અનુયાયીઓ

શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

AVSAN NONDH KASHYAP JOSHI JETPUR JETALSAR

AVSAN NONDH 
KASHYAP JOSHI 
JETPUR JETALSAR
9974262812

જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરા પર તે જ ગામના યુવાનનો બળાત્કાર



કોર્ટના હુકમ બાદ જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ  
જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે સગીરા 
પર તે જ ગામના યુવાનનો બળાત્કાર 
જેતલસર તા.20
જેતલસર પંથકના બાવાપીપળીયા ગામની એક સગીરા પર તે જ ગામના ખાંટ યુવાને દુષ્કર્મ આચર્યાની કોર્ટમાં ફરિયાદ કરાયા બાદ જેતપુર તાલકા પોલીસમાં આ બારાની ફરિયાદ નોંધાતા  નોંધાતા ફોજદાર આર.એન.કરમટીયાએ તહોમતદાર યુવાનને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાવાપીપલીયાની એક સગીરા પર તે જ ગામના અનીલ પ્રેમજી ગુજરાતી નામના યુવાને આજથી છ મહિના પહેલા ગણેશ ઉત્સવ દરમિયાન બળજબરીથી, મરજી વિરુદ્ધ દુષ્કર્મ અચર્યાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસાઈ કરમટીયાએ ગુનો નોંધી તહોમતદાર યુવાનને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન સ્ટાફના મજનુંભાઈ અને ભુરાભાઈને સાથે રાખીને બાવાપીપળીયામાંથી નહિ પણ જેતપુર તાલુકાના સેલુકા ગામ સ્થિત તેમના મામાના ઘરેથી અનીલ ઝડપાઈ ગયો હતો.
બીજીબાજુ જેતપુર તાલુકા પોલીસે સગીરના મેડીકલ ચેકઅપની વિધિ હાથ ધરી, તહોમતદાર અનીલ સામે ઇપીકોડ કલમ 376 મુજબનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

------------------------------------------------------------------------------------
અકસ્માતમાં ઘાયલ થાણાગાલોલના આધેડનું મોત 
જેતપુર તા.20
જેતપુર તાલુકાના થાણાગાલોલના મગનભાઈ ઉંધાડ (ઉ.વ.50) પોતાનું જીજે3એન 7648 લઈને આજથી 3 દિવસ પહેલા જતા હતા ત્યારે ચારણીયા-ચારણસમઢીયાલા રોડ પર જીજે3 એક્સ 9163 નંબરની છકડો રીક્ષાના ચાલકે મગનભાઈને હડફેટે લીધા હતા.
દરમિયાન માથામાં ગંભીર ઈજાઓની જેતપુર સારવાર અપાવી વધુ સારવાર માટે મગનભાઈ ને રાજકોટ ખસેડાયા હતા. જ્યાં આજે સારવાર વખતે મગનભાઈનું મોત થયું હતું..
અત્રે એ નોંધનીય છે કે મૃતક મગનભાઈ તાજેતરમાંજ ચુંટણી જીતેલા અને સરપંચ બનનાર પીન્ટુભાઈ ઉંધાડના કાકા થતા હોય, ગામના વિશાળ ઉંધાડ પરિવાર તેમજ પટેલ સમાજમાં શોક વ્યાપ્યો છે.

------------------------------------------------------------------------------
અવસાન નોંધ :
જેતપુર: માખાવડ(તા.લોધિકા,જી.રાજકોટ)નિવાસી રવજીભાઈ અરજણભાઈ રામાણીના પત્ની નંદુબેન(ઉ.વ.73) તે માવજીભાઈ, જેન્તીભાઈ, બાબુભાઈ, ચંદુભાઈ તેમજ ભરતભાઈના માતા તા.20.2.15 ના રોજ અવસાન પામ્યા છે.
 -------------------------------------------------------------------------------------
જેતપુરમાં ધમાલ કરનાર ફોજદાર સામે 
પ્રોહીબીશન ભંગનો પણ નોંધાયો ગુનો 
જેતપુર તા.20
ભાવનગરની મેડીકલની છાત્રા નમ્રતા વિલિયમ્સ ને મૈત્રી સંબંધો દરમિયાન જૂની એક પોલીસ ફરિયાદ સબબ બોલાવી જેતપુરના સરકારી રેસ્ટહાઉસમાં ધમાલ કરી છાત્રાને માર મારનાર ફોજદાર પી.જી.રાઠોડ ધમાલ સમયે પીધેલી હાલતમાં હોવાની છાત્રાની ફરિયાદ પરથી જેતપુર પોલીસે આ ફોજદાર સામે પ્રોહીબીશન ભંગ બદલનો પણ ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

SxI5S]DFZ H[PHMQL<H[T,;ZsH[T5]Zf((&$Z ^Z*!Z

ઉપલેટા જઈ રહેલા સાંગલીના મેમણ પરિવારને જેતપુરના મંડલીકપુર પાસે નડ્યો અકસ્માત..




ઉપલેટા જઈ રહેલા સાંગલીના મેમણ પરિવારને જેતપુરના મંડલીકપુર પાસે નડ્યો અકસ્માત..
ચાલુ કારની વ્હીલ નીકળી જતા પલટી ગયેલી કારમાં ભત્રીજાના 
રિસેપ્શનમાં આવતા કાકાનું કરુણ  મોત, અન્ય 3 ને ગંભીર ઈજાઓ
મંડલીકપુર ના સેવાભાવીઓએ ઈજાગ્રસ્તોને જેતપુર દવાખાને પહોચાડવાની કરી સરાહનીય સેવા !  

 જેતલસર(જેતપુર) તા.20  કશ્યપ જોશી દ્વારા 
મહારાષ્ટ્રના સાંગલી શહેરમાંથી નીકળી રાજકોટના ઉપલેટા શહેરમાં કૌટુંબિક ભત્રીજાના રવિવારે યોજેલ રિસેપ્શનમાં હાજરી આપવા આવી રહેલા 
એક મેમણ પરિવારની કારને જેતપુરના મંડલીકપુર પાસે નડેલા  અકસ્માતમાં કાકાનું કરુણ મોત થયું હતું જયારે કાકી અને બે બહેનોને હાથે પગે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે જેતપુરની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હોવાનું તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયાએ જણાવ્યું હતું..

બનાવની મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં રહેતા ફારૂકભાઈ તારમામદભાઈ પટેલ જાતે મેમણ પોતાના પત્ની જસ્મીનબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.37), બે પુત્રીઓ શીફાબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.17) અને ઝેબાબેન ફારૂકભાઈ પટેલ(ઉ.વ.7) લઈને રાજકોટના ઉપલેટા ખાતે પોતાની જીજે કે એફ 6671 નંબરની કાર લઈને સાંગલીથી નીકળ્યા હતા.

જે કાર આજે બપોરે 1 થી 1:30 દરમિયાન જેતપુરના મંડલીકપુર પાસે પહોચી ત્યારે અચાનક કારનું એક વ્હીલ ચાલુ કારે નીકળી જતા કાર પલટી ખાઈ જતા ચાલક ફારૂકભાઈનું ઘટના સ્થળેજ મોત થયું હતું, જયારે અન્ય ઘાયલ પરિવારજનોને સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા જેતપુર પહોચાડવા મંડલીકપુરના સેવાભાવી માણસોએ પ્રશંશનીય સેવા બજાવી હતી. જેતપુરની ખાનગી હોસ્પિટલ સંજીવનીમાં ખસેડાયેલ જસ્મીનબેન, શિફા અને ઝેબાને હાથે પગે નાની મોટી ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર ચાલુ કરાઈ હતી.

બનાવની જાણ થતાજ જેતપુર તાલુકા ફોજદાર રઘુભાઈ કરમટીયા સ્ટાફના મજનુંભાઈ, ભુરાભાઈ વિગેરેને સાથે લઇ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતી કારને સાઈડમાં લેવડાવી રોડ પરના ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો.

બોક્સ: રિસેપ્શનમાં પહોચે તે પહેલાજ કાકાનું કરુણ મોત !
જેતપુર: ઉપલેટામાં જીલાની ચોઈસ નામની ગારમેન્ટની શોપ ધરાવતા જીલાની ઈલીયાસભાઈ દેવલાના નિકાહ ગઈ તા.30.1.2015 ના રોજ સાઉદીઅરેબિયા ખાતે થયા હોય, નીકાહનું રીસેપ્શન આગામી રવિવાર ને તા.22.2.15 ના રોજ યોજાનાર હોય, આ રીસેપ્શનના પ્રસંગમાં હાજરી આપવા જીલાનીના કૌટુંબિક કાકા ફારૂકભાઈ પટેલ સાંગલીથી ઉપલેટા આવતા હતા, પણ આ પ્રસંગમાં હાજરી આપે તે પહેલાજ કાળે ફારૂકભાઈને આંતરીને મોત નીપજાવતા સાંગલી-ઉપલેટાના મેમણ પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે.

કશ્યપ જે.જોશી જેતલસર(જેતપુર) 99742 62812





ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

ભાવનગરની મેડીકલ સ્ટુડંટને ઢીકાપાટુનો માર મારી ઘાયલ કરતો પોલીસમિત્ર ફોજદાર

પતિના અવસાન બાદ ફોજદાર સાથે મૈત્રી કરાર કર્યા હતા પણ સંબંધોમાં ખટાસ આવી જતા 
ભાવનગરની મેડીકલ સ્ટુડંટને ઢીકાપાટુનો 
માર મારી ઘાયલ કરતો પોલીસમિત્ર ફોજદાર 
જેતપુરના ધારેશ્વર સ્થિત સરકારી ગેસ્ટહાઉસમાં બનેલી ઘટના ટોક ઓફ ધી ટાઉન ! 
જેતપુર તા.19
ગત મોડી રાત્રીના જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલા સરકારી ગેસ્ટહાઉસમાં મૈત્રી કરારો વચ્ચે જીવતા એક યુગલની મારામારીની ઘટના બહાર આવતા અને પોલીસ ફરિયાદ નોંધાતા આ વાત ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે. પોલીસે મહિલાની ફરિયાદ પરથી મિત્ર એવા પોલીસ ખાતાના ફોજદાર સામે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે.
મળતી વિગતો મુજબ ભાવનગરમાં સરકારી સ્કુલ સામે રહેતા નમ્રતા વિલિયમ્સ (મનુભાઈ પંડયાની પુત્રી) જાતે ક્રિશ્ચિયન ઉ.વ.34 એ પોતાના પતિ જયેશ જેન્તીલાલ સ્ટીફન(રહે.બોરસદ) ના અવસાન બાદ છેલા દશેક વર્ષથી તેમના પિતા સાથે રહેતા હતા. 
ફરિયાદમાં જણાવાયું છે કે આજથી પાંચ મહિના પહેલા (24 મી ઓગસ્ટના રોજ) અમદાવાદ ખાતે મેડીકલ સ્ટુડંટ તરીકે સરકારી વિશ્રામ ગૃહમાં નમ્રતાબેન રહેતા હોય, તે જ વિશ્રામ ગૃહમાં અમદાવાદ પોલીસની વિશેષ શાખામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પરસોત્તમ ગલાભાઈ રાઠોડ પણ રહેતા હોય બંને વચ્ચે પરિચય થયો હતો.
દરમિયાન ભાવનગર સ્થિત મકાન વેંચવા બાબતે ફોજદાર સાથે નમ્રતાબેનને અવારનવાર વાતો થવા લાગતા આ વાત અંતે ફોજદાર અને નમ્રતાબેન વચ્ચે મૈત્રી કરાર સંબંધોમાં પરિણમી હતી. પણ આ બાબતે કોઈ કાયદેશરના કાગળો કર્યા ના હતા. દિવસે દિવસે ગાઢ થતા સંબંધો દરમિયાન મળવાનું ઘણી વખત થતું.
બીજીબાજુ નમ્રતાના પુત્ર જયસુખે પ્રેમલગ્ન કર્યા હોય, તે વાતની મારામારીની પોલીસ ફરિયાદનું સમાધાન કરવાનું  ફોજદાર પી.જી.રાઠોડે શિવરાત્રીના દર્શન કરવા જુનાગઢ જવાનું કહી ગઈકાલે જેતપુરના વીરપુર જલારામ થઈને જુનાગઢ ગેસ્ટહાઉસમાં રોકાયા હતા. જ્યાં ઉપરોક્ત પોલીસ ફરિયાદના સમાધાન માટે ફોજદારે માથાકુટ કરતા ત્યાંથી રાત્રીના નીકળી જેતપુરના ધારેશ્વર સ્થિત સરકારી રેસ્ટહાઉસમાં આવ્યા હતા.
ત્યાં પણ ફોજદારે માથાકૂટ કરી ઢીકા પાટુનો માર મારવા લાગતા નમ્રતાએ રાડારાડ કરતા રાત્રીના રેસ્ટહાઉસના મેદાનમાં રહેતા અન્યોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો જાણી ઈજાગ્રસ્ત નમ્રતાને સરકારી દવાખાને ખસેડેલ...

બોક્સ: ફરિયાદ પાછી ખેંચવા ધમકી !
જેતપુર : પાંચેક મહિનાના મૈત્રી સંબંધો બાદ એકબીજાને સંબંધોમાં ખટાસ આવી જતા નમ્રતાએ ફોજદાર રાઠોડને પોતાને છોડી દેવા જણાવી  દીધું હતું, આમ છતાં ફોજદારે નમ્રતાને ફોન ઉપર શારીરિક માનશીક ત્રાસ આપવાનું ચાલુ કરતા નમ્રતાએ ભાવનગર ખાતે ફોજદાર વિરુધમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી,આ ફરિયાદ પાછી ખેંચી લે નહીતર તને માર્યા વગર નહિ રહું તેવી ધમકી આપી ફોજદાર રાઠોડે તેમની ઉપર હુમલો કર્યાનું ફરિયાદમાં નમ્રતાએ જણાવેલ છે.

બોક્સ : બનાવના તપાસનીશ ફોજદાર ચૌહાણ શું કહે છે ?
જેતપુર : જેતપુરમાં મોડી રાત્રીના બનેલી આ ચકચારી ઘટનાના તપાશનીશ પોલીસ અધિકારી ફોજદાર ચૌહાણે જણાવેલ કે નમ્રતા અને ફોજદાર રાઠોડ મૈત્રી કરાર વચ્ચે જ રહેતા અને મળતા , પણ કોઈ બાબતે વાંધો પડતા ફરિયાદી મહિલાને પૈસા પડાવવા આ કાવતરું કર્યું હોય તેવું પ્રાથમિક તારણોમાં જાણવા મળેલ છે. ફરિયાદી મહિલાએ વિગતો આપી તેજ ફરિયાદ લેવાઈ છે. રૂપિયા 5000 ની કે મોબાઈલ લુંટની વાત ફરિયાદમાં લખાવાયી ના હોય તે બાબતે કહી નાં શકાય...

સમાચાર અને ફોટો : કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812



જેતપુર ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ છેડ્યું પ્રતીક ઉપવાસ આંદોલન

જેતપુરની મામલતદાર કચેરીની પુરવઠા શાખાના ભષ્ટ્રાચારને ડામવાની માંગ સાથે 
જેતપુર ગ્રાહક સુરક્ષા મંડળના આગેવાનોએ છેડ્યું પ્રતીક ઉપવાસ આંદોલન 
આંદોલનના બીજા દિવશે ઉપવાસીઓને પાલિકા સદસ્ય અબાભાઈનો ટેકો : અબાભાઈનો આક્ષેપ ગરીબોનું અનાજ બારોબાર જ વેંચાય જાય છે !
જેતપુર તા.19
જેતપુર મામલતદાર કચેરીમાં પુરવઠા શાખા દ્વારા આચરતા વ્યાપક ભષ્ટ્રાચારને તાકીદે નેસ્તનાબુદ કરવાની માંગ સાથે ગઈકાલથી શરુ થયેલા પ્રતિક ઉપવાસ આંદોલનના આજે બીજા દિવશે જેતપુર પાલિકાના સદસ્ય અબાભાઈ કુરેશી સહિત સમર્થકોએ ઉપવાસીઓને ટેકો આપી ઉક્ત સરકારી તંત્રના સડાને દુર કરવાની માંગણી દોહરાવી હતી. 
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુરની મામલતદાર કચેરીમાં પુરવઠા શાખામાં કોઈ કામ નીવેદ ધર્યા વગર ના થતા હોય તેમજ અમુક લાગવગીયા તત્વો આખો દિવસ આ શાખામાં પડ્યા પાથર્યા રહીને પોતાના કામો કરાવી જતા હોવાના આક્ષેપો સાથે જેતપુર શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની જેતપુર શાખાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદેદારોએ ગઈકાલથી અત્રેની મામલતદાર કચેરી સામે અચોક્કસ મુદ્દતનું પ્રતિક ઉપવાસ આંદોલન છેડ્યું છે.
 જે આંદોલનના ઉપવાસીઓ જતીન દેગડા સહિતનાઓ જણાવે છે કે મામલતદાર કચેરીની પુરવઠા શાખામાં વર્ષો  થયા ચીપકી રહેલા અધિકારી સહિતના સ્ટાફને બદલાવવો જરૂરી છે. આ સ્ટાફ સત્તાનો દુરુપયોગ કરી નજીકના લોકોનાજ વધારે કામો કરતા હોય અન્ય અરજદારો પારાવાર હાડમારી ભોગવી રહ્યા છે. ઉપવાસીઓનો એવો પણ આક્ષેપ છે કે આ કચેરીના અધિકારીની મનમાનીથી અનેક લોકોને પુરતું અનાજ મળતું નથી, રાશન કાર્ડ કઢાવવા પૈસા આપવા પડે છે તેમજ વખતોવખત મંગાતી માહિતીઓમાં ઉદવ જવાબો આપી દેવાય છે.

બોક્સ: પાલિકા સદસ્યનો ઉપવાસીઓને ટેકો 
જેતપુર: ઉપવાસીઓના આક્ષેપ જેવીજ ફરિયાદ કરીને આજે જેતપુરના વોર્ડ નંબર 6 ના સદસ્ય  હાઉસ ટેક્સ કમિટીના ચેરમેન અબાભાઈ કુરેશીએ પણ રૂમાલ પાથરી આંદોલનકારીઓને ટેકો આપી આક્ષેપો કર્યા હતા કે પુરવઠા શાખાનું હજારો કિલો અનાજ દર મહીને બારોબાર પગ કરી જાય છે. કોઈ દિવસ   સ્થાનિક મામલતદારશ્રીએ તપાસ કરાવી ખરા ?

બોક્સ: મામલતદાર ભોરણીયા શું કહે છે ?
જેતપુર: ઉપવાસીઓના આંદોલન બાબતે સત્ય શું છે ? તે જાણવા કરાયેલા સંપર્ક દરમિયાન જેતપુરના મામલતદાર ભોરણીયાએ જણાવેલ કે વર્તમાન લોકશાહીમાં ગમે તે માણસ ગમે તેવા આક્ષેપો કરી શકે. ફરીયાદીના કામો પણ ઘણી વખત કરાયા છે.  અમુક કામો કદાચ ના થયા હોય અને તેનો રાગદ્વેષ રાખી આંદોલન છેડાયું હોવું જોઈએ, બાકી ભષ્ટ્રાચાર સાબિત કરાય તો કસુરવાર સામે પગલા લેવામાં કોઈ પાછી પાની નહિ કરાય...

ફોટો અને સમાચાર કશ્યપ જોશી દ્વારા જેતલસર જેતપુર 9974262812



સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015

જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાંથી શ્રદ્ધાળુઓના તડફડાવેલા 9 મોબાઈલ ને રોકડ સાથે ગોંડલની ત્રિપુટીને જેતલસર નજીકથી ઝડપી લેતી તાલુકા પોલીસ


જેતલસર તા.16
જેતપુર તાલુકા પોલીસે આજે સાંજે જુનાગઢના શિવરાત્રીના મેળામાંથી મેળો માણવા આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ ચોરીને જેતપુર તરફ આવતી ગોંડલની તસ્કર ત્રિપુટીને જેતપુર તાલુકા પીએસઆઈ કરમટીયા સહિતના સ્ટાફે ઝડપી લઇ રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ આજે સાંજે છ વાગ્યે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર કરમટીયા, સ્ટાફના ભુરાભાઈ, ગૌત્તમભાઈ, મજનુભાઈ જેતલસર નઝીક ચોકી ધાર પર ઉભી કરાયેલ ચેક પોસ્ટ ઉપર વાહનો ચેક કરતા હતા.
આવા સમયે જુનાગઢ તરફથી આવતી જીજે 7વી 5149 નંબરની ઓટો રિક્ષાને રોકી તલાશી લેતા પોલીસે જુદી જુદી કંપનીના 9 મોબાઈલ(કી.રૂ.50000) તથા રૂ.4050-00 રોકડ મળી આવતા પોલીસે રીક્ષામાં બેઠેલા 3 તસ્કરો સામે લાલ આંખ કરતા આ તસ્કર ત્રિપુટીએ તેઓના નામ વિજય પરેશ પરમાર-કોળી, સાગર રામજી દેવીપુજક તથા અનીલ કિશોર દેવીપુજક(રહે.ત્રણેય ગોંડલ)ના હોવાની કબુલાત આપતા પોલીસે રોકડ તેમજ મોબાઈલ કબજે લઇ ત્રણેયને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

બોક્સ: શીવરાત્રીના મેળામાંથી મોબાઈલ ચોર્યા !
જેતપુર : જીવમાં શિવ એવી ભક્તિથી જૂનાગઢમાં લાખો શિવભકતો કીડીયારુની માફક ઉમટી પડ્યા છે. ત્યારે ચિક્કાર ગીર્દીનો લાભ લઇ ઉપરોક્ત તસ્કર ત્રિપુટીએ શિવરાત્રીના મેળામાં આવેલા શ્રદ્ધાળુઓના મોબાઈલ તડફડાવ્યા હોવાની કબુલાત આપી હોવાનું ફોજદાર કરમટીયાએ જણાવ્યું હતું..
ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતલસર 9974262812
 

વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ

વીરપુરની પરિણીતા ભેદી સજોગોમાં ગુમ
જેતપુર તા.16
જેતપુરના વીરપુર ગામેથી ગત મોડી રાત્રીના એક પરિણીતા ભેદી સંજોગોમાં ગુમ થયાની તેણીના સાસુએ વીરપુર પોલીસમાં જાણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વિરપુરના રાધાકૃષ્ણ નગરની શેરી નં.1 માં, શાંતિભાઈ કોળીના મકાનમાં રહેતા અજયભાઈ રામભાઈ આહીર ગઈકાલે ડમ્પર લઈને ઉપલેટા રેતી ભરવા ગયા હતા. પાછળ તેમની પત્ની કૃપાબેન (ઉ.વ.22) એકલા હતા. દરમિયાન ઉપલેટાથી પરત આવી અજયે તપાસ કરતા જીવનસંગીની ક્યાય ના દેખાતા બધે તપાસ કરી હતી. છતાં ક્યાય પત્તો ના લાગતા હંશાબેન રામભાઈ આહીર(રહે.રાજકોટ) એ પોતાની પુત્રવધુ ગુમ થયાની વીરપુર પોલીસમાં જાણ કરતા એએસઆઈ બી.એ.વાઘેલાએ તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 99742 62812 

KASHYAP JOSHI JETALSAR

જેતપુરના ચારણસમઢીયાળા ગામે વાલ્મીકી 
સમાજના પ્રથમ સમૂહલગ્નનું આયોજન 
જેતપુર તા.16
જેતપુર તાલુકાના ચારણસમઢીયાળા  ગામે આગામી 10.5.2015 ના રોજ ગ્રામ્ય વાલ્મીકી યુવા ગ્રુપ દ્વારા માત્ર વાલ્મીકી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. 13 યુગલોને જ આ સમૂહ લગ્નમાં જોડવાના હોય, 30.3.2015 સુધીમાં લગ્ન ફોર્મ ભરી ગ્રુપના પ્રમુખ મનજીભાઈ ઘાવરી અશોક ઘાવરીનો ચારણસમઢીયાળા ખાતે સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.

હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ ચાલુ કરવા માંગ 
જેતપુર બાર અશોસિએશનના પ્રમુખ પ્રકાશ પારગીનો રાજ્યના મુખ્યમંત્રીને પત્ર 
જેતપુર તા.16
રાજ્ય સરકારના મહેસુલ ખાતાએ જાહેર કરેલ પરિપત્રમાં હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા પાછી શરુ કરવા જેતપુર બાર એશો.ના પ્રમુખ પ્રકાશભાઈ પારગીએ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલને પત્ર લખ્યો છે.
જેમાં જણાવ્યું છે કે ગામ નમુના-6 એટલેકે હક પત્રકે કોઈ પણ નોંધ દાખલ કરવા માટે અરજી કરાય ત્યારે આ નોંધ સામાન્ય કારણો હોય તો રદ કરવાની પ્રથા અને અને વાજબી જણાય તો નામંજૂર કરવાની એમ બંને પ્રથા હતી.
પરંતુ ગુજરાત સરકારના મહેસુલ ખાતાના તા.17.2.14 ના પરીપત્રથી હક પત્રકે નોંધ રદ કરવાની પ્રથા કાઢી નાખવામાં આવી છે. અને તેને બદલે કોઈ પણ વાજબી ના જણાય તો નામંજૂર જ કરવી તેવો નિર્યણ લેવાયો છે.
સરકારના આવા નિર્ણયને કારણે પ્રાંત કચેરીમાં અપીલોના ઢગલા થઇ રહ્યા છે. સામાન્ય અપીલોનો પણ એક વર્ષ પછી નિકાલ આવતો હોય છે. એટલુજ નહિ પ્રાંત અધિકારી પણ બોજ તળે આવી જાય છે. ત્યારે ઉપરોક્ત પરિપત્ર રદ કરી નોંધ રદ કરવાના વિકલ્પવાળો અધિકાર રેવન્યુ ઓથોરીટીને આપવો જરૂરી છે. તેમજ હક પત્રકે નોંધ રદ કરવાની પદ્ધતિ પુનઃ શરુ કરવા માંગ કરી છે.

કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 99742 62812

શનિવાર, 14 ફેબ્રુઆરી, 2015

થાણાગાલોલની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ

થાણાગાલોલની પરિણીતાને સાસરિયાઓનો ત્રાસ 
જેતપુર તા.14
જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામની પરિણીતા સોનલબેન ભીખુભાઈ જીવરાજભાઈ ધરાજીયાને તેમના પતિ ભીખુ જીવરાજે શારીરિક માનસિક ત્રાસ આપી, માવતરેથી પૈસા લાવવાનું દબાણ કરી સાસરીયેથી કાઢી મુકતા આ બારાની જેતપુર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જે.તા.પો.જમાદાર સોસાભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.
કશ્યપ જે.જોશી  જેતલસર જેતપુર 99742 62812 


ફોટો અને કેપ્શન : કશ્યપ જોશી જેતપુર જેતલસર 




પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા

જેતપુરની બોસમીયા કોલેજમાં નજીવી બાબતે ફર્સ્ટ યેરના સ્ટુડન્ટને 
પડખામાં છરીનો ઘા ઝીંકી દેતા તેજ કોલેજના અન્ય બે છાત્રો 
જેતપુર તા.14
જેતપુરની બોસમીયા કોલેજમાં આજે બપોરે સામાન્ય બોલાચાલી દરમિયાન બાખડી પડેલા છાત્રોના બનાવમાં એક ઉપર અન્ય બે કોલેજીયનોએ છરી વતી હુમલો કર્યાની ઘટના પોલીસ દફતરે નોંધાતા ફોજદાર જાડેજાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ જીકેસીકે બોસમીયા કોલેજની કેન્ટીનમાં આજે રીસેસ દરમિયાન ફૂલવાડી રામજી મંદિર રોડ પર રહેતા રફીક ઇકબાલ મુલતાની (ઉ.વ.21-એફવાયબીએ), નીલેશ હમીર મકવાણા(નાઝાવાલાપરા-ટીવાયબીકોમ), તથા રવિરાજ એમ ત્રણ છાત્રો વચ્ચે ઠઠા મશ્કરી ચાલતી હતી. જે મશ્કરી ઉગ્ર ઝગડામાં પરિણમતા નીલેશે રફીકને પડખામાં છરીનો ઘા મારી નાશી છૂટતા અન્ય વિદ્યાર્થીઓમાં નાશભાગ વચ્ચે રફીકને સારવાર માટે અત્રેની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.
બનાવની જાણ પરથી શહેર પોલીસના ફોજદાર જાડેજાએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બોક્સ: હુમલાખોરને કોલેજમાંથી રેસ્ટીકેટ કરાશે : પ્રિન્સીપાલ 
જેતપુર: રાજકોટ જીલ્લાભરમાં શિક્ષણ ક્ષેત્રે નામના ધરાવતી તમારી કોલેજમાં આમ છાત્રો છરીઓ લઈને ભણવા આવે અને હુમલા કરે ત્યારે તમે તહોમતદારો સામે કેવા પગલા ભરશો ? તેવા એક સવાલના જવાબમાં કોલેજના પ્રિન્સીપાલ આર.કે.ચોચાએ જણાવેલ કે આવો બનાવ તો પ્રથમ વખતજ બન્યો છે. આમ છતાં બનાવ બાદ આજે મેનેજમેન્ટની હાજરીમાં છરીના ઘા કરનાર વિદ્યાર્થીને કોલેજમાંથી રેસ્ટીકેટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
 
  ફોટો અને સમાચાર કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812


ROGCHALANO BHAY.KASHYAP JOSHI JETALSAR

Kashyap Joshi
JETALSAR JETPUR
9974262812

---------- Forwarded message ----------
From: kkumarjoshi@gmail.com
Date: 14-Feb-2015 1:43 pm
Subject: ROGCHALANO BHAY.KASHYAP JOSHI JETALSAR
To: kkumarjoshi <kkumarjoshi@gmail.com>
Cc:

JETALSAR

શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2015

બળાત્કાર અને સુધરાઈ સભ્ય પર હુમલો કશ્યપ જોશી જેતપુર જેતલસર

મિલકતના પ્રશ્ને બે ભાઈઓની ચકમકમાં મધ્યસ્થી બનવા ગયા ને ખાવો પડ્યો માર !

જે  મહીલાને પાલિકાની ચુંટણી જીતવામાં મદદ કરેલી તે સુધરાઈ સભ્યને 

માથા-હાથ પર ધોકો ફટકારી ફ્રેકચર કરી દેતો વિજેતા મહિલા સદસ્યનો જેઠ

જેતપુર તા.13

જેતપુરના એક સુધરાઈ સભ્ય પર થોડા દીવશો પહેલાજ જેતપુર પાલિકાના સદસ્ય તરીકે વિજેતા મહિલા ઉમેદવારના જેઠે ધોકા લાકડી વતી હુમલો કરી ફ્રેકચર જેવી ઈજા કર્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા પીએસઆઈ સંઘાણીએ બનાવની તપાસ હાથ ધરી છે.

બાબતે મળતી વિગતો મુજબ જેતપુરના ધોરાજી રોડ પર પંચમીયા હોસ્પિટલ પાસે રહેતા પટેલ કૈલાસભાઈ બાવિષા અને તેમની પત્ની દિપ્તીબેન કૈલાસભાઈ બાવિષાએ જેતપુર નવાગઢ નગર પાલિકાના સદસ્ય અનીલ રતિલાલ કાછડિયા (.વવ.52) ઉપર એક સંપ કરી લાકડી તથા ધોકા વતી 

હુમલો કરતા અનિલભાઈને માથામાં તથા હાથે ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓની સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

બનાવની ફરિયાદમાં જણાવાયું છે કે તહોમતદાર કૈલાશ બાવિષા અને તેમના નાનાભાઈ વિનુભાઈ બાવીશાને મિલકત બાબતે રકઝક થતી હોય સમાધાન માટે વિનુભાઈએ સુધરાઈ સભ્ય અનિલભાઈ કાછડિયાને ગઈ કાલે રાત્રીના 11.30 વાગ્યે પોતાના ઘરે બોલાવ્યા હતા.

ત્યારે અનિલભાઈ કઈ બોલે તે પહેલાજ વિનુભાઈના મોટાભાઈ કૈલાશભાઈ અને તેમની પત્ની દીપ્તીબેને અનિલભાઈ ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી મુક્યા હતા. ફોજદાર સંઘાણીએ ઉક્ત બંને તહોમતદારો સામે જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંના ભંગ સહિતની કલમો અન્વયે ગુનો નોંધી બંનેની ધરપકડની કવાયત આદરી છે.

 

બોક્સ: હુમલાખોર વિજેતા મહિલા ઉમેદવારના જેઠ

જેતપુર : બનાવ બાદ દુખની એક વાત શહેરીજનોમાં ચર્ચાતી જોવા મળી કે તાજેતરમાંજ જેતપુરના વોર્ડ નંબર 1 ની પેટા ચુંટણીમાં અનિલભાઈ કાછડીયાની વિકાસ સમિતિ પેનલમાંથી આશાબેન બાવિષા નામના મહિલા ઉમેદવારે ઝુન્કાવતા અનિલભાઈએ આશાબેનને ચુંટણી જીતાડવા ગજબની જહેમત ઉઠાવી હતી. હવે તે વિજેતા મહિલા પાલિકા સદસ્ય આશાબેનના જેઠ એવા કૈલાશ બાવીશાએ અનિલભાઈ ઉપર હુમલો કરતા શહેરીજનોમાં તરેહ તરેહની ચર્ચાઓ જાગી છે.   

 

++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

કાગવડની પરિણીતા પર  તે ગામના યુવાને દુષ્કર્મ આચરતા ફરિયાદ

મારા બાઈક પાછળ બેસી નહીતર તારા ઘરવાળા અને છોકરાઓને મારી  નાખીશ તેવી ધમકી આપી યુવાન પરિણીતાને  જુદા જુદા શહેરોમાં લઇ ગયો અને આચર્યું દુષ્કર્મ

જેતપુર તા.13

જેતપુર તાલુકાના કાગવડ ગામની એક પરિણીતાને ધાક ધમકીઓ આપી અન્ય શહેરોમાં ફેરવી તે ગામના ભરવાડ યુવાને દુષ્કર્મ આચાર્યની વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફોજદાર જાડેજાએ ધોરણસરની વિધિ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના કાગવડ ગામે રહેતી એક પરિણીતા ગામમાં એક દુકાને બ્લાઉઝ સીવડાવવા જતી હતી ત્યારે તે ગામનો કમલેશ ઉર્ફે કાનો રતિભાઈ ભરવાડ નામનો યુવાન બાઈક લઈને પાછળ જઈને પરિણીતાને ધમકી આપી હતી કે ચાલ મારી પાછળ બેસી જા, નહીતર તારા ઘરવાળા અને બાળકોને મારી નાખીશ.

પરિણામે ગભરાઈ ગયેલી પરિણીતા ગત તા.25.1.2015 ના રોજ કમલેશના બાઈક પાછળ બેસી ગઈ હતી. દરમિયાન કમલેશ પરિણીતાને સારંગપુર, તારાપુર વિગેરે શહેરોમાં લઇ જઈને જુદા જુદા ગેસ્ટ હાઉસમાં રોકીને રાત્રીના પરિણીતા ઉપર મરજી વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.

સતત 8 દિવસ સુધી આવો દુષ્કર્મનો સિલસિલો ચાલુ રાખનાર કમલેશ ગઈ તા.3.2.15 ના રોજ પરિણીતાને પાછો કાગવડ મૂકી ગયો હતો. સમયે પણ કમલેશે પરિણીતાને પોલીસ ફરિયાદ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બીજીબાજુ પરિણીતાએ પોતાના પતિ સહિતના સગાવહાલાઓને પોતાની સાથે વીતેલી કહાની કહેતા, જો બારાની ફરિયાદ નહિ કરીએ તો તહોમતદારને પ્રોત્સાહન મળશે તેવું વિચારી આજે વિરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ જાડેજાએ કમલેશ ઉર્ફે કાનો રતિલાલ સાસણા સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની વિધિ હાથ ધરી છે.

 

 

SxI5S]DFZ H[P HMQL<H[T5]Z<H[T,;Z<((&$Z^Z*!Z