અનુયાયીઓ

મંગળવાર, 29 ડિસેમ્બર, 2015

જેતપુરના જુનાગઢ રોડ ઉપર યુવાન વેપારીની નજર ચૂકવી રૂ.૨૪૦૦૦ રોકડ સેરવી જતા બે અજાણ્યા શખ્શો !

રૂપિયા ૨૦૦ ના સામાનમાં રૂ.૧૦૦૦ની નોટ આપી, વેપારી છુટા ગોતતો હતો ત્યાં કળા કરી ગ્યા !

જેતપુરના જુનાગઢ રોડ ઉપર યુવાન વેપારીની નજર ચૂકવી 

રૂ.૨૪૦૦૦ રોકડ સેરવી જતા બે અજાણ્યા શખ્શો !

જેતપુર તા.૨૯  (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના જુનાગઢ રોડ પર આજે એક યુવાન વેપારીને ખરીદેલા સામાનનું બીલ ચુકવવા રૂપિયા એક હજારની નોટ આપી, વેપારીની નજર ચૂકવી રૂપિયા ૨૪૦૦૦ રોકડ સેરવી બે ગઠીયા રફુચક્કર થઇ ગયાની શહેર પોલીસ થાણે ફરિયાદ નોંધાતા ફોજદાર સંઘાણીએ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહીના જુનાગઢ રોડ પર રેલ્વે ફાટક પાસે આવેલ કૃષ્ણ સ્ટીલ એન્ડ સિમેન્ટ નામની દુકાને સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઇસમોએ આવી સ્ટીલ વાયર તથા ખીલીઓ માંગતા દુકાન સંચાલક યુવાન વેપારી અંકિત સુરેશભાઈ બરવાળીયા(રહે.સમાધી રોડ, પીરવાળી શેરી, વીરપુર) અજાણ્યા શખ્શને વાયર તથા ખીલીઓ આપી હતી.

દરમિયાન બીલના રૂપિયા ૨૦૦ અંકિત માંગતા અજાણ્યા શખ્સે રૂપિયા ૧ હજારની નોટ આપતા, અંકિત રૂપિયા ૮૦૦ પરત આપવા પોતાના થેલામાંથી છુટા ગણતો હતો ત્યારે ટેબલના ખાનામાં પડેલા રૂપિયા ૨૪૦૦૦ રોકડ આવેલો અજાણ્યો શખ્શ સેરવી તેમની સાથેના અન્ય એક બાઈકચાલક સાથે રફુચક્કર થઇ જતા આ બારની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

બાઈક ચાલકો સીસી ફૂટેજમાં દેખાયા...

જેતપુર : આ બનાવના તપાસનીસ પીએસઆઈ સંઘાણીએ જણાવેલ કે, રૂપિયા ૨૪૦૦૦ રોકડ સેરવી નાશી છુટેલા બંને બાઈક ચાલકો સીસી કેમના ફૂટેજમાં દેખાયા છે. પણ હજુ પકડાયા નથી. તેમજ પૈસા સેરવી જનાર શખ્શે કોફી કલરનો ગરમ કોટ, ક્રીમ પેન્ટ અને ખાખી બુટ પહેર્યા હોવાનું ફરિયાદી વેપારી યુવાને જણાવતા આવા વર્ણનવાળા ઇસમને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 


આગામી ૧૨ મી જાન્યુઆરીએ યોજાનાર જેતપુર માર્કેટની ચુંટણી માટે ખેડૂત પેનલની ૮ શીટ માટે ૨૧ ફોર્મ વેપારી પેનલની ૪ શીટ માટે ૧૧ ફોર્મ ભરાયા

આગામી ૧૨ મી જાન્યુઆરીએ યોજાનાર જેતપુર માર્કેટની ચુંટણી માટે

ખેડૂત પેનલની ૮ શીટ માટે ૨૧ ફોર્મ

વેપારી પેનલની ૪ શીટ માટે ૧૧ ફોર્મ ભરાયા

જયારે ખરીદ વેંચાણ સંઘની ૨ શીટ માટે ૪ ફોર્મ ભરાયા..આજે ફોર્મની ચકાસણી,

૨-૧૨ ના રોજ ફોર્મ પરત ખેંચવાનો દિવસ અને ૧૨-૧ ના રોજ ચુંટણી યોજાશે.


જેતપુર તા.૨૯ (કશ્યપ જોશી દ્વારા)

આગામી ૧૨-૧-૨૦૧૫ ના રોજ જેતપુર જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ(માર્કેટ યાર્ડ)ની યોજના ચુંટણી માટે આજે ફોર્મ ભરવાના દિવસે કુલ ૩૬ ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે માહિતી આપતા ચુંટણી અધિકારી જીલ્લા રજીસ્ટ્રાર જયસુખભાઈ ઠુંમર( યાર્ડ સેક્રેટરી)એ જણાવેલ કે માર્કેટ યાર્ડની મુખ્યત્વે ત્રણ પેનલોમાં ૩૬ ઉમેદવારોએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં ખેડૂત પેનલની ૮ શીટ માટે ૨૧ ઉમેદવારોએ,

વેપારી પેનલની ૪ શીટ માટે ૧૧ ઉમેદવારોએ અને ખરીદ વેંચાણ સંઘ મંડળીની ૨ શીટ માટે ૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

ભરાયેલ આ તમામ ફોર્મ્સ તા.૩૦-૧૨. ના રોજ ચકાસાસે, તા.૨-૧-૧૫ ના રોજ ફોર્મ પરત ખેંચવા માટે અને તા.૧૨-૧-૧૫ ચુંટણી માટે નક્કી કરાઈ છે. ચુંટણી બાદ મત ગણના તા.૧૩ જાન્યુઆરીના રોજ થશે. જેતપુર યાર્ડની ચુંટણીમાં કેટલા સદસ્યો મતદાન કરશે ? તેવા સવાલનો જવાબ આપતા ચુંટણી અધિકારી જયસુખભાઈ ઠુંમરે જણાવેલ કે જેતપુર તાલુકાની લગભગ ૩૩ સહકારી મંડળીઓના ૪૬૨ સભ્યો પોત પોતાનો કીમતી મત પોત પોતાના માનીતા ઉમેદવારોને આપશે.

અત્રે એ નોંધનીય છે કે આજે ભરાયેલ ફોર્મમાં ખેડૂત પેનલમાં કોંગી અગ્રણી અને જાણીતા દાતા જગદીશ પાંભરે પોતાની પેનલ મેદાનમાં ઉતારી છે ત્યારે યાર્ડના ચેરમેન તેઓ બનશે કે માજી ચેરમેન રીપીટ થશે તે સમયજ બતાવશે.



સોમવાર, 28 ડિસેમ્બર, 2015

જેતપુર માર્કેટ યાર્ડની ૧૨ જાન્યુઆરીએ ચુંટણી

આજે ઉમેદવારી ફોર્મ ભરાશે..

કોંગ્રેસમાં ઉમેદવારોને જવલંત વિજય અપાવનાર જગદીશ પામ્ભર ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવશે, ૩૦ મીએ ચકાસણી અને ૧લી જાન્યુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો દિવસ..જીલ્લા-તાલુકા પંચાયતની જેમજ ઉભો થઇ રહેલો માહોલ...

જેતપુર તા.૨૮

     જેતપુર ખેતીવાડી ઉત્પન્ન બઝાર સમિતિ પ્રેરિત જેતપુર માર્કેટિંગ યાર્ડની આગામી ૧૨ મી જાન્યુઆરી ના રોજ યોજાનાર ચુંટણી માટે આજે તા.૨૯ ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો પ્રારંભ થશે.

     આ બાબતે માહિતી આપતા જગદીશભાઈ પાંભરે જણાવેલ કે જેમ તેઓના ટીમવર્ક દ્વારા જેતપુર તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસે જવલંત વિજય મેળવ્યો તેવીજ રીતે જેતપુર માર્કેટ યાર્ડમાં પણ પોતાની કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામેની તમામ પેનલો અને અપક્ષ ઉમેદવારોને ધોબી પછાડત આપવા તૈયાર થયા છે.

       અને આ વાતની સાબિતી રૂપે તેઓએ(જગદીશભાઈએ ) જેતપુર યાર્ડના ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવતું ઉમેદવારી ફોર્મ આજે ભરી પોતાની પેનલોને વિજય અપાવવા કવાયત આદરશે. જેતપુર તાલુકાની કુલ ૩૩ થી વધુ સહકારી મંડળીઓના ૫૦૦ થી ૬૦૦ સદસ્યો આ ચુંટણીમાં મતદાન કરશે. કોંગી પ્રેરિત ખેડૂત પેનલ સામે વેપારી પેનલ અને અપક્ષો ચુંટણી લડશે.

     જેતપુરની યાર્ડમાં વર્ષો થયા ચાલતી સ્ટાફ, વાહનો વિગેરેમાં ચાલતી ગેરરીતિઓને ઉઘાડી પાડવા અને આજથી વર્ષો પહેલા જેમ યાર્ડ ચેરમેન સ્વ.રમણીકભાઈ પટેલ યાર્ડ સુધી પહોચવા રીક્ષાનો ઉપયોગ કરતા તેવી પ્રણાલીને જાળવી રાખવાના ઉદેશ સાથે જગદીશભાઈ પામ્ભારે ચેરમેન તરીકેની દાવેદારી નોંધાવી હોય જાણકારોમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે !!

જ્યારે યાર્ડના વર્તમાન ચેરમેન દિનેશ ભુવાએ ૧૨ મી યોજાનારી ચુંટણીનું ચિત્ર કે વિગતો કાલે(મંગળવારે) ૧૧ વાગ્યે ખબર પડે તેવી વાત ટેલીફોનિક સંપર્ક દરમિયાન જણાવેલ.

કશ્યપ જોશી જેતપુર ૯૯૭૪૨ ૬૨૮૧૨ 

જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીનો રોડ ૧૫ દિવસમાં રીપેર ના થાય તો આંદોલન કરાશે.

સાડી એકમોની પેશકદમીથી એકદમ સાંકડો બની ગયેલ

જેતલસર જંકશનથી તત્કાલ જેતપુર સુધીનો 

રોડ ૧૫ દિવસમાં રીપેર ના થાય તો આંદોલન કરાશે.

જંકશનના સરપંચ હનીફ બલોચની તમામ સત્તાધીશોને લેખિત રજુઆતો...

 

(કશ્યપ જોશી દ્વારા) જેતલસર તા.૨૮

 

જેતલસર જંકશનથી જેતપુરના તત્કાલ હનુમાન સુધી ધોરાજી રોડને જોડતો રોડ લાંબા સમય થયા એકદમ બિસ્માર બન્યો હોય, દિવસ ૧૫ માં રીપેર ના કરાય તો આંદોલન છેડવાની જેતલસર જંકશનના સરપંચ હનીફ બલોચે તમામ સત્તાધીશોને લિખિત રજુઆતો કરી છે.

 

રાજકોટ જીલ્લા કલેકટર, જેતપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન ખાતાના રાજકોટ અને નવાગઢ સ્થિત ઈજનેરો વિગેરેને લેખિત રજુઆતો કરી જંકશનના સરપંચે જણાવ્યું છે કે જેતપુરના તત્કાલ હનુમાન(ધોરાજી રોડ) થી જેતલસર પહોચવાનો રોડ પંદરેક વર્ષ પહેલા બન્યો હતો.

 

જે રોડ આજદિન સુધી રીપેર કરવા કોઈએ તસ્દી લીધી ના હોય, એકદમ જર્જરિત હાલતમાં બિસ્માર બની ગયો હોય, નાના મોટા વાહન ચાલકો ત્રાસી ગયા છે. રજુઆતમાં એવું પણ જણાવાયું છે કે આ રોડ પર જેતપુરના અમુક સાડી એકમ સંચાલકોએ પોત પોતાના કારખાના એટલા વિકસાવ્યા કે રોડ બિલકુલ સાંકડો થઇ ગયો છે. એટલુજ નહિ સાડી એકમ સંચાલકો પોતાના કારખાના પાણી પણ આ રોડ પર છોડતા હોય રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે.

 

આ વાતની અવારનવારની રજુઆતો પછી પણ સંબંધિત તંત્રના બહેરા કાને અથડાઈને આ ફરિયાદ પાછી ફરતી હોય, જંકશનવાસીઓમાં અને વાહન ચાલકોમાં રોષ જોવા મળે છે. રજુઆતમાં ચીમકી ઉચ્ચારાઈ છે કે આગામી પંદર દિવસમાં આ રોડનું મરામત કામ હાથ નહિ ધરાય તો જંકશનવાસીઓ આંદોલન છેડી ન્યાય માંગશે.

સરકારી તંત્ર શું કહે છે ?

જેતલસર : સરપંચ હનીફભાઈ બલોચનો આક્ષેપ છે કે જયારે તેઓ આ રોડની લાગતા વળગતાઓને રજૂઆત કરવા જાય છે ત્યારે સરકારી તંત્ર કહે છે કે, આ રોડ નોન પ્લાનમાં આવતો હોય, પહેલા સરકારના પ્લાનમાં લેવડાવવો જરૂરી છે, ત્યાં સુધી આ રોડમાં કોઈ કાઈ નહિ કરી શકે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે પંદર વર્ષ પહેલા બનેલો અને જંકશનથી જેતપુર આવવા માટેનો એકમાત્ર આ રોડ શું હજુ સરકારી ચોપડે નહિ ચડ્યો હોય ? અને આ રોડ સરકારી પ્લાનમાં લેવાની વિધિ હવે કરાય તો હજુ ખાસ્સો સમય વીતી જનાર હોય, તાકીદે માત્ર રીપેરીંગ કાર્ય હાથ ધરવું જરૂરી હોવાનું સરપંચનું કહેવું છે.

(કશ્યપ જે. જોશી જેતલસર )

 

 

જેતપુરના છાત્રએ પીએચડી કર્યું...

જેતપુર તા.૨૮ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના વિદ્યાર્થી મંથન નિતેશભાઈ કપુરીયાએ પ્લાન્ટ મોલેક્યુલર એન્ડ બાયોટેકનોલોજી વિષય પર ડો.આર.એમ.ચૌહાણના માર્ગદર્શન તળે મહાનિબંધ તૈયાર કર્યો હતો. મંથને મોલેક્યુલર માર્કર એનાલીસીસ ફોર કોમન સ્કબ ઇન પોટેરો ટોપિક પર તૈયાર કરેલ આ મહાનિબંધને માન્ય કરી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટીએ તેમને પીએચડીની ઉપાધી(પદવી) સુપ્રત કરી હોવાનું જેતપુર બ્રહ્મ સમાજના અગ્રણી મુન્નાભાઈ દવેએ જણાવ્યું હતું.

(કશ્યપ જે. જોશી જેતપુર – ૯૯૭૪૨૬૨૮૧૨)

 


જેતપુરના છાત્રએ પીએચડી કર્યું...


જેતપુર તા.૨૮ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુરના વિદ્યાર્થી મંથન નિતેશભાઈ કપુરીયાએ પ્લાન્ટ મોલેક્યુલર એન્ડ બાયોટેકનોલોજી વિષય પર ડો.આર.એમ.ચૌહાણના માર્ગદર્શન તળે મહાનિબંધ તૈયાર કર્યો હતો. મંથને મોલેક્યુલર માર્કર એનાલીસીસ ફોર કોમન સ્કબ ઇન પોટેરો ટોપિક પર તૈયાર કરેલ આ મહાનિબંધને માન્ય કરી સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનીવર્સીટીએ તેમને પીએચડીની ઉપાધી(પદવી) સુપ્રત કરી હોવાનું જેતપુર બ્રહ્મ સમાજના અગ્રણી મુન્નાભાઈ દવેએ જણાવ્યું હતું.

(કશ્યપ જે. જોશી જેતપુર – ૯૯૭૪૨૬૨૮૧૨)

 

અવસાન નોંધ : જેતલસર : ૨૮.૧૨.૧૫

અવસાન નોંધ : જેતલસર : ૨૮.૧૨.૧૫

જેતલસર: પીપળવા નિવાસી વિનોદરાય રેવાશંકર રાવલ(ઉ.વ.૬૪) તે રસિકભાઈ, હર્ષદભાઈ(જેતપુર)ના લઘુબંધુ, પરેશભાઈ, પ્રકાશભાઈ, સુનીલભાઈના પિતા, વસંતભાઈ(જુનાગઢ), જીતુભાઈ(જેતપુર), હરેશભાઈ(જુનાગઢ), વિજયભાઈ(જેતપુર), દિનેશભાઈ(જેતપુર)ના કાકા તા.૨૭ નારોજ અવસાન પામેલ છે. બેસણું તા.૩૧ ને ગુરુવારે, સાંજે ૩ થી ૬, તેમના નિવાસ સ્થાન, પીપળવા ખાતે રાખેલ છે.

(કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર – ૯૯૭૪૨ ૬૨૮૧૨)






 

રવિવાર, 27 ડિસેમ્બર, 2015

અવસાન નોંધ જેતપુર. કશ્યપ જોશી જેતપુર

કશ્યપ જોશી જેતપુર
99742 62812

અવસાન નોંધ જેતપુર 27122015

અવસાન નોંધ  જેતપુર  27122015
જેતપુર : સ્ટેશન વાવડી નિવાસી શાંતાબેન પોપટભાઈ ભટ્ટી ઉ.વ.101, તે ગિરધરભાઈ, સ્વ.વિનુભાઈ, હરસુખભાઈના માતા તા.26.12.15 નારોજ અવસાન પામ્યા છે....
            કશ્યપ જે.જોષી, જેતપુર..99742 62812

શ્રી પરશુરામ મંડળી જેતપુરની વા.સા.સભા મળી..

શ્રી પરશુરામ મંડળી જેતપુરની વા.સા.સભા મળી..
જેતપુર તા.27
આજે રવિવારે બ્રહ્મ સમાજની શ્રી પરશુરામ મંડળી અને ઓમ બચત મંડળીની વા.સાધારણ સભા મળી હતી..જેમાં જયસુખભાઈ પંડયાએ વયમર્યાદાને કારણે નિવૃત થવાની જાહેરાત કરતા તેઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.આ તકે મંડળીના મોટા ભાગના સભ્યો હાજર રહ્યા હતા.અને બાદમાં સૌએ સામુહિક ભોજન કર્યું હતું..
                                          ફોટો લાઈન : કશ્યપ જે.જોષી જેતપુર

શનિવાર, 26 ડિસેમ્બર, 2015

જેતપુરના દેવકીગાલોળની સીમમાં ઉઘરાણી પ્રશ્ને પ્રકાશની હત્‍યા કરનાર વાલુ પકડાયો, 2 દિવસના રિમાન્ડ પર

જેતપુરના દેવકીગાલોળની સીમમાં ઉઘરાણી પ્રશ્ને 
પ્રકાશની હત્‍યા કરનાર વાલુ પકડાયો, 2 દિવસના રિમાન્ડ પર 

જેતપુર તા.26  (કશ્યપ જોશી દ્વારા)
ખજૂરી હડમતીયાના યુવાનની જેતપુર તાલુકાના દેવકીગાલોલ ગામની સીમમાં થયેલી હત્યાના બનાવમાં સંડોવાયેલ બે આદિવાસી યુવાનો પૈકીના એકને જેતપુર તાલુકા પોલીસે ઝડપી લઇ, 7 દિવસના રીમાન્ડની માંગ સાથે અત્રેની કોર્ટમાં રજુ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે તો અન્ય એક નાસતા ફરતા આરોપીને પકડવા ફોજદાર આર.એન.કરમતિયાએ કવાયત આદરી છે.
    પ્રાપ્ત વિગતો મુજબ જેતપુર તાલુકાના દેવકીગાલોળ ગામે આજથી દસેક  દિવસ પહેલા ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામનો યુવાન પ્રકાશ પરમાર  પોતાની ઉઘરાણીના રૂ.૧૯૦૦ બાકી હોય તે લેવા માટે દેવકીગાલોળ ગામની સીમમાં આવેલ હસમુખભાઇ પટેલની વાડીએ આવ્યો હતો. જ્યાં રહેતા આ આદિવાસી શખ્શો  શૈલેષ આદિવાસી તથા વાલુ આદિવાસી સાથે પ્રકાશને બોલાચાલી થતા, લાજવાને બદલે ગાજેલા શૈલેશ અને વાલુએ પ્રકાશ ઉપર કુહાડી- કોદાળી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દઇ પ્રકાશનું  મોટર સાયકલ અને મોબાઇલ લઇ બંને શખ્‍સો નાસી છુટેલ. 
 બનાવની ફરિયાદ પરથી તાલુકા પોલીસે આદિવાસી શખસો વિરૂધ્‍ધ ૩૦ર, ૩૦૭, ૧૧૪, જીપીએકટ  ૧૩પ મુજબ ગુન્‍હો નોંધી નાસી છુટેલા આરોપીઓને પકડી પાડતા ચક્રો ગતિમાન કરેલ હતા.
દરમિયાન  તાલુકા પીએસઆઇ આર.એન.કરમટીયા, ગૌતમભાઇ ત્રિવેદી, દિવ્‍યેશભાઇ આર. ભીખુભાઇ વિગેરેએ તેમના મુળ વતન દાહોદના ફતેપુરના સુખપુર ગામે પહોચી સધન તપાસ કરતા વાલુ કીડીયા ભાભોર ઝડપાઇ ગયો હતો. બીજીબાજુ પોલીસે વાલુંને જેતપુર લાવી આજે અહીની કોર્ટમાં ૭ દિવસના રિમાન્‍ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે  2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે બીજા આરોપી શૈલેષને પકડવા ચક્રો ગતિમાન હોવાનું પીએસઆઈ કરમટીયાએ જણાવેલ.
કશ્યપ જે. જોશી જેતપુર 


શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

5-5 દીકરીઓ ધરાવતા ચરેલ ગામના કૈલાશબેનને ત્રેલડું જનમ્યું !! છઠ્ઠી સુપુત્રી બે ભૈલાઓ સાથે અવતરતા પરિવારજનો ખુશખુશાલ !

જેતપુર-ધોરાજીના તબીબોની પ્રસંશનીય સેવા..અધૂરા મહીને પ્રસુતાને જન્માવ્યું ત્રેલડું !!!
5-5 દીકરીઓ ધરાવતા ચરેલ ગામના કૈલાશબેનને ત્રેલડું જનમ્યું !!
છઠ્ઠી સુપુત્રી બે ભૈલાઓ સાથે અવતરતા પરિવારજનો ખુશખુશાલ !
જેતપુર તા.25 (કશ્યપ જોશી દ્વારા)
જામકંડોરણા તાલુકાના ચરેલ ગામની એક મહિલાએ ત્રેલડાને જન્મ આપતા પરિવારજનો રાજીપાના દરિયામાં ગરક થઇ ગયા છે. વાત અહી અટકતી નથી, પણ કુદરતની મહેરબાનીની વાત કરીએ તો મારા, તમારા જેવા સૌને અચરજ થયા વગર નહિ રહે..
બન્યું એવું કે, જામકંડોરણા તાલુકાના ચરેલ ગામના ખેડૂત પરિવારના હિતુભા  ફતેહસિંગ વાળાના પત્ની કૈલાશબેનને તાજેતરમાં પ્રસવ પીડા ઉપાડતા તેમને ધોરાજીના તબીબ રામાણીના દવાખાને ખસેડાયા હતા. 
પ્રસુતિના સાતમાં મહીને જ કૈલાશબેનને પ્રસવ વેદના અસહ્ય બનતા પ્રામ્ભિક ચિંતાના વાદળો વચ્ચે ધોરાજીના તબીબે પ્રસુતિની સારવાર ચાલુ કરતા કૈલાશબેનને 1 પુત્રી અને 2 પુત્રો સહીત ત્રેલડાને જન્મ આપતા દવાખાના સુત્રો સહિતના પરિવારજનો ખુશીની છોળો વચ્ચે જુમી ઉઠ્યા હતા. બીજી બાજુ બાપુ હિતુભાએ એક અચરજ પમાડે એવી અને કુદરતનો પાડ માનવો પડે તેવી વાત બતાવતા જણાવેલ કે પોતાને અગાઉ એક, બે નહિ પણ સંતાનોમાં 5-5 દીકરીઓ છે. આજે એક દીકરીને જન્મ આપવા પણ ધણોખરો સમાજ તૈયાર હોતો નથી અને સરકારને કરોડો રૂપિયાની બેટી બચાવોની જાહેરાતો આપવી પડતી હોવા છતાં સ્ત્રીભૃણ હત્યાનો સિલસિલો બેરોકટોક ચાલી રહ્યો છે, ત્યારે હિતુભાને ધન્યવાદ આપવા પડે કે તે 5-5 દીકરીઓનું ખુબ સુપેરે લાલન પાલન કરી રહ્યા છે.
તેમાય આજે પત્ની કૈલાશબેને વધુ 2 પુત્રો અને એક પુત્રી એમ ત્રણ-ત્રણ સંતાનોને જન્મ આપતા સામાન્યતઃ માત્ર દીકરીઓને જ જન્મ આપવાનની વાતોમાં વગોવાયેલ કૈલાશબેનના માતૃત્વની સરાહના એટલે થઇ રહી છે કે સમાજના મ્હેણાં મળતા આજથી બંધ થઇ જશે, કારણ છઠ્ઠા લક્ષ્મીજી તેમની સાથે બે ભૈલાઓને પણ સાથે લાવ્યા છે ! અત્રે એ નોંધનીય છે કે, ત્રેલડાના જન્મ બાદ ત્રણેયને શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થતા ધોરાજીના તબીબી જેતપુરના તબીબ સ્નેહલ સીતાપરાની મદદ વચ્ચે ત્રણેય બાળકોને તંદુરસ્તી બક્ષી હતી. પ્રસ્તુત તસવીરોમાં તબીબો સાથે ત્રેલાડાની જન્મદાત્રી કૈલાશબેન અને તેમના પતિ હિતુભા વાળા દેખાય છે.
(ફોટો અને સમાચાર : કશ્યપ જોશી : જેતપુર : જેતલસર :9974262812)







બુધવાર, 23 ડિસેમ્બર, 2015

જેતપુરમાં વીજપોલ સાથે અથડાતા યુવાનનું મોત

જેતપુરમાં વીજપોલ સાથે અથડાતા યુવાનનું મોત
જેતપુર તા.23
જેતપુરના વડલીચોક વિસ્તારમાં રહેતો સતિષ બાબુ પારધી(ઉ.વ.18) ગત રાત્રીના અહીંના તીનબત્તી ચોકમાં એક વીજપોલ સાથે બાઇક સમેત અથડાતા તેમનું ઘટના સ્થળેજ મોત થયું હતું. બનાવથી મૃતકના વિસ્તારમાં શોક ફેલાયો છે.
સતિષને એક મોટાભાઈ તથા બે બહેનો છે. તેમજ ધોરણ 10 માં નાપાસ થતા પિતા બાબુભાઈને સેન્ટીન્ગના વ્યવસાયમાં મદદ કરતો હતો. અકસ્માતના આ બનાવની શહેર પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
          કશ્યપ જે. જોશી, જેતપુર..9974262812

જેતપુરનો યુવાન 15 બોટલ શરાબ સાથે પકડાયો

જેતપુરનો યુવાન 15 બોટલ શરાબ સાથે પકડાયો
જેતપુર તા.23
આજે રાજકોટની લોકલ ફ્રાઇમ બ્રાન્ચના ભુરાભાઈ, નારણભાઇ અને માનીશભાઈએ બાતમીના આધારે અહીંના લક્ષ્મીનગરમાં દારૂ અંગે રેઇડ કરતા રવિ દયારામ નિમાવત નામનો યુવાન રુપીયા 4500 ની કિંમતની, વિલાયતી શરાબની 15 બોટલ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે રવિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કશ્યપ જે. જોશી જેતપુર

અવસાન નોંધ...23.12.2015

અવસાન નોંધ...23.12.2015
જેતપુર: રવજીભાઈ ભુરાભાઈ ધામી(ઉ.વ.79) તે પરસોતમભાઈના ભાઈ, કિશોરભાઈ, હરેશભાઇ, બીપીનભાઈ, યોગેશભાઈના પિતા તા.23.12. ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.26 ના રોજ, તેમના નિવાસ સ્થાન, ટાકુડીપરા શેરી નં.10, જેતપુર ખાતે, સાંજના 4 થી 6, રાખેલ છે.
            કશ્યપ જે.જોશી, જેતપુર 99742 62812

મોતમાં ધકેલતો ધંધો

કોચિંગ ક્લાસ એટલે વિદ્યાર્થીઓની આકાંક્ષાને
> મોતમાં ધકેલતો ધંધો ગણાય છે
>
> - નિધિ ભટ્ટ
>
> વિદ્યાર્થીઓનાં જીવનમાં ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ બાળકની હોંશિયારી માપવા માટેનું હથિયાર ગણાતું આવ્યું છે. ભારતીય શિક્ષણ પ્રથાએ સમાજના વિવિધ સ્તરના કુટુંબોમાં એવો ભય ફેલાવી દીધો છે કે ધોરણ ૧૦માં સારા માર્ક્સ ન મેળવી શકનાર બાળક જીવનમાં ઉચ્ચ અભ્યાસ માટે સક્ષમ નથી બાળક ધો. ૧૦માં આવે એટલે તેની આઝાદી છીનવી લેવામાં આવે છે. ઘરના સભ્યો પોતાના તેમજ સંતાનનાં મોજશોખ, લગ્ન સમારંભ, સામાજિક મેળાવડા, પર્યટન કે પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકી દેતા હોય છે. સંતાનને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ માં ફક્ત બે જ કામ કરવાની મંજૂરી આપવામાં આવે છે જેમાં શાળા - કૉલેજ - કોચિંગ ક્લાસમાં હાજરી આપવાની અને વિવિધ પરીક્ષાની તૈયારી કરવાની. દરેક માતા - પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક ડૉક્ટર કે એન્જિનિયર જ બને.. આ માટે તેઓ મોંઘીદાટ ફી ચૂકવીને બાળકોને કોચિંગ ક્લાસમાં મોકલે છે. કોચિંગ ક્લાસ એટલે શિક્ષણના મેદાનમાં ચોગ્ગા અને છક્કા મારવાની ટેકનિક શીખવાડતું હથિયાર ગણાય છે.
>
> દેશમાં કોચિંગ ક્લાસનું હબ ગણાતું કોટા શહેર આજકાલ વિદ્યાર્થીઓમાં વધી ગયેલી આત્મહત્યાને કારણે ચર્ચામાં છે. આ વર્ષે કુલ ૨૬ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. ગયા વર્ષે ૧૧ વિદ્યાર્થીઓએ આપઘાત ર્ક્યો હતો. ૨૦૧૩માં ૧૩ વિદ્યાર્થીઓએ મોતને વહાલું ર્ક્યું હતું. જીવનમાં સફળતાનાં શિખરો સર કરવાની તાલીમ લેવા અનેક અરમાન સાથે આવેલા વિદ્યાર્થીઓના જીવનમાં કોચિંગ ક્લાસ મૃત્યુનો ઘંટ વગાડી દે છે. આત્મહત્યાની વધતી ઘટનાઓએ કોચિંગ ક્લાસની એક ભયાવહ છબી સમાજ સામે ઊભી કરી છે. માસૂમ બાળકોમાં જાણે કે 'મોતને વહાલું કરવાની સ્પર્ધા' વેગ પકડી રહી છે. હાલમાં તો એવું કહેવાઈ રહ્યું છે કે દર તેરમાં દિવસે એક વિદ્યાર્થી મોતને ભેટી રહ્યો છે! કારણ એકદમ સાફ છે - પરીક્ષાઓમાં સફળ થવાનું ભારે દબાણ, વિવિધ ક્ષેત્રે આગળ વધી શકાય તેવા વિકલ્પનો અભાવ, શાળામાં શિક્ષકોનો ઉપેક્ષા ભરેલ વ્યવહાર જવાબદાર ગણાય છે. માતા - પિતા - સંબધી અને સમાજની માસૂમ બાળકો પાસેથી વધુ પડતી અપેક્ષાઓ અને દેખાદેખીનો માહોલ ઊભો કરાય છે. બાળકોને ફક્ત પરીક્ષાલક્ષી જ્ઞાન અને સૂચનાઓ આપવામાં આવતી હોય છે તેમને જીવનના સાચા રસ્તાથી અજાણ રાખવામાં આવે છે.
>
> આઈઆઈટી, જેઈઈ તથા મેડિકલની પ્રવેશ પરીક્ષાઓની તૈયારી ધોરણ ૧૨ ના અભ્યાસની સાથે જ કરવામાં આવે છે. આઈઆઈએમની પ્રવેશ પરીક્ષા એટલે કે કેટની તૈયારી ગ્રેજ્યુએશન કે તેના સમકક્ષ અંતિમ વર્ષની સાથે કરવામાં આવતી હોય છે જેથી વિદ્યાર્થીઓેનું એક વર્ષ બચાવી શકાય વિદ્યાર્થીઓ બધું જ સાથે કરવા જતાં ગૂંચવાઈ જઈને ભારે મૂંઝવણ અનુભવે છે. નવા નિયમો પ્રમાણે આઈઆઈટીમાં બેની જગ્યાએ ત્રણ મોકા મળશે. આવા નિયમો જ વિદ્યાર્થીઓને માટે જાન લેવા સાબિત થાય છે. પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ૧૭ - ૧૮ વર્ષની કાચી ઉંમરના હોય છે. કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ પાસેથી ઓછામાં ઓછી બે લાખની ફી વસૂલ કરે છે. બાળકો પણ માતા - પિતાની આર્થિક હાલત અને વધતા ખર્ચના વિચારને કારણે એક પ્રકારની તાણ અનુભવતા હોય છે. કોચિંગ ક્લાસમાં જતા મોટાભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે કોચિંગ ક્લાસમાં શિખવતા અધ્યાપકો દ્વારા પણ ભેદભાવ રાખવામાં આવે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને ક્લાસમાં આગળ બેસાડવામાં આવે છે. ક્યારેક તેમને માટે અલગ કલાસ લેવામાં આવે છે. અભ્યાસમાં સામાન્ય વિદ્યાર્થીઓની અધ્યાપક દ્વારા ચાલુ કલાસમાં હાંસી ઉડાવવામાં આવે છે , તેમને ધિક્કારવામાં આવે છે.
>
> અધ્યાપકો તો છડેચોક કહેતા હોય છે કે જ્યારે માતા - પિતા જાણતા હોય છે કે તેમનું સંતાન શાળામાં પણ સારો દેખાવ કરી શકવા સક્ષમ ન હતું તો સ્પર્ધાત્મક પરીક્ષાની કસોટી માટે તેમણે સંતાનને મોકલવા જ ન જોઈએ. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાને બદલે તેમને નાસીપાસ કરવામાં આવે છે. કોટા શહેર પહેલાં દક્ષિણ ભારત સ્પર્ધાત્મક પરીક્ષાનો ગઢ ગણાતો હતો. કેરળ એક એવું રાજ્ય છે કે જ્યાં સાક્ષરતાની ટકાવારી ૧૦૦ ટકા જોવા મળે છે. તેમ છતાં દક્ષિણ ભારત અને તેમાં પણ કેરાલા તો આત્મહત્યાનું હબ ગણાતું હતું. શાળા - કોલેજના અભ્યાસની સાથે કોચિંગ ક્લાસનું ચલણ દક્ષિણ ભારતમાંથી પૂરા દેશમાં ફેલાયેલું છે. સંસ્થાઓને ફાયદો એ જ છે કે તેમને પરીક્ષાનાં સારાં પરિણામ લાવવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મળી રહે છે તેથી જ કોચિંગ ક્લાસમાં તગડી રકમ અધ્યાપકો મેળવે છે. વર્ષના ૧૫ થી ૨૦ લાખ રૂપિયા તો સામાન્ય અધ્યાપકો મેળવે છે. ખ્યાતનામ અધ્યાપકો બે કરોડ રૂપિયા જેટલું અધધધ વેતન મેળવે છે. જેમની ઉપર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સફળ બનાવાવાની જવાબદારી પણ હોય છે જેને માટે તેઓ વિવિધ તરકીબો અપનાવતા રહે છે.
>
> શાળા - કોલેજની જેમ કોચિંગ ક્લાસમાં એવો કોઈ કાયદો અમલમાં હોતો નથી જેનો ઉપયોગ વિદ્યાર્થીઓની તરફેણમાં હોય, કોચિંગ ક્લાસમાં તો ફક્ત એક જ મંત્ર હોય છે કે 'ભણો કે મરો' (પરફોર્મ ઔર પેરિશ). વિદ્યાર્થીઓને શિક્ષણ આપી પ્રગતિના પંથે લઈ જતા કોચિંગ ક્લાસ હવે ધીકતો ઉદ્યોગ ગણાવા લાગ્યો છે. વિદ્યાર્થીઓ દ્વારા વધી ગયેલ આત્મહત્યાની ઘટનાઓને ધ્યાનમાં લઈને જિલ્લા પ્રસાશને ૧૨ સૂત્રી કાર્યક્રમ જાહેર ર્ક્યો છે. કોચિંગ ક્લાસ દ્વારા પણ વિદ્યાર્થીઓને મનોચિકિત્સક અને કરિયર કાઉંન્સેલર દ્વારા યોગ્ય જાણકારી બાદ જ દાખલ કરવામાં આવે તે જરૂરી છે. વિદ્યાર્થીઓને યોગાની સાથે ક્લાસમાંથી ગાયબ રહેતા વિદ્યાર્થીઓને સમજાવટ કરવી અને એક સાથે ફી ભરવાની માગણીને બદલે હપ્તામાં ભરી શકે તેવી સુવિધાઓ આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ. નાણાં છાપવાના કારખાના ફેરવાઈ ગયેલા કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ક્યારે સમજશે..? કુદરતી બક્ષિસ મેળવેલ હોશિંયાર વિદ્યાર્થીઓની વાત બાજુ પર રાખીને સામાન્ય વિદ્યાર્થીઓની સમસ્યાઓને સાંભળવાનો સમય કોચિંગ ક્લાસના માલિકો ક્યારે કાઢશે..? તગડું વેતન મેળવતા અધ્યાપકો ક્યારે વિદ્યાર્થીઓની લાગણી સમજશે..? કોચિંગ ક્લાસને જ સર્વસ્વ માનતા વિદ્યાર્થીઓની લાંબી કતારો લાગતી હોય તો વિદ્યાર્થીઓની મુશ્કેલીઓની સામે આંખ આડા કાન જ થાય તે સત્ય સમજવું સમાજ માટે પણ એટલું જ અગત્યનું બની રહે છે... (Courtesy : Mumbai Samachar)
>

મંગળવાર, 22 ડિસેમ્બર, 2015

જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ વરાયા


જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ વરાયા

જેતપુર તા.૨૨(કશ્યપ જોશી દ્વારા)

જેતપુર તાલુકા પંચાયતની આજે ઔપચારિક બની રહેલી ચુંટણી દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ વરાયા હતા.

આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સુત્રોમાંથી મળેલી વિગતો મુજબ જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટેની તા.૨૨ ડિસેમ્બરના રોજ યોજાનાર ચુંટણી માટે તા.૨૧ ના ફોર્મ ભરવાનો દિવસ હતો. પણ અગાઉથીજ નક્કી થયા મુજબ કોઈએ ફોર્મ નહિ ભરતા અને ઉમેદવારો બિનહરીફ બનાવી દેતા આજે ફોર્માલીટી માટે થયેલી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વીરપુર બેઠક પરથી વિજેતા થયેલા, સાત ધોરણ પાસ, અને વીરપુર ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ રહી ચુકેલા દીનાબેન રાજુભાઈ બારૈયાની નિમણુક જાહેર કરાઈ હતી.

તો ઉપ પ્રમુખ તરીકે ખીરસરા-૧૦ બેઠક પરથી વિજેતા થયેલા ચંદ્રિકાબેન ભરતભાઈ કોરાટની વરણી જાહેર કરાઈ હતી. ચંદ્રિકાબેને રાજારણમાં પ્રથમ વખતજ પ્રવેશ કર્યો છે. જેતપુર તાલુકા પંચાયતના વરાયેલા પ્રમુખ ઉપપ્રમુખ બંને કોંગ્રેસના ઉમેદવારો છે. જેતપુર તાલુકા પંચાયતની હાલની સભ્ય સ્થિતિ જોઈએ તો કોંગ્રેસના ૧૫, ભાજપના ૪ અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થતો હોવાનું તાલુકા વિકાસ અધિકારી બગથારીયાએ જણાવ્યું હતું.

આજે પ્રમૂહ, ઉપપ્રમુખ વરાયા બાદ આગામી દિવસોમાં જેતપુર તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે.

કશ્યપ જે. જોશી જેતપુર 


રવિવાર, 20 ડિસેમ્બર, 2015

JETPURNA VIVIDH VARTMAAN BY KASHYAP JOSHI JETPUR 99742 62812


જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર
ગટરોના ગંધાતા પાણી કાયમી ઉભરવાની
કાયમી ગંદકીથી વેપારીઓ ભારે ત્રસ્ત !
છ મહિના થયા રજુઆતો કરાતી આવે છે પણ તંત્રને કઈ પડી નથી : વેપારીઓ
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આજે ફરી એકવાર ગટરના ગંધાતા પાણી રોડ પર ઉભરાઈ આવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓ કહે છે કે છેલ્લા છ મહિના થયાની આ સમસ્યા બાબતે અનેક વખતની રજુઆતો પછી પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો આ અંગે કંઈ ઘટતું કરાવતા ના હોય, વેપારીઓને જાતે ગટરો ઉલેચવી પડે છે.
આ બાબતે મળતી ફરિયાદો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી (એમજી) રોડ પર ડાબી અને જમણી એમ બંને બાજુઓની અનેક દુકાનોના આંગણા સામેથીજ પાલિકા તંત્રની ગટરો વહે છે. આ બંને ગટરો સમયસર સાફ થતી ના હોય, આ વિસ્તારમાં જ્યારે પાલિકા તંત્ર પાણી વિતરણ કરે ત્યારે ગટરોના ગંધાતા પાણી છલકાઈને રોડ ઉપર તેમ આ રોડ પરની ઘણીખરી દુકાનો, જૈન મંદિરોમાં ઘુસી જતા હોય, લાંબા સમય થયાની આ સમસ્યાથી વેપારીઓ ત્રાસી ગયા છે.
આ રોડ પરના વેપારીઓ કહે છે કે આ બાબતે રૂબરૂ તેમજ અનેક વખત લેખિત રજુઆતો પાલિકા કચેરીએ કરાઈ છે, પણ પાલિકાના સંબંધિત તંત્રને વેપારીઓની ફરિયાદ હલ કરવામાં જરાય રસ ના હોય તેમ આજે ફરી ઉભરાયેલી ગટરોના પાણી વેપારીઓને ઉલેચવા પડ્યા હતા. વેપારીઓએ એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે પોત પોતાની દુકાનો સામેજ ગંધાતા પાણીના પાટોડા ભરાઈ રહેતા હોય, ગ્રાહકો મોઢે રૂમાલ રાખી અન્ય દુકાનોમાં ચાલ્યા જતા હોય, ગંદકીને લીધે નુકશાની સહવાનો વારો આવે છે.
આ બાબતે જેતપુર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશો તાત્કાલિક એમજી રોડ પર બંને સાઈડની ગટરો તાત્કાલિક સાફ કરાવે, પાઈપલાઈન તૂટી હોય તો સંધાવે અને વેપારીઓન આ પરેશાની દુર કરે તેવી માંગ થઇ છે.
ફોટો : અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર
જેતપુરના સ્ટેન્ડચોકમાં ટ્રાફિકની કાયમી સમસ્યા !!
જેતપુર તા. ૨૦ (કશ્યપ જોશી દ્વારા)
જેતપુર શહેરના સ્ટેન્ડચોકમાં રોજ આખો દિવસ અને રાત્રીના ભારે ટ્રાફિક જામ થઇ જતો હોવાની સમસ્યા તાકીદે હલ કરવા માંગ થઇ છે.
મળતી વિગતો મુજબ જેતપુરના શહેરના સ્ટેન્ડચોક શહેરના ચાર રસ્તાઓ(ધોરાજી દરવાજા રોડ, ભીડભંજન રોડ, ફૂલવાડી રોડ અને તીનબત્તી ચોક રોડ) એમ ચારેય રોડ સંલગ્ન હોય અહી સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિકની અવર જવર થઇ રહી છે.
દુખની વાત એ છે કે સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધી ભારે વાહનોની અવર જવર માટે રાજકોટ જીલ્લા કલેકટરનું પ્રતિબંધાત્મક જાહેરનામું હોવા છતાં અહી વેપારીઓના ભારેખમ વાહનો બેરોકટોક ચાલી રહ્યા હોય, ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ વાજ આવી ગયા છે.
આ વાતની પ્રતીતિરૂપ ટ્રાફિક જામની ઘટના શનિવારની રાત્રીના સર્જાતા મયુર સરવૈયા નામના યુવાને ટ્રાફિક પોલીસ અને પત્રકારોને વિગતો આપી હતી કે સતત કલાકેક ટ્રાફિક જામથી રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકોમાં દેકારો બોલી ગયો હતો. સ્ટેન્ડ ચોક પરના વેપારીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રાફિક જામ પ્રશ્ને પોલીસ ચોકીએ બે ત્રણ વાર ફોન કર્યો હોવા છતાં કોઈ ફરક્યું નહોતું.
શહેરના જાગૃત લોકો કહે છે કે અહી ટ્રાફિક પોલીસમેનનો પોઈન્ટ હોવા છતાં કોઈ ફરજ બજાવતું નથી. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વ્યાસે કોઈ ચોક્કસ ટ્રાફિક પોલીસમેનની સ્ટેન્ડ ચોક પર નિમણુક કરી ટ્રાફિક વ્યવસ્થા સંભાળે તે જરૂરી છે.
(ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર )








જેતપુરની મધ્યમ વર્ગની મહિલાઓને આજીવિકા માટે સિલાઈ મશીન સહિતના સાધનોનું વિતરણ કરાયું...
જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરમાં વસતી મધ્યમ વર્ગની મહિલાઓ પોતાની રીતે પગભર થાય તે માટે અહીના સેવાભાવી ટ્રસ્ટ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર સ્થિત ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટીંગ, ફોટો લેમીનેશનની કીટ તેમજ સિલાઈ મશીનોનું વિતરણ ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગૌત્તમભાઈ દવે અને જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના સદસ્ય અરવિંદ વણઝારા, મયુર સરવૈયા વિગેરેના હસ્તે કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.
(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )





















રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મ દિન ઉજવણી વચ્ચે
જેતપુરમાં યોજાયેલ હૃદય રોગ સારવાર
નિદાન કેમ્પનો લાભ લેતા ૩૦૦ દર્દીઓ..
જેતપુર તા.૨૦
જેતપુરમાં આજે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા માજી ધારાસભ્ય રમણીકભાઈ પટેલની જન્મ તિથી નિમિત્તે, જલારામ રઘુકુલ હોસ્પિટલ રાજકોટ અને સ્થાનિક રાહત સમિતિના સહયોગ વછે યોજાયેલ હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પનો સુભારંભ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મદિનની કેક કાપીને કરાયો હતો. શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પાલિકા પ્રમુખ, માજી ધારાસભ્ય જસુબેન વિગેરેની હાજરીમા જેતપુર, રાજકોટ સહિતના શહેરોના નામી તબીબી ગણે પોત પોતાની સેવાનું યોગદાન આપ્યું હતું. વણિક જ્ઞાતિની વાડીમાં યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ વિનુભાઈ સીધ્ધપરા, દિનેશભાઈ માલવિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.
(ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતપુર )



 

જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર

ગટરોના ગંધાતા પાણી કાયમી ઉભરવાની

કાયમી ગંદકીથી વેપારીઓ ભારે ત્રસ્ત !

છ મહિના થયા રજુઆતો કરાતી આવે છે પણ તંત્રને કઈ પડી નથી : વેપારીઓ

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

        જેતપુરના મહાત્મા ગાંધી રોડ પર આજે ફરી એકવાર ગટરના ગંધાતા પાણી રોડ પર ઉભરાઈ આવાતા વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. વેપારીઓ કહે છે કે છેલ્લા છ મહિના થયાની આ સમસ્યા બાબતે અનેક વખતની રજુઆતો પછી પણ જેતપુર નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો આ અંગે કંઈ ઘટતું કરાવતા ના હોય, વેપારીઓને જાતે ગટરો ઉલેચવી પડે છે.

આ બાબતે મળતી ફરિયાદો મુજબ જેતપુરના મહાત્મા ગાંધી (એમજી) રોડ પર ડાબી અને જમણી એમ બંને બાજુઓની અનેક દુકાનોના આંગણા સામેથીજ પાલિકા તંત્રની ગટરો વહે છે. આ બંને ગટરો સમયસર સાફ થતી ના હોય, આ વિસ્તારમાં જ્યારે પાલિકા તંત્ર પાણી વિતરણ કરે ત્યારે ગટરોના ગંધાતા પાણી છલકાઈને રોડ ઉપર તેમ  આ રોડ પરની ઘણીખરી દુકાનો, જૈન મંદિરોમાં ઘુસી જતા હોય, લાંબા સમય થયાની આ સમસ્યાથી વેપારીઓ ત્રાસી ગયા છે.

આ રોડ પરના વેપારીઓ કહે છે કે આ બાબતે રૂબરૂ તેમજ અનેક વખત લેખિત રજુઆતો પાલિકા કચેરીએ કરાઈ છે, પણ પાલિકાના સંબંધિત તંત્રને વેપારીઓની ફરિયાદ હલ કરવામાં જરાય રસ ના હોય તેમ આજે ફરી ઉભરાયેલી ગટરોના પાણી વેપારીઓને ઉલેચવા પડ્યા હતા. વેપારીઓએ એક એવું પણ દુઃખ વ્યક્ત કર્યું હતું કે પોત પોતાની દુકાનો સામેજ ગંધાતા પાણીના પાટોડા ભરાઈ રહેતા હોય, ગ્રાહકો મોઢે રૂમાલ રાખી અન્ય દુકાનોમાં ચાલ્યા જતા હોય, ગંદકીને લીધે નુકશાની સહવાનો વારો આવે છે.

આ બાબતે જેતપુર પાલિકાના લાગતા વળગતા સત્તાધીશો તાત્કાલિક એમજી રોડ પર બંને સાઈડની ગટરો તાત્કાલિક સાફ કરાવે, પાઈપલાઈન તૂટી હોય તો સંધાવે અને વેપારીઓન આ પરેશાની દુર કરે તેવી માંગ થઇ છે.

ફોટો : અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર


જેતપુરના સ્ટેન્ડચોકમાં ટ્રાફિકની કાયમી સમસ્યા !!

જેતપુર તા. ૨૦ (કશ્યપ જોશી દ્વારા)

જેતપુર શહેરના સ્ટેન્ડચોકમાં રોજ આખો દિવસ અને રાત્રીના ભારે ટ્રાફિક જામ થઇ જતો હોવાની સમસ્યા તાકીદે હલ કરવા માંગ થઇ છે.

        મળતી વિગતો મુજબ જેતપુરના શહેરના સ્ટેન્ડચોક શહેરના ચાર રસ્તાઓ(ધોરાજી દરવાજા રોડ, ભીડભંજન રોડ, ફૂલવાડી રોડ અને તીનબત્તી ચોક રોડ) એમ ચારેય રોડ સંલગ્ન હોય અહી સવારથી સાંજ સુધી ભારે ટ્રાફિકની અવર જવર થઇ રહી છે.

        દુખની વાત એ છે કે સ્ટેન્ડ ચોકથી બોખલા દરવાજા સુધી ભારે વાહનોની અવર જવર માટે રાજકોટ જીલ્લા કલેકટરનું પ્રતિબંધાત્મક જાહેરનામું હોવા છતાં અહી વેપારીઓના ભારેખમ વાહનો બેરોકટોક ચાલી રહ્યા હોય, ટ્રાફિક સમસ્યાથી રાહદારીઓ વાજ આવી ગયા છે.

       આ વાતની પ્રતીતિરૂપ ટ્રાફિક જામની ઘટના શનિવારની રાત્રીના સર્જાતા મયુર સરવૈયા નામના યુવાને ટ્રાફિક પોલીસ અને પત્રકારોને વિગતો આપી હતી કે સતત કલાકેક ટ્રાફિક જામથી રાહદારીઓ અને નાના મોટા વાહન ચાલકોમાં દેકારો બોલી ગયો હતો. સ્ટેન્ડ ચોક પરના વેપારીઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે ટ્રાફિક જામ પ્રશ્ને પોલીસ ચોકીએ બે ત્રણ વાર ફોન કર્યો હોવા છતાં કોઈ ફરક્યું નહોતું.

       શહેરના જાગૃત લોકો કહે છે કે અહી ટ્રાફિક પોલીસમેનનો પોઈન્ટ હોવા છતાં કોઈ ફરજ બજાવતું નથી. સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે.વ્યાસે કોઈ ચોક્કસ ટ્રાફિક પોલીસમેનની સ્ટેન્ડ ચોક પર નિમણુક કરી ટ્રાફિક વ્યવસ્થા સંભાળે તે જરૂરી છે.

(ફોટો અને સમાચાર : કશ્યપ જોશી જેતપુર )



 

જેતપુરની મધ્યમ વર્ગની મહિલાઓને આજીવિકા માટે સિલાઈ મશીન સહિતના સાધનોનું વિતરણ કરાયું...

જેતપુર તા.૨૦ (કશ્યપ જોશી દ્વારા)

 

જેતપુર શહેરમાં વસતી મધ્યમ વર્ગની મહિલાઓ પોતાની રીતે પગભર થાય તે માટે અહીના સેવાભાવી ટ્રસ્ટ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર સ્થિત ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટીંગ, ફોટો લેમીનેશનની કીટ તેમજ સિલાઈ મશીનોનું વિતરણ ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગૌત્તમભાઈ દવે અને જેતપુર નગરપાલિકાના વોર્ડ નંબર ૯ ના સદસ્ય અરવિંદ વણઝારા, મયુર સરવૈયા વિગેરેના હસ્તે કરાયું હતું તે તસ્વીરમાં દેખાય છે.

(ફોટો લાઈન : કશ્યપ જોશી જેતપુર )

 

 

 

રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મ દિન ઉજવણી વચ્ચે

જેતપુરમાં યોજાયેલ હૃદય રોગ સારવાર

નિદાન કેમ્પનો લાભ લેતા ૩૦૦ દર્દીઓ..

જેતપુર તા.૨૦

જેતપુરમાં આજે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા માજી ધારાસભ્ય રમણીકભાઈ પટેલની જન્મ તિથી નિમિત્તે, જલારામ રઘુકુલ હોસ્પિટલ રાજકોટ અને સ્થાનિક રાહત સમિતિના સહયોગ વછે યોજાયેલ હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનો ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પનો સુભારંભ સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી જયેશ રાદડિયાના જન્મદિનની કેક કાપીને કરાયો હતો. શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ રાજુભાઈ પટેલ, જયંતીભાઈ રામોલીયા, યાર્ડ ચેરમેન દિનેશ ભુવા, પાલિકા પ્રમુખ, માજી ધારાસભ્ય જસુબેન વિગેરેની હાજરીમા જેતપુર, રાજકોટ સહિતના શહેરોના નામી તબીબી ગણે પોત પોતાની સેવાનું યોગદાન આપ્યું હતું. વણિક જ્ઞાતિની વાડીમાં યોજાયેલ આ કેમ્પને સફળ બનાવવા સંસ્થા પ્રમુખ વિનુભાઈ સીધ્ધપરા, દિનેશભાઈ માલવિયા વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

(ફોટો અને સમાચાર: કશ્યપ જોશી જેતપુર )

 

 

 

શનિવાર, 19 ડિસેમ્બર, 2015

અવસાન નોંધ :


અવસાન નોંધ :  ૧૯-૧૨-૨૦૧૫ 
જેતપુર: મૂળ વડત્રાવાળા, હાલ જેતપુર નિવાસી સ્વ.નરસિંહભાઈ જગજીવનભાઈ વાયાના પત્ની શાંતાબેન 
તે શશીકાંતભાઈ, પ્રવિણાબેન, મનીષાબેનના માતા તથા જયકિશન, કશ્યપ અને સપનાના દાદીમાં તા. 19 ના 
રોજ અવસાન પામેલ છે. બેસણું તા.૨૧ ને સોમવારે, બપોરે ૩ થી ૫, તેમના નિવાસસ્થાન, ખોડપરા, બાલચોક, 
જેતપુર ખાતે રાખેલ છે.
                                   કશ્યપ જે.જોશી જેતપુર ૯૯૭૪૨૬૨૮૧૨ 






અમદાવાદની શ્રી વલ્લભધામ હવેલીમાં પ્રાગટય મહોત્‍સવ...

અમદાવાદની શ્રી વલ્લભધામ હવેલીમાં પ્રાગટય મહોત્‍સવ...
જેતપુર : અમદાવાદ શ્રી વલ્લભધામ હવેલી, મણીનગરમાં શ્રી ગોકુલેશ પ્રભુ પ્રાગટય મહોત્‍સવ ઉજવાઇ રહ્યો છે તેનું મંગલદીપ પ્રાગટય થયું હતું જેમાં મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવ સમુદાય એકત્રીત થયો. આજે  દ્વિતિય દિવસના કાર્યક્રમમાં શ્રી ગોકુલેશ પ્રભુ ગુણગાન ગવાયા હતા.  આ તકે પુષ્‍ટિ સ્‍નેહ સમારંભ શ્રી વલ્લભધામ હવેલીમાં યોજાયો હતો જેનો લાભ મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવજનોએ લીધેલ છે. આ મંગલ પ્રસંગે મણીનગર વિસ્‍તારના નવા ચૂંટાયેલા મ્‍યુનિસિપલ કોર્પોરેટરો, સમાજના અગ્રણીઓ નામી અનામી  વૈષ્‍ણવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં આંતરરાષ્‍ટ્રીય પુષ્‍ટિ માર્ગીય વૈષ્‍ણવ પરિષદના કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હોવાનું જેતપુરના વૈષ્ણવજનોએ જણાવ્યું હતું.
(ફોટો લાઈન : કશ્યપ જોશી  જેતપુર )

શુક્રવાર, 18 ડિસેમ્બર, 2015

જેતપુરમાં આશપુરા એજ્યુ.ટ્રસ્ટ તેમજ ગ્રામ ટેક્નોલોજી દ્વાર લાભાર્થી બહેનોને કીટ વિતરણ..

જેતપુર તા.17

જેતપુરમાં આજે આશપુરા એજ્યુકેશન ટ્રસ્ટ અને ગ્રામ ટેકનોલોજી દ્વારા સ્ક્રીન પ્રિન્ટિંગ તેમજ લેમીનેશન કીટ વિતરણ કરતા જેતપુર પાલિકાના વોર્ડ નંબર 9 ના સદસ્ય અરવિંદભાઈ વણઝારા તથા ટ્રસ્ટના પ્રમુખ રીનાબેન ગાઉત્તમભાઈ દવે તથા જીગ્નેશ સૂચક તસ્વીરમાં દેખાય છે.
ફોટો : કશ્યપ જોશી જેતપુર

ગુરુવાર, 17 ડિસેમ્બર, 2015

જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે...

જેતપુરમાં રવિવારે હૃદય રોગ નિદાન-સારવાર કેમ્પ યોજાશે..
જેતપુર તા.17 (કશ્યપ જોશી દ્વારા)
શહેરની જાણીતી સેવાકીય સંસ્થા સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા આગામી રવિવારને તા.20.12. ના રોજ જેતપુરના માજી ધારાસભ્ય સ્વ.રમણી કભાઈ પટેલની જન્મતિથી નિમિત્તે હૃદય રોગ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરાયું છે.
જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ રાજકોટ અને રાહત સમિતિ જેતપુરના સહયોગ વચ્ચે અહીંના કણકિયા પ્લોટમાં આવેલ વણિક જ્ઞાત્તિની વાડી ખાતે સવારના 8:30 કલાકે, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાના હસ્તે ઉદ્ઘાટિત થનાર આ કેમ્પમાં રાજકોટ, જેતપુરના ખ્યાતનામ તબીબો પોતપોતાની સેવાઓ આપશે. જેઓને બિરદાવવા શહેરના નામી અનામી ઉદ્યોગપતિઓ હાજર રહેશે તેવું સંસ્થાના પ્રમુખ વિનુભાઈ સિદ્ધપરા, પ્રોજેક્ટ ચેરમેન મનીષ પંડયા વિગેરેએ જણાવ્યું છે.

કશ્યપ જોશી  જેતપુર 9974262812

બુધવાર, 16 ડિસેમ્બર, 2015

સરદારજીને અને સ્વ.સવજીભીની પ્રતિમાઓને હારતોરા કરી, રેલી યોજી જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો

સરદારજીને અને સ્વ.સવજીભીની પ્રતિમાઓને હારતોરા કરી, રેલી યોજી

જેતપુરમાં પાટીદારોએ હાર્દિક સહિતનાઓએ છોડવા અને કોંગ્રેસે

ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા મામલતદારને આપેલા આવેદનો

જેતપુર તા.૧૬ (કશ્યપ જોશી દ્વારા)

    જેતપુરમાં આજે પાટીદાર અનામત અંદોલન સમિતિએ હાર્દિક પટેલ સહિતના આગેવાનોને તાકીદે જેલમુક્ત કરવા અને કોંગ્રેસે ખેડૂતોને પોષણક્ષમ ભાવો અપાવવા અહીના મામલતદારને આવેદનો આપ્યા હતા.

પાટીદાર અનામત આંદોલનના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોએ સૌર પ્રથમ અહીના જુનાગઢ રોડ પર સરદાર પટેલની અને સ્થાનિક ધારાસભ્ય સ્વ.સવજીભાઈ કોરાટની પ્રતિમાને હારતોરા કરી, સુત્રોચ્ચાર કરી, રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા.

  મામલતદાર કચરીએ પહોચેલા પાટીદાર આગેવાનોએ સુપરત કરેલા આવેદનમાં જણાવ્યું હતું કે અનામત આંદોલન દરમિયાન પોલીસ તંત્રએ હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણીયા અને નીલેશ એરવાડીયા સામે લગાવેલ રાજદ્રોહના આરોપો પરત ખેંચી આમાંના જે પણ આગેવાનો જેલમાં હોય તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરાવો અન્યથા આગામી તા.૨૧/૧૨/૨૦૧૫ થી પાટીદાર અનામત આંદોલન સમિતિ પુનઃ ગામડે ગામડે અને શહેરે શહેર અનશન આંદોલન છેડશે.

 

જ્યારે જગદીશભાઈ પાંભરની આગેવાની તળે કોંગી કાર્યકરો અને આગેવાનોએ મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેતીપ્રધાન દેશ ભારતના ખેડૂતો અત્યારે બીચારવાસ્થામાં પટકાઈ જવા પાછળ ઘણા કારણો છે, જેમાં મુખ્યત્વે કપાસ જેવા ખેત્પાકોના અપૂરતા ભાવો, પાક વિમાની રકમ ના મળવી, અપૂરતો વીજ અને પાણી પુરવઠો, પુર હોનારતમાં વ્યાપક નુકશાની અને વન્ય પ્રાણીઓનો ત્રાસ. આ તમામ પ્રશ્નો તાકીદે મિટાવી સરકારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ જગતાત આલમને મદદ કરવી જોઈએ.

ફોટો અને સમાચાર : કશ્યપ જે. જોશી જેતપુર 


જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...

જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં

ચોરીના વધેલા બનાવોને નાથવા રાત્રી પેટ્રોલિંગ સધન

બનાવવા મહિલાઓની પોલીસને રજુઆતો...

જેતપુર તા.૧૬

જેતપુરના જુના પાંચ પીપળા રોડ પરતની પચાસેક મહિલાઓ આજે જેતપુર શહેર પોલીસ મથકે દોડી આવી તેઓના વિસ્તારમાં માઝા મુકેલી તસ્કરીને નાથવા રાત્રી રોન કડક બનાવાય તેવી માંગ દોહરાવી હતી.

મળતી વિગતો મુજબ જેતપુરના જુના પાંચ પીપળા રોડ વિસ્તારમાં છેલ્લા છ મહિનામાં ૧૫ જેટલી નાની મોટી ચોરીઓ થઇ હોય તેમજ એક પણ ચોરીના પોલીસને સગડ મળ્યા ના હોય ભયભીત બનેલ મહિલાવર્ગ આજે મોટી સંખ્યામાં શહેર પોલીસ મથકે દોડી આવી, તેઓના વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા જતા ચોરીના બનાવોને અટકાવવા રાત્રી પેટ્રોલિંગ વધુ પ્રબળ બનાવવાની માંગ દોહરાવી હતી.

આ સમયે શહેર પોલીસના પીએસઆઈ ચૌહાણ, જાડેજા તથા સ્ટાફના કમલેશભાઈ રાવલ વિગેરેએ ઉક્ત લાત્તોની મહિલાઓની માંગ સ્વીકારી આજ્થીજ પેટ્રોલિંગ અસરકારક બનાવવાન અને આ માટે હોમગાર્ડ જવાનોને પણ લત્તામાં ફરીને વ્હીસલ વગાડી રાત્રી રોન કરવા સુચના આપવાની ખાતરી આપી હતી.

ફોટો અને સમાચાર : કશ્યપ જે.જોશી જેતપુર 


Fwd: જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ કર્યો વિરોધ

જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ
દિલ્હીના સીએમ કાર્યાલયમાં થયેલી તપાસનો કરાયો વિરોધ...
જેતપુર તા.16
દિલ્હીમાં કેજરીવાલ સરકારના કાર્યાલયમાં થયેલી સીબીઆઇ તપાસનો વિરોધ વ્યક્ત કરવા આજે જેતપુરમાં આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી વર્તમાન કેન્દ્ર સરકારની નીતિને વખોડી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમીના કાર્યકરોએ આક્ષેપો કર્યા હતા કે દેશમાં અનેક પ્રકારનાં મસમોટા કૌભાંડો આંચરાયા છે પણ, કેન્દ્ર સરકાર આવા ગોટાળા બહાર લાવવામાં કે તે અંગે તપાસ કરાવવાનો બદલે દિલ્હીના સીએમ કેજરીવાલ પાછળ પડી હોય, આ વાત લોકશાહી વિરોધી ગણાવી શકાય.
                                                ફોટો લાઈન  : કશ્યપ જોશી જેતપુર