નહીં લાગવી, માઈગ્રેન જેવો માથાનો દુ:ખાવો થવો વગેરે અનેક રોગો નવા થાય છે અને હોય તો વિકાર પામે છે. બહારનું ખાવાનું તેથી તદ્દન બંધ કરવું આવશ્યક છે. આજે મોટાભાગના રોગો હોટલનું તીખુ તમતમતું અને આમલી નાંખેલી દાળ, સંભાર ખાવાથી થતું હોય છે. માટે ચંદ્રપ્રભાવટી સવાર-સાંજ ખાલી પેટે બે-બે લેવી જોઈએ. અને એલચી સવારે 10 કલાકે અને સાંજે 5 વાગે બે-બે ચાવીને ખાવી તેમજ એક ચમચી સતાવળનો પાવડર દૂધમાં ઉકાળીને ખડી સાકર નાંખીને પાણી બળી જાય પછી તે દૂધ સવાર-સાંજ પીવાથી પીત્તના રોગોમાં અમાપસમાપ ફાયદો કરે છે. પિત્તનું આધિક્ય હોય તેમણે જમવાના અડધા પોણા કલાક પહેલા અવિપત્તિકર ચૂર્ણ લેવું જોઈએ. તેનાથી પિત્તનું શમન થાય છે.  

વૈદ્યા રીટાબેનનો શરદ ઋતુ વિશેનો અભિપ્રાય.

વિલે પારલે (વેસ્ટ)માં આયુર્વેદ પદ્ધતિથી ગાયનેકમાં સ્પેશ્યલાઈઝન કરનાર અને પંચકર્મની વિશિષ્ટ રીતે ચિકિત્સા કરનાર વૈદ્યા રીટાબેન હરીશભાઈ શાહ જણાવે છે કે આ શરદ ઋતુ તે રોગોની ઋતુ છે અને આ ઋતુ સંધી છેે. એટલે કે વર્ષા રાણીની વિદાય અને સૂર્યના કિરણોનું પ્રતિ આગમન તે પિત્તનો ઉદરેક કરાવે છે. શરદ ઋતુમાં પિત્તનું શમન થાય તેવા દ્રવ્યો જેમાં કટુ, મધુર અને કષાય રસ હોય તેવા દ્રવ્યોનું સેવન કરવું જોઈએ. શરદ ઋતુમાં મિતાહાર આવશ્યક છે. અને ચંદનનો લેપ સુગંધી ચૂર્ણનું ઉબટન અને ખુલ્લી હવામાં સ્નાન કરવાથી અનેક ફાયદાઓ થાય છે. શરદ ઋતુમાં હંસોદકનું પણ અનેરૂ મહત્ત્વ છે. જેમાં શરદ પુનમના દિવસનો સૂર્ય, રાત્રિનો ચંદ્ર અને અગસ્થ્યનો તારો તેના કિરણો વર્ષા ઋતુમાં સંચય કરેલા પાણી ઉપર  પડવાથી તે પાણી અમૃત સમાન બને છે જે સુક્ષ્મ વાહિની હોય છે તેને નિર્મળ કરે છે. આ ઋતુમાં ચોખા, લીલા ચણા, આમળા અને સાકર પથ્ય છે. પરંતુ દહીં અપથ્ય છે. અને દીવાસ્વપ્નની એટલે કે દિવસે સુવાની મનાઈ ફરમાવવામાં આવેલી છે.

ટૂંકમાં વર્ષા ની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે.  આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો

(જે જાતે અનુભવ ને આધારિત છે.)

(૧) ભાદરવાના ત્રીસે દિવસ સાંજે વાળુ કરીને પહેલા સુદર્શન/મહાસુદર્શન ઘનવટી - ૨-૩ ટીક્ડી ચાવીને નવસેકા ગરમ પાણી સાથે લેવી.
(૨) અનુકૂળતા હોય તો ભાદરવાના ત્રીસે દિવસ બપોરે કેળા, ખડી સાકર અને એલચીનું મિશ્રણ ગરમ કરીન  અને વાળુ વેળાએ દુધ -ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવા ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ. 
(3) ભલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.
(4) ઠંડા પહોરે - વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલુ ચાલવુ. ઠંડી અને ચાંદની રાતમાં લૌકિક પ્રસંગોમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ - જેથી પરસેવો પડે

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે - रोगाणाम् शारदी माता. અને  ' યમની દાઢ ' પણ કહી છે. તેનાથી બચવા આ પ્રમાણે નિયંત્રણ કરવામાં આવે તો માત્ર શરદ ઋતુ નહીં બારે મહિના નિરોગી અવસ્થામાં પસાર કરી શકાય છે અને જેનું તન સારૂ તેનું મન સારૂ અને જેનું મન સારૂ તેનું જીવન પણ સારૂ. પછી આ નિરોગી શરીરથી આત્મકલ્યાણની ઉત્તમ સાધના સહજ, સરળ અને સુલભ બને છે. જીવેત શરદ: શતમ્.

બોક્સ મેટર
આ વર્ષે શરદપુનમની તૈયારી આયુર્વેદની દૃષ્ટિએ કઈ રીતે કરશો ?

શરદપુનમની ચંદ્રમાના કિરણોમાં એક અદ્ભુત શક્તિ પડેલી છે. કહેવાય છે કે બે કિલોમીટર નીચે તળાવની અંદર વર્ષમાં એક વખત એક ફૂલ ઉગે છે તે શરદપુનમના ચંદ્રની પ્રભાના કારણે છે. શરદપુનમની રાત્રીએ એક કિલો કાગદી બદામના મીંજ, એક કિલો ખડી સાકર, એક કિલો દેશી ગાયનું ઘી, અને 250 ગ્રામ મરી એ એક તપેલામાં હલાવીને સમગ્ર રાત્રિ દરમ્યાન ચાંદનીના કિરણોમાં મુકી રાખવાથી એક અદ્ભુત વિશિષ્ટ પાક બને છે જે રોજ થોડું થોડું વાપરવાથી મેધાની વૃદ્ધિ થાય છે. દેશી ગાયનું ઘી, ખડી સાકર અને સોનાનો વરખ ભેળવીને સમગ્ર રાત્રિ દરમ્યાન પુનમના ચંદ્રમાની નીચે રાખવાથી અને પછી રોજ ચણાની દાળ જેટલી અલ્પ માત્રામાં વાપરવાથી મહાન ફાયદો થાય છે. છેવટે વર્ષ દરમ્યાન વપરાતી ખડી સાકર પણ આ ચાંદનીની રાત્રિએ અગાસીમાં કપડું ઢાંકીને રાખવાથી તે સાકરમાં પણ અનેક ગુણો પ્રગટ થાય છે. જૈનોમાં પણ ભગવાનના ગુણવાચક નામોની સ્તવના એક રાત્રીમાં 108 વખત નમોત્થુણં સ્તોત્ર દ્વારા કરવાની 5રંપરા ચાલુ છે. જેમાં ચંદ્રની પ્રભા શરીર પર પડવી જોઈએ, માથા પર કોઈ છજ્જુ જોઈએ અને આ પ્રમાણે મંત્રસાધના કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સહજ અને સુલભ બને છે.

લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ, સી.એ.

તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું

  ભગવાન મહાવીરના શાસનનાં ૨,૬૦૦ વર્ષમાં પહેલી વખત ચાર-ચાર વાર ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરનારા આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજાએ ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ આચાર્યશ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પાસે આયંબિલનું પચ્ચક્ખાણ લઈને પારણું કર્યું હતું. આચાર્ય ભગવંતના ૧૮૦ ઉપવાસ નિમિત્તે ૪૭ ઉપવાસની તપશ્ચર્યા કરનારાં જુલીબેનનું પારણું પણ કરાવવામાં આવ્યું હતું. પારણાંનો મુખ્ય લાભાર્થી માતુશ્રી લીલાવતી બહેન હસમુખભાઈ શાહ પરિવાર હતો.

મુંબઇના બોરીવલી ઉપનગરમાં આવેલા પ્રબોધનકાર ઠાકરે સભાગૃહમાં પારણાં નિમિત્તે યોજાયેલા ભવ્ય સમારંભમાં ચાંદીના ૧૦૮ ઘડા વડે આચાર્ય ભગવંતને મગનું પાણી વહોરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ૧૨ આચાર્ય ભગવંતો અને પાંચ પંન્યાસ ભગવંતો સહિત શતાધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પુણ્યવંતી નિશ્રા પ્રાપ્ત થઈ હતી. મુંબઇ હાઇ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી કમલકિશોર તાતેડ અને ઉત્તર મુંબઇના સંસદસભ્ય શ્રી ગોપાલ શેટ્ટી આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા.
પદ્મભૂષણ આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું હતું કે ‘‘આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજીનું પારણું ચોપાટીમાં એક લાખની મેદની વચ્ચે થાય, એવી અમારી ભાવના હતી; પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મર્યાદિત સંખ્યામાં જ આમંત્રણો આપવામાં આવ્યાં હતાં. તેમણે ત્રણ-ત્રણ વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરી, પણ પહેલી વખત પારણાંમાં ગચ્છાધિપતિશ્રીની નિશ્રા મળી છે તે તેમનું સૌભાગ્ય છે. અમારા ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ વિરલ વિભૂતિ અને પ્રશાંતમૂર્તિ છે. તેમને કોઈએ ક્યારેય ગુસ્સો કરતા જોયા નથી.’’
આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજાના સમર્પણ ભાવની અનુમોદના કરતાં રાજપ્રતિબોધક આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું હતું કે ‘‘કોઈ પથ્થરે પ્રતિમા બનવું હોય તો તેણે શિલ્પીના ટાંકણાંનો માર સહન કરવો પડે છે. તેવી રીતે આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી આ કક્ષાએ પહોંચ્યા છે તેની પાછળ તેમનો ગુરુ  સમર્પણ ભાવ જવાબદાર છે. ગયાં વર્ષે અમે ખરડીમાં મળ્યા ત્યારે તેમના ૩૨ ઉપવાસ થઈ ગયા હતા અને તેઓ ૬૪ ઉપવાસ કરવાની ભાવના ધરાવતા હતા. તેમણે મારી પાસે ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ માગ્યા. મેં તેમને નવકારશીના પચ્ચક્ખાણ આપ્યા તો તેમણે તે કોઈ પણ જાતના સંકોચ વગર સ્વીકારીને પારણું કરી લીધું.’’
‘‘આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી તો ૧૮૦ ઉપવાસની સાઇકલમાં સવાર થઈને મોક્ષ તરફ નીકળી પડ્યા છે. આપણું સાઇકલ ચલાવવાનું ગજું નથી; પણ જો આપણે સાઇકલના કેરિયર પર બેસી જઈશું તો આપણે પણ મોક્ષમાં પહોંચી જઈશું. આ કેરિયર પર બેસવું એટલે તેમના તપની અનુમોદના કરવી. જો આપણે આચાર્યશ્રીના ૧૮૦ ઉપવાસના તપની સક્રિય અનુમોદના કરવા માગતા હોઈએ તો કમ સે કમ ૧૮૦ દિવસ સુધી હોટેલના આહારનો અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.’’
આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીની સાધનાનું રહસ્ય સમજાવતાં કહ્યું હતું કે ‘‘કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પાંચ વસ્તુઓની જરૂર હોય છે. (૧) ગુડ એટેચમેન્ટ : અધ્યાત્મની ભાષામાં તેને પ્રીત અનુષ્ઠાન કહે છે. ધર્મની શરૂઆત પરમાત્મા સાથેના એટેચમેન્ટથી થાય છે. (૨) ગુડ એટમોસ્ફિયર : ધર્મમાં આગળ વધવું હોય તો સારાં વાતાવરણની જરૂર પડે છે. તમે સંસારમાં રહીને ધર્મ કરી શકો છો, પણ પાપનો ત્યાગ કરી શકતા નથી. જો પાપના ત્યાગનું વાતાવરણ જોઈતું હોય તો સંસારનો ત્યાગ કરવો પડે અને દીક્ષા લેવી પડે. (૩) ગુડ એટિટ્યૂડ : સારું વાતાવરણ મળ્યા પછી ભાવનાઓ પણ સારી થવી જોઈએ. સાધુ જીવનમાં સમર્પણ ભાવની સાધના સૌથી મુખ્ય છે. આ સાધના આચાર્યશ્રી હંસરત્નસૂરીશ્વરજીએ સિદ્ધ કરી છે. (૪) ગુડ થોટ્સ : સારી ભાવના હોય તેમને સારા વિચારો પણ આવવા જોઈએ. (૫) ગુડ એક્શન : માત્ર સારા વિચારો પૂરતા નથી. તેને વ્યવહારમાં ઊતારવા માટે પુરૂષાર્થ પણ કરવો જોઈએ. આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ આ પાંચેય ગુણો આત્મસાત્ કર્યા હોવાથી તેઓ આજે સિદ્ધિના શિખરે પહોંચી ગયા છે. તેમણે ચાર વખત ૧૮૦ ઉપવાસ કર્યા છે. હજુ તેમનું ફુલ સ્ટોપ આવ્યું નથી. તેઓ પાંચમી વખત પણ તે કરી શકે છે. તેમણે જે વિક્રમ સ્થાપિત કર્યો છે તેને આવનારાં વર્ષોમાં કોઈ તોડી શકે તેમ લાગતું નથી.’’
આચાર્ય ભગવંતના ચતુર્થ વખત ૧૮૦ ઉપવાસનાં પારણાંના મહોત્સવ દરમિયાન અગાઉ ત્રણ વખત પારણાંનો લાભ લેનારા પરિવારોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. વોશિંગ્ટનથી આવેલા સાત જૈન પરિવારોએ પૂજ્ય આચાર્ય ભગવંતોને પાતરાં વહોરાવવાનો લાભ લીધો હતો. શ્રી સંજય વખારિયા અને શ્રી અતુલકુમાર વ્રજલાલ શાહે સભાનું કુશળતાથી સંચાલન કર્યું હતું.

૧૮૦ ઉપવાસની અનુમોદના કરવા ૧૮૦ દિવસ હોટેલના આહારનો અને રાત્રિભોજનનો ત્યાગ કરો :

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૯મો જન્મજયંતી મહોત્સવ આવતીકાલે વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા ભવ્યતાપૂર્વક ઓનલાઈન ઉજવાશે

(KASHYAP JOSHI - RAJKOT)

રાજકોટના હદયસમા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના ૨૨મા પાટોત્સવની ઓનલાઈન ઉજવણી સંપન્ન થઈ.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એક એવા યુગપુરુષ જેમણે હિંદુ સંસ્કૃતિના ઈતિહાસમાં અકલ્પનીય એવા ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કૃતિની ધર્મધજાને સમગ્ર વિશ્વમાં લહેરાવી. પ્રમુખસ્વામી મહારાજ એક એવા ગુણાતીત પુરુષ જેમણે ૧૦૦૦થી પણ વધુ સુચરિત અને સુશિક્ષિત સંતોને દીક્ષિત કરી સનાતન સંત પરંપરાને નવજીવન બક્ષ્યું. પ્રમુખસ્વામી મહારાજ એક એવા કરુણામાય સંત જેમણે ૨,૫૦,૦૦૦થી પણ વધુ ઘરોમાં વિચરી અને ૭,૦૦,૦૦૦થી વધુ પત્રોના જવાબ આપી એક સાચા સ્વજનની ખોટ પૂરી પાડી. જેમણે પોતાના ૯૫ વર્ષના જીવનની કણે-કણ અને ક્ષણે-ક્ષણ બીજાના ભલા માટે વિતાવી માનવ ઉત્થાન અને જન-કલ્યાણ માટે સેવાના અનેક પ્રકલ્પો ચલાવ્યાં એવા વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૯૯મો જન્મજયંતી મહોત્સવ મંગળવાર, ૨૨ ડિસેમ્બરના રોજ એટલે કે માગશર સુદ આઠમના દીને આ વર્ષે કોરોના મહામારીને કારણે એક વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા ઓનલાઈન ઉજવાશે જેને સમગ્ર વિશ્વમાં રહેલ સૌ કોઈ ભક્તો-ભાવિકો વિવિધ માધ્યમો દ્વારા નિહાળશે.




ભારતીય સમય મુજબ રાત્રે ૭:૩૦ થી ૧૦:૩૦ વાગ્યા સુધી આ સભાનું પ્રસારણ આસ્થા ટી.વી. ચેનલ પર હિન્દીમાં, GTPL કથા ચેનલ નંબર ૫૫૫ પર હિન્દીમાં તથા live.baps.org પર હિન્દી તથા અંગ્રેજીમાં થશે. જેમાં સૌને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો, મંત્ર પુષ્પાંજલિથી ગુરુહરિને વધાવવાનો તેમજ સમૂહ આરતીનો લાભ પ્રાપ્ત થશે. મંગળવાર, ૨૨ ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજ ૯૯મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે સવારે ૮ વાગ્યે live.baps.org પર મહંતસ્વામી મહારાજના પ્રાતઃપૂજા દર્શનનો લાભ પ્રાપ્ત થશે.  




સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટ શહેરને ૨૨ વર્ષ પૂર્વે ઈ.સ.૧૯૯૮માં  પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે શહેરની શાન એવા ભવ્ય અને દિવ્ય મંદિરની ભેટ આપી હતી. જે મંદિર, સંતોષ–સમજણ–સંપના સેતુ રચાવે છે. માનવમાત્રના પ્રેરક, પોષક અને સંવર્ધક એવા રાજકોટના નજરાણા સમા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને ૨૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે એ નિમિત્તે કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે આ વર્ષે પાટોત્સવ વિધિની મહાપૂજા અને દર્શનની ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવેલી. 

પ્રાત:કાળે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામીએ ઠાકોરજીની મહાપૂજાવિધી સંપન્ન કરી હતી જેમાં ભક્તો પણ ઘેર બેઠા ઓનલાઈન જોડાયા હતા. આ અવસરે મંદિરે ભગવાનને વિશેષ પૂજન, અભિષેક અર્પણ કરી નૂતન આભૂષણો અને અલંકારયુકત વાઘા પહેરાવી ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં પ્રસરેલ કોરોના વાઇરસ વહેલી તકે નાબુદ થાય અને સર્વે ભક્તો-ભાવિકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ખાસ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવેલી. 

આજના દિને પાટોત્સવની સાથે શ્રીનીલકંઠવર્ણી મહારાજની પુન:પ્રતિષ્ઠા વિધિ અને ‘શ્રી નીલકંઠવર્ણી નુતન અભિષેક મંડપમ્’નું  ઉદ્ઘાટન પ.પૂ.મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે થયું હતું તેને ૨ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંતોએ શ્રીનીલકંઠવર્ણી મહારાજને પંચામૃત જળથી અભિષેકવિધી કરી આરતી ઉતારી હતી. ભક્તો ભાવિકો સાંજે ૩:૪૫ થી ૫:૪૫ દરમ્યાન મંદિર ખાતે ઠાકોરજીના દર્શન કરી શકશે.  

રવિવાર, 20 ડિસેમ્બર, 2020

વિદેશી દારૂની ૧૦૮ બોટલ(કિ.રૂા.૪૩,૨૦૦/) નો મુદામાલ પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

 વિદેશી દારૂની ૧૦૮ બોટલ(કિ.રૂા.૪૩,૨૦૦/) નો મુદામાલ પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ


(કશ્યપ જોશી દ્વારા)

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુંકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી પ્રવિણકુમાર સાહેબ ઝોન-૧ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ ઝોન-૨ તથા મદદનીશ પોલીસ કમિશ્નર કાઇમ શ્રી ડી.વી.બસીયા સાહેબ નાઓએ રાજકોટ શહેરમાં દારૂ-જુગારની પ્રવૃતી સદંતર નાબુદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય છે.



તેઓ સાહેબની સુચના અન્વયે અમો પો. ઇન્સ, વી.કે.ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે. ના પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન એ,એસ,આઈ, બળભદ્રસિંહ જે. જાડેજા, પો. હેડ કોન્સ. મહીપાલસિંહ ડી. ઝાલા, પો. કોન્સ. ચેતનસિંહ આર. ગોહિલ નાઓને મળેલ સયુંકત હકિકત આધારે લાખાજીરાજ ઉધોગનગર શેરી નં.૫ આરોપીના કજા હવાલા વાળી ઓરડીમાંથી.


આરોપી હાજર મળી નહીં આવેલ

 વિશાલ મુકેશભાઇ ડાભી રહે. લાખાજીરાજ ઉધોગનગર શેરી નં-૫ રાજકોટ 

કબજે કરેલ મુદામાલ

ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નં-૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ૭૫૦ એમ.એલ. ની બોટલ નંગ- ૧૦૮ કિ.રૂા.૪૩,૨૦૦/- નો મુદામાલ કબજે કરવામા આવેલ છે.

આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ પો.હેડ.કોન્સ. મહીપાલસિંહ  ડી.ઝાલા ચલાવી રહેલ છે.




શનિવાર, 19 ડિસેમ્બર, 2020

દીવને વિશ્વ સ્તરે વિખ્યાત કરવા પ્રશાસક પ્રફુલ પટેલના સંગીન પ્રયાસો


સૌરાષ્ટ્રનું  પર્યટન સ્થળ દીવ છે. દીવમાં જોવાલાયક સ્થળો છે. દીવના આ પર્યટન સ્થળનો પ્રશાસક પ્રફુલ પટેલે અભ્યાસ કર્યા બાદ દરેક પર્યટન સ્થળ ને નવો ઓપ અપાઈ રહ્યો છે. ઘોઘલા બીચ ઉપર દરેક સુવિધા ઉપલબ્ધ કરાયા બાદ આ બીચને blue બ્લ્યુ ફ્લેગ બીચનું સર્ટીફીકેટ અપાયું છે. દીવના કિલ્લાને આદર્શ  સ્મારકમાં સમાવેશ બાદ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હજુ આ પ્રોજેક્ટ કાર્યરત છે.










ખોખરી મેમોરિયલ સ્થળ ઉપર પણ પ્રોજેકટ કાર્યરત છે જે પૂર્ણ થયા બાદ દીવની રોનકમાં વધારો થશે. નાગવા બ્યુટીફીકેશન પ્રોજેક્ટ કાર્યરત છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ બર્ડ સેન્ચ્યુરીયન  વિગેરે પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં પ્રશાસક પ્રફુલ પટેલના અથાગ પ્રયાસો  સ્વરૂપે દીવના વિકાસના કામોમાં ચાર ચાંદ લાગ્યા છે.દીવને હજુ વધુ ને વધુ નિખારવા  પ્રફુલ પટેલના પ્રયાસો સતત ચાલુ જ છે.