અનુયાયીઓ

ગુરુવાર, 15 નવેમ્બર, 2018

લીલી પરિક્રમાભજન-ભોજન અને ભક્તિનો જામશે ત્રિવેણી સંગમ


રાવટીઓ ગોઠવાવા લાગી, 100થી વધુ અન્નક્ષેત્રો: સાધુ-સંતો અને ભાવિકોનું આગમન શરૂ : બે દી’ વહેલી પરિક્રમા શરૂ થવાની શક્યતા
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો આગામી તા.19ને સોમવારથી વિધિવત્ પ્રારંભ થઇ રહ્યો છે. પાંચ દિવસ પ્રકૃતિના ખોળે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે અને 100થી વધુ અન્નક્ષેત્રો ઉભા થવા લાગ્યા છે. જો કે અપૂરતા વરસાદને કારણે પીવાના પાણી મુદ્દે તંત્રની કસોટી થશે. 
 
લીલી પરિક્રમા પ્રારંભનો કોઇ ચોક્કસ ઇતિહાસ નથી પણ 1938માં બગડુના અજાભગતે દસ સભ્યોના સમૂહ સાથે પરિક્રમા કરી હતી. આ અગાઉ સાધુ- સંતો પરિક્રમા કરતા હતા. સમય જતા સંસારીઓ જોડાવા લાગ્યા અને આજે પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટે છે. દેવઉઠી અગિયારસ એટલે કે દેવદિવાળીની મધરાતે ભવનાથમાં આવેલી દૂધેશ્વર
જગ્યા ખાતેથી વિધિવત્ પરિક્રમાનો પ્રારંભ થાય છે. આ સંઘ હરહર મહાદેવ, જય ગિરનારીના નાદ વચ્ચે જીણા બાવાની મઢી તરફ આગળ વધીને બપોરે ત્યાં પ્રથમ પડાવ કરે છે.
બીજા દિવસે પરિક્રમાર્થીઓ માળવેલા તરફ આગળ વધે છે. માળવેલા પરિક્રમાનો મધ્યાંતર ભાગ છે. વિશાળ ગ્રાઉન્ડ અને ઘનઘોર જંગલમાં ભજન, ભોજન અને ભક્તિના સથવારે પરિક્રમાનો બીજો પડાવ કરે છે.
ત્રીજા દિવસે માળવેલામાં પડાવ કરનારા પરિક્રમાની કસ્ટદાયક નળ પાણીની ઘોડી પસાર કરી બોરદેવી પહોંચે છે. ત્યાં ત્રીજો પડાવ કરે છે અને સવારે ભવનાથ તરફ પરત ફરી પુણ્યનું ભાથું બાંધ્યાનો સંતોષ માને છે.
પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો જતા હોવાથી હજારો ભાવિકોને ગિરદી અને ગંદકીથી બચવા બે દિવસ વહેલી પરિક્રમા શરૂ કરી દે છે. આ વર્ષે પણ બે દિવસ વહેલી પરિક્રમા શરૂ થાય તેમ જણાય છે.
ભાવિકોની ભીડને ધ્યાને લઇ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગો દ્વારા પોત પોતાની કામગીરી પૂરી કરી દેવાઈ છે. વનતંત્રએ રસ્તાઓ રીપેર કરી લીધા છે અને વન્ય પ્રાણીઓ પરિક્રમાર્થીઓને ખલેલ ન પહોંચાડે તે માટે વ્યવસ્થા ગોઠવી દીધી છે. ટ્રેકર ટીમો ઉપરાંત 150થી વધુ વન અધિકારીઓ અને કર્મચારીઓ પાંચ દિવસ ખડેપગે રહેશે.

પરિક્રમાર્થીઓ પ્લાસ્ટિક જંગલમાં ફેંકી પ્રદૂષણ ફેલાવે છે તે અટકાવવા માટે વનતંત્ર દ્વારા પ્રયાસો કરાયા છે. જૂનાગઢની પ્રકૃતિ મિત્ર સંસ્થા સતત પાંચમા વર્ષે પણ ભાવિકો પાસેથી પ્લાસ્ટિક બેગ એકત્ર કરી કપડાની થેલીનું વિતરણ કરનાર છે. આ સંસ્થાના કાર્યકરો પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ ચલાવશે.

ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે ગિરનારમાં કુદરતી પાણીનાં સ્રોત સુકાયેલા હોવાથી તંત્ર દ્વારા ભાવિકો માટે પાણીના 50 ટાંકા મૂકવામાં આવશે પરંતુ ભાવિકોની સંખ્યાનાં પ્રમાણમાં પર્યાપ્ત નથી તેથી પીવાનાં પાણી મુદ્દે તંત્રની કસોટી થશે.

પરિક્રમામાં ભાવિકોની વ્હારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો, પાણીનાં પરબો, ચા- પાણીનાં પરબો ઠેર ઠેર શરૂ કરાયાં છે. આ વર્ષે પાણીનાં પરબો ચલાવનારાઓ માટે પાણી મેળવવાનો પડકાર છે તેમ છતાં જંગલમાં આવેલા કૂવા- બોર દ્વારા પાણી મેળવવા તૈયારીઓ આરંભી છે.
વિધિવત્ પરિક્રમા પ્રારંભ આડે હજુ ત્રણ દિવસ બાકી છે. ત્યાં સાધુ- સંતો, ભાવિકોનો પ્રવાહ શરૂ થયો છે. ભવનાથ તળેટીમાં સેંકડો ભાવિકોએ પડાવ કર્યો છે. આ ભાવિકો આવતીકાલથી પરિક્રમા શરૂ કરે તેમ જણાય છે. વનતંત્ર જંગલમાં પ્રવેશની છૂટ આપે તેની રાહ જોઇ રહ્યા છે.ત્રણ ટ્રેનો અને 140 એસ.ટી. બસો દોડાવાશે
 
ગિરનાર પરિક્રમામાં ભાવિકોની ભીડને ધ્યાને લઇ ત્રણ વધારાની ટ્રેનો તેમજ ત્રણ ટ્રેનોમાં વધારે કોચ લગાડાશે તેમજ જૂનાગઢ એસ.ટી. ડિવિઝન દ્વારા 140 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જૂનાગઢથી ભવનાથ વચ્ચે 40 મિનિ બસો તા.17થી શરૂ કરાશે.

ભાવનગર રેલવે ડિવિઝનના વાણિજ્ય પ્રબંધક માશુદ અહમદએ જણાવ્યું કે, પરિક્રમા અંતર્ગત રેલતંત્ર દ્વારા જૂનાગઢ-સત્તાધાર, રાજકોટ, જૂનાગઢ અને સોમનાથ-જૂનાગઢ વચ્ચે ખાસ ટ્રેનો શરૂ કરાશે. ઉપરાંત વેરાવળ-અમદાવાદ ટ્રેનમાં ત્રણ કોચ તથા અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં ચાર અને સોમનાથ-રાજકોટમાં વધારાના ચાર-ચાર કોચ જોડાશે.

જયારે જૂનાગઢ એસ.ટી. ડિવિઝન દ્વારા પરિક્રમા અંતર્ગત આગામી તા.17થી જૂનાગઢ-ભવનાથ વચ્ચે 40 મિનિ બસો શરૂ થશે. ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોને જોડતી 40 મિનિ બસો તથા 250 રેગ્યુલર બસો અને વધારાની એકસો બસો દોડાવાશે તેમ વિભાગીય નિયામક આર.એસ.વાળાએ જણાવ્યું' હતું.

રાજકોટમાં બોરડી સમઢિયાળાનો શખસ પિસ્તોલ સાથે પકડાયો


સપ્લાયર તાલાલાના સીદીબાદશાહની શોધખોળ


જેતપુરના બોરડી સમઢિયાળા ગામે રહેતો અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલો કલ્પેશ ઉર્ફે ભોડી વજુ વોરા નામના પટેલ શખસ રાજકોટમાં ગેરકાયદેસર પિસ્તોલ સાથે ફરતો હોવાની એસઓજીને મળેલી બાતમીના આધારે પીડીએમ કોલેજ પાસેથી કલ્પેશ ઉર્ફે ભોડી વજુ વોરા નામના પટેલ શખસને ઝડપી લીધો હતો અને તલાશી લેતા તેની પાસેથી રૂ.10 હજારની કિંમતની પિસ્તોલ અને એક કાર્ટીસ મળી આવતા કબજે કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં કલ્પેશ પટેલ અગાઉ જેતપુરમાં મારામારી અને દારૂના ગુનામાં પકડાઇ ચૂકયો છે અને આ હથિયાર તાલાલાના સીદી બાદશાહ પાસેથી ખરીદ્યાની કબૂલાત આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી



રાજકોટ તા.૧૫
તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીના બાળકો સંગ દીપાવલીની ઉજવણી કરવામાં આવેલ. જેમાં મેંગોપીપલ પરીવાર દ્વારા કાર્યરત ઝુપડપટ્ટી ના ફ્રી એજ્યુકેશન ક્લાસ ના દરેક બાળક ને મિસ્ટાન નું બોક્સ. ફરસાણ અને ફટાકડા નું વિતરણ કરવામાં આવેલ. મેંગોપીપલ પરીવાર ના ઝુપ્પડપટ્ટી ના ફ્રી એજ્યુકેશન ક્લાસ રાજકોટ અને જામનગર ના અંદાજે ૩૦૦ થી વધુ બાળકો ને આ દીપાવલી ના પાવન પર્વ  પર નિમિતે બધી વસ્તુ નું વિતરણ કરવા માં આવેલ.

સંસ્થા પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ જણાવે છે કે " આપડે સહુ આવા શુભ દિવસો માં ઘેર મીઠાઈ કાજુકતરી ,પેંડા લાવીએ છીએ ,પણ ઝુપડપટ્ટીનું બાળક ને તમે જયારે મીઠાઈનું બોક્સ અને કાજુકતરી આપશો તો તે મીઠાઈ ની મીઠાશ ખુબ વધી જશે."



આ સતકર્મ ને સાર્થક કરવા માટે શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રૂપલબેન રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઈ રાઠોડ, પૂર્વીબેન કવા, નિલેશભાઈ જોશી. દીપાબેન વઘાસિયા, સોનલબેન વિરાણી, રસ્મિબેન સગપરિયા, રચનાબેન ત્રિવેદી, દિવ્યાબેન, મનીષાબેન, શિલ્પાબેન અમલાની, ઉષાબેન રાવત, સોનાલી પાવભાજી, પ્રીતિ એનેક્સ તથા જયેશભાઇ અનડકટ એ સુંદર જહેમત ઉઠાવેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો માટે છેલ્લા ૪ વર્ષથી  સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર ની ઝુપડપટ્ટી માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. વધુ માહિતી માટે સંસ્થા પ્રમુખ મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮/૯૨૨૭૦૦૭૭૮૬) નો સંપર્ક કરવો.

મંગળવાર, 13 નવેમ્બર, 2018

સાસુ-વહુ ટીવી જોવામાં મશગુલ હતા ત્યારે જ કોટડા સાંગાણીના ભાડવા ગામે મકાનમાં પ્રવેશેલા તસ્કરો રૂ.૬૩ હજારનો મુદ્દામાલ ચોરી ગયા : ફરિયાદ

ઘરધણી શેવિંગ કરાવવા ગયા ને રાત્રીના ૧૧-૩૦
વાગ્યામાં જ તસ્કરો ત્રાટક્યા : જાણભેદુની આશંકા

રાજકોટ તા.૧૩

કોટડાસાંગાણી તાલુકાના ભાડવા ગામે આજથી ૬ દિવસ પહેલા રાત્રીના ૧૧-૩૦ વાગ્યા સુધીમજ ઘરમાં પ્રવેશેલા તસ્કરો રોકડ, સોનાના દાગીના સહીત રૂ.૬૩ હજારના મુદ્દામાલની ચોરી કરી ગયાની ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આટલી વહેલી રાત્રીના જ ચોરી થઇ તે મુદ્દાને ધ્યાને લઈને પોલીસે કોઈ જાણભેદુ હોવાની શંકાને આધારે તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ કોટડા સાંગાણી તાલુકાના ભાડવા ગામે રહેતા અને દરજીનું કામકાજ કરતા અલ્પેશભાઈ લીધાધરભાઈ પરમાર ગઈ તા.૭-૧૧-૨૦૧૮ ના રોજ રાત્રીના ગામની દુકાને સેવિંગ(દાઢી) કરાવવા ગયા હતા. ત્યારે તેમના ઘરે તેમના માતા તથા પત્ની ટીવી જોવામાં મશગુલ બન્યા હતા.

આ સમયનો મોકો જોઇને કોઈ નિશાચરો અલ્પેશભાઈના મકાનમાં પ્રવેશી, ઘરના કબાટના તાળા તોડી તેમાંથી રોકડ રૂપિયા ૩ હજાર તેમજ રૂપિયા ૬૦ હજારના સોનાના પાટલા ૨ જોડી,એક ચેન અને એક દાણો મળી કુલ રૂપિયા ૬૩ હજારની મત્તા ઉસેડી ગયા હતા.

બનાવ બાબતે અલ્પેશભાઈએ જણાવેલ કે, બનાવની જાણ તો ચોરી થયાના દિવસે જ પોલીસને કરાતા પોલીસ આવી હતી. પણ ગુનો, ફરિયાદ ગઈકાલે નોંધાઈ છે. પોલીસે રાત્રીના આટલી વહેલી થયેલી ચોરી બાબતે જાણભેદુ હોવાની આશંકાએ તપાસ હાથ ધરી છે. 

હરેશના આગામી ૨૭ નવેમ્બરે લગ્ન થવાના હતા ના પસંદ યુવતી સાથે લગ્નનું નક્કી થતા પડધરીના યુવાને ગળાફાંસો ખાધો

પરિવારજનોમાં શોક : લત્તાવાસીઓમાં અરેરાટી :
પડધરી પોલીસની તપાસ શરુ

રાજકોટ તા.૧૩
પડધરીમાં ગઈકાલે એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીંદગી ટૂંકાવી લીધાની ઘટનાથી પરિવારજનો શોકમાં ગરક બન્યા છે તે લત્તાવાસીઓમાં અરેરાટી ફેલાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, ના પસંદ યુવતી સાથે લગ્નનું નક્કી થતા,લાગી આવતા યુવાને આવું પગલું ભરી લીધું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જીલ્લાના પડધરી શહેરમાં ગીતાનગરમાં રહેતા હરેશ કરણાભાઈ કંટોલિયા (ઉ.૨૨)એ ગઈકાલે બપોરના પોતાના ઘરે ગળાફાંસો ખાઈ મોત મીઠું કરી લેતા કંટોલિયા  પરિવારજનોમાં શોક ફેલાયો છે.

બનાવની જાણ થતા પડધરી પોલીસના હેડ કોન્સ્ટેબલ ફિરોઝભાઈ બલોચ ઘટના સ્થળે દોડી જઈને મૃતક હરેશની લાશને પીએમ માટે દવાખાને ખસેડી હતી. ફિરોઝભાઈના જણાવ્યા અનુસાર તેમની પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલવા પામી હતી કે, હરેશના આગામી ૨૭ નવેમ્બરના રોજ લગ્ન યોજવાના હતા.

પણ જ્યારથી લગ્ન નક્કી થયા ત્યારથી હરેશ મનમાં ને મનમાં મુંઝાતો હતો અને એક તબ્બકે તેમને યુવતી ના ગમતી હોવાની વાત દોહરાવવા પ્રયાસ કરતો હતો. પણ પરિવારજનોને મન ખોલીને વાત કરવાને બદલે આ વાતને કારણેજ તેમણે ગઈકાલે ગળાફાંસો ખાઈ જીવ દઈ દીધો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. વધુ વિગતો પરિવારજનોના વિધિવત નિવેદનો લીધા બાદ બહાર આવશે. બનાવથી મૃતકના પરિવારજનોમાં શોક અને ગીતાનગર વાસીઓમાં અરેરાટી ફેલાઈ છે.


જેતપુરમાં દેસાઈવાડી અવેડા ચોકમા મિત્રોએ સ્વછતા અભિયાન હાથ ધર્યું !

તંત્રના બહેરા કાને ફરિયાદ ના સંભળાઈ ને લત્તાવાસીઓએ
જાત મહેનત જિંદાબાદ સુત્ર સાર્થક કર્યું


જેતપુરમાં દેસાઈ વાડીમા આવેલ અવેડા ચોકમા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું હતું. આજુબાજુના વિસ્તારમા રહેતા રહીશોએ અનેકવાર નગરપાલિકાને જાણ કરેલ છતા આજ સુધી કોઈ સફાઈ કરવા ના ફરકતા અહી ગંદકીએ માઝા મૂકી હતી. મચ્છરોના ઉપદ્રવે આજુબાજુના લત્તાવાસીઓને ઘેરી લીધા હતા. ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલાજ દેસાઈવાડીના રહીશોએ


"ઝાઝા હાથ રળિયામણા"  અને "આપમુઆ વગર સ્વર્ગે ના જવાય"  તેવી કહેવતો સાર્થક કરી, સાવરણા ઉપાડી, વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના સૂત્ર "સ્વછતા અભિયાન"ને સાર્થક કરવા લત્તાવાસીઓએ આખો ચોક સાફ કરી, કચરો ભેગો કરી નિકાલ કર્યો હતો.. લાત્તાવાસીઓનો આક્ષેપ હતો કે અનેક વખતની રજૂઆત પછી પણ જેતપુર પાલિકાના બહેરા તંત્રના કાને અથડાઈને પાછી ફરતી તેઓની ફરિયાદ પરત્વે કોઈ ધ્યાન નહિ અપાતા "જાત મહેનત ઝીંદાબાદ" સુત્ર સાર્થક કરવામાં આવ્યું હતું. ટૂંકમાં સફાઈ બાબતે જેતપુર શહેરમાં હજુ ઘણી જગ્યાએ તંત્રની બેદરકારી બહાર આવી રહી છે. સંબંધિત તંત્ર તાકીદે આખા શેરમાં આંટો મારી જ્યાં જ્યાં ગંદકીના થર જમ્યા હોય તે દુર કરે તે જરૂરી છેઈ.

સોમવાર, 12 નવેમ્બર, 2018

જૂનાગઢમાં બે ભાઈઓ પર ત્રણ શખ્શોનો તલવાર-લાકડીથી હુમલો



રાજકોટ તા.૧૨
તા.-૧૧ ની રાત્રીએ જૂનાગઢમાં બે ભાઈઓ પર ત્રણ શખ્શોએ લાકડી અને તલવાર વડે હુમલો કરતા સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.

મળતી વિગતો મુજબ જૂનાગઢમાં ઉપરકોટ રોડ, દેલવાડા પાછળ રહેતા પીયુષ ભરત સાકરિયા(..૨૮) અને તેમના ભાઈ ભવેશ ભરત સાકરીયા(..૨૪) એમ બંને પર કોઈ કારણોસર રાજેશ બાબુ અને અન્ય બે અજાણ્યા મળી કુલ ત્રણ શખ્શોએ લાકડી અને તલવાર વડે હુમલો કરતા બંને ભાઈઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા. પ્રનગર પોલીસે ધોરણસરના કાગળો કરી સંબંધિત પોલીસને મોકલવા તજવીજ હાથ ધરી હતી.

દેવગામના પાટિયા પાસે ટ્રક હડફેટે રાજકોટના વૃદ્ધનું સારવારમાં મોત



દેવગામના પાટિયા પાસે ટ્રક હડફેટે
રાજકોટના વૃદ્ધનું સારવારમાં મોત

રાજકોટ તા.૧૨
દેવગામના પાટિયા પાસે ગત તા.૨૨--૧૮ ના રોજ એક અજાણ્યા ટ્રકની હડફેટે ચડી ગયેલા રાજકોટના વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયાનું પ્રદ્યુમનનગર પોલીસમાં નોંધાયું છે.

મળતી વિગતો મુજબ રાજકોટ શહેરમાં રામધણ પાછળ,શ્રીનાથજી સોસાયટી, શેરી-૪, વૃંદાવન પાર્કમાં રહેતા ભીમાભાઇ ડાયાભાઈ મેનપરા નામના ૬૧ વર્ષના પટેલ વૃદ્ધ ગઈ તા.૨૨-૯ ના રોજ અઢી વાગ્યાની આસપાસ પોતાનું બાઈક લઈને જતા હતા ત્યારે દેવગામના પાટિયા પાસે એક અજાણ્યા ટ્રકે તેમને હડફેટે લઇ માથામાં ગંભીર ઈજાઓ પહોચાડતા ખાનગી હોસ્પીટલમાં સારવાર લઈને ઘરે જતા રહેલ. જ્યાં પાછી તબિયત બગડતા સારવાર રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડતા ત્યાં સારવાર દરમિયાન ભીમાભાઇનું મૃત્યુ થયું હતું. પ્ર.નગર પોલીસે જરૂરી કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

કુંકાવાવના નાજાપુરની કિશોરીનું ભૂલથી સાબુવાળું પાણી પી જતા સારવારમાં મોત




રાજકોટ તા.૧૨
અમરેલી જીલ્લાના,કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામની એક ૧૭ વર્ષની કિશોરીનું સાબુવાળું પાણી પી ગયા બાદ સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું.

મળતી વિગતો મુજબ કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામની હેતલબેન ગોરધનભાઈ ગોહિલ (ઉ..૧૭) પોતાના ઘરે અગમ્યો કારણોસર, ભૂલથી સાબુવાળું પાણી પી જતા તેણીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થતા હોસ્પિટલ પોલીસ ચોકી સુત્રોએ કાગળો કરી સંબંધિત પોલીસને રવાના કરવા તજવીજ હાથ ધરી છે.

જેતપુરમાં પર પહેલીવાર સુન્ની કોન્ફરન્સ યોજાઈ



જેતપુરમાં પર પહેલીવાર સુન્ની કોન્ફરન્સ યોજાઈ

જેતપુર શહેરમાં પહેલી વખત મોહદ્દીસે આઝમ મિશન જેતપુર બ્રાન્ચ દ્વારા ગઈ તારીખ ૭/૧૧/૨૦૧૮ ને બુધવારે રાત્રે ઈશાની નમાઝ બાદ ૧૦ વાગે આસ્તાના એ સરકાર યાશીન શાહ કાદરી તકીયામાં નાના ચૌક ખાતે સુન્ની કોન્ફરન્સ  નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં. આબરૂ એ અહેલે સુન્નત, તાજદારે મુલ્કે ખીતાબત, શહઝાદા એ મખ્દુમુલ મીલ્લત, હુજુર ગાજીએ મીલ્લત, પીરે તરીકત અલ્હાજ સૈયદ મોહંમ્મદ હાશમિ મીંયા સાહબ કીછૌછા શરીફથી તશરીફ લાવેલ હતા.

અને તેમના રૂહાની અંદાજ માં બયાન ફરમાવી લોકો ને સુન્નીઅતનું પૈગામ આપ્યું હતું.
        આ તકે સાથે, ઝેરે સદારત ગુલામ ગૌષ અલ્વી સાહેબ ધોરાજી, ઝેરે સરપરસ્તી પીરે તરીકત સૈયદ હાજી તાહેર મીંયા બાપુ અશરફી જેતપુર, ઝેરે કયાદત સૈયદ દાદા બાપુ કાદરી જેતપુર,ઝેરે સિયાદત સૈયદ ઈરફાન બાપુ કાદરી અશરફી ઉપલેટા, ઝેરે હીમાયત સૈયદ આશીફ બાપુ અશરફી જેતપુર, ઝીનતે જશ્ન સૈયદ અહમદ શાહ બાવા ધોરાજી, ઝેરે નીઝામત સૈયદ રફીક બાપુ અશરફી જેતપુર થી તશરીફ લાવ્યા હતા. મુસ્લિમ બિરાદરો આ વરસવા વારી રહેમતની વરસાદમાં સામેલ થઈ સવાબે દારૈન હાંસીલ કરી રહેમતનાં ફુલનીછાવર કરેલ હતા, જેતપુર સિવાય ધોરાજી, જુનાગઢ, તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર માંથી માનવ મહેરામણ ઊમટી પડ્યા હતા.
        કાર્યક્રમની  શરુઆત કુરાન શરીફની તીલાવતથી કરવામાં આવી હતી. ત્યાર બાદ નાઅત શરીફ અને ઓલ્માઓનાં બયાન બાદ હઝરત નું બયાન રાખવામાં આવ્યું હતું, અહી ઉપસ્થિત લોકો માટે ચ્હા, પાણી, નાસ્તો, અને લંગર પણ તકસીમ કરવામાં આવ્યું હતું, આ પ્રોગ્રામ ને સફળ બનાવવા માટે અશરફી યંગ ગ્રુપ, તકીયા ગ્રુપ, અને જેતપુર વાસીઓ એ જહેમત ઉઠાવી પ્રોગ્રામ ને સફળ બનાવ્યું હતું. તેવું મોહદ્દીસે આઝમ મિશન જેતપુર નાં સૈયદ હાજી તાહેર મીંયા બાપુ અશરફીએ જણાવ્યું હતું