૧પ હજારનાં ફટકારેલો દંડ ભોગબનનારની માતાને ચુકવવા પોસ્કો અદાલતનો હુકમ
રાજકોટ: સગીરા બાળાને પ્રેમજાળમાં ફસાવીને બળાત્કાર ગુજાયાૅ બાદ તરછોડી દેવાના કેસમાં અદાલતે અારોપી શખ્સને ૧૦ વષૅની સખ્ત કેદની સજા અને ૧પ હજારનો દંડ ફટકાયાૅ છે. અા કેસની હકીકત અેવા પ્રકારની છે કે, ૧૭ વષૅની સગીરા સાથે અારોપી દિનેશ ઉફૅે મિથુન પરમારને પરીચય હતો અને તેથી તેણે અા નાબાલિક સગીરાને મોબાઈલ ફોન ઉપરથી તેઅો અવારનવાર વાતચીતો કરતા હતા. બનાવના દિવસે અારોપીઅે સગીરાને ચોટીલા લઈ જવા માટે દાસીજીવણપરા વિસ્તારના ચોકમાં બોલાવેલ અને ત્યાંથી પોતાના મિત્રના મોટરસાયકલમાં ભોગબનનારને બેસાડી ચોટીલા લઈ ગયેલ ચોટીલા ખાતે માતાજીના દશૅન કયાૅ બાદ અમદાવાદ જતા રહેલ અને મોડે સુધી અમદાવાદમાં ફરેલ હતા.
ત્યારબાદ ત્યાંથી જુનાગઢ, સોમનાથ તથા પ્રાચી અને પાલીતાણા જેવા અનેક ગામોમા ગયેલા જયા તેઅો ગેસ્ટ હાઉસ, અાશ્રમ અને બસ સ્ટેન્ડમા સમય ગુજારતા હતા. અા દરમ્યાન અારોપીઅે ભોગ બનનાર સાથે અનેક વખત શરીર સબંધ બાંધેલ હતો અને જણાવેલ હતુ કે અાપણે લગ્ન કરી લેવાના છીઅે. અા રીતે ભોગ બનનારની સંમતી મેળવી ભોગ બનનાર સાથે અનેક વખત દુષ્કમૅ અાચરેલ હતું અને અંતમાં ગોંડલ ખાતે હાઈવે ઉપર બેસેલ હતા અને ત્યારબાદ ગોંડલ ચોકડીથી અા ભોગ બનનારને અેકલી મુકીને અારોપી દિનેશ ઉફૅે મિથુન ચાલ્યો ગયેલ હતો. અામ થતા ભોગબનનાર ત્યાંથી સીધી પોલીસ સ્ટેશને પહોંચી ગયેલ હતી. સગીરાઅે અા સમગ્ર હકીકત પોલીસને જણાવેલ હતી. માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અા અંગે ગુનો દાખલ કરવામા અાવેલ હતો જે ફરીયાદ સગીરાની માતાઅે અાપેલ હતી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરાઅે રજુઅાત કરતા જણાવેલ હતુ કે ભારતીય પુરાવા અધિનિયમમાં જે સુધારો કરવામાં અાવેલ છે તે સુધારાની કલમરુ૧૧૪(ક) મુજબ જયારે ભોગ બનનાર કોટૅ સમક્ષની જુબાનીમાં જણાવે કે શરીર સંબંધ વખતે તેણીની સંમતી ન હતી ત્યારે ન્યાય અદાલતે સંમતી ન હોવાનુ માનવુ ફરજીયાત છે. અા કારણે જયારે ભોગ બનનારે કોટૅ સમક્ષની જુબાનીમાં જણાવેલ હોય કે તેણીની સંમતી ન હતી ત્યારે અા કેસ સ્પષ્ટપણે બળાત્કારનો જ થાય છે. અા ઉપરાંત અારોપીની ધરપકડ થયા બાદ તેની મેડીકલ તપાસણી કરાવવામાં અાવેલ હતી. જેમા અારોપી શારીરિક સંભોગ કરવા માટે સંપુણૅપણે સક્ષમ હોવાનુ જણાવેલ હતુ તેમજ ભોગ બનનારના જે કપડા કબ્જે કરવામા અાવેલા તેમા અારોપીના વીયૅના અવશેષો મળી અાવેલા હતા જે વીયૅનુ બ્લડ ગુ્રપ અને અારોપીનુ બ્લડ ગુ્રપ સમાન હતુ તેથી ભોગ બનનાર સાથે અારોપીઅે જ શરીર સંંબંધ બાંધેલ છે તે નિ:શુલ્ક પણે સાબીત થાય છે. સરકાર તરફેની અા તમામ રજુઅાતો ઘ્યાનમાં લઈ પોકસો કોટૅના સ્પેશ્યલ જજ અેમ.અેમ. બાબીઅે અારોપી દિનેશ ઉફૅે મિથુન મૈસુરભાઈ પરમારને પોકસો અેકટની કલમરુ૬ હેઠળ તકસીરવાન ઠરાવી ૧૦ વષૅની સખ્ત કેદની સજા તેમજ રૂા.૧પ,૦૦૦/રુનો દંડ ફરમાવેલ છે. પોકસો કોટૅે માનવીય અભિગમ દાખવી દંડની રકમ ભોગ બનનારના માતાને ચુકવવાનો હુકમ કરેલ છે તેમજ ફોજદારી કાયૅવાહી સંહિતાની કલમરુ૩પ૭(અે)ની ખાસ જોગવાઈ મુજબ ભોગ બનનારને યોગ્ય વળતર ચુકવવા માટે સરકાર દ્વારા નિમાયેલ કમિટીને પણ ભલામણ કરેલ છે. અા કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.

































