સરકારની સહાયથી નાના અને સીમાંત ખેડૂતોની જમીનો સમથળ બનાવવાનો અનોખો પ્રોજેકટ માંડવીમાં કાર્યરત છેઃ
આદિવાસીબંધુઓને સરકારની સહાયથી જમીન ખેડી આપવામાં આવે છેઃ
અહેવાલઃ- મહેન્દ્ર વેકરિયા
સૂરતઃ નાના અને સીમાંત ખેડૂતો જમીનોને ખેડીને સમથળ કરી સારી ખેતી કરતા થાય તેવા હેતુથી એગ્રીકલ્ચર રીચર્સ સેન્ટર-કડોદના પ્રોજેકટ અન્વયે ૫૦ ટકા અને ફોરેસ્ટ રાઈટ એકટ પ્રોજેકટ અન્વયે ૫૦ ટકા જેટલી સહાય આપીને ઓછી જમીન ધરાવતા આદિવાસીબંધુઓને સરકારની સહાયથી જમીન ખેડી આપવામાં આવે છે.
આ બન્ને પ્રોજેક્ટો અન્વયે સૂરત જિલ્લાના માંડવી તાલુકાના રખસખડી, લીમધા, બીજદાલીયા વગેરે ગામોના ૨૧૪ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. જેથી આ ખેડૂતોને એક હેકટરદીઠ આઠ કલાકના ધોરણે જમીન ખેડી આપવામાં આવે છે. જેથી આ ૨૧૪ જેટલા ખેડૂતોની વર્ષોથી પડતર અને બિનઉપજાઉ જમીનોને વિનામૂલ્યે ખેડીને સમથળ કરી આપવામાં આવનાર છે. આ ખેડૂતોમાંથી ૭૦ થી ૭૫ ખેડૂતોની જમીનો હાલ ખેડી આપવામાં આવી છે. જે હેઠળ માંડવી તાલુકાના રખસખડી ગામના ખેડૂતોએ પણ આ યોજનાનો લાભ લઇ પોતાની વર્ષોની વણખેડેલી જમીનને આ યોજના હેઠળ ખેડાણ થતા જમીન પણ ઉપજાઉ બનશે અને ખેડૂતો એક કરતા વધારે પાક લઈ શકશે. આ ગામના ૨૭ ખેડુતોને આ યોજના હેઠળ કામગીરી થઈ ચૂકી છે. ગામના ખેડૂત બાબુભાઈ ચૌધરી વાત કરતા કહે છે કે, મારી જમીન વર્ષોથી ખેડાણ થતું ન હતું. થોડી જમીન હોવાના કારણે ખર્ચ પણ વધી જતો હતો. પણ આ યોજનાથી જમીનનું ખેડાણ થવાથી હવે જમીનની ગુણવત્તા પણ વધશે જેના કારણે જુવાર, તુવેર જેવા પાકો મેળવી શકીશું.
જયારે એગ્રીકલ્ચર રીચર્સ કડોદના પ્રોજેકટ અન્વયે જે બી.પી.એલ. લાભાર્થીઓને ૫૦ ટકા અને એ.પી.એલ. લાભાર્થીઓને ૨૫ ટકા સહાય દ્વારા તેઓની જમીનો ખેડી આપવામાં આવે છે. જેમાં એક કલાકના ખેડવાના રૂા.૬૦૦ થતા હોય તો તેમાં રૂા.૩૦૦ની સહાય ચૂકવવામાં આવે છે
વન અધિકાર અધિનિયમ હેઠળ જમીનના મંજૂરી હુકમો આપ્યા બાદ તેઓને સરકારની કૃષિલક્ષી યોજના સાથે જોડીને ખેતી કરતા થાય અને પોતાની આજીવિકા વધે તેમજ જીવનધોરણ ઉચું આવે તેવા આશયથી પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે. જેથી એગ્રીકલ્ચર રીચર્સ-કડોદ અને ફોરેસ્ટ રાઈટ એકટ એમ બન્ને પ્રોજેકટોને સાથે જોડીને જમીનો ખેડી આપવામાં આવે છે. આદિમજુથના લોકોને વિજળી, પાણી જેવી અનેક સુવિધાઓ પુરી પાડીને જંગલમાં વસનારાઓને સુવિધાઓ પુરી પાડવા માટે અનેક પ્રોજેકટ દ્વારા સહાય પુરી પાડવામાં આવી રહી છે.
પશુપાલન રાજ્યમંત્રીનો પ્રવાસ કાર્યક્રમઃ
સૂરતઃ પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌ સંવર્ધન, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ વિભાગના રાજ્યમંત્રીશ્રી લીલાધરભાઈ વાઘેલા આગામી ૧૩મીના રોજ સાંજે ૭:૩૦ વાગ્યે સૂરત આવી રાત્રિ રોકાણ કરશે. તા. ૧૪મીના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે નવસારી જવા રવાના થશે. નવસારી ખાતે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી તા. ૧૫મીના રોજ અનુકૂળતાએ સૂરત પરત ફરી રાત્રિ રોકાણ કરશે. તા. ૧૬મીના રોજ સવારે ૭:૩૦ વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે.
આજે સૂડામાં ઘન કચરાના નિકાલ માટેની બેઠકઃ
સૂરતઃ સોમવારઃ- ઘન કચરાના નિકાલ માટે એક મીટિંગનું આયોજન આવતીકાલે તા. ૯મી એપ્રિલના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે સૂરત શહેરી વિકાસ સત્તામંડળની કચેરીના મીટિંગ હોલમાં કરવામાં આવ્યુ છે. આ બેઠકમાં શ્રી બાલાજી પ્રોજેક્ટસ અને કન્સલટન્ટસનાં શ્રી કુલદીપ મહેતા અને એમબી એનવાયરો સાયન્સ અને ઓર્ગેનીક્સના શ્રી નીલેશ દોશી જરૂરી માર્ગદર્શન આપશે.
ચિરંજીવી યોજના હેઠળ સહાય મળે છેઃ
સૂરતઃ રાજયમાં માતા મરણ અને બાળ મરણ ધટાડવા માટે ચિરંજીવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ગ્રામ્ય વિસ્તાર, નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તાર, નોટફાઈડ એરીયા એ તમામ બી.પી.એલ. પરિવારો તેમજ એ.બી.એલ. એસ.ટી. વેરો ન ભરતા હોય તો તેવા તમામને લાભ આપવામાં આવે છે. યોજનાનો લાભ મેળવવા માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અથવા અન્ય સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો.
ફળ, શાકભાજી અને ફુલોના પેકીગ અને હેન્ડલીગ માટે સહાયઃ
સૂરતઃ બાગાયતી પેદાશોના વેચાણ માટે પ્લા.બેગ કે કંતાન બારદાન સિવાયના યોગ્ય પેકીગના મટીરીયલ્સ માટે થતા હેકટરદીઠ થતા ખર્ચ રૂા.૧૦ હજાર મુજબ એક હેકટરના ઉત્પાદન માટે ૭૫ ટકા બે હેકટરના ઉત્પાદન માટે ૫૦ ટકા અને પાંચ હેકટરના ઉત્પાદન માટે ૨૫ ટકા મુજબની સહાય મળે છે.
હોર્ટીકલ્ચર મિશન/નોન મિશનના જિલ્લાઓમાં પૂરક સહાય આપવામાં આવે છેઃ
સૂરતઃ મિશન મોડના ખર્ચ મુજબ હોર્ટીકલ્ચર મિશન/નોન મિશનના જિલ્લાઓમાં પૂરક સહાય આપવામાં આવે છે. હોર્ટી મિશનના ધોરણો ઉપરાંત વધારાની સહાય કોલમ મુજબ સામાન્ય ખેડૂતોને ૧૫ ટકા અનુ.જાતિ/અનુ.જનજાતિ માટે ૨૫ ટકા અને આદિમ તથા દેવી પુજક ખેડૂતોને ૪૦ ટકાના ધોરણે સહાય આપવામાં આવે છે.
દરીયાઈ/હવાઈ માર્ગે ફળ અને શાકભાજી નિકાસમાં વાહતુક નુરમાં સહાયઃ
સૂરતઃસોમવારઃ-રાજયમાં પ્રસ્થાપિત ફળ, ફુલ અને શાકભાજીના વેચાણની સહકારી કે ખાનગી સંસ્થા, ખેડૂત કે ખેડૂત સમૂહને રાજયમાં ઉત્પાદીત કરેલી કે રાજયના પેક હાઉસમાં અથવા નિકાસ સંબધી અન્ય રીતે પેકીગ કરેલ ફળ, ફુલ અને શાકભાજીની બિન રૂપાંતરીત પેદાશને દરિયાઈ/હવાઈ માર્ગે વિદેશમાં નિકાસ માટેના વાહતુક નૂરના ૨૫ ટકા મુજબ મહત્તમ રૂા.૫૦ હજારની દરિયાઈ માર્ગ માટે વાર્ષિક રૂા.૨.૫૦ લાખ સુધીની તેમજ રાજયના હવાઇ માર્ગથી નિકાસ માટે રૂા.૧૦ લાખની વાર્ષિક મર્યાદા મુજબ ખાતા મારફતે સહાય આપવાની જોગવાઈ છે.
પોલી હાઉસ/શેડનેટ હાઉસ તૈયાર કરવા માટે સહાય અપાય છેઃ
સૂરતઃ એકમ ખર્ચ માટે આર.ઓ. સીસ્ટમ અને વોટર સ્ટોરેજ માટે રૂા.૩ લાખ અને જળ સંગ્રહ માટે એક લાખ યુનિટ માટે મળવાપાત્ર થશે. જેમાં પોલી હાઉસ/શેડનેટ હાઉસ તૈયાર કરવા માટે સામાન્ય ખેડુતોને ૫૦ ટકા અને અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને ૭૫ ટકા તથા ગ્રુપમાં ગ્રીન હાઉસ બનાવે તો સામાન્ય ખેડૂતોને પ્રત્યેક એકરે ૨૫ ટકા (એકલાખ) અને અનુ.જાતિ/અનુ.જનજાતિના ખેડૂતોને ૫૦ ટકા (૨લાખ) મળે છે. વધુ વિગતો માટે બાગાયત અ
કતારગામના અનિલભાઈ ક્યાંક ચાલ્યા ગયા છેઃ
સૂરતઃ કતારગામ પોલીસના જણાવ્યા પ્રમાણે ૭૬, ચિત્રકુટ સોસાયટી, હાથી મંદિર રોડ, કતારગામ ખાતે રહેતા ૩૪ વર્ષીય અનિલભાઈ વલ્લભભાઈ પીપળીયા ગઇ તા. ૨જીના રોજ જીઆઈડીસીમાં આવેલા ખાતા નં. ૯૧૧થી ક્યાંક ચાલ્યા ગયા છે. શરીરે મધ્યમબાંધાના રંગે ઘઉંવર્ણ, છ ફુટ ઉંચાઇ ધરાવતા અનિલે લાઇનિંગવાળુ સફેદ શર્ટ અને વાદળી જીન્સ પહેર્યું છે. તે ગુજરાત અને હિન્દી ભાષા જાણે છે. આ યુવાન અંગે માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.
ભાઠેના એનુબેન ક્યાંક ચાલ્યા ગયા છેઃ
સૂરતઃ ખટોદરા પોલીસના જણાવ્યા પ્રમાણે પંચસીલ નગર ભાટેના ખાતે રહેતા ૪૫ વર્ષીય એનુબેન રોહિદાસ સપકાળ ગઇ તા. ૬ઠ્ઠીના રોજ સવારે ૬:૦૦ વાગ્યે ઘરમાં ગરમી લાગે છે બહાર સુવા જાઉં છું તેમ કહી ક્યાંક જતા રહ્યાં છે. તેમની છેલ્લા ત્રણ વર્ષથી મગજની બિમારીની દવા ચાલે છે. શરીરે પાતળા બાંધાના રંગે ઘઉંવર્ણ, પાંચ ફૂટ ઊંચાઈ ધરાવતા એનુબેને પીળા રંગની સાડી અને લીલું બ્લાઉઝ પહેર્યું છે. તે ગુજરાતી અને મરાઠી ભાષા જાણે છે. આ મહિલા અંગે માહિતી મળે તો નજીકના પોલીસ મથકમાં જાણ કરવા જણાવાયું છે.
ભરૂચઃ
બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડસ ૨૦૧૨-૨૦૧૩ માટેઃ
ભરૂચઃ રાજય સરકાર ઘ્વારા જુદા-જુદા ક્ષેત્રે જેવા કે શિક્ષણ,સંશોધન,ઉધોગ,સહકારી ક્ષેત્રો વિગેરમાં વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યકિતનું બહુમાન કરી સરકાર એવોર્ડ આપે છે તે જ રીતે કૃષિ ક્ષેત્રેમાં ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડુતો કે જેઓ પોતાની આગવી કોઠાસુઝ અને સાહસવૃત્તિ થી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા ઉત્પાદનમાં વધારો કરવા તેમજ નવીન તકનીકો રજુ કરવા માટે કાર્ય કરે છે. તેઓ માટે તેઓને ખેત ઉત્પાદનલક્ષી પ્રોત્સાહન મળે અને તેમાં વધુ વેગ આવે તેમજ તેમણે આપેલ યોગદાનની કદરરૂપે કૃષિ વિકાસમાં તેમનાં ફાળાને બિરદાવવા માટેના શુભ હેતુથી ભારત સરકારશ્રી પુરસ્કૃત અને ગુજરાત રાજય સરકારશ્રી સંચાલીત એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી 'આત્મા યોજના' હેઠળ ' બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડસ' આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે.ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અને તજજ્ઞતાનાં ઉપયોગમાં સાહસિકતા દેખાડનાર અને નવી દ્રષ્ટિ ધરાવતા પ્રગતિશીલ ખેડુતોનો ઘણો ફાળો છે. આવા ખેડુતો પોતાની આગવી કોઠાસુઝથી ખેતીમાં નવી સિધ્ધિઓ હાંસલ કરી રહયા છે. અને બીજા ખેડુતોને પ્રેરણા પુરી પાડી રહયા છે.અન્ય ખેડુતો માટે માર્ગદર્શક બની રહયા છે.આવા ખેડુતો સંશોધનનો અને અન્ય ક્ષેત્રે સફળ પધ્ધતિઓની જાણકારી મેળવી સ્થાનિક અનુકુળતા પ્રમાણે ફેરફાર કરીને તેનો અમલ કરીને તેનો અમલ કરવા આગળ આવતા હોય છે.આવા ખેડુતોનું બહુમાન કરી પુરસ્કાર આપી તેમને પ્રોત્સાહીત કરવાનાં શુભ આશયથી આ એવોર્ડસ આપવામાં આવે છે.
આત્મા યોજના હેઠળ બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ માટેના ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ છે.આ એવોર્ડ જુદા-જુદા ક્ષેત્રોમાં જેવાકે મત્સ્યપાલન, પશુપાલન, બાગાયતી પાકો,મેડીસીનલ પ્લાન્ટ, ખેતીવાડી,કુદરતી સંશોધનનોની જાળવણી,ગ્રીન હાઉસમાં ખેતી,મુલ્ય વૃધ્ધિ પાક, સંરક્ષણ વિગેરે ક્ષેત્રોની સાપેક્ષમાં આપવામાં આવશે.
આ એવોર્ડ અંગેના અરજી ફોર્મ આત્મા પ્રોજેકટ, ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત ભરૂચની કચેરીએથી મળી શકશે.જેમાં વિગતવાર સુચના/માર્ગદર્શન આપવામાં આવેલ છે.અરજી ફોર્મ ભરીને સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૫-૬-૨૦૧૩ નકકી કરેલ છે.જેથી આ યોજનાનો લાભ લેવા ભરૂચ જિલ્લાના પ્રગતિશીલ ખેડુતોને નમ્ર અપીલ કરવામાં આવે છે. આ અંગેની વધુ જાણકારી અને વિગતો મેળવવા જિલ્લા પંચાયત ભરૂચની ખેતીવાડી શાખાનાં આત્મા પ્રોજેકટ સંબધિત અધિકારીનો સંપર્ક કરવા આત્મા પ્રોજેકટ,પોજેકટ ડાયરેકટરશ્રી આત્માની કચેરી,જિલ્લા પંચાયતની એક યાદી ઘ્વારા જણાવાયું છે.
સહકરી મંડળીઓમાં ચુંટણી થઇ શકશે નહિ. :
ભરૂચઃ આથી જિલ્લાની સશકારી સંસ્થાઓને જણાવવામાં આવે છે કે, મે.નામદાર ગુજરાત હાઇકોર્ટ સકક્ષ દાખલ થયેલ સ્પે.સી.એ.૧૩૭૩૩/૨૦૧૨ વીથ સ્પે.સી.એ.નં.૨૪૩/૨૦૧૩ના ઓરલ જજમેન્ટના સંદભમાં મે.સહકાર કમિશ્નર અને રજીસ્ટ્રારશ્રી સ.મં.ગુ.રા. ગાંધીનગરના તા.૨૨/૦૩/૨૦૧૩નાં પત્ર નં.વહટ/૦૧/ક/ કા.સુ./૨૪૨/૧૩થી જણાવ્યા અનુસાર ૨૩૪ ઝેડ(કે)બાબતે સહકારી કાયદામાં સુધારો ન થાય ત્યાં સુધી જિલ્લાની કોઇપણ રાજયકક્ષા/જિલ્લાકક્ષા/તાલુકાકક્ષા/એકથી વધુ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી સંસ્થા/પ્રાથમિક સહકારી મંડળીઓ કે અન્ય કોઇપણ સહકારી મંડળીની ચુંટણીની કાર્યવાહી તેમના પેટા-નિયમ કે નિર્દિષ્ટ ચુંટણીના નિયમો-૧૯૮૨ અન્વયે હાથ ધરવાની રહેતી નથી.જેની જે તે સહકારી સંસ્થાએ નોંધ લેવા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી ભરૂચની એક યાદી ઘ્વારા જણાવાયું છે.
પરીક્ષા કેન્દ્રો ફરતે ૨૦૦ મીટર સુધી પ્રતિબંધ.
ભરૂચઃ આગામી એપ્રિલ-૨૦૧૩ ની ૮ માર્ચ થી લેવાનાર વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્ટરની જાહેર પરીક્ષા તા.૮/૪/૨૦૧૩ થી તા.૧૫/૪/૨૦૧૩ સુધી ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર ઉક્ત સ્થળોએ આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુક્ત અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઇપણ વ્યકિત કે વ્યકિતઓના સમુહને પ્રવેશ ઉપર સીઆરપીસી કલમ-૧૪૪ પ્રતિબંધ ફરમાવ્યો છે.
પરીક્ષા સંદર્ભે કેટલાંક નિયંત્રણો મૂકાયા.
ભરૂચઃ આગામી એપ્રિલ-૨૦૧૩ ની ૮ માર્ચ થી લેવાનાર વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્ટરની જાહેર પરીક્ષા તા.૮/૪/૨૦૧૩ થી તા.૧૫/૪/૨૦૧૩ સુધી ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુકશાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર ઉક્ત સ્થળોએ આવેલ તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઇપણ વ્યક્તિઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવો આશ્યક જણાય છે. જેથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ એક જાહેરનામા ઘ્વારા તા.૮/૪/૨૦૧૩ નાં રોજ સવારના ૬:૦૦ વાગ્યાથી થી તા.૨૩/૩/૨૦૧૩ રાત્રીના ૨૪:૦૦ કલાક સુધી ભરૂચ જિલ્લામાં એપ્રિલ-૨૦૧૩ ની ૮ એપ્રિલ થી લેવાનાર વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્ટરની જાહેર પરીક્ષાના તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૨૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુકત અધિકૃત વ્યકિતઓ સિવાયની કોઇપણ વ્યકિત કે વ્યકિતઓના સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
આ હુકમ પરીક્ષાની કામગીરી સાથે કોઇપણ રીતે સંકળાયેલા તમામ ફરજ પરના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, પરીક્ષા ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યકિતઓને, ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહરક્ષકદળની વ્યકિતઓને, આકસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તપાસ ટુકડીઓને લાગુ પડશે નહિ. તેમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભરૂચે એક જાહેરનામા ઘ્વારા જણાવ્યું છે.
પરીક્ષા દરમ્યાન લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ.
ભરૂચઃ ભરૂચ જિલ્લામાં આગામી એપ્રિલ-૨૦૧૩ ની ૮ માર્ચ થી લેવાનાર વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્ટરની જાહેર પરીક્ષા તા.૮/૪/૨૦૧૩ થી તા.૧૫/૪/૨૦૧૩ સુધી ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. આ પરીક્ષા ભરૂચ જિલ્લાના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવનાર છે. જેથી મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવાના કારણે પરીક્ષાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં ખલેલ પહોંચે તેમ છે. અભ્યાસ કરતા વિધાર્થીઓ પર આની ખૂબજ પ્રતિકૂળ અસર પડે તેમ છે અને વિધાર્થીઓનો અભ્યાસ બગડે તેમ છે. તેમજ ધ્વની પ્રદૂષણ પણ થાય છે. જેથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામાએ એક જાહેરનામા ઘ્વારા તા.૮/૪/૨૦૧૩ થી તા.૧૫/૪/૨૦૧૩ નાં રોજ સુધી સવારના ૬:૦૦ વાગ્યાથી રાત્રીના ૨૪:૦૦ કલાક સુધી લાઉડ સ્પીકર, વાજીંત્રો તથા ડી.જે.સીસ્ટમ બેફામ, મનસ્વી રીતે તથા મોટા અવાજે વગાડવા ઉપર પ્રતિબંધ મુંકવાનો જરૂરી છે.
આ હુકમનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનારને મુંબઇ પોલીસ અધિનિયમ સજાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ.નિનામા એ એક જાહેરનામા ઘ્વારા જણાવાયું છે.
વલસાડ
વલસાડ જિલ્લા ન્યાયાલય ખાતે મધ્યસ્થીકરણ કેન્દ્રને કાર્યાન્વિત કરતા પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જડ્જ શ્રી એમ.એફ.સૈયદ :
વલસાડઃ વલસાડ જિલ્લા ન્યાયાલય ખાતે મધ્યસ્થીકરણ કેન્દ્રને કાર્યાન્વિત કરી, પ્રજાજનો માટે ખુલ્લુ મુકાયુ હતું. જિલ્લાના પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ જડ્જ શ્રી એમ.એફ.સૈયદે આ મધ્યસ્થીકરણ કેન્દ્રનું લોકાર્પણ કર્યુ, તે વેળા તેમની સાથે વિશેષ ઉપસ્થિત રહેલા તજજ્ઞ વક્તાઓ ડૉ.કિરણ ગાર્ડનરે તથા પ્રો.દિપક તરૈયાએ મધ્યસ્થીકરણ કેન્દ્રની સમાજમાં ભૂમિકા અંગે ઉપસ્થિતોને વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડયુ હતું. આગામી દિવસોમાં આ મધ્યસ્થીકરણ કેન્દ્રના માધ્યમથી ન્યાય વંચિતોને ન્યાય મળી રહેશે, એવો સૂર પણ આ વેળા વક્તાઓએ રજુ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ન્યાયાલયના ઉચ્ચ-વરિષ્ઠ ન્યાયાધિશો, કાયદાશાષાીઓ સહિત જિલ્લા પોલીસ અધિક્ષક નિપૂણા તોરવણે તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ વગેરેએ ઉપસ્થિત રહી, તેમની ભૂમિકા અદા કરી હતી.
ઉમરગામના પ્રશાંત સેલાર ગુમ થયા :
વલસાડઃ વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આવેલ રોહીદાસ નગર, વિશ્વકર્મા મંદિરની પાસે, મુ.પો.તા.ઉમરગામ, જિ.વલસાડ ખાતે રહેતા ર૨ વર્ષિય પ્રશાંત સુનિલભાઇ સેલાર ગત તા.૧૦મી ફેબ્રુઆરી, ર૦૧૩નાં રોજથી ગુમ થયા છે. વલસાડના નાયબ પોલીસ અધિક્ષક તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર પ્રશાંત સેલાર તા.૧૦/ર/ર૦૧૩નાં રોજ સવારના ૧૦:૩૦ વાગ્યાના સુમારે ઘરેથી કોઇક અગમ્ય કારણોસર કોઇને પણ-કંઇ પણ કહ્યા વિના ચાલી જતા ગુમ થયા છે, તે આજદિન સુધી પરત ફરેલ નથી. ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘંઉવર્ણ, ઊંચાઇ ૫ ફૂટ-ર ઇંચ જેટલી છે. મોઢુ લંબગોળ અને માથે કાળા વાળ છે. ગુમ થનારે બ્રાઉન કલરનો લાંબી બાયનો શર્ટ તથા બ્લૂ કલરનુ પેન્ટ પહેરેલ હતુ. પ્રશાંત સેલાર ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. આ વર્ણનવાળા યુવકની ભાળ કે પત્તો મળે તો ઉમરગામ પોલીસ સ્ટેશનના ફોન નંબર : ૦૨૬૦-૨૫૬૨૩૩૩ તથા ૨૫૬૧૨૫૫ ઉપર જાણ કરવા જણાવાયુ છે.
નવચેતન ધોડિયા સમાજ દ્વારા ઉજવાશે
ડૉ.આંબેડકર જન્મજયંતિ :
વલસાડઃ વલસાડના અટકપારડી ખાતે આવેલા શ્રી નવચેતન ધોડિયા સમાજ દ્વારા તા.૧૪/૪/ર૦૧૩નાં રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડૉ.બાબાસાહેબના શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો એ પ્રેરણા-સંદેશને ધોડિયા સમાજમાં વહેતો કરવા તથા તેમનું ઋણ સ્વીકાર કરવાના આશયથી તા.૧૪/૪/ર૦૧૩નાં રોજ સવારે ૧૦ વાગ્યે અટકપારડી ખાતે આવેલા સમાજના સાંસ્કૃતિક ભવન ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વક્તા તરીકે વનવાસી વિકાસ પરિષદ સંચાલિત, ઉત્તર બુનિયાદી વિદ્યાલય, સિદુમ્બરના આચાર્ય શ્રી ગુલાબભાઇ પટેલ દ્વારા મનનીય પ્રવચન આપવામાં આવશે. આ કાર્યક્રમની સાથે સાથે ધોડિયા સમાજના યુવક/યુવતિઓના ઘડતર માટે રોજગારલક્ષી શિક્ષણ અને માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરાયું છે. જેમાં નિષ્ણાંત વક્તાઓની વ્યાખ્યાનમાળાના માધ્યમથી યુવક/યુવતિઓને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પડાશે. આ કાર્યક્રમનો સમસ્ત ધોડિયા સમાજના જરૂરિયાતમંદોને મોટી સંખ્યામાં લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
વલસાડના ટુ વ્હીલર વાહનધારકોને પસંદગીનો નંબર મેળવવાની તક :
વલસાડઃ વલસાડ જિલ્લાના ટુ વ્હીલર (દ્વિચક્રી વાહનો)માં નવી સીરીઝ .. શરૂ થઇ રહી છે. જેમાં રજીસ્ટ્રેશન માર્ક ચાલુ કરાનાર હોઇ, વલસાડ જિલ્લાના પોતાના દ્વિચક્રી વાહનોમાં પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનધારકોએ આ સીરીઝ શરૂ થાય તે અગાઉ રજીસ્ટ્રેશન ફી, ફોર્મ નંબર-ર૦ સહિત જરૂરી દસ્તાવેજો સાથે બંધ કવરમાં, નિયત નમૂનામાં અરજી કરવા માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવાયું છે. પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી પટેલ તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર .. સીરીઝમાં રજીસ્ટ્રેશન નંબર મેળવવા ઇચ્છતા વાહનધારકોએ તેમની પસંદગીનો નંબર, વાહનના ચેસીસ નંબર અને એન્જિન નંબર, પસંદગીના નંબર માટેની રકમ વગેરે સ્પષ્ટ દર્શાવવી. તા.૧રમી એપ્રિલ, ર૦૧૩નાં રોજ બપોરે ૧રઃ૩૦ વાગે આ સીરીઝમાં નંબરોની ફાળવણીની કાર્યવાહી શરૂ કરાશે. જે અરજદારોની વધુ રકમની ઑફર હશે, તેમને તેમની પસંદગીનો નંબર ફાળવવામાં આવશે. આ કાર્યવાહીમાં વાહન ખરીદ કર્યાના ૩૦ દિવસનો સમય પુરો થઇ ગયો હશે, તેવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની નોંધ લેવા તથા આ અંગેની વધુ માહિતી તથા માર્ગદર્શન માટે આર.ટી.ઓ. કચેરીનો સંપર્ક સાધવા પણ વધુમાં જણાવાયું છે.
ડાંગઃ
શિક્ષિત બેરોજગાર અનુસૂચિત જન જાતિના ઉમેદવારો માટે અરજીઓ માંગવામાં આવી
ડાંગઃ ડાંગ જિલ્લા બારખાંધ્યા અને જામનવિહિર ગામો ખાતે નવી સરકાર માન્ય વ્યાજબીભાવની દુકાન ખોલવા માટે શિક્ષિત બેરોજગાર અનુસૂચિત જન જાતિ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળવાના કારણે બંધ થયેલ વ્યાજબી ભાવની દુકાન શરૂ કરવા માટે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવી છે.
જો છેવટનો નિર્ણય દુકાનો ન ખોલવા માટેનો લેવાય તો અરજીઓ રદ થવાને પાત્ર રહશે. ગામની સામે જણાવેલ કેટેગરી મુજબના સ્થાનીક શિક્ષિત બેરોજગાર ઉમેદવારોને વ્યાજબી ભાવની દુકાનની ફાળવણી કરવાની હોવાથી તેજ ગામના ફકત સ્થાનિક શિક્ષિત બેરોજગારોએ અરજી કરવી. જે કેટેગરીની જાહેરાત હશે તે કેટેગરીને જ દુકાન મંજુર કરવામાં આવશે. નિયત નમુનામાં કોરા અરજી પત્રકો જેતે તાલુકાની મામલતદાર કચેરી માથી વિના મુલ્યે અરજી પત્રકો કામ કાજના કલાક દરમિયાન તા.૨૪/૦૪/૨૦૧૩ સુધીમાં જાહેર રજાના દિવસો શિવાય સંબધિત મામલતદાર કચેરી માંથી મેળવી તથા ભરી સંપુર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરેલા અરજી પત્રો એજ કચેરીમાં પંહોચાડવાના રહશે. અરજી પત્રક ઉપર રૂા.૨૦ ની કિંમતનો નોન જયુડીશ્યલ એડહેવીસ સ્ટેમ્પ લગાવવાનો રહશે. મુદત બહાર તેમજ અધુરી વિગતે રજુ થયેલ અરજીઓ રદ બાતલ ગણવામાં આવશે.
શરૂ થનાર તમામ વ્યાજબીભાવની દુકાનની સંચાલકે ફરજીયાત પણે વ્યાજબી ભાવની દુકાન એફ.પી.એસ. મોડલ સેન્ટર તરીકે શરૂ કરવાની રહશે. અને દુકાને ઇલેકટ્રોનિક વજનકાટો પણ ફરજીયાત વસાવવાના રહશે.
ડાંગ જિલ્લા આયોજન સમિતિની બેઠક ૨૦મી એપ્રિલે યોજાશે
ડાંગઃ જિલ્લા આયોજન મંડળ ડાંગની બેઠક શ્રી ગણપતભાઇ વસાવા માન. અધ્યક્ષશ્રી જિલ્લા અયોજન મંડળ, ડાંગ અને માન. પ્રભારી મંત્રીશ્રીના અધ્યક્ષપણા હેઠળ તેમજ માન. શ્રી નાનુભાઇ વાનાણી, સહપ્રભારી, ડાંગ અને માન. મંત્રીશ્રી (રાજય કક્ષા) પાણી પુરવઠા અને જળ સંપતિની ઉપસ્થિતિમાં તા.૨૦/૦૪/૨૦૧૩ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવનાર છે, તો જરુરી વિગતો સાથે ડાંગ જિલ્લાના તમામ અધિકારીઓ, સદસ્યશ્રીઓને જાતે હાજર રહેવા જિલ્લા અયોજન અધિકારીશ્રી, ડાંગ આહવાની અખબારી યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો