અનુયાયીઓ

મંગળવાર, 20 નવેમ્બર, 2018

રાજકોટમાં હમ સાથ સાથ હૈ સાબિત કરી પ્રેમી પંખીડાનો સજોડે ઝેર પી આપઘાત

(કશ્યપ જોષી) ગઈકાલે  સવારે આજી ડેમ ચોકડી વિસ્તારમાં બે પ્રેમી પંખીડાઓએ એક નહીં થઇ શકવાનાં ડરથી ઝેરી દવા ગટગટાવી પ્રેમની વેદી પર પોતપોતાના જાન ન્યોછાવર કરી દિશાની કરૂણાંતિકાથી કોળી સમાજ અરેરાટી સાથે ખળભળી ગયો છે. ચાર-ચાર વર્ષ થયા ચાલતા પ્રેમ સંબંધના સીલસીલાથી વાકેફ વાલીઓની બેદરકારી વચ્ચે બંને કોળી સમાજનાં હોવા છતાં વાલીઓ કોઇ નિર્ણય નહી લેતા પ્રેમી પંખીડાઓએ સજોડે આપઘાત કર્યાની પ્રાથમિક વિગતો પોલીસને મળી રહી છે. પ્રેમી યુવાને ‘ચૂપ ચૂપકે’ યુવતીનાં ઘરે આવી સજોડે ઝેર પી લેતાં કોળીનાં બંને પરિવારોના વાલીઓએ હોસ્પિટલ એક નહીં થવાના ડરથી પ્રેમીપંખીડાનો સજોડે ઝેર પી આપઘાત 




પરિણીત પ્રેમી યુવાને પ્રેમિકાનાં ઘરે જઇ સજોડે કાતિલ ઝેરી દવા ગટગટાવી લીધી : કાકાની દિકરી પાણી ભરવા બહાર ગઇને બંનેએ પગલુ ભર્યુ : હોસ્પિટલે ખસેડાયા પણ બંનેના મૃતદેહો જ પહોંચ્યા : કોળી પરિવારજનો શોકમાં ગરક
ખાતે કરેલા આક્રંદથી અન્યોનાં હૃદય કંપી ગયા હતા. આજીડેમ પોલીસે આપઘાતનાં આ બનાવની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરનાં આજીડેમ ચોકડી વિસ્તારમાં આવેલા શ્રીરામ પાર્ક શેરી નં.3માં રહેતા કોળી રવજીભાઇ બિજલભાઇ ચૌહાણનાં મકાનનાં ઉપરનાં રૂમમાંથી તેમની પુત્રી સોનલ (ઉ.વ.18) અને કોળી રાજેશ પ્રેમજી પરમાર (ઉ.વ.26) એમ બંને બેભાન હાલતમાં મળી આવતાં બંનેને તાત્કાલીક સરકારી એમ્બ્યુલન્સ 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પણ ફરજ પરનાં તબીબોએ બંનેને મૃત જાહેર કરતાં કોળી સમાજનાં બંને પરિવારોનાં પગ તળેથી ધરતી સરકી જાય તેવી કરૂણાંતિકા બહાર આવી હતી.
સમગ્ર બનાવની પોલીસ પાસેથી મળેલી વિગતો મુજબ આજથી ચારેક વર્ષ પહેલા રવજીભાઇ બિજલભાઇ ચૌહાણ દુધસાગર રોડ ઉપર શિવાજીનગરમાં ભાડાના મકાનમાં રહેતા હતાં. આ સમય દરમિયાન રવજીભાઇની પુત્રી સોનલબેનને તે વિસ્તારમાં રહેતા રાજેશ નામનાં યુવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો.

સમય જતાં રવજીભાઇ આજીડેમ ચોકડી વિસ્તારનાં શ્રી રામ પાર્કની શેરી નં.3માં રહેવા આવી ગયા હતા. પણ સોનમલ અને રાજેશનો પ્રેમ અવિરત ચાલુ જ હતો. એક તબક્કે સોનલે રાજેશ સાથે પરણવાની પિતાને વાત પણ દોહરાવી હતી. પણ રાજેશ પરિણીત અને એક પુત્રનો પિતા હોય, પરિણીત યુવાન સાથે લગ્ન ના થઇ શકે તેવુ જણાવી સોનલની વાતને ટાળી નાંખી હતી.

આ સમયે શાયદ રવજીભાઇ એવું માનવા લાગ્યા હતા કે દિકરી સોનલે તેમની વાત માની લીધી હશે પણ સોનલે રાજેશ સાથેનાં પ્રેમસંબંધ તોડી નાંખવાને બદલે વધુ ‘ઘાટો’ બનાવ્યો હોય તેમ સોનલ-રાજેશ વચ્ચે વાલીઓની ગેરહાજરીમાં પ્રેમાલાપ થતો રહેતો. જે પ્રેમસંબંધ આજે ચાર વર્ષ પછી આત્મહત્યા જેવી કરૂણાંતિકામાં ફેરવાઇ જતાં કોળી પરિવારજનોમાં શોક સાથે આક્રંદ છવાઇ ગયો છે.

પિતા રવજીભાઇએ દિકરીને
ચેતવી પણ સોનલ ના માની

માતા-પિતાનાં આક્રંદથી ઉપસ્થિતોનાં હૈયા કંપ્યા


આજી ડેમ પોલીસ સ્ટેશનનાં નરેન્દ્રભાઇ ચાવડા અને દિગુભા રાણા સહિતનાં સ્ટાફ પાસેથી મળેલી વિગતો મુજબ રવજીભાઇ બીજલભાઇ ચૌહાણને ત્રણ સંતાનોમાં બે દિકરી અને એક ભાઇ (કાજલ, સાગર અને સોનલ)માં સોનલ સૌથી નાની હતી. આજથી બે વર્ષ પહેલા સોનલે પરિણીત રાજેશ સાથે લગ્ન કરવાની વાત પિતા રવજીભાઇ સમક્ષ મૂકતાં ત્યારે રવજીભાઇએ ઠપકો આપી સોનલને સમજાવી હતી કે પરણિત યુવાન સાથે લગ્ન શકય નથી. આવી શિખામણ બાદ પુત્રી સોનલ રાજેશ સાથે સંબંધ તોડી નાંખશે તેવુ માનતા વાલીઓની ગણતરી ઉંધી વાળી સોનલે પરણીત રાજેશ સાથે પ્રેમનું લફરૂ ચાલુ રાખતાં આજે બંને કોળી પરિવારજનોને રડવાની નોબત સહવી પડી હતી. સોનલનાં માતા-ભાવનાબેન અને પિતા અજીભાઇએ હોસ્પિટલ ખાતે દિકરી ખોયાનો વ્યકત કરેલ આક્રંદથી ત્યાં ઉપસ્થિત સૌ કોઇના કાળથી કંપી ગયા હતા.

સોનલ-રાજેશની 4-4 વર્ષની
પ્રેમકહાની ‘કરૂણાંતિકા’માં ફેરવાઇ


પરિણીત રાજેશે-સોનલની જીંદગી ઉજાડી



પોલીસ સુત્રો પાસેથી એવી વિગતો મળી હતી કે છેલ્લા 4 વર્ષ થયા પરિણીત રાજેશ અને અપરણિત સોનલ સાથેનો પ્રેમ સંબંધ ચાલતો હતો. રાજેશ પૃથ્વી નામનાં એક પુત્રનો પિતા હતો. રાજેશને પત્ની પુનિત સાથે અણબનાવ બનતાં છેલ્લા દોઢ વર્ષ થયા પુનિતાં તેમના આજી ડેમ ચોકડી વિસ્તારમાં માવતરે રહેતી હતી. દુધસાગર રોડ પરનાં નિવાસ સ્થાને રહેતી સોનલબેન પરણીત રાજેશ સાથે પ્રેમસંબંધ બંધાયો તે સંબંધ છેક ઘર બદલાવ્યા પછી પણ ચાલુ રાખ્યા હતા. અંતે બંનેએ આજે એક સાથે ઝેરી દવા પી પોતપોતાનો જીવોનો અંત આણતા બંને કોળી પરિવારજનો શોકમાં ગરક બન્યા છે. પરિણીત રાજેશે સોનલની જીંદગી પણ છીનવી લેતાં આ ઘટનાની કરૂણામાં વધારો થયો છે. પ્રસ્તુત તસવીરોમાં સોનલ અને રાજેશનાં હોસ્પિટલનાં પીએમ રૂમમાં પડેલા મૃતદેહો દેખાય છે.

કાકાની દિકરી બહેન શિતલ પાણી
ભરીને આવી ત્યાં સોનલ ઉલ્ટી કરતી’તી


સોનલે કહ્યું અમે બન્નેએ ઝેરી દવા પી લીધી છે
 આજે આત્મહત્યાની બનેલી ઘટના પૂર્વેની પોલીસને મળેલી વિગતો મુજબ આજે રવજીભાઈ પોતાના ગંભારના ધંધાને કારણે શહેરમાં ફેરા માટે ગયા હતા. રવજીભાઈના પત્ની ભાવના અન્યના ઘરોના કામકાજ કરી પરીવારના ગુજરાનમાં મદદ કરવા ઘર બહાર ગયા હતા. પુત્ર સાગર પણ બહાર હોય સોનલ અને તેમના કાકાની દિકરી શિતલ એમ બે જ બહેનો ઘરે હતી.

 આ સમયે શિતલ ઉપરના મકાનેથી નીચે ઉતરી પાણી ભરવા ગઈ હતી. આવી એકલતાનો લાભ જોઈને રાજેશને કોઈ કારણોસર સોનલે તેમને બોલાવ્યો હોય કે તે સામેથી આવ્યો હોય, બન્નેએ સાથે મળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.  બીજી બાજુ પાણી ભરી પરત ફરેલી શિતલે સોનલને ઉલ્ટીઓ કરતા જોઈ જતા પૂછતા સોનલ છેલ્લા શબ્દો બોલી હતી કે ‘અમો બન્નેએ ઝેરી દવા પી લીધી છે’. આવું સાંભળતા જ શિતલે બુમાબુમ કરી પિતા માતા સહિતના પરીવારને બોલાવ્યો હતો પણ આટલીવારમાં તો સોનલ અને રાજેશના શરીરમાં પહોંચેલી દવાએ બન્નેના રામ રમાડી દીધા હતા.

ટિપ્પણીઓ નથી: