જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને
વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન
જેતપુર તા.21
કોઈ પણ જાતના ફંડ ફાળા વગર જેતપુરમાં અનેકવિધ અવિરિત સેવાઓ કરતી સંસ્થા જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અહીના મુખ્ય સ્મશાનઘટમાં એક અસ્થીકુંભ મુકાયો છે. જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાય છે. આ કુંભ પૂર્ણ ભરાય જાય એટલે તેનું વિસર્જન દર વખતે હરિદ્વાર ખાતે વિધિવત કરાય છે.
પણ આ પહેલા અસ્થીકુંભને વિદાયમાન આપવાનો અને સદગતના આત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા પણ યોજવામાં આવે છે. વર્ષો થયા કરાતી આવી સેવાનો સિલસિલો ચાલુ રાખી સંસ્થાના દેવકુભાઈ બાબરિયા અને ગીરીશભાઈ રાજગોરના સાથ સહકાર વચ્ચે આગામી તા.26.3. ને ગુરુવારે, રાત્રે 8 કલાકે, કણકિયા પ્લોટ માં આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્થિકુંભ વિદાય અને પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે.
જેમાં મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા જીથુડી હનુમાનજીના મહંત પ.પુ.108 શ્રી રામદયાલદાસજી બાપુ, નવા રણુજા ગોલીડાના મહંત શ્રી કરશનદાસબાપુ તથા વાસુકી મંદિર મોણપરના પુ.ગીતાબા ખાસ હાજર રહેશે. પ્રવિણ અદાના હસ્તે થનાર અસ્થિ કુંભ પૂજન વિધિ સહિતના આ ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.
(કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 9974262812)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો