અનુયાયીઓ

શુક્રવાર, 17 મે, 2013

કતારગામ ખાતે રહેતા કાજલબેનની ભાળ મળે તો જાણ કરશોઃ


સુરતઃસુરત શહેરના કતારગામ પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૩૦/૪/૨૦૧૩ના રોજ ૩૦૩, સોલા એપાર્ટમેન્‍ટ, આરોગ્‍ય કેન્‍દ્રની પાછળ, કતારગામ ખાતે રહેતા માવજીભાઈ પટેલની પુત્રી કાજલબેન (ઉ.વ.૨૧) ગુમ થયા છે. જે શરીરે પાતળા બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૪ ફુટ છે. લાલ તથા સફેદ રંગનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

 

ઉમરા ખાતે રહેતા દિવ્‍યાબેનની ભાળ મળે તો જાણ કરશોઃ

સુરતઃ સુરત શહેરના ઉમરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨/૫/૨૦૧૩ના રોજ આલ્‍યય પાર્ક, ગોકુળ રો હાઉસ, પાર્લે પોઈન્‍ટ ખાતે રહેતા દિવ્‍યા સ્‍ટેનલી જોન માર્ટીન(ઉ.વ.૨૬) ગુમ થયા છે. જે શરીરે મજબુત બાંધાના, રંગે ધઉવર્ણી, ઉચાઈ ૫.૨ ફુટ છે. બ્‍લ્‍યુ રંગનું ટોપ પહેર્યું છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

સલાબતપુરા ખાતે રહેતા વસીમ સલીમ શેખની ભાળ મળે તો જાણ કરશોઃ

સુરતઃ સલાબતપુરા પોલીસ સ્‍ટેશનના જણાવાયા અનુસાર તા.૨૮/૪/૨૦૧૩ના રોજ મુળ કઠોર ગામના રહેવાસી હાલ રઝાનગર, ભાઠેના-૧, વાડીગલા દરબાર પાસે, સલાબતપુરા ખાતે રહેતા વસીમ સલીમ શેખ (ઉ.વ.૨૭) ગુમ થયા છે. જે શરીરે મધ્‍યમ બાંધાના, રંગે શ્‍યામવર્ણી, ઉચાઈ ૫.૫ ફુટ છે. મરૂન ટી શર્ટ તથા બ્‍લ્‍યુ જીન્‍સ પહેર્યું છે. જે કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: