અનુયાયીઓ

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2015

વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ

જેતપુરના કોટડીયા વાડી વિસ્તારમાં પટેલ સમાજની વાડીની પાછળ
વોંકળીમાં ખદબદતી ગંદકીથી પ્રજા ત્રસ્ત 
સફાઈ માટે કોઈ ફરકતું ના હોવાની રાવ 
જેતપુર તા.17    ( કશ્યપ જોશી દ્વારા) 
જેતપુર શહેરના કોટડીયા વાડીમાં આવેલ ત્રિનેત્ર મહાદેવ મંદિર નજીકની એક વોંકળીમાં ખદબદતી ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લત્તાવાસીઓએ પાલિકા તંત્ર ગટર સાફ કરવા કે વોંકળી સાફ કરવા મહિનો સુધી ફરકતા ના હોવાના આક્ષેપો કર્યા છે.
મળતી વિગતો મુજબ શહેરના કોટડીયા વાડી વિસ્તારમાં આવેલ પટેલ સમાજ વાડી પાછળની વોંકળી સાફ કરવા પાલિકા તંત્રનો એકેય સફાઈ કામદાર ફરકતો ના હોય, અહી જમા થયેલી ગંદકીથી લત્તાવાસીઓમાં ભયંકર રોગચાળાની દહેશત સેવાઈ રહી છે.
આજે એક મુલાકાત દરમિયાન અનિલભાઈ પંડયા, અશોકસિંહ વાળા, ચીનાભાઈ, લાલભાઈ ચૌધરી, હર્ષદભાઈ વિગેરે રહેણાંક મકાનોના આસામીઓએ દોડી આવી ઉગ્રવેશે જણાવ્યું હતું કે તેઓના વિસ્તારની આ વોંકળીની સમસ્યા દુર કરવા પાલિકાને અનેક વખત લેખિતમાં રજુઆતો કરી હોવા છતાં કોઈ ધ્યાન આપતું ના હોય અહી ગંદકીના સામ્રાજયથી લત્તાવાસીઓ ત્રાસી ગયા છે. લત્તાવાસીઓએ પોતાની પારાવાર હાલાકી અને મુશ્કેલી બતાવતા એમ પણ જણાવેલ કે ચોમાસાના સારા વરસાદ સમયે આ ગંદકીવાળી વોંકળી છલકાઈને કોટડીયા વાડી વિસ્તાર, આગળ આવતી આસોપાલવ સોસાઈટી, લક્ષ્મીનગર સોસાઈટી વી. ના રહેણાંક મકાનોમાં ગંધાતા પાણી ઘુસી જાય છે. આ બાબતે તાત્કાલીલ સંબંધિત સત્તાધીશો ફરિયાદ વાળી જગ્યાએ પહોંચી જઇ, પ્રજાની ફરિયાદ હલ કરે તેવી પ્રજા માંગ પ્રબળ બની છે.

બોક્સ: વોંકળી પર પુલ બનાવો 
જેતપુર : કોટડીયાવાડી, લક્ષ્મીનગરના લત્તાવાસીઓ અશોકસિંહ વાળા, અનિલભાઈ પંડયા વિગેરેએ જણાવેલ કે પ્રતિ ચોમાસા દરમિયાન આ વોંકળી આવી ઘરોમાં પાણી ઘૂસવાની સમસ્યા પેદા કરતી હોય તેઓએ અવારનવાર અહી પુલ બનાવવા માંગણી દોહરાવાઈ છે. પણ તંત્ર ધ્યાન આપતું નથી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 
 

ટિપ્પણીઓ નથી: