અનુયાયીઓ

સોમવાર, 30 નવેમ્બર, 2020

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની મંજૂરી લેનાર વિશાલ મોઢા, વર્કિંગ પાર્ટનર ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજાને પણ આરોપી દર્શાવ્યા : હોસ્પિટલમાં રહેલી બેદરકારી અંગે માહિતી આપતા DCP મનોહરસિંહ

 પોલીસ એક્શન મોડમાં : રાજકોટના અગ્નિકાંડ મામલે ગોકુલ હોસ્પિટલના તબીબ પ્રકાશ મોઢા, તેજસ કરમટાની સહિત પાંચ સામે ફરિયાદ નોંધાઈ : ત્રણની અટકાયત


ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની મંજૂરી લેનાર વિશાલ મોઢા, વર્કિંગ પાર્ટનર ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજાને પણ આરોપી દર્શાવ્યા : હોસ્પિટલમાં રહેલી બેદરકારી અંગે માહિતી આપતા DCP મનોહરસિંહ



રાજકોટઃ રાજકોટમાં ગોકુલ હોસ્પિટલ સંચાલિત ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુમાં આગ લાગતા 5 દર્દીઓ જીવતા ભૂંજયા હતા. જે મામલે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આજે માલવીયાનગર પોલીસ મથકે ગોકુલ હોસ્પિટલના ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા હોસ્પિટલની મંજૂરી લેનાર વિશાલ મોઢા, વર્કિંગ પાર્ટનર ડો.તેજસ મોતીવારસ, ડો.દિગ્વિજયસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તમામની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. આરોપીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓની ધરપકડ કરવામાં આવશે.


હોસ્પિટલમાં રહેલી બેદરકારી અંગે માહિતી આપતા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.27ના રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના પ્રથમ માળે આઈ.સી.યુ. વોર્ડમાં કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાફલો દોડી ગયો હતો. તાત્કાલીક બનાવવાની જગ્યાએ પહોંચી ફાયર બ્રિગેડની ટીમ સાથે મદદમાં રહી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી.


વધુમાં ડીસીપીએ જણાવ્યું કે, બનાવની ગંભીરતા ધ્યાને લઈ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તાત્કાલીક જગ્યાની વિઝીટ કરવામાં આવી હતી અને તેઓના સીધા માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તટસ્થ ન્યાયીક તપાસ થાય તે હેતુથી SIT ( Special Investigation Tearn )ની રચના કરવામાં આવી. જેમાં અધ્યક્ષ તરીકે ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા સભ્ય તરીકે એસીપી જે.એસ.ગેડમે અને એસ.ઓ.જી.શાખાના પીઆઇ . આર.વાય.રાવલની નિમણુંક કરવામાં આવી હતી. 


હોસ્પીટલમાં આગ લાગી ત્યારે કુલ -૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઈ રહેલ હતા, જેમાંથી સાત દર્દીઓ આઈ.સી.યુ. વોર્ડમાં સારવારમાં દાખલ હતા. અન્ય દર્દીઓ આઈ.સી.યુ. રૂમની સામેના રૂમમાં તથા અન્ય વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. આઈ.સી.યુ. વોર્ડમાં આગ લાગતા આ સાત દર્દીઓ પૈકી ત્રણ દર્દીઓના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયા હતા. અને બે દર્દીઓને સારવાર અર્થે ગોકુલ હોસ્પીટલ, કુવાડવા રોડ ખાતે લઈ જવાતા તેમના પણ કરૂણ મૃત્યુ થયા હતા. જ્યારે બાકીના દર્દીઓને એબ્યુલન્સ વાહનો મારફત વિધાનગર મેઈન રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પીટલ તથા કુવાડવા રોડ ઉપર આવેલ ગોકુલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા

ડીસીપીએ કહ્યું કે, આ બનાવ બાબતે માલવીયાનગર પોલીસ મથકે દર્દી કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ. 50, રહે. ન્યુ શક્તિ સોસાયટી રાજકોટ), રામશીભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ. 35, રહે. જસદણ, અર્જુનપાર્ક સોસાયટી, ધોરીયાની બાજુમાં), રસીકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ. 56, રહે. શિવનગર શેરી નં. 2 , " રધુવીર ” , વેરાવળ - શાપર ), સંજયભાઇ અમૃતભાઇ રાઠોડ ઉ.વ. 27, રહે. પ્રહલાદ પ્લોટ 41, કેદાર કૃપા, કરણપરા ચોક) નીતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ. 61, રહે. ઇસ્કોન ફ્લેટ, શનાળા જી.મોરબી)ની મૃત્યુ નોંધ લેવાઈ હતી. અને મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.


◆ પીએમ રીપોર્ટમાં ખુલાસો : એક દર્દીનું ગુગળાઈ જવાથી મોત થયું


પી.એમ. રૂમ ખાતે એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂ ઈન્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરાવી પેનલ ડોકટર મારફતે ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બનાવ સમયે ફરજ પર હાજર હોસ્પીટલ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, તેમજ કોવીડ હોસ્પીટલની મળેલ મંજુરી અંગેના લગત ડીપાર્ટમેન્ટના મંજુરીના કાગળો વગેરે દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરી આ બનાવને લગત જરૂરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેમજ ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલના સી.સી.ટી.વી ના રેકોર્ડીંગ ડી.વી.આર, કબ્જે લઈ પરીક્ષણ માટે એફ.એસ.એલ કચેરી ગાંધીનગર ખાતે તાત્કાલીક મોકલવામાં આવ્યા હતા. તેમજ આ બનાવમાં મરણજનાર પાંચેય દર્દીઓના પી.એમ, રીપોર્ટ આવતા કેશુભાઈ લાલજીભાઈ અકબરીનું મૃત્યુ ગુંગળામણના કારણે અને અન્ય મૃતકોનું દાઝી જવાથી મોત થયાનું સામે આવ્યું હતું.


◆ પોલીસ તપાસમાં હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી


તપાસ દરમિયાન જણાય આવેલ કે, હોસ્પીટલમાં આઈ.સી.યુ. વોર્ડનું ઈમરજન્સી એક્ઝીટ બંધ હાલતમાં તેમજ તેના દરવાજા પાસે મશીનરીની આડશથી અવરોધ ઉભો કરેલ હતો, આઈ.સી.યુ. વોર્ડમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો, સેનેટાઈઝર જેવા જ્વલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા, ઈમરજન્સી સમયે હોસ્પીટલમાંથી બહાર જવા માટે કોઈ ઈમરજન્સી દરવાજો ન હતો, ફક્ત ચાર ફુટની પહોળાઈ ધરાવતા પગથીયા વાટે જ ચડવા ઉતરવાની વ્યવસ્થા હતી. ફક્ત ગ્રાઉન્ડ ફ્લોરમાં નજીકના બે દરવાજા આપેલ હતા ત્યાં કોઈપણ જાતના ફાયર સાઈન બોર્ડ કે અન્ય કોઈ રીફલેકટર દ્વારા ઈમરજન્સી એક્ઝીટ દર્શાવેલ ન હતું. આઈ.સી.યુ.ના દરવાજાની પહોળાઈ ત્રણ ફુટ ચાર ઈંચ જેટલી હતી, આઈ.સી.યુ. પાસે રાખવામાં આવેલ ફાયર એસ્ટીમ્યુશર્સનો ફરજ પરનો હાજર પેરા મેડીકલ સ્ટાફ તાલીમના અભાવે ઉપયોગ કરી શકેલ નહીં. ફરજ પરના મેડીકલ સ્ટાફને હોસ્પીટલ સંચાલક દ્વારા ફાયર ફાઈટીંગ કે ઈમરજન્સી રેસ્કયુ અંગેની તાલીમ આપવામાં આવેલ ન હતી, ઈવેકયુએશન પ્લાન બનાવવામાં આવેલ ન હતો , ઓટોમેટીક પ્રીન્કલ રસીસ્ટમની વ્યવસ્થા ન હતી , NBC તથા NABHI & FIRE SAFETY ની ગાઈડ લાઈનનું પાલન થતું ન હતું.


◆ તબીબો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ


હોસ્પીટલના સંચાલકોની ગંભીર બેદરકારીના લીધે પાંચ દર્દીઓના મૃત્યુ થયા હોય ઉદય શિવાનંદ કોવીડ હોસ્પીટલનું સંચાલન કરતા ડો.પ્રકાશ મોઢા ( ચેરમેન - ગોકુલ લાઇફકેર પ્રા.લી.), વિશાલ મોઢા કે જેઓએ હોસ્પીટલની મંજુરી મહાનગરપાલીકા પાસેથી મેળવી છે તે તથા ડો.તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ, ડો.દિગ્વીજયસિંહ જાડેજા તથા તપાસમાં નિકળે તેઓ વિરૂધ્ધ માલવીયાનગર પોલીસ મથકે ઇપીકો કલમ ૩૦૪ ( અ ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓ ડો.પ્રકાશ મોઢા, તથા વિશાલ મોઢા તથા તેજસ કરમટાના કોરોના ટેસ્ટ કરાવવા તજવીજ કરવામાં આવી છે. અને રીપોર્ટ આબે અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ગુન્હાની આગળની તપાસ રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળાને સોપવામાં આવી છે.

(સાભાર : સાંજસમાચાર)


રવિવાર, 29 નવેમ્બર, 2020

'મન કી બાત' : નવા કૃષિ કાયદાથી ખેડૂતોને અનેક અધિકાર મળ્યા કૃષિ સુધારોથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ -પીએમ મોદી



નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ મન કી બાતની શરૂઆત કરતાં કહ્યું કે, ભારતના લોકોને એક ખુશખબરી આપવા માંગું છું. દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પરત આવી રહી છે જે કાશીથી ચોરી કરવામાં આવી હતી. પીએમ મોદીએ તેના માટે કેનેડા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.


મન કી બાતમાં કૃષિ કાયદા વિશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કૃષિ સુધારોથી ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ રહી છે. પાકની ખરીદીના ત્રણ દિવસ બાદ જ ખેડૂતોને ચૂકવણી થઈ જાય છે. સંસદે કૃષિ કાયદાને સ્વરૂપ આપ્યું છે.
 વડાપ્રધાને કહ્યું કે, મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ખેડૂત જિતેન્દ્ર ભોઇજીએ નવા કૃષિ કાયદાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે આપને પણ જાણવું જોઈએ. હવે જ્યારે આ કાયદાની તાકાત આપણા ખેડૂતો પાસે છે તો તેમની સમસ્યાનું સમાધાન તો થવાનું જ હતું, તેઓએ ફરિયાદ કરી અને થોડાક જ દિવસમાં તેમની બાકી રકમની ચૂકવણી કરી દેવામાં આવી.


ચોરાઉ મુદ્દામાલ સાથે ભાયાવદર-ઉપલેટાના 2 શખ્સને ઝડપી લેતી રાજકોટ રૂરલ પોલીસ ત્રીજાને શોધતી પોલીસ : તસ્કર બેલડીએ 7 ચોરી કબૂલી

16300 રોકડ, 4 મોબાઈલ અને ચોરીના સાધનો કબ્જે કરતી પોલીસ

રાજકોટ: રાજકોટ રૂરલ પોલીસે ભાયાવદર અને ઉપલેટામાંથી 2 શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બંને શખ્સો ચોરી કરવા માટે GPS મેપનો ઉપયોગ કરતા હતા. પોલીસ તપાસમાં આ શખ્સોએ માત્ર ભાયાવદર અને ઉપલેટામાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય સહિત 7 જગ્યા પર ચોરી કરી હોવાનું કબૂલ કર્યું છે. હાલ પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.



રાજકોટ રૂરલ પોલીસને માહિતી મળી હતી કે, ભાયાવદર અને ઉપલેટા વચ્ચે ઝૂંપડામાં બે શખ્સો ચોરીના મુદ્દામાલના ભાગ પાડી રહ્યાં છે. જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા આરોપી સાયમલ ઉર્ફે સાયમંડ ભાભોર અને કોલેજ ઉર્ફે કોયલો મીનાના નામના બંને શખ્સો પાસેથી ચોરેલા  16300 રોકડ, 4 મોબાઈલ અને ચોરીના સાધનો પોલીસે કબ્જે કર્યા હતા..બંને તસ્કરોએ  જેન્તી જવસિંગ પલાસ સાથે મળી 7 ચોરી કાર્યનું કબુલતા હવે પોલીસ જેન્તિને શોધી રહી છે.


મોરબી જીલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્દઘાટન કરતા રાજકોટના સંસદ મોહનભાઇ કુંડારીયા

રાજકોટ :  મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા મોરબી-માળીયા(મી) ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ગુજરાત રાજયના પૂર્વ રાજ્ય મંત્રી જયંતીભાઈ કવાડીયા,પૂર્વ જીલ્લા ભાજપના પ્રમુખ રધુભાઇ ફડારા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવિયા, 


મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જા રીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કુંજારીયા. મોરબી જીલ્લા યુવાભાજપ ઉપપ્રમુખ જીગ્નેશ કૈલા, મોરબી તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિશાલે ઘોડાસરા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

કોડીનારના નાગડકાની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયું


રાજકોટ : તારીખ 28/11/20 ના રોજ પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા નાગડકા પ્રાથમિક શાળા ખાતે વૃક્ષોરોપણ કરવામાં આવેલ. પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજીત રાષ્ટ્રીય સ્પર્ધા જલોહાણા ગ્રીન વોરીયંસ૬ ના વિજેતા શ્રી યશભાઈ આડતિયા ને શ્રી લોહાણા મહાપરિષદ, પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય મંત્રી શ્રી ભાવિનભાઈ જોબનપુત્રા, રાષ્ટ્રીય કારોબારી સભ્ય શ્રી રવિરાજભાઈ ઠકરાર તથા રમતગમત સમિતિ ના રાષ્ટ્રીય મંત્રી શ્રી પ્રકાશભાઈ ઠકરાર દ્વારા મેમેન્ટો તથા સર્ટીફિકેટ આપીને સન્માનીત કર


વામાં આવેલ. 



શ્રીમતી ક્રિષ્નાબેન ઠકરાર, શ્રીમતી ખ્યાતીબેન માણેક તથા નાગડકા પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી પલ્લવીબેન મેહતા, શ્રી નરોત્તમભાઈ સેંજલીયા, શ્રી યોગેશભાઈએ પિત્રોડા, શ્રીમતી વિજયાબેન દાણીધારીયા તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પર્યાવરણ સમિતિના કવુક્ષો વાવો.. ધરતી બચાવો અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવેલ તથા લયુઝ ક્લોથ બેગ અભિયાનનું કેમ્પઈનીંગ કરવામાં આવેલ. પર્યાવરણ સમિતિ, શ્રી લોહાણા મહાપરિષદ ના અધ્યક્ષ શ્રીકિરીટભાઈ ભીમાણી દ્વારા સૌ પર્યાવરણ પ્રેમીઓને શુભેચ્છાઓ પાઠવામાં આવેલ અને ટેલીફોનીક રીતે પોતાનો રાજીપો વ્યકત કરેલ.

"કાલે છાયા ચંદ્રગ્રહણનો અદ્દભૂત અવકાશી નજારો"



ભારતના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદય સ્થિતિમાં ૧૫ મિનિટ સુધી જોવા મળશે. ગ્રહણની અવધિ ૪ કલાક ને ૨૩ મિનિટ રહેશે : ટેલીસ્કોપથી ચંદ્ર બિંબ ઉપરનો બદલાવ, પ્રકાશના ફેરફારો જોઈ શકાય છે. વિજ્ઞાન જાથા ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ આપશે.

અમદાવાદ : આજે ભારતના પૂર્વ ભાગમાં ગ્રસ્તોદય સ્થિતિમાં જયારે વિશ્વના અમુક દેશો-પ્રદેશોમાં છાયા-માધે ચંદ્રગ્રહણનો અદ્દભુત અવકાશી નજારો બનવાનો છે. ટેલીસ્કોપ દૂરબીનથી ગ્રહણની ગતિવિધિ, તેજસ્વીતામાં ફેરફારો, પડછાયાની કરામત સ્પષ્ટ જોવા મળશે. વિશ્વના પ્રદેશોમાં આશરે ૪ કલાક ૨૩ મિનિટનો ગ્રહણનો અવધિનો સમય છે. ભારતના પૂર્વ ભાગમાં માત્ર ૧૫ મિનિટનો અવકાશી નજારો જોવા મળવાનો છે. ગુજરાતમાં આ ગ્રહણ જોવા મળશે નહીં. રાજયમાં ગ્રહણ સંબંધી વૈજ્ઞાનિક સમજ ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી લોકોને આપશે.



ભારતીય સમય મુજબ ગ્રહણ સ્પર્શ : ૧૨ કલાક ૫૯ મિનિટ ૪૧ સેકન્ડ પ્રારંભ થઈ સાંજે ગ્રહણ મોક્ષ : ૫ કલાક ૨૫ મિનિટ ૩૨ સેકન્ડની અવધિ છે. ભારતના પુર્વ ભાગમાં અલ્હાબાદ, બાલી, ભાગલપુર, ભુવનેશ્વર, બોકારો, કટક, ગોરખપુર, જમશેદપુર, લખનઉં, પટણા, ગૌહાટી, ગયા, કાનપુર, મુઝફરપુર, રાંચી વિગેરે વિસ્તારોમાં ૧૫ મિનિટ સુધીનો ગ્રહણ મોક્ષ સમયનો આહલાદક અદ્દભુત નજારો જોઈ શકાશે અને ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરી શકાશે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રાજયમાં ગ્રહણ દેખાવાનું નથી છતાં પસંદગીના સ્થળોએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોશ્યલ ડિસ્ટન્સ જાળવી નિદર્શન સાથે ચા-નાસ્તાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ચંદ્ર ગ્રહણના વિવિધ પ્રકારો, તેમાં છાય. ગ્રહણમાં તેજસ્વીતામાં ફેરફાર, પડછાયાની કરામત ઉપર સમજણ આપવામાં આવશે.


મોરબી જિલાના ખેડૂતોને સૌની યોજનાનું પાણી આપી રવિ સીઝનમાં મદદ કરો


રાજકોટ : મોરબી જીલ્લાના અનેક ગામો સિંચાઈની સુવિધાથી વંચિત છે અને રવિપાક લેવાની સીઝન આવી છે જેથી સિંચાઈ વિહોણા ગામોને સૌની યોજના કેનાલમાંથી સિંચાઈ સુવિધા આપવામાં આવે તેવી માંગ સંસ્થાએ કરી છે.



રાજ્યના મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સૂકી ખેતીમાં અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ , એટલે કે સૂકી દુષ્કાળ અને લીલો દુષ્કાળ નો ભય રહેતો હોય છે. જેના કારણે આ વિસ્તારના ખેડૂતો ખેતીનો વ્યવસાય છોડી ને અન્ય જગ્યા એ મજૂરી કામો માટે પોતપોતાના ગામો છોડી રહ્યા છે. મોરબી જિલ્લાના વર્ષામેડી, બોડકી, ખીરસરા, બગસરા, ચમનપર, નાનાભેલા, જાજા સાર, ભાવપર, લક્ષ્મીવાસ કુંતાસી, રાજપર, તેમજ અન્ય ગામોની તપાસ કરવી ને જાત માહિતી મેળવી શકો છો. જો કે અન્ય ગામો ની પણ સારી સ્થિતિ નથી.

મોરબી માળીયા વિધાન સભા ની પેટા ચૂંટણી ના પ્રચાર અર્થે મોરબી મુકામે યોજવામાં આવેલ જાહેર સભામાં આપે આ વિસ્તારના સિંચાઇ ના પ્રશ્ને ચિંતા વ્યક્ત કરી હતી જેથી સિંચાઈનો પ્રશ્ન તાકીદ ઉકેલવા માંગ કરી છે. આ વિસ્તારમાં સૌની યોજનાનાના મધર ડેમ એવા મચ્છુ-2 ડેમ માથી તેમજ અન્ય મચ્છ.3 ડેમ માથી કેનાલ દ્વારા આ વિસ્તારને સિંચાઇનું પાણી આપવા બાબતે જરૂર ન્યાય આપવા માંગ કરાઈ છે.


ગોંડલમાં રાજમાર્ગોની ફુટપાથોનું નવીનીકરણ પેવર બ્લોકથી મઢવાંનું શરુ


ગોંડલ તા.29 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા)

ગોંડલ શહેર નાં મોટાં ભાગનાં રાજમાર્ગો સહીત રોડ રસ્તા ટનાટન બન્યાં બાદ ધારાસભ્ય તથા નગરપાલિકા દ્વારા રાજમાર્ગો ની ફુટપાથો ને પેવર બ્લોક થી મઢવા નું કાયૅ શરું કરાયું હોય ગંદાળા દરવાજા થી શ્યામ વાડી ચોક સુધી રુ.44 લાખ નાં ખર્ચે બની રહેલી ફુટપાથો નું ખાત મુહુર્ત માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ના હસ્તે કરાયું હતું.


 



સંસ્કૃતિ સજંક મહારાજા ભગવતસિંહજી નાં રાજવી કાળ માં રોડ રસ્તા અને પહોળી ફુટપાથો વિશ્રવ કક્ષાએ પ્રખ્યાત હતી. મહારાજા ની નગરરચનાં ચિરંજીવી બની રહે તે માટે સર્ચ્યુત કામગીરી નાં ભાગ રુપે ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં માગૅદશન હેઠળ નગરપાલિકા નાં પ્રમુખ અશોકભાઈ પીપળીયા,ઉપ પ્રમુખ અપૅણા બેન આચાર્ય, કારોબારી અધ્યક્ષ પૃથ્વી સિંહ જાડેજા સહીત નાં તંત્ર દ્વારા રાજમાર્ગો નાં આધુનિકરણ માટે કટિબદ્ધ બની ફુટપાથો પર પેવર બ્લોક, અધતન લાઇટીંગ,વૃક્ષારોપણ સહીત ની કામગીરી શરું કરાઇ છે.ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર માં સિમેન્ટ નાં રોડ રસ્તા બનાવવાં ગોંડલ નગરપાલિકા અવ્વલ સ્થાન ધરાવે છે.ત્યારે ફુટપાથો નું કાયૅ યુદ્ધ નાં ધોરણે શરું કરાયું હોય જયરાજસિંહ જાડેજા દ્વારા અપાયેલું આધુનિક ગોંડલ નાં સુત્ર વેગવંતુ બન્યું છે.
********


સંતુલિત આહાર, યોગ્ય દવાઓ અને કાળજીભરી માવજત નો સરવાળો એટલે સિવિલ હોસ્પિટલની સારવાર -રાજકોટના રહીશ રવિકિરણભાઈ


રાજકોટ - રાજકોટના ભુપેન્દ્ર રોડ ખાતે રહેતા શ્રી રવિકિરણભાઈ કોટકે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલની સારવાર એટલે સંતુલિત આહાર
, યોગ્ય દવાઓ અને કાળજીભરી માવજતનો સરવાળો છે.

૨૮ નવેમ્બરે રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતેથી આઠ દિવસની કોરોનાની સઘન સારવાર લઈને કોરોના મુક્ત થયેલા દર્દી શ્રી રવિ કિરણભાઈએ તેમને મળેલ સારવારનો પ્રતિભાવ આપતા કહ્યું હતું કે વિશ્વભરમાં ફેલાયેલી કોરોનાની મહામારીનો સામનો કરવામાં રાજ્યનું આરોગ્ય તંત્ર ખડે પગે નાગરિકોની સેવામાં હાજર રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોએ સરકારી સારવારનો જ આગ્રહ રાખવો જોઈએ કેમ કે અહીં બધુ ઉત્તમ કક્ષાનું જ મળે છે. મારી પાસે વિડીયો કોલ થઈ શકે તેવો મોબાઈલ ન હોવાથી અહીંના સ્ટાફે મને વિડીયોકોલ મારફતે મારા ઘરના સભ્યો સાથે વાત કરાવી હતી અને એક ઘરના સભ્યની જેમ મારો ખ્યાલ રાખ્યો છે તે બદલ હું તેમનો સદા ઋણી રહીશ.

શ્રી રવિકિરણભાઈ માસ્ક પહેરવા, સમયે સમયે હાથ સેનેટાઈઝ કરવા અને સામાજિક અંતર જાળવવા લોકોને આગ્રહ કરે છે અને કોરોનાની મહામારીનો સામનો કરવામાં રાજ્ય સરકારના પ્રયાસોને મદદરૂપ થવા પણ જણાવે છે.

૬૯ વર્ષીય પુષ્પાબેન મેર અને હંસાબેન ધોકિયાને કોરાનો મૂકત કરતા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પીટલના આરોગ્ય કર્મિઓ

 

  માત્ર સારવાર જ નહીં પણ આપ્તજનસમી હુંફ અને સધિયારા વડે કોરોના દર્દીઓ માટે બીજુ ઘર પુરવાર થતું રાજકોટ કોવીડ-૧૯ હોસ્પીટલ

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

મા ને કોરોના થતાં માતાની જીવવાની આશા મુકી દીધી હતી, પણ રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલના તબીબોએ તેમને સ્વસ્થ બનાવી આશાનો દિપ જલાવ્યો

-    ઋષીકેશભાઇ મેર

રાજકોટ - વર્તમાન કોરોનાની મહામારીને કારણે અનેક લોકો રોગ અને તેની સારવારની માહિતીથી અજાણ હોવાથી અને માત્ર સાંભળેલી વાતોથી દેારવાઇને જીંદગી પ્રત્યે હતાશા અનુભવતા હોવાનું સામાન્યતઃ જોવા મળે છે. પરંતુ રાજકોટ કોવિડ-૧૯ હોસ્પિટલના નિષ્કામ અને ફરજપરસ્તી સાથે રાષ્ટ્ર સેવાને સમર્પીત આરોગ્ય કર્મીઓની સેવાની જયોત આવા હતાશ દર્દીઓ માટે હરહંમેશ આશાનો દિપ પ્રજવલીત રાખવા તત્પર રહયો છે.



 

            આ બાબતની સાક્ષી પુરતા રાજકોટ કોવીડ-૧૯ હોસ્પિટલમાંથી તાજેતરમાંજ કોરોના સંક્રમણથી મૂકત બની સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફરતા ૬૯ વર્ષીય પુષ્પાબેન મેરના પુત્ર શ્રી ઋષીકેશભાઇ સંતોષની લાગણી સાથે જણાવે છે કે મારી માતાને કોરોના થતાં મને માતાની જીવવાની આશા ધુંધળી ભાસતી હતી. પરંતું રાજકોટ સિવીલ હોસ્પિટલના ડોકટરોએ દેવદુત બની અમારો સહારો બન્યા છે. તેઓએ મારી માતાની આપ્તજનસમી સેવા કરી છે. તેઓની નિયમીત દવાઓ, સતત દેખરેખ સારવાર અને ખાસ તો વારંવાર માતાને સધિયારા સાથે હિંમત અને હુંફ આખરે કારગર બની મારી માતાને સ્વસ્થ બનાવ્યા છે.

આવા જઅન્ય કોરોનાને હરાવી સ્વસ્થ બનેલા અને અહોભાવની લાગણીથી ગદગદીત હંસાબેન જીવનભાઇ ધોકિયા કહે છે કે કોવિડ-૧૯ હોસ્પિટલના આરોગ્યકર્મીઓની સધન સારવાર, નિયમીત અને સમયસર દવાઓ, દરરોજ પોષક આહાર સાથે નાસ્તો અને અન્ય સુવિધા સાથે ઘરના આત્મીયજન કરતા પણ વિશેષ હુંફ અને દેખરેખ એ આ સમયમાં અકલ્પનિય છે. સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના કોરોના દર્દીઓ પ્રત્યેની સંવેદના અને મોંઘેરી સારવાર નિઃશુલ્ક આપાય તેવી સુદ્રઢ વ્યવસ્થા કરી છે. આવી જ સંવેદનાથી સભર આરોગ્યકર્મીઓની આત્મિયતા અને સેવાએ મને નવી જિંદગી બક્ષી છે. એટલું જ નહીં વીડીયો કોલીંગ દ્વારા ઘરના સભ્યો સાથે સતત સંપર્ક બનાવી આપી તેઓએ કયારેય ઘરની ખોટ સાલવા દીઘી નથી.

૮૦ વર્ષના વૃદ્ધા બિલ્કીશબેન સિવિલના સ્ટાફની સેવાથી થયા ભાવ વિભોર : દિકરાથી વિશેષ લીધી છે મારી સારસંભાળ...

રાજકોટ, - કોરોના મહામારીમાં રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં બીપી, ડાયાબિટીસ, હૃદયની તકલીફ સહીતના  મલ્ટીપલ રોગ ધરાવતા મોટી ઉંમરના કોરોનાના અનેક દર્દીઓ સારવાર મેળવી માત્ર ક્રોરોના જ નહિ અન્ય બીમારીઓથી પણ મુક્ત થઈ રહ્યા છે.

આવા જ એક દર્દી બિલ્કીશબેન હસનઅલી ૮૦ વર્ષના વૃદ્ધાએ ધ્રુજતા પણ મક્કમ અવાજે તેમની સિવિલ હોસ્પિટલ ખાતેની સારવારની વાત રજૂ કરતા જણાવે છે કે, અહીંના સ્ટાફના સભ્યોએ મારી દિકરાથી વિશેષ સારસંભાળ લીધી છે. તેઓ  ઠંડકથી મારી વાત સાંભળી કોઈપણ જરૂરિયાત હોઈ પુરી કરી આપતા. ભોજન, દવા બધું લેવામાં મને મદદરૂપ બનતા.તેઓનો સરળ સ્વભાવ, આવડતથી હવે હું સ્વસ્થ થઈ રજા લઈઘરે સુખરૂપ જઈ રહી છે.


 

બિલ્કીશબેનની સારવાર કરતા મેડિસિનના ત્રીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરતા ડો. અભય ગંભીર જણાવે છે કે, બિલ્કીશબેનને શ્વાસ લેવામાં તકલીફ હતી, ખાંસી અને શરદી હોઈ તેમનો ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવેલો. તેમને ૫ દિવસ સુધી ઓક્સિજન પર રાખવામાં આવેલા હતાં. તેમને હૃદય અને બી.પી. ની પણ બીમારી હોઈ તેમની સ્થિતિ નાજુક હતી. પરંતુ તેમની રોગપ્રતિકારક શક્તિ સારી હોઈ ૧૦ દિવસમાં તેઓ સ્વસ્થ થઈ ગયા છે. હાલ તેઓને કોઈ તકલીફ ન હોઈ અને કોરોના નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી છે.

ડો. ગંભીર જણાવે છે કે, કોરોના થયા બાદ સારવાર લેવી પડે તેના કરતા કોરોના સંક્રમિત ના થઈએ તે માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ. જો દરેક લોકો સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હાથ વારંવાર ધોવાનું રાખે તો આપણે ચોક્કસ કોરોનાથી બચી શકીએ.

રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ બહેનોની અવિરત સેવા

 


૦૦૦૦૦૦૦

કોરોનાથી સંક્રમિત થયા પણ  દર્દીઓની સેવા કરવી છે: નર્સ બહેન ગોસાઈ અર્ચના

૦૦૦૦૦૦૦

પોતાના પરિવાર અને બાળકોની ચિંતા કર્યા વગર

નર્સિંગ સ્ટાફ  સેવા-સુશ્રુષા કરી રહ્યા છે

- ભલગામા ધર્મિષ્ઠાબેન

રાજકોટ, :- રાજકોટની પી.ડી.યુ. સિવિલ કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધું નર્સિંગ કર્મીઓ મહિનાઓથી અવિરત સેવા આપી રહ્યા છે.  કોરોનાની મહામારીમાં જે રીતે તબીબો કોરોના વોરીયર્સ બની દર્દીઓની સારવાર કરી રહ્યા છે તેવી જ રીતે આ સારવાર-સેવામાં જેની ભુમિકા અગત્યની છે તેવા નર્સિંગ સ્ટાફના કર્મીઓ પણ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર બની પરિવારની પરવા કર્યા વગર કોરોના સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યા છે. 

         કોરોના સામેની લડાઈમાં રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર, હોસ્પિટલ મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ નર્સિંગ સ્ટાફે દિવસ-રાત કામ કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવારમાં સાચા અર્થમાં કર્મયોગ ચરિતાર્થ કર્યો છે. 

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની બહેનો કોરોનાથી સંક્રમિત થાય તો  સારવાર મેળવીને અથવા તો હોમ આઇસોલેટેડ થઈને ફરી સ્વસ્થ થઈ સારવારમાં લાગી જાય છે. આવી છે સંવેદનશીલ સરકારના સંવેદના સભર કર્મયોગીઓની સંવેદના.





 

         રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ૧૪ વર્ષથી સેવા આપતા  નર્સ બહેન અર્ચના ગોસાઇએ જણાવ્યું હતું કે તેઓનો તા.૩ સપ્ટેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં  ૧૪ દિવસ સુધી  આઈસોલેટેડ માં રહી  સારવાર મેળવી સાજા થઇ  ફરી સેવામાં લાગી ગયા હતા . તેઓએ જણાવ્યું હતું કે તેમની સેવા કોવિડ હોસ્પિટલમાં હોવાથી ઘરે વિશેષ તકેદારી રાખવી પડે છે. તેમની ડયુટી રોટેશન મુજબ હોય છે અને જ્યારે તેઓ સેવા કરીને ઘરે જાય છે ત્યારે બાળકોને ચેપ ન લાગે તે માટે વિશેષ તકેદારી રાખે છે .સિવિલ હોસ્પિટલ ની સેવા તેમના માટે મુખ્ય છે અને તેઓએ પણ લોકોને જાગૃત રહી સાવચેતી રાખવા  અપીલ કરી હતી. 

આવા જ બીજા એક સેવાભાવી  ધર્મિષ્ઠાબેન ભલગામાએ  કહ્યું હતું કે તેઓ આઇ હોસ્પિટલમાં સેવા આપે છે અને રોટેશન મુજબ તેમને સિવિલ હોસ્પિટલમાં સેવા કરવાની હોય છે. તેમનું પાંચમું રોટેશન ચાલતું હતું ત્યારે તેઓ પણ દર્દીઓની સારવાર કરતી વખતે કોરોનાથી સંક્રમિત થયા હતા  તેમને દસ વર્ષનો પુત્ર છે તેમને સંક્રમણ ન લાગે તે માટે સગા સંબંધીને ત્યાં  મૂકીને  તેઓએ સારવાર મેળવી હતી અને જ્યારે પણ સિવિલ હોસ્પિટલમાંથી સેવા કરીને ઘરે પરત ફરે ત્યારે પરિવારજનોને કોઈ તકલીફ ન પડે તે માટે કાળજી રાખે છે. ધર્મિષ્ઠાબેને રાજકોટ શહેર જિલ્લાના લોકોને સતત માસ્ક પહેરવા અને કોરોનાથી  બચવા માટે સરકારની માર્ગદર્શિકા નું પાલન કરવા અને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

માણસે અહંકારના બોજ વિના જીવવું જોઈએ - આશુ પટેલ

 


આ પૃથ્વી બ્રહ્માંડમાં એક ટપકાં સમાન છે તો આપણી શું વિસાત છે એ વિચારીને માણસો જીવવા માંડે તો દુનિયામાંથી ખટપટ અને પ્રપંચ દૂર થઈ જાય
    
 

થોડા દિવસ અગાઉ અવકાશયાને શનિના વલય પરથી પૃથ્વીની તસવીર ખેંચી. એટલે દૂરથી પૃથ્વી એક નાનકડાં ટપકાંરૂપે દેખાય છે. એ તસવીર એક પત્રકારમિત્રએ સોશિયલ મીડિયા પર શેર કરી અને એની સાથે લખ્યું કે ૭૬૦ કરોડ લોકો આ એક પૃથ્વીમાં વસે છે અને પૃથ્વીની જગ્યાએ એક ટપકું દેખાય છે. અને એ ટપકામાં કેટલા બધા દેશો, કેટલા બધા રાજ્ય, કેટલા બધા જિલ્લાઓ, કેટલા તાલુકાઓ અને એમાં પાછી કેટલી સંસ્થાઓ અને કેટલા પરિવારો હોય છે..!! તે મિત્રએ એવું લખ્યું હતું કે માણસનો અહંકાર કેટલો હોય છે! આ સૃષ્ટિમાં પૃથ્વી પણ એક ટપકાં સમાન છે. એ ટપકાં પર સત્તા જમાવવા માટે અને એમાંય પાછા કોઈ દેશો કે રાજ્યો પર સત્તા મેળવવા માટે, લાયન્સ ક્લબ કે લોટરી જેવી સંસ્થાઓમાં હોદ્દો મેળવવા માટે કે શૈક્ષણિક યા સેવાકીય સંસ્થાઓમાં પદ મેળવવા માટે, સમાજમાં સ્થાન મેળવવા માટે, કુટુંબ પર કે કંપની પર આધિપત્ય મેળવવા માટે, ઘરમાં કોઈને પછાડી દેવા માટે, વધુ સંપત્તિ મેળવવા માટે કેટલા ઉધામા કરતા રહેતા હોય છે માણસો..!! પણ વાસ્તવમાં માણસ કેટલો પામર છે..!!

ડોક્ટર જે. જે. રાવલ જેવા વિશ્ર્વવિખ્યાત ખગોળવિજ્ઞાની સાથે ઘણી વખત વાત થતી હોય ત્યારે બ્રહ્માંડની અકલ્પ્ય વાતો જાણવા મળે છે. તેમની પાસે જ્ઞાનનો અગાધ ખજાનો છે. યુનિવર્સમાં ૨૫૦ અબજ જેટલી ગેલેક્સીઝ છે અને એક એક ગેલેક્સીમાં ૨૫૦ અબજ જેટલા સ્ટાર્સ છે (હજી સુધી વિજ્ઞાન એટલું જ શોધી શક્યું છે કે યુનિવર્સમાં આટલી ગેલેકસીઝ છે અને આટલા સ્ટાર્સ છે. વાસ્તવમાં યુનિવર્સ એનાથી પણ વિશાળ હોઈ શકે છે)  હવે એક એક ગેલેકસીમાં કેટલીય સૂર્યમાળાઓ હોય છે. વિચાર કરો કે આપણી ગેલેકસીની એવી એક સૂર્યમાળાના એક ગ્રહ પર આપણે એક દેશમાં એક નાનકડાં રાજ્યનાં કોઈ જિલ્લાના કોઈ તાલુકાની, કોઈ શહેર કે ગામની એક નાનકડી સોસાયટીના ઘરમાં આપણે રહેતા હોઈએ છીએ. આ છતાં પોતે કંઇક છે એવો ભાર મનમાં રાખીને રાખીને મોટા ભાગના માણસો અહંકારમાં જીવતા હોય છે. આ પૃથ્વી એક ટપકું છે તો આપણી શું વિસાત છે એ વિચારીને જો માણસો જીવવા માંડે તો આ દુનિયામાંથી ખટપટ અને પ્રપંચ અને કજિયા-કલેશ છે એ બધું દૂર થઈ જાય.
(મુંબઈ સમાચાર માંથી સાભાર)

પોતાના કોઈ કામથી કોઈને તકલીફ તો નહીં પડેને એ વિચારવું જોઈએ - આશુ પટેલ

 

જનકલ્યાણ સામયિકનો એક જૂનો અંક હમણાં હાથમાં આવ્યો. એમાં એક હૃદયસ્પર્શી કિસ્સો વાંચ્યો. એ કિસ્સો જનકલ્યાણ અને એના સંપાદક એવા વડીલમિત્ર દેવેન્દ્ર ત્રિવેદીના સૌજન્ય સાથે વાચકો સામે મૂકું છું.

***

ટી. એન. શેષન ભારતના મુખ્ય ચૂંટણી આયુક્ત હતા એ વખતે તેમના જીવનમાં બનેલો એક પ્રસંગ છે.એક વાર તેઓ પોતાની પત્ની જયલક્ષ્મી શેષનની સાથે ફરવા નીકળ્યા હતા. ઉત્તર પ્રદેશના એક સુંદર રસ્તા પર ગાડી જઈ રહી હતી. રસ્તાની બંને બાજુ સુંદર ઘટાદાર ઝાડની વનરાજી છવાયેલી હતી. આકાશ સ્વચ્છ હતું. પંખીઓનો મધુર કલરવ અને અનેક પક્ષીઓના માળાઓ કુદરતના સુંદર નઝારામાં ઓર વધારો કરી રહ્યા હતાં.જયલક્ષ્મીજીને એ દ્રશ્ય ખૂબ જ ગમી ગયું. તેમને લાગ્યું કે આપણાં ઘરના બાગ માટે આમાંના બે માળા લઈ જઈએ તો બાગ કેટલો શોભી ઊઠશે. તેમણે પોતાની ઈચ્છા શેષનને કહી. ગાડીઓ રોકાઈ, એક છોકરો ઘેટાં ચરાવવા આવ્યો હતો તેને બોલાવ્યો. શેષન કોઈ મોટા સરકારી અધિકારી છે એ તેને સમજાવ્યું અને પછી તે છોકરાને બે માળા કાઢીને લાવી દેવાનું કહેવામાં આવ્યું. સાથે એમ પણ કહ્યું કે પ્રત્યેક માળાના દસ રૂપિયા દઈશું. તે છોકરાએ ડોકું નીચે નમાવી નકારાર્થે ડોકું હલાવ્યું. તેને પૂછાયું કે દસ રૂપિયા ઓછા લાગે છે કે..?? તને પચાસ રૂપિયા દઈશું. ત્યારે છોકરો બોલ્યો સાહેબ.. પૈસાનો સવાલ જ નથી. ગમે એટલા પણ પૈસા દેશો તો પણ હું એ માળો ઝાડ પરથી ઉતારવાનો નથી.. કેમ ભાઈ..?? આવો સવાલ પૂછાયો ત્યારે તે છોકરાએ જવાબ આપ્યો કે એ માળામાં પક્ષીઓનાં બચ્ચાં શાંતપણે અને વિશ્ર્વાસથી સૂતેલાં છે. સાંજે તેમની મા ચાંચમાં દાણા ભરીને આવશે, બચ્ચાઓ ન દેખાયા તો તેના મનમાં કેટલો આક્રોશ જાગશે એ મારાથી સહન નહિ થાય. કોકનું ઘર તોડવું એ પાપ છે સાહેબ અને એ પાપ હું નહિ કરું. તેના એ શબ્દો સાંભળીને શેષન અને તેમના પત્ની સજ્જડ થઈ ગયા

દોસ્તો, આ કિસ્સો આમ સામાન્ય લાગે, પણ પેલા છોકરાની સંવેદનાની વાત હૃદયને સ્પર્શી જાય એવી છે. તે છોકરા જેવી સંવેદના તમામ માણસોમાં હોય તો પૃથ્વી સ્વર્ગ જેવી બની જાય. દરેક વ્યક્તિએ સંવેદના સાથે વિચારવું જોઈએ. પોતાના કોઈ કામથી બીજા કોઈને નુકસાન તો નહીં, ત્યાં ને કે કોઈને તકલીફ તો નહીં પડેને એ વિચારવું જોઈએ.. (મુંબઈ સમાચારમાંથી સાભાર)

શિયાળુ પાક માટે ખેડૂતોને પૂરતી લાઈટ આપવા ભારતીય કિસાન સંઘ રાજકોટના આગેવાનોની માગ


(ઋત્વિક જોશી દ્વારા)

ચાલુ વરસે અતિવૃષ્ટિને હિસાબે ખેડૂતોના ચોમાસુ પાક ની અંદર ઘણી બધી નુકસાનીનો સામનો કરવો પડે છે. પરંતુ સારા વરસાદ થવાના કારણે ખેડૂતોને શિયાળો પિતની અંદર બે પૈસા મળે એવી આશા અને અપેક્ષા છે.

આ વર્ષે પાણીને હિસાબે શિયાળુ પીતનુ સારું એવું વાવેતર થયેલ છે. અને શિયાળુ પીર નું હંમેશા પિયત પાણી થી જ ઉત્પાદન કરી શકાય છે. ખેતીને પિયત આપવા માટે લાઈટની ખેડૂતોને ખૂબ જ જરૂર હોય છે. એવા સમયે ગામડાઓના ખેડૂતોના ફિડરો અને ટીસીઓ માં વારંવાર ફોલ્ટ ના હિસાબે ખેડૂતોની ખેતીમાં પિયત કરવામાં ઘણી બધી પરેશાનીઓ વધે છે.

ફરિયાદ વિભાગમાં વારંવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવતું

 લખાવેલી ફરિયાદો ઉપર પૂરેપૂરું ધ્યાન અપાતું નથી, તેવી ઘણી-બધી ગામડાઓના ખેડૂતોની


ફરિયાદ આવેલી છે,  ફરિયાદ વિભાગમાં એવા માણસો ની વ્યવસ્થા કરવામાં આવે કે ખેડૂતોની મુશ્કેલીઓને સમજી શકે, જે અધિકારીઓ ફરિયાફો હલ  નથી કરતા તેના ઉપર તાત્કાલિક એકશન લેવામાં આવે


કોઈ કારણોસર ખેડૂતોના જે તે ફિડરમાં નિયમ પ્રમાણે લાઈટ મળતી નથી, તો તેવા ફિડરમાં તાત્કાલિક નિયમ પ્રમાણે લાઈટ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.


કોઈ કારણોસર જીઈબી માં ફોલ્ટને હિસાબે સમયમાં ફેરફાર થાય તો તે સમયના ભાગની લાઈટ ફરીથી વધારે આપવી જોઈએ, પિયત પાક માં જે ખેડૂતના ટીસી ખરાબ થાય છે, ત્યારે તેને તાત્કાલિક જો સમયસર બદલવામાં ન આવે તો ખેડૂતોના પાકને નુકસાન જાય છે. જેથી કરી ખેડૂતોના ટીસી તાત્કાલિક બદલવામાં આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.


આઠ કલાકના મર્યાદિત લાઈટના સમયની અંદર પણ વારંવાર પાવર ઝટકાના હિસાબે ખેડૂતોની પરેશાનીઓ વધે છે. તેને હિસાબે નાની મોટી જેમ કે મોટર બળી જવી, લાઈન તૂટી જવી, મજૂરી ખર્ચ વધવો, જેવી આર્થિક નુકશાની નો પણ ખેડૂતો ભોગ બનવો પડે છે.


શિયાળાની ઠંડીમાં પણ ખેડૂતોને રાત્રે પાણી વારવા જાઉં પડે છે. આ વિકાસશીલ ગુજરાત રાજ્યના ખેડૂતોની આવી હાલત, વારંવાર ભારતીય કિસાન સંઘની સંધની વર્ષો જૂની માંગણી છે. ખેડૂતોને દિવસથી લાઈટ આપવી જોઈએ, પરંતુ તે પ્રશ્ન તો સરકાર તાત્કાલિક સોલ કરતી નથી, જ્યાં સુધી ખેડૂતોને દિવસની લાઈટ ન મળે ત્યાં સુધી રાત્રે પણ જે આઠ કલાક ખેડૂતોને લાઈટ મળે છે. તે નિયમ પ્રમાણે અને કોઈપણ જાતના ફોલ્ટ વિના પૂરેપૂરા સમય પ્રમાણે મળે તેવી ભારતીય કિસાન સંઘ ની માંગણી છે,


ગામડાઓ અને વાડીઓના ફીડરની લાઈટ ની અંદર રીપેરીંગ કરવાનો છે પણ સમય લાગે તે સમયની ખેડૂતોને જાણ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ, તે જાણના અભાવે ઘણી વખત 24 ક્લાક ખેડૂતો વાડી ઉપર લાઈટની વાટ જોઈને બેઠા હોય છે,


ખેડૂતોના પ્રશ્ન ની અંદર તાત્કાલિક સુધારો નહીં આવે તો મજબુર ન ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે અને તેની જવાબદારી પીજીવીસીએલ રહેશે. ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રભુદાસભાઈ મણવર,રમેશભાઈ ચોવટિયા, ભરતભાઈ પીપળીયા, જીવનભાઈ વાછાણી, રમેશભાઈ હાપલીયા, મનોજ ડોબરિયા, મહિપાલસિંહ જાડેજા, ધર્મેશભાઈ સોરઠીયા, માધુભાઈ પાંભર, બચુભાઈ ધામી, શૈલેશભાઈ સીદપરા, અશોકભાઈ મોલીયા, મુકેશભાઈ રાજપરા, રમેશભાઈ લક્કી, ભુપતભાઈ કાકડિયા, ભાવેશભાઈ રૈયાણી, દીપકભાઈ લીંબાણીયા, ઠાકરશીભાઈ પીપળીયા, કિશોરભાઈ લક્કડ, વિઠલભાઈ બાલધા, વિનુભાઈ દેસાઈ, કાળુભાઈ ચાવડા, જગાભાઈ ઝાપડિયા, જાલાભાઈ રાતડીયા, વિપુલભાઈ સુદાણી, ભરતભાઈ પાંભર, જમનભાઈ પાગડા તેમજ જીલ્લા અને તાલુકાના કાર્યકર્તા તથા તમામ ખેડૂતો૫શુપાલકોની માંગણી છે.

(ફોટો : જીત જોશી)


શનિવાર, 28 નવેમ્બર, 2020

ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ શ્રી કે. એ. પુંજને રાજકોટ હોસ્પિટલની આગની તપાસસોંપવાનો નિર્ણય કરતાં CM વિજય રૂપાણી.

 *મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ Covid હોસ્પિટલ માં બે દિવસ પૂર્વે લાગેલી આગ ની દુર્ઘટના ની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના  નિવૃત જજ શ્રી કે. એ પુંજ  ને સોંપવા નો નિર્ણય કર્યો છે*.


*આ અગાઉ અમદાવાદ માં તાજેતરના ભૂતકાળ માં  શ્રેય હોસ્પિટલ માં લાગેલી આગ ની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશન ને સોંપવામાં આવી હતી* 


*હવે મુખ્ય મંત્રીશ્રી વિજય  ભાઈ રૂપાણી એ રાજકોટ ની હોસ્પિટલ ની આગ દુર્ઘટના ની તપાસ પણ જસ્ટિસ પુંજ ને સોંપવા નો  નિર્ણય કર્યો છે*