સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપનારનું સન્માન કરવુ ગૌરવપ્રદ પ્રસંગ
થેલેસેમીયાગ્રસ્ત ૧૧ બાળકોને વિધાનસભાના અધ્યક્ષશ્રી વજુભાઇ વાળા દ્વારા સાયકલો અર્પણ
રાજકોટ:
સમાજના ઉત્કર્ષમાં યોગદાન આપનારનું સન્માન કરવુ ગૌરવપ્રદ પ્રસંગ છે.તેમ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત શ્રીમતી રૂક્ષ્મણીબહેન દીપચંદભાઇ ગારડી વૃધ્ધાશ્રમ દ્રારા રાજકોટ એન્જીન્યરીંગ એસોશીએશન હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્ વજુભાઇ વાળાએ જણાવ્યુ હતું
વજુભાઇએ લેનાર કરતા ત્યાગીને ભોગવનાર જ મહાન બને છે. દાન કરવુ, આપવુ આસાન નથી એ તો જેના લોહીમાં હોય તેજ આપી શકે છે. તેમ જણાવી સંતશ્રી રણછોડદાસજી મહારાજે જે લોકો પોતાની સંપતિ અને ધન દીન દુઃખીઓ માટે વાપરે તેની સંપતી કયારેય ખુટતી નથી તેનો સાર જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે શ્રીવજુભાઇના હસ્તે ૧૧ થેલેસેમીયાગ્રસ્ત બાળકોને સાયકલ અર્પણ કરવામાં આવી હતી.
મેનેજીંગ ટ્રસ્ટી મુકેશભાઇએ દીપચંદભાઇ ગાર્ડીના ૯૯માં જન્મદિવસે સમાજમાં નાના માણસો માટે ૨૪ કલાક પોતાની સેવા આપીને ઉપયોગી કાર્ય કરનારા સર્વ રમેશભાઇ ટીલાળા, નરેન્દ્રભાઇ ગંગદેવ, નાથાભાઇ કયાડા, રમેશભાઇ ઠકકર, જયંતભાઇ રાવલ, જીતુભાઇ રહેના તથા શ્રીમતિ ભાવનાબહેન જોષીપુરાને તેમની કામગીરીનો અહેવાલ આપીને બિરદાવ્યા હતા. અને ટ્રસ્ટ દ્રારા તેમનું શાલ, શીલ્ડ અને ચાંદીનો સિકકો અને મોમેન્ટો આપીને ગાર્ડી એવોર્ડથી સન્માનીત કરીને.તેમની સાથે દાનવીર શ્રી દીપચંદભાઇ ગાર્ડીને પણ દિર્ઘાયુની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે દાતાઓ સર્વ બાબુભાઇ પરસાણા, વલ્લભભાઇ સતાણી, હર્ષદભાઇ માલાણી, હંસરાજભાઇ ગજેરા, રમેશ ટીલાળા તથા રમેશ ઠકકર દ્રારા રૂ.૪ લાખની રકમના ચેકો આપવામાં આવ્યા હતા. તેમજ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કાઠીયાવાડ બાલાશ્રમને રૂ.૧,૧૧,૧૧૧, અંધ અપંગ વૃધ્ધાશ્રમને રૂ.૧,૧૧,૧૧૧, મહાજન પાંજરાપોળને રૂ.૧,૧૧,૧૧૧, અંધ મહિલા વિકાસગૃહને રૂ.૧,૧૧,૧૧૧,,તથા કોઠારી લેબોરેટરીને રૂ.૫૧,૧૧૧ના ચેકો તેમની સેવાકિય પ્રવુતિઓ માટે મહાનુભાવોને હસ્તે આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ઇન્દ્રનીલ રાજયગુરુ, શિક્ષણશાસ્રી શ્રી ડીવી મહેતા ઉતર પાટણ યુનિ.ના કુલપતિ,શ્રી નિદતભાઇ બારોટ વિગેરેએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રીહરીશભાઇ લાખાણી, શ્રીવલ્લભભાઇ સતાણી, શ્રી રાજુભાઇ ગોસ્વામી, શ્રી મુકેશ દોશી, શ્રી સુનિલ વોરા, પ્રતાપભાઇ પટેલ, હસુભાઇ રાચ્છ, હરેશભાઇ પરસાણા તથા શ્રી પ્રવીણભાઇ ગોસ્વામી વિગેરે ઉપસ્થીત રહયા હતા.
સ્વાગત પ્રવચન સુનિલભાઇ વોરાએ અને આભાર વિધી શ્રી મીતલભાઇ ખેતાણીએ કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો