અનુયાયીઓ

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2015

જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

 

જેતપુર ખાતે આત્મજનોને રૂા. ૮.૦૦ લાખના ચેક અર્પણ કરતાં

પાણી પૂરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયા

(કશ્યપ જોશી દ્વારા ) જેતલસર (જેતપુર ) તા.7

સૌરાષ્ટ્ર વિસ્તારમાં અતિવૃષ્ટિ થતાં જેતપુર તાલુકાની ભાદર નદીના વિસ્તારમાં ઘોડાપૂર આવતા જેતપુર તાલુકાના અમરનગર ગામના સ્વ. બાબુભાઇ મોરબીયા તથા જેતપુર ગામના સ્વ.મનસુખભાઇ રોકડનું દુઃખદ અવસાન થયેલ. જેમના આત્મજનો હંસાબેન બાબુભાઇ મોરબીયા (રહે. અમરનગર)ને રૂા. ૪.૦૦ લાખ તથા નિમુબેન મનસુખભાઇ રોકડ (રહે. જેતપુર) રૂા.૪.૦૦ લાખ મળીને કુલ રૂા.૮,૦૦,૦૦૦/- (આઠ લાખ)ના સહાયના ચેકનું આજરોજ માન.રાજયકક્ષા મંત્રીશ્રી જયેશ રાદડીયા (પ્રવાસન અને પાણી પૂરવઠા) ના હસ્તે મામલતદાર કચેરી, જેતપુર  ખાતે અર્પણ કરવામાં આવેલ.

પ્રસંગે  જયેશ રાદડીયા, માન.રાજકયક્ષા મંત્રી(પ્રવાસન અને પાણી પુરવઠા), રમાબેન  મકવાણા પ્રમુખ, નગરપાલિકા જેતપુર, નિતાબેન ગુંદારીયાપ્રમુખ, પ્રમોદ  ત્રાડાસદસ્ય,  જેતપુર નગરપાલિકા, દિનકરભાઇ ગુંદારીયા,  જે. એમ. ભોરણીયામામલતદાર, જેતપુર,  બી. એમ. વ્યાસ-ચીફ ઓફીસર, જેતપુર,ડી. વી. ધેડાટી.ડી.., જેતપુર,  નિખિલ મહેતાસર્કલ ઓફીસર, જેતપુર વિગેરે હાજર રહી સરકારની સરાહના કરી હતી ઉપસ્થિત રહેલ હતાં

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ

જેતપુરનો આશાસ્પદ યુવાન બાઈક સાથે ભેદી સંજોગોમાં ગુમ
જેતપુર તા.7
જેતપુરના કણકિયા પ્લોટમાં મેડીકલ ધરાવતો એક આશાસ્પદ પટેલ યુવાન છેલ્લા 3 દિવસ થયા ભેદી સંજોગોમાં ગુમ થયાની શહેર પોલીસ દફતરે જાણ કરાઈ છે. 
મળતી વિગતો મુજબ મૂળ ગોંડલ તાલુકાના રામોદ ગામનો અને હાલ મેડીકલ સ્ટોરના વ્યવસાયથી જેતપુર સ્થાયી થયેલ સુધીર હંસરાજભાઈ રામાણી (ઉ.વ.28) ગઈ તા.5-8-2015 થી કોઈને કહ્યા વગર જેતપુરથી ભેદી સંજોગોમાં લાપત્તા બન્યાની શહેર પોલીસ દફતરે જાણ કરાતા પોલીસ જમાદાર નવીનભાઈએ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયેલ વિગતોમાં સુધીરના પિતા હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણી તથા કાકા ગોરધનભાઈ રામાણીએ જણાવ્યું છે કે  સુધીર પોતાના બજાજ ડીસ્કવર GJ  03 5633 સાથે ગુમ થયો છે, ખીલતો ઉજળો વાન અને સિંગલ બોડી ધરાવે છે. જે કોઈને ભાળ મળે તો જેતપુર શહેર પોલીસ સ્ટેશનનો 02823-220033 અથવા ગુમસુધ્ધા યુવાન સુધીરના પિતા હંસરાજભાઈ ગોવિંદભાઈ રામાણીનો મો.9879996656 ઉપર સંપર્ક સાધવા પોલિસનો અનુરોધ છે.
(આ સાથે સુધીરનો ફોટો પણ મોકલેલ છે)


જેતપુરના મોટા ગુંદાળા ગામે જુગાર દરોડો 
રોકડ 18 હજાર સાથે 5 ઇસમો પકડાયા
જેતપુર તા.7
બાતમીના આધારે જેતપુર તાલુકા પોલીસના ફોજદાર ગોહિલ અને જમાદાર મજનુંભાઈએ ગત રાત્રીના મોટા ગુંદાળા ગામે જુગાર દરોડો પાડતા 5 શખ્શો જુગાર રમતા રોકડ રૂપિયા 18440/- સાથે ઝડપાઈ ગયા હતા. પકડાયેલામાં 3 ગુંદાલાના કાનજી હમીર ડાભી, હરસુખ જીવણ કાચા, તથા ભીમા જેઠા, મુસ્તાક ઇકબાલ (જેતલસર જંકશન) તથા આરીફ ગફાર(જેતપુર)નો સમાવેશ થતો હોવાનું પોલીસ જણાવે છે. 

અકસ્માતે દાઝેલી નવાગઢની યુવતીનું મોત
જેતપુર તા.7
ગઈકાલે  જેતપુરના નવાગઢ વિસ્તારમાં અકસ્માતે દાઝી ગયેલી એક વણકર પરણીતાનું આજે સારવાર દરમિયાન મોત થયાનું જેતપુર શહેર પોલીસમાં જાહેર કરાયું છે.
મળતી વિગતો મુજબ અહીના નવાગઢ વિસ્તારના વણકર વાસમાં રહેતી જયાબેન અશ્વિનભાઈ બગડા (ઉ.વ.22) ગઈકાલે પ્રાઈમસ પર ચા બનાવતી વખતે અકસ્માતે દાઝી જતા પ્રાથમિક સારવાર સરકારી હોસ્પીટલમાં આપીને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડાઈ હતી. જ્યાં સારવાર દમિયાન જયાબેનનું મોત થયું હોવાનું પોલીસ જણાવે છે. છ માસનો લગ્ન ગાળો ધરાવતી જયાબેન મગજ સંતુલન અવારનવાર ગુમાવી દેતી હોય, દાઝી જવાનો બનાવ બન્યો હોવાનું પાઈ વી.એમ.ગોહિલે જણાવ્યું હતું.

કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 9974262812






કશ્યપ જોશી જેતલસર જેતપુર 



ગુરુવાર, 6 ઑગસ્ટ, 2015

: અવસાન નોંધ


​અવસાન નોંધ 
જેતપુર : ધોબી રણછોડભાઈ ભીખાભાઈ સોલંકી (ઉ.વ.79) તે કૈલાશભાઈ(રોયલ પાવર લોન્ડ્રી), શૈલેશભાઈ, હિતેશભાઈ અને ભાવેશભાઈના પિતા તા.4 ના રોજ અવસાન પામ્યા છે.બેસણું તા.8 ને શનિવારે, સાંજે, 4 થી 6, ખોડપરા, દરજી જ્ઞાતિની વાડી, જેતપુર ખાતે રાખેલ છે.
કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર 9974262812

બુધવાર, 5 ઑગસ્ટ, 2015

સમાચારમાં સુધારો :

સમાચારમાં સુધારો :
આજે મારા દ્વારા મોકલાયેલ જેતલસર તલાટી મંત્રી વિદાય સમારોહ ના સમાચારમાં 
તારીખ 6-8-2015 ને ગુરુવાર કરવા વિનંતી છે. ભૂલથી મારાથી રવિવાર લખી ગયું છે. કશ્યપ જે. જોશી જેતલસર 9974262812 

જેતલસરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે 14 તલાટી મંત્રીઓનો વિદાય સમારોહ..એક સ્વર્ગીય તલાટી મંત્રીને મરણોત્તર સન્માન અપાશે। ......એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા આજે 500 ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...

જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે 
સીસી રોડ નબળો બન્યો હોવાની રાવ 
જેતલસર તા.5
જેતલસર પંથકના આરબ ટીંબડી ગામે થોડા સમય પહેલા જ બનેલો એક સીસી રોડ તુટવા લાગતા ગામના જાગૃત નાગરિકોએ જેતપુર તાલુકા વિકાસ અધિકારી, નવાગઢ સ્થિત બાંધકામ કચેરી અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાને લેખિત રજુઆતો કરી છે.
મળતી વિગતો મુજબ જેતલસર પંથકના આરબ ટીંબડી ગામમાં સહકારી મંડળી તરફ આવવા અને જવાનો મુખ્ય માર્ગ થોડા સમય પહેલાજ સીસી રોડ બનાવાયો છે. પણ ગામના જાગૃત નાગરીકો બચુભાઈ પ્રેમજીભાઈ શિંગાળા, લાલજીભાઈ જીવાભાઈ રામાણી, ઘુશાભાઈ કેશવભાઈ, વિગેરેએ લાગતાવળગતાઓને રજૂઆત કરી જણાવ્યું છે કે આ રોડ કામમાં વ્યાપક ગેરરીતી આચરાઈ હોય તેમ રોડ તુટવા લાગ્યો છે. અરજદારોએ રજુઆતમાં એમ પણ જણાવ્યું છે કે જયારે રોડ બનતી વખતે લાગતા વળગતાઓએ રોડ કામમા લોટ, પાણી ને લાકડા જેવી નીતિ અખત્યાર કરવાનું ચાલુ કરતા તે સમયે ટીડીઓને ફરિયાદ કરાતા તાલુકા પંચાયતના એસઓ ટીંબડી ગામે દોડી ગયા હતા પણ રોડ કામ બરાબર ચાલતું હોવાનું જણાવી ચાલ્યા ગયા હતા. રોડનું કામ બરાબર થયું હોય તો આ રોડ તુટવા કેમ લાગ્યો ? તે વાતની તપાસ કરાવી સરસ રોડ બનતો હોવાનું મૌખિક પ્રમાણ પત્ર આપનાર સંબંધિત એસઓ સામે પણ પગલા ભરવા બચુભાઈ પ્રેમજીભાઈ શિંગાળા સહિતના ગ્રામજનોએ રજુઆતો કરી છે.

બોક્સ: અમોને ખોટા કેશોમાં ફીટ કરી દેવાય છે ! લાલજીભાઈ રામાણી 
જેતલસર : પોતાના ગામમાં નબળા રોડ કામની ફરિયાદ કરનાર લાલજીભાઈ રામાણીએ આ લખનારને એવી પણ દહેશત કરી હતી કે તેઓના ગામના સરપંચ જો કોઈ ગામની કઈ પણ ફરિયાદ કરે તો ખોટા પોલીસ કેશોમાં ફસાવી દે છે, આટલું જણાવી લાલજીભાઈએ કહેલ કે ભૂતકાળમાં ગામના મકાનોમાં સારી એવી નુકશાની કરનાર ગામ નજીકના સ્ટોનક્રશર(ભરડીયા) બાબતે સત્તાધીશોને રજૂઆત કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવતા સરપંચે તેઓને(લાલજીભાઈ ને ) ખોટા પોલીસ કેશમાં સંડોવીને હેરાન પરેશાન કરી દીધા હતા. ત્યારે લાગતા વળગતા સત્તાધીશો આ બાબતે પણ કોઈ શિક્ષાત્મક પગલાઓ દ્વારા ટીંબડીના સત્તાધીશોની આંખો ઉઘાડે તે જરૂરી હોવાનું લાલજીભાઈ જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

જેતલસરના જડેશ્વર મહાદેવ મંદિરે 
આજે 14 તલાટી મંત્રીઓનો વિદાય સમારોહ..એક 
સ્વર્ગીય તલાટી મંત્રીને મરણોત્તર સન્માન અપાશે 
જેતલસર તા.5
જેતપુર તાલુકાના ગામોમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારને નિવૃત થયેલા 15 તલાટી મંત્રીઓનો એક ભવ્ય વિદાય સમારંભ આજે તા. 6-8-2015 ને રવિવારના સવારના 10 થી 1-00 દરમિયાન  જેતલસર ગામના મંડલીકપૂર રોડ પર આવે શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં યોજાનાર છે.
આ બાબતે વિગતો આપતા તલાટી મંત્રી અશોકભાઈ પંડયાએ જણાવેલ કે જેતપુરના તાલુકા વિકાસ અધિકારી ઘેડા તેમજ મામલતદાર ભોરણીયાના અધ્યક્ષ સ્થાને ઉપરોક્ત સ્થળે યોજાનાર વિદાય સમારોહમાં 14 તલાટી મંત્રીનોને ભાવભેર વિદાય અપાશે તેમજ એક તલાટી મંત્રી નિવૃત થઈને સ્વર્ગે સિધાવ્યા હોય તેમના પરિવારજનોને સ્વર્ગીય તલાટીનું મરણોત્તર સન્માન કરાશે.
વિદાયમાન પામનારા તલાટીઓમાં બચુભાઈ વઘાસીયા(ખારચિયા), બચુભાઈ રાદડિયા(થાનાગાલોલ), રવજીભાઈ ગઢિયા(સેલુકા), નરસિંહભાઈ અંટાળા(પ્રેમગઢ), પી.જે.વિરપરીયા(રબારીકા), એમ.જે.સોલંકી(જેપુર), જગુભાઈ સેન્જલીયા(દેવકીગાળોળ), કાન્તીભાઈ કાપડિયા(કાગવડ), છોટુભાઈ ગોંડલિયા(દેરડી), સુરેશભાઈ ગોંડલિયા(બોરડી સમઢીયાળા), બાબુભાઈ પોલરા(મંડલીક્પુર), એમ.કે.સોલંકી(રેશમડી ગાલોળ), સવદાસભાઈ સાકરિયા(અમરાપર), ગીરધરભાઈ ખુંટ(મોટાગુંદાળા)નો સમાવેશ થઇ છે. જયારે પાંચપીપળાના તલાટી મંત્રી જેઠાભાઈ ચૌહાણનું અવસાન થયું હોય, તેમના સ્વજનોને સ્વર્ગીયનું મરણોત્તર સન્માન કરાશે. એક સાથે 15 નિવૃત તલાટી મંત્રીઓના વિદાય સમારોહનું આયોજન કરી જેતપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના આગેવાનો, હોદેદારોએ સંપ અને એકતાના દર્શન કરાવ્યા હોવાનું તલાટી અશોક પંડયાએ જણાવ્યું હતું..

કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં....
એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા આજે 500 ખેડૂતોને 
સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...
રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ પાંભરનો ખેડૂતોને અનુરોધ..એ..હાલો, હાલો વિરોધ કરવા, 
જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણે છે કે શું ? અહીના ખેડૂતોની નુકશાની કેમ કોઈને દેખાતી નથી ?

જેતપુર તા.5
પાક વીમો મંજુર કરવા બાબતે જેતપુર તાલુકા સાથે વર્તમાન સરકારે કરેલા ઘોર અન્યાય અને ઉપેક્ષાનો વિરોધ કરવા આજે  તા.6 ને ગુરુવારે રાજકોટ-જેતપુરના કોંગ્રેસી આગેવાનો 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખીને અહીના મામલતદારને આવેદન પાઠવી ઘટતું કરાવવાની માંગ દોહરાવશે.
આ બાબતે વિગતો આપતા જેતપુરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર(રાજકોટ જીલ્લા કોન્ગ્રેસ ઉપપ્રમુખ) એ જણાવેલ કે ખેતી પ્રધાન દેશના ખેડૂતોને વધુ એક વખત હેરાન પરેશાન કરાયાની વિગતો એવી છે કે સને 2014-15 ના વર્ષની પાક વીમા આકારણીમાં સંબંધિત સરકારી તંત્રો જેતપુર તાલુકાને સાવ ભૂલી ગઈ હોય કે જાણી જોઇને ભેદભાવ રખાયો હોય તેમ એક પણ ટકો પાક વિમાની રકમ મંજુર નાં કરાઈ હોય, ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાયો છે. 
કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ચંદુભાઈ શિંગાળા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ચોવટિયા, ઉપ પ્રમુખ જગદીશ પાંભર, અન્ય કોગ્રેસી આગેવાનો બચુભાઈ હિરપરા, વિપુલ વૈષ્ણવ, કિશોર પાદરીયા, પી.એલ.વસોયા, નારણ ઠુંગા, ભરત ધાધલ, પોપટ જેઠવા, ગોવિંદ ડોબરિયા, વિઠ્ઠલ બુટાણી વી આગેવાનોની આગેવાની તળે આવતીકાલ તા.6 ને ગુરુવારના રોજ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને ઉદેશીને લખાયેલા અને અત્રેના મામલતદારને અપાનાર આવેદનમાં જણાવાયું છે કે જેતપુર તાલુકાનો ડ્રોપ કટિંગ સર્વે તાત્કાલિક ફરીથી સર્વે કરાવી, આકારણી માટે તટસ્થ અધિકારીની નિમણુક કરી જેતપુર તાલુકાનો પાક વીમો મંજુર કરવો જરૂરી છે, અન્યથા ખેડૂતો સરકાર પરનો વિશ્વાસ ગુમાવશે તો આગામી ચુંટણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા વગર નહિ રહે.

બોક્સ: ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ..
જેતપુર: જેતપુર ખાતે 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખી પાક વીમો મંજુર કરવામાં થયેલા અન્યાયની માંગ કરવા માટે જેતપુર તાલુકાભરમાંથી ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરી કરી જેતપુરના જગદીશ પાંભરે જણાવ્યું છે કે વર્તમાન ગુજરાત સરકાર જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણતું હોય તેમ એક પણ ટકો પાક વીમો મંજુર કર્યો નાં હોય જો ખેડૂત મૂંગા મોઢે બેસી રહેશે તો હજુ પણ આનાથી વધુ અન્યાય સહન કરવાનો ખેડૂતોને વારો આવશે, એટલુજ નહિ જો જેતપુર તાલુકાને ઉપરોક્ત વર્ષનો પાક વીમો નહિ ચૂકવાય તો જોયા જેવી કરવા કોંગ્રેસ આંદોલનના હથીયારો સજાવશે તેવું જગદીશ પાંભર જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર 9974262812

મંગળવાર, 4 ઑગસ્ટ, 2015

જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં.... એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા કાલે 500 ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...

જેતપુર તાલુકાના ખેડૂતો સાથે સરકારનો હળાહળ અન્યાય ! 2014-15 ના વર્ષમાં....
એક ટકો'ય પાક વીમો મંજુર ના કરતા કાલે 500 ખેડૂતોને 
સાથે રાખી કોંગ્રેસ આપશે સંબંધિતોને આવેદન...
રાજકોટ જીલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ પાંભરનો ખેડૂતોને અનુરોધ..એ..હાલો, હાલો વિરોધ કરવા, 
જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણે છે કે શું ? અહીના ખેડૂતોની નુકશાની કેમ કોઈને દેખાતી નથી ?

જેતપુર તા.4
પાક વીમો મંજુર કરવા બાબતે જેતપુર તાલુકા સાથે વર્તમાન સરકારે કરેલા ઘોર અન્યાય અને ઉપેક્ષાનો વિરોધ કરવા આવતીકાલ તા.6 ને ગુરુવારે રાજકોટ-જેતપુરના કોંગ્રેસી આગેવાનો 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખીને અહીના મામલતદારને આવેદન પાઠવી ઘટતું કરાવવાની માંગ દોહરાવશે.
આ બાબતે વિગતો આપતા જેતપુરના ઉદ્યોગપતિ અને દાતા જગદીશભાઈ પાંભર(રાજકોટ જીલ્લા કોન્ગ્રેસ ઉપપ્રમુખ) એ જણાવેલ કે ખેતી પ્રધાન દેશના ખેડૂતોને વધુ એક વખત હેરાન પરેશાન કરાયાની વિગતો એવી છે કે સને 2014-15 ના વર્ષની પાક વીમા આકારણીમાં સંબંધિત સરકારી તંત્રો જેતપુર તાલુકાને સાવ ભૂલી ગઈ હોય કે જાણી જોઇને ભેદભાવ રખાયો હોય તેમ એક પણ ટકો પાક વિમાની રકમ મંજુર નાં કરાઈ હોય, ખેડૂતોમાં ભારે રોષ સાથે અસંતોષ ફેલાયો છે. 
કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ ચંદુભાઈ શિંગાળા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ચોવટિયા, ઉપ પ્રમુખ જગદીશ પાંભર, અન્ય કોગ્રેસી આગેવાનો બચુભાઈ હિરપરા, વિપુલ વૈષ્ણવ, કિશોર પાદરીયા, પી.એલ.વસોયા, નારણ ઠુંગા, ભરત ધાધલ, પોપટ જેઠવા, ગોવિંદ ડોબરિયા, વિઠ્ઠલ બુટાણી વી આગેવાનોની આગેવાની તળે આવતીકાલ તા.6 ને ગુરુવારના રોજ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રીને ઉદેશીને લખાયેલા અને અત્રેના મામલતદારને અપાનાર આવેદનમાં જણાવાયું છે કે જેતપુર તાલુકાનો ડ્રોપ કટિંગ સર્વે તાત્કાલિક ફરીથી સર્વે કરાવી, આકારણી માટે તટસ્થ અધિકારીની નિમણુક કરી જેતપુર તાલુકાનો પાક વીમો મંજુર કરવો જરૂરી છે, અન્યથા ખેડૂતો સરકાર પરનો વિશ્વાસ ગુમાવશે તો આગામી ચુંટણીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા વગર નહિ રહે.

બોક્સ: ખેડૂતોને મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ..
જેતપુર: જેતપુર ખાતે 500 થી પણ વધુ ખેડૂતોને સાથે રાખી પાક વીમો મંજુર કરવામાં થયેલા અન્યાયની માંગ કરવા માટે જેતપુર તાલુકાભરમાંથી ખેડૂતોને ઉમટી પડવા હાકલ કરી કરી જેતપુરના જગદીશ પાંભરે જણાવ્યું છે કે વર્તમાન ગુજરાત સરકાર જેતપુર તાલુકાને પાકિસ્તાનનો ભાગ ગણતું હોય તેમ એક પણ ટકો પાક વીમો મંજુર કર્યો નાં હોય જો ખેડૂત મૂંગા મોઢે બેસી રહેશે તો હજુ પણ આનાથી વધુ અન્યાય સહન કરવાનો ખેડૂતોને વારો આવશે, એટલુજ નહિ જો જેતપુર તાલુકાને ઉપરોક્ત વર્ષનો પાક વીમો નહિ ચૂકવાય તો જોયા જેવી કરવા કોંગ્રેસ આંદોલનના હથીયારો સજાવશે તેવું જગદીશ પાંભર જણાવે છે.
કશ્યપ જે. જોશી જેતલસર જેતપુર 99742 6282 


સોમવાર, 3 ઑગસ્ટ, 2015

કાલાવડ પોલીસ સ્ટેશનના એક ફોજદારી ગુનામાં જામીન પડેલા શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા ખળભળાટ, જેતપુરના સર્કલ ઓફિસરે કાલાવડ પોલીસને ગુનો નોંધવા જણાવતા ચકચાર

કાલાવડ પોલીસ સ્ટેશનના એક ફોજદારી ગુનામાં જામીન પડેલા 
શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા ખળભળાટ, જેતપુરના સર્કલ 
ઓફિસરે કાલાવડ પોલીસને ગુનો નોંધવા જણાવતા ચકચાર
જેતપુર તા.3
કાલાવડ પોલીસ સ્ટેશનમાં એક ફોજદારી ગુનામાં જામીનગીરી નોંધાવનાર જેતપુર તાલુકાના મોટા ગુંદાલાના પટેલ શખ્શના દસ્તાવેજો બોગસ નીકળતા જેતપુરના મામલતદાર ભોરણીયાએ ડેપ્યુટી કલેકટરને જાણ કરી બનાવટી દસ્તાવેજ રજુ કરનાર શખ્શ સામે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ થોડા સમય પહેલા કાલાવડ પોલીસમાં એક ફોજદારી ગુના સબબ જામીનગીરી માટે રજુ થયેલ  જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામના ગોપાલ બચુભાઈ વેકરીયાના 7/12, 8(અ)ના દાખલા બોગસ નીકળતા ચકચાર જાગી છે. આ વાત ત્યારે બહાર આવી કે કાલાવડ પોલીસે આ શખ્શના જમીન માટે રજુ થયેલા કાગળો ખરી કરવા માટે જેતપુરના મામલતદારને મોકલ્યા હતા. દરમિયાન મામલતદાર ભોરણીયાએ આ કાગળો તપાસતા કંઇક બનાવતી કારસ્તાન કરાયાનું માલુમ પડતા તેઓ તાત્કાલિક ગોંડલના ડેપ્યુટી કલેકટરને વાકેફ કરતા ડીસીએ કાલાવડ પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું જણાવતા, જેતપુરની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ સરકાર તરફી ફરિયાદી બની મોટા ગુંદાળાના પટેલ શખ્શ સામે ઇન્ડિયન પીનલ કોડ ક્રમાંક 465, 467,468, 471 મુજબ ગુનો નોંધવાનું કાલાવડ પોલીસને લેખિતમાં જણાવતા આ બારાનો ગુનો કાલાવડ પોલીસમાં નોંધનાર હોવાનું જેતપુરના નીખીલ મહેતા જણાવે છે.

બોક્સ: કેવી રીતે બનાવટી કાગળો બનાવાયા ?
જેતપુર : જેતપુરના સર્કલ ઓફિસર નીખીલ મહેતાએ જણાવેલ કે કાલાવડ પોલીસમાં જામીનગીરીમાં રજુ થયેલ કાગળોમાં કબ્જેદારનું નામ તેમજ ગામ બદલી ગોપાલે પોતાનું નામ લખી દસ્તાવેજ સાથે ચેડા કરેલ છે. ખરેખર કાગળોમાં જણાવેલ સર્વે નંબર જેતપુરનો નહિ પણ મોટા ગુંદાળાનો બતાવે છે. એટલે આવો બોગસ દસ્તાવેજ કરવા કોની કોની મિલીભગત સામેલ છે ? તે પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે.
KASHYAP J.JOSHI JETASLAR JETPUR -9974262812

જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો

જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું 

જેતપુર તા.

જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા   કે.પી.વ્યાસ વય  મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને  અહીની  વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી 

            વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી  દેસાઈચીચ્યા ,ધોળિયા,  હઠીલા,  શાહ ,  મામલદાર  ભોરણીયા , નીખીલ મેહતા,  તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ  મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન   વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળીફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.

 

 

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના 

અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર 
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો  થઇ હતી. 
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં  ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા  એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સંપર્ક  દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા  વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?! 
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.

જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી 

વધુ શખ્શો રેતી  ચોરી કરતા પકડાયા 

જેતપુર તા.3

જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા  છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલાભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.

જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ 

આપી જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તા.3

જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.

બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.

 

 

 

 

 

જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને

જેતપુર તા.3

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.

KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282

 

 

 

 

જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો

જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું 

જેતપુર તા.

જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા   કે.પી.વ્યાસ વય  મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને  અહીની  વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી 

            વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી  દેસાઈચીચ્યા ,ધોળિયા,  હઠીલા,  શાહ ,  મામલદાર  ભોરણીયા , નીખીલ મેહતા,  તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ  મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન   વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળીફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.

 

 

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના 

અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર 
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો  થઇ હતી. 
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં  ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા  એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સંપર્ક  દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા  વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?! 
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.

જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી 

વધુ શખ્શો રેતી  ચોરી કરતા પકડાયા 

જેતપુર તા.3

જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા  છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલાભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.

જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ 

આપી જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તા.3

જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.

બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.

 

 

 

 

 

જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને

જેતપુર તા.3

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.

KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282

 

 

 

 

જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો

જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું 

જેતપુર તા.

જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા   કે.પી.વ્યાસ વય  મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને  અહીની  વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી 

            વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી  દેસાઈચીચ્યા ,ધોળિયા,  હઠીલા,  શાહ ,  મામલદાર  ભોરણીયા , નીખીલ મેહતા,  તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ  મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન   વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળીફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.

 

 

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના 

અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર 
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો  થઇ હતી. 
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં  ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા  એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સંપર્ક  દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા  વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?! 
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.

જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી 

વધુ શખ્શો રેતી  ચોરી કરતા પકડાયા 

જેતપુર તા.3

જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા  છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલાભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.

જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ 

આપી જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તા.3

જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.

બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.

 

 

 

 

 

જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને

જેતપુર તા.3

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.

KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282

 

 

 

 

જેતપુર ના વાણીજ્ય વેરા અધિકારી નો વિદાયસમાંરભ યોજાયો

જેતપુરના વાણીજ્ય વેરા અધિકારીને વિદાયમાન અપાયું 

જેતપુર તા.

જેતપુર ખાતે આવેલ વાણીજ્ય વેરા કચેરી ના અધિકારી તરીકે ફરજ બજાવતા   કે.પી.વ્યાસ વય  મર્યાદાને કારણે નિવૃત થતા હોઈ તેથી તમને  અહીની  વાણીજ્ય વેરા સ્ટાફ તેમજ ટેક્ષ કન્સલ્ટ આસો.દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી 

            વિદાય સમારંભ માં વેચાણ વેરા વિભાગ માં અધિકારી  દેસાઈચીચ્યા ,ધોળિયા,  હઠીલા,  શાહ ,  મામલદાર  ભોરણીયા , નીખીલ મેહતા,  તેમજ ટેક્ષ આસો. ના પ્રમુખ  મુકેશભાઈ મેર ઉપસ્તિત રહ્યા હતા અને વિદાયમાન   વ્યાસને શાલ ઓઢાડી સન્માન કરી તેમની યાદગીરી રૂપી મોમેન્ટો આપેલ હતો. પત્રકારત્વ કરી વાણીજ્ય વેરા તંત્રમાં ક્લાર્ક થી માંડી એક અધિકારી સુધી પહોચેલા વ્યાસે પોતાની ફરજને વાગોળીફરજ દરમિયાન સાથ અને સહકાર આપનાર તમામ કર્મીઓ અભાર માની હજુ પણ કોઈ કામ હોય તો હાકલ કરવા અનુરોધ કર્યો હતો.

 

 

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના 

અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર 
જેતપુર તા 3
જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયંતીભાઈ રામોલિયાણી પણ નિમણુંકો  થઇ હતી. 
બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજીનામાં  ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સંસ્થા  એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સંપર્ક  દરમિયાન ઉધ્યોગપતિ જયંતિભાઈ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સંખ્યા  વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે. શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?! 
પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયંતીભાઈએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી. અત્રે એ પણ નોંધનીય છે કે આ બંને ઉદ્યોગપતિઓના રાજીનામાથી ખાલી પડેલી જગ્યાઓ પર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરીંગ એશો.ના સભ્ય હરેશભાઈ ગાંધી અને પ્લાઈવુડ એશો.ના સભ્ય જયેશભાઈને રૈયાણીને આમંત્રિત સભ્યો તરીકે નિમાયા હોવાનું ચેમ્બર મંત્રી હરેશ ગઢિયાએ જણાવ્યું છે.

જેતપુરની ભાદર નદીમાંથી રેતી ચોરવાનો સિલસિલો જારી 

વધુ શખ્શો રેતી  ચોરી કરતા પકડાયા 

જેતપુર તા.3

જેતપુરની ભાદર નદીમાં બેરોકટોક રેતીની ચોરીની સંબંધિત ખાણ ખનીજ તંત્રને અનેક વખત ફરિયાદો કરાઈ હોવા  છતાં કોઈએ રેતી ચોરી અટકાવી નહોતી. બીજીબાજુ આ ફરિયાદ સ્થાનિક ડીવાયએસપીને કરાતા તેઓએ રવિવારની રાત્રીના ભાદર નદીમાં ચેકિંગ હાથ ધરતા ત્યાં વરસાદી પાણીથી તણાઈને આવેલી રેતીનો મોટો જથ્થો ચોરતા દેવશી પાલાભૂપત રાણા અને ભીખુ રણમલ સહીત ચાર શખ્શો રેતી ચોરતા ટ્રેકટરો સમેત પકડાઈ જતા તમામ સામે ખનીજ ચોરીનો શહેર પોલીસ દફતરે ગુનો નોંધાવ્યો હતો. સ્થાનિક એસપી જાતે રેતી ચોરીનો મામલો પકડી પાડી કડક કાર્યવાહી કરતા આવી ખનીજ ચોરી સાથે સંકળાયેલ તત્વો ભયભીત બન્યા છે.

જેતપુરના અગ્રણી વેપારીને ભુમાફીયાએ 

આપી જાનથી મારી નાખવાની ધમકી

જેતપુર તા.3

જેતપુરના એક અગ્રણી વેપારીને જુનાગઢના એક ભુમાફીયાએ મોબાઈલ ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ અહી અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા દયાનંદ એન્જીનીયરીંગવાળા પ્રવીણભાઈ મનુભાઈ ગજેરાની જેતપુરની સીમમાં આવેલી જમીન બાબતે લાંબા સમય થયા તકરારો થતી આવે છે.

બીજીબાજુ જુનાગઢના યુવરાજ ગોવાળિયા નામના કોઈ યુવાને સાટાખત કરી દેજે નહીતર જાનથી મારી નાખીશ તેવી પ્રવીણભાઈ ગજેરાને મોબાઈલ ઉપર ધમકી દેતા આ વેપારીએ શહેર પોલીસ દફતરે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવરાજની શોધખોળ આદરી છે.

 

 

 

 

 

જેતપુરના યુવાને ઝેરી દવા પિતા દવાખાને

જેતપુર તા.3

જેતપુરના બાપુની વાડી વિસ્તારમાં રહેતા પ્રજાપતિ યુવાન નીલેશ રમેશભાઈએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે અહીના દવાખાને ખસેડેલ છે. પોલીસે દવાખાને દોડી જઈને નિલેશની પૂછપરછ હાથ ધરી હતી.

KASHYAP JOSHI JETPUR JETALSAR 99742 6282

 

 

 

 

રવિવાર, 2 ઑગસ્ટ, 2015

KASHYAP JOSHI JETPUR JETALSAR

જેતપુર ચેમ્બરમાથી બે  અગ્રણિ ઉધ્યોગપતિઓના અચાનક રાજીનામાથી શહેરભરમા ચક્ચાર
>> જેતપુર તા ૨
>> જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સની તાજેતરમાજ રચાયેલી ન​વી બોડીમા શહેરના મોટા ગજાના બે અગ્રણી ઉધ્યોગ્પતિઓ રાજુભાઇ પટેલ અને જયન્તીભાઇ રામોલિયાણી પણ નિમ્ણુકો થઇ હતી.
>> બિજીબાજુ કોઇ રાજ્કીય સમીકરણો રચાયા હોય કે જે હોય તે પણ ઉપરોક્ત બન્ને ખમતિધર ઉધ્યોગપતિઓ અચાનક રાજિનામા ધરી દેતા શહેરભરમા એવી ચર્ચાઓ જાગી છે કે શહેરની વ્યાપારી સન્સ્થા એવી ચેમ્બર્સ ઓફ કોમર્સ તરફ્થી પોત પોતાના મોઢા ફેરવી લેવામા આ મોટા ગજાના માથાઓને ક્યા પરિબળો અસર કરી ગયા કે તેઓને આમ અચાનક રાજીનામા ધરી દેવા પડ્યા ??
>> કે કઇ બાબતોએ તેઓને આમ કર​વા મજ્બુર કર્યા ?
>> જો કે આ વાતનુ સત્ય ખાળ​વા કરાયેલ સમ્પર્ક દરમિયાન ઉધ્યોગપતિ જયન્તિભાઇ રામોલિયાએ જણાવેલ કે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સમા હાલ પટેલ ઉમેદ્વારોની સન્ખ્યા વધી હોય તેમજ અન્ય ઉમેદ્વારોને તક મળે તે માટે તેઓએ રાજીનામા ધરી દિધા છે.
>> શહેરીજનોમા ચર્ચાતી એક અન્ય ચર્ચા મુજબ ઉપરોક્ત બન્ને માન્ધાતાઓએ વર્તમાન પ્રમુખથી નારાજ થઇને રાજીનામા આપ્યા છે ?!
>> પણ આ વાતને અસમર્થન આપી બન્ને ઉધ્યોગપતિઓ રાજુભાઇ અને જયન્તીભાઇએ જણાવેલ કે ના ભાઇ એવુ કાઇ નથી.
KASHYAP JOSHI JETALSAR JETPUR 99742 62812

શનિવાર, 1 ઑગસ્ટ, 2015

પાલિકાને ચોરો સમજો છો શું ? જેતપુર પાલિકાના પ્રમુખનો આકરો ધ્રુજારો ! ખબરદાર જો સુધરાઈ સભ્ય સિવાય કોઈએ પાલિકામાં અડીંગો જમાવ્યો છે તો !!? કામો માટે અમોને મળો !!!

જેતપુરમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ 

જેતપુર તા.1

જેતપુરના ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતા વિજય મનસુખ ગુજરાતી ના મકાનમાં દેશી દારુ બનતો હોવાની બાતમી પરથી આજે રાજકોટની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફોજદાર ઉનડકટ, ભુરાભાઈ માલીવાડ, નારણ આહીર, નીલેશભાઈ, નરેન્દ્રસિંહ વિગેરેએ વિજયના ઘર પર છાપો મારતા ત્યાંથી દેશી દારુ, દારુ બનાવવાના સાધનો, દારૂનો આથો વિગેરે મળી રૂપિયા 18830/- નો મુદામાલ હાથ લાગતા ફરિયાદી ભુરાભાઈ સહિતની પોલીસે વિજય ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 



પાલિકાને ચોરો સમજો છો શું જેતપુર પાલિકાના પ્રમુખનો આકરો ધ્રુજારો !

ખબરદાર જો સુધરાઈ સભ્ય સિવાય કોઈએ પાલિકામાં 

અડીંગો જમાવ્યો છે તો !!? કામો માટે અમોને મળો !!!

જેતપુર તા.1

જેતપુર નવાગઢ નગર પાલિકામાં લાંબા સમય થયા સુધરાઈ સભ્યો સિવાયના અડીંગો જમાવી બેસી રહેતા ખાનગી લોકોની આંખો ઉઘડે તે માટે જારી કરેલ એક પરિપત્રની શહેરભરમાં ચર્ચાઓ જાગી છે.

આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ રમાબેન રામજીભાઈ મકવાણાએ આજે આકરા મિજાજ વચ્ચે જે.મ્યુ.જા.નં.276 - ''કાર્યાલય આદેશ'' કરી એક પરિપત્ર જારી કર્યો છે કે, તેઓના ધ્યાને આવ્યું છે કે અમુક સુધારાઈ સભ્યોના પતિદેવો, કુટુંબીજનો નગર પાલિકામાં દરેક શાખાઓમાં રૂબરૂ જઈને શાખા વડાઓને સીધા હુકુમો કરે છે, આખો દિવસ પાલિકા કચેરીમાં કે કચેરીની શાખાઓમાં બેસી રહે છે અને પાલિકાની કામગીરીમાં વિક્ષેપ કરે છે. આ બધું બંધ કરી સુધારાઈ સભ્ય સિવાય કે તેમના કોઈ સગાવહાલાઓએ નગર પાલિકામાં કામ વગર બેસવું નહિ, કે સત્તા વગર કોઈ રોફ નાં જમાવવો, અને આવા આદેશસમા પરિપત્રની તમામ સુધરાઈ સભ્યો, શાખાના વડાઓ અને ચીફ ઓફિસરને નકલ મોકલી છે. 

કહેવાનું તાત્પર્ય એ છે જેતપુર પાલિકા પ્રમુખે કદાચ મનોમન એવું વિચારી આવો પરિપત્ર જારી કર્યો છે કે પાલિકાને શું સુધરાઈ સભ્યોના સગાવહાલાઓ ચોરો સમજે છે ?? ખબરદાર જો સુધરાઈ સભ્યો સિવાય કોઈએ પાલિકામાં અડીંગો જમાવ્યો છે તો ? કામો હોય તો પાલિકા પ્રમુખ અથવા મુખ્ય અધિકારીને મળો !  આ બાબતે જે હોય તે પણ નગર પાલિકા પ્રમુખના આવા પરિપત્રની શહેરભરમાં સારી ચર્ચા જાગી છે.


ડેડરવા ગામના વૃદ્ધનું શંકાસ્પદ મોત

જેતલસર તા.1

જેતલસર પંથકના ડેડરવા ગામના નંદકિશોર રણછોડભાઈ ભાયાણી (ઉ.વ.65) આજે અચાનક તેમના ઘરે બેભાન થઇ જતા તેમને જેતપુરની સરકારી હોસ્પીટલે ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી. પણ  નંદાભાઇનું રસ્તામાંજ મોત થતા જેતપુર તાલુકા પોલીસના જમાદાર મજ્નુંભાઈ મનાતે વધુ તપાસ હાથ ધરી છે.


ટીંબડીના દેવીપુજક ઉપર હુમલો 

જેતલસર તા.1

પંથકના આરબ ટીંબડી ગામે પ્રવીણ વશરામ દેવીપુજક યુવાનને અગમ્યો કારણોસર ઢોર માર મારનાર હરસુખ અને રણજીત નામના શખ્શો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર મજનુંભાઈએ તપાસ હાથ ધરી છે.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812




 

 

AVSAAN NONDH JETASLAR અવસાન નોંધ


​અવસાન નોંધ :
જેતલસર : ડેડરવા નિવાસી નંદકિશોરભાઈ રણછોડભાઈ ભાયાણી (ઉ.વ.65) તે પરેશભાઈ, મહેશભાઈના પિતા તા.1 ના રોજ અવસાન પામેલ છે. બેસણું તા.3 ના રોજ, સાંજે 4 થી 6, તેમના નિવાસ સ્થાન, ડેડરવા ખાતે રાખેલ છે.
કશ્યપ જોશી જેતલસર-99742 62812

ગુરુવાર, 30 જુલાઈ, 2015

જેતપુરના દેરડી ગામે નાલ ઉઘરાવી રમાડાતા જુગારધામ પર તાલુકા પોલીસ ત્રાટકી રોકડ રૂ.44700 સાથે 10 પંટરો પકડાયા

જેતપુરના દેરડી ગામે નાલ ઉઘરાવી રમાડાતા જુગારધામ પર 
તાલુકા પોલીસ ત્રાટકી રોકડ રૂ.44700 સાથે 10 પંટરો પકડાયા
જેતપુર તા.30
જેતપુર તાલુકાના દેરડી ગામે એક મકાનમાં લાંબા સમય થયા જુગાર રમાડાતો હોવાની બાતમી પરથી ગત મોડી રાત્રીના તાલુકા ફોજદાર કરમટીયાએ સ્ટાફને સાથે રાખી જુગાર દરોડો પાડતા મકાન માલિક સહીત 10 શખ્શો રોકડ રૂપિયા 44700/- સાથે ઝડપાઈ ગયા હતા.
મળતી વિગતો મુજબ જેતપુર તાલુકાના દેરડી ગામે અશોક ઉકા ઉંધાડ નામનો શખ્શ પોતાના ઘરે બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ગઈકાલે જેતપુર તાલુકા ફોજદાર આર.એન.કરમટીયાએ સ્ટાફના મજનુંભાઈ મનાત, દિવ્યેશ આહીર, બાબુભાઈ, વિરમભાઇ વિગેરેને સાથે રાખી મોડી રાત્રીના અશોકના ઘરે જુગાર દરોડો પાડતા, જુગાર રમતા મકાન માલિક અશોક ઉકા, ચંદુ બાબુ તારપરા, કિશોર નાનજી ઉંધાડ, જયસુખ ભીમજી ગોંડલીયા, રાજેશ લીંબા ગોંડલીયા, કિશોર ઘેલા ગોંડલીયા, ભરત વેલજી તારપરા, દિનેશ વલ્લભ બરવાળીયા, મુકેશ વિઠ્ઠલ હદાણી, તથા ગિરધર છગન કોરાટ એમ દસેય શખ્શો રોકડ રૂપિયા 44700 સાથે ઝડપાઈ ગયા હતા. દરોડા દરમિયાન પોલીસને ફોડવા અમુક શખ્શોએ ભારે ઉધામા મચાવ્યા હતા પણ પીએસઆઈ કરમટીયાએ કોઈ મચક નાં આપતા અંતે ગુનો નોંધાયો હતો.
કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812