અનુયાયીઓ

સોમવાર, 12 નવેમ્બર, 2018

કુંકાવાવના નાજાપુરની કિશોરીનું ભૂલથી સાબુવાળું પાણી પી જતા સારવારમાં મોત




રાજકોટ તા.૧૨
અમરેલી જીલ્લાના,કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામની એક ૧૭ વર્ષની કિશોરીનું સાબુવાળું પાણી પી ગયા બાદ સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પીટલમાં મૃત્યુ થયું હતું.

મળતી વિગતો મુજબ કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામની હેતલબેન ગોરધનભાઈ ગોહિલ (ઉ..૧૭) પોતાના ઘરે અગમ્યો કારણોસર, ભૂલથી સાબુવાળું પાણી પી જતા તેણીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત થતા હોસ્પિટલ પોલીસ ચોકી સુત્રોએ કાગળો કરી સંબંધિત પોલીસને રવાના કરવા તજવીજ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી: