અનુયાયીઓ

મંગળવાર, 20 નવેમ્બર, 2018

બોણી આપો તો જ કચરો ઉપડે છે : રાજકોટમાં લાત્તાવાસીઓનો રોષ



દોઢ માસથી ફરિયાદ કરતા કોર્પોરેટર જાગૃતિબેન: દાદાગીરીની રાવ
શહેરના વોર્ડ નં.13માં રોજ સવારે કચરો લેવા નિકળતા ટીપર વાનના ડ્રાઈવરો જે ઘરમાંથી નવા વર્ષની બોણી ન મળી હોય ત્યાંથી કચરો નહીં લેતા હોવાની ગંભીર ફરીયાદ કોર્પોરેટર જાગૃતીબેન પ્રભાતભાઈ ડાંગરે કમિશ્ર્નરને કરી છે.
 પત્રમાં તેઓએ જણાવ્યું છે કે દિવાળીનો તહેવાર પુરો થયા બાદ ટીપર વાનના ડ્રાઈવર અને તેના સાથીદાર ઘરે ઘરે બોણી માગે છે. ન આપે તો કચરો લેવાની ના પાડે છે. આ અંગે દોઢ માસ અગાઉ પણ ફરીયાદ કરી હતી.
 અનેક વિસ્તારમાં વાન સમયસર આવતા નથી અને બોણી આપે તો જ કચરો લે છે. આ ડ્રાઈવરોની દાદાગીરી બંધ કરવા અને સુચના મોકલાવવા તેઓએ કમિશ્ર્નરને અનુરોધ કર્યો છે.

ટિપ્પણીઓ નથી: