LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
મંગળવાર, 25 સપ્ટેમ્બર, 2012
UPA 'cheating' youth with false promises of creating jobs for them, says Narendra Modi at Vivekananda Yuva Parishad
From: Future Gujarat <futuregujarat@gmail.com>
Date: Sun, 23 Sep 2012 11:21:25 -0500
Subject: UPA 'cheating' youth with false promises of creating jobs for
them, says Narendra Modi at Vivekananda Yuva Parishad
To: kkumarjoshi@gmail.com
UPA 'cheating' youth with false promises of creating jobs for them,
says Narendra Modi at Vivekananda Yuva Parishad
North Gujarat was earlier famous for its droughts but today from
industry, agriculture to a solar park that drew the world's attention
this region has made unprecedented development strides in the last
decade.
>
> At the Vivekananda Yuva Parishad in Patan, Narendra Modi recounted this journey of development and inaugurated a medical college in Dharpur. He spoke about the anti-Gujarat mindset prevalent in Delhi.
Watch Narendra Modi's complete speech at Patan here.
"The Centre itself does not have capacity to provide adequate gas
cylinders and moreover, by rationing the gas cylinders, it compels
people to buy gas at high prices from black market".
>
> The common man of this country is reeling under severe price rise and to top it all, the UPA expects households to run on mere 6 cylinders per year. Narendra Modi has come out all guns blazing against this anti-people attitude. He has also spoken against the UPA's continuous refusal to allow Gujarat to work on its pipeline gas network that can possible save crore of rupees that otherwise go in the form of subsidies.
Read more about Narendra Modi's bold stand on the UPA's flawed
decision on cooking gas that has been unequivocally hailed.
"Gujarat's Adivasi belt will become the golden corridor of Gujarat's progress!"
In an inspiring speech at Vivekananda Yuva Parishad at Dahod, Narendra
Modi spoke about the initiatives of the state Government for the
development of the Tribal communities. He expressed surprise at Dr.
Manmohan Singh's statement that 'money does not grow on trees' and
asked what better trees of money does the Congress want than 2G and
coal scam? The programme was very well attended by youngsters.
"Gujarat has performed impressively under Narendra Modi."
>
> This is the argument that emerges out of noted economist and Columbia don Professor Arvind Panagariya in his latest piece for the Economic Times. From agriculture to manufacturing to education Professor Panagariya lists out various sectors where Gujarat's development strides have been unparalleled in the last decade.
Read Professor Panagariya's article here.
Did you know that when he was touring India, Swami Vivekananda spent
the maximum time in Gujarat?
>
> During the Vivekananda Yuva Vikas Yatra today, Narendra Modi paid tributes to Swami Vivekananda and spoke about the development in Gujarat over the last ten years.
Here are some wonderful pictures from the day's Yatra.
EMULATE GUJARAT!
This was the message that went loud and clear Maritime Business Summit
held in Vishakhapatnam, where the eastern states were asked to learn
from Gujarat in strengthening their ports, the way Gujarat has.
"We are very much interested to set up joint ventures in Gujarat,
particularly in the sector of renewable sources of energy… To us in
Poland, the vibrant economy of Gujarat is an example which we should
sincerely emulate"
This is what a senior official in the Polish Finance Ministry said.
The development of Gujarat is truly a phenomenon that has transcend
India and made its mark on the world stage.
The land and its hardworking people are drawing many companies to the state.
In some wonderful news, leading American chemical companies are lining
up to invest in Gujarat! Development at its fullest….
Beautiful Flowers In The World
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Mon, 24 Sep 2012 12:00:24 +0800 (SGT)
Subject: Beautiful Flowers In The World
To: Amit Vaghela <amit_vaghela16@yahoo.com>
The 15 Most Beautiful Flowers In The World
Canna
Cannas not only feature pretty blossoms, but also beautiful leaves
(often likened to that of the banana plant) that come in a variety of
stunning colors. Popularized in Victorian times, Cannas are popular
garden plants.
Cherry Blossom
The unofficial flower of Japan, the spectacular display of
blossoms that arrive in the spring are celebrated by festivals both in
Japan and the U.S. The most popular colors are white and pink. They are
beautiful while on the trees and remain a stunning sight even after
carpeting the ground.
Colorado Columbine
Growing high in the Rocky Mountains, the Colorado Columbine is a
welcome reward for the enterprising climbers of Colorado's 14,000-foot
high mountains. Picking one in the wild carries a fine ($5-$50 depending
on the Ranger who catches you)!
Hydrangea
Magical snowball puffs in fall: gorgeous. The clusters of
star-shaped blossoms, often found in delicate pastel hues, embody
innocence. They are popular in wedding bouquets and as garden flowers.
Lily of the Valley
A delicate and fragrant sign of spring, the Lily of the Valley has
inspired a number of legends. One such Christian legend explains that
the tears that Mary shed at the cross turned to Lilies of the Valley,
prompting the flower to sometimes be referred to as "Our Lady's Tears."
Another legend tells of Lilies of the Valley springing from the blood of
St. George during his battle with the dragon.
Calla Lily
While visually stunning and elegant, this beautiful flower is
actually a member the poisonous species, Zantedeschia. All parts of the
plant are highly toxic, with the capability to kill livestock and
children if ingested.
Black Eyed Susan
The black eyed susan, a cheerful wildflower, is a perennial that
serves as a beautiful back drop in any garden. The contrast of the
bright gold yellow petals and dark middle makes it any easy one to spot
and recognize. This official drink of the Preakness stakes horse race
is named after this flower, consisting of 2 parts Bourbon whiskey, 1
part citrus vodka, 3 parts sweet & sour mix, one part orange juice
and garnished with orange and a cocktail cherry.
Bleeding Heart
These whimsical, almost fairy-like blossoms are a traditional
favorite in shady gardens. The flowers are either red, pink or white and
appear in April-June.
Blue BellsIn
spring, many European woods are covered by dense carpets of this
flower; these are commonly referred to as "bluebell woods". It is
thought that they were named by the romantic poets of the 19th century,
who felt they symbolized solitude and regret.
Lantana
These delicate flowers, with their pink and yellow petals, are
butterfly magnets. The bush can grow to be quite large and the color of
the petals change as the plant ages. Beware - Lantana is considered a
weed by many that is quite difficult to get rid of.
Rose
Roses are one of the most romantic and wonderfully scented of
flowers. The giving of roses is steeped in tradition and cultural
meaning, from the yellow rose of friendship to the deep red rose of true
love.
Oriental Poppy
This perennial poppy has a delicate and striking color. After
flowering in the spring, their foliage dies back entirely, only to grow
new leaves once again with the autumn rains. The Oriental Poppy is the
flower of The Wizard of Oz.
Mussaenda erythrophylla (Ashanti Blood, Red Flag Bush, Tropical Dogwood)
These plants are native to the Old World tropics, from West Africa
through the Indian sub-continent, Southeast Asia and into southern
China. The beautiful red and yellow petals are a real showstopper. A
favorite of not only of gardeners, but also butterflies, bees and
hummingbirds.
Begonia
The first Begonia was introduced into England in 1777. Now one of the
most popular flowers grown in the United States, Begonias are prized
for their flowers as well as their leaves. This versatile plant can be
grown either inside or out.
Ixora
Ixora flowers, also commonly called West Indian Jasmine, are often
used in Hindu worship, as well as in Indian folk medicine. This plant
has traditionally been associated with enhanced sexuality and the
re-kindling of passion. Who wouldn't want that as a gift!
Dendrobium
Dendrobium is a large genus of tropical orchids that include over a
thousand species. The sprays of flowers are so delicate and yet so
perfectly formed, they appear magical.
Dahod Anaj Market's Khaat-Muhurt News & Photo's
From: Sachin Desai <sachin_dokiyu@yahoo.co.in>
Date: Tue, 25 Sep 2012 02:08:50 +0800 (SGT)
Subject: [Dahod-online:1172] Dahod Anaj Market's Khaat-Muhurt News & Photo's
To: GOOGLE GROUPS <dahod-online@googlegroups.com>
Cc: "GOPI B.SHETH" <dostiyaarki@gmail.com>, GOPI SHETH <gsheth@comcast.net>
ગુજરાતમાં અગ્રીમ પંક્તિનું સ્થાન ધરાવતા
દાહોદના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે
દાહોદ અનાજ માર્કેટ ખાતે
તા:૨૪-૦૯-૨૦૧૨ ના રોજ ઓફીસ, સ્ટોલ્સ,
તથા ગોડાઉન કાજેના નિર્માણ થનાર
વિભાગનું ખાતમુહૂર્ત ગુજરાતના રાજ્યકક્ષાના
મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર તથા જીલ્લા ભાજપ
પ્રમુખ શ્રી મહેશભાઈ ભુરીયાના હસ્તે રાખવામાં
આવ્યું હતું. નગરપ્રમુખ શ્રીમતી સંતોષબેન, અનાજ
માર્કેટના ચેરમેન શ્રી નગરસિંહ પલાસ તથા
વાઈસ ચેરમેન શ્રી કમલેશભાઈ રાઠી સહિતના
અનેક ગણમાન્ય વ્યક્તિઓની પ્રેરક ઉપસ્થિતિમાં
આ પાવન પર્વે અનેક પૂર્વ સંનિષ્ઠ હોદ્દેદારો તથા
પૂર્વ કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા
હતા. અનાજ માર્કેટ ખાતે જ સંપન્ન થયેલ આ
પ્રસંગની વિવિધ તસ્વીરો દાહોદના કપૂર
સ્ટુડીઓવાળા શ્રી મોહંમદી કપૂરના સૌજન્યથી
પ્રાપ્ત થઇ છે.
Regards......આભાર....
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
Regards..
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:-610-500-1103 & M: 094265 95111
E-mail: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com
--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.
"If u lose your mobile in India, you can get it back how ? pl read following" on GUJARATI-ગુજરાતી
From: priya jain <share@gujarati.ning.com>
Date: Mon, 24 Sep 2012 18:07:27 +0000 (GMT)
Subject: Check out "If u lose your mobile in India, you can get it
back how ? pl read following" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "If u lose your mobile in India, you can get it back how ?
pl read following" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Kirtikumar J. Jani:
Got an interesting fact to share.. Nowadays each one of us carries
Hi-Fi Mobile devices and always fears that it may be stolen. Each
mobi...
Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A154727&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8345 members
3065 photos
96 videos
131 discussions
2106 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
"The Beauty of Mathematics and the Love of God! This is TOO cool!" on GUJARATI-ગુજરાતી
From: priya jain <share@gujarati.ning.com>
Date: Mon, 24 Sep 2012 18:09:59 +0000 (GMT)
Subject: Check out "The Beauty of Mathematics and the Love of God!
This is TOO cool!" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "The Beauty of Mathematics and the Love of God! This is TOO
cool!" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Kirtikumar J. Jani:
Just the math part is good enough, the end is even better.
Beauty of Mathematics! !!!!!! 1 x 8 + 1= 9 12 x 8 + 2= 98 123 x 8...
Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A154728&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8345 members
3065 photos
96 videos
131 discussions
2106 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
"સમજ્યા કે નહિં? (સંકલનઃ-પી. કે. દાવડા)" on GUJARATI-ગુજરાતી
From: priya jain <share@gujarati.ning.com>
Date: Mon, 24 Sep 2012 18:34:50 +0000 (GMT)
Subject: Check out "સમજ્યા કે નહિં? (સંકલનઃ-પી. કે. દાવડા)" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "સમજ્યા કે નહિં? (સંકલનઃ-પી. કે. દાવડા)" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by P. K. Davda:
સમજ્યા કે નહિં?
(૧)એક કાગડો એક ખૂબ ઊંચા ઝાડની છેક ઉપરની ડાળીએ બેઠો બેઠો આરામ કરતો હતો.
એટલામા એ ઝાડની નીચે એક સસલો આવ્યો. કાગડાને કંઈપણ કામ...
Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A154878&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8345 members
3065 photos
96 videos
131 discussions
2106 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Tue, 25 Sep 2012 02:25:21 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
જીવનની શુદ્ધિ જ આત્માનો સાક્ષાત્કાર છે
Posted: 24 Sep 2012 10:33 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/3b9jHjO9kyU/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના જીવનની શુદ્ધિ જ આત્માનો સાક્ષાત્કાર
છે ગુણ, કર્મ અને સ્વભાવમાં ઉચ્ચસ્તરનાં તત્વોનો સમાવેશ કરવો એ નવા જીવનની
દિશામાં આગળ વધવાનો મુખ્ય આધાર છે. એના માટે સ્વાધ્યાય અને આત્મચિંતનની દરરોજ
જરૂર ૫ડે છે. દૈનિક કાર્યક્રમમાં, શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓમાં તથા
વર્તણુંકમાં જરૂરી ફેરફાર કરવો ૫ડે છે. આ૫ણે આ૫ણી જાત સાથે [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
આજે મુખ્યમંત્રીશ્રી દ્વારા હાઉસીંગ બોર્ડના આવાસ નિર્માણનું ખાતમુહૂર્ત
વિવેકાનંદ યુવા પરિષદમાં પ્રવચન અને ગણેશ દર્શન
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલ મંગળવાર તા.૨૫/૯/૨૦૧૨ના રોજ શહેરમાં વિવિધ
કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
તદ્અનુસાર, મુખ્યમંત્રીશ્રી સાંજના સવા પાંચ વાગ્યે તુલસીધામ ચોક,
તરસાલી ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા શહેરી આવાસ નિર્માણ આયોજનનું
ખાતમુહૂર્ત કરશે. તેઓશ્રી સાંજના પોણા છ વાગ્યે નવલખી મેદાન પર વિવેકાનંદ
યુવા પરિષદના કાર્યક્રમમાં યુવક મંડળોને વિવિધ રમતોની કીટસનું વિતરણ કરશે
અને યુવા સમુદાયને પ્રેરક ઉદ્બોધન દ્વારા સંદેશ આપશે.
તેઓશ્રી સાંજના સાડા સાત વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી ગણેશોત્સવ
મંડપોમાં શ્રીજીના દર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે વિવેકાનંદ યુવા પરિષદનું આયોજન રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ
મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામીશ્રી નિખિલેશ્વરાનંદજીની વિશેષ
ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે. યુવા પરિષદ સહિતના વિવિધ કાર્યક્રમોમાં
જિલ્લા પ્રભારી અને શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કાયદા
રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહજી જાડેજા, પ્રવાસન રાજ્યમંત્રીશ્રી
જિતેન્દ્રભાઇ સુખડિયા, સંસદીય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, વડોદરા મહાનગર
પાલિકાના મેયર ર્ડા. જ્યોતિબેન પંડયા, વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષા
સુધાબેન પરમાર, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ પદાધિકારીઓ, મહાનુભાવો
અને અગ્રણીઓ ભાગ લેશે.
સાતમા દિવસના ગણેશ વિસર્જનને અનુલક્ષીને આજે નો પાર્કિંગ- નો એન્ટ્રીનો અમલ
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) મંગળવાર તા.૨૫/૯/૨૦૧૨ના રોજ શહેરના
વિવિધ વિસ્તારોમાં ગણેશ વિસર્જન સરધસો નીકળવાના અનુસંધાને શહેર પોલીસ
કમિશનરશ્રીએ એક જાહેરનામા દ્વારા નો પાર્કિંગ, નો એન્ટ્રીનો અમલ બપોરના
બાર વાગ્યાથી વિસર્જનના સમાપન સુધી જાહેર કર્યો છે. તદ્અનુસાર, આ દિવસે
સુરસાગર તળાવની ચારેબાજુ આવેલા વિસ્તારો, લહેરીપુરા, માંડવીથી ચાર દરવાજા
વચ્ચેના વિસ્તારોમાં "નો પાર્કિંગ ઝોન' રહેશે. વિવિધ વિસ્તારોમાંથી
ઉપરોક્ત વિસ્તારોમાં વાહનોના પ્રવેશ માટે નો એન્ટ્રી- પ્રવેશબંધી અમલી
રહેશે. વાહનચાલકોએ અવર-જવર માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ
ઉપરાંત બરોડા ઓટોમોબાઇલથી જેલ રોડ, રાજમહેલ રોડ, દાંડિયાબજાર ચાર રસ્તા,
માર્કેટ ચાર રસ્તા તેમજ આરાધના સિનેમા તરફ થઇને સલાટવાડા, નાગરવાડા ચાર
રસ્તા અને કોઠી ચાર રસ્તાના રોડ પર ફક્ત ટુ વ્હીલર્સને પ્રવેશ મળશે.
વીટકોસની સિટી બસો, ગ્રામ્ય બસો પણ તેમને માટેના વૈકલ્પિક રસ્તાઓ પર
ફરશે.
પંડયા બ્રિજ નીચેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) શહેરના પંડયા બ્રિજ નીચે પલક શ્રીનાથ
ટ્રાવેલ્સ સામેની ફૂટપાથ પર એક અજાણ્યા પુરુષ કુદરતી બીમારીને કારણે મૃત
હાલતમાં તા.૨૩/૯/૨૦૧૨ના રોજ મળી આવ્યો છે. આશરે ૩૫ વર્ષની ઉંમરના મૃતકે
આખી બાંયનો સફેદ બનિયન તથા ભૂરા રંગનો ટ્રેકશુટ પહેર્યો છે. શરીરે મજબૂત
બાંધાનો રંગે ધઉંવર્ણનો અને પાંચ ફૂટ ચાર ઈંચ ઊંચાઇ ધરાવે છે. જેના જમણા
હાથના બાવળા પર હનુમાનજી તથા ઓમનું છૂંદણું ગોફાવેલું છે. તથા હિન્દીમાં
જીવન અને અંગ્રેજીમાં જે લખેલો છે જેના વાલીવારસોને સયાજીગંજ પોલીસનો
સંપર્ક કરવા જણાવાયું છે.
અકોટાનો અસ્થિર મગજનો તરુણ ગુમ
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) ગોત્રી પોલીસ સ્ટેશનની હદના અકોટા
પોલીસ લાઇન સામે માળી મહોલ્લો વડોદરાના સતીશભાઇ રાજપૂતે તેમનો ૧૪ વર્ષનો
દીકરો રોહિત અસ્થિર મગજને કારણે તા.૧૯/૯/૧૨ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના
સુમારે રમતાંરમતાં ગુમ થયો છે. જેની ભાળ મળ્યે ગોત્રી પોલીસ મથકને જાણ
કરવા જણાવાયું છે.
અજાણ્યા પુરુષનું મરણ
વડોદરા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨ (સોમવાર) ફતેગંજ પોલીસ મથક વિસ્તારમાં અંદાજે
૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનું તા. ૫/૦૯/૧૨ના રોજ બીમારીથી મરણ થયું
છે. મૃતકે શરીર પર લાલ રંગનો શર્ટ અને કોફી કલરનો પેન્ટ પહેર્યાં છે.
તેના વાલીવારસોને સત્વરે ફતેગંજ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.
પિતૃતર્પણ રક્ત સમર્પણ શિબિરમાં જીવનરક્ષા માટે ૪૪૪ સેવાભાવીઓએ કર્યું રક્તદાન
વડોદરા.સોમવાર, તા.૨૪/૦૯/૨૦૧૨. રાજ્યના ગૃહ વિભાગના અગ્રસચિવ ડૉ.
એસ.કે.નંદા તેમના સ્વર્ગવાસી શિક્ષણશાસ્ત્રી પિતાજીની પુણ્યતિથીની ઉજવણી
વિવિધ સેવાભાવી સંગઠનોના સહયોગથી રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજીને કરે
છે. તદાનુસાર, હાલમાં શહેર-જિલ્લાના વિવિધ સ્થળોએ સુરક્તમ બ્લડ-બેંક તેમજ
વિવિધ સંસ્થાઓના સહયોગથી પિતૃતર્પણ રક્ત સમર્પણ અક્તદાન શિબિરો યોજવામાં
આવી હતી. જેમાં જીવનરક્ષાની કર્તવ્યનિષ્ઠા સાથે ૪૪૪ સેવાભાવીઓએ રક્તદાન
કર્યું હતું. તેના ભાગરૂપે હાલોલ શિબિરમાં ૪૪, ડભોઇમાં ૫૦, એકદંત યુવક
મંડળ, વાઘોડીયા રોડ ખાતે ૫૧, સંગમ-હરણી રોડ ખાતે ૩૬, અભિલાષા- રાજલક્ષ્મી
ખાતે ૫૦, પ્રતાપનગર પોલીસ કોમ્યુનીટી હોલ ખાતે ૬૨, માંજલપુર- હનુમંત
મંડલની શિબિરમાં ૩૦, હરીનગર ખાતે ૩૦, કબીર કોમ્પ્લેક્ષ ખાતે ૩૬ અને
મકરપુરા યુવક મંડળ શિબિરમાં ૪૫ બોટલ્સ રક્તદાન થયું હતું. ડૉ. નંદા તેમજ
ડૉ. આર.બી. ભેંસાણીયાએ જીવન રક્ષક રક્તદાન માટે જાગૃતિ દાખવનારા શિબિર
યોજકો, રક્તદાતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યાં છે.
આજનો એપ્રેન્ટીસશીપ ભરતીમેળો મોકૂફ
વડોદરા.સોમવાર, તા.૨૪/૦૯/૨૦૧૨. એપ્રેન્ટીસશીપ અધિનિયમ-૧૯૬૧ ના કાયદા હેઠળ
વડોદરા જિલ્લામાં ઇન્સ્ટ્રક્ટર તાલીમ કેન્દ્ર, આઇટીઆઇ કેમ્પ્સ, તરસાલી,
વડોદરા સ્થળ ખાતે તા. ૨૫/૦૯/૨૦૧૨૧, મંગળવારે, રાખવામાં આવેલ એપ્રેન્ટીસ
ભરતીમેળો અનિવાર્ય સંજોગોના કારણે મોકૂફ રાખવામાં આવેલ છે. જેની તમામ
સંબંધિતોને નોંધ લેવા વિભાગીય એપ્રેન્ટીસશીપ સલાહકાર અને નાયબ નિયામક
(તાલીમ), પ્રાદેશિક કચેરી, વડોદરા દ્વારા જણાવાયું છે.
આણંદ
ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૧૦૮ અને ૧૧૦ હેઠળના કેસો ચલાવવાના
અધિકારો સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને અપાયા જયારે કલમ ૧૦૯ હેઠળના કેસો
ચલાવવાના અધિકારો એકજીકયુટીવ મેજીસ્ટ્રેટને અપાયા
આણંદ - સોમવાર- ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ હેઠળના
કેસો ચલાવવાની કામગીરી અગાઉ જે તે તાલુકાના મામલતદાર અને એકઝીકયુટીવ
મેજીસ્ટ્રેટ દ્રારા કરવામાં આવતી હતી પરંતુ આણંદ જિલ્લામાં બે નવા પ્રાંત
શરૂ થતાં કુલ ચાર પ્રાંત કચેરીઓ કાર્યરત થયેલ છે.
આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ગુનાખોરી શરૂઆતથી ડામી શકાય તે
માટે અટકાયતી પગલાં ભરવા ખૂબ જ જરૂરી છે. અટકાયતી પગલાની અસરકારકતામાં
વધારો કરવા માટે ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩ની કલમ ૧૦૮ અને ૧૧૦ હેઠળના
કેસો ચલાવવાની સધળી જવાબદારી હવેથી જે તે વિભાગના પ્રાંત અધિકારી અને સબ
ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નિભાવવાની રહેશે. જયારે ક્રિમિનલ પ્રોસીજર કોડ ૧૯૭૩
ની કલમ ૧૦૯ હેઠળના કેસો ચલાવવાની સધળી જવાબદારી જે તે તાલુકાના મામલતદાર
અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ દ્રારા કરવાની રહેશે.
જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનોએ હવેથી કલમ ૧૦૮, ૧૦૯ અને ૧૧૦ હેઠળના કેસો
ઉપર જણાવ્યા મુજબના સત્તાધિકારીને રજૂ કરવા જિલ્લા મેજીસ્ટ્રેટ-આણંદ
દ્રારા હૂકમ કરવામાં આવ્યા છે.
જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને સૂચના
સેન્ટ્રલ સેકટર મેરીટસની સ્કોલરશીપ મેળવવા અંગે
ધો.૧૨માં ૮૦ ટકાથી વધુ માકર્સ મેળવ્યા હોય તો શિષ્યવૃતિ મેળવવા સંપર્ક કરો
આણંદ - સોમવાર - માર્ચ-૨૦૧૨માં લેવાયેલ ધો-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન
પ્રવાહની પરીક્ષામાં જે વિઘાર્થીઓને ૮૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય
તેવા વિઘાર્થીઓને સેન્ટ્રલ સેકટર મેરીટસ સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. આ
સ્કોલરશીપ મેળવવા અંગેની જાહેરાત ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર
સમાચારપત્રોમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર, ગાંધીનગર દ્રારા પ્રસિધ્ધ કરવામાં
આવેલ છે. તે મુજબ આ સ્કોલરશીપ મેળવવા અંગેના ફોર્મ જે તે શાળાના આચાર્યો
દ્રારા વહેલી તકે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, આણંદ
ખાતેથી અધિકારપત્ર આપી મેળવી લેવા તથા વિઘાર્થીઓને અને વાલીઓને આ
સ્કોલરશીપ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન શાળા કક્ષાએથી આપવા જિલ્લા
શિક્ષણાધિકારી-આણંદ દ્રારા એક યાદીમાં જણાવાયું છે.
નડિયાદ
કુદરતી આપતિઓ-સજાગતા અને સુરક્ષાના ઉપાયો અંગેનો સેમિનારો યોજાયા
કુદરતી આપતિઓ નિવારી શકાતી નથી પણ સજાગતાથી નુકશાની ઘટાડી શકાય છે -શ્રી
સોમકુમાર શુકલ
નડિયાદઃ તા.૧૪ સપ્ટેમ્બર (સોમવાર ) ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને
જી.એસ.ડી.એમ.એ. ગાંધીનગર ધ્વારા સમગ્ર રાજયમાં કુદરતી આપતીઓ અંગે
લોકજાગૃતિ લાવવાના ભાગરૂપે વિવિધ સમુદાયને આવરી લઇને જનજાગૃતિ સેમીનારો
યોજવામાં આવ્યા છે. તદ્દનુસાર ખેડા જિલ્લમાં પણ આવા સેમિનારોનું આયોજન
જિલ્લા માહિતી કચેરી નડિયાદ, ગુજરાત પ્રેસ અકાદમી અને જી.એસ.ડી.એમ.એના
સહયોગથી યોજવામાં આવ્યા હતા.
સેમિનારના વક્તા અને કુદરતી આપતીઓ સમયે વ્યાવસ્થાપનનો બહોળો અનુભવ
ધરાવતા શ્રી સોમકુમાર શુકલાએ સેમિનારમાં જણાવ્યું હતું કે આપતિઓ મોટા
ભાગે બે પ્રકારની હોય છે. માનવ સર્જીત કુદરતી આપતીઓને નિવારી શકાતી નથી.
કારણ કે તે અચાનક આવતી હોય છે. અને મોટા ભાગે જેતે વિસ્તારના મોટા
ક્ષેત્રફળને આવરી લેતી હોય છે. તેમજ જાન-માલને ઘણું નુકશાન પહોચાડતી હોય
છે. તદ્દ ઉપરાંત આવી આપતિઓની તાકાત ખુબ મોટી હોય છે. તેની સામે માનવી
લાચાર બની જાય છે. આવા સમયે જો આપણે અગમ ચેતીથી અને ગભરાયા વગર સુઝબુઝથી
કામ કરીએ તો ઘણી મોટી જાન-માલની નુકશાનને ઘટાડી શકાય છે.
પુર, ભુકંપ અને આગ જેવી કુદરતી હોનારતો કેવી રીતે ઉદભવે છે તેની માનવ
જીવન ઉપર કેવી અસરો થાય છે અને જો આ સમયે અગમચેતી અને સુઝબુઝથી કામગીરી
કરવામાં આવે તો તે સમયે વધુ નુકશાની કેવી રીતે નિવારી શકાય તે અંગે ઝીણવટ
ભર્યું પ્રવચન આપ્યું હતું.
જિલ્લા ખાતે કિરણ વિધાલય, હાથજ, પલાણા હાઇસ્કુલ, જે.એન્ઙ.જે કોલેજ
નડિયાદ, શ્રી જે.એચ.સોનાવાલા હાઇસ્કુલ મહેમદાવાદ, ત્રાજ હાઇસ્કુલ ખાતે
સેમિનાર યોજવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં સંસ્થાના આચાર્યશ્રીઓ, ચેરમેનશ્રી, શિક્ષકશ્રીઓ,
શિક્ષકવૃંદ, પત્રકારશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વિધાર્થી મિત્રો ઉપસ્થિત
રહ્યા હતા.
ખેડા અને કપડવંજ ખાતે કુદરતી આપતિઓ અંગે સજાગતા અને સુરક્ષા અંગેનો
સેમિનારો યોજાયા
આગોતરા આયોજનથી આપતિઓ સામે મહદ અંશે બચાવ કરી શકાય છે
નડિયાદઃ તા.૧૪ સપ્ટેમ્બર (સોમવાર ) ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને
જી.એસ.ડી.એમ.એ. ગાંધીનગર અને ખેડા જિલ્લા માહિતી કચેરી નડિયાદના સહયોગથી
કુદરતી આપતિઓમાં લોક જાગૃતિ લાવવાના ભાગરૂપે જન-જાગૃતિ સેમિનાર
એચ.એન્ઙ.ડી. પારેખ હાઇસ્કુલ ખેડા, અને કપડવંજ બી.એઙકોલેજ ખાતે યોજવામાં
આવ્યો હતો..
ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાંત શ્રી સોમકુમાર શુકલએ આ પ્રસંગે
જણાવ્યું હતું કે કોઇ પણ આપતિઓ હંમેશા મોટા પ્રમાણમાં જાનમાલને નુકશાન
પહોચાડે છે. તેમાય આ આપતિ કુદરતી હોય જેવી કે આગ, પુર, ભૂકંપ જેવી
આપતિઓનું નુકશાન ભરપાઇ કરી શકાય તેવું હોતું નથી. પરંતુ આગોતરૂ આયોજન
કરવામાં આવ્યું હોય તો આવી આપતિઓ સામે મહદુઅંશે બચાવ કરી શકાય છે. અને
મોટી જાનહાની તથા નુકશાન માંથી બચી શકાય છે.
આ પ્રસંગે રાજય સરકારના આ પ્રકારના સેમિનારની પ્રસંશા કરતા બી.એઙ.કોલેજના
આચાર્યશ્રી ડો.પટેલે જાણાવ્યું હતું કે આ કોલેજમાં અભ્યાસ કરતા
વિધાર્થીઓ ભવિષ્યમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં જોડાવનાર હોવાથી તેઓને આ
સેમિનારથી ખુબજ લાભ થશે. અને તેઓ ધ્વારા અનેક વિધાર્થીઓને આ વિષયનું
જ્ઞાન સરળતાથી આપી શકશે. આ પ્રસંગે ખેડા હાઇસ્કુલના આચાર્યશ્રી સેવક,
શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકવૃંદ અને પ્રોફેસરશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં
વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
ગોધરા
પછાત વર્ગો માટે રાજય સરકારે રૂા. ૧૮૦ કરોડનો વધારો કરીને ચાલું વર્ષે
રૂા. ૫૫૭ કરોડનું બજેટ મંજુર કર્યુ છે. ----મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલા
ગોધરા ખાતે રૂા. એક કરોડના ખર્ચે બંધાનાર ડો. આંબેડકર ભવનનો શિલાન્યાસ
વિધિ સમારોહ યોજાયો
ગોધરા,સોમવારઃ — પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે રૂા. એક કરોડના ખર્ચે
બંધાનાર ડો. આંબેડકર ભવનના શિલાન્યાસવિધિ કર્યા બાદ સામાજિક ન્યાય અને
અધિકારિતા મંત્રીશ્રી તથા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ
જણાવ્યું હતુંકે મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકર મહાન અને સમાજ સુધારક
હતા.તેઓ સમજદાર, સવાલદાર, રૂઆબદાર અને જવાબદાર વિદ્વાન નેતા હતા. દેશની
લોકશાહી ખરા અર્થમાં સામાજિક લોકશાહી બને તેવું તેમનુ મંતવ્ય હતું.
મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાએ જણાવ્યું હતુંકે રાજય સરકારે દરેક જિલ્લા
મથકે ડો.આંબેડકર ભવન બને તે માટેની યોજના અમલમાં મૂકીને નાણાંકીય જોગવાઇ
કરી છે. ગુજરાતના ૧૪ જિલ્લાઓમાં ડો. આંબેડકર ભવનો પૂર્ણ કરી દીધા છે.
જયારે ગોધરા-પંચમહાલ, હિંમતનગર-સાબરકાંઠા, નડીયાદ, રાજપીપળા, ભરૂચ, આણંદ,
આહવા ખાતે ડો. આંબેડકર ભવન બાંધવા નાણાંકીય જોગવાઇ કરી વહીવટી મંજુરીઓ
આપી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટમાં ચાલુ વર્ષે રૂા.
૧૮૦ કરોડનો વધારો કરીને રૂા. ૫૫૭ કરોડનું બજેટ ફાળવેલ છે. આવાસ યોજના
માટે રાજય સરકારે ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. જિલ્લા મથકોએ ડો. આંબેડકર ભવનો
સારા બને તે માટે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રૂા. ૪૫ લાખની રકમ
વધારીને રૂા. એક કરોડ કરી છે. તેનો ઉલ્લેખ કરી મંત્રીશ્રી ફકીરભાઇ
વાઘેલાએ જણાવ્યું હતુંકે ભવનના બાંધકામની સાથોસાથ વિદ્યાર્થીઓ માટે
ઉપયોગી એવા પુસ્તકોની લાઇબ્રેરીની સુવિદ્યા પણ કાર્યરત કરી છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પછાત વર્ગોના વિદ્યાર્થીઓને મળી રહે તે
માટે આશ્રમશાળાઓ અને નિવાસી શાળાઓને આપવામાં આવ્યા છે.
ગોધરા ખાતે બંધાનાર ડો. આંબેડકર ભવન માટે બે હજાર ચો.મી. જમીન દાનમાં
આપનાર ગુજરાત હરિજન સેવક સંધના શ્રી અજીતભાઇ જાદવનું મંત્રીશ્રીના હસ્તે
સન્માન કરવામાં આવ્યું હતું.
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવશ્રી સંજય પ્રસાદે
જણાવ્યું હતુંકે ડો.આંબેડકર ભવન સારા બને અને તેનો ઉપયોગ તમામ સમાજના
લોકો કરે તેવી આશા વ્યકત કરી હતી. તેમણે સામાજિક ન્યાય અને અધિકારીતા
વિભાગ દ્વારા પછાત વર્ગો માટેની કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી
આપી હતી.
પંચમહાલ જિલ્લાના સંસદ સભ્યશ્રી પ્રભાતસિંહ ચૌહાણે દેશના બંધારણના
ઘડવૈયા અને મહાન વિભૂતિ ડો.બાબા સાહેબ આંબેડકરના જીવન મૂલ્યો અંગે
વિસ્તૃત માહિતી આપી હતી. જિલ્લા કલેકટર શ્રીમતી મનીષા ચંન્દ્રાએ
સ્વાગત પ્રવચન કર્યુ હતું. આ પ્રસંગે નગરપાલિકા ગોધરાના પ્રમુખશ્રી
રાજેશભાઇ ચૌહાણ, જિલ્લા પંચાયત, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી
ગુલાબસિંહ રાઠવા, અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજયના નિયામકશ્રી
એમ.એ.નરમાવાલા તથા વિશાળ સંખ્યામાં ગોધરા શહેરના નગરજનો ઉપસ્થિત રહ્યા
હતાં.
પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલ આગેવાનો અને પદાધિકારીઓએ
મંત્રીશ્રી ફકીરભાઇ વાઘેલાનું સન્માન કર્યું હતું. જયારે શ્રી રાજેશભાઇ
ચૌહાણે ડો. આંબેડકર અને ગણેશજીની મૂર્તિ મંત્રીશ્રીને અર્પણ કરીને બહુમાન
કર્યું હતું.
સુરતમાં વિવેકાનંદ યુવા પરિષદ યુવાશકિતના સાક્ષાત્કારનું ભાવવિભોર બની અભિવાદન કરતા નરેન્દ્રભાઇ મોદી
યુવાશકિતના સાક્ષાત્કારનું ભાવવિભોર બની અભિવાદન કરતા નરેન્દ્રભાઇ મોદી
સુરત મહાનગરમાં શહેરી માળખાકીય સુવિધા વિકાસના રૂ. ૯૬૩ કરોડના કામોનું
ખાતમૂહૂર્ત જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી
જાન્યુઆરી ઃ ર૦૧૩થી દિવ્ય ભવ્ય ગુજરાતની નિર્માણના પાંચ વર્ષના સ્વર્ણિમ
કાળનો ઉદય થશે - મુખ્યમંત્રીશ્રી
વિકાસ એષઃ પંથાઃ ગુજરાતનો મંત્ર
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સુરતમાં વિવેકાનંદ યુવા પરિષદમાં
વિશાળ યુવાશકિતના સાક્ષાત્કારનું અંતઃકરણથી અભિવાદન કરતાં સમગ્ર દેશ આજે
નિરાશા અને દુર્દશાની ગર્તામાં ધકેલાઇ ગયો છે ત્યારે ગુજરાત એકમાત્ર
વિકાસના એષઃ પંથાઃના માર્ગે વિવેકાનંદના સપના સાકાર કરવા યુવાશકિતને
સામર્થ્યવાન બનાવશે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં તેમને સૌથી લાંબો સમય જનતાની સેવાનો અવસર મળ્યો છે અને હવે
ર૦૧૩ના જાન્યુઆરીથી દિવ્ય અને ભવ્ય ગુજરાતનું પાંચ વર્ષમાં નિર્માણ
કરવાનો નિર્ધાર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
વિવેકાનંદની ૧પ૦મી જન્મ-જ્યંતીની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકારના યુવક
સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વિભાગના ઉપક્રમે ગુજરાતભરમાં સાત યુવા
પરિષદોનું આયોજન મુખ્યમંત્રીશ્રીની નિશ્રામાં થયું છે. આજે આ શ્રેણીની
છઠ્ઠી યુવા પરિષદ સુરતના ઇન્ડોર સ્ટેડીઅમમાં યોજાઇ હતી.
આ અવસરે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરત મહાનગર સેવા સદનના ઉપક્રમે શહેરી
માળખાકીય સુવિધા વિકાસના રૂ. ૯૬૩ કરોડના કામોના શિલાન્યાસની જાહેરાત કરી
હતી.
રાજ્ય સરકારે ગામો અને નગરોમાં યુવાનોના નેતૃત્વ અને ખેલ કૌશલ્યના વિકાસ
માટે વિવેકાનંદ યુવા કેન્દ્રોને પ્રેરિત કર્યા છે તેમને પ્રતિકરૂપે રમતના
સાધનોના કીટ્સ-સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સ્વામિ વિવેકાનંદના જીવનદર્શનની વિશેષતાનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ
મોદીએ જણાવ્યું કે વિવેકાનંદજીએ પોતે ૪૦ વર્ષ પરલોક સિધાવી જશે એવું
લેખમાં જણાવેલું તે અક્ષરશઃ સાચું પડયું. મદ્રાસમાં વિશ્વધર્મ પરિષદ
સંપન્ન કરી વિવેકાનંદજીએ ૧૮૯૭માં કહેલું કે આગામી પ૦ વર્ષ માટે બધા જ
દેવી દેવતાઓને સુવડાવી દો અને પ૦ વર્ષ માત્રને માત્ર ભારતમાતાની જ ભકિત
કરે અને ૧૮૯૭ પછી પ૦ વર્ષ પછી ૧૯૪૭માં દેશ આઝાદ થયો-આ વિવેકાનંદજીનું
આત્મદર્શન હતું. તેમણે ભારતમાતાને જગદ્ગુરૂના સ્થાને વિશ્વનું નેતૃત્વ
કરશે એવી પણ આગાહી કરેલી. આ ત્રીજી આગાહી સાચી પડે તે માટે તેમણે દેશની
યુવાશકિત ઉપર ભારતનું ભાગ્ય બદલવાનો ભરોસો મૂકયો હતો.
કમનસિબે દોઢસો વર્ષ પણ આપણે આ વિવેકાનંદની ભવિષ્ય વાણી સાકાર નથી કરી
શકયા. એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં આઝાદી પછીના નેતૃત્વ એ
દેશના મહાપુરૂષોના સપનાં રોળી નાંખ્યા છે. ર૧મી સદી હિન્દુસ્તાનની સદીની
દુનિયામાં આશા જાગેલી, પરંતુ પ્રથમ દશકના અંતે દેશની ૬૦ ટકા વસતિનો
વિસ્તાર વીજળીના અંધકારમાં ગરકાવ થઇ ગયેલો. પીવાના પાણી અને વીજળી માટે
ભારતની જનતા વલખાં મારે એવી ભારતની નાલેશીની દુનિયાના બધા મિડીયામાં
ચર્ચા થયેલી, પરંતુ આ સ્થિતિમાં પણ એકમાત્ર ગુજરાત રાજ્ય એવું હતું જ્યાં
વીજળીની ઝાકજમાળ ચાલુ હતી. આ જ ગુજરાતની તાકાત અને સામર્થ્ય છે એમ તેમણે
જણાવ્યું હતું.
દેશની દુર્દશા ઉપર માર્મિક પ્રતિભાવો આપતાં તેમણે જણાવ્યું કે
પ્રધાનમંત્રી કાંઇ બોલતા નથી, કે બોલી શકતા નથી. દેશ નાવિક વિનાના
નાવડાની જેમ હાલક-ડોલક થઇ રહયો છે. ધાસની ગંજીમાં આગ લાગે ત્યારે તેને
હોલવવા પાણી છાંટે તો પણ ધાસની ગંજી વપરાશલાયક રહે નહીં, પરંતુ સમજુ માણસ
બચાવી શકાય એટલું ધાસ બચાવી લે છે એમ દેશની દુર્દશા છે ત્યારે, ગુજરાતને
અમે બચાવી લીધું છે. વિકાસ એ જ એષઃ પંથા-આ જ એકમાત્ર માર્ગ છે એમ તેમણે
જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની કોઇપણ દિશામાં રપ કી.મી.ના પરિધમાં વિકાસ થતો
જોઇ શકાય છે અને પૈસા કયાંથી આવે છે? વડાપ્રધાનશ્રી કહે છે કે પૈસા ઝાડ
ઉપર ઉગતા નથી પરંતુ કોંગ્રેસ માટે તો ટુ-જી અને કોલસાના ઝાડ ઉપર પૈસા ઉગે
છે એમ તેમણે માર્મિક કટાક્ષ કરતાં જણાવ્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોંગ્રેસના જૂઠ્ઠાણા અને પ્રજા સાથે છેતરપીંડી
સામે વિરોધ ઉઠાવતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં જેટલી રોજગારી મળી તેમાં
પાંચ વર્ષમાં એકલા ગુજરાતે ૭ર ટકા રોજગારી આપી છે. પ્રધાનમંત્રીને પડકાર
કરતાં તેમણે જણાવ્યું કે આવો, ગુજરાત સાથે મૂકાબલો કરો-ગુજરાત ૭ર ટકા
રોજગારી આપી શકે તો કેન્દ્ર સરકાર કેમ નહીં?!
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કોઇપણ યુવક કે યુવતિને ધંધા-રોજગાર વ્યવસાય
કરવા માટે બેન્ક-લોનનું ધિરાણ લેવાનું સપનું સાકાર કરવા બેન્ક ગેરન્ટી
માંગશે તો આ સરકાર ગેરન્ટર બનશે. આ નિર્ણય નાનોસૂનો નથી. ગાંધીનગરની
તિજોરી ખપાવી દેવા માટેનો નથી પરંતુ ગુજરાતના યુવાન ઉપર તેની નીતિમતા ઉપર
ભરોસો છે.
રાજ્ય સરકારે ૧૧ વર્ષમાં સરકારી નોકરીમાં સાડા ત્રણ લાખ ભરતી કરી છે અને
હવે સરકારી નોકરીમાં ઉપલી વયમર્યાદામાં રપ વર્ષની મર્યાદા ર૮ વર્ષ અને ર૮
વર્ષની ભરતીની મર્યાદા ૩૦ વર્ષની કરી છે.
શહેરોમાં ઉચ્ચ શિક્ષણ માટે રહેવા આવનારા વિઘાર્થીઓ માટે રૂ. ૧૦૦ કરોડના
ખર્ચે ૬ર શહેરોમાં ૩૬,૦૦૦ વિઘાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલો બનશે એમ પણ
તેમણે જણાવ્યું હતું.
ગુજરાતના યુવાનોને રમત-ગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા ૧૪૦૦૦ વિવેકાનંદ
યુવા કેન્દ્રોને દરેકને રમતના સાધનો અને સ્પોર્ટસ યુનિવર્સિટી ઉપરાંત
દરેક જિલ્લામાં એક સ્પોર્ટસ સ્કુલ બનાવવાની જાહેરાત તેમણે કરી હતી.
રાષ્ટ્રીય રમતોના વિજેતા ખેલાડીઓને હવે રૂ. રપ૦૦ની શિષ્યવૃત્ત્િા અને
શાળા રમતોત્સવ માટે રૂ. ર૦૦૦ પ્રત્યેક ખેલાડીને મળશે. વ્યાયામ શિક્ષકોને
ફરજ ઉપરનું દૈનિક ભથ્થું રૂ. ૧પ૦ મળશે.
આઇ.ટી.આઇ.ના ડિપ્લોમા હોલ્ડર માટે ધો-૧૦ અને ધો-૧ર સમકક્ષ આઇ.ટી.આઇ. માટે
ગણીને ઉચ્ચ અભ્યાસ માટે દ્વારો ખોલી નાખ્યા છે હવે આઇ.ટી.આઇ માટે ગૌરવરૂપ
દરજજો મળી ગયો છે એમ તેમણે જણાવ્યું હતું.
કોલેજોમાં યુનિવર્સિટીમાં વિઘાર્થીઓની ચોઇસ બેઇઝ એજ્યુકેશન સિસ્ટમના
ક્રાંતિકારી નિર્ણયોની જાહેરાત તેમણે કરી હતી અને વિવેકાનંદના સપના સાકાર
કરવા યુવાશકિતને અવસરો આપવાની નેમ વ્યકત કરી હતી.
રાજ્યના પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો-આચાર્યો
નિવૃત્તિ સમયે તેમની જમા પ્રાપ્ત રજાનું બે ગણું રોકડમાં રૂપાંતર કરી
શકશેઃ મુખ્યમંત્રીશ્રીનો મહત્વાકાંક્ષી નિર્ણય
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના પ્રાથમિક, માધ્યમિક તેમજ
ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો-આચાર્યોને નિવૃત્તિ સમયે તેમની જમા
પ્રાપ્ત રજા અને અર્ધપગારી રજાના રોકડમાં રૂપાંતરને બે ગણું કરવાની
મહત્વાકાંક્ષી જાહેરાત કરી છે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચત્તર
માધ્યમિક શાળાઓના શિક્ષકો-આચાર્યોને નિવૃત્તિ સમયે તેમના ખાતામાં જમા
પ્રાપ્ત રજા તથા અર્ધપગારી રજા બન્ને મળીને હાલ કુલ ૧પ૦ દિવસની રજાઓનું
રોકડમાં રૂપાંતર કરવા દેવાની પ્રવર્તમાન સ્થિતિમાં વૃધ્ધિ કરી હવેથી આવી
કુલ ૩૦૦ દિવસની રજાઓનું રોકડમાં રૂપાંતર કરવા દેવાનો નિર્ણય કર્યો છે.
આ માટેના નિયમોમાં આ અંગે જરૂરી સુધારા કરવાના આદેશો પણ મુખ્યમંત્રીશ્રીએ
કર્યાં છે.
વોલીબોલ સ્પર્ધા હવે ૨૬મીએ
ભુજ, સોમવારઃસ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે
જિલ્લા રમતગમત અધિકારી કચેરી દવારા અનુસૂચિત જાતિના યુવક યુવતીઓ માટે
યોજાનાર જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા હવે ૨૯-૯ને બદલે ૨૬-૯ના રોજ
સવારે સાડા આઠ વાગ્યે સર્વોદય સ્પોર્ટસ કોમ્પલેક્ષ, નવાવાસ માધાપર
ખાતે યોજાશે.
બુથ લેવલ ઓફિસર મતદારયાદી સંબંધી જાણકારી આપશે
ભુજ, સોમવારઃ મતદાતાઓને મતદારયાદી સંબંધી વિસ્તૃત માર્ગદર્શન મળી રહે તે
હેતુસર નિમાયેલા બુથ લેવલ ઓફિસર તેમના વિસ્તારમાં શૈક્ષણિક કાર્યને અસર
ન થાય તે રીતે દર શનિવારે બપોરના બે વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી
મતદાતાઓને મતદારયાદી સંબંધી જાણકારી તથા જરૂરી માર્ગદર્શન આપશે.
મતદાતાઓને મતદારયાદી સંબંધી માહિતી માટે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરવા
જિલ્લા ચૂંટણી તંત્ર દવારા જણાવાયું છે. કોઇપણ મતદાતા પાસે ઓળખપત્ર હશે
પણ મતદારયાદીમાં નામ નહીં હોય તો, મતદાન કરી શકાશે નહીં જેથી દરેક
મતદાતાઓએ તેમનું નામ મતદારયાદીમાં યોગ્ય જગ્યાએ નોંધાયેલું છે કે નહીં
તેની ખાત્રી અવશ્ય કરી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
કપાસના પાકમાં નિદાન ઉપાયો જરૂરી
દાંતીવાડાથી જાત તપાસ અર્થે આવેલી તજજ્ઞની ટીમનું તારણ
ભુજ, સોમવારઃ કચ્છ જિલ્લામાં કપાસના પાકમાં આવેલા સુકારા રોગના નિદાન
માટે સરદાર કૃષિનગર દાંતીવાડાથી જાત તપાસ અર્થે આવેલી તજજ્ઞની ટીમે જુદા
જુદા વિસ્તારમાં ફરીને તારણ કાઢી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું અને
આવા રોગથી બચવાના ઉપાયો સૂચવ્યા હતા.
જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે વરસાદની
ઋતુ દરમિયાન સતત ભેજવાળું અને ઉંચુ તાપમાન રહેતા કપાસના પાકમાં
અલ્ટરનેરિયા લીફ સ્પોટ રોગ જોવા મળે છે. સતત ભેજવાળું વાતાવરણ ઉદભવે
ત્યારે જ આગોતરાં પગલાંના ભાગરૂપે મેન્કોઝેબ ફૂગનાશક દવાનો છંટકાવ ઉભા
પાકમાં કરવો જોઇએ. પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જે ખેડૂતોના પાકમાં
સુકારો જોવા મળે છે, ત્યાંથી રોગિષ્ઠ છોડ દૂર કરી મેન્કોઝેબ ૦.૨ ટકા
દવા (૨૭ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી) છંટકાવ કરવા સૂચવ્યું છે.
ઘણા ખેતરમાં કપાસના પાન લાલ થઇ જવાના કિસ્સા પણ જોવા મળતા તેમણે નિદાન
કર્યું કે, આવા કિસ્સામાં નિરાકરણ માટે મેગ્નેશ્યમ સલ્ફેટ એક ટકા(૧૦૦
ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી) નો છંટકાવ કરવો જરૂરી છે. ત્યાર બાદ ૧૦ દિવસ
પછી યુરિયા ૨ ટકા (૨૦૦ગ્રામપ્રતિ ૧૦ લિટર) નો છંટકાવ કરવો જરૂર જણાય તો
૧૦ દિવસના અંતરે ફરીથી છંટકાવ કરવા સૂચવ્યું છે.
જો કપાસના પાકમાં મીલીબગનો ઉપદ્રવ જોવા મળે તો, પ્રોફેનોફોસ ૧૫ મીલી-૧૦
લિટર પાણીમાં અને ૧૦ ગ્રામ તેલીયા સાબુનું દ્રાવણ ઉમેરી પાકમાં છંટકાવ
કરવા જણાવ્યું છે.
ભચાઉ હીરાલક્ષ્મી દોલતરાય ધોળકીયા કન્યા વિધાલય ખાતે આપત્તિ
વ્યવસ્થાપન અંગે સેમિનાર સંપન્ન થયોઃ
રાજય સરકારની વ્યવસ્થા અને પ્રજા જાગૃતિથી નુકશાની થી બચી શકાય
- નાયબ માહિતી નિયામકશ્રી કિશોર આહિર
ભુજ, સોમવારઃ ગુજરાત પ્રેસ એકેડમી અને રાજય આપતિ વ્યવસ્થાપન, ભુજ
શાખાના સંયુકત ઉપક્રમે કચ્છના ભચાઉ ખાતે હિરાલક્ષ્મી દોલતરાય ધોળકીયા
કન્યા વિધાલયના સંયુકત ઉપક્રમે આયોજન કરાયું હતું. રાજયનું ડિઝાસ્ટર
મેનેજમેન્ટ કુદરતિ આપતી સમયે શુ ઉપયોગી થઇ શકે, કુદરતી આપતી અને
માનવસર્જિત આપતિ બંનેના તફાવત બાબતે કુદરતી આપતી અટકાવી શકાતી નથી. જયારે
માનવસર્જિત આપતિ યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી નુકશાનીમાંથી બચી શકાય છે
તેવા મતવ્યો વિષય નિષ્ણાંત અને તજજ્ઞો દ્વારા રજુ થયેલ હતા.
આ પ્રસંગે ટ્રેની તરીકે શ્રી તિલોકભાઇ ઠાકરે કન્યા વિધાલયની બાળાઓને
આપતી સમય બચાવ માટેનું પ્રેકટીકલ જ્ઞાન આપેલ હતું. બાળાઓના ડિઝાસ્ટર
બાબતે પ્રશ્નોતરી થયેલ હતી. કન્યા શાળાની વિધાર્થીઓને ડિઝાસ્ટર બાબતે
વિશેષ રૂચી બતાવી પોતાના જ્ઞાનમાં વધારો કરેલ હતો.
કન્યા વિધાલયના પ્રિન્સિપાલશ્રી ચંન્દ્રીકાબેન જાડેજા દ્વારા
ડીઝાસ્ટર મેનેજમેન્ટની પૂર્વ તૈયારીથી થતા ફાયદો દર્શાવેલ હતા અને
સજાગતાથી આપતિમાંથી બચી શકાય છે તેમ જણાવી કન્યા શાળાની વિધાર્થીઓને
સજાગતા બતાવી હિંમતભેર સામનો કરવા અપીલ કરી હતી.
કચ્છ માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકશ્રી કિશોર આહિરે ડિઝાસ્ટર
મેનેજમેન્ટની જરૂરિયાત શું છે, તેમજ આદર્શ મેનેજમેન્ટ માટે કરાએલ
વ્યવસ્થા અંગે વિસ્તૃત સમજૂતી આપી કુદરતી આપતિથી થતી નુકશાનથી બચવાના
ઉપાયો વર્ણવેલ હતા. ભૂકંપ, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી
આપતિ સમયે લોકજાગૃતિ અને લોકભાગીદારી તેમજ રાજય સરકાર અને પ્રજાની
જાગૃતતાથી નુકશાની નિવારી શકાય તે અંગે આ પ્રકારના સેમિનાર યોજવા હિતાવહ
છે તેમ જણાવી તમામ હાજર મહાનુભાવોને આવકાર્યા હતા.
સેમિનારને સફળ બનાવવા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના શ્રી ચેતનાબેન
રાજપુત, ફિલ્ડ ઓફિસરશ્રી નિલેશ પરમાર, મણીબેન, માહિતી વિભાગના શ્રી
ખત્રી તેમજ ભચાઉ કન્યા વિધાલયના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
દાહોદમાં છલકાયો યુવા સાગર
વિવેકાનંદ યુવા પરિષદ
નરેન્દ્રભાઇ મોદીની અગત્યની જાહેરાતોઃ
આદિવાસી યુવા કિસાનોને આધુનિક ખેતી માટે નર્મદા સિંચાઇનો મહત્વાકાંક્ષી
રૂ.૩૩૨૫ કરોડનો પ્રોજેકટ મંજૂર
નર્મદાના પૂરના વધારાના પાણીની ૬૬૩ કી.મી. પાઇપ લાઇન નાંખી
વડોદરા-પંચમહાલ-દાહોદના આદિવાસીઓના બે લાખ એકરમાં સિંચાઇ અપાશે
પંચમહાલ-દાહોદ જિલ્લાના આદિવાસી યુવાનોને બાંધકામ ટેકનોલોજીમાં કૌશલ્ય
વર્ધનની તાલીમ માટે સંસ્થા શરૂ કરાશે
ગુજરાત ભરમાં રસ્તા-મકાનોના બાંધકામમાં મજૂરી માટે કાર્ય કરતા આદિવાસી
કુટુંબો માટે બાંધકામ સાઇટ ઉપર ટેમ્પરરી આવાસ કોલોની ઉભી કરાશે
રાજયમાં ૧૪૦૦૦ વિવેકાનંદ યુવા કેન્દ્રો શરૂ થયાઃ દરેકને રમત-સાધનોનું વિતરણ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દાહોદમાં વિરાટ યુવાશકિતનો
સાક્ષાત્કાર કરાવતી વિવેકાનંદ યુવા પરિષદમાં આદિવાસી યુવા કિસાનોને
આધુનિક ખેતીની સિંચાઇ માટેની સુવિધા આપવા નર્મદાના પૂરના વધારાના પાણીની
વડોદરા-પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં ૬૬૩ કી.મી.ની
લાંબી પાઇપ લાઇન નાંખીને બે લાખ એકરમાં સિંચાઇની સુવિધા માટે રૂ.૩૩૨૫
કરોડનો મહત્વાકાંક્ષી સિંચાઇ પ્રોજેકટ મંજૂર કર્યો હોવાની જાહેરાત કરી
હતી.
મુખ્ય મંત્રીશ્રીએ બીજી બે મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું કે મધ્ય
ગુજરાતના આ આદિવાસીઓ અને તેમની યુવા શ્રમજીવી પેઢી બાંધકામનું પરંપરાગત
કૌશલ્ય ધરાવે છે. આ આદિવાસી પરિવારો ગુજરાત ભરમાં મકાનો અને રસ્તાઓના
બાંધકામ નિર્માણમાં રોજગારી મેળવે છે. તેમને આધુનિક બાંધકામ ટેકનોલોજીની
કૌશલ્ય તાલીમ મળે તો તેમની આવકમાં વધારો થાય તે હેતુથી પંચમહાલ-દાહોદમાં
આદિવાસી યુવાનો માટે બાંધકામ ટેકનોલોજીના કૌશલ્ય વર્ધનની તાલીમની સંસ્થા
શરૂ કરાશે. આ ઉપરાંત રાજયમાં જૂદી જૂદી બાંધકામ સાઇટ ઉપર કામ કરતા
આદિવાસી કુટુંબો માટે સાઇટ નજીક ટેમ્પરરી આવાસ કોલોનીઓની સુવિધા ઉભી
કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયાં આંગણવાડી અને મેડિકલ સારવાર સવલતો
પણ ઉપલબ્ધ કરાશે.
વિવેકાનંદની ૧૫૦મી જયંતીના વર્ષમાં સરકારના યુવક, સેવા અને સાંસ્કૃતિક
પ્રવૃત્ત્િાઓના વિભાગના ઉપક્રમે રાજયમાં સાત વિવેકાનંદ યુવા પરિષદોનું
આયોજન કરવામાં આવ્યું છે અને ભાવનગર-રાજકોટ, ભૂજ પછી આજે દાહોદમાં આ યુવા
પરિષદમાં આદિવાસી યુવાનોનો મહેરામણ ઉમટયો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં
ગામે ગામ વિવેકાનંદ યુવા કેન્દ્રો શરૂ કરવાની કરેલી અપીલને યુવાનોએ
ઉમળકાભેર આવકાર આપેલો છે અને ૧૪,૦૦૦ યુવા કેન્દ્રો શરૂ થઇ ગયા છે. દરેક
યુવા કેન્દ્રને રમત ગમતના સાધનોના કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દાહોદમાં ભાદરવાની કાળઝાળ ગરમીમાં પણ અડધો લાખથી વધારે આદિવાસી યુવાનોની
આ રેલીનું અભિવાદન કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દશ વર્ષ
પહેલા દાહોદ-પંચમહાલમાંથી આગ ઝરતી ગરમીમાં ગુજરાતના ખૂણેખૂણે રોડ-મકાનોના
કામોમાં રોજી રોટી માટે રઝળપાટ અને સ્થળાંતર કરવું પડતું હતું. આદિવાસી
જૂવાનોની પેઢીઓ કાળા ડામરના રસ્તાનું નિર્માણ કર્યું હવે આદિવાસી યુવા
પેઢીઓને વિકાસનો રસ્તો બતાવ્યો છે. ઉંમરગામ થી અંબાજીના આખા આદિવાસી
પટ્ટામાં યુવાનોના સપના સાકાર કરવા આગામી દશકો-પર્વતમાળા, જંગલોમાં
ગુજરાતના વિકાસનો ગોલ્ડન કોરિડોર બનશે. ગ્રીન કોરિડોર ગણાતો વનવાસી પટ્ટો
હવે વિકાસના સ્વર્ણિમ કોરિડોરમાં પરિવર્તીત કરવો છે એની ભૂમિકા તેમણે આપી
હતી.
મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ક્ષેત્રમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ,
ચિરંજીવી યોજનાએ અનેક અનેક જિંદગી બચાવી છે. ગંભીર બિમારીથી પીડાતા
બાળકની બધી જ સારવાર આપવાનો ખર્ચ સરકાર કરે છે. ગયા ૫૦ વર્ષમાં આદિવાસી
ક્ષેત્રે શિક્ષણમાં જે કામ નથી થયું તે રૂ.૧૫,૦૦૦ કરોડની વનબંધુ કલ્યાણ
યોજનાએ કરી બતાવ્યું છે. ધરતી ઉપર બજેટમાંથી જ રૂ.૧૮,૦૦૦ કરોડ ઉતારીને જે
લોકો આ યોજનાના નાણાં વિશે શંકા ઉઠાવતા હતા તેમના મોંઢા ઉપર ઇટલીનું
તાળું વાગી ગયું છે. હવે તો વનબંધુ યોજનાને રૂ.૪૦,૦૦૦ કરોડનું બજેટ મંજૂર
કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કોઇપણ યુવાનને સ્વરોજગાર ધંધા વ્યવસાયના પ્રોજેકટ માટે
બેંક લોન મેળવવા આ સરકાર ગેરન્ટર બનશે તેની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ૩૩ નવી આઇ.ટી.આઇ., ૫૧ સરકારી કોલેજો, ૯૫
વિજ્ઞાન પ્રવાહની શાળા, બે ઇજનેરી કોલેજ, છ એગ્રો પોલીટેકનીક અને ૧૯
એકલવ્ય સ્કુલો શરૂ કરી દીધી છે. નવ લાખ સખી મંડળોની બહેનો ૭૦,૦૦૦ સખી
મંડળોનો આર્થિક બચતનો કારોબાર ચલાવે છે. બે લાખ હેકટર કરતા વધારે
સિંચાઇની સવલતો, ૫૫૦૦ આદિવાસી ગામો અને ૧૧,૦૦૦ ફળીયાને પીવાનું પાણી
પુરૂં પાડયું છે. ૪૫,૦૦૦ પંપ સેટો અને દોઢ લાખ ધરોનું વીજળીકરણ કર્યું છે
અને ૧.૧૬ લાખ ગરીબ આદિવાસીને આવાસ આપી દીધા છે.
દાહોદ જિલ્લામાં ૧૭૫ તાલુકા પંચાયત બેઠકો ઉપર વણથંભી વિકાસ યાત્રામાં
રૂ.૨૧૦ કરોડના ૪૦૦૦ કામો કર્યા છે. ગરીબ કલ્યાણ મેળામાં આ જિલ્લાના
રૂ.૭૦૦ કરોડના લાભોનું વિતરણ કર્યું. એકલા દાહોદ જિલ્લાના યુવક-યુવતીઓએ
૨૩ જેટલા મેડલ્સ ખેલ મહાકુંભમાં જીત્યા છે. આ બધું આ સરકારના યુવાનોના
સર્વાંગી વિકાસ માટેના અભિગમથી શકય બન્યું છે.
વડાપ્રધાનના રૂપિયાના ઝાડ નથી ઉગતાના નિવેદનને પડકારતા મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું કે ટુ જી, કોલસાનો કારોબાર એ કોંગ્રેસ પાર્ટી માટે રૂપિયાના ઝાડ
છે અને દેશ બરબાદ થઇ ગયો છે. દેશની પ્રજાને મૂરખ બનાવવાનું બંધ કરો.
આ અવસરે દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અને સામાજિક ન્યાય અને અધિકારિતા
મંત્રીશ્રી ફકિરભાઇ વાધેલાએ જણાવ્યું કે સ્થિર અને સુદ્રઢ પ્રશાસન કેવું
હોય તેની ગુજરાતની જનતાને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૪૦૦૦
દિવસના શાસને નિતાંત અનુભવ કરાવ્યો છે. વનવાસી યુવાનો મુખ્યમંત્રીને
અત્યંત પિ્રય છે અને તેમના સર્વાંગી વિકાસના અનેકવિધ અવસરો તેમણે પૂરા
પાડયા છે. રૂ.૫૦ કરોડના ખર્ચે ઇજનેરી, ફિઝીયોથેરાપી તથા એગ્રીકલ્ચર
ઇજનેરી કોલેજની સ્થાપના દાહોદમાં કરવામાં આવી છે. રાજયના આદિવાસી
ક્ષેત્રના વનબંધુના કલ્યાણ માટે સરકારે રૂ.૪૦ હજાર કરોડની વિકાસ યોજના
ધડી કાઢી છે, જ્યારે અગાઉના પાંચ વર્ષમાં વનબંધુ કલ્યાણ માટે સરકારે
રૂ.૧૭ હજાર કરોડનો ખર્ચ કર્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
આદિજાતિ રાજયમંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે રાજય સરકારે આદિજાતિ કલ્યાણ
માટે લીધેલા શ્રેણીબધ્ધ પગલાંની રૂપરેખા આપતા કહયું કે, દાહોદ જેવા
આદિજાતિ બહુલ જિલ્લામાં સરકારે ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન વડે ૩,૫૨,૯૧૦
અકિંચન પરિવારોને રૂ.૭૦૧.૫૧ કરોડની સાધન સહાય પૂરી પાડી છે, તો વિવિધ
યોજના હેઠળ ૧,૧૫,૩૫૫ વ્યકિતઓને રૂ.૨૫૮.૯૫ કરોડની સહાય આપવામાં આવી છે.
ગુજરાત ગૌરવ દિનની વર્તમાન વર્ષે થયેલી ઉજવણી દરમિયાન જિલ્લામાં
રૂ.૧૧૧૬.૩૦ કરોડના ખર્ચે ૩૭૫૪ વિકાસકામો હાથ ધરાયા છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શંકરભાઇ અમલિયાર, ઉપપ્રમુખ શ્રી અશોકભાઇ સુથાર,
ધારાસભ્યશ્રી ફતેસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદો શ્રી સોમજીભાઇ ડામોર, શ્રી
બાબુભાઇ કટારા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સંતોષબેન પટેલ, પ્રભારી
સચિવશ્રી ભાગ્યેશ જહા, પૂર્વ ધારાસભ્યો, તાલુકા પંચાયત-નગરપાલિકાના
પ્રમુખો સહિત ૫૦ હજાર જેટલા યુવક-યુવતિઓ ઉમટી પડયા હતા.
વિવિધ સંસ્થાઓ, સંગઠનો, મંડળો દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરવામાં
આવ્યું હતું.
સોમવાર, 24 સપ્ટેમ્બર, 2012
Fwd: થાનગઢમાં દલિતો અને પોલીસ વચ્ચે અથડામણ
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "ATUL N CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Monday, September 24, 2012 12:46:09 PM GMT+0800
Subject: થાનગઢમાં દલિતો અને પોલીસ વચ્ચે અથડામણ
થાનગઢમાં દલિતો અને પોલીસ વચ્ચે અથડામણ
સુરેન્દ્રનગરઃ
જિલ્લાના થાનગઢ ગામમાં દલિત અને ભરવાડ સમાજના ટોળા વચ્ચે જૂથ અથડામણ થતાં
સમગ્ર વિસ્તારમાં તંગદિલી ફેલાઇ ગઇ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવમાં
પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક
યુવાનનું મોત થયું હતું. આજે ફરીથી થાનગઢમાં પરિસ્થિતિ વણસી હતી. જેથી
પોલીસે કરેલા ગોળીબારમાં ૨૦થી વધારે વ્યકિતઓ ઘવાઇ હતી, જેમાં વધુ બે
ઘાયલોનાં મોત થયાં હતા. આમ પોલીસ ફાયરિંગમાં ત્રણ જણાના મોત થયા હતા. આજે
પણ થાનગઢમાં દિવસ દરમિયાન તંગદિલી ભર્યુ વાતાવરણ રહ્યું હતું. સૂત્રોના
જણાવ્યા અનુસાર થાનગઢમાં લાકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દલિત
અને ભરવાડ યુવાન વચ્ચેસામાન્ય મુદ્દે મારામારી થઇ હતી. જેની અદાવતમાં ગત
રાત્રે કેટલાક શખસોએ રણજીત કાનજી પરમાર નામના યુવાન ઉપર હુમલો કર્યો હતો.
જેથી દલિતો પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. જયાં ફરિયાદ નોંધવા બાબતે પોલીસ અને
દલિતો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ મોડી રાત્રે દલિતો અને ભરવાડો
વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. આ અંગેની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલી પોલીસે
પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે રોષે ભરાયેલા દલિતોએ થાનગઢ રેલવે
ફટક પાસે પોલીસ ઉપર ભારે પથ્થરમારો કરતા મામલો બીચકયો હતો. પોલીસે
ઉશ્કેરાયેલા ટોળા પર કાબૂ મેળવવા આઠ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં પંકજ
અમરસી સુમરા નામના યુવાનને ગોળી વાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે
રાજકોટની હોસ્પિટલ લઇ જવાયો હતો. જયાં તેનું મોત નિપજયું હતું. યુવાનના
મોતને કારણે જવાબદારો સામે પગલા નહીં ભરાય ત્યાં સુધી મૃતદેહ નહીં ઉઠાવાનો
ટોળાએ નિર્ણય કર્યો હતો. આ બનાવના આજે ઘેરા પ્રત્યાધાત પડયા હતા. દલિતોના
ટોળાએ બંદોબસ્તમાં રહેલી પોલીસ ટીમ ઉપર ભારે પથ્થરમારો કર્યો હતો. પોલીસે
ટોળાને વીખેરવા ૨૦થી વધારે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેમ જ ટીયરગેસના શેલ
છોડયા હતા. જેમાં૨૦થી વધારે વ્યકિત ઘાયલ થઇ હતી. જે પૈકી મેહુલ અને પ્રકાશ
નામના યુવાનોના મોત થયા હોવાનું જાણવા મળે છે. થાનગઢમાં હજુ પણ ભારેલા
અગ્નિ જેવી સ્થિતિ છે. થાનગઢ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે તેમ જ કોઇ
અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
રાત્રે મેળાની નજીક આવેલા પોલીસ સ્ટેશન ટોળુ રજૂઆત કરવા ગયું ત્યારે ઘર્ષણ
થતા પોલીસે કરેલા ગોળીબારમાં પંકજ સુમરાનું મોત થયાનું જાણવા મળે છે.
Entry Pass For attending function of CM Narendra Modi At, Jetpur...Today
----------
Sent via Nokia Email
રવિવાર, 23 સપ્ટેમ્બર, 2012
શનિવાર, 22 સપ્ટેમ્બર, 2012
શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2012
Fwd: ખતરનાક બગ
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, September 21, 2012 12:49:15 PM GMT+0800
Subject: ખતરનાક બગ
ઈન્ટરનેટ એકસ્પ્લોરરમાં ખતરનાક બગ મળ્યો : માઇક્રોસોફટની ચેતવણી
બોસ્ટન
: તમે ક્યું વેબ બ્રાઉઝર ઉપયોગમાં લો છો? જો તમે ઈન્ટરનેટ એકસ્પ્લોરર
એટલે કે આઈ.ઈ. વાપરતા હો તો ચેતી જજો. માઈક્રોસોફટે દુનિયાભરના ઈન્ટરનેટ
વાપરનારાઓને સાવચેત કર્યા છે કે તેમનું વેબ બ્રાઉઝર વાપરવામાં જોખમ છે.
તેમણે
કહ્યું છે કે એકસ્પ્લોરરમાં એક ખતરનાક બગ મળી આવ્યો છે જે યુઝરના પાઈવેટ
ડેટા ઉડાડી શકે છે. માઈક્રોસોફટે પોતાના બ્રાઉઝરનો ઉપયોગ કરનારાને ચેતવ્યા
છે કે પાયસન લેવી નામનો આ બગ એટલો ખતરનાક છે કે તમારું પીસી હેકરના રીમોટ
કંટ્રોલ સાથે જોડાઈ જઈ શકે છે. એટલે કે હેકર તમારા તમામ કાર્યો પર નજર રાખી
શકે છે. ઈન્ટરનેટ પર તમે શું કરો છો તેના પર હેકરની નજર રહેશે.
દુનિયાભરમાં ઈન્ટરનેટનો
ઉપયોગ કરનારા ૩૩ ટકા લોકો ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ કરે છે. એટલે આ
જોખમ નાનું નથી. આ ખતરનાક બગથી થનારા નુકસાનનો અંદાજ કાઢતા માઈક્રોસોફટ
પોતાના વપરાશકારોને વેબસાઈટમાંથી એક ટુલ ઈનસ્ટોલ કરવાની સલાહ આપે છે.
જર્મનીની સરકારે પ્રજાને અપીલ કરી છે કે જ્યાં સુધી આ બગથી છુટકારો
મેળવવાનો ઉપાય ન મળે ત્યાં સુધી ઈન્ટરનેટ એકસ્પ્લોરરનો ઉપયોગ ન કરવો
૨૨મી સપ્ટેમ્બર દિવસ અને રાત્રિની લંબાઇ એક સરખી થશે
ભારતીય
સમય મુજબ ૨૨મી સપ્ટેમ્બરે રાત્રે ૮ કલાક ૧૮ મિનિટે સૂર્યનારાયણ સમયની
કબડ્ડીની રમતમાં પૃથ્વીના મેદાન પરની વિષુવવૃત્તની રેખાને ઓળંગશે અને
પૃથ્વીના દક્ષિણવૃત્તમાં દાખલ થશે. ખગોળની પરિભાષામાં કહીએ તો
સૂર્યનારાયણની અવકાશી ગતિના માર્ગ ક્રાંતિવૃત્ત અને
પૃથ્વી પરની કાલ્પનિક મધ્યરેખા વિષુવવૃત્તને આકાશમાં છેક ઊંચે સુધી
લંબાવીએ તો બન્ને રેખા કાંતિવૃત્ત અને વિષુવવૃત્ત તા.૨૨મી સપ્ટેમ્બર એક
બીજાને છેદશે. આ પરિસ્થિતિને સંપાત પણ કહેવામાં આવે છે. સંપાતના આ દિવસે
વિષુવવૃત્ત રેખા પર આવેલા પૃથ્વીના પ્રદેશોમાં દિવસ અને રાત એક સરખી
લંબાઇના રહે છે. આ વિસ્તારોમાં બપોરે પડછાયો ગૂમ થઇ જાય છે. વડોદરાના
સ્થાનિક સમયના હિસાબે આ
દિવસે એટલે કે ૨૨મી સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સૂર્ય સવારે ૬.૨૬ વાગ્યે
ઉગશે અને સાંજે ૬.૩૩ વાગ્યે અસ્ત પામશે. એટલે કે દિવસ ૧૨ કલાક સાત મિનિટનો
અને રાત્રિ ૧૧ કલાક ૫૩ મિનિટની રહેશે. લગભગ આખા ભારતમાં દિવસ - રાતની લંબાઇ
લગભગ આટલી જ રહેશે. આ દિવસથી ભારતમાં શરદસંપાતનો પ્રારંભ થશે. આપણા ઘરોમાં
હવે સૂર્યનો પ્રકાશ દક્ષિણ તરફથી દાખલ થશે. હવામાં ઠંડક વધશે. સફેદ
વસ્ત્રો તરફ લોકોની
રૃચિ ઘટશે અને લાંબી બાંયના વસ્ત્રો તરફ લોકોનો ઝુકાવ વધશે.પક્ષીઓ અને
પતંગીયાઓ પણ પોતાનું વલણ બદલશે અને તેમની ગતિ દક્ષિણ તરફ વધુ રહેશે. ઠંડા
પ્રદેશોમાં વનસ્પતિઓનું વર્ષ ચક્ર પુરૃ થશે અને ત્યાં ફરી વસંતનો પ્રારંભ
થશે. અત્રેની ગુરૃદેવ ઓબ્ઝર્વેટરીના ખગોળ વેત્તા દિવ્યદર્શન પુરોહિતના
જણાવ્યા મુજબ પૂર્વે મેષ અને તુલા સંક્રાંતિની જેમ ઓળખાતા આ સંપાતદિન હવે
શરદસંપાત
કન્યા રાશિમાં અને વસંત સંપાત દિવસ મેષ રાશિને બદલે મીન રાશિમાં સંભવે છે
આજ પછી ૬૦૦ વર્ષ બાદ આ બન્ને સંપાત દિવસ વધુ એક રાશિ પાછળ જશે. વધુ
નિરીક્ષણની વાત એ છે કે શરદ સંપાતનો દિવસ જે આ વર્ષે ૨૨ સપ્ટેમ્બરે છે તે
૨૦૧૦ અને ૨૦૧૧ માં ૨૩ સપ્ટેમ્બરે હતો. ૧૯૩૧ માં તે ૨૪ સપ્ટેમ્બરે હતો. વર્ષ
૨૩૦૩ માં પણ તે ૨૪મી સપ્ટેમ્બરે જ આવશે.
સરકારી નોકરીની ઉત્તમ તક
Sent via Nokia Email
------Original message------
From: ATUL N. CHOTAI <kasumbo@yahoo.co.in>
To: "Amit Vaghela" <amit_vaghela16@yahoo.com>
Date: Friday, September 21, 2012 12:51:54 PM GMT+0800
Subject: સરકારી નોકરીની ઉત્તમ તક
સરકારી નોકરીની ઉત્તમ તકઃ જલ્દી કરો,
24મી સુધી ફોર્મ ભરો
ગુજરાત રાજ્યની જુદી જુદી તાલુકા તેમજ જિલ્લા કચેરીઓમાં સબ રજીસ્ટ્રારની (વર્ગ-3) ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો કે જે ને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોય તેવા ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. આ ઉપરાંત ઉમેદવાર કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન ધરાવતો હોય તે પણ
જરૂરી છે. આ માટે ઉમેદવાર પાસે સરકારી સંસ્થામાંથી મળેલું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, જોકે જે પ્રમાણપત્ર ન હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ નિમણૂંક પહેલા તેમણે પ્રમાણપત્ર જમા કરાવવું ફરજીયાત છે. પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો આ માટે 100 ગુણનું હેતુલક્ષી પેપર હશે, જેનો સમયગાળો દોઢ કલાકનો રહેશે. પરીક્ષામાં ખોટા જવાબના કિસ્સામાં 1/3 ગુણ કાપી લેવામાં આવશે.
પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે. પરીક્ષાના ગુણના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, આ માટે કોઈ મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં નહીં આવે. આ માટે ઉમેદવારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે 24/09/2012 સુધી કરી શકાશે.
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
Sent via Nokia Email
------Original message------
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
To: <KKUMARJOSHI@gmail.com>
Date: Friday, September 21, 2012 3:03:53 AM GMT+0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
શ્રીરામ શર્મા આચાર્યજીકા જન્મદિન ૨૦ સપ્ટેમ્બર કી હાર્દિક શુભકામનાયે
Posted: 20 Sep 2012 08:55 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/W83ZaUyHWkU/?utm_source=feedburner&utm_medium=email
श्रीराम शर्मा आचार्यजीका जन्मदिन २० सितम्बर की हार्दिक शुभकामनायें ! युग
ऋषि जननी माँ दानकुंवरि एवं युग ऋषि पिता पं. रूपकिशोर शर्मा के चरण युग्म में
कोटि-कोटि प्रणाम जिनके यहाँ महाकाल युग द्रष्टा युग ऋषि वेद मूर्ति पंडित
श्रीराम शर्मा आचार्यजी का आज के पावन दिवस को अवतरण हुआ. उस महान जननी और
महान पिता [..]
///////////////////////////////////////////
કર્તવ્ય પ્રત્યેની તત્પરતામાં જ સંતોષ માનો
Posted: 19 Sep 2012 08:40 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/YwTbHas9saE/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના કર્તવ્ય પ્રત્યેની તત્પરતામાં જ સંતોષ
માનો આ૫ણે કર્તવ્ય કર્મને આ૫ણું લક્ષ્ય બનાવીએ અને એના માટે કરેલા પુરુષાર્થને
સફળતા જેટલો આનંદ તેમજ ભેટ સમજીએ. ખરેખર કર્તવ્ય પૂરું કરવામાં ઉત્સાહ અને
આનંદમાં મગ્ન રહેવાની નિષ્ઠા જ એક ઉચ્ચ કોટિની ભાવનાત્મક સફળતાછે. જેણે આ
સફળતાને આનંદદાયક અને સંતોષજનક માની લીધી તેને દેખીતી [...]
///////////////////////////////////////////
૫રિજનો યુગનિર્માણીની પાત્રતા કેળવે
Posted: 19 Sep 2012 08:20 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/Nqzs2MUkF3U/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના ૫રિજનો યુગનિર્માણીની પાત્રતા કેળવે
યુગનિર્માણ ૫રિવારના દરેક ૫રિજને પોતાની ભાવનાનું મૂલ્યાંકન કરવું જોઈએ, એનો
વિકાસ કરવો જોઈએ. ચિંતનમાં ઉત્કૃષ્ટતા અને વ્યવહારમાં આદર્શવાદનો સમાવેશ કરવો
જોઈએ. વ્યાવહારિક આઘ્યાત્મિકતા આ જ છે. ઈશ્વરની પૂજાઅર્ચના પૂરતી નથી, ૫ણ
ભગવાનને આ૫ણી અંદર આત્મસાત્ કરવા જોઈએ. એમને જીવનરૂપી સં૫તિના ભાગીદાર બનાવવા
જોઈએ અને એમના [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
ગુરુવાર, 20 સપ્ટેમ્બર, 2012
VIRPUR GOMTA VACCHE TRAIN HETHAL ZAMPLAAVI AJAANYA AADHEDNO AAPGHAAT...NEWS BY KASHYAP JOSHI REPORTER 9974262812
----------
Sent via Nokia Email
SAADI EKAMONA PRADUSHAN NO BHOG BANTI GAUMATAO...PRADUSHAN NIYANTRAN BOARD NA SATTADHISO KHARIDAYELI HAALATMA MUK, BADHIR ANE SURDASONI BHUMIKA BHAJAVATA HOY,, JIVDAYA PREMIOMA BHARE ROSH..ASANTOSH..UDHYAGPATIO PRADUSHAN NA FELAVE TEVI JIVDAYA PREMIONI BULAND MAANG..
Fwd: T20 World Cup LIVE Coverage!
Sent via Nokia Email
------Original message------
From: Divya Bhaskar <mailer@dainikbhaskar.com>
To: <kkumarjoshi@gmail.com>
Date: Thursday, September 20, 2012 11:45:57 AM GMT+0530
Subject: T20 World Cup LIVE Coverage!
View this message in your browser
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlsBAksIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
| http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlsBA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlIDA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlIDA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlIDA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
<http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlIDA0sIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==>
--
If you do not want to receive any promotional mailer, click
http://imcl.my2.in/imcl/lt.php?id=ZhkBUlYBBlsBAEsIUgVUAk0=BAYCCgkFSw1YQQtQQgxfQQ1YIgFcVwtYHFRXDw==
Fwd: JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR
Sent via Nokia Email
------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <min-health@gujarat.gov.in>
Date: Thursday, September 20, 2012 6:52:22 AM GMT+0000
Subject: JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE..APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR
JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR
------Original message------
From: <kkumarjoshi@gmail.com>
To: <min-health@gujarat.gov.in>,<jitendra.naliyapara@gmail.com>
Cc: <sambhaav@sambhaav.com>,<phulchhab@yahoo.com>,<nobatdaily@yahoo.com>,<kaushikmehta123@gmail.com>,<mitra@gujaratmitra.in>,<gujaratmitraahmedabad@yahoo.com>,<edtrajkot@yahoo.com>,<amreliexpress7@gmail.com>,<sauaajtak@yahoo.comrajkot@aaspassindia.comrajkotaajtak@gmail.com>
Date: Wednesday, September 19, 2012 7:00:29 AM GMT+0000
Subject: JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE.APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR
JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR
----------
Sent via Nokia Email
Fwd: jetpur- navagadh ma kachra na thar jamse
From: PatelNews jetpur <patelnews_jetpur@yahoo.com>
Date: Wed, 19 Sep 2012 22:02:50 +0800 (SGT)
Subject: jetpur- navagadh ma kachra na thar jamse
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>,
"kashyapjoshi007@yahoo.co.in" <kashyapjoshi007@yahoo.co.in>
jetpur- navagadh ma kachra na thar jamse
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
From: ઋષિ ચિંતનના સાંનિધ્યમાં <karshalakg@mail.com>
Date: Thu, 20 Sep 2012 02:26:55 +0000
Subject: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
To: KKUMARJOSHI@gmail.com
ઋષિ ચિંતનના સાંનિધ્યમાં
///////////////////////////////////////////
યુગનિર્માણના ૫રિવારજનો પાસે મોટી આશાઓ
Posted: 19 Sep 2012 11:02 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/fut5hdEOZoA/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના યુગ૫રિવર્તનના મહાન પ્રયોજનની પૂર્તિ
માટે જે પૂંજીની સૌથી ૫હેલી અને સૌથી વધારે માત્રામાં જરૂર છે તે છે ભાવના.
ભાવનાઓના જાગરણનો વિકાસ કર્યા વગર યુગધર્મની માંગને પૂરી કરી શકાતી નથી. આ
યુગનિર્માણ ૫રિવારની હારમાળામાં આવી જ કડીઓ જોડવામાં આવી છે, જેમાં
જન્મોજન્મથી ભેગી કરેલી ભાવસં૫તિનો મોટાભાગનો હિસ્સો જોડાયેલો છે. જેમનામાં
[...]
///////////////////////////////////////////
સિદ્ધિઓ વિભૂતિઓની માત્ર છાયા
Posted: 19 Sep 2012 10:50 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/JQOCZdeGAPs/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના સિદ્ધિઓ વિભૂતિઓની માત્ર છાયા
યુગ૫રિવર્તનની આ પૂર્વવેળાએ સારાં પ્રયોજનોની પૂર્તિ માટે એવી આત્મબળ સં૫ન્ન
વિભૂતિઓની જરૂર ૫ડશે, જે ભૌતિક સાધનોથી નહિ, ૫ણ પોતાના આત્મબળથી માણસોના મનને
દુખદાયક પ્રવાહમાંથી બદલવાનું સાહસ કરી શકે. આ કાર્યો વ્યાયામશાળાઓ કે
પાઠશાળાઓ પૂરાં કરી શકતી નથી કે શસ્ત્રો યા અર્થસાધનો પૂરાં કરી શકતા નથી.
[...]
///////////////////////////////////////////
આત્મબળવાળા આત્માઓ આગળ આવે
Posted: 19 Sep 2012 10:32 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/rpg3WQ6VOtU/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના આત્મબળવાળા આત્માઓ આગળ આવે યુગનિર્માણ
૫રિવારના સભ્યોએ એવું વિચારવું જોઈએ કે તેઓ સામાન્ય વ્યક્તિ નથી, ૫રંતુ વિશેષ
છે. એમણે વિશેષ ફરજ અને જવાબદારી નિભાવવાની છે. આ ફરજથી વિમુખ રહેનાર ખોટના
ભયથી કે પોતાના અંગત જીવનમાં સુખસગવડમાં કમી આવવાના ભયથી કદાચ બચી જાય, ૫રંતુ
એના બદલે ભગવાનના પોકારથી, અંતઃપ્રેરણા અને [...]
///////////////////////////////////////////
યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી બનશે
Posted: 19 Sep 2012 10:14 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/h7JmPVurRkY/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી
બનશે યુગનિર્માણ ૫રિવાર અત્યારે ભારતમાં માનવજાતના ભાગ્યનું નિર્માણ કરનારું
અભિયાન લાગે છે, ૫રંતુ આગામી સમયમાં તે વિશાળ બનીને સર્વત્ર ફેલાશે. ત્યારે
કોઈ એક સંસ્થા કે સંગઠનનું નિયંત્રણ કે નિર્દેશ નહિ ચાલે. કરોડોની સંખ્યામાં
જુદાજુદા સ્તરના એવા જ્યોતિઃપુંજ પ્રગટ થશે કે તેમની અપાર શક્તિથી થનારા
કાર્યો અનુ૫મ [...]
///////////////////////////////////////////
દરેક કામ પૂરા મન તથા શ્રમથી કરો
Posted: 19 Sep 2012 10:12 AM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/8v6bywmRyy8/?utm_source=feedburner&utm_medium=email
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના દરેક કામ પૂરા મન તથા શ્રમથી કરો
શરીરમાં શક્તિનો અભાવ નથી. તે પ્રચુર પ્રમાણમાં છે. જો તેનો યોગ્ય રીતે
સદુ૫યોગ કરવામાં આવે તો સામાન્ય રીતે લોકો જેટલું કામ કરે છે તેના કરતાં બમણું
કામ તો સહેલાઈથી કરી શકાય. સારા હેતુઓ માટે જેટલી શક્તિ ખર્ચાય છે એના કરતાં
વધારે શક્તિ [...]
--
You are subscribed to email updates from "ઋષિ ચિંતનના સાંનિધ્યમાં."
To stop receiving these emails, you may unsubscribe now:
http://feedburner.google.com/fb/a/mailunsubscribe?k=PsLZfLmnCWQBPnNfTQeArEzePOM
Email delivery powered by Google.
Google Inc., 20 West Kinzie, Chicago IL USA 60610
Fwd: [New post] સન્તો અને બુદ્ધીવાદ
From: "\"અભીવ્યક્તી\"" <comment-reply@wordpress.com>
Date: Thu, 20 Sep 2012 03:13:22 +0000
Subject: [New post] સન્તો અને બુદ્ધીવાદ
To: kkumarjoshi@gmail.com
Post : સન્તો અને બુદ્ધીવાદ
URL : http://govindmaru.wordpress.com/2012/09/20/dinesh-panchal-27/
Posted : September 20, 2012 at 3:12 am
Author : ગોવીંદ મારુ
Categories : Uncategorized
દરેક માણસના મસ્તકમાં વીચારબૅંક આવેલી છે. દેહવીજ્ઞાનની ભાષામાં એને
દીમાગ કહેવામાં આવે છે. બૅંકોમાં ઉજળાં નાણાં ભેગું કાળું નાણું પણ હોય
તેમ માણસના દીમાગમાં સાચા ભેગી જુઠી વાતો પણ હોય. કહે છે કે એક કરોડ
ઘુવડો ભેગા મળે તો છતાં સુરજે અંધારું થઈ જાય. અહીં એક વાત ધ્યાન બહાર ન
રહી જવી જોઈએ. કરોડો ઘુવડો [...]
Read more of this post
(http://govindmaru.wordpress.com/2012/09/20/dinesh-panchal-27/)
Add a comment to this post:
http://govindmaru.wordpress.com/2012/09/20/dinesh-panchal-27/#respond
--
WordPress.com | Thanks for flying with WordPress!
Manage Subscriptions
https://subscribe.wordpress.com/?key=983a5b54a0e0c3080eff8abebdb3c9b4&email=kkumarjoshi%40gmail.com
Fwd: એ ટુ ઝેડ ગુજરાત ૨૦-સપ્ટેમ્બર ૨૦૧૨
From: "ATUL N. CHOTAI" <kasumbo@yahoo.co.in>
Date: Thu, 20 Sep 2012 11:47:23 +0800 (SGT)
Subject: એ ટુ ઝેડ ગુજરાત ૨૦-સપ્ટેમ્બર ૨૦૧૨
To: ATUL N CHOTAI <kasumbo@yahoo.co.in>
સ્નેહી શ્રી,
મજામાં હશો..?
અમારા નુઝ
પેપર એ ટુ ઝેડ ગુજરાત નો લેટેસ્ટ એટલે કે ૨૦ - સપ્ટેમ્બર - ૨૦૧૨
નો અંક પ્રસિદ્ધ થઇ
ગયો છે. જેની
પી. ડી.એફ ફાઈલ આ સાથે એટેચ કરેલ છે.
જે ડાઉન લોડ
કરી
જોઈ લેવા વિનતી છે. વધુ માહિતી અમારી વેબ સાઈટ
www.atozgujarat.com ઉપર થી મળી શકશે
આપ
અમારું એ ટુ ઝેડ ગુજરાત વાચો અને દરેક ને વંચાવો આ માટે
આપે
અમારી આ સાથે એટેચ કરેલ પી. ડી.એફ ફાઈલ ને
ડાઉન લોડ કરી આપ ના
મિત્રો - સ્વજનો અને સ્નેહીઓ ને મોકલશો
આપ
ના સૂચનો અને પ્રતિભાવો અમને જરૂર થી જણાવશો
આભાર
આપનો
સહ્દયી
અતુલ ચોટાઈ
તંત્રી - એ ટુ
ઝેડ ગુજરાત (પાક્ષિક) રાજકોટ
=======================================================================================================
Note
: We Respect Your Privacy If You Prefer Not to Receive future email of
this type please Reply with UNSUBSCRIBE With
Subject Line
========================================================================================================
"ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય" on GUJARATI-ગુજરાતી
From: priya jain <share@gujarati.ning.com>
Date: Thu, 20 Sep 2012 04:31:51 +0000 (GMT)
Subject: Check out "ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
GUJARATI-ગુજરાતી: આપણા લોકો,આપણી ભાષા,આપણી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by vinodbhai Mangalbhai Machhi:
ગણપતી ઉપાસનાનું આધ્યાત્મિક રહસ્ય
ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે.મોરેશ્વર નામના ગણપતિના એક ભક્ત
થઇ ગયા, તેમની ભક્તિના કારણે પ્રભુ સ...
Blog post link:
http://gujarati.ning.com/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A154707&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
8343 members
3062 photos
96 videos
131 discussions
2096 blog posts
--------------------
To control which emails you receive on GUJARATI-ગુજરાતી, or to opt-out, go to:
http://gujarati.ning.com/profiles/profile/emailSettings?xg_source=msg_share_post
બુધવાર, 19 સપ્ટેમ્બર, 2012
JETALSARNA AAROGYA KENDRAMA MEDICLE OFFICER NI NIMNUK KARVA BAABTE...APPLICATION TO HEALTH MINISTER GUJARAT BY PATRAKAR KASHYAP JOSHI,JETALSAR JETPUR
----------
Sent via Nokia Email









































