અનુયાયીઓ

ગુરુવાર, 15 નવેમ્બર, 2018

મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી



રાજકોટ તા.૧૫
તાજેતરમાં નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર દ્વારા ઝુપડપટ્ટીના બાળકો સંગ દીપાવલીની ઉજવણી કરવામાં આવેલ. જેમાં મેંગોપીપલ પરીવાર દ્વારા કાર્યરત ઝુપડપટ્ટી ના ફ્રી એજ્યુકેશન ક્લાસ ના દરેક બાળક ને મિસ્ટાન નું બોક્સ. ફરસાણ અને ફટાકડા નું વિતરણ કરવામાં આવેલ. મેંગોપીપલ પરીવાર ના ઝુપ્પડપટ્ટી ના ફ્રી એજ્યુકેશન ક્લાસ રાજકોટ અને જામનગર ના અંદાજે ૩૦૦ થી વધુ બાળકો ને આ દીપાવલી ના પાવન પર્વ  પર નિમિતે બધી વસ્તુ નું વિતરણ કરવા માં આવેલ.

સંસ્થા પ્રમુખ શ્રી મનીષભાઈ રાઠોડ જણાવે છે કે " આપડે સહુ આવા શુભ દિવસો માં ઘેર મીઠાઈ કાજુકતરી ,પેંડા લાવીએ છીએ ,પણ ઝુપડપટ્ટીનું બાળક ને તમે જયારે મીઠાઈનું બોક્સ અને કાજુકતરી આપશો તો તે મીઠાઈ ની મીઠાશ ખુબ વધી જશે."



આ સતકર્મ ને સાર્થક કરવા માટે શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રૂપલબેન રાઠોડ, રાજુભાઈ ત્રિવેદી, નરેન્દ્રભાઈ રાઠોડ, પૂર્વીબેન કવા, નિલેશભાઈ જોશી. દીપાબેન વઘાસિયા, સોનલબેન વિરાણી, રસ્મિબેન સગપરિયા, રચનાબેન ત્રિવેદી, દિવ્યાબેન, મનીષાબેન, શિલ્પાબેન અમલાની, ઉષાબેન રાવત, સોનાલી પાવભાજી, પ્રીતિ એનેક્સ તથા જયેશભાઇ અનડકટ એ સુંદર જહેમત ઉઠાવેલી.

અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારો માટે છેલ્લા ૪ વર્ષથી  સતત કાર્યશીલ સંસ્થા છે. તે આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર ની ઝુપડપટ્ટી માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવી રહી છે. વધુ માહિતી માટે સંસ્થા પ્રમુખ મનીષભાઈ રાઠોડ ( મો. ૯૨૭૬૦૦૭૭૮/૯૨૨૭૦૦૭૭૮૬) નો સંપર્ક કરવો.

ટિપ્પણીઓ નથી: