અનુયાયીઓ

શુક્રવાર, 17 મે, 2013

રાધનપુર ખાતે મુખ્યમંત્રીશ્રીએ કૃષિ સ્ટોલ અને પશુ આરોગ્ય મેળાના ડોમની મુલાકાત લીધી


રાધનપુર ખાતે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ-૨૦૧૩નો પ્રારંભ કરાવ્યો હતો. તે પ્રસંગે કૃષિ યુનિવર્સિટીના વિવિધ પ્રદર્શન સ્ટોલ અને પશુ આરોગ્ય મેળાના ડોમની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગૌ પુજન કર્યું હતું. તે સમયે મુખ્યમંત્રીશ્રીને પશુપાલન અને સહકાર તથા ગૌસેવા અને મત્સ્યદ્યોગના સેક્રેટરી દ્વારા ગાય-વાછરડીનું સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાં મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કૃષિ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા તથા મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: