અનુયાયીઓ

ગુરુવાર, 18 જૂન, 2015

જેતપુરમાં કાઠી ક્ષત્રીય યુવાને ઢોરમાર મારનાર બે પોલીસમેનોની બદલી કરવા જેતપુરના મામલતદારને મહિલા સુધરાઈ સદસ્યાનું આવેદન

જેતપુરમાં કાઠી ક્ષત્રીય યુવાને ઢોરમાર મારનાર બે પોલીસમેનોની બદલી કરવા 
જેતપુરના મામલતદારને મહિલા સુધરાઈ સદસ્યાનું આવેદન 
જેતપુર તા.18
જેતપુરના એક કથી ક્ષત્રીય યુવાને વિના વાંકે પકડી ઢોર માર મારનાર શહેર પોલીસના બે પોલીસમેનોની તાકીદે બદલી ના કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી જેતપુર નગર પાલિકાના સદસ્યા શારદાબેન વેગડાએ કાઠી સમાજના આગેવાનોને સાથે રાખીને જીલ્લા પોલીસ વડા સુધી આ વાત પહોચાડવાની માંગ કરતુ એક આવેદનપત્ર સ્થાનિક મામલતદાર ભોરણીયાને સુપ્રત કર્યું હતું.
મળતી વિગતો મુજબ જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા અજીતભાઈ બીશુભાઈ વાળા નામના દરબાર યુવાનને કોઈ પણ વાંક-ગુના વગર પોલીસ થાણે લઇ જઈ શહેર પોલીસના બે પોલીસ જવાનોએ બેરહેમીથી ઢોર માર મારતા આ વાતના કાઠી ક્ષત્રીય સમાજમાં આજે ઘેરા પડઘા પડ્યા હોય તેમ આજે આ સમાજના મોટા સમુદાયની આગેવાની લઈને જેતપુર નગર પાલિકાના સદસ્યા શારદાબેન(કારીબેન)વેગડાએ તીનબત્તીથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી પોલીસમેનો વિરૃદ્ધ સુત્રોચ્ચાર કરી, તાકીદે બદલી કરવાની માંગ કરી, મામલતદારને આવેદન આપ્યું હતું.
આવેદન પત્રોમાં મહિલા સદસ્યએ ખુલ્લા આક્ષેપો કરી જણાવ્યું હતું કે જેતપુરમાં અનેક જગ્યાએ શહેર પોલીસની અમી દ્રષ્ટિ તળે દારુ જુગારના હાટડા ધમધમી રહ્યા છે. આવી જગ્યાએ દરોડા પાડવાને બદલે શહેર પોલીસના છાપેલા કાટલાં સમાન અમુક પોલીસમેનો હપ્તારાજ ચલાવી રહ્યા છે.  જયારે નિર્દોષ લોકોને ખોટેખોટા પોલીસ મથકે ઉપાડી જઈ, બાતમી કઢાવવાના બહાને ઢોરમાર મારી સત્તાનું પ્રદર્શન કરી રહ્યા હોય, આ અન્યાયી વાત સહન કરવી યોગ્ય છે.
તેઓની આ ફરિયાદ રાજકોટ જીલ્લા પોલીસવડા ગગનદીપ ગંભીર સુધી પહોચાડવાની વાત દોહરાવી શારદાબેન વેગડા, કંચન ચાવડા, મારનો ભોગ બનેલા યુવાનના કાકા ભીખુભાઈ વાળા, કાથી ક્ષત્રીય સમાજના ખમતીધર આગેવાન વલકુભાઈ ગોવાળિયા, વિગેરેએ એકી અવાજે મામલતદાર સમક્ષ એ વાત ઉચ્ચારી હતી કે અજીતભાઈ દરબાર નામના યુવાનને વગર વાંકે ઢોરમાર મારનાર પોલીસમેનો મનીષભાઈ અને ધીરુભાઈની તાકીદે બદલી નહિ કરાય તો તેઓ ઉપવાસ આંદોલન છેડાશે..
જેતપુરના પોલીસમેન શું કહે છે ?
જેતપુર : જેતપુર પાલિકાના મહિલા સદસ્યા સહિતના કાઠી  ક્ષત્રીય સમાજના આગેવાનોએ અજીતભાઈ વાળાને ઢોરમાર મારનાર જે પોલીસમેન સામે આક્ષેપ કર્યા છે તે પોલીસમેન મનીષભાઈ વરુએ એક ટેલીફોનીક મુલાકાત દરમિયાન જણાવેલ ગઈકાલે વિલાયતી શરાબની 32 બોટલ સાથે જડ્પાયેલ અજય વાઘેલા અને બાવાજી કપિલ નિમાવતનો અજીત જોડીદાર છે. તપાસમાં અજીત વાળનું નામ ખુલતા અને તેની પાસેથી વિલાયતી શરાબની 3 બોટલ ઝડપાતા પોલીસે પોલીસની કામગીરી કરી હોવાનું મનીષભાઈએ જણાવેલ..

ફોટો અને સમાચાર કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 99742 62812

ટિપ્પણીઓ નથી: