જેતપુરના સાડી કારખાનામાં ભેદી રીતે કિશોરના મોતથી ચકચાર
જેતપુર તા.22
ગઈ કાલે જેતપુરના એક સાડી કારખાનામાં મોતને ભેટેલા એક કિશોરના બનાવે સર્જેલા ભેદભરમના આટાપાટા વિંધવા પોલીસે કવાયત આદરી છે.
મળતી વિગતો મુજબ ગઈ મોડી રાત્રીના જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શિયારામ નામના સાડી કારખાનામાં રહેતા કોળી
વિશાલ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.15) ની ડેડબોડી પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ બારાની શહેર પોલીસને જાણ કરી હતી.
બીજીબાજુ સરકારી હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર ડોક્ટર કૌશિક ધીરજલાલ ઢોલરીયાએ વિશાલના મૃતદેહનું પીએમ કરી વિશેરા લઇ વિશેષ ચકાસણી માટે રાજકોટ મેડીકલ કોલેજ તરફ મોકલ્યા છે. હોસ્પિટલ મેદાનમાં વીજ શોક લાગવાથી વિશાલનું મોત થયાની ચર્ચાઓ બાબતે પૂછપરછ દરમિયાન ડો.ઢોલરીયાએ જણાવેલ કે વિશાલનું મોત વીજશોક થી તો થયુજ નથી પણ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા વિશેરા રાજકોટ મોકલાયા હોય, પીએમ રીપોર્ટમાં ડેથ ઓફ કોઝ આવી જશે.
આ બાબતે જે હોય તે પણ ભેદભરમના આટાપાટા સર્જનાર આ બનાવને ભોમાં ભંડારી દેવાની કવાયાતોને ફગાવી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812
જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું
કંકાલ મળી આવતા ચકચાર
જેતપુર તા.22
આજે સાંજે જેતપુરના દેરડી રોડ પરથી એક માનવ જેવું જણાતું માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ કંકાલ કબજે કરી તેના પ્રુથકરણની વિધિ હાથ ધરી છે.
શહેરભરમાં ચકચાર જગાડનાર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી રોડ પાંજરાપોળની ઘાંસની વીડીમાં માનવ ખોપડી પડી હોવાની જાણ પરથી ઇન્ચાર્જ પીઆઈ સંઘાણી સહિતનો પોલીસ કાફલો દેરડી રોડ પર દોડી જતા એક ખોપડી અને છુટા છુટા અસ્થીઓ મળી આવતા પોલીસે તે કબજે લઇ જેતપુરની સરકારી હોસ્પીટલે લઇ ગયા હતા. જ્યાંથી ફરજ પરના તબીબી સુત્રોએ આ અસ્થીઓ ખરેખર માનવના છે કે કેમ ? તેની ચકાસણી માટે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી તરફ મોકલ્યા છે. હાલ માનવ જેવા જણાતાં કંકાલની તપાસ ફોજદાર જાડેજાએ હાથ ધરી છે.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812





























































