અનુયાયીઓ

શુક્રવાર, 17 મે, 2013

૧૭મી મે ના રોજ મોરઝીરા અને પીપલાઇ દેવી ખાતે કૃષિરથ તથા કિશાન સભા યોજાશે


વલસાડઃ ડાંગ જિલ્લા માં નવમાં કૃષિ મહોત્‍સવ-૨૦૧૩ની કરવામાં આવી રહેલી ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૭/૫/૨૦૧૩ના રોજ કૃષિરથના નિયત થયેલા કાર્યક્રમ પ્રમાણે તાલુકા પંચાયત  ટાકલીપાડા સીટના ગામોમાં પરિભ્રમણ કરશે. સવારે ૮-૩૦ કલાકે પીપલાઇદેવી ખાતે કિશાન સભા યોજાશે. જ્‍યારે ગડદ તાલુકા પંચાયત સીટ વિસ્‍તારના ગામોમાં કૃષિરથ પરિભ્રમણ કરશે તથા મોરઝીરા ખાતે કિશાન સભા યોજાશે. જેમા ખેતીવાડી અધિકારીઓ કૃષિ વૈજ્ઞાનિકો,તજજ્ઞો દ્વારા આધુનિક વૈજ્ઞાનિક ખેતી પધ્‍ધતિઓ,સિંચાઇ પધ્‍ધતિઓ વાડી ઉછેર પ્રવૃતિ ,સોઇલ હેલ્‍થ કાર્ડ, પાક સંરક્ષક દવાઓનો  ઉપયોગ, સિઝન પ્રમાણે વારાફરથી પાકની ફેરબદલી કરી સમયસર વાવેતર કરવુ, ઓછા ખર્ચે ઓછા પાણીએ વધુ સિંચાઇ વિસ્‍તારને આવરી લેતી ટપક સિંચાઇ પધ્‍ધતિથી થતા ફાયદા તથા ગુણવત્‍તા યુકત પાકોનું ઉત્‍પાદન મેળવી શકાય તે અંગેની જાણકારી આપવામાં આવશે. તથા જુદી-જુદી કૃષિ સહાય યોજના હેઠળ કિટસનુ વિતરણ કરવામાં આવશે. પશુપાલન વિભાગ દ્વારા પશુપાલન કેમ્‍પમાં ખેડુતોના પશુઓને આરોગ્‍ય સારવાર પુરી પાડવામાં આવશે. જેનો લાભ લેવા ખેડુતોને તથા પશુપાલકોને જણાવવામાં આવ્‍યું છે.

ટિપ્પણીઓ નથી: