

જેતપુરની પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પાડવાની સાઝીશ કે ફોલ્ટ સર્જાય છે ?ભાદર ડેમ-1 સ્થિત જેતપુર પાલિકાના પંપ હાઉસનો
વીજ પુરવઠો ખોરવવાનું બંધ કરો તો સારું !! બાપ !
છેલ્લા 2 મહિના થયા પંપ હાઉસનો અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય જેતપુરમાં
પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડે છે. જેતપુર પાલિકાની રાજ્ય મંત્રી રાદડીયાને રજૂઆત...
જેતપુર તા.19
ભાદર ડેમ-1 ઉપર જેતપુર પાલિકાના પંપ હાઉસના વારંવાર ખોરવાતા વીજ પુરવઠાની તપાસ કરાવી, આ સમસ્યાનું પુનરાવર્તન ના થાય તેમ ઘટતું કરવા જેતપુર પાલિકાસુત્રોએ સ્થાનિક ધારાસભ્ય અને પ્રવાસન રાજ્ય મંત્રી જયેશભાઈ રાદડીયાને રજૂઆત કરી છે.
રજુઆતમાં જેતપુર નવાગઢ નગર પાલિકા સુત્રો એ જણાવેલ છે કે ભાદર ડેમ-1 દ્વારા જેતપુર નવાગઢ શહેરમા પીવાના પાણીનું વિતરણ થઇ રહ્યું છે. આ માટે એટલેકે જરૂરી વીજળી માટે આ ડેમ ખાતે જેતપુર પાલિકાનો પંપ હાઉસ ઉભો કરાયો છે. જેનો વીજ પુરવઠો, વીજ તંત્રના લીલાખા ફીડરમાંથી સ્પેશિયલ અલગ લાઈનથી મેળવાઈ રહ્યો છે.
પરંતુ છેલ્લા 2 માસ થયા પંપ હાઉસનો વીજ પુરવઠો કોણ જાણે જાણી જોઇને ખોરવી નાખવામાં આવે છે કે કોઈ ફોલ્ટ સર્જાય છે ? તે વાતની તપાસ કરાવી ઘટતું કરાવવા રાજ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. પાલિકા સુત્રો કહે છે કે વીજ તંત્રની આ સમસ્યાથી ભાદર ડેમમાં પુરતો જળ જથ્થો હોવા છતાં જેતપુરમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ભારે હાલાકી સર્જાતી હોય, પાણી વગર ટળવળતી પ્રજાને ના છૂટકે આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવા મજબુર થવું પડે છે.
જેતપુર પાલિકા સુત્રોએ વીજ તંત્રને અમુક એવી પણ વણમાંગી સલાહો આપી છે કે લીલાખા ફીડરમાંથી જેતપુરના પંપ હાઉસની જે વીજ લાઈન છે તેમાં સારી ગુણવત્તાવાળા વીજ તાર અથવા કેબલ બદલાવી નવા નાખવા જોઈએ, વારંવાર થતા વીજ ફોલ્ટની સમસ્યા કાયમી હલ કરવા વીજ પોલને અર્થિંગ તાર તેમજ તાણીયા મારવા જોઈએ..
બોક્સ: વીજ પુરવઠો બંધ રાખવાની જાણ કરો..
જેતપુર : જેતપુર પાલિકા સુત્રો કહે છે કે તેઓના ડેમ સ્થિત પંપ હાઉસમાં વીજ ફોલ્ટ સર્જાતા હોય તો તાકીદે કારણો શોધી તે હલ કરવા જાગવું જોઈએ. અને જો વીજ પુરવઠો બંધ કરવાની નોબત ઉભી થતી હોય ત્યારે જો વીજ તંત્ર અગાઉ જેતપુર પાલિકાને જાણ કરે તો પાલિકાસુત્રો પણ આ વાતથી જેતપુરના શહેરીજનોને વાકેફ કરી શકે. અને વિલંબિત પાણી વિતરણ બાબતે પ્રજાજનોનો સહકાર માંગી શકે.
કશ્યપ જોશી જેતપુર જેતલસર 9974262812