અનુયાયીઓ

શુક્રવાર, 27 માર્ચ, 2015

નજીવી બાબતે ગોંડલ મહિલા પોલીસની ધરારીના વિરોધમાં જેતપુરની મહિલા આગેવાનોનું પોલીસને આવેદન..

નજીવી બાબતે ગોંડલ મહિલા પોલીસની ધરારીના વિરોધમાં 
જેતપુરની મહિલા આગેવાનોનું પોલીસને આવેદન..
જેતપુર તા.27
જેતપુરમાં નજીવી બાબતે બે પાડોશી મહિલાની તકરાર બાદ સમાધાન થઇ ગયું હોવા છતાં મહિલા હેલ્પલાઈનમાં કરાયેલી ફરિયાદની વાતમાં ગોંડલના એક મહિલા પોલીસ દ્વારા ધરાહાર પોલીસ ફરિયાદનો આગ્રહ રખાતા આ વાતના વિરોધમાં શહેરના મહિલા આગેવાનોએ રેલી યોજી સ્થાનિક પોલીસને આવેદન આપ્યું હતું.
આ અંગેની વિગતો મુજબ જેતપુરના ભાદરના સમા કાંઠા વિસ્તારમાં રહેતા રેખાબેન પ્રકાશભાઈ બગડા અને પાડોશી મીનાબેન ધનજીભાઈ રાઠોડ વછે નજીવી વાતમાં ચકમક ઝરતા રેખાબેને મહિલા હેલ્પ લાઈન નંબર 181 ની સેવાનો ઉપયોગ કર્યો હતો.
દરમિયાન ગોંડલ પોલીસના મહિલા પોલીસ ઝાલાએ મારતે ઘોડે જેતપુર દોડી આવી તપાસ આદરી તે વખતે રેખાબેનને ધરાહાર પોલીસ ફરિયાદ માટે મજબુર કરાયા હતા. આવા સમયે જેતપુર નગર પાલિકાના મહિલા સદસ્ય શારદાબેન વેગડાએ રેખા અને મીના વચ્ચે સમાધાન થઇ ગયું હોય હવે પોલીસ ફરિયાદનો કોઈ અર્થ ન હોવાની વાત દોહરાવી હોવા છતાં ઉક્ત મહિલા પોલીસ ટસના મસ નાં થતા આ મામલો પોલીસ દફતરે પહોંચ્યો હતો.
આ વાતના વિરોધમાં એટલેકે એક બાજુ સરકાર નારી સુરક્ષાની વાતો કરે છે અને બને તેટલા બનાવોને સમાધાનોમાં ફેરવવાને બદલે માથે ઉભા રહી પોલીસ ફરિયાદમાં બળજબરી આચરવામાં આવે તો આમાં નારી ક્યાંથી સુરક્ષિત બને ? તેવા સવાલો સાથે શારદાબેન વેગડા, સહેનાઝ્બેન બાબી વિગેરે મહિલા આગેવાનોની આગેવાની તળે મહિલાઓની મોટી સંખ્યાએ રેલી યોજી, શહેર પોલીસ થાણે દોડી જઈ પીઆઈ ગોહિલને એક આવેદન સુપરત કરી, ગોંડલના મહિલા પોલીસ સામે શિક્ષાત્મક પગલા ભરવાની માંગ દોહરાવી હતી.

કશ્યપ જોશી  જેતપુર 9974262812 


મંગળવાર, 24 માર્ચ, 2015

JETALSAR : JETPUR COURT DWARA KHEDUTNE 2 MAHINAANI SAJA KASHYAP JOSHI JETALSAR

જેતપુરના લુણાગરા ગામે વીજ કર્મીને ફરજમાં રુકાવટ ઉભી કરી 
મારી નાખવાની ધમકી આપનાર ખેડૂતને 2 મહિનાની સજા ફટકારતી જેતપુરની કોર્ટ 
જેતપુર તા.24
જેતપુર તાલુકાના લુણાગરા ગામે આજથી 3 વર્ષ પહેલા એક વીજ કર્મચારીને ફરજમાં રુકાવટ ઉભી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર એક ખેડૂતને જેતપુરની કોર્ટે ગઈ કાલે 2 મહિનાની સજા અને રૂપિયા 500 નો દંડ ફટકાર્યો હોવાનું સરકારી વકીલ ડી.બી.પંચાલે જણાવ્યું હતું.
આ બાબતે મળતી વિગતો મુજબ જેતપુર વીજ કંપનીની ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના સર્વેયર ડાયાભાઇ લખમણભાઈ ભુવા આજથી 3 વર્ષ પહેલા એટલેકે તા. 19-5-2012 ના રોજ જેતપુર તાલુકાના લુણાગરા ગામે એચવીડી-5 ફીડરનું અન્ય સ્ટાફ સાથે કામકાજ કરી રહ્યા હતા.
ત્યારે કેશુ ભૂરા ભૂવાના પુત્ર રસિક કેશુએ લોખંડનો પાઈપ લઈને ડાયાભાઇ પાછળ દોડી, ફરજમાં રુકાવટ ઉભી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ડાયાભાઇ સહિતનો વીજકંપનીનો સ્ટાફ ગામમાંથી ચાલ્યો ગયો હતો.
દરમિયાન વીજકર્મી ડાયાભાઇએ વીરપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રસિક કેશુ સામે 504, 506(2), 186 અને જીપીએક્ટ ની કલમ 135 મુજબ ગુનો નોંધી ધોરસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજીબાજુ પોલીસે પૂરતા પુરાવાઓ સાથે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરેલ. જે બનાવનો કેઈસ ગઈકાલે મીન જ્યુડી.મેજી.ફ.ક. ડી.જે.રાજપૂત(જેતપુર)ની કોર્ટમાં ચાલી જતા, એપીપી ડી.બી.પંચાલની દલીલોને ધ્યાને લઇ જજ રાજપૂતે આરોપી રશિક કેશુને આઈપીસી કલમ 186 માં તકસીરવાન ઠેરવી 2 માસની સજા અને રૂપિયા 500 નો દંડ તેમજ દંડ નાં ભરે તો 15 દિવસની સજાનો હુકમ કર્યો હતો. કોર્ટસુત્રોએ જણાવેલ કે હાલતા ચાલતા સરકારી કર્મચારીઓની ફરજમાં રુકાવટ કરનાર તત્વો માટે આ ચુકાદો લાલબત્તી સમાન ગણાવી શકાય.
કશ્યપ જે.જોશી જેતલસર જેતપુર 9974262812

સોમવાર, 23 માર્ચ, 2015

JETPURMA SHAHID DIN NIMITTE PUSHPAANJALI YOJAAYEE..KASHYAP JOSHI JETPUR JETALSAR

આજે 23 મી માર્ચ ને શહીદ દિન નિમિત્તે જેતપુર ખાતે શિવાજી ચોકમાં રાષ્ટ્રીય  સેવક સંઘ (આરએસએસ) દ્વારા વીર સપુતોને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જાહેર જનતાએ લાભ લીધો હતો.I 

KASHYAP JOSHI JETPUR JETALSAR 9974262812

 

 

રવિવાર, 22 માર્ચ, 2015

જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું કંકાલ મળી આવતા ચકચાર પૂર્ણ



જેતપુરના સાડી કારખાનામાં ભેદી રીતે કિશોરના મોતથી ચકચાર 

જેતપુર તા.22

ગઈ કાલે જેતપુરના એક સાડી કારખાનામાં મોતને ભેટેલા એક કિશોરના બનાવે સર્જેલા ભેદભરમના આટાપાટા વિંધવા પોલીસે કવાયત આદરી છે.

 મળતી વિગતો મુજબ ગઈ મોડી રાત્રીના જેતપુરના ભાદરના સામા કાંઠા વિસ્તારમાં આવેલ શિયારામ નામના સાડી કારખાનામાં રહેતા કોળી 

વિશાલ  મનસુખભાઈ મકવાણા (..15) ની ડેડબોડી પીએમ માટે અહીની સરકારી હોસ્પીટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ   બારાની  શહેર પોલીસને જાણ કરી હતી.

બીજીબાજુ સરકારી હોસ્પિટલ ના મેડીકલ ઓફિસર ડોક્ટર કૌશિક ધીરજલાલ ઢોલરીયાએ વિશાલના મૃતદેહનું પીએમ કરી વિશેરા લઇ વિશેષ ચકાસણી માટે રાજકોટ મેડીકલ કોલેજ તરફ મોકલ્યા છે. હોસ્પિટલ મેદાનમાં વીજ શોક લાગવાથી વિશાલનું મોત થયાની ચર્ચાઓ બાબતે પૂછપરછ દરમિયાન ડો.ઢોલરીયાએ જણાવેલ કે વિશાલનું મોત વીજશોક થી તો થયુજ નથી પણ તેના મોતનું ચોક્કસ કારણ જાણવા વિશેરા રાજકોટ મોકલાયા હોય, પીએમ રીપોર્ટમાં ડેથ ઓફ કોઝ આવી જશે

બાબતે જે હોય  તે પણ ભેદભરમના આટાપાટા સર્જનાર બનાવને ભોમાં ભંડારી દેવાની કવાયાતોને ફગાવી પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે.  

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

 

 

જેતપુરના દેરડી રોડ પરથી માનવ જેવું 

કંકાલ મળી આવતા ચકચાર 

જેતપુર તા.22

આજે સાંજે જેતપુરના દેરડી રોડ પરથી એક માનવ જેવું જણાતું માનવ કંકાલ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે કંકાલ કબજે કરી તેના પ્રુથકરણની વિધિ હાથ ધરી છે.

શહેરભરમાં ચકચાર  જગાડનાર બનાવની મળતી વિગતો મુજબ જેતપુરના દેરડી રોડ  પાંજરાપોળની ઘાંસની વીડીમાં માનવ ખોપડી પડી હોવાની જાણ પરથી ઇન્ચાર્જ પીઆઈ સંઘાણી સહિતનો પોલીસ કાફલો દેરડી રોડ પર દોડી જતા એક ખોપડી અને છુટા છુટા અસ્થીઓ મળી આવતા પોલીસે તે કબજે લઇ જેતપુરની સરકારી હોસ્પીટલે લઇ ગયા  હતા. જ્યાંથી ફરજ પરના તબીબી સુત્રોએ અસ્થીઓ ખરેખર માનવના છે કે કેમ ? તેની ચકાસણી માટે રાજકોટ ફોરેન્સિક લેબોરેટરી તરફ મોકલ્યા છે. હાલ  માનવ જેવા જણાતાં કંકાલની તપાસ  ફોજદાર જાડેજાએ હાથ ધરી છે.  

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

 

 

 

 

 

જેતપુરમાં BAPS સત્સંગ મંડળના 60 સ્વયં સેવકોએ એસટી બસસ્ટેન્ડ સાફ કર્યું

સરકારના સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા 
જેતપુરમાં BAPS સત્સંગ મંડળના 60 
સ્વયં સેવકોએ એસટી બસસ્ટેન્ડ સાફ કર્યું 
જેતપુર તા.22
આજે જેતપુર શહેરના એસટી બસ સ્ટેન્ડમાં  બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા સાફસફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
સવારના 9 વાગ્યે ગોંડલથી પધારેલા અમૃતચરણદાસ  સ્વામી તથા સત્સંગપ્રિયદાસ સ્વામી સહિતના હરી ભક્તોએ એસટી ડેપો સુત્રોની હાજરીમાં સ્વચ્છતા અભિયાન પ્રોજેક્ટનું દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ બીએપીએસ સ્વામીનારાયણ મંદિર જેતપુરના 60 હરિભક્તો-સ્વયંસેવકો આખા બસસ્ટેન્ડને પાણીથી ધોઈ, પાન-પિચકારીના ડાઘો ઘસી ઘસીને કાઢી ખરા અર્થમાં વાંકુ વળીને કે પેન્ટના પાઈશા બેવડા વાળવામાં જરા પણ નાનપ અનુભવ્યા વગર સુંદર સ્વચ્છતા હાથ ધરી હતી.
કશ્યપ જે. જોશી   જેતપુર જેતલસર 9974262812


શનિવાર, 21 માર્ચ, 2015

AVSAAN NONDH JETPUR KASHYAP JOSHI JETPUR JETALSAR અવસાન નોંધ : જેતપુર :

અવસાન નોંધ : જેતપુર : 
જેતપુર: રતિલાલ ભગવાનજીભાઈ માત્રાવાડીયા (ઉ.વ.72) તે ઉમેશભાઈ (નિવૃત હેડ ક્લાર્ક-પાલિકા જેતપુર), નિર્મલાબેન જીવાણી(અમરેલી)ના વડીલબંધુ, રાકેશભાઈ, પારસભાઈ,વિમલભાઈ, જીગ્નેશભાઈ,મીતેશભાઇ(આકાશ એજન્સી), જ્યોતિબેન જીવાણી(જુનાગઢ) તથા જયશ્રીબેન અભાણી(રાજકોટ)ના પિતા તા.21 ના રોજ અવસાન પામ્યા છે.ઉઠમણું તા.23 ને સોમવારે સાંજે 4 થી 6, નવી લોહાણા મહાજન વાડી, નવાગઢ સ્ટેશન રોડ, જેતપુર ખાતે રાખેલ છે.

જેતપુર: વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સવજીભાઈ મનજીભાઈ નળીયાપરા(ઉ.વ.82) તે ભરતભાઈ, મનહરભાઈ, કિશોરભાઈ, પ્રવીણભાઈ તથા રમેશભાઈના પિતા તા.23 ના રોજ અવસાન પામેલ છે.બેસણું તા.23 ને સોમવારે સાંજે 4 થી 6, બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, લાખાવાળા દરબારગઢ, જેતપુર ખાતે રાખેલ છે.

કશ્યપ જે. જોશી જેતપુર જેતલસર - 9974262812



[New post] જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY’S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें

 જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY'S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें



kjoc posted: "જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે ---------------------------------------------------------------------- જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન ----------------------------"
Respond to this post by replying above this line

New post on AAO HUM SUB MILE

જેતપુર શહેરના આજના વિવિધ સમાચારો TODAY'S NEWS VERITES OF JETPUR CITY आज की अलग अलग जेतपुर शहर की खबरें

by kjoc

જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે
----------------------------------------------------------------------
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને
વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન
------------------------------------------------------------------------
જેતપુર તા.21
કોઈ પણ જાતના ફંડ ફાળા વગર જેતપુરમાં અનેકવિધ અવિરિત સેવાઓ કરતી સંસ્થા જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અહીના મુખ્ય સ્મશાનઘટમાં એક અસ્થીકુંભ મુકાયો છે. જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાય છે. આ કુંભ પૂર્ણ ભરાય જાય એટલે તેનું વિસર્જન દર વખતે હરિદ્વાર ખાતે વિધિવત કરાય છે.
પણ આ પહેલા અસ્થીકુંભને વિદાયમાન આપવાનો અને સદગતના આત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા પણ યોજવામાં આવે છે. વર્ષો થયા કરાતી આવી સેવાનો સિલસિલો ચાલુ રાખી સંસ્થાના દેવકુભાઈ બાબરિયા અને ગીરીશભાઈ રાજગોરના સાથ સહકાર વચ્ચે આગામી તા.26.3. ને ગુરુવારે, રાત્રે 8 કલાકે, કણકિયા પ્લોટ માં આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્થિકુંભ વિદાય અને પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે.
જેમાં મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા જીથુડી હનુમાનજીના મહંત પ.પુ.108 શ્રી રામદયાલદાસજી બાપુ, નવા રણુજા ગોલીડાના મહંત શ્રી કરશનદાસબાપુ તથા વાસુકી મંદિર મોણપરના પુ.ગીતાબા ખાસ હાજર રહેશે. પ્રવિણ અદાના હસ્તે થનાર અસ્થિ કુંભ પૂજન વિધિ સહિતના આ ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

જેતલસર પંથકના ડેડરવા ગામે આજથી ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ
જેતલસર તા.21…..જેતલસર પંથકના ડેડરવા ગામે સૌ પ્રથમ વખત આજે તા.22.3. થી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગામના યુવા ગ્રુપ દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં 25-30 ટીમો એકબીજા વચ્ચે ટકરાશે, વિજેતા અને રનર્સઅપ ટીમોને રોકડ પુરુસ્કાર તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝને ટ્રોફી એનાયત કરાશે. નાનકડા એવા ગામમાં શેરી-ગલીના ક્રિકેટને ટુર્નામેન્ટમાં ફેરવનાર ડેડરવાના યુવાનો મોટેરાઓમાં પ્રસંશાપાત્ર બન્યા છે.

અમરનગર ગામે મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતલસર તા.21
આગામી તા.2.4.2015 ના રોજ તાલુકાના અમરનગર ગામે જૈન દેરાસરમાં મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધુમથી ઉજવાશે. આ દિવસે સવારથીજ દર્શનાર્થે મંદિર ખૂલ્લુ મુકાશે. તેમજ દર્શનાર્થીઓને દેવળકીવાળા બટુકભાઈ એમ.મહેતા દ્વારા પ્રભાવના આપવામાં આવનાર હોય, નાત જાતના ભેદભાવ વગર ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો લાભ લેવા જણાવાયું છે.

વાલી મંડળ જેતપુરના હોદેદારો
જેતપુર તા.21
તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને કાળાભાઈ ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા, શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.
(કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812)

kjoc | March 21, 2015 at 1:46 pm | Categories: Uncategorized | URL: http://wp.me/pt3KD-1M

Comment    See all comments    Like

Unsubscribe to no longer receive posts from AAO HUM SUB MILE.
Change your email settings at Manage Subscriptions.

Trouble clicking? Copy and paste this URL into your browser:
https://kjoc.wordpress.com/2015/03/21/%e0%aa%9c%e0%ab%87%e0%aa%a4%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0-%e0%aa%b6%e0%aa%b9%e0%ab%87%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be-%e0%aa%86%e0%aa%9c%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%bf%e0%aa%a7/

Thanks for flying with WordPress.com


KASHYAP JOSHI JETALSAR

વાલી મંડળ જેતપુરના હોદેદારો 

જેતપુર તા.21

તાજેતરમાં જેતપુરમાં રચાયેલ જેતપુર નવાગઢ શહેર વાલી મંડળના મુખ્ય હોદાઓ ઉપર હોદેદારોની નિમણુંકો કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખોમાં મહમદભાઈ સાંઘ અને ચાવડા, સેક્રેટરી તરીકે જીતેન્દ્ર લાડવા, જોઈન્ટ સેક્રેટરી તરીકે જતીન દેગડા,  શૈલેશ સાવલિયા(ખજાનચી) અને સહ ખજાનચી તરીકે વિનોદ જોશી ની નીમણુંકો કરાઈ હોવાનું જણાવાયું છે.

કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

JETASLAR NEWS : KARSHYAP JOSHI JETALSAR

અમરનગર ગામે મહાવીર ભગવાનની 
જન્મ જયંતી ધામધૂમથી ઉજવાશે
જેતલસર તા.21
આગામી તા.2.4.2015 ના રોજ તાલુકાના અમરનગર ગામે જૈન દેરાસરમાં મહાવીર ભગવાનની જન્મ જયંતી ધામધુમથી ઉજવાશે.  આ દિવસે સવારથીજ દર્શનાર્થે મંદિર ખૂલ્લુ મુકાશે. તેમજ દર્શનાર્થીઓને દેવળકીવાળા બટુકભાઈ એમ.મહેતા દ્વારા પ્રભાવના આપવામાં આવનાર હોય, નાત જાતના ભેદભાવ વગર ધર્મપ્રેમી જનતાએ આ ઉત્સવનો લાભ લેવા જણાવાયું છે.કશ્યપ જોશી જેતલસર જેતપુર 9974262812

JETALSAR NEWS : KASHYAP JOSHI JETALSAR 9974262812

જેતલસર પંથકના ડેડરવા ગામે 
આજથી ટેનીસ ક્રિકેટ ટુર્ના.નો પ્રારંભ 
જેતલસર તા.21
જેતલસર પંથકના ડેડરવા ગામે સૌ પ્રથમ વખત આજે તા.22.3. થી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. ગામના યુવા ગ્રુપ દ્વારા યોજાનાર આ ટુર્નામેન્ટમાં 25-30 ટીમો એકબીજા વચ્ચે ટકરાશે, વિજેતા અને રનર્સઅપ ટીમોને રોકડ પુરુસ્કાર તેમજ મેન ઓફ ધી મેચ અને સીરીઝને ટ્રોફી એનાયત કરાશે. નાનકડા એવા ગામમાં શેરી-ગલીના ક્રિકેટને ટુર્નામેન્ટમાં ફેરવનાર ડેડરવાના યુવાનો મોટેરાઓમાં પ્રસંશાપાત્ર બન્યા છે.
કશ્યપ જોશી જેતલસર 9974262812

જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન

જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ દ્વારા આગામી ગુરુવારે 
જેતપુરના સ્મશાનઘાટમાં પૂર્ણ રીતે ભરાયેલ અસ્થી કુંભને 
વિદાયમાન કાર્યક્રમ અને પ્રાર્થનાસભાનું આયોજન 
જેતપુર તા.21
કોઈ પણ જાતના ફંડ ફાળા વગર જેતપુરમાં અનેકવિધ અવિરિત સેવાઓ કરતી સંસ્થા જેતપુર સોશ્યલ બ્લડ ડોનર ગ્રુપ ટ્રસ્ટ દ્વારા અહીના મુખ્ય સ્મશાનઘટમાં એક અસ્થીકુંભ મુકાયો છે. જેમાં મૃતકોના અસ્થીઓ પધરાવાય છે. આ કુંભ પૂર્ણ ભરાય જાય એટલે તેનું વિસર્જન દર વખતે હરિદ્વાર ખાતે વિધિવત કરાય છે.
પણ આ પહેલા અસ્થીકુંભને વિદાયમાન આપવાનો અને સદગતના આત્માઓની શાંતિ માટે પ્રાર્થનાસભા પણ યોજવામાં આવે છે. વર્ષો થયા કરાતી આવી સેવાનો સિલસિલો ચાલુ રાખી સંસ્થાના દેવકુભાઈ બાબરિયા અને ગીરીશભાઈ રાજગોરના સાથ સહકાર વચ્ચે આગામી તા.26.3. ને ગુરુવારે, રાત્રે 8 કલાકે, કણકિયા પ્લોટ માં આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિર ખાતે અસ્થિકુંભ વિદાય અને પ્રાર્થનાસભાનું આયોજન કરાયું છે. 
જેમાં મૃતકોના સ્વજનોને આશીર્વચન આપવા જીથુડી હનુમાનજીના મહંત પ.પુ.108 શ્રી રામદયાલદાસજી બાપુ, નવા રણુજા ગોલીડાના મહંત શ્રી કરશનદાસબાપુ તથા વાસુકી મંદિર મોણપરના પુ.ગીતાબા ખાસ હાજર રહેશે. પ્રવિણ અદાના હસ્તે થનાર અસ્થિ કુંભ પૂજન વિધિ સહિતના આ ધાર્મિક કાર્યક્રમોમાં ધર્મપ્રેમી જનતાને હાજર રહેવા સંસ્થાએ અનુરોધ કર્યો છે.

                 (કશ્યપ જે.જોશી જેતપુર જેતલસર 9974262812)