તંત્રના બહેરા કાને ફરિયાદ ના સંભળાઈ ને લત્તાવાસીઓએ
જાત મહેનત જિંદાબાદ સુત્ર સાર્થક કર્યું
જેતપુરમાં દેસાઈ વાડીમા આવેલ અવેડા ચોકમા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું હતું. આજુબાજુના વિસ્તારમા રહેતા રહીશોએ અનેકવાર નગરપાલિકાને જાણ કરેલ છતા આજ સુધી કોઈ સફાઈ કરવા ના ફરકતા અહી ગંદકીએ માઝા મૂકી હતી. મચ્છરોના ઉપદ્રવે આજુબાજુના લત્તાવાસીઓને ઘેરી લીધા હતા. ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલાજ દેસાઈવાડીના રહીશોએ
"ઝાઝા હાથ રળિયામણા" અને "આપમુઆ વગર સ્વર્ગે ના જવાય" તેવી કહેવતો સાર્થક કરી, સાવરણા ઉપાડી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર "સ્વછતા અભિયાન"ને સાર્થક કરવા લત્તાવાસીઓએ આખો ચોક સાફ કરી, કચરો ભેગો કરી નિકાલ કર્યો હતો.. લાત્તાવાસીઓનો આક્ષેપ હતો કે અનેક વખતની રજૂઆત પછી પણ જેતપુર પાલિકાના બહેરા તંત્રના કાને અથડાઈને પાછી ફરતી તેઓની ફરિયાદ પરત્વે કોઈ ધ્યાન નહિ અપાતા "જાત મહેનત ઝીંદાબાદ" સુત્ર સાર્થક કરવામાં આવ્યું હતું. ટૂંકમાં સફાઈ બાબતે જેતપુર શહેરમાં હજુ ઘણી જગ્યાએ તંત્રની બેદરકારી બહાર આવી રહી છે. સંબંધિત તંત્ર તાકીદે આખા શેરમાં આંટો મારી જ્યાં જ્યાં ગંદકીના થર જમ્યા હોય તે દુર કરે તે જરૂરી છેઈ.
જાત મહેનત જિંદાબાદ સુત્ર સાર્થક કર્યું
જેતપુરમાં દેસાઈ વાડીમા આવેલ અવેડા ચોકમા ઘણા સમયથી ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું હતું. આજુબાજુના વિસ્તારમા રહેતા રહીશોએ અનેકવાર નગરપાલિકાને જાણ કરેલ છતા આજ સુધી કોઈ સફાઈ કરવા ના ફરકતા અહી ગંદકીએ માઝા મૂકી હતી. મચ્છરોના ઉપદ્રવે આજુબાજુના લત્તાવાસીઓને ઘેરી લીધા હતા. ભયંકર રોગચાળો ફાટી નીકળે તે પહેલાજ દેસાઈવાડીના રહીશોએ
"ઝાઝા હાથ રળિયામણા" અને "આપમુઆ વગર સ્વર્ગે ના જવાય" તેવી કહેવતો સાર્થક કરી, સાવરણા ઉપાડી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર "સ્વછતા અભિયાન"ને સાર્થક કરવા લત્તાવાસીઓએ આખો ચોક સાફ કરી, કચરો ભેગો કરી નિકાલ કર્યો હતો.. લાત્તાવાસીઓનો આક્ષેપ હતો કે અનેક વખતની રજૂઆત પછી પણ જેતપુર પાલિકાના બહેરા તંત્રના કાને અથડાઈને પાછી ફરતી તેઓની ફરિયાદ પરત્વે કોઈ ધ્યાન નહિ અપાતા "જાત મહેનત ઝીંદાબાદ" સુત્ર સાર્થક કરવામાં આવ્યું હતું. ટૂંકમાં સફાઈ બાબતે જેતપુર શહેરમાં હજુ ઘણી જગ્યાએ તંત્રની બેદરકારી બહાર આવી રહી છે. સંબંધિત તંત્ર તાકીદે આખા શેરમાં આંટો મારી જ્યાં જ્યાં ગંદકીના થર જમ્યા હોય તે દુર કરે તે જરૂરી છેઈ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો