અનુયાયીઓ

બુધવાર, 27 જૂન, 2012

ડાંગના ૬૬૭ જેટલા માજી રાજવીઓ, નાયકો અને ભાઉબંધોના સાલિયાણામાં રપ ટકા વધારો કરતા મુખ્યમંત્રીશ્રી

ડાંગના ૬૬૭ જેટલા માજી રાજવીઓ, નાયકો અને ભાઉબંધોના સાલિયાણામાં રપ ટકા
વધારો કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડાંગ જિલ્લાના માજી રાજવીઓ, નાયકો તથા
ભાઉબંધોને ચૂકવવામાં આવતા રાજકીય પેન્શન (સાલીયાણા)માં તા.૧ લી
એપિ્રલ-ર૦૧ર થી રપ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના પ્રવકતા આરોગ્ય મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને નાણાં
રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આ સ્તુત્ય નિર્ણયની ભૂમિકા આપી હતી.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે, બહુધા વનવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના
માજી રાજવીઓ, નાયકો અને ભાઉબંધો પાસેથી તેઓના આધિપત્ય હેઠળની જંગલોની
જમીન-જાગીર અને જંગલ વિસ્તારના ભાગરૂપે તેમના મૂળભૂત હક્કો અને વિશેષ
અધિકારોના બદલામાં રાજકીય પેન્શન વાર્ષિક, કાયમી અને વારસાગત ધોરણે સને
૧૯પ૪થી આપવામાં આવે છે.
રાજ્ય સરકારે આ પેન્શનમાં તા.૧.૪.ર૦૧ર થી રપ ટકાના વધારો કરવાનો નિર્ણય
લીધો છે અને તેનો લાભ ડાંગના પાંચ રાજવીઓ, ૯ નાયકો અને ૬પ૩ ભાઉબંધોને
પ્રાપ્ત થશે તેમ પણ મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
આદિજાતિ-વનબંધુઓના લોકોત્સવ હોળીના પર્વ અવસરે, દર વર્ષે ડાંગ જિલ્લામાં
યોજાતા પરંપરાગત ડાંગ દરબારમાં આ રાજવીઓનું રાજ્ય સરકાર સન્માન કરીને
તેમને પોલીટીકલ પેન્શન (સાલીયાણાં) ની રકમ એનાયત કરે છે, એમ પ્રવકતા
મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.

ચાર સનદી અધિકારીઓની બદલી
ગાંધીનગર,
રાજ્ય સરકારે ચાર સનદી અધિકારીશ્રીઓની બદલી કરી છે. જેમાં ગુજરાત રાજ્ય
માર્ગ-વાહન વ્યવહાર નિગમના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર શ્રી રાજ
ગોપાલને બદલીને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના મેનેજીંગ ડિરેકટર તરીકે
વડોદરા મૂકવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના
મેનેજીંગ ડિરેકટર
શ્રી મુકેશ પુરીને બદલી ગુજરાત રાજ્ય માર્ગ-વાહન વ્યવહાર નિગમના વાઇસ
ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર તરીકે કરવામાં આવી છે.
આ ઉપરાંત કુટિર અને ગ્રામોઘોગ કમિશનર શ્રી પી. એલ. દરબારની બદલી કમિશનર
ઓફ ફીશરીઝ તરીકે કરવામાં આવી છે. તેમજ કુટિર અને ગ્રામોઘોગ સચિવ શ્રી એ.
એમ. સોલંકીની જગ્યા બદલીને કુટિર અને ગ્રામોઘોગ કમિશનર અને કુટિર અને
ગ્રામોઘોગ સચિવની કરવામાં આવી છે.
આ સિવાય સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લીક એડમિનીસ્ટ્રેશન-સ્પીપાના
ડેપ્યુટી ડાયરેકટર જનરલ શ્રી પી. પી. હર્ષેની બદલી મનોરંજન કર કમિશનર
તરીકે ગાંધીનગર ખાતે કરવામાં આવી છે.

મહેસૂલ વિભાગ દ્વારા પલાસર ગામની અલગ રેવન્યુ વિલેજ તરીકેની માન્યતા રદ
ગાંધીનગર,
રાજયના મહેસૂલ વિભાગ દ્વારા પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામની
અમુક જમીનો પલાસર ગામમાં ભેળવી પલાસર અલગ રેવન્યુ વિલેજ જાહેર કરવામાં
આવેલ તે ઠરાવ આથી રદ કરવામાં આવે છે. તેમજ રાજય સરકારના હુકમની તારીખથી
અમલમાં આવે તે રીતે પાટણના ધિણોજ ગામની જાહેરનામાની અનુસૂચિમાં જણાવેલ
જમીનો ધિણોજ ગામના રકબામાંથી કમી કરાશે અને તે જમીનોનો મોજે પલાસર ગામના
રકબામાં સમાવેશ કરવામાં આવશે તેમ ઠરાવમાં જણાવાયું છે.

રાજય સરકારના સધન પ્રયાસોથી પાકિસ્તાન દ્વારા મુકત થયેલ ગુજરાતના ૩૧૫
માછીમારોનું માદરે વતન આગમન
ગાંધીનગર,
રાજય સરકારના સધન પ્રયાસોથી ગુજરાતના ૩૧૫ માછીમારોને પાકિસ્તાન દ્વારા
તા. ૨૮ મી જૂનના રોજ મુકત કરવામાં આવશે. આ ૩૧૫ માછીમારોને પંજાબના વાધા
બોર્ડર પર સ્વીકારવા માટે મત્સ્યોઘોગ ખાતાના અધિકારીઓની ટીમ વાધા બોર્ડર
પંજાબ ખાતેથી ગુજરાત ખાતે લાવવા માટે રવાના થયેલ છે. આ માછીમારોને ગુજરાત
ખાતે લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રેલ્વે મારફત અલગથી ખાસ આરક્ષણ
કરાયેલ રેલ્વે બોગીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ વેરાવળ સુધી સુરક્ષિત
રીતે પહોંચી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મત્સ્યોઘોગ કમિશનરની કચેરીની યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર તરફથી
દરેક માછીમારોની વિગતો ભારત સરકારશ્રીના વિદેશ મંત્રાલય મારફતે અને
પાકિસ્તાન સ્થિત ભારત કન્સુલેટ મારફત પત્ર વ્યવહાર કરી તેઓની ઓળખ સ્થાપિત
કરવામાં આવે છે. આ પ્રક્રિયા કન્સુલર અક્સેસ તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયા
પૂર્ણ થયા બાદ માછીમારો મુક્ત થઇ શકે તેવી વ્યવસ્થા છે.
માછીમારોને મુક્ત કરવાની ભારત અને પાકિસ્તાન બન્ને પડોશી દેશો વચ્ચેની આ
રાજદ્વારી બાબત સંદર્ભે રાજ્ય સરકાર તરફથી ભારત સરકારશ્રી સમક્ષ વારંવાર
રજૂઆતો કરવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને
મત્સ્યોઘોગમંત્રી શ્રી દિલીપભાઇ સંધાણી દ્વારા ભારત સરકારનાં સંબંધિત
મંત્રીશ્રીઓને ૧ર૪ વખત રજૂઆતો કરવામાં આવેલ છે. તાજેતરમાં મત્સ્યોઘોગ
મંત્રી શ્રી દિલીપભાઇ સંધાણી તરફથી તા. ર૦-૪-ર૦૧રના રોજ કેન્દ્રના
કૃષિમંત્રીશ્રી અને વિદેશમંત્રીશ્રીને માછીમારો તથા બોટોને મુક્ત કરાવવા
માટે રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રયત્નોને કારણે પાકિસ્તાન
ખાતેથી વર્ષ ર૦૦૧-ર૦૦રથી આજ દિન સુધી કુલ ૩૯૬૯ ભારતીય માછીમારોને મુક્ત
કરાવી શકાયા છે અને પોતાના માદરે વતનમાં આવેલ છે. ૩૧પ માછીમારો માદરે વતન
ગુજરાતમાં પાછા ફરશે તેવા સમાચારથી ખુશીનો માહોલ જોવા મળેલ છે. હજી પણ
બાકી રહેલ માછીમારોને મુક્ત કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સધન પ્રયત્નો
ચાલી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે માછીમારોના કુટુંબના વડાની ધરપકડ થવાને કારણે
પકડાયેલ માછીમારોનું કુટુંબ નિરાધાર બની જાય છે. તથા માછીમારોના કુટુંબને
રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આવા સંજોગોને ધ્યાને લઇને રાજ્ય
સરકારશ્રી દ્વારા માછીમારના કુટુંબજનોને આર્થિક દૈનિક સહાય રૂા. પ૦/-
માછીમાર જે તારીખે પકડાય તે તારીખથી તે જેલમાંથી છુટીને પરત આવે તે તારીખ
સુધી ચુકવવામાં આવે છે. વર્ષ ર૦૦૪-ર૦૦પથી વર્ષ ર૦૧ર-ર૦૧૩ સુધીમાં કુલ
૪.ર૮ કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી: