LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
શનિવાર, 12 ડિસેમ્બર, 2015
જેતપુર અડવાણ રૂટની બસ બસસ્ટેન્ડમાં ૧૦ મિનીટ મોડી આવતા વિદ્યાર્થીઓએ બસ રોકો અંદોલન છેડી દીધું !
નવાગઢમાં મામાને ત્યાં અભ્યાસાર્થે આવેલ કિશોરને ભાદર કેનાલ ગળી ગઈ ! કરુણ મોત
પુરવઠાના ગોદામમાંથી બારોબાર પગ કરી ગયેલ ઘઉંનો ૧.૩૨ લાખનો જથ્થો પકડાયો....
JETPUR AVSAAN NONDH KASHYAP JOSHI 9974262812
શુક્રવાર, 11 ડિસેમ્બર, 2015
કશ્યપ જોશી જેતપુર જેતલસર ના વિવિધ વર્તમાન
જેતપુરમાં આડેધડ કરાતા વીજ કંપનીના સમારકામ બાબતે 'આપ'ની સંબંધિતોને રજુઆતો
જેતપુર તા.૧૧ (કશ્યપ જોશી)
જેતપુર શહેરમાં લાંબા સમય થયા ઠેર ઠેર પીજીવીસીએલ દ્વારા જુના પોલ દુર કરી નવા પોલ ઉભા કરવાની તેમજ જરૂરી સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જતીન દેગડા સહિતના આગેવાનોએ સ્થાનિક વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને રજુઆતો કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર શહેરમાં ઘણી જગ્યાએ શેરી ગલીઓ સાંકડી હોય, આવા વિસ્તારોમાં ચાલતી વીજ સમારકામની કામગીરી જે તે વિસ્તારના ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવી છે. અમુક જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા વીજપોલની ફરતે કાંટાળી વાડ બનાવાયી હોય, આવી જગ્યાઓનો લાભ લઈને ફેરિયાઓ કાયમી અડીંગો જમા થઈને ટ્રાફિક સમસ્યા ઉભી કરશે.
મુખ્ય જાહેર રસ્તાઓ પર પસાર થતી ૧૧ કેવી લાઈન નીચે ગાર્ડ(પ્રોટેક્શન લાઈન) પણ રાખવામાં આવી ના હોય, હેવી લાઈન તૂટવાનો ભય અને કોઈ મોટા અકસ્માતમાં કોઈના ભોગ લેવાવાની પ્રજામાં દહેશત ફેલાઈ છે. શહેરની મેઈન બઝારમાં તો કરોળિયાના ઝાળાની માફક ઇલેક્ટ્રિક દોરડા લટકતા હોય, તાકીદે આવા વીજ વાયરો વ્યવસ્થિત કરવા જોઈએ.
વડાપ્રધાનનું સ્વપ્ન સ્માર્ટ સીટીનું હોય, વીજકંપનીના ગાઈડલાઈન મુજબ જુનું હટાવીને નવું મરામત કાર્ય હાથ ધરાઈ તેવું 'આપના' આગેવાનોનું કહેવું છે.
((કશ્યપ જોશી- જેતપુર )
રક્તદાન :
સને ૨૦૧૨ થી પ્રતિવર્ષ યોજાતા આવતા રક્તદાન કેમ્પની પ્રણાલીને આ વર્ષે પણ ચાલુ રાખીને આજે જેતપુરમાં એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી - જેતપુર)
દરજી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
જેતપુર : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ જેતપુર દ્વારા જુનાગઢ ખાતે સનાતન ધર્મશાળામાં ૮ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું સંસ્થાના આયોજકો અને લગ્નોત્સવને સફળ બનાવનારા રસિકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગોહેલ, અનુભાઈ સરવૈયા, અમૃતભાઈ મકવાણા, મયુર સરવૈયા, નવીનભાઈ ગોહેલ વેગેરે જણાવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
સફાઈ અભિયાન :
જેતલસર: પંથકના ડેડરવા ગામે ગામના સરપંચ સહિતના સમસ્ત ગ્રામજનોએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધાર્યું હોવાનું ભોલાભાઈ અને કિશન બોરીસાણીયાએ જણાવ્યું હતું. (ફોટો : કશ્યપ જોશી-જેતલસર)
પીપળવામાં બળદની સારવાર કરતા ગૌસેવકો
જેતલસર: પંથકના પીપળવા ગામે લાંબા સમય થયા નિરાધાર રખડતા એક બળદને શીગડામાં કેન્સર જેવી ગંભીર બીમારી લાગી હતી. આ કણસતા બળદ અંગે વાત મળતા સ્થાનિક કામધેનું ગૌ રક્ષક ગ્રુપના આગેવાનોએ બળદના શીગડામાં(કામોઈનું) ઓપરેશન કરવાની સરાહનીય સેવા કરી હતી.
(ફોટો : કશ્યપ જોશી જેતલસર)
મહિનાની પ્રતિ અગિયારસે ગૌસેવકો દ્વારા ખોળનું વિતરણ
જેતલસર: કામધેનું ગૌ રક્ષક ગ્રુપ જેતલસરના યુવાનો ગોપાલ ડોબરિયા, સતીશ ગોંડલિયા, કિશોર પરમાર વિગેરે દ્વારા મહિનાની પ્રતિ અગિયારસના દિવસે ગામ ઉપરાંત જેતપુર શહેરમાં રખડતા રેઢીયાર પશુઓને ખોળ ખવડાવવાની સરાહનીય સેવા કરવામાં આવે છે. (કશ્યપ જોશી-જેતલસર)
રેશમડીમાં ખેડૂત શિબિર યોજાઈ
જેતપુર: જમીન સુધારણા,જમીન જાળવણી અને જમીનને લગતા પ્રશ્નોની ચર્ચાઓ અને ઉકેલ માટે તાજેતરમાં જેતપુરના રેશમડી ગાલોળ ગામે એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
JETPUR NA VIVIDH VARTMAAN HITESH SAVALIYA JETPU R
જેતપુરમાં આડેધડ કરાતા વીજ કંપનીના સમારકામ બાબતે 'આપ'ની સંબંધિતોને રજુઆતો
જેતપુર તા.૧૧ (કશ્યપ જોશી)
જેતપુર શહેરમાં લાંબા સમય થયા ઠેર ઠેર પીજીવીસીએલ દ્વારા જુના પોલ દુર કરી નવા પોલ ઉભા કરવાની તેમજ જરૂરી સમારકામની કાર્યવાહી ચાલી રહી છે. પણ આ કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જતીન દેગડા સહિતના આગેવાનોએ સ્થાનિક વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને રજુઆતો કરી યોગ્ય કરવાની માંગણી કરી છે.
રજુઆતમાં જણાવાયું છે કે જેતપુર શહેરમાં ઘણી જગ્યાએ શેરી ગલીઓ સાંકડી હોય, આવા વિસ્તારોમાં ચાલતી વીજ સમારકામની કામગીરી જે તે વિસ્તારના ટ્રાફિકમાં અડચણરૂપ બને તેવી છે. અમુક જાહેર રસ્તાઓ પર ઉભા કરાયેલા વીજપોલની ફરતે કાંટાળી વાડ બનાવાયી હોય, આવી જગ્યાઓનો લાભ લઈને ફેરિયાઓ કાયમી અડીંગો જમા થઈને ટ્રાફિક સમસ્યા ઉભી કરશે.
મુખ્ય જાહેર રસ્તાઓ પર પસાર થતી ૧૧ કેવી લાઈન નીચે ગાર્ડ(પ્રોટેક્શન લાઈન) પણ રાખવામાં આવી ના હોય, હેવી લાઈન તૂટવાનો ભય અને કોઈ મોટા અકસ્માતમાં કોઈના ભોગ લેવાવાની પ્રજામાં દહેશત ફેલાઈ છે. શહેરની મેઈન બઝારમાં તો કરોળિયાના ઝાળાની માફક ઇલેક્ટ્રિક દોરડા લટકતા હોય, તાકીદે આવા વીજ વાયરો વ્યવસ્થિત કરવા જોઈએ.
વડાપ્રધાનનું સ્વપ્ન સ્માર્ટ સીટીનું હોય, વીજકંપનીના ગાઈડલાઈન મુજબ જુનું હટાવીને નવું મરામત કાર્ય હાથ ધરાઈ તેવું 'આપના' આગેવાનોનું કહેવું છે.
((કશ્યપ જોશી- જેતપુર )
રક્તદાન :
સને ૨૦૧૨ થી પ્રતિવર્ષ યોજાતા આવતા રક્તદાન કેમ્પની પ્રણાલીને આ વર્ષે પણ ચાલુ રાખીને આજે જેતપુરમાં એચડીએફસી બેંક દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી - જેતપુર)
દરજી સમાજના ૧૫ યુગલો લગ્નગ્રંથીથી જોડાયા
જેતપુર : શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ જેતપુર દ્વારા જુનાગઢ ખાતે સનાતન ધર્મશાળામાં ૮ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાતિના ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હોવાનું સંસ્થાના આયોજકો અને લગ્નોત્સવને સફળ બનાવનારા રસિકભાઈ ચૌહાણ, કિરીટભાઈ ગોહેલ, અનુભાઈ સરવૈયા, અમૃતભાઈ મકવાણા, મયુર સરવૈયા, નવીનભાઈ ગોહેલ વેગેરે જણાવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
સફાઈ અભિયાન :
જેતલસર: પંથકના ડેડરવા ગામે ગામના સરપંચ સહિતના સમસ્ત ગ્રામજનોએ સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવવાના ભાગરૂપે સફાઈ અભિયાન હાથ ધાર્યું હોવાનું ભોલાભાઈ અને કિશન બોરીસાણીયાએ જણાવ્યું હતું. (ફોટો : કશ્યપ જોશી-જેતલસર)
પીપળવામાં બળદની સારવાર કરતા ગૌસેવકો
જેતલસર: પંથકના પીપળવા ગામે લાંબા સમય થયા નિરાધાર રખડતા એક બળદને શીગડામાં કેન્સર જેવી ગંભીર બીમારી લાગી હતી. આ કણસતા બળદ અંગે વાત મળતા સ્થાનિક કામધેનું ગૌ રક્ષક ગ્રુપના આગેવાનોએ બળદના શીગડામાં(કામોઈનું) ઓપરેશન કરવાની સરાહનીય સેવા કરી હતી.
(ફોટો : કશ્યપ જોશી જેતલસર)
મહિનાની પ્રતિ અગિયારસે ગૌસેવકો દ્વારા ખોળનું વિતરણ
જેતલસર: કામધેનું ગૌ રક્ષક ગ્રુપ જેતલસરના યુવાનો ગોપાલ ડોબરિયા, સતીશ ગોંડલિયા, કિશોર પરમાર વિગેરે દ્વારા મહિનાની પ્રતિ અગિયારસના દિવસે ગામ ઉપરાંત જેતપુર શહેરમાં રખડતા રેઢીયાર પશુઓને ખોળ ખવડાવવાની સરાહનીય સેવા કરવામાં આવે છે. (કશ્યપ જોશી-જેતલસર)
રેશમડીમાં ખેડૂત શિબિર યોજાઈ
જેતપુર: જમીન સુધારણા,જમીન જાળવણી અને જમીનને લગતા પ્રશ્નોની ચર્ચાઓ અને ઉકેલ માટે તાજેતરમાં જેતપુરના રેશમડી ગાલોળ ગામે એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટો : (કશ્યપ જોશી) જેતપુર )
બુધવાર, 9 ડિસેમ્બર, 2015
પંદર વર્ષ પછી જેતપુર તાલુકા પંચાયતમાં વિજયી પંજા પાછળ પાટીદારોનો સિંહ ફાળો : જગાભાઇ
જેતપુર ડાઈંગ એશોશીયેશન સહીત તમામ વ્યાપારી મંડળો દ્વારા આજે શહેર બંધ પળાશે
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલા પાડતા ૧૫ નવદંપતીઓ
સમસ્ત બ્રહ્મસમાજ જેતપુરના યોજાયેલ
સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં
પગલા પાડતા ૧૫ નવદંપતીઓ
મંત્રોચ્ચાર વચ્ચે ૪ બટુકોએ પણ ધારણ કરી નવી યજ્ઞોપવીત
જેતપુર તા.૯ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના પ્રખ્યાત શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મસમાજના સમૂહલગ્નોત્સવ અને સમૂહ યજ્ઞોપવિતનું આયોજન થયું હતું. મંદિરના મહંત શ્રી કમલનાથજી બાપુના વરદ હસ્તે સુભારંભ પામેલ તેમજ પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, માજી રાજ્ય મંત્રી જસુબેન કોરાટ, શ્યામલભાઈ મેહતા(અમરેલી), જેતપુર બ્રહ્મસમાજના પ્રમુખ કાળુભાઈ જોશી, પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણભાઈ વ્યાસ, મોભી વી.આઈ.પંડ્યા, માજી પ્રમુખો કમલેશભાઈ પંડયા અને હરેશભાઈ પંડયા, વાડિયા બ્રહ્મ સમાજના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, જેતપુર માર્કેટ યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, નાયબ મામલતદાર નીખીલ મહેતા સહીત જુનાગઢ, જેતપુર, ઉપલેટા, અમરેલી, રાજકોટ, ધોરાજી, પોરબંદર વિગેરે શહેરોન બ્રહ્મ અગ્રણીઓ, દાતાઓની હાજરીમાં યોજાયેલ આ સમૂહલગ્નોત્સવમાં ૧૫ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડી પોત પોતાના જીવનની બીજી ઇનિગ્સ ચાલુ કરી હતી તો ૪ બટુકોએ યજ્ઞોપવીત(જનોઈ) ધારણ કરી હતી. લગ્નોત્સવને સફળ બનાવવા પ્રમુખ, મંત્રી હિતેશ રાવલ, આશિષ પંડ્યા, સહાયકો ઉપેન્દ્રભાઈ વ્યાસ, જીગ્નેશભાઈ જોશી, ગીરીશભાઈ ઠાકર, સમાજના મહિલા મંડળના નીતાબેન મહેતા સહિતના મહિલા કાર્યકરો વિગેરે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રસંગોચિત બોલતા વિઠ્ઠલભાઈ રાદડિયા, જસુબેન કોરાટ અને દિનેશ ભુવાએ જણાવેલ કે, આ લગ્નોત્સવ ભુદેવોનો છે. જેમાં જોડાયેલા નવદંપતીઓને અમો આશીર્વાદ ના આપી શકીએ, અમારે ભુદેવોના આશીર્વાદની જરૂર છે કે જેથી અમો સફળ થઇ શકીએ. મંદિરના મહંત કમલનાથજીબાપુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર સમૂહલગ્નોત્સવ દરમિયાન દાતાઓ અને અગ્રણીઓ ઉપરાંત કારોબારી સદસ્યોના સત્કાર અને પ્રવચનનો દોરી સંચાર ધારાશાસ્ત્રી દીપકભાઈ વ્યાસ, હિતેશ રાવલે સંભાળ્યો હતો.
(ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર )
KASHYAP JOSHI JETALSAR કરામત આંગળાની !
કરામત આંગળાની !
બાપ, એક આસન એનું (હનુમાનજીનું) રાખો, રામ કથા ઔર જામશે ! બસ આવાજ રામરસને સમસ્ત પામર માનવીની દુનિયાને પીરસનાર પૂજ્ય મોરારીબાપુ આજે જગ વિખ્યાત છે. આ રાષ્ટ્રીય સંતે આદીકાળની રામાયણ અને તેના પાત્રો શ્રી રામચંદ્રજી ભગવાન, વિગેરે ચરિત્રોની જે સમજ આપી ધર્મ અને કર્મની દિશા બતાવી તે ખરેખર મહાન હોવાનું સૌએ સ્વીકારવું પડે ! પણ આવા રાષ્ટ્રીય સંતને પોતાના આંગળાની કરામતથી રેતી દ્વારા ધરતી પર રંગોળી ઉપસાવનાર જેતપુરના રહીશ અને ફાઈન આર્ટનો અભ્યાસ કરતો હાર્દિક ચાવડાએ શહેરીજનોમાં સરાહના પાત્ર બન્યો છે. હાર્દિકે જણાવેલ કે, કલાકાર જેમ પોતાની કલાને પીરસી અન્યોને કોઈ પણ વિષયની શીખ આપે છે તેમ પોતે પણ સત્ય, પ્રેમ અને કરુણાને વાસ્ત્વીકતમાં ફેરવી દેનાર રાષ્ટ્રીય સંતને રેતીની રંગોળી દ્વારા રજુ કર્યા છે. જે તસ્વીરમાં દેખાય છે.
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતલસર )
ગુરુવાર, 3 ડિસેમ્બર, 2015
જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં કોંગ્રેસની જીત પાછળ ખેડૂતોનો સિંહફાળો !!
મોંઘવારીના ત્રાસથી કંટાળીને મતદારોએ સરકાર સામે પરિવર્તનનું બ્યુગલ ફૂંકી દીધું !!
જેતપુર તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં
કોંગ્રેસની જીત પાછળ ખેડૂતોનો સિંહફાળો !!
પાટીદાર ફેક્ટરની કોઈ અસર નથી, ખેતપાકોના પોષણક્ષમ ભાવો વગર તરફડતા
ખેડૂતોએ સરકાર સામે વ્યક્ત કરેલ નારાજગી કોંગ્રેસ માટે જીતની બાજીમાં ફેરવાઈ !!
જેતપુર તા.૩
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ માંથી ૧૫ બેઠકો અને જેતપુરની રાજકોટ જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરનાર કોંગ્રેસે આમ તો ભાજપના ઉમેદવારોની દશા બગાડી નાખી છે પણ એનો અર્થ એ નથી કે પાટીદાર ફેક્ટર કામ કરી ગયું છે.
જેતપુરની ચુંટણીઓમાં કમળને ખીલતા પહેલાજ સમૂળગું મૂરઝાવી દેવા પાછળ આપણા ખેતી પ્રધાન દેશના ખેડૂતોનું સંગઠન કામ કરી ગયું છે. કાળી મજુરી પછી પણ કપાસ જેવા ખેત પાકોના પોષણક્ષમ ભાવો અપાવવામાં નિષ્ફળ રહેલી વર્તમાન સરકાર સામે રોષ, અસંતોષની ભડકેલી ચીનગારીએ ખેડૂતોના માનસપટલ પર રીતસરનો બદલાવ લાવી દેતા ખેડૂતોએ આંખો મીચીને કોંગ્રેસના હાથને ધાર્યા બહારનો મજબુત કરી દેતા વિપક્ષ ભાજપ છાવણીમાં હવે ભારોભાર વસવસા વિષે કશું બચ્યું નથી.
જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના અભૂતપૂર્વ વિજય પાછળ બુદ્ધિજીવી મતદારો કહે છે કે પાટીદારોને અનામત આપવાની કોઈ રાજ્ય સરકારની સત્તા નથી..દેશના બંધારણમાં તાત્કાલિક ફેરફાર કરવો અશક્ય હોય અમોને પણ ખબર છે કે ભાજપ કે કોંગ્રેસ પાટીદારોને અનામત અપાવી શકે એ વાત તથ્યવિહોણી છે.
કોંગ્રેસે અમોને લાલચ આપી હોય કે પાટીદારોને અનામત અપાવી દઈશું તો આવી વાતનો ભ્રામક પ્રચાર કરનાર કોઈ પણ પક્ષ વિચારી લે કે કોંગ્રેસને જીતાડવા પાછળ માત્રને માત્ર મોટેભાગે ખેડૂતોનો હાથ અને સરકાર પ્રત્યેની ખેડૂતોની નારાજગી શિવાય કશું નથી. દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીનો રોષ મતદારો, ખેડૂતોએ સરકાર સામે ઠાલવી વિપક્ષી કોંગ્રેસને ખોબલે ખોબલે મતો આપ્યા છે.
અપવાદરૂપ કહીએ તો ઘણા ખેડૂતોએ કોંગ્રેસ પાટીદારોને અનામત અપાવી શકશે તેવું માની મતદાન કર્યું હોય તો આવા મતદારવર્ગ સામે કોઈ પણ ઉમેદવારને પસંદ ના કરી ઈવીએમ મશીનમાં નોટા બટનને દબાવનાર મતદારવર્ગ પણ ખાસ્સો નોંધાયો છે. સરકારી તંત્રોના મશીનમાં આ નોટાને મત આપનાર મતદારોનું કહેવું છે કે કોઈ પણ ઉમેદવાર ચૂંટાય કે ના ચૂંટાય ?! મતદારોને શું ફેર પડવાનો ? વિજેતા ઉમેદવાર કોઈ ગરીબોના અનાજથી ઘર નહિ ભરી દે અને હારેલો ઉમેદવાર કોઈના ઘરે લુંટ કરવા નથી જવાનો !!
આમ છતાં જેતપુર પંથકમાં કોંગ્રેસની જીત પાછળ કોંગીના કાંડા બળિયા નેતાઓની મહેનત પણ ખુબ કામ લાગી છે. ચુંટણી પહેલા ગામડાઓ ખુંદનાર જેતપુરના જગદીશભાઈ પાંભર જેવા કોંગી આગેવાનોએ જોરશોરથી પ્રવચનો કરેલા હતા કે "જોર જોરથી, વારંવાર અને ખોટું" જ બોલવામાં માહેર વર્તમાન સરકારના ભાઈ બહેનને જાકારો નહિ આપો તો ખેડૂતો પોતાની જણસોના યોગ્ય ભાવો મેળવવામાં આત્મહત્યાઓના માર્ગો અપનાવતા થઇ જશે અને તોય ઉચિત ભાવો તો નહિ જ મળે..
સરકારની બેધારી નીતિનો ઉગ્ર વિરોધ કરી રોષ ઠાલવતા અમુક મતદારો કહે છે કે જેતપુર પંથકમાં અગાઉ વરસાદે વેરેલી તારાજીનો ભોગ બનેલા, જળપ્રલયમાં ઘરબાર ગુમાવનાર અસરગ્રસ્તોની રીતસરની સરકારે મશ્કરી કરી ૨૫૦૦ રૂપરડી જેટલી સહાય કરી મદદ કર્યાનો ઓડકાર ખાતી હોય તો તે વાત અસરગ્રસ્તો માટે જમ્યા પછી આવતો ખાટો અને અણગમતા ઓડકાર સમાન "ઘચરકા" જેવો છે. આવા અસરગ્રસ્તોએ વર્તમાન સરકાર એટલેકે ભાજપને આગામી ૧૫-૨૦ વર્ષ સુધી એક પણ મત પણ મત ના આપવાના જાણે સોગંધ લીધા હોય તેનું પરિણામ ભાજપને સહવું પડ્યું છે.
જેતપુર શહેર અને પંથકના જે ગામો વરસાદી તારાજીના ભોગ બન્યા છે તે તમામ વિસ્તારો અને ગામોના મતદારોએ તો તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની જેમ આગામી ધારાસભા અને વિધાનસભાની ચુંટણીમાં પણ કોંગ્રેસને જ મતો આપી પરિવર્તનનો વાયરો ફૂંકવાનું ચાલુ જ રાખશે તેવું જણાવે છે.
જો કે અહી તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીઓ જીતનાર અમુક શાણા ઉમેદવારોએ તો ત્યાં સુધી કહ્યું કે ભાઈ, માત્ર તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીમાં મેળવેલા વિજયથી કોંગ્રેસે હરખાવા જેવું નથી, કેન્દ્ર સરકારમાં ભાજપના મોદીભાઈ બેઠા છે ત્યાં સુધી વિકાસના કામો કરાવવા કે કઢાવવા ઈ કાચા ચણા ચાવવા જેવું સાબિત થશે. પણ જો મતદારોનો અત્યારનો મિજાજ આગામી ધારાસભા, વિધાનસભાની ચુંટણીઓ દરમિયાન પણ આવોને આવો રહે તો સમુળગી સરકારો બેશક ફરવા માંડે તેમાં શંકાને સ્થાન નથી.
૧૫૪૭ મતદારોએ નોટાને મત આપ્યો
જેતપુર : જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની તમામ બેઠકો પર ૧૫૪૭ થી વધુ મતદારોએ કોઈ ઉમેદવારને પસંદ કરવાને બદલે નોટાને મત આપતા આટલા મતો કોઈ ઉમેદવારને મળ્યા નહોતા. નોટાને મત આપનાર અમુક ધાર્મિક ભાવનાવાળા મતદારોનું કહેવું હતું કે, ઉમેદવાર સારો હોય કે ખરાબ મતદાન કરીએ તો મનોમન દુખ થયા કરે કે આપણે ક્યાંક પાપના ભાગીદાર તો નહિ બનીએ ને ? આવા દુખથી દુર થવા નોટા બટનને પ્રાધાન્ય આપ્યું છે તેમાં કઈ ખોટું નથી જણાતું !!
હવે કોંગ્રેસે શું કરવું પડશે ?
જેતપુર : તાલુકા-જીલ્લા પંચાયતની બેઠકો પર કારમી હારના કારણો શોધવામાં ભાજપ છાવણી આત્મમંથનમાં પડી છે ત્યારે જેતપુર તાલુકા પંચાયતની ૧૫ બેઠકો અને જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરનાર કોંગી ઉમેદવારોએ હવે રાત દિવસ એક કરી પ્રજા વિકાસના કામો કરવા પડશે, ખેડૂતોને પોત પોતાના કપાસ જેવા ખેત પાકોના યોગ્ય અને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત સરકાર ઉપરાંત સંબંધિતોને રજુઆતો કરવી પડશે. અનેક ગામડાઓની પ્રજા હજુ ધૂળિયા રોડ રસ્તા અને અપૂરતા પાણીની સમસ્યા વચ્ચે જીવે છે, તે પ્રશ્નો હલ કરવા પડશે. ચૂંટાયા પછી લાગતા વળગતા ગામડાઓમાં ના દેખાવું તે પ્રથાને દુર કરી પ્રજા સાથે કાયમી સંપર્કો કેળવવા પડશે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર
બુધવાર, 2 ડિસેમ્બર, 2015
જેતપુર તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંની ૧૫ બેઠકોમાં કમળને કચડતો "હાથ" જીલ્લા પંચાયતની ચારેય બેઠકો કબજે કરતી કોંગ્રેસ જેતપુર તાલુકા પંચાયતની માત્ર ૪ બેઠક પર કમળ ખીલ્યું, ૧ બેઠક પર અપક્ષનો વટ સાબિત
રવિવાર, 29 નવેમ્બર, 2015
જેતલસર મતદાન ફોટોલાઈન : JETALSA VOTING PHOTO LINE PHOTO BY KASHYAP JOSHI
શનિવાર, 28 નવેમ્બર, 2015
કશ્યપ જોશી જેતપુર
શુક્રવાર, 27 નવેમ્બર, 2015
બબ્બે પુત્રોને રઝળાવી પરપુરુષ સાથે નાશી ગયેલી પત્નીને શોધતો પતિ ! છુટાછેડા ભલે માંગી લે, પણ એકવાર ઘરે આવી બાળકો સામે તો જો ! ભટકતા પતિનો વસવસો !!
બબ્બે પુત્રોને રઝળાવી પરપુરુષ સાથે નાશી ગયેલી પત્નીને શોધતો પતિ !
છુટાછેડા ભલે માંગી લે, પણ એકવાર ઘરે આવી
બાળકો સામે તો જો ! ભટકતા પતિનો વસવસો !!
રોકકળ કરતા વિષ્ણુ અને દક્ષને છાના રાખવા માંની હુંફ જોઈએ, બીજા વગડાના વા !
જેતપુર તા.૨૭ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરમાં રહેતા એક કોળી યુવાનને અને પોતાના બે માસુમ પુત્રોને તરછોડી પર પુરુષ સાથે
નાશી છુટેલી કોળી પરિણીતાને
શોધતો પતિ એવો કોળી યુવાન આજે અખબારનવેશોની અદાલતમાં જઈને પોતાની આપવીતી
વર્ણવતા ઉપસ્થિતોને કંપારી છૂટી
ગઈ હતી.
૭-૭ વરસના લગ્નના વહાણા વીતી ગયા બાદ કોળી પરિણીતાને શું કબુદ્ધિ સુજી કે ભરથાર અને
બે માસૂમોને રઝળાવી ગઈ ?
આવું કેમ બન્યું તેની વિગતો આપતા દિનેશભાઈ બચુભાઈ મકવાણા નામના કોળી યુવાનની
આંખો અશ્રુઓથી અને ગળું શ્વાસોસ્વાસથી ભરાઈ ગયું હતું.
દિનેશે જણાવેલ કે, પોતે જેતપુરના જુના પાંચ પીપળા રોડ પર રહીને મકાનોના બાંધકામ
દરમિયાન સેન્ટીંગનું મજુરી કામ કરી જીવનનું ગાડું ગબડાવ્યે જાય છે. પત્ની શીતલ સાથે લગ્ન
કાર્ય બાદ છેલ્લા ૭ વર્ષના ગાળા દરમીયાન બે પુત્રો વિષ્ણુ(ઉ.વ.૪) અને દક્ષ(ઉ.વ.૨) રતન
સમા શીતલે જન્મી પરિવારમાં હસીખુશીનો ખજાનો ઉભો કર્યો હતો.
શીતલને સાસરીયે કોઈ દુઃખ કે પીડા નહોતી, આમ છતાં કોઈની કુસંગત નડી ગઈ હોય કે શું ? તે
રામ જાણે પણ એકવાર નહિ
બબ્બેવાર શીતલ તેમના પિયરીયાના રહેણાક વિસ્તાર એવા ભોજધારમાં રહેતા પરેશ નામના
યુવાન સાથે પ્રેમસંબંધમાં નાશી
ગઈ છે.
પ્રથમ વખત શીતલે આવું પગલું ભરતા દીનેશના વડીલોએ સમજાવી શીતલને પાછી ઘર
લાવ્યા હતા. અને માત્ર પાંચેક દિવસ
સાસરીયે રહી શીતલ ગઈ તા.૯-૧૧-૨૦૧૫ ના રોજ પાછી પરેશ સાથે નાશી છૂટી છે જેનો આજ
સુધી કઈ પત્તો લાગ્યો નથી.
આ બારાની જેતપુર શહેર પોલીસમાં ગુમસુધા શીતલની જાણ કરાઈ હતી. પણ પોલીસને મળી
નહોતી. હવે દિનેશ કહે છે કે તેમની પત્ની ભોજદાર ખાતે રહેતો તેમનો પ્રેમી પરેશના ઘરમાં રહે
છે. પોલીસ કહે છે કે જ્યારે પ્રથમ વખત શીતલ ભાગી ત્યારે
દિનેશના ચાર પાંચ વડીલોએ તમામ બાબતોની સ્પષ્ટતા કરીને શીતલને ઘરે લાવવાની જરૂર
હતી. તેને બદલે માત્ર માફામાફીની વાતો કરીને શીતલને પુનઃ સાસરીયે લવાતા તેણીને બીજી
વખત નાશી છૂટવાની તક મળી છે. કાયદો કહે છે કે એકવખત લગ્ન થઇ ગયા પછી કે છોકરો કે
છોકરીને બીજે ક્યાય લગ્ન કરવા હોય તો પહેલા પ્રથમ લગ્નનો છૂટાછેડા દ્વારા અંત લાવવો
જોઈએ, અને જ્યાં સુધી આ કાયદેસરની કાર્યવાહી ના આટોપાય ત્યાં
સુધી છોકરો કે છોકરી એમ બંનેમાંથી કોઈ ક્યાય કોઈની સાથે લગ્ન ના કરી શકે.
ત્યારે જેતપુરના આ યુવાન દિનેશ સાથે પત્ની શીતલે વજ્રઘાત સમાન અજુગતું પગલું તો ભર્યું જ
છે. કાયદાની ભાષામાં શીતલ કસુરવાર સાબિત થઇ શકે. અને તેમને ઘરમાં બેસાડનાર પરેશ
પણ કાયદાની ચુંગાલમાં ફસાઈ શકે. પણ ગરીબનું કોઈ હમદર્દી હોતું નથી તેવું લાગણીસભર
અવસ્થામાં દિનેશે જણાવેલ.
પત્ની ગુમાવનાર દિનેશ મકવાણા શું કહે છે ?
જેતપુર : દિનેશ બચું મકવાણા નામના કોળી યુવાને કહેલ કે ભલે શીતલ તેમની સાથે ના રહેવા
માંગે, અને છૂટાછેડા ભલે માંગી લ્યે, પણ એકવાર રોકકળ કરતા વિષ્ણુ અને દક્ષને છાના રાખવા
પોતાના ઘરે આવે..અને લગ્ન વિચ્છેદના કાગળો પર સહી કરી આપે એટલે તેણી(શીતલ) અને
હું(દિનેશ) બંને એકમેકથી છુટા પડી જીવનની દુઃખી પળોને દુર કરીએ. અન્યથા ના છુટકે
શીતલને ભગાડી જનાર પરેશ નામના યુવાન સામે મજબૂરીવશ કોર્ટમાં ફરિયાદ કરવી પડશે.
ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર
ફોટો વિગત : અમે બે અમારા બે એવી કહાવતની ખુશીને છિન્નભિન્ન કરી પરપુરુષ એવા પ્રેમી
સાથે નાશી ગયેલ શીતલ, તેનો પતિ દિનેશ, બે માસુમ બાળકો અને દુઃખી પરિવાર દેખાય છે.
























