જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે
----------------------------------------------------------------------
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને
વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન
------------------------------------------------------------------------
જેતપુર તા.21
કોઈ પણ જાતના ફંડ ફાળા વગર જેતપુરમાં અનેકવિધ અવિરિત સેવાઓ કરતી સંસ્થા જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અહીના મુખ્ય સ્મશાનઘટમાં એક અસ્થીકુંભ મુકાયો છે. જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાય છે. આ કુંભ પૂર્ણ ભરાય જાય એટલે તેનું વિસર્જન દર વખતે હરિદ્વાર ખાતે વિધિવત કરાય છે.
પણ આ પહેલા અસ્થીકુંભને વિદાયમાન આપવાનો અને સદગતના આત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા પણ યોજવામાં આવે છે. વર્ષો થયા કરાતી આવી સેવાનો સિલસિલો ચાલુ રાખી સંસ્થાના દેવકુભાઈ બાબરિયા અને ગીરીશભાઈ રાજગોરના સાથ સહકાર વચ્ચે આગામી તા.26.3. ને ગુરુવારે, રાત્રે 8 કલાકે, કણકિયા પ્લોટ માં આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્થિકુંભ વિદાય અને પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે.
જેમાં મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા જીથુડી હનુમાનજીના મહંત પ.પુ.108 શ્રી રામદયાલદાસજી બાપુ, નવા રણુજા ગોલીડાના મહંત શ્રી કરશનદાસબાપુ તથા વાસુકી મંદિર મોણપરના પુ.ગીતાબા ખાસ હાજર રહેશે. પ્રવિણ અદાના હસ્તે થનાર અસ્થિ કુંભ પૂજન વિધિ સહિતના આ ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.
જેતલસર પંથકના ડેડરવા ગામે આજથી ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ
જેતલસર તા.21…..જેતલસર પંથકના ડેડરવા ગામે સૌ પ્રથમ વખત આજે તા.22.3. થી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગામના યુવા ગ્રુપ દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં 25-30 ટીમો એકબીજા વચ્ચે ટકરાશે, વિજેતા અને રનર્સઅપ ટીમોને રોકડ પુરુસ્કાર તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝને ટ્રોફી એનાયત કરાશે. નાનકડા એવા ગામમાં શેરી-ગલીના ક્રિકેટને ટુર્નામેન્ટમાં ફેરવનાર ડેડરવાના યુવાનો મોટેરાઓમાં પ્રસંશાપાત્ર બન્યા છે.
અમરનગર ગામે મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતલસર તા.21
આગામી તા.2.4.2015 ના રોજ તાલુકાના અમરનગર ગામે જૈન દેરાસરમાં મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધુમથી ઉજવાશે. આ દિવસે સવારથીજ દર્શનાર્થે મંદિર ખૂલ્લુ મુકાશે. તેમજ દર્શનાર્થીઓને દેવળકીવાળા બટુકભાઈ એમ.મહેતા દ્વારા પ્રભાવના આપવામાં આવનાર હોય, નાત જાતના ભેદભાવ વગર ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો લાભ લેવા જણાવાયું છે.
વાલી મંડળ જેતપુરના હોદેદારો
જેતપુર તા.21
તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને કાળાભાઈ ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા, શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.
(કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો