અનુયાયીઓ

સોમવાર, 21 ડિસેમ્બર, 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 થી 28 ડિસેમ્બર ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતની મુલાકાતે,

 જાણો ક્રિસમસની ઉજવણી સૌરાષ્ટ્રના ક્યા શહેરમાં કરશે..દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 થી 28 ડિસેમ્બર સુધી 3 દિવસના સતાવાર કાર્યક્રમ અંતર્ગત દીવ આવી રહ્યા છે.




રાજકોટઃ ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી ગુજરાતના દીવમાં કરવાના છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 ડીસેમ્બરે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ટૂંકી મુલાકાત બાદ દીવ જવા રવાના થશે. દીવમાં ત્રણ દિવસના રોકાણ દરમિયાન અનેકવિધ કાર્યક્રમોમાં સામેલ થઇ. લોકાર્પણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે તેવું ગાંધીનગર સ્થિત સુત્રો દ્વારા જાણવા મળેલું છે.


દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ આગામી 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી 3 દિવસના સતાવાર કાર્યક્રમ અંતર્ગત દીવ આવી રહ્યા છે. 25 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ રાજકોટ ખાતે સવારે આવશે અને રાજકોટ એરપોર્ટ પર ટૂંકા રોકાણ બાદ દીવ જવા રવાના થશે. રાજકોટ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સંભવીતપણે ગુજરાત રાજ્યના અધિક મુખ્ય સચિવ તેમજ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના ટોચના અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને તેમનું સ્વાગત કરશે.


રિપોર્ટર:- પાયલ બાંભણિયા

ઉના

ટિપ્પણીઓ નથી: