અનુયાયીઓ

શનિવાર, 26 ડિસેમ્બર, 2020

કવિ હદય ‘ભારત રત્ન’ અટલજીની યાદમાં‘કાવ્યાંજલી' કાર્યક્રમ યોજાયો

ભુજ : પુર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલબિહારી બાજપાઈજી ના જન્મ જયંતિ નિમિતે આજે દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી ના ભાગ રૂપ સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આયોજીત કવિઓ દ્વારા કવિ હદય બાજપેયીજી ને કાવ્યાજંલી અર્પિત કરવામાં આવી હતી ભુજ વિજયરાજી લાયબ્રેરી મધ્યે ભુજના ખ્યાતનામ કવિઓ દ્વારા બાજપેયીજી ને યાદ કરી કવિતાઓની રસલહાણ પીરસી હતી.

સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે બાજપેયીજી ૧૦ વાર લોકસભા અને ૨ વાર રાજય સભામાં ચૂંટાયા હતા જે તેમની લોકપ્રિયતાનો માપદંડ છે. તેઓ એક શ્રેષ્ઠ સાંસદ હતા. તેમના નેતૃત્વમાં લોકોને વિશ્વાસ, પ્રેમ હતો. પ્રધાનમંત્રી તરીકે તેઓ એ ધણા કાર્યો અને મજબુત અર્થ વ્યવસ્થા બનાવવા યોગદાન આપ્યું હતું. તેઓ દેશને સર્મપિત મહામાનવ અને અજાતશત્રુ હતા.








કવિશ્રી કૃષ્ણ કાન્તભાઈ ભાટીયા ‘કાન્ત’ ડો. કાન્તિગોર ‘કારણ” પબુભાઈ ગઢવી “પુષ્ય’ હિન્દી-ગુજરાતી-કચ્છી થી શ્રોતાઓ ને મંત્ર મુગ્ધ કર્યા હતા. VRTIના ગોરધનભાઈ પટેલ અને યુવા ડેલોપમેન્ટ ટ્રસ્ટના રસનીધીભાઈ અંતાણી એ ૨૧ મી ફેબ્રુઆરીના માતૃભાષા દિન નીમીતે કચ્છના લેખકોના પ્રદર્શન–વેચાણ માટે ત્રણ દિવસ મેધા પુસ્તક અધીવેશન માટે સંકલ્પ મુકતા સૌ એ સંકલ્પ ને વધાવ્યો હતો.

પુસ્તક મેળાના સાંસદ વિનોદભાઈના વિચારો માટે તેમને અભિનંદન આપ્યા હતા. સંચાલન કૃષ્ણકાન્ત ભાટીયા અને આભાર વિધી કમલ ગઢવી એ કરી હતી. ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, નરેશભાઈ અંતાણી, અશોકભાઈ હાથી, અનવર નોડે, રણ છોડ આહીર,

પ્રકાશ મહેશ્વરી, પંચાણભાઈ સંજોટ, મનીષભાઈ બારોટ, દિનેશભાઈ ઠક્કર, ચૌલાબેન સોની, રેશ્માબેન ઝવેરી, જયંત ઠક્કર, કે.કે.નટ તેમજ શ્રોતાજન ઉપસ્થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: