અનુયાયીઓ

મંગળવાર, 30 ઑગસ્ટ, 2011

જેતપુરમાંથી રૂપિયા છ લાખ રોકડ ભરેલો થેલો ઉઠાવી જતા ગઠીયા.

જેતપુર ના જુનાગઢ રોડ પર આવેલ આકાશ ઈ નામના સાદી કારખાનાનો મહેતાજી સુનીલ આજે શાજેર ની જુદી જુદી બંકો માંથી રૂપિયા ૬ લાખ ઉપાડી પોતાના સેઠ કવાભાઇ વેકરીયા પાસે જતો હતો.પણ રસ્તામાં ગીતા ટાઈપ માં જેરોક્ષ કરવા ઉભો રહ્યો હતો. આવા સમયે તેમના બાઈક માં પંક્ચર પડી જતા તે બીજું બાઈક મંગાવવા મોબાઈલ કરી રહ્યો હતો. બીજી બાજુ જેરોક્ષ અને બાઈક માં વ્યસ્ત સુનીલે પોતાની PASENO થેલો બાજુના ટેબલ ઉપર મૂકી અન્ય કામમાં ચોંટ્યો હતો.
આવા સમય નો લાગ જોઈ કોઈ ગઠીયા સુનીલ ની નઝર ચૂકવી થેલો ઉપાડી જતા સુનીલે રાડા રાડ કરી મૂકી હતી પણ ત્યાં સુધીમાં ગઠીયા હવામાં ઓગળી ગયા હતા. પોલીસે પણ રાબેતા મુજબ ગઠિયાઓ પાછળ દોટ મૂકી હતી પણ પોલીસ ફાવી નહોતી. જેતપુરમાં કાયદો અને વ્યવસ્થા જેવું કઈ લાગ્તુજ નથી. અહી રોજ સવાર પડેને કોઈના ગળા હળવા થાય છે તો કોઈના ખિસ્સા ફોરા કરી ગઠીયા છું થઈ જાય છે. કોઈ ઘટનાનો ભેદ આજની તારીખ સુધી ઉકેલાયો હોય તેવો દાખલો નથી. શહેર કોંગ્રેસ પ્રમુખ હરસુખભાઈ આંબલીયા એ યુવા પત્રકાર કશ્યપ જોશી ને જણાવેલ કે આ બાબતે તેઓ રાજકોટ જીલ્લા પોલીસ વડાને રજૂઆત કરનાર છે. આ બાબતે જે જોય તે પણ કવાભાઇ વેકરીયાના રૂપિયા ૬ લાખ ની તફડંચી થઈ ગઈ તે હકીકત છે. પોલીસે બનાવની ફરિયાદ લઈને રાબેતા મુજબની કામગીરી હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી: