અનુયાયીઓ

મંગળવાર, 30 એપ્રિલ, 2013

સુરેન્‍દ્રનગરના લખતર તાલુકામાં મળેલી અજાણી લાશના વાલીની શોધખોળ

સુરેન્‍દ્રનગર:- સુરેન્‍દ્રનગર જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રીની એક યાદીમાં જણાવ્‍યા અનુસાર તા.૨૪/૪/૨૦૧૩ ના રોજ સાંજે ૭-૩૦ કલાકે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામ પાસેથી પસાર થતી વિરમગામ તરફથી આવતી નર્મદા કેનાલમાં એક અજાણ્‍યા પુરૂષની લાશ મળી આવી છે.

     આ પુરૂષની ઉંમર આશરે ૩૨ થી ૩૫ વર્ષની હોવાનો અંદાજ છે. તેને શરીરે આછા પીળા કલરનું આખી બાંયનું શર્ટ તથા તેવા જ કલરનું ભૂખરા જેવું પેન્‍ટ પહેરેલ છે. જેના શરીરે આંખો નાક તથા મોઢું પાણીના જનાવરો કોતરી ખાઈ ગયેલ છે, અને લાશ ફુલાઈ ગયેલ છે.

      તો આ અજાણી પુરૂષની લાશ અંગે કોઈપણ પ્રકારની માહિતી ધરાવનારે લખતર પોલીસ સ્‍ટેશન ફોન નંબર- (૦૨૭૫૯) ૨૭૩૦૯૮ તથા સુરેન્‍દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમ ફોન નંબર-(૦૨૭૫૨) ૨૮૨૪૫૨ પર સંપર્ક કરવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: