મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો પશુ-આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે પશુ દિઠ દૈનિક રૂા. ૨૫ સહાય રાજય સરકાર તરફથી આપવાનો નિર્ણય કર્યો હતો. રાજયની રજીસ્ટર્ડ ગૌશાળા, પાંજરાપોળોના આશરે ૪ લાખ જેટલા પશુઓ માટે એપ્રિલ અને મે મહિનો તેમજ ઓકટોબર, નવેમ્બર, ડીસેમ્બર એમ કુલ-૫ મહિના પુરતી પશુદિઠ રોજના રૂા. ૨૫ની સહાય રાજય સરકારે આપી છે.
ગુજરાતનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આ સહાય કાયમી ધોરણે (એટલે કે પશુદીઠ રૂા. ૩૦, દૈનિક, કાયમી સબસીડી)
આપવા એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી, પ્રતીક સંઘાણી, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર,
એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલે વિનંતી કરી છે. પાંજરાપોળ ગૌશાળાઓનાં પશુધનનું ભરણપોષણ નાના મોટા મહાજન, વેપારી,ઉદ્યોગપતિઓ દ્રારા અપાતા દાન પરથી નિભાવ થતો હોય છે. એક તરફ સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ હતો જ અને ઓછામાં વધુ કોરાના મહામારી જેવા રોગ ધંધા-રોજગારની કમર તોડી નાખી છે. ત્યારે પશુધનને નિભાવવા માટે રોજ મિનિમમ રૂા. ૧૦૦નો ખર્ચ થતો હોય છે અને
પાંજરાપોળ ગૌશાળાઓમાં કામ કરતા પરીવારોને પગાર, અન્ય ખર્ચા, મોંઘાભાવે મળતા ખાણદાનથી સંસ્થાઓનાં પણ હાલ બેહાલ થયા છે. તેને
ધ્યાનમાં રાખી સરકાર સહાનુભૂતિપૂર્વક વિચારીને ગુજરાતની ગૌશાળા-પાંજરાપોળોને પશુદિઠ દૈનિક રૂા. ૩૦ કાયમી સહાય આપવાની વિનંતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈને રૂબરૂ મળી ભારત સરકાર અને ગુજરાત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણીએ કરી હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો