અનુયાયીઓ

મંગળવાર, 12 જાન્યુઆરી, 2021

રાજકોટના યુવા સેના ટ્રસ્ટ દ્વારા સંક્રાંતિ પર્વ નિમિત્તે દાન માટે અપીલ


રાજકોટ તા.12
રાજકોટમાં અનેકવિધ નાની મોટી સેવા સાથે સંકળાયેલા યુવા સેના ટ્રસ્ટના સેવાભાવી આગેવાનો અને યુવાનો દ્વારા મકરસંક્રાંતિ પર્વને ધ્યાને લઇને નાના-મોટા દાતાઓને દાનની અપીલ કરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલા કહે છે કે યુવા સેના દ્વારા જરૂરિયાત મંદ ગરીબોને તમામ પ્રકારની સહાય કરવામાં આવે છે. કડકડતી ઠંડીમાં સંસ્થા દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું છે. પશુ-પક્ષીઓ અને અબોલ પશુઓ માટે ઘાસચારો અને ચણની સેવા કરવામાં આવે છે. વધુ માહિતી માટે સેવાભાવિ  દાતાઓએ યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પદયુમન સિંહ ઝાલા મો. નં. 9913310100 પર સંપર્ક સાધવા અનુરોધ છે.

ટિપ્પણીઓ નથી: